Showing posts with label other. Show all posts
ભારતના માર્કેટમાં દર વર્ષે કેટલી નકલી દવાઓ વેંચાય છે?
રૂરલ ઈન્ડિયામાં કુલ દવાના વેંચાણમાંથી ૨૫ ટકા નકલી દવાઓ વેંચાય છે
નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.
માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.
હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.
પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.
બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!
એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.
તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!
ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.
ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.
માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.
હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.
પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.
બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!
એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.
તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!
ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.
ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
એકલવ્ય દ્વારા બનેલું દ્રોણાચાર્ય મંદિર
તીર્થાટન - હર્ષ મેસવાણિયા
પાંડવ રાજકુમારોનો એક શ્વાન ભટકતો ભટકતો એક જંગલમાં ચાલ્યો ગયો. એક યુવાન ધર્નુવિદ્યા શીખી રહ્યો હતો ત્યાં પહોંચી ગયો અને જોર જોરથી ભસવા લાગ્યો. શ્વાનના ભસવાને કારણે યુવાનનું ધ્યાન ધર્નુવિદ્યા પરથી હટીને એ તરફ ગયું. શ્વાન હજુ પણ ભસી રહ્યો હતો એટલે પેલા યુવાને પોતાની ધર્નુવિદ્યાનો પ્રયોગ કરીને શ્વાનનું મોઢું એ રીતે સીવી લીધું કે એમાંથી અવાજ પણ ન નીકળી શકે અને મોં ખુલ્લું ને ખુલ્લં રહી જાય. શ્વાન ફરી પાંડવો જ્યાં શિક્ષા લઈ રહ્યાં હતા ત્યાં પહોંચી ગયો. શ્વાનનું મોં આ રીતે સીવેલું જોઈને ગુરુ દ્રોણાચાર્યને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી તો ખબર પડી કે એક ભીલ રાજકુમારે પોતાની ધર્નુવિદ્યાથી આ કૌવત કર્યું છે. તેઓ ખૂબ પ્રભાવિત થયા અને એ ભીલ યુવાનને મળવા ગયા. તેમણે યુવાનને પૂછયું કે આવી વિદ્યા શીખવનારા તારા ગુરુ કોણ છે? જવાબમાં યુવાને ગુરુ દ્રોણને પોતાની સાથે આવવા વિનંતી કરી. આગળ એકલવ્ય અને પાછળ ગુરુ દ્રોણ. થોડી વારમાં એકલવ્યે ગુરુ દ્રોણને એક મુર્તિ સામે લાવીને ખડા કરી દીધા અને કહ્યું કે, આ છે મારા ગુરુ. દ્રોણાચાર્ય નવાઈ પામીને એકલવ્ય સામે જોવા લાગ્યા, કેમ કે એ મુર્તિ સ્વયં ગુરુ દ્રોણની જ હતી. એ યુવાન એટલે જગતનો મહાન શિષ્ય ગણાતો એકલવ્ય. પછીની કથા એવી છે કે ગુરુ દ્રોણાચાર્યે પોતાની ગુરુદક્ષિણારૂપે એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગ્યો હતો અને એકલવ્યે હસતાં હસતાં ગુરુ દ્રોણની સામે અંગૂઠો હાથથી અલગ કરી દીધો હતો. આ મહાભારતનો બહુ જાણીતો પ્રસંગ છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ છે કે જે જગ્યાએ એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યની મુર્તિ બનાવી હતી અને જ્યાં ગુરુદક્ષિણારૂપે પોતાનો અંગૂઠો આપી દીધો હતો, એ સ્થળ ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં આવેલું છે અને દનકૌર તરીકે ઓળખાય છે. આજે અહીં એક દ્રોણાચાર્ય મંદિર છે. કૌરવો અને પાંડવોના ગુરુ તરીકે આપણી પૌરાણિક કથાઓમાં હંમેશાં યાદ કરાતા ગુરુ દ્રોણાચાર્યનું ભારતમાં સંભવતઃ એકમાત્ર મંદિર છે અને એ પણ એકલવ્યે બનાવ્યું હતું. અહીં ગુરુદ્રોણ એકલવ્યના ગુરુ તરીકે ઓળખાય છે અને આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરાના પ્રતીક તરીકે ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું છે.
![]() |
| દ્રોણાચાર્ય મંદિર |
દનકૌરના દ્રોણ મંદિરની વિશેષતા
દનકૌરનું નામ પહેલાં દ્રોણકૌર હતું. સમયાંતરે દ્રોણકૌરમાંથી અપભ્રંશ થઈને દનકૌર થઈ ગયું છે. મંદિરમાં ગુરુ દ્રોણની જે મુર્તિ છે તે એકલવ્યે બનાવેલી હોવાનું મનાય છે. મંદિરની એકદમ પાસે એક તળાવ છે. જે દ્રોણાચાર્ય તળાવ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ તળાવ એકલવ્યના સમયમાં પણ હતું. આ તળાવ આખું ભરાઈ જાય તોપણ એકાદ-બે કલાકમાં તે ખાલી થઈ જાય છે અને તેની સપાટી નીચેના સ્તર સુધી આવી જાય છે. શું કામ છલોછલ ભરાયેલું રહેતું નથી, તેનું કારણ કોઈને ખબર નથી. મંદિરની નજીક એક ઉદ્યાન છે, જેને એકલવ્ય ઉદ્યાન એવું નામ આપવામાં આવ્યું છે. આ બગીચામાં એકલવ્યની પ્રતિમાં મૂકવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં ગુરુ દ્રોણાચાર્ય ઉપરાંત બાંકે બિહારી, રાધાકૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને રામદરબાર જેવાં નાનાં મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દર રવિવારે અહીં વિશેષ ગુરુપૂજાનું આયોજન કરવામાં આવે છે.
![]() |
| એકલવ્ય મંદિર |
એકલવ્યનું પણ એક મંદિર છે
હરિયાણાના ગુડગાંવની પાસે એક નાનકડું ગામ છે ખાંડસા. આ ગામમાં એકલવ્યનું નાનકડું મંદિર આવેલું છે. ભારતમાં એકલવ્યનું આ એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે આ ગામ પહેલાં ખાંડવ પ્રદેશના નામે ઓળખાતું હતું. ખાંડવ પ્રદેશમાં હિરણ્યધનુ નામના નિષાદ રાજા રાજ કરતા હતા. એકલવ્ય આ ભીલ રાજાનો પુત્ર હતો. ગુરુદ્રોણે માત્ર હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષણ આપવાનું કહ્યું એટલે એકલવ્યે દનકૌરમાં જઈને સ્વયં ધર્નુવિદ્યા શીખી હતી. એક માન્યતા પ્રમાણે આ મહાન શિષ્યની યાદમાં તેના નગરમાં તે વખતે એક પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે ત્યાં નાનકડું મંદિર ઊભું છે, જે મહાન શિષ્ય એકલવ્યની યાદ અપાવે છે.
(સંદેશની ગુરુપુર્ણિમા વિશેષ ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)
બાળ હનુમાન મંદિરઃ જ્યાં હનુમાન ચાલીસાની રચના થઈ
તીર્થાટન - હર્ષ મેસવાણિયા
આપણા પાટનગર દિલ્હીના હૃદયસમા વિસ્તાર કનોટ પ્લેસમાં (જેને રાજીવ ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે) હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. દેશભરનાં હનુમાન મંદિરોમાં આ મંદિર થોડીક બાબતમાં અલગ છે. એટલે જ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. બાબા ખડકસિંહ માર્ગ પર સ્થિત આ પ્રાચીન બાળ હનુમાન મંદિર પાંડવોએ બંધાવ્યું હોવાનું મનાય છે. આ મંદિર દક્ષિણમુખી છે. એમ કહેવાય છે કે હનુમાનજીનું આટલું મોટું દક્ષિણમુખી મંદિર કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી.
પાંડવોએ મંદિર બધાવ્યું હતું.
પાંડવોએ તેમની રાજધાનીમાં પાંચ હનુમાન મંદિરો બંધાવ્યાં હતાં. તેમાંનું એક આ બાળહનુમાન મંદિર પણ હતું. એક કથા અનુસાર એક દિવસ ભીમ દ્રૌપદીને ખુશ કરવા માટે સ્વયં ફૂલ લેવા ગયો ત્યારે તેણે એક સ્વયંભૂ બહાર નીકળેલી બાળ હનુમાનજીની મુર્તિ જોઈ. પછી ભીમે વાયુપુત્ર હનુમાનજીની મુર્તિની પૂજા કરી અને સમયાંતરે આ મુર્તિ પર પાંડવોએ એક વિશાળ મંદિરનું નિર્માણ પણ કર્યું. જોકે, ભારતમાં વિદેશી આક્રમણખોરોએ જે મંદિરોને નુકસાન પહોંચાડયું તેનાથી આ મંદિર પણ બાકાત રહ્યું નહોતું. મજાની વાત એ છે કે સદીઓથી વિદેશી આક્રમણો સામે ઝીંક ઝીલવા છતાં હનુમાનજીની મુર્તિ ખંડિત નથી થઈ. મંદિરને ફરીથી બનાવવાનું શ્રેય મહારાજા માનસિંહ પ્રથમને મળે છે. તેમણે બાદશાહ અકબરના શાસનકાળમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી તેને ફરીથી વિસ્તાર કરવામાં અને સુધારાવધારા કરવામાં મહારાજા જયસિંહ દ્વિતીયનો અદ્વિતીય ફાળો હતો. જ્યારે જયસિંહ 'જંતરમંતર' બંધાવતા હતા તે દરમિયાન તેમણે આ મંદિરના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું.
સંત તુલસીદાસજીએ સ્તુતિરૂપે હનુમાન ચાલીસાની રચના કરી
'રામચરિત માનસ'ના રચયિતા સંત તુલસીદાસજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે આ મંદિરની ખ્યાતિ અને કથા સાંભળીને બાળ હનુમાનજીનાં દર્શન કરવા આવ્યા હતા. કહેવાય છે કે મંદિરનાં દર્શન કર્યાં પછી તેમણે આ બાળ હનુમાનજીની સ્તુતિરૂપે 'હનુમાન ચાલીસા'ની રચના કરી હતી. સંત તુલસીદાસજી દિલ્હી આવ્યા છે એ વાતના સમાચાર અકબર બાદશાહને મળ્યા એટલે તેમણે ગોસ્વામી તુલસીદાસજીને સન્માન સાથે રાજદરબારમાં આમંત્રિત કર્યા. તેમની સાથે સત્સંગથી ખુશ થઈને અકબરે તેમને કશીક ભેટ સ્વીકારવાની વિનંતી કરી. સંત તુલસીદાસજીએ ભેટ તો ન સ્વીકારી, પણ આગ્રહને વશ થઈને અકબરને કહ્યું કે, જો ખરેખર કશુંક આપવા માગતા હોય તો એવું કંઈક કરજો કે જેથી પ્રાચીન બાળહનુમાનજીના મંદિરનું રક્ષણ થાય. આ ઘટના પછી અકબરે મંદિરની ઉપર ઈસ્લામ ધર્મમાં પવિત્ર ગણાય એવું અર્ધ ચંદ્રનું ચિહ્ન મુકાવ્યું કે જેથી અન્ય આક્રમણખોરો મંદિરને નુકસાન ન પહોંચાડે. એક કથા એવી પણ છે કે અકબરને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ માટે તેમની રાણીએ હનુમાનજીની બાધા રાખી હતી. હનુમાનજી તરફની શ્રદ્ધાના કારણે અકબરને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યાર પછી રાણીના કહેવાથી અકબરે ચંદ્રનું ચિહ્ન મૂકીને મંદિરને રક્ષણ આપ્યું હતું. કદાચ ભારતનું આ એકમાત્ર મંદિર હશે કે જેના પર ઓમ, કળશ કે ત્રિશૂલના સ્થાને ઈસ્લામ ધર્મનું પવિત્ર ગણાય એવું અર્ધ ચંદ્રનું પ્રતીક મોજૂદ છે.
બાળ હનુમાન મંદિરની વિશેષતા
દિલ્હીના આ પ્રાચીન હનુમાન મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અવિરત મંત્રજાપના કારણે નોંધાયું છે. મંદિરના પરિસરમાં ૧ ઓગસ્ટ, ૧૯૬૪થી આજ સુધી એટલે કે છેલ્લાં ૪૯ વર્ષથી 'શ્રીરામ જય રામ જય જય રામ' ધૂનનો અવિરત જાપ કરવામાં આવે છે. કોઈ એક ધાર્મિક શ્લોકનો જાપ આટલાં વર્ષથી થાય છે તે પોતે જ એક વિક્રમ છે, જે ગિનીસ બુકમાં નોંધાયો છે.
શિલ્પકળાની દૃષ્ટિએ આ ભારતનું બેનમૂન મંદિર છે. તેનું વાસ્તુશિલ્પ વાલ્મીકિ રામાયણમાં વર્ણવાયેલી શિલ્પકળાને આધારે કંડારવામાં આવ્યું છે. મુખ્ય દરવાજાના સ્તંભો પર સંપૂર્ણ સુંદરકાંડની ચોપાઈઓ અંકિત કરવામાં આવી છે. મંદિરની અંદર હનુમાનજીના ઇષ્ટ પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજીની પ્રતિમા રાખવામાં આવી છે. મંદિરની એક તરફ શનિદેવ છે તો બીજી તરફ પરિસરમાં જ ગણેશજી, લક્ષ્મીજી, દુર્ગા માતા અને મા સંતોષીની મુર્તિઓ પણ રાખવામાં આવી છે. આ મંદિરમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈને મોડી રાત સુધી ભક્તોની ભીડ રહે છે. એમાં પણ શનિવાર અને મંગળવારે મંદિરને ૨૪ કલાક ખુલ્લું રાખવામાં આવે છે.
(સંદેશની ‘શ્રદ્ધા’ પૂર્તિમાં પ્રકાશિત)



