Showing posts with label Travel. Show all posts
ભારતનું ઐતિહાસિક શહેર : ઔરંગાબાદ
(બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે)
પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરપૂર એવું ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઔરંગાબાદ ચોમેર પહાડોથી ઘેરાયેલું કોસ્મોપોલિટિન શહેર છે. ૫૨ દરવાજાવાળા નામથી પ્રસિદ્ધ આ શહેર પર્યટકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના પ્રવાસીઓ શહેરના ઐતિહાસિક વારસાનેે જોવા-જાણવા-માણવા વર્ષભર શહેરની મુલાકાત કરતા રહે છે.
* બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે. આ મકબરો મોગલ અને ફારસી વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. મકબરો ઔરંગઝેબના પુત્ર આજમશાહે તેની માતા રાબિયા બેગમની યાદમાં બનાવ્યો હતો.
* અતાઉલ્લક ખાન અને હંસપત નામના શિલ્પકારે આ મકબરો બનાવ્યો હતો. આ મકબરાની આસપાસ સુંદર બગીચો, ફુવારા તેમજ તળાવ આવેલાં છે.
* બીબીના મકબરાથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ગુફાઓ આવેલી છે. ૧૬૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં જાતકકથાઓ અને બૌદ્ધકાલીન બોધિસત્ત્વની મુર્તિઓ જોવા મળે છે.
* ૧૬૪૫માં મલિક અંબર દ્વારા નિર્માણ કરાયેલી પવનચક્કીનો ઉપયોગ તે સમયે અનાજ દળવામાં કરવામાં આવતો હતો. આ પવનચક્કીઓ હજી પણ કાર્યરત છે.
* ઔરંગાબાદની પશ્ચિમે સોનેરી મહેલ આવેલો છે, જેનું નિર્માણ રાજપૂત સરદાર પહાડસિંહે કર્યું હતું. વળી, ઔરંગાબાદથી ૫૦ કિમી. દૂર આવેલું પૈઠણ નામનું સ્થળ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયાં વિશ્વપ્રસિદ્ધ પૈઠણી સાડી બનાવવામાં આવે છે, જેમાં સોના-ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરંગાબાદ ભારતનાં તમામ શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી વર્ષેદહાડે આ શહેરને જોવા માટે ભારતભરના પ્રવાસીઓ આવે છે.
પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરપૂર એવું ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઔરંગાબાદ ચોમેર પહાડોથી ઘેરાયેલું કોસ્મોપોલિટિન શહેર છે. ૫૨ દરવાજાવાળા નામથી પ્રસિદ્ધ આ શહેર પર્યટકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના પ્રવાસીઓ શહેરના ઐતિહાસિક વારસાનેે જોવા-જાણવા-માણવા વર્ષભર શહેરની મુલાકાત કરતા રહે છે.
* બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે. આ મકબરો મોગલ અને ફારસી વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. મકબરો ઔરંગઝેબના પુત્ર આજમશાહે તેની માતા રાબિયા બેગમની યાદમાં બનાવ્યો હતો.
* અતાઉલ્લક ખાન અને હંસપત નામના શિલ્પકારે આ મકબરો બનાવ્યો હતો. આ મકબરાની આસપાસ સુંદર બગીચો, ફુવારા તેમજ તળાવ આવેલાં છે.
* બીબીના મકબરાથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ગુફાઓ આવેલી છે. ૧૬૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં જાતકકથાઓ અને બૌદ્ધકાલીન બોધિસત્ત્વની મુર્તિઓ જોવા મળે છે.
* ૧૬૪૫માં મલિક અંબર દ્વારા નિર્માણ કરાયેલી પવનચક્કીનો ઉપયોગ તે સમયે અનાજ દળવામાં કરવામાં આવતો હતો. આ પવનચક્કીઓ હજી પણ કાર્યરત છે.
* ઔરંગાબાદની પશ્ચિમે સોનેરી મહેલ આવેલો છે, જેનું નિર્માણ રાજપૂત સરદાર પહાડસિંહે કર્યું હતું. વળી, ઔરંગાબાદથી ૫૦ કિમી. દૂર આવેલું પૈઠણ નામનું સ્થળ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયાં વિશ્વપ્રસિદ્ધ પૈઠણી સાડી બનાવવામાં આવે છે, જેમાં સોના-ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરંગાબાદ ભારતનાં તમામ શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી વર્ષેદહાડે આ શહેરને જોવા માટે ભારતભરના પ્રવાસીઓ આવે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
કુદરતી સમૃદ્ધિ ધરાવતો પ્રદેશ આસામ
ભારતનાં સર્વાધિક સુંદર રાજ્યોમાં જેની ગણના થાય છે, તેવું આસામ પૂર્વોત્તરમાં સાંસ્કૃતિક, જૈવિક અને કુદરતી વિવિધતાના ખજાના સમાન પ્રદેશ છે. આસામમાં પ્રવેશ કરતાં જ દૂર દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા અને સુંદરતા વેરતી વન્ય જીવસૃષ્ટિ દૃષ્ટિગત થવા માંડે છે. આસામમાં અનેક લુપ્તપ્રાય વન્યજીવોની પ્રજાતિઓ અને સુંદર લાંબા દાંતવાળા હાથીઓના અવાજ વન્યજીવ પ્રેમીઓનાં હૃદયને સ્પર્શી જાય તેવા છે.
* આસામનું એક પર્વતીય સ્થળ હાફલાંગ સમુદ્રી તટથી ૬૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ પર્વતને આસામની મુખ્ય ભાષામાં સફેદ કીડીઓનો પહાડ કહેવામાં આવે છે. બે લાખ અલગ અલગ પ્રકારનાં ફૂલો માટે પણ હાફલાંગનો પહાડ વિશ્વવિખ્યાત છે.
* અનેક પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ અને પાઇનેપલ (અનાનસ), નાસપતી અને સંતરાં માટે પણ તે વિશેષ જાણીતો છે.
* આસામ અને મેઘાલયની સીમાઓ પર સ્થિત તેમજ હાફલાંગથી ૧૧૨ કિલોમીટર દૂર આવેલું ઉમારસંગો પર્વતીય સ્થળ ઉત્તરી કછાર પહાડી ક્ષેત્રની પ્રાકૃતિક પૃષ્ઠભૂમિથી સમૃદ્ધ છે. આ મનોરંજક યાત્રાનો આનંદ માણવા પર્યટકોએ જોવાઈના રસ્તે હાફલાંગની પહાડી ઉમારસંગોથી જઈ શકાય છે અને અહીંથી શિલાંગની પહાડીઓ તરફ પણ જઈ શકાય છે. ઉમારસંગો પાસે ચિકિત્સીય ગુણ ધરાવતું ગરમ પાણીનું ઝરણું પણ આવેલું છે.
* કાઝિરંગા નેશનલ પાર્ક આ રાજ્યની ઓળખ આપવા માટે પૂરતો છે. આ પાર્ક ૪૩૦ ચો.કિમીમાં ફેલાયેલો છે. કાઝિરંગા ખાસ કરીને ગેંડાઓ માટે વિશેષ જાણીતું છે. ઉપરાંત ૨૦૦૬થી કાઝિરંગા નેશનલ પાર્કને વાઘ અભયારણ્ય પણ જાહેર કરાયું છે. આ ઉદ્યાનમાં હાથી, જંગલી ભેંસ, સાબર-બારાસિંઘા જોવા મળે છે. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા કાઝિરંગા નેશનલ પાર્કને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યની તુલનામાં કાઝિરંગા નેશનલ પાર્કે વન્યજીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. અહીંયાં ઊંચા ઊંચા હાથી ઘાસ, પહોળાં પાંદડાં ધરાવતી વનસ્પતિઓ પણ જોવા મળે છે. ઉપરાંત, અહીં નાનાં તળાવો પણ આવેલાં છે.
* ૧૯૭૩માં માનસ ટાઇગર રિઝર્વ બનાવવામાં આવ્યું હતું. તે કોકરાઝાર,બોગઈ ગામ, બારપેટાન, નાલબાડી, કામરૂપ અને દારાંગ જિલ્લામાં ફેલાયેલું છે. આ રિઝર્વમાં જે ૨૨ જીવ-જંતુઓની પ્રજાતિઓ મળી આવે છે તે વિશ્વમાં લુપ્તપ્રાય છે. ૧૯૮૫માં તેને વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરાયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
* આસામનું એક પર્વતીય સ્થળ હાફલાંગ સમુદ્રી તટથી ૬૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ પર્વતને આસામની મુખ્ય ભાષામાં સફેદ કીડીઓનો પહાડ કહેવામાં આવે છે. બે લાખ અલગ અલગ પ્રકારનાં ફૂલો માટે પણ હાફલાંગનો પહાડ વિશ્વવિખ્યાત છે.
* અનેક પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ અને પાઇનેપલ (અનાનસ), નાસપતી અને સંતરાં માટે પણ તે વિશેષ જાણીતો છે.
* આસામ અને મેઘાલયની સીમાઓ પર સ્થિત તેમજ હાફલાંગથી ૧૧૨ કિલોમીટર દૂર આવેલું ઉમારસંગો પર્વતીય સ્થળ ઉત્તરી કછાર પહાડી ક્ષેત્રની પ્રાકૃતિક પૃષ્ઠભૂમિથી સમૃદ્ધ છે. આ મનોરંજક યાત્રાનો આનંદ માણવા પર્યટકોએ જોવાઈના રસ્તે હાફલાંગની પહાડી ઉમારસંગોથી જઈ શકાય છે અને અહીંથી શિલાંગની પહાડીઓ તરફ પણ જઈ શકાય છે. ઉમારસંગો પાસે ચિકિત્સીય ગુણ ધરાવતું ગરમ પાણીનું ઝરણું પણ આવેલું છે.
* કાઝિરંગા નેશનલ પાર્ક આ રાજ્યની ઓળખ આપવા માટે પૂરતો છે. આ પાર્ક ૪૩૦ ચો.કિમીમાં ફેલાયેલો છે. કાઝિરંગા ખાસ કરીને ગેંડાઓ માટે વિશેષ જાણીતું છે. ઉપરાંત ૨૦૦૬થી કાઝિરંગા નેશનલ પાર્કને વાઘ અભયારણ્ય પણ જાહેર કરાયું છે. આ ઉદ્યાનમાં હાથી, જંગલી ભેંસ, સાબર-બારાસિંઘા જોવા મળે છે. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા કાઝિરંગા નેશનલ પાર્કને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યની તુલનામાં કાઝિરંગા નેશનલ પાર્કે વન્યજીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. અહીંયાં ઊંચા ઊંચા હાથી ઘાસ, પહોળાં પાંદડાં ધરાવતી વનસ્પતિઓ પણ જોવા મળે છે. ઉપરાંત, અહીં નાનાં તળાવો પણ આવેલાં છે.
* ૧૯૭૩માં માનસ ટાઇગર રિઝર્વ બનાવવામાં આવ્યું હતું. તે કોકરાઝાર,બોગઈ ગામ, બારપેટાન, નાલબાડી, કામરૂપ અને દારાંગ જિલ્લામાં ફેલાયેલું છે. આ રિઝર્વમાં જે ૨૨ જીવ-જંતુઓની પ્રજાતિઓ મળી આવે છે તે વિશ્વમાં લુપ્તપ્રાય છે. ૧૯૮૫માં તેને વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરાયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)
૧૧૫૦ ફીટ ઊંચી અને ૯ કિમી. લાંબી ખરબચડી ટેકરીઃ ઉલુરુ
ઓસ્ટ્રેલિયામાં આવેલી ઉલુરુ નામની ટેકરી તેના વિચિત્ર દેખાવ અને તેની ખરબચડી સપાટીના કારણે દુનિયાભરમાં જાણીતી છે. ઓસ્ટ્રેલિયાના જાણીતા શહેર એલિસ સ્પ્રિંગસથી ૩૩૭ કિલોમીટરની દૂરી પર આવેલી આ ટેકરીને 'એયર્સ રોક'ના નામે વધુ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ માટે આ સ્થળ વિશેષ ર્ધાિમક મહત્ત્વ ધરાવે છે. આ આદિવાસીઓ તેને પવિત્ર માનીને પૂજા પણ કરે છે. તેના દેખાવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં આ વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કરીને વિશેષ સવલત પૂરી પાડવામાં આવી છે. ઉલુરુ ટેકરીની ખાસિયત માત્ર તેની ખરબચડી સપાટી જ નથી, પરંતુ તેની ઊંચાઈ અને પહોળાઈ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમુદ્રના લેવલથી આ ટેકરી ૨૮૨૮ ફીટની ઊંચાઈએ આવેલી છે. જોકે ઓસ્ટ્રેલિયાની જમીન પરથી તેની ઊંચાઈ ૧૧૫૦ ફીટ નોંધાતી હોવાથી આ જ તેની ઊંચાઈ હોવાની સામાન્ય માન્યતા છે.
આ ઉપરાંત ઉલુુરુ ટેકરી ૯ કિલોમીટર લાંબી અને ૨ કિલોમીટર પહોળી છે. ૧૫ ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ પરંપરાગત નામ ઉલુરુ અને અંગ્રેજી નામ એયર્સ રોક બંનેને સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. હવે આ બંને નામોથી જ આખો વિસ્તાર ઓળખાય છે. વિલિયમ ગોસ નામના યુરોપિયને સૌ પ્રથમ વખત ૧૮૭૩માં આ ટેકરીને જોઈ હતી અને ત્યારે તેણે સાઉથ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન ચીફ સેક્રેટરી સર હેનરી એયર્સના નામ પરથી ટેકરીનું નામ એયર્સ રોક પાડયું હોવાનું કહેવાય છે.
એયર્સ રોકની મુલાકાતે પ્રતિવર્ષ ૫ લાખ જેટલા લોકો આવે છે. સ્થાનિક પ્રશાસને પણ પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ પ્રવાસન સ્થળની સુવિધાઓમાં વધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના દરેક મોટા શહેરમાંથી એયર્સ રોક જવા માટે ફ્લાઇટ મળી રહે છે. પરિણામે સમગ્ર વિશ્વના પર્યટકો આ અનોખી દેખાતી ખરબચડી ઉલુરુ ટેકરીની મુલાકાતે આવતા રહે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)


