Showing posts with label Science Talk. Show all posts
પેનિસિલીનની શોધ કોણે કરી?
પેનિસિલીનના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
19મી સદીમાં જર્મન વિજ્ઞાની રોબર્ટ કોચે તારણ આપ્યું કે બેક્ટેરિયા બિમારી ફેલાવવા માટે કારણભૂત છે ત્યારથી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા હતા. સ્વચ્છતાને પણ ત્યારથી તંદુરસ્તી સાથે જોડવામાં આવી હતી.
દુનિયામાં મોટાભાગની માંદગી બેક્ટેરિયાને કારણે થાય છે અને બેક્ટેરિયા એકકોષી સજીવ છે. બેક્ટેરિયા એટલા તો સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાઈ નહીં, માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે એટલે તેનો નાશ કરવા પણ ખાસ ટેકનિક વિકસાવવી પડે તેમ હતી. એ ટેકનિક જોકે અનાયાસે વિકસી હતી.
દુનિયામાં ઘણી બધી શોધો અકસ્માતે જ થઈ છે, તેમ બેક્ટેરિયાને નાશ કરનાર તત્ત્વ પેનિસિલીનની શોધ પણ અકસ્માતે જ થઈ હતી.
સ્કોટલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વિજ્ઞાનીએ અકસ્માતે જ એવી શોધ કરી હતી કે જેના વડે બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. બેક્ટેરિયાને મારી શકે એવું તત્ત્વ તેમને છોડમાંથી મળી આવ્યું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગો કર્યા હતા. આખરે લગભગ ૧૦ વર્ષની જહેમત બાદ તેમણે એ તત્ત્વ મળી આવ્યું અને એ રીતે પેનિસિલીનનો આવિસ્કાર થયો હતો.
પેનિસિલીનની શોધ માનવજાત માટે ઉપયોગી સાબિત થઈ પડી હતી. અનેક એવા રોગો હતા કે જે સામાન્ય દવાથી મટતા ન હતા. જ્યાં સુધી બેક્ટેરિયાનો નાશ ન થાય ત્યાં સુધી રોગના મૂળ સુધી પહોંચી શકાય તેમ નહોતું.
એ સમયે બેક્ટેરિયા દ્વારા ફેલાતી માંદગીને કારણે મૃત્યુનો દર ઊંચો જતો હતો અને બેક્ટેરિયાના મૂળ સુધી પહોંચીને ખતમ કરે એવા તત્ત્વની વિશ્વને તાતી જરૃર હતી. બરાબર એ જ સમયગાળામાં પેનિસિલીનની શોધ થઈ અને માનવજાતની સુખાકારીમાં પેનિસિલીનનો મોટો ફાળો નોંધાયો.
આ મહત્ત્વપૂર્ણ શોધ માટે એલેક્ઝાન્ડર ફલેમિંગને 1945માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 6 ઓગસ્ટ, 1881માં જન્મેલા ફ્લેમિંગનું 73 વર્ષની વયે હાર્ટએટેકથી 1955માં લંડનમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને છેક સુધી અલગ અલગ વિષયો પર સંશોધનાત્મક વિભિન્ન સાયન્સ જર્નલ્સમાં લખતા રહેતા હતા. તેમણે પેનિસિલીન ઉપરાંત પણ બીજી ઘણી નાની-મોટી શોધો કરી હતી, જેના માટે નોબેલ ઉપરાંત પણ તેમના વિશ્વભરના અઢળક પુરસ્કારો મળ્યાં હતાં.
લંડનમાં ફ્લેમિંગના સન્માનમાં ફ્લેમિંગ મ્યુઝિયમ નામથી સાયન્સ મ્યુઝિયમ બનાવાયું છે, જે હવે લંડનના મુખ્ય આકર્ષણ પૈકીનું એક મનાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
19મી સદીમાં જર્મન વિજ્ઞાની રોબર્ટ કોચે તારણ આપ્યું કે બેક્ટેરિયા બિમારી ફેલાવવા માટે કારણભૂત છે ત્યારથી એ દિશામાં સંશોધનો થવા લાગ્યા હતા. સ્વચ્છતાને પણ ત્યારથી તંદુરસ્તી સાથે જોડવામાં આવી હતી.
દુનિયામાં મોટાભાગની માંદગી બેક્ટેરિયાને કારણે થાય છે અને બેક્ટેરિયા એકકોષી સજીવ છે. બેક્ટેરિયા એટલા તો સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાઈ નહીં, માત્ર માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય છે એટલે તેનો નાશ કરવા પણ ખાસ ટેકનિક વિકસાવવી પડે તેમ હતી. એ ટેકનિક જોકે અનાયાસે વિકસી હતી.
દુનિયામાં ઘણી બધી શોધો અકસ્માતે જ થઈ છે, તેમ બેક્ટેરિયાને નાશ કરનાર તત્ત્વ પેનિસિલીનની શોધ પણ અકસ્માતે જ થઈ હતી.
સ્કોટલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વિજ્ઞાનીએ અકસ્માતે જ એવી શોધ કરી હતી કે જેના વડે બેક્ટેરિયાનો નાશ થઈ શકે છે. બેક્ટેરિયાને મારી શકે એવું તત્ત્વ તેમને છોડમાંથી મળી આવ્યું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી જાતજાતના પ્રયોગો કર્યા હતા. આખરે લગભગ ૧૦ વર્ષની જહેમત બાદ તેમણે એ તત્ત્વ મળી આવ્યું અને એ રીતે પેનિસિલીનનો આવિસ્કાર થયો હતો.
પેનિસિલીનની શોધ માનવજાત માટે ઉપયોગી સાબિત થઈ પડી હતી. અનેક એવા રોગો હતા કે જે સામાન્ય દવાથી મટતા ન હતા. જ્યાં સુધી બેક્ટેરિયાનો નાશ ન થાય ત્યાં સુધી રોગના મૂળ સુધી પહોંચી શકાય તેમ નહોતું.
એ સમયે બેક્ટેરિયા દ્વારા ફેલાતી માંદગીને કારણે મૃત્યુનો દર ઊંચો જતો હતો અને બેક્ટેરિયાના મૂળ સુધી પહોંચીને ખતમ કરે એવા તત્ત્વની વિશ્વને તાતી જરૃર હતી. બરાબર એ જ સમયગાળામાં પેનિસિલીનની શોધ થઈ અને માનવજાતની સુખાકારીમાં પેનિસિલીનનો મોટો ફાળો નોંધાયો.
આ મહત્ત્વપૂર્ણ શોધ માટે એલેક્ઝાન્ડર ફલેમિંગને 1945માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 6 ઓગસ્ટ, 1881માં જન્મેલા ફ્લેમિંગનું 73 વર્ષની વયે હાર્ટએટેકથી 1955માં લંડનમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને છેક સુધી અલગ અલગ વિષયો પર સંશોધનાત્મક વિભિન્ન સાયન્સ જર્નલ્સમાં લખતા રહેતા હતા. તેમણે પેનિસિલીન ઉપરાંત પણ બીજી ઘણી નાની-મોટી શોધો કરી હતી, જેના માટે નોબેલ ઉપરાંત પણ તેમના વિશ્વભરના અઢળક પુરસ્કારો મળ્યાં હતાં.
લંડનમાં ફ્લેમિંગના સન્માનમાં ફ્લેમિંગ મ્યુઝિયમ નામથી સાયન્સ મ્યુઝિયમ બનાવાયું છે, જે હવે લંડનના મુખ્ય આકર્ષણ પૈકીનું એક મનાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
પર્વત સમુદ્રથી કેટલો ઊંચો છે તે કેમ નક્કી થાય?
આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પેલો પર્વત કે પેલું સ્થળ સમુદ્રની સપાટીથી આટલા મીટર ઊંચું છે. સમુદ્રથી પર્વત કેટલો ઊંચો છે કે પછી ઊંચે ઊડતું વિમાન કેટલું ઊંચે છે તે કેમ નક્કી થતું હશે તે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થયા વિના ન રહે. આ ઊંચાઈ માપવા માટેનું એક સાધન એટલે ઓલ્ટિમીટર. ઓલ્ટિમીટર પહેલાં થિઓડોલાઇટ નામનું સાધન ઊંચાઈ માપવા માટે વપરાતું હતું. જોકે, તેમાં વિમાનની ચોક્કસ ઊંચાઈ માપી શકાતી ન હતી. એના બદલે ઓલ્ટિમીટર વધુ સગવડતાભર્યું છે.
ઓલ્ટિમીટર એક રીતે જોતાં તો સીધું સાદું બેરોમીટર જ છે. ઊંચાઈમાં જેમ વધારો થાય તેમ વાતાવરણનું દબાણ ક્રમશઃ ઘટે છે, એ સિદ્ધાંત તેમાં લાગુ પડે છે. ઓલ્ટિમીટરમાં હવાનું દબાણ માપતી સીલબંધ કેપ્સ્યુલમાં શૂન્યાવકાશ હોવાના કારણે દબાણ વધારે હોય ત્યારે કેપ્સ્યુલનું પતરું સહેજ દબાતાં ડાયલના કાંટા ઓછી ઊંચાઈનો આંકડો બતાવે છે.
હવાનું દબાણ ઘટે એટલે આ પતરું સહેજ ઊંચું જાય છે અને ડાયલના કાંટા તે પ્રમાણે ખસે છે. આ રીતે ઓલ્ટિમીટરમાં હવાનું દબાણ મપાય છે અને એના આધારે પર્વત હવાની સપાટીના આધારે કેટલો ઊંચો છે તે નક્કી કરી શકાય છે. ઊડતા વિમાનની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. જોકે, વિમાનને સતત બદલાતા હવામાનનો સામનો કરવો પડે છે એટલે તેમાં એવી ખાસ સવલત આપવામાં આવે છે કે હવાનું દબાણ એકસરખું ન હોવા છતાં વિમાનમાં રહેલા મશીનને એ રીતે સેટ કરવામાં આવે, જેથી ઊંચાઈ માપી શકવામાં સરળતા રહે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
આપણને ગીત કેમ જલદી યાદ રહી જાય છે?
આપણે સતત કંઈક ને કંઈકને સાંભળતા રહીએ છીએ પણ એ બધામાં ગીતો આપણને વધુ યાદ રહી જાય છે. એવું કેમ થતું હશે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે ત્યારે આપણે અહીં એ જાણીએ કે ખરેખર ગીતો કેમ આપણને ઝડપથી યાદ રહી જાય છે અને આપણે અચાનક જ ગીત ગણગણવા લાગીએ છીએ!
આપણા કાનમાં સૂર, લય અને તાલનો સમન્વય થયેલો હોય છે. આના કારણે આપણે સાંભળેલાં ગીતો કોઈ ખાસ પ્રયત્ન વિના જ યાદ રહી જાય છે અને વળી આપણે અચાનક જ કોઈ ગીત ગણગણવા લાગીએ છીએ.
વૈજ્ઞાનિક ડૉ.વિલિયમ્સના જણાવ્યાનુસાર આને વિજ્ઞાનની પરિભાષામાં ઘણા નામે ઓળખવામાં આવે છે. સ્ટક સોંગ સિન્ડ્રોમ, સ્ટિકી મ્યુઝિક, કૉગ્નિટિવ ઈચ અને ઈયરવોર્મના કારણે આવું થાય છે. આને વધુ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આપણા મસ્તિષ્કમાં કાન સાથે એવા તંતુઓ જોડાયેલા હોય છે કે જેના લીધે જ્યારે સંગીતમય શબ્દો કાને પડે છે ત્યારે કાન તેને બહુ સારી રીતે ઝીલી લે છે અને એટલે ખાસ પ્રયત્ન વગર પણ યાદ રહી જાય છે.
વળી, આ સંગીતમય શબ્દો ગમે ત્યારે આપણે ગણગણવા લાગીએ છીએ. ખૂબ લોકપ્રિય થયેલું ગીત આપણી જીભે ચડી જાય છે અને પછી તો દિવસો સુધી આપણે એ ગીત ન સાંભળ્યું હોય તો પણ ક્યારેક અચાનક તેને ગણગણવા માંડીએ છીએ.વૈજ્ઞાનિકોના મતે કાનની સંગીતમય શ્રવણશક્તિ વધુ સતેજ હોવાથી જ વાંચેલી કે વાતચીતના સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી કરતાં ગીતના સંગીતમય સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી લાંબા સમય સુધી યાદ રહી જાય છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)



