ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ : નવી જનરેશનને વળગેલી બીમારી!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ૨૧૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો
ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ. ૨૧મી સદીની નવી જનરેશનને આ વિચિત્ર બીમારીએ ભરડો લીધો છે. ડ્રાઈવિંગ દરમિયાન બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવું તેને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ કહેવાય છે. ડિસ્ટ્રેક્ટ એટલે ગૂંચવણ, વ્યાકૂળતા. ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે વાહન ચલાવતી વખતે બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવાના કારણે ડ્રાઈવિંગમાં થતી ગૂંચવણ-મુંઝવણ-ગરબડ.
ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે ત્રણ પ્રકારની એક્ટિવિટી: પ્રથમ, આંખથી કંઈક અન્ય દૃશ્ય જોવું. બીજું, શરીરથી ડ્રાઈવિંગ સિવાયની એક્ટિવિટી કરવી અને ત્રીજું, વાહન ચલાવવા સિવાયના કોઈ બીજાં જ સારા-ખરાબ વિચારોમાં ખોવાયેલું રહેવું.
ડ્રાઈવિંગ વખતે જીપીએસમાં જોવું, હોર્ડિંગ્સ તરફ નજર નાખવી એ બધુ વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. ખાવું-પીવું, વાતો કરવી, મોબાઈલમાં કંઈક સર્ચ કરવું કે વિડીયો-ફોટોગ્રાફ્સ જોવા વગેરેને મેન્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. એટલે કે શરીરથી ડ્રાઈવિંગ સિવાયની પ્રવૃત્તિ કરવી. ડ્રાઈવિંગ દરમિયાન શરીર ડ્રાઈવિંગ સીટ ઉપર હોય, પરંતુ મન ક્યાંક બીજે હોય તેને કોગ્નિટિવ ડિસ્ટ્રેક્શન કહેવાય, એટલે કે વાહન ચલાવતી વખતે માનસિક રીતે બેધ્યાન રહેવું.
ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માર્ગ અકસ્માતો ભયજનક રીતે વધ્યાં છે અને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગનું સૌથી મોટું કારણ છે: સ્માર્ટફોન.
૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ૨૧૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો
ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ. ૨૧મી સદીની નવી જનરેશનને આ વિચિત્ર બીમારીએ ભરડો લીધો છે. ડ્રાઈવિંગ દરમિયાન બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવું તેને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ કહેવાય છે. ડિસ્ટ્રેક્ટ એટલે ગૂંચવણ, વ્યાકૂળતા. ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે વાહન ચલાવતી વખતે બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવાના કારણે ડ્રાઈવિંગમાં થતી ગૂંચવણ-મુંઝવણ-ગરબડ.
ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે ત્રણ પ્રકારની એક્ટિવિટી: પ્રથમ, આંખથી કંઈક અન્ય દૃશ્ય જોવું. બીજું, શરીરથી ડ્રાઈવિંગ સિવાયની એક્ટિવિટી કરવી અને ત્રીજું, વાહન ચલાવવા સિવાયના કોઈ બીજાં જ સારા-ખરાબ વિચારોમાં ખોવાયેલું રહેવું.
ડ્રાઈવિંગ વખતે જીપીએસમાં જોવું, હોર્ડિંગ્સ તરફ નજર નાખવી એ બધુ વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. ખાવું-પીવું, વાતો કરવી, મોબાઈલમાં કંઈક સર્ચ કરવું કે વિડીયો-ફોટોગ્રાફ્સ જોવા વગેરેને મેન્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. એટલે કે શરીરથી ડ્રાઈવિંગ સિવાયની પ્રવૃત્તિ કરવી. ડ્રાઈવિંગ દરમિયાન શરીર ડ્રાઈવિંગ સીટ ઉપર હોય, પરંતુ મન ક્યાંક બીજે હોય તેને કોગ્નિટિવ ડિસ્ટ્રેક્શન કહેવાય, એટલે કે વાહન ચલાવતી વખતે માનસિક રીતે બેધ્યાન રહેવું.
ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માર્ગ અકસ્માતો ભયજનક રીતે વધ્યાં છે અને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગનું સૌથી મોટું કારણ છે: સ્માર્ટફોન.
***
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડ્રાઈવિંગ દરમિયાન વધતા જતાં સ્માર્ટફોનના વપરાશ બાબતે અહેવાલ તૈયાર કરાવ્યો હતો. એ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલના કારણે અકસ્માતોનું પ્રમાણ એક ટકાથી લઈને ૧૧ ટકા થયું હતું. મોબાઈલના કારણે થઈ રહેલાં માર્ગ અકસ્માતોમાં પાંચ વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો હતો.
અમેરિકન ટ્રાન્સપોર્ટેેશન વિભાગની નોંધ પ્રમાણે મોબાઈલમાં મેસેજિંગ કરવાના કારણે અકસ્માતની શક્યતા ૨૩ ગણી વધી જાય છે છતાં વાહનચાલકોના વલણમાં ખાસ કોઈ ફરક પડતો નથી. અમેરિકામાં ૩૦ ટકા લોકો ડ્રાઈવિંગ દરમિયાન મેસેજ કરે છે. કુલ એક્સિડેન્ટ્સમાંથી આઠ ટકા એક્સિડેન્ટ્સ ચાલુ ડ્રાઈવિંગે વોટ્સએપમાં મેસેજ કરવાથી થાય છે.
બ્રિટનમાં ૩૫ ટકા વાહન ચાલકો ચાલુ ડ્રાઈવિંગે મેસેજ-ફોન કરે છે. નિયમો કડક હોવા છતાં મોબાઈલનો ઉપયોગ ઓછો થયો ન હતો તેને આ દેશોએ ચિંતાજનક બાબત ગણાવી હતી. ઈટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ઈટાલીમાં થતાં ૮૦ ટકા અકસ્માતો પાછળ કોઈને કોઈ રીતે મોબાઈલ જવાબદાર હોય છે. યુરોપિયન સંઘના એક અહેવાલમાં કહેવાયું હતું કે નશો કરીને ડ્રાઈવિંગ કરવું તે યુરોપમાં અકસ્માત થવાનું પહેલું મુખ્ય કારણ હતું અને બીજું કારણ હતું મોબાઈલ.
ફોનમાં વાત કરવી, મેસેજ કરવા કે સોંગ ચેન્જ કરવાના કારણે રોડ ઉપરથી ધ્યાન હટે છે અને તેના કારણે અકસ્માતો થાય છે એવી નોંધ યુરોપિયન સંઘના એ અહેવાલમાં થઈ હતી.
વિશ્વના અડધો અડધ દેશોમાં તો મોબાઈલના કારણે કેટલા અકસ્માતો થાય છે તેનો કોઈ ડેટા જ અવલેબલ નથી. ભારતમાં ય આવો અહેવાલ હજુ બે-ત્રણ વર્ષથી જ તૈયાર થાય છે. અમુક દેશોએ ગંભીર સ્થિતિ પારખીને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. એ પ્રયાસો કરનારા દેશોમાં ભારતનો ય સમાવેશ થાય છે.
અમેરિકન ટ્રાન્સપોર્ટેેશન વિભાગની નોંધ પ્રમાણે મોબાઈલમાં મેસેજિંગ કરવાના કારણે અકસ્માતની શક્યતા ૨૩ ગણી વધી જાય છે છતાં વાહનચાલકોના વલણમાં ખાસ કોઈ ફરક પડતો નથી. અમેરિકામાં ૩૦ ટકા લોકો ડ્રાઈવિંગ દરમિયાન મેસેજ કરે છે. કુલ એક્સિડેન્ટ્સમાંથી આઠ ટકા એક્સિડેન્ટ્સ ચાલુ ડ્રાઈવિંગે વોટ્સએપમાં મેસેજ કરવાથી થાય છે.
બ્રિટનમાં ૩૫ ટકા વાહન ચાલકો ચાલુ ડ્રાઈવિંગે મેસેજ-ફોન કરે છે. નિયમો કડક હોવા છતાં મોબાઈલનો ઉપયોગ ઓછો થયો ન હતો તેને આ દેશોએ ચિંતાજનક બાબત ગણાવી હતી. ઈટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ઈટાલીમાં થતાં ૮૦ ટકા અકસ્માતો પાછળ કોઈને કોઈ રીતે મોબાઈલ જવાબદાર હોય છે. યુરોપિયન સંઘના એક અહેવાલમાં કહેવાયું હતું કે નશો કરીને ડ્રાઈવિંગ કરવું તે યુરોપમાં અકસ્માત થવાનું પહેલું મુખ્ય કારણ હતું અને બીજું કારણ હતું મોબાઈલ.
ફોનમાં વાત કરવી, મેસેજ કરવા કે સોંગ ચેન્જ કરવાના કારણે રોડ ઉપરથી ધ્યાન હટે છે અને તેના કારણે અકસ્માતો થાય છે એવી નોંધ યુરોપિયન સંઘના એ અહેવાલમાં થઈ હતી.
વિશ્વના અડધો અડધ દેશોમાં તો મોબાઈલના કારણે કેટલા અકસ્માતો થાય છે તેનો કોઈ ડેટા જ અવલેબલ નથી. ભારતમાં ય આવો અહેવાલ હજુ બે-ત્રણ વર્ષથી જ તૈયાર થાય છે. અમુક દેશોએ ગંભીર સ્થિતિ પારખીને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. એ પ્રયાસો કરનારા દેશોમાં ભારતનો ય સમાવેશ થાય છે.
***
દેશમાં એક ખાનગી કાર કંપનીના સર્વેમાં ચોંકાવનારું તારણ નીકળ્યું હતું કે ૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે. વાહન ચલાવતા ૧૦માંથી ૬ નાગરિકોનું ધ્યાન મોબાઈલમાં હોય છે. તે હિસાબે માત્ર ૧૦માંથી ચાર વાહનચાલકોનું ધ્યાન ડ્રાઈવિંગ વખતે રસ્તા ઉપર હોય છે.
દેશમાં એક ખાનગી કાર કંપનીના સર્વેમાં ચોંકાવનારું તારણ નીકળ્યું હતું કે ૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે. વાહન ચલાવતા ૧૦માંથી ૬ નાગરિકોનું ધ્યાન મોબાઈલમાં હોય છે. તે હિસાબે માત્ર ૧૦માંથી ચાર વાહનચાલકોનું ધ્યાન ડ્રાઈવિંગ વખતે રસ્તા ઉપર હોય છે.
૪૭ ટકા ભારતીયોને ડ્રાઈવિંગ વખતે ફોન આવે છે અને એમાંથી મોટાભાગના લોકો રિસિવ કરીને જવાબ આપે છે. વળી, ડ્રાઈવિંગ કરનારા ૯૪ ટકા લોકો એ વાત કબૂલે ય છે કે રસ્તા ઉપર મોબાઈલનો ઉપયોગ કરવો ખતરનાક છે અને તેમ છતાં મોબાઈલનો ઉપયોગ ટાળતા નથી.
અચ્છા, એનાથી ય રસપ્રદ વાત એ છે કે જ્યારે આ જ વાહનચાલકો પેસેન્જર બનીને વાહનમાં બેસે છે ત્યારે એમાંના ૯૬ ટકા તેના ડ્રાઈવરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રોકે-ટોકે છે. મતલબ કે પોતે જે કરતા નથી તે બીજા પાસે ભારપૂર્વક કરાવે છે!
આપણે ત્યાં સ્થિતિ એવી છે કે કાર-બાઈક લઈને નીકળો તો આપણી કાર-બાઈક કોઈને ન ટકરાય તેનું ધ્યાન તો આપણે રાખવું જ પડે છે, પણ બીજો આવીને આપણને ટકરાવી ન જાય એનું ય ધ્યાન આપણે જ રાખવું પડે છે. દરેક વાહન ચાલક પોતાનું વાહન અન્યને ન ટકરાય એટલું ય ધ્યાન રાખે તો દેશમાં ૩૦ ટકા અકસ્માતો તો એક ઝાટકે ઓછા થઈ જાય!
પેલા ખાનગી સર્વેક્ષણમાં ૨૦ રાજ્યોને આવરી લેવાયા હતા અને એમાં વળી એવું તારણ ય નીકળ્યું હતું કે દક્ષિણ ભારતની તુલનામાં ઉત્તર ભારતમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાનું વલણ ૧૦ ટકા વધારે છે. પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે. દેશના ૨૦થી ૪૦ વર્ષના વાહન ચાલકોમાં ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવાનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું છે. ૪૦થી ૬૦ વર્ષના વાહન ચાલકોમાં માત્ર ૧૦ ટકા જ ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ બાબતે વડીલો પાસેથી આપણી જનરેશને ધડો લેવા જેવું ખરું!
ગયા વર્ષે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં અહેવાલ આપતા કહ્યું હતું એ પ્રમાણે મોબાઈલમાં વાત કે મેસેજ કરવાના કારણે દેશમાં એક વર્ષમાં ૪૯૭૬ અકસ્માતો થયા હતા અને એમાં ૨૧૩૮ લોકોના મોત થયા હતા. મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની બેદરકારીના કારણે ૨૧૩૮ લોકોએ અકાળે રસ્તા ઉપર જીવ ખોયો હતો એનાથી ય ગંભીર બાબત તો એ હતી કે તેમાંથી ૧૫૦૦ લોકોની વય ૨૦થી ૩૫ની વચ્ચે હતી અને એમાંથી ઘણાં ખરા બાઈકચાલક હતા. બીજા અર્થમાં કહીએ તો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલમાં વાત કરવાનું બાઈકચાલકો માટે વધુ જોખમી છે.
***
ભારત સરકાર સહિત વિશ્વની સંખ્યાબંધ સરકારો ટીવી, અખબારની જાહેરાતોની મદદથી ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની નાગરિકોમાં માનસિકતા કેળવાય તે માટે પ્રયાસો કરે છે. ઘણી ખાનગી કંપનીઓ કર્મચારીઓના સેફ્ટી પ્રોગ્રામ હેઠળ ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ બાબતે ઝુંબેશ ચલાવતી થઈ છે.
એમ તો કારમાં સેફ્ટી સિસ્ટમ વધુ પાવરફૂલ થવા લાગી છે. કારમાં બ્લુટૂથથી વાત કરી શકાય એવા ફીચર્સ એડ થયા છે, પરંતુ બાઈકચાલકો માટે જોખમ ઓછું થતા વાર લાગશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ભારપૂર્વક કહ્યું હતું કે વિવિધ સરકારો જે ઝુંબેશ ચલાવે છે તે અપૂરતી છે. માસ મીડિયાનો બહોળો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો વધુ સઘન રીતે કરવા જરૂરી છે. જો મોબાઈલનો ઉપયોગ આમને આમ ચાલશે અને કડક કાયદા અમલી નહીં બને તો આગામી દિવસોમાં વિશ્વના એકેય રસ્તા સુરક્ષિત નહીં હોય.
ડ્રાઈવિંગ દરમિયાન થોડોક સમય કોલનો જવાબ નહીં આપીએ કે મેસેજનો જવાબ નહીં આપીએ તો દુનિયા ઊંધી ચત્તી થઈ જવાની નથી એ વાત આપણે સમજવી પડશે. જો એ વલણમાં ફેરફાર નહીં કરીએ તો ક્યારેક આપણાં જીવનું જોખમ ખડું થશે, ક્યારેક બીજાના જીવ ઉપર આપણે જોખમ ખડું કરી કરીશું. આપણી સલામતી માટે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના ફ્રસ્ટ્રેશનમાંથી બહાર નીકળવાની મતી આપણે જ કેળવવી પડશે.
આપણે ત્યાં સ્થિતિ એવી છે કે કાર-બાઈક લઈને નીકળો તો આપણી કાર-બાઈક કોઈને ન ટકરાય તેનું ધ્યાન તો આપણે રાખવું જ પડે છે, પણ બીજો આવીને આપણને ટકરાવી ન જાય એનું ય ધ્યાન આપણે જ રાખવું પડે છે. દરેક વાહન ચાલક પોતાનું વાહન અન્યને ન ટકરાય એટલું ય ધ્યાન રાખે તો દેશમાં ૩૦ ટકા અકસ્માતો તો એક ઝાટકે ઓછા થઈ જાય!
પેલા ખાનગી સર્વેક્ષણમાં ૨૦ રાજ્યોને આવરી લેવાયા હતા અને એમાં વળી એવું તારણ ય નીકળ્યું હતું કે દક્ષિણ ભારતની તુલનામાં ઉત્તર ભારતમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાનું વલણ ૧૦ ટકા વધારે છે. પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે. દેશના ૨૦થી ૪૦ વર્ષના વાહન ચાલકોમાં ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવાનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું છે. ૪૦થી ૬૦ વર્ષના વાહન ચાલકોમાં માત્ર ૧૦ ટકા જ ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ બાબતે વડીલો પાસેથી આપણી જનરેશને ધડો લેવા જેવું ખરું!
ગયા વર્ષે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં અહેવાલ આપતા કહ્યું હતું એ પ્રમાણે મોબાઈલમાં વાત કે મેસેજ કરવાના કારણે દેશમાં એક વર્ષમાં ૪૯૭૬ અકસ્માતો થયા હતા અને એમાં ૨૧૩૮ લોકોના મોત થયા હતા. મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની બેદરકારીના કારણે ૨૧૩૮ લોકોએ અકાળે રસ્તા ઉપર જીવ ખોયો હતો એનાથી ય ગંભીર બાબત તો એ હતી કે તેમાંથી ૧૫૦૦ લોકોની વય ૨૦થી ૩૫ની વચ્ચે હતી અને એમાંથી ઘણાં ખરા બાઈકચાલક હતા. બીજા અર્થમાં કહીએ તો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલમાં વાત કરવાનું બાઈકચાલકો માટે વધુ જોખમી છે.
***
ભારત સરકાર સહિત વિશ્વની સંખ્યાબંધ સરકારો ટીવી, અખબારની જાહેરાતોની મદદથી ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની નાગરિકોમાં માનસિકતા કેળવાય તે માટે પ્રયાસો કરે છે. ઘણી ખાનગી કંપનીઓ કર્મચારીઓના સેફ્ટી પ્રોગ્રામ હેઠળ ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ બાબતે ઝુંબેશ ચલાવતી થઈ છે.
એમ તો કારમાં સેફ્ટી સિસ્ટમ વધુ પાવરફૂલ થવા લાગી છે. કારમાં બ્લુટૂથથી વાત કરી શકાય એવા ફીચર્સ એડ થયા છે, પરંતુ બાઈકચાલકો માટે જોખમ ઓછું થતા વાર લાગશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ભારપૂર્વક કહ્યું હતું કે વિવિધ સરકારો જે ઝુંબેશ ચલાવે છે તે અપૂરતી છે. માસ મીડિયાનો બહોળો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો વધુ સઘન રીતે કરવા જરૂરી છે. જો મોબાઈલનો ઉપયોગ આમને આમ ચાલશે અને કડક કાયદા અમલી નહીં બને તો આગામી દિવસોમાં વિશ્વના એકેય રસ્તા સુરક્ષિત નહીં હોય.
ડ્રાઈવિંગ દરમિયાન થોડોક સમય કોલનો જવાબ નહીં આપીએ કે મેસેજનો જવાબ નહીં આપીએ તો દુનિયા ઊંધી ચત્તી થઈ જવાની નથી એ વાત આપણે સમજવી પડશે. જો એ વલણમાં ફેરફાર નહીં કરીએ તો ક્યારેક આપણાં જીવનું જોખમ ખડું થશે, ક્યારેક બીજાના જીવ ઉપર આપણે જોખમ ખડું કરી કરીશું. આપણી સલામતી માટે ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના ફ્રસ્ટ્રેશનમાંથી બહાર નીકળવાની મતી આપણે જ કેળવવી પડશે.
દેશમાં વર્ષે ૧૫૦૭૮૫ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતાં
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩-૧૪ લાખ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. માર્ગ અકસ્માતનો ભોગ બનતા વિશ્વના ૧૪ લાખ કમભાગી લોકોમાંથી દોઢ લાખ લોકો તો એકલા ભારતના હોય છે.
નીતિન ગડકરીએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં ૪,૮૦,૬૫૨ માર્ગ અકસ્માતો થયા હતા અને એમાં ૧,૫૦,૭૮૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં એક કલાકમાં સરેરાશ ૫૫ અકસ્માતો થયા હતા અને એમાં ૧૭ લોકોના મોત થયા હતા. એટલે કે દરરોજ ૪૦૦ ભારતીયો રસ્તા ઉપર દમ તોડી દે છે.
માર્ગ અકસ્માતોમાં તેના અગાઉના વર્ષ કરતા ઘટાડો થયો હતો, પરંતુ ચિંતાજનક રીતે મૃત્યુદરમાં વધારો થયો હતો. માર્ગ અકસ્માતમાં જેમના મૃત્યુ થયા હતા એમાંથી ૪૬ ટકા લોકોની વય ૧૮થી ૩૫ની વચ્ચે હતી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસના આધારે આ અહેવાલ તૈયાર થાય છે. તે હિસાબે ઘણાં નાના-મોટા કિસ્સા કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાતા નથી એની સંખ્યા ગણીએ તો માર્ગ અકસ્માતોનું વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે છે.
રીપોર્ટ મુજબ ૧૩ રાજ્યોમાં ૮૬ ટકા અકસ્માતો થાય છે. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, હરિયાણા, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અકસ્માતોની બાબતે સૌથી ખતરનાક સાબિત થયા હતા. યુટર્ન અને વળાંકો ઉપર ૩૭ ટકા અકસ્માતો થયા હતા.
ભારતમાં અકસ્માતોથી વધતા મૃત્યુઆંકને જોઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ૨૦૨૦-૨૧માં ભારતમાં મૃત્યુના વિવિધ કારણોમાં માર્ગ અકસ્માત સૌથી આગળ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના અંદાજ પ્રમાણે ભારતને દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે.
નીતિન ગડકરીએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં ૪,૮૦,૬૫૨ માર્ગ અકસ્માતો થયા હતા અને એમાં ૧,૫૦,૭૮૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં એક કલાકમાં સરેરાશ ૫૫ અકસ્માતો થયા હતા અને એમાં ૧૭ લોકોના મોત થયા હતા. એટલે કે દરરોજ ૪૦૦ ભારતીયો રસ્તા ઉપર દમ તોડી દે છે.
માર્ગ અકસ્માતોમાં તેના અગાઉના વર્ષ કરતા ઘટાડો થયો હતો, પરંતુ ચિંતાજનક રીતે મૃત્યુદરમાં વધારો થયો હતો. માર્ગ અકસ્માતમાં જેમના મૃત્યુ થયા હતા એમાંથી ૪૬ ટકા લોકોની વય ૧૮થી ૩૫ની વચ્ચે હતી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસના આધારે આ અહેવાલ તૈયાર થાય છે. તે હિસાબે ઘણાં નાના-મોટા કિસ્સા કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાતા નથી એની સંખ્યા ગણીએ તો માર્ગ અકસ્માતોનું વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે છે.
રીપોર્ટ મુજબ ૧૩ રાજ્યોમાં ૮૬ ટકા અકસ્માતો થાય છે. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, હરિયાણા, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અકસ્માતોની બાબતે સૌથી ખતરનાક સાબિત થયા હતા. યુટર્ન અને વળાંકો ઉપર ૩૭ ટકા અકસ્માતો થયા હતા.
ભારતમાં અકસ્માતોથી વધતા મૃત્યુઆંકને જોઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તો એવી ય ચિંતા વ્યક્ત કરી હતી કે ૨૦૨૦-૨૧માં ભારતમાં મૃત્યુના વિવિધ કારણોમાં માર્ગ અકસ્માત સૌથી આગળ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના અંદાજ પ્રમાણે ભારતને દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે.
ઈંટનો જવાબ પથ્થરથી ન આપો તો કંઈ નહીં, 'લોહી'નો જવાબ 'પાણી'થી તો આપો!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ફેબ્રુઆરી-2019માં પાકિસ્તાનની ટીમ ભારતમાં ચેનાબ નદી ઉપરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સમીક્ષા કરી ગઈ. પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ છે, એટલે ભારત પાસેથી પાણી મેળવવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે
૧૯૪૭માં અખંડ ભારતના બે ભાગ પડયા કે તરત જ બંને દેશોના એન્જિનિયરો વચ્ચે સિંધુ નદીના પાણી મુદ્દે કરાર થયા હતા. એ કરાર જોકે, ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી જ લાગુ હતો, પરંતુ એ કરાર પ્રમાણે ભારતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવવાનું ન હતું.
ટૂંકા ગાળાનો કરાર પૂરો થયો પછી ભારતે પાકિસ્તાનને મળતો પાણીનો જથ્થો થોડો વખત અટકાવ્યો કે તરત પાકિસ્તાને વૈશ્વિક સ્તરે રજૂઆતો શરૂ કરી. ઘણી વાટાઘાટો પછી આખરે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં ઐતિહાસિક સિંધુ જળ સમજૂતી થઈ હતી.
***
૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦માં કરાચીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ, તે પ્રમાણે સિંધુ નદીની પાંચ મુખ્ય ઉપનદીઓ અને એક સિંધુ નદી - એમ છ નદીઓના પાણીની વહેંચણી નક્કી થઈ. કરાર પ્રમાણે ત્રણ પૂર્વી નદીઓ - વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને મળ્યું અને ત્રણ પશ્વિમી નદીઓ - સિંધુ, ચેનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું.
એ કરારમાં એવી જોગવાઈ હતી કે પાકિસ્તાનને જે ત્રણ નદીનું પાણી મળે છે તેમાંથી ભારત વીજળી, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે છે, પણ એનો જથ્થો ૨૦ ટકાથી વધુ ન થવો જોઈએ. બીજાં શબ્દોમાં કહીએ તો ભારતમાંથી વહેતી આ નદીઓમાંથી ભારતે ૮૦ ટકા જથ્થો પાકિસ્તાન માટે અનામત છોડી દેવાનો હતો. સગા બે ભાઈઓ એક ઘરમાંથી જુદા થાય અને મોટોભાઈ ઉદારતાથી નાનાભાઈ માટે જતું કરે એવું ભારતે પણ તે વખતે કર્યું હતું. ભારત પોતાના હિસ્સામાં આવતું ૨૦ ટકા જળ વાપરવાને બદલે મોટું મન રાખીને જતું કરે છે.
પાકિસ્તાનમાં રહેતા લોકો પણ આખરે તો અખંડ ભારતનો હિસ્સો હતા અને જો ભારત પાણીની વહેંચણીમાં આકરા નિયમો મૂકે તો એ નાગરિકોને વેઠવાનું આવે એમ વિચારીને ભારતે થોડું નમતું જોખ્યું હતું. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પછી તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા હતા, પણ ભારતે એકેય વખત સિંધુ જળ સમજૂતી તોડી ન હતી.
બંને દેશોના અધિકારીઓની એક કાયમી સમિતિ બની હતી અને એ સમિતિ શક્ય હોય ત્યાં સુધી નેતાઓની દખલગીરી વગર બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવીને કરારનું પાલન કરે છે. સિંધુ જળ સમિતિની અત્યાર સુધીમાં ૧૧૯ બેઠકો મળી ચૂકી છે. કરારની જોગવાઈ પ્રમાણે દર પાંચ વર્ષે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવી શકે છે અને સમીક્ષા કરી શકે છે. બંને પક્ષે કંઈ કચવાટ હોય તો આ સમિતિ જ શક્ય હોય ત્યાં સુધી તેનું સમાધાન લઈ આવે છે.
૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના યુદ્ધ વખતે ય ભારતે સિંધુ નદીનું પાણી ન અટકાવ્યું. એ પછી તો સરહદે પાકિસ્તાને સતત અવળચંડાઈ શરૂ કરી તો ય ભારતે સિંધુ જળકરાર ન તોડયો. પાકિસ્તાને સાવ નીચલી પાયરીએ બેસીને ભારત સામે લડવા આતંકવાદનો સહારો લીધો તો ય ભારતે પાણી અટકાવીને પાકિસ્તાનના નાગરિકોને પરેશાન કરવાનું વલણ ન બતાવ્યું.
પાકિસ્તાનના અવળચંડા-ભારતદ્વેષી નેતાઓના મોઢા સામે જોયું હોત તો તો ભારતે ક્યારના કરારો તોડી નાખ્યા હોત. પણ ભારતે હંમેશા માનવતાવાદી વલણ અપનાવીને પાકિસ્તાનના એ કરોડો નાગરિકોના દયામણા મોઢા સામે જોયું હતું કે જેને ખરેખર પાણીની વિકટ તંગી વેઠવાની આવતી હતી, પરંતુ હવે વારંવાર સરહદે યુદ્ધવિરામનો ભંગ કરીને, આતંકવાદીઓને સમર્થન આપીને, કાશ્મીરના નાગરિકોમાં ભારત વિરોધી ઝેર ઘોળીને અને કાશ્મીર બાબતે વૈશ્વિક સ્તરે જૂઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચતા પાકિસ્તાને સીધું દૌર કરવા માટે ભારતે પાણી મુદ્દે પાણી બતાવવાની નીતિ શરૂ કરી છે.
ભારતે અવળચંડા પાકિસ્તાની નેતાઓને ઘૂંટણિયે પાડવાનો જે વ્યૂહ અપનાવ્યો છે, તે સફળ થાય તો ઘણી સમસ્યા ઉકેલી જાય એવી શક્યતા નકારી શકાય નહીં.
ફેબ્રુઆરી-2019માં પાકિસ્તાનની ટીમ ભારતમાં ચેનાબ નદી ઉપરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સમીક્ષા કરી ગઈ. પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ છે, એટલે ભારત પાસેથી પાણી મેળવવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે
૧૯૪૭માં અખંડ ભારતના બે ભાગ પડયા કે તરત જ બંને દેશોના એન્જિનિયરો વચ્ચે સિંધુ નદીના પાણી મુદ્દે કરાર થયા હતા. એ કરાર જોકે, ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી જ લાગુ હતો, પરંતુ એ કરાર પ્રમાણે ભારતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવવાનું ન હતું.
ટૂંકા ગાળાનો કરાર પૂરો થયો પછી ભારતે પાકિસ્તાનને મળતો પાણીનો જથ્થો થોડો વખત અટકાવ્યો કે તરત પાકિસ્તાને વૈશ્વિક સ્તરે રજૂઆતો શરૂ કરી. ઘણી વાટાઘાટો પછી આખરે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં ઐતિહાસિક સિંધુ જળ સમજૂતી થઈ હતી.
***
૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦માં કરાચીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ, તે પ્રમાણે સિંધુ નદીની પાંચ મુખ્ય ઉપનદીઓ અને એક સિંધુ નદી - એમ છ નદીઓના પાણીની વહેંચણી નક્કી થઈ. કરાર પ્રમાણે ત્રણ પૂર્વી નદીઓ - વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને મળ્યું અને ત્રણ પશ્વિમી નદીઓ - સિંધુ, ચેનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું.
એ કરારમાં એવી જોગવાઈ હતી કે પાકિસ્તાનને જે ત્રણ નદીનું પાણી મળે છે તેમાંથી ભારત વીજળી, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે છે, પણ એનો જથ્થો ૨૦ ટકાથી વધુ ન થવો જોઈએ. બીજાં શબ્દોમાં કહીએ તો ભારતમાંથી વહેતી આ નદીઓમાંથી ભારતે ૮૦ ટકા જથ્થો પાકિસ્તાન માટે અનામત છોડી દેવાનો હતો. સગા બે ભાઈઓ એક ઘરમાંથી જુદા થાય અને મોટોભાઈ ઉદારતાથી નાનાભાઈ માટે જતું કરે એવું ભારતે પણ તે વખતે કર્યું હતું. ભારત પોતાના હિસ્સામાં આવતું ૨૦ ટકા જળ વાપરવાને બદલે મોટું મન રાખીને જતું કરે છે.
પાકિસ્તાનમાં રહેતા લોકો પણ આખરે તો અખંડ ભારતનો હિસ્સો હતા અને જો ભારત પાણીની વહેંચણીમાં આકરા નિયમો મૂકે તો એ નાગરિકોને વેઠવાનું આવે એમ વિચારીને ભારતે થોડું નમતું જોખ્યું હતું. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પછી તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા હતા, પણ ભારતે એકેય વખત સિંધુ જળ સમજૂતી તોડી ન હતી.
બંને દેશોના અધિકારીઓની એક કાયમી સમિતિ બની હતી અને એ સમિતિ શક્ય હોય ત્યાં સુધી નેતાઓની દખલગીરી વગર બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવીને કરારનું પાલન કરે છે. સિંધુ જળ સમિતિની અત્યાર સુધીમાં ૧૧૯ બેઠકો મળી ચૂકી છે. કરારની જોગવાઈ પ્રમાણે દર પાંચ વર્ષે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવી શકે છે અને સમીક્ષા કરી શકે છે. બંને પક્ષે કંઈ કચવાટ હોય તો આ સમિતિ જ શક્ય હોય ત્યાં સુધી તેનું સમાધાન લઈ આવે છે.
૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના યુદ્ધ વખતે ય ભારતે સિંધુ નદીનું પાણી ન અટકાવ્યું. એ પછી તો સરહદે પાકિસ્તાને સતત અવળચંડાઈ શરૂ કરી તો ય ભારતે સિંધુ જળકરાર ન તોડયો. પાકિસ્તાને સાવ નીચલી પાયરીએ બેસીને ભારત સામે લડવા આતંકવાદનો સહારો લીધો તો ય ભારતે પાણી અટકાવીને પાકિસ્તાનના નાગરિકોને પરેશાન કરવાનું વલણ ન બતાવ્યું.
પાકિસ્તાનના અવળચંડા-ભારતદ્વેષી નેતાઓના મોઢા સામે જોયું હોત તો તો ભારતે ક્યારના કરારો તોડી નાખ્યા હોત. પણ ભારતે હંમેશા માનવતાવાદી વલણ અપનાવીને પાકિસ્તાનના એ કરોડો નાગરિકોના દયામણા મોઢા સામે જોયું હતું કે જેને ખરેખર પાણીની વિકટ તંગી વેઠવાની આવતી હતી, પરંતુ હવે વારંવાર સરહદે યુદ્ધવિરામનો ભંગ કરીને, આતંકવાદીઓને સમર્થન આપીને, કાશ્મીરના નાગરિકોમાં ભારત વિરોધી ઝેર ઘોળીને અને કાશ્મીર બાબતે વૈશ્વિક સ્તરે જૂઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચતા પાકિસ્તાને સીધું દૌર કરવા માટે ભારતે પાણી મુદ્દે પાણી બતાવવાની નીતિ શરૂ કરી છે.
ભારતે અવળચંડા પાકિસ્તાની નેતાઓને ઘૂંટણિયે પાડવાનો જે વ્યૂહ અપનાવ્યો છે, તે સફળ થાય તો ઘણી સમસ્યા ઉકેલી જાય એવી શક્યતા નકારી શકાય નહીં.
***
ભારતમાં એક મત એવો છે કે સિંધુ જળ કરારના કારણે ભારતને કરોડોનું નુકસાન થાય છે. જમ્મુ-કાશ્મીર સરકાર તો સિંધુ કરારની ફેરવિચારણા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પણ મૂક્યો હતો. કેટલાક નિષ્ણાતો તો એવું કહી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો સિંધુજળ કરાર કાશ્મીરમાં ઘણાં ખરા અંશે રોષ જન્માવે છે.
ભારતે શાંતિની અપેક્ષાએ પાકિસ્તાનના નાગરિકોના હિતમાં કરારમાં હસ્તાક્ષર કર્યા હતા, પણ એ શાંતિ ક્યારેય આવી નહી. જો શાંતિ આવવાની જ નથી તો પછી શાંતિની અપેક્ષાએ કરાયેલા એ કરારનો ય કોઈ અર્થ નથી એટલે ભારતે કરારનું પાલન કરવું ન જોઈએ એવી ય લાગણી હવે પ્રબળ બનતી જાય છે.
ભારતે એ માટે એક મહત્વનું પગલું ભરીને ૨૦૦૭માં ઝેલમ નદી ઉપર કિશનગંગા હાઈડ્રોલિક પ્લાન્ટ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૨૦૧૮માં વડાપ્રધાને કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું તે સાથે જ પાકિસ્તાન સરકાર હરકતમાં આવી હતી.
૨૦૧૬માં આતંકવાદીઓએ કાશ્મીરમાં સૈનિકોના કેમ્પ ઉપર હુમલો કર્યો તે પછી ભારતે પાણીનો મુદ્દો વ્યૂહાત્મક દૃષ્ટિએ વધુ આક્રમક રીતે ઉઠાવ્યો હતો. ભારતે સિંધુ, ચેનાબ, ઝેલમમાંથી પાણીનો વપરાશ વધારવાનો સંકેત આપ્યો તે સાથે જ પાકિસ્તાન તુરંત વર્લ્ડ બેંકમાં ફરિયાદ લઈને પહોંચી ગયું હતું.
૧૯૬૦માં વર્લ્ડ બેંકે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. વર્લ્ડ બેંકે ફરીથી મધ્યસ્થી કરીને લંડનમાં બંને દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ભારત નિયમો તોડીને પાકિસ્તાનને પરેશાન કરે છે તે વાત વર્લ્ડ બેંકને ગળે ઉતરી નહીં. પાકિસ્તાન ખુદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં મોટા ડેમ બાંધે છે અને ભારતના પ્રોજેક્ટમાં અવરોધ ઉભા કરે છે તે વાત જ હાસ્યાસ્પદ સાબિત થઈ હતી.
કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો લઈને ય પાકિસ્તાનને વર્લ્ડ બેંકને ભારતની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને તો આંતરરાષ્ટ્રીય મધસ્થી કોર્ટમાં ભારતની વિરૂદ્ધ તૈયારી કરી હોવાનું વર્લ્ડ બેંકને કહ્યું તો વર્લ્ડ બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 'કિશનગંગા પ્રોજેક્ટમાં પાકિસ્તાન બીજા બધા ધમપછાડા કરવાને બદલે ભારતની નિષ્ણાતોની નિયુક્તિની વાત માનીને આગળ વધે અને સુલેહનો માર્ગ કાઢે. સિંધુજળ મુદ્દે ભારત નિયમોનું પાલન કરતું આવ્યું છે એટલે પાકિસ્તાન ભારતની પાછળ ન પડી જાય'
૨૦૧૩માં જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. ભારતે બહુ જ વ્યૂહાત્મક રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને 'પાણી' બતાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમપછાડા શરૂ કર્યા હતા, પણ પાકિસ્તાન માટે સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ખુદ પાકિસ્તાની અખબારોએ પાક. સરકારની ભારત સાથેની જળનીતિને ઢીલી-પોચી ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી. પાક. મીડિયાએ તો ત્યાં સુધી સલાહ આપી હતી કે ભારત સાથે નરમ વલણ બતાવીને પાકિસ્તાન સરકારે નાગરિકોના હિતમાં વિચારવું જોઈએ.
હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ પાકિસ્તાનના ઘણાં ભાગોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી સહિત ઘણા શહેરોમાં ભારે પાણીની તંગી પ્રવર્તે છે. ભારતમાંથી જતું પાણી પાકિસ્તાનના નાગરિકો માટે કેટલું જરૂરી છે એનો અંદાજ પાકિસ્તાનની સરકારને છે જ, પણ અત્યાર સુધી નિયમોને નેવે મૂક્યા હોવાથી વૈશ્વિક સ્તરે ય ભારતની ફરિયાદથી કંઈ ઉપજે એમ નથી. વળી, ભારતની અત્યાર સુધીની બધી જ સરકારો નિયમો પાળતી આવી છે એટલે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉજળી શાખ છે.
ઉનાળા પહેલાં પાણીની વ્યવસ્થા કરવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે. તેના ભાગરૂપે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવીને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ચેનાબ નદી ઉપરના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિતની બાબતોનું નિરીક્ષણ કરી ગયું. એમાં ભારતે કોઈ જ નિયમો તોડયા નથી એ જાણ્યા પછી સિંધુ જળ સમિતિના પાકિસ્તાનના કમિશનર સૈયદ અહમદ અલીએ પાકિસ્તાન સરકારને અહેવાલ આપ્યો કે નિરીક્ષણ સફળ રહ્યું અને એમાં કંઈ જ વાંધાજનક નથી.
બીજી તરફ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સહિતની વૈશ્વિક સંસ્થાઓએ પાકિસ્તાનને અગાઉ જ ચેતવણી આપી દીધી છે કે જો પાકિસ્તાન એનું અક્કડ વલણ નહીં મૂકે તો ૨૦૨૫ સુધીમાં તેનો ઘણો ખરો ભાગ ઉનાળામાં પાણીના એક એક ટીપા માટે વલખા મારશે.
***
વેલ, પાકિસ્તાનના 'ખૂનીખેલ' સામે ભારતે છેલ્લાં દોઢેક દશકાથી 'પાણીદાર' તરિકો અપનાવ્યો છે. જો ભારત સરકાર આક્રમક રીતે આ વ્યૂહરચના ચાલુ રાખશે તો પાકિસ્તાન એમાં આબાદ રીતે સપડાય જાય તેવી ઉજળી શક્યતા છે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ રોકવામાં છેલ્લાં દાશકાઓમાં ભારતની તમામ સરકારો નિષ્ફળ ગઈ છે.
પાકિસ્તાનની સૈન્ય સતત શસ્ત્રવિરામ ભંગ કરે છે ત્યારે સરકાર રાબેતા મુજબનો જવાબ આપે છે : 'ઈંટનો જવાબ પથ્થરથી આપીશું'. પરંતુ આ સૂત્રાત્મક વાત સૂત્રમાંથી બહાર ઓછી નીકળે છે, એટલે સ્થિતિ ઠેરની ઠેર રહેતી આવી છે.
ભારતમાં એક મત એવો છે કે સિંધુ જળ કરારના કારણે ભારતને કરોડોનું નુકસાન થાય છે. જમ્મુ-કાશ્મીર સરકાર તો સિંધુ કરારની ફેરવિચારણા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પણ મૂક્યો હતો. કેટલાક નિષ્ણાતો તો એવું કહી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો સિંધુજળ કરાર કાશ્મીરમાં ઘણાં ખરા અંશે રોષ જન્માવે છે.
ભારતે શાંતિની અપેક્ષાએ પાકિસ્તાનના નાગરિકોના હિતમાં કરારમાં હસ્તાક્ષર કર્યા હતા, પણ એ શાંતિ ક્યારેય આવી નહી. જો શાંતિ આવવાની જ નથી તો પછી શાંતિની અપેક્ષાએ કરાયેલા એ કરારનો ય કોઈ અર્થ નથી એટલે ભારતે કરારનું પાલન કરવું ન જોઈએ એવી ય લાગણી હવે પ્રબળ બનતી જાય છે.
ભારતે એ માટે એક મહત્વનું પગલું ભરીને ૨૦૦૭માં ઝેલમ નદી ઉપર કિશનગંગા હાઈડ્રોલિક પ્લાન્ટ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૨૦૧૮માં વડાપ્રધાને કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું તે સાથે જ પાકિસ્તાન સરકાર હરકતમાં આવી હતી.
૨૦૧૬માં આતંકવાદીઓએ કાશ્મીરમાં સૈનિકોના કેમ્પ ઉપર હુમલો કર્યો તે પછી ભારતે પાણીનો મુદ્દો વ્યૂહાત્મક દૃષ્ટિએ વધુ આક્રમક રીતે ઉઠાવ્યો હતો. ભારતે સિંધુ, ચેનાબ, ઝેલમમાંથી પાણીનો વપરાશ વધારવાનો સંકેત આપ્યો તે સાથે જ પાકિસ્તાન તુરંત વર્લ્ડ બેંકમાં ફરિયાદ લઈને પહોંચી ગયું હતું.
૧૯૬૦માં વર્લ્ડ બેંકે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. વર્લ્ડ બેંકે ફરીથી મધ્યસ્થી કરીને લંડનમાં બંને દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ભારત નિયમો તોડીને પાકિસ્તાનને પરેશાન કરે છે તે વાત વર્લ્ડ બેંકને ગળે ઉતરી નહીં. પાકિસ્તાન ખુદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં મોટા ડેમ બાંધે છે અને ભારતના પ્રોજેક્ટમાં અવરોધ ઉભા કરે છે તે વાત જ હાસ્યાસ્પદ સાબિત થઈ હતી.
કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો લઈને ય પાકિસ્તાનને વર્લ્ડ બેંકને ભારતની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને તો આંતરરાષ્ટ્રીય મધસ્થી કોર્ટમાં ભારતની વિરૂદ્ધ તૈયારી કરી હોવાનું વર્લ્ડ બેંકને કહ્યું તો વર્લ્ડ બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 'કિશનગંગા પ્રોજેક્ટમાં પાકિસ્તાન બીજા બધા ધમપછાડા કરવાને બદલે ભારતની નિષ્ણાતોની નિયુક્તિની વાત માનીને આગળ વધે અને સુલેહનો માર્ગ કાઢે. સિંધુજળ મુદ્દે ભારત નિયમોનું પાલન કરતું આવ્યું છે એટલે પાકિસ્તાન ભારતની પાછળ ન પડી જાય'
૨૦૧૩માં જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. ભારતે બહુ જ વ્યૂહાત્મક રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને 'પાણી' બતાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમપછાડા શરૂ કર્યા હતા, પણ પાકિસ્તાન માટે સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ખુદ પાકિસ્તાની અખબારોએ પાક. સરકારની ભારત સાથેની જળનીતિને ઢીલી-પોચી ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી. પાક. મીડિયાએ તો ત્યાં સુધી સલાહ આપી હતી કે ભારત સાથે નરમ વલણ બતાવીને પાકિસ્તાન સરકારે નાગરિકોના હિતમાં વિચારવું જોઈએ.
હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ પાકિસ્તાનના ઘણાં ભાગોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી સહિત ઘણા શહેરોમાં ભારે પાણીની તંગી પ્રવર્તે છે. ભારતમાંથી જતું પાણી પાકિસ્તાનના નાગરિકો માટે કેટલું જરૂરી છે એનો અંદાજ પાકિસ્તાનની સરકારને છે જ, પણ અત્યાર સુધી નિયમોને નેવે મૂક્યા હોવાથી વૈશ્વિક સ્તરે ય ભારતની ફરિયાદથી કંઈ ઉપજે એમ નથી. વળી, ભારતની અત્યાર સુધીની બધી જ સરકારો નિયમો પાળતી આવી છે એટલે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉજળી શાખ છે.
ઉનાળા પહેલાં પાણીની વ્યવસ્થા કરવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે. તેના ભાગરૂપે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવીને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ચેનાબ નદી ઉપરના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિતની બાબતોનું નિરીક્ષણ કરી ગયું. એમાં ભારતે કોઈ જ નિયમો તોડયા નથી એ જાણ્યા પછી સિંધુ જળ સમિતિના પાકિસ્તાનના કમિશનર સૈયદ અહમદ અલીએ પાકિસ્તાન સરકારને અહેવાલ આપ્યો કે નિરીક્ષણ સફળ રહ્યું અને એમાં કંઈ જ વાંધાજનક નથી.
બીજી તરફ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સહિતની વૈશ્વિક સંસ્થાઓએ પાકિસ્તાનને અગાઉ જ ચેતવણી આપી દીધી છે કે જો પાકિસ્તાન એનું અક્કડ વલણ નહીં મૂકે તો ૨૦૨૫ સુધીમાં તેનો ઘણો ખરો ભાગ ઉનાળામાં પાણીના એક એક ટીપા માટે વલખા મારશે.
***
વેલ, પાકિસ્તાનના 'ખૂનીખેલ' સામે ભારતે છેલ્લાં દોઢેક દશકાથી 'પાણીદાર' તરિકો અપનાવ્યો છે. જો ભારત સરકાર આક્રમક રીતે આ વ્યૂહરચના ચાલુ રાખશે તો પાકિસ્તાન એમાં આબાદ રીતે સપડાય જાય તેવી ઉજળી શક્યતા છે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ રોકવામાં છેલ્લાં દાશકાઓમાં ભારતની તમામ સરકારો નિષ્ફળ ગઈ છે.
પાકિસ્તાનની સૈન્ય સતત શસ્ત્રવિરામ ભંગ કરે છે ત્યારે સરકાર રાબેતા મુજબનો જવાબ આપે છે : 'ઈંટનો જવાબ પથ્થરથી આપીશું'. પરંતુ આ સૂત્રાત્મક વાત સૂત્રમાંથી બહાર ઓછી નીકળે છે, એટલે સ્થિતિ ઠેરની ઠેર રહેતી આવી છે.
એ બધા વચ્ચે પાણીની આ વ્યૂહરચના પછી આપણે એટલી તો આશા રાખી શકીએ કે સરકાર ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો કંઈ નહીં, આપણા જવાનો-નાગરિકોના 'લોહી'નો જવાબ 'પાણી'થી આપશે તો ય એ એટલો જ અસરકારક સાબિત થશે!
૩૧૮૦ કિલોમીટર લાંબી સિંધુ નદી
સિંધુ નદી. એશિયાની આ સૌથી મોટી પૈકીની એક ગણાતી નદીના કાંઠે એક સમયે- આશરે આઠેક હજાર વર્ષ પૂર્વે જગતની પ્રાચીન એવી એક સિંધુ સંસ્કૃતિનો ઉદય થયો હતો. આજેય સિંધુ નદી અને તેમાંથી ઉપનદીઓના કાંઠે ૩૦ કરોડ લોકો રહે છે. ૧૧.૬૫ લાખ વર્ગ કિલોમીટરમાં તેનો ફેલાવો છે. ભારતમાં સિંધુ નદીનો ૩૯ ટકા હિસ્સો છે. નદીનો સૌથી વધુ ૪૭ ટકા વિસ્તાર પાકિસ્તાનમાં છે. ચીનમાં ૮ ટકા અને અફઘાનિસ્તાનમાં નદીનો ૬ ટકા જેટલો હિસ્સો છે.
માનસરોવર નજીક ઉદ્ગમ સ્થાન ધરાવતી આ નદીની કુલ લંબાઈ ૩૬૧૦ કિલોમીટર છે. સિંધુ નદીની મુખ્ય ઉપનદીઓ - વિતસ્તા (ઝેલમ), ચંદ્રભાગા (ચેનાબ), ઈરાવતી, વિપાસા, રાવી, વ્યાસ, સતલુજ - ભારતીય ઉપખંડમાં વહે છે. તે સિવાયની ઉપનદીઓ પણ ભારત-પાકિસ્તાન-તિબેટ-અફઘાનિસ્તાનમાંથી પસાર થાય છે. પાકિસ્તાનને સિંધુને નેશનલ રીવરનો દરજ્જો આપ્યો છે.
ટેડી બીઅર : બાળકોના રમકડાંથી ગર્લફ્રેન્ડની ગિફ્ટ સુધીની જર્ની
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
વેલેન્ટાઈન વીકમાં આજે 'ટેડી બીઅર ડે' છે. વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ્સમાં માનભેર સ્થાન મેળવનારાં ટેડી બીઅરની જર્ની રસપ્રદ છે. ચાલો, ટેડી બીઅરની દુનિયામાં સાઈન ઈન કરીએ!
૧૪ મી નવેમ્બર, ૧૯૦૨નો દિવસ હતો.
વેલેન્ટાઈન વીકમાં આજે 'ટેડી બીઅર ડે' છે. વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ્સમાં માનભેર સ્થાન મેળવનારાં ટેડી બીઅરની જર્ની રસપ્રદ છે. ચાલો, ટેડી બીઅરની દુનિયામાં સાઈન ઈન કરીએ!
૧૪ મી નવેમ્બર, ૧૯૦૨નો દિવસ હતો.
થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા એ વાતને બરાબર બે મહિના થઈ રહ્યા હતા એટલે મિસિસિપીના ગર્વનર એન્ડ્રુ લોંગીનોએ તેમને મહેમાનગતિ માણવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. આમંત્રણને માન આપીને પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચ્યા. ત્યાં તેમના માટે વિવિધ આયોજનો થયા હતાં, એમાંનું એક આયોજન હતું - શિકાર કરવા જવાનું.
એ વખતે અમેરિકામાં શિકાર કાયદેસરની પ્રવૃત્તિ હતી. એમાંય કાળા રીંછના શિકારે જવું એ પરાક્રમ લેખાતું! પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચીને રીંછના શિકારમાં ઉપડયા. આખા ગ્રુપમાં પ્રેસિડેન્ટ, ગર્વનર ઉપરાંત અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ય હતા. એમાંના ઘણાં રીંછનો શિકાર કરી શક્યા, પરંતુ ઘણી રઝળપાટ પછી ય પ્રમુખ રૂઝવેલ્ટની નજરમાં એકેય રીંછ ન ચડયું.
પ્રેસિડેન્ટના હાથે શિકાર થતો ન હતો એટલે સહાયકો મદદે આવ્યા. હોલ્ટ કોલિનર નામનો એક સહાયક અઠંગ રીંછ શિકારી ગણાતો. પ્રેસિડેન્ટ મિસિસિપી સુધી આવે અને રીંછનો શિકાર હાથ ન લાગે તો તો બદનામી થશે એવા વિચારે હોલ્ટે આખો મામલો હાથમાં લીધો. થોડીવારમાં તે એક રીંછને પકડી લાવ્યો. પ્રેસિડેન્ટ જ્યાં થાક ખાવા ઉભા હતા ત્યાં પહોંચીને હોલ્ટે એ રીંછને નજીકના ઝાડ સાથે બાંધી દીધું અને પ્રમુખને કહ્યું : 'સર! આ રહ્યો તમારો શિકાર, વીંધી નાખો!'
જો પ્રેસિડેન્ટ આ રીતે શિકાર કરી નાખે તો શિકારનો કાર્યક્રમ પૂરો જાહેર થાય અને બધા ખાવા ભેગા થાય, એમ વિચારીને બધાએ સહાયક હોલ્ટના આઈડિયાને સમર્થન આપ્યું. ગર્વનરે ય પ્રેસિડેન્ટને પાનો ચડાવ્યો. પરંતુ એ કોઈ શિખાઉ શિકારી નહોતા કે પકડેલા રીંછનો શિકાર કરે, એ થિયોડોર રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ બન્યા તે પહેલાં વિખ્યાત 'બીગ ગેમ હન્ટર્સ'માં તેમનું નામ હતું. દુનિયાભરમાં રઝળપાટ કરીને શિકાર કરનારા રૂઝવેલ્ટને આ રીતે શિકાર કરવો યોગ્ય ન લાગ્યો. તેમણે સહાયક હોલ્ટના આ આઈડિયાને નકારી દીધો અને એ દિવસનો શિકારનો કાર્યક્રમ ત્યાં જ અટકાવી દીધો.
એ વખતે અમેરિકામાં શિકાર કાયદેસરની પ્રવૃત્તિ હતી. એમાંય કાળા રીંછના શિકારે જવું એ પરાક્રમ લેખાતું! પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ મિસિસિપી પહોંચીને રીંછના શિકારમાં ઉપડયા. આખા ગ્રુપમાં પ્રેસિડેન્ટ, ગર્વનર ઉપરાંત અન્ય ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ય હતા. એમાંના ઘણાં રીંછનો શિકાર કરી શક્યા, પરંતુ ઘણી રઝળપાટ પછી ય પ્રમુખ રૂઝવેલ્ટની નજરમાં એકેય રીંછ ન ચડયું.
પ્રેસિડેન્ટના હાથે શિકાર થતો ન હતો એટલે સહાયકો મદદે આવ્યા. હોલ્ટ કોલિનર નામનો એક સહાયક અઠંગ રીંછ શિકારી ગણાતો. પ્રેસિડેન્ટ મિસિસિપી સુધી આવે અને રીંછનો શિકાર હાથ ન લાગે તો તો બદનામી થશે એવા વિચારે હોલ્ટે આખો મામલો હાથમાં લીધો. થોડીવારમાં તે એક રીંછને પકડી લાવ્યો. પ્રેસિડેન્ટ જ્યાં થાક ખાવા ઉભા હતા ત્યાં પહોંચીને હોલ્ટે એ રીંછને નજીકના ઝાડ સાથે બાંધી દીધું અને પ્રમુખને કહ્યું : 'સર! આ રહ્યો તમારો શિકાર, વીંધી નાખો!'
જો પ્રેસિડેન્ટ આ રીતે શિકાર કરી નાખે તો શિકારનો કાર્યક્રમ પૂરો જાહેર થાય અને બધા ખાવા ભેગા થાય, એમ વિચારીને બધાએ સહાયક હોલ્ટના આઈડિયાને સમર્થન આપ્યું. ગર્વનરે ય પ્રેસિડેન્ટને પાનો ચડાવ્યો. પરંતુ એ કોઈ શિખાઉ શિકારી નહોતા કે પકડેલા રીંછનો શિકાર કરે, એ થિયોડોર રૂઝવેલ્ટ હતા. પ્રેસિડેન્ટ બન્યા તે પહેલાં વિખ્યાત 'બીગ ગેમ હન્ટર્સ'માં તેમનું નામ હતું. દુનિયાભરમાં રઝળપાટ કરીને શિકાર કરનારા રૂઝવેલ્ટને આ રીતે શિકાર કરવો યોગ્ય ન લાગ્યો. તેમણે સહાયક હોલ્ટના આ આઈડિયાને નકારી દીધો અને એ દિવસનો શિકારનો કાર્યક્રમ ત્યાં જ અટકાવી દીધો.
| પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને સર્જેલું પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ અને રીંછનું કાર્ટૂન |
એ ઘટનાની નોંધ બીજા દિવસે અખબારોમાં લેવાઈ. અમેરિકાના અખબારોએ દિવસો સુધી પ્રેસિડેન્ટની એ ખેલદિલીની પ્રશંસા કરી. પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા રાજકીય કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને આ ઘટનાથી પ્રેરાઈને વૉશિંગ્ટન પોસ્ટમાં એક કાર્ટૂન બનાવ્યું, જેમાં સહાયક હોલ્ટ રીંછને પકડીને ઝાડ સાથે બાંધવા જઈ રહ્યો છે અને રૂઝવેલ્ટ હાથના ઈશારાથી પાછળ ફરીને તેને એમ કરતા અટકાવે છે, તે દૃશ્ય ખડું થયું હતું. એ દૃશ્યમાંથી 'ટેડી બીયર'નો વિચાર જન્મ્યો.
***
***
બ્રુકલીનમાં રમકડાં અને નોવેલ્ટી શોપ ધરાવતા મોરિસ મિક્ટોમ અને તેની પત્ની રોઝે આ ઘટનાના રમૂજી લેખ્યો વાંચ્યા હતા. એમાં ક્લિફોર્ડ બેરીમેનનું કાર્ટૂન આવ્યું એ ય મોરિસ અને રોઝના ધ્યાનમાં ચડયું. કાર્ટૂન જોયા પછી બંનેને એક રમકડું બનાવવાનો વિચાર આવ્યો.
રેશમી સુતરાઉ કાપડની મદદથી આ દંપતીએ રીંછના આકાર-દેખાવનું એક રમકડું બનાવ્યું. બાહ્મ દેખાવ રીંછ જેવો રાખીને એમાં તકિયામાં નાખવાની બધી સામગ્રી ભરી. ટેકનિકલી જેને આજે સ્ટફ્ડ એનિમલ ટોય કહેવાય છે એવું આ નરમ-મુલાયમ રમકડું મિક્ટોમ દંપતીએ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને મોકલ્યું અને સાથે એ રમકડાંને પ્રેસિડેન્ટનું નામ આપવાની પરવાનગી માગતો પત્ર ય જોડયો.
રેશમી સુતરાઉ કાપડની મદદથી આ દંપતીએ રીંછના આકાર-દેખાવનું એક રમકડું બનાવ્યું. બાહ્મ દેખાવ રીંછ જેવો રાખીને એમાં તકિયામાં નાખવાની બધી સામગ્રી ભરી. ટેકનિકલી જેને આજે સ્ટફ્ડ એનિમલ ટોય કહેવાય છે એવું આ નરમ-મુલાયમ રમકડું મિક્ટોમ દંપતીએ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટને મોકલ્યું અને સાથે એ રમકડાંને પ્રેસિડેન્ટનું નામ આપવાની પરવાનગી માગતો પત્ર ય જોડયો.
| રૂઝવેલ્ટના પૌત્ર કીમે મિક્ટોમ દંપતીએ બનાવેલા સૌપ્રથમ ટેડી બીઅરની જાળવણી કરી હતી. 2000માં કીમનું નિધન થયું તે પછી એ ટેડી સ્મિથસોનિયન મ્યુઝિયમમાં સચવાયું છે |
પ્રેસિડેન્ટને એ રમકડું ખૂબ ગમ્યું. નવતર પ્રકારના આ રીંછના રમકડાંને પોતાનું નામ આપવાની પણ પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટે પરવાનગી આપી દીધી. પ્રેસિડેન્ટની પરવાનગી સાથેનો વળતો પત્ર મળ્યો પછી મિક્ટોમ દંપતીએ એ રમકડાંનું ઉત્પાદન શરૂ કરીને નોવેલ્ટી શોપમાં વેંચવા મૂક્યાં અને તેને પ્રેસિડેન્ટના નામ ઉપરથી નામ આપ્યું : Teddy's bear.
Teddy's bear એટલે કે પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું રીંછ! થિયોડોર રૂઝવેલ્ટનું નિકનેમ 'ટેડી' હતું. આમ તો પ્રમુખ રૂઝવેલ્ટને ટેડી એવું હુલામણુ નામ બહુ ગમતું નહીં, પરંતુ એ દિવસોમાં અખબારો ય રમૂજમાં ટેડી લખતા હતા અને શિકારની એ ઘટના પછી તો પ્રમુખને ટેડી નામથી સંબોધીને ઘણાં હળવા લેખો પ્રસિદ્ધ થયા હતા. રમૂજનો માહોલ સર્જાયો હતો એટલે એ હળવાશને ધ્યાનમાં રાખીને જ કદાચ પોતાને ન ગમતા હુલામણા નામ ઉપરથી રમકડાંનું નામ પાડવાનો પ્રસ્તાવ આવ્યો એ તેમણે સ્વીકારી લીધો.
મિક્ટોમ દંપતીએ નોવેલ્ટી સ્ટોરમાં વેંચવા મૂકેલા રમકડાં Teddy's bear એટલાં તો પોપ્યુલર થઈ ગયાં કે એ સ્ટાઈલથી અન્ય વેપારીઓ પણ એવા રમકડાં બનાવવા માંડયાં. પછી તો ડોગ-કેટ-હાથી વગેરે પ્રાણીઓના આકારના ય રમકડાં માર્કેટમાં મળતા થઈ ગયાં.
પાંચ વર્ષ પછી ૧૯૦૭માં મોરિસ અને રોઝે આઈડીયલ નોવેલ્ટી એન્ડ ટોય કંપની બનાવીને મોટાપાયે ટેડી બીઅરનું ઉત્પાદન શરૂ કર્યું. એને એટલી તો સફળતા મળી કે એક દશકામાં મોરિસ રમકડાંના મોટા બિઝનેસમેન બની ગયા. ૧૯૩૮માં ૬૮ વર્ષની વયે મોરિસ મિક્ટોમનું નિધન થયું ત્યારે તેની કંપની ટેડી બીઅર બનાવતી અમેરિકાની સૌથી મોટી કંપની હતી.
શરૂઆતમાં આવા રમકડાં Teddy's bear નામથી ઓળખાતા હતા, પણ પછી એનું નામ ગ્રાહકોએ એનું અનુકૂળતા પ્રમાણે માત્ર Teddy's bear કરી નાખ્યું.
મોરિસ અને રોઝને જે સમયગાળામાં ટેડી બીઅર બનાવવાનો વિચાર આવ્યો હતો એવો જ વિચાર લગભગ એ જ ગાળામાં આ બંનેથી જોજનો દૂર રહેતા બીજા ય એક ડીઝાઈનરે આવ્યો હતો.
***
જર્મનીમાં દર વર્ષે લીપઝીગ ટ્રેડ ફેર યોજાય છે. ૧૯૦૩માં યોજાયેલા એ ફેરમાં એક રમકડાંએ આકર્ષણ જમાવ્યું હતું. એ રમકડાંનું નામ હતું - સ્ટેઈફ બીઅર. જર્મન ટોય ડીઝાઈનર રીચાર્ડ સ્ટેઈફને ય રીંછ જેવું રમકડું બનાવવાનો વિચાર એ જ ગાળામાં આવ્યો હતો.
આમ તો રીચાર્ડ કિશોરાવસ્થાથી ફઈની ટોય મેકિંગ એન્ટરપ્રાઈઝમાં આવડે એવું કામ કરતો હતો. રીચાર્ડ કોલેજમાં હતો એ ગાળામાં વારંવાર ઝુની મુલાકાતે જતો. એ દરમિયાન આવું રમકડું બનાવવાનો વિચાર તેને આવ્યો. વિચાર પ્રમાણે ડ્રોઈંગ્સ કર્યા પછી એમાંથી તેણે બીઅરનું રમકડું બનાવ્યું હતું.
ટ્રેડ ફેરમાં રજૂ થયેલું તેનું આ બીઅર ખૂબ પ્રશંસા પામ્યું. તેણે એ જ અરસામાં સ્ટેઈફ ટોય્ઝ કંપની બનાવી. કંપનીને ધારી સફળતા મળી. બીજા વર્ષે તો તેણે એ મેળામાં હજારો સ્ટેઈફ બીઅર વેંચ્યાં અને સૌથી સફળ બિઝનેસમેન તરીકે ગોલ્ડ મેડલ ય મેળવ્યો.
Teddy's bear એટલે કે પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટનું રીંછ! થિયોડોર રૂઝવેલ્ટનું નિકનેમ 'ટેડી' હતું. આમ તો પ્રમુખ રૂઝવેલ્ટને ટેડી એવું હુલામણુ નામ બહુ ગમતું નહીં, પરંતુ એ દિવસોમાં અખબારો ય રમૂજમાં ટેડી લખતા હતા અને શિકારની એ ઘટના પછી તો પ્રમુખને ટેડી નામથી સંબોધીને ઘણાં હળવા લેખો પ્રસિદ્ધ થયા હતા. રમૂજનો માહોલ સર્જાયો હતો એટલે એ હળવાશને ધ્યાનમાં રાખીને જ કદાચ પોતાને ન ગમતા હુલામણા નામ ઉપરથી રમકડાંનું નામ પાડવાનો પ્રસ્તાવ આવ્યો એ તેમણે સ્વીકારી લીધો.
મિક્ટોમ દંપતીએ નોવેલ્ટી સ્ટોરમાં વેંચવા મૂકેલા રમકડાં Teddy's bear એટલાં તો પોપ્યુલર થઈ ગયાં કે એ સ્ટાઈલથી અન્ય વેપારીઓ પણ એવા રમકડાં બનાવવા માંડયાં. પછી તો ડોગ-કેટ-હાથી વગેરે પ્રાણીઓના આકારના ય રમકડાં માર્કેટમાં મળતા થઈ ગયાં.
પાંચ વર્ષ પછી ૧૯૦૭માં મોરિસ અને રોઝે આઈડીયલ નોવેલ્ટી એન્ડ ટોય કંપની બનાવીને મોટાપાયે ટેડી બીઅરનું ઉત્પાદન શરૂ કર્યું. એને એટલી તો સફળતા મળી કે એક દશકામાં મોરિસ રમકડાંના મોટા બિઝનેસમેન બની ગયા. ૧૯૩૮માં ૬૮ વર્ષની વયે મોરિસ મિક્ટોમનું નિધન થયું ત્યારે તેની કંપની ટેડી બીઅર બનાવતી અમેરિકાની સૌથી મોટી કંપની હતી.
શરૂઆતમાં આવા રમકડાં Teddy's bear નામથી ઓળખાતા હતા, પણ પછી એનું નામ ગ્રાહકોએ એનું અનુકૂળતા પ્રમાણે માત્ર Teddy's bear કરી નાખ્યું.
મોરિસ અને રોઝને જે સમયગાળામાં ટેડી બીઅર બનાવવાનો વિચાર આવ્યો હતો એવો જ વિચાર લગભગ એ જ ગાળામાં આ બંનેથી જોજનો દૂર રહેતા બીજા ય એક ડીઝાઈનરે આવ્યો હતો.
***
જર્મનીમાં દર વર્ષે લીપઝીગ ટ્રેડ ફેર યોજાય છે. ૧૯૦૩માં યોજાયેલા એ ફેરમાં એક રમકડાંએ આકર્ષણ જમાવ્યું હતું. એ રમકડાંનું નામ હતું - સ્ટેઈફ બીઅર. જર્મન ટોય ડીઝાઈનર રીચાર્ડ સ્ટેઈફને ય રીંછ જેવું રમકડું બનાવવાનો વિચાર એ જ ગાળામાં આવ્યો હતો.
આમ તો રીચાર્ડ કિશોરાવસ્થાથી ફઈની ટોય મેકિંગ એન્ટરપ્રાઈઝમાં આવડે એવું કામ કરતો હતો. રીચાર્ડ કોલેજમાં હતો એ ગાળામાં વારંવાર ઝુની મુલાકાતે જતો. એ દરમિયાન આવું રમકડું બનાવવાનો વિચાર તેને આવ્યો. વિચાર પ્રમાણે ડ્રોઈંગ્સ કર્યા પછી એમાંથી તેણે બીઅરનું રમકડું બનાવ્યું હતું.
| રીચાર્ડ સ્ટેઈફે બનાવેલા ટેડી બીઅરની પ્રતિકૃતિ જર્મનીના સંગ્રહાલયમાં સચવાઈ છે |
જ્યારે રીચાર્ડે સ્ટેઈફે બીઅર બજારમાં મૂક્યું ત્યારે તેને ટેડી બીઅર વિશે કોઈ જ અંદાજ નહોતો. જેમ મોરિસ અને રોઝને કાર્ટૂન જોઈને વિચાર આવ્યો હતો, એમ રીચાર્ડને ઝૂમાં રીંછ જોઈને વિચાર આવ્યો હતો. પરંતુ મોરિસ અને રોઝની સ્ટોરી સાથે પ્રેસિડેન્ટનું નામ જોડાયેલું હતું એટલે કદાચ તેમને ટેડી બીઅરના સૌથી પહેલાં ઉત્પાદક તરીકેનું સન્માન મળે છે.
બીજી તરફ રીચાર્ડે ૧૯૦૩માં એટલે કે મોરિસ અને રોઝે વેંચાણ શરૂ કર્યું તેના એક વર્ષ પછી સૌપ્રથમ વખત જાહેરમાં એ ટોયને વેંચવા મૂક્યું હતું એટલે તેની શોધ મૌલિક હોવા છતાં પાછળ હતી. તે હિસાબે ય તેને ટેડી બીઅરના ઉત્પાદક કરતા ટેડી બીઅરને વધુ અસરકારક બનાવનારા ડીઝાઈનર તરીકેનું સન્માન મળે છે.
બંને ડીઝાઈનરોએ એક બીજાની ડીઝાઈન જોઈ હોય એવો રેકોર્ડ ક્યાંક નોંધાયો નથી એટલે બંનેએ પોત-પોતાની રીતે ટેડી બીઅર ટોય બનાવ્યું હતું, એમ ટોય્ઝ હિસ્ટ્રીનું સંશોધન કરનારા સંશોધકોએ સ્વીકાર્યું છે.
પરંતુ જગતભરમાં સ્ટેઈફ બીયર તરીકે આ રમકડું જાણીતું ન થયું, પ્રેસિડેન્ટના નિકનેમથી પ્રેરિત આ રમકડાના નસીબમાં ટેડી બીઅર નામથી પ્રસિદ્ધિ લખી હતી! દુનિયાભરમાં એક સદી પછી આ નામ સ્ટફ્ડ એનિમલ ટોયનો પર્યાય બની ગયું છે. બાળકોને અતિ પ્રિય એવા આ રમકડાંનો વ્યાપ હવે વધ્યો છે. ટેડી બીઅર આજે માત્ર બાળકોનું રમકડું નથી રહ્યું પરંતુ લવ સિમ્બોલ બની ગયું છે.
***
વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલી રહી છે અને આજે ટેડી બીઅર ડે ઉજવાઈ રહ્યો છે. વિભિન્ન રંગ-કદના ટેડી ખરીદીને ગર્લફ્રેન્ડ-વાઈફને આપવાનો આ દિવસ છે! એક સદી પહેલાં તે માત્ર બાળકોનું રમકડું હતું, પણ હવે અસંખ્ય વેરાયટીમાં અવેલેબલ ટેડી બીઅર દુનિયાભરના યંગસ્ટર્સમાં મોસ્ટ પોપ્યુલર ગિફ્ટ ગણાય છે.
વિશ્વમાં બનતા કુલ ટેડી બીઅરમાંથી ૬૦ ટકા બાળકો સુધી પહોંચે છે અને બાકીના ૪૦ ટકા ટેડી ૨૦ વર્ષથી ઉપરની વયના લોકો સુધી પહોંચે છે. કોઈને લવ-સિમ્પથી-શુભેચ્છા પાઠવવી હોય તો ટેડી ઉપર પસંદગી ઉતરે છે.
ટેડીને લગતા કેટલાય વિક્રમો બન્યા છે, કેટલાય તૂટયા છે. બસ્સો-પાંચસો રૂપિયાથી લઈને ટેડીની પ્રાઈઝ હજારો સુધી પહોંચે છે, અરે લાખોમાં ય તેની કિંમત બોલાય છે. હરાજીમાં ય ટેડીની એક અલગ દુનિયા છે. એમ તો ટેડીએ માણસની જેમ અવકાશની યાત્રા કરી લીધી છે. ડિસ્કવરી સ્પેસ શટલમાં એક ટેડી બીઅરને અવકાશની યાત્રા કરવાની તક પણ મળી હતી!
અચ્છા, બાળકોનું આ રમકડું કેવી રીતે લવગિફ્ટ બની ગયું? જવાબ તો કદાચ કોઈ પાસે નથી, પણ એના તાર વધુ એક વખત પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સુધી પહોંચે છે! ટેડી બીઅર પોપ્યુલર બન્યાના થોડાંક વર્ષો પછી એક લગ્ન સમારોહ યોજાયો હતો. એમાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હાજર હતા અને લગ્નમંડપ ૩૦૦૦ ટેડી બીઅરથી શણગારવામાં આવ્યો હતો.
એ પછી વિવાહ વખતે ટેડીની હાજરી દર્જ થવા માંડી હતી, જે આજે વેલેન્ટાઈન્સ ડે સુધી પહોંચી છે. ટેડી બીઅરના સર્જનમાં રૂઝવેલ્ટનો આડકતરો ફાળો હતો, એમ લવબર્ડ્સ વચ્ચે ટેડીને સન્માનપૂર્વક બેસાડવામાં ય પ્રેસિડેન્ટ ટેડીનો આડકતરો ફાળો હોય તો કહેવાય નહીં! શું કહો છો?
વેલ, 'ડીઅર'ને ટેડી 'બીઅર' આપવાના દિવસની શુભેચ્છા!
તીજનબાઈ: છત્તીસગઢની લોકગાયન શૈલીને અનોખી ઊંચાઈ આપનારાં કલાકાર
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
પદ્મવિભૂષણથી સન્માનિત તીજનબાઈ સંગીત-નાટયથી મહાભારતના તમામ પાત્રોને જીવંત કરે છે. છત્તીસગઢની લોકગાયન શૈલી 'પાંડવાની'ને તીજનબાઈએ નવી ઊંચાઈ આપી છે
'ભઈયા હમ ઠહરે નિરચ્છર, અંગૂઠા છાપ. હિંદી બહુત ટૂટી-ફૂટી સી હૈ હમારી. આપ લોગ પઢે લીખે હો, કથા મે કૌનો ગલતી હોએ તો માફ કરના'
૬૨ વર્ષના તીજનબાઈ દર્શકો સમક્ષ પેશ થાય ત્યારે હાથ જોડીને આ શબ્દો અચૂક ઉચ્ચારે છે. આવડાં મોટા કલાકારની આ વિનમ્રતા દર્શકોને ય સ્પર્શી જાય છે. કપાળમાં મોટો લાલ ચાંદલો, લાંબો-ઘાટો સેંથો, કાંડાંમાં વિશિષ્ટ કંગન, બધી જ આંગળીઓમાં ચાંદીની મોટી વીંટી, કાનમાં મોટી બુટ્ટી, નાકમાં નાનકડી નથડી, ગળામાં ટૂંકી પણ મોટા પારાની માળા ને હાથમાં એકતારો લઈને જાજરમાન ઢબે તીજનબાઈ મંચ ઉપર હાજર થાય કે એક માહોલ આપોઆપ સર્જાઈ જાય.
છત્તીસગઢી ગાયનશૈલી પાંડવાની (છત્તીસગઢી પ્રમાણે પાંડવાની એટલે પાંડવોની કથા)માં તીજનબાઈ પોતાની વિશિષ્ટ નાટયશૈલી ઉમેરીને દર્શકોના દિલોદિમાગમાં મહાભારતના દૃશ્યો ખડાં કરે છે. મહાભારતના એક-એક પાત્રને ગાયન-રજૂઆતની જુદી ઢબે પેશ કરવાની તેમની રીત દર્શકોને જકડી રાખવા માટે પૂરતી છે.
૧૯૮૭માં તેમને પદ્મશ્રીથી નવાજાયા તે પછી તેમના ઉપર અવિરત પુરસ્કારોની વર્ષા થતી રહી છે. ૧૯૯૫માં સંગીત નાટય અકાદમી એવોર્ડ મળ્યો, ૨૦૦૩માં તેમનું સન્માન પદ્મભૂષણથી થયું અને હવે આ વર્ષે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં. એક દિવસ પણ શાળાએ ન જનારા તીજનબાઈને બિલાસપુર યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટથી ય નવાજ્યાં છે.
બહુ જ નાની વયે શરૂ થયેલી તેમની આ કલાયાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ હોવાની સાથે સાથે એટલી જ પ્રેરક છે.
***
છત્તીસગઢના ગિનિયારી નામના ગામમાં ૧૯૫૬માં તીજનબાઈનો જન્મ થયો હતો. એ વખતે મોટાભાગની છોકરીઓને શાળાએ મોકલાતી નહીં એટલે તેમના નસીબમાં ય શાળાએ જવાનું લખ્યું નહોતું. તીજનબાઈ કહે છે : 'હમારે જમાને મેં લડકિયોં કો સ્કૂલ જાના અચ્છા નહીં માનતે થે. પરિવાર કે લોગ સોચતે થે કી ઐસે ભી સસૂરાલ જા કે ખાના હી બનાના હૈ, લકડિયાઁ પઢ લીખ કે ક્યા કરેગી? તો હમ કભી સ્કૂલ નહીં ગયે'.
એ સમયના રિવાજ પ્રમાણે ૧૨ વર્ષની વયે તેમના લગ્ન કરી દેવાયાં, પરંતુ તેમનો ઘર-સંસાર ચાલ્યો નહીં. કારણ કે તીજનબાઈ પાંડવાની પ્રસ્તુતિ કરતા હતાં એ તેમના સાસરિયામાં કોઈને ગમ્યું નહીં. તેની સજારૂપે જ્ઞાાતિએ તેમને નાત બહાર મૂકી દીધાં.
તેમણે જાતે નાનકડી ઝૂંપડી બાંધી. આડોશી-પાડોશીના સહકારથી તેમનું ગાડું ગબડવા લાગ્યું. આ ઘટનાએ તેમને પાંડવાની પ્રસ્તુતિ માટે વધુ બળ આપ્યું. કહો કે મનમાં એક વિદ્રોહ જાગ્યો.
એ વિદ્રોહ પેશન બનીને બહાર નીકળ્યો અને તેમણે ૧૩ વર્ષની વયે પહેલી વખત જાહેરમાં, બાજુનાં ગામ ચંદ્રખુરીમાં પાંડવાની ગાયન-નાટય શૈલીનું પર્ફોર્મન્સ આપ્યું. 'પાંડવાની' કથા બે રીતે રજૂ થાય છે - કાપાલિક અને વેદમતી. તીજનબાઈ કાપાલિક શૈલીમાં પ્રસ્તુતિ કરે છે.
જ્ઞાાતિ બહાર મૂકાયા પછી તેમણે સમગ્ર ધ્યાન પોતાની કળાની ધાર કાઢવામાં આપ્યું. દિવસે દિવસે તેમની કળા વધુ નીખરતી ગઈ. એ ઘટના પછી તીજનબાઈ ક્યારેય સાસરિયે ન ગયાં. પછી તો જ્ઞાાતિના પંચની હાજરીમાં પતિથી છૂટા થયા અને ફરીથી લગ્ન પણ કર્યાં. આજે ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના આ વહાલા દાદી દેશ-વિદેશમાં પાંડવાની રજૂઆત કરીને અસંખ્ય લોકોની દાદ મેળવે છે.
તીજનબાઈ આ કળા તેમના નાના બ્રજલાલજીને જોઈ-જોઈને શીખ્યા હતાં. બાળપણમાં તીજનબાઈ નાના પાસેથી આ કહાની સાંભળતા. પછી તો તેમને આ કથામાં બહુ રસ પડતો અને ધીમે ધીમે આખી કથા યાદ રહી ગઈ.
એકલા હોય ત્યારે કે બાળસખીઓ સામે તીજનબાઈ આ કથાની રજૂઆત કરતાં. તીજનબાઈનો અવાજ ખૂબ ઊંચો હોવાથી તેમને માઈકની ય જરૂર ન પડતી. ઊંચા-બુલંદ અવાજે જ્યારે તીજનબાઈ ભીમની પરાક્રમગાથા વર્ણવતાં ત્યારે દર્શકો એમાં રસ તરબોળ થઈ જતા.
આમ તેમણે ક્યાંય નાટય-સંગીતની તાલીમ લીધી ન હતી, પરંતુ તેમની જન્મજાત ટેલેન્ટને જોઈને ઉમેદસિંહ દેશમુખ જેવા નિષ્ણાતે તેમને ચહેરાના અભિનયની થોડીક આરંભિક ટેકનિક શીખવી હતી.
ત્રણ-ચાર વર્ષમાં તો તીજનબાઈ આસપાસના ગામડાંમાં જાણીતા કલાકાર થઈ ગયાં. કોઈ યુવતી પાંડવાની રજૂઆત કરતી હોય એ આસપાસના લોકો માટે નવી વાત હતી એટલે તેમના કાર્યક્રમમાં દર્શકો વધતા જતા હતા. બીજી તરફ તીજનબાઈની રજૂઆત, દૃશ્યો પ્રમાણે તેમના ચહેરાના બદલાતાં હાવભાવ, બુલંદ અવાજ, સંગીતની જન્મજાત સમજ જેવાં પાસાં દર્શકોમાં આકર્ષણ જગાવતાં હતાં. હાથમાં રહેલાં એકતારાનો ઉપયોગ પણ તીજનબાઈ અનોખી રીતે કરતાં.
જેમ કે, ભીમના પરાક્રમની કથા આવે ત્યારે એ એકતારાને ગદાનું પ્રતીક બનાવી દેતા. અર્જુનની કથા આવે ત્યારે એકતારો જ ધનૂષ હોય એવી સંજ્ઞાા કરતા. તો દ્રોપદીના વાળ ખેંચવાની કથા આવે ત્યારે એકતારાને દ્રોપદીના વાળ બનાવી દેતાં, તો ક્યારેક એકતારાને દુ:શાસનના હાથ બનાવી દેતાં. આ રીતે ચરિત્રચિત્રણ કરવાની તેમની રીત દર્શકોને એ વખતે ખૂબ પસંદ આવતી હતી.
તેમનો પહેલો મોટો બ્રેક મધ્યપ્રદેશના થીયેટરમાં મોટું નામ ગણાતા હબીબ તન્વીરે આપ્યો. હબીબ તન્વીરે તીજનબાઈનો એક કાર્યક્રમ જોયો અને તેમની રજૂઆતથી પ્રભાવિત થયાં. એ પછી હબીબ તન્વીરે તેમને મોટા મંચ ઉપર કળા રજૂ કરવાની તક આપી. એ તેમનાં જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, તે પછી તીજનબાઈ સતત નવી ઊંચાઈ સર કરતા જ ગયાં.
૧૦-૧૨ વર્ષમાં તેમણે એવી ઓળખ મેળવી લીધી કે ૧૯૮૦ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પાંડવાની રજૂઆત કરવાનું નિમંત્રણ આપ્યું. ૧૯૮૦-૯૦નો દશકો તેમની કળાના સન્માનનો દશકો બની રહ્યો. એ દશકામાં તેમને એક તરફ વિવિધ એવોર્ડ્સ મળતા હતા, તો બીજી તરફ દુનિયાભરમાં પોતાની કળા રજૂ કરવાની તક મળતી હતી.
છત્તીસગઢના નાનકડાં ગામડાંમાં ઉછરેલી, નાત બહાર મૂકાયેલી ૨૭-૨૮ વર્ષની યુવતીએ છત્તીસગઢની કળાને બ્રિટન, ફ્રાન્સ, સ્વિઝર્લેન્ડ, જર્મની, તૂર્કી, ટયૂનિશિયા, રોમાનિયા જેવા કેટલાંય દેશોમાં ન કેવળ પહોંચાડી, પણ અનેરું સન્માન અપાવ્યું.
જવાહરલાલ નહેરુના પુસ્તક આધારિત શ્યામ બેનેગલ દિગ્દર્શિત ટેલિવિઝન સીરિઝ ભારત એક ખોજમાં ય તેમને કળા રજૂ કરવાની તક મળી હતી.
તેમની દેખરેખ હેઠળ હવે તો પાંડવાની ગાયન-નાટય શૈલીના આ મહાભારતને નવાં કલાકારો મળ્યા છે. તીજનબાઈએ અથાક પ્રયાસો કરીને નવી જનરેશનને ય તૈયાર કરી છે, જે તીજનબાઈની પદ્ધતિ પ્રમાણે દર્શકો સમક્ષ ભારતવર્ષની આ ચિરંજીવી કથા રજૂ કરે છે.
***
આટ-આટલા સન્માનો પછી ય તીજનબાઈ પોતાને દેહાતી મહિલા ગણાવીને કહે છે : મંચ ઉપર હોઉં ત્યાં સુધી હું એક કલાકાર છું, પણ મંચથી નીચે ઉતર્યા પછી મને સેલિબ્રિટી કલાકાર હોવાનો ભાર રાખવો ગમતો નથી. મને બાળકો-વડીલો સૌને મળવું ગમે છે.
હું આજેય ગામડાંની મહિલા જ છું અને હંમેશા એવી જ રહેવા માગુ છું. વાસી ભાત અને ટમેટાની ચટણી જેવું સાદું ભોજન ખાઉં ત્યારે સંતોષ થાય છે. ઊંચ-નીચ જેવા જ્ઞાાતિના બંધનો દૂર કરવા જોઈએ. દીકરીઓને પૂરતું શિક્ષણ મળવું જોઈએ.
તેમની વિનમ્રતા અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છબી દર્શકોમાં હંમેશા પ્રશંસા પામે છે. ઘણી વખત મંચ ઉપરથી પોતાનો પરિચય આપતા તીજનબાઈ કહે છે : 'હમને ચોરી ભી કી હૈ બચપન મે. ખાને કે લીયે. દરવાજા ખીંચકર બચપન મે ખાના ખા લીયા કરતે થે, ફીર ભાઈ-બહેનો કે બીચ ભૂખા બન કે બૈઠે રહેતે થે. યે ચોરી થી હમારી. હમ મેં ભી હર કમી હે, લેકિન હા, મહાભારત કી કથા મે કોઈ કમી નહીં હે.'
૧૩ વર્ષની વયે જ્ઞાાતિમાંથી જાકારો મેળવનારી કિશોરીએ જગતભરમાં આવકાર મેળવ્યો. જ્ઞાાતિની જડ પરંપરા સામે સંઘર્ષ કરીને અસંખ્ય યુવતીઓને પ્રેરણા પૂરી પાડી છે. એક પ્રદેશની કળાને વિશ્વના તખ્તા ઉપર રજૂ કરીને અનોખું સન્માન અપાવનારા દેશમાં બહુ ઓછા કલાકારો છે અને એમાંનું એક નામ છે - તીજનબાઈ.
***
'ભઈયા હમ ઠહરે નિરચ્છર, અંગૂઠા છાપ. હિંદી બહુત ટૂટી-ફૂટી સી હૈ હમારી. આપ લોગ પઢે લીખે હો, કથા મે કૌનો ગલતી હોએ તો માફ કરના'
૬૨ વર્ષના તીજનબાઈ દર્શકો સમક્ષ પેશ થાય ત્યારે હાથ જોડીને આ શબ્દો અચૂક ઉચ્ચારે છે. આવડાં મોટા કલાકારની આ વિનમ્રતા દર્શકોને ય સ્પર્શી જાય છે. કપાળમાં મોટો લાલ ચાંદલો, લાંબો-ઘાટો સેંથો, કાંડાંમાં વિશિષ્ટ કંગન, બધી જ આંગળીઓમાં ચાંદીની મોટી વીંટી, કાનમાં મોટી બુટ્ટી, નાકમાં નાનકડી નથડી, ગળામાં ટૂંકી પણ મોટા પારાની માળા ને હાથમાં એકતારો લઈને જાજરમાન ઢબે તીજનબાઈ મંચ ઉપર હાજર થાય કે એક માહોલ આપોઆપ સર્જાઈ જાય.
છત્તીસગઢી ગાયનશૈલી પાંડવાની (છત્તીસગઢી પ્રમાણે પાંડવાની એટલે પાંડવોની કથા)માં તીજનબાઈ પોતાની વિશિષ્ટ નાટયશૈલી ઉમેરીને દર્શકોના દિલોદિમાગમાં મહાભારતના દૃશ્યો ખડાં કરે છે. મહાભારતના એક-એક પાત્રને ગાયન-રજૂઆતની જુદી ઢબે પેશ કરવાની તેમની રીત દર્શકોને જકડી રાખવા માટે પૂરતી છે.
૧૯૮૭માં તેમને પદ્મશ્રીથી નવાજાયા તે પછી તેમના ઉપર અવિરત પુરસ્કારોની વર્ષા થતી રહી છે. ૧૯૯૫માં સંગીત નાટય અકાદમી એવોર્ડ મળ્યો, ૨૦૦૩માં તેમનું સન્માન પદ્મભૂષણથી થયું અને હવે આ વર્ષે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં. એક દિવસ પણ શાળાએ ન જનારા તીજનબાઈને બિલાસપુર યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટથી ય નવાજ્યાં છે.
બહુ જ નાની વયે શરૂ થયેલી તેમની આ કલાયાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ હોવાની સાથે સાથે એટલી જ પ્રેરક છે.
***
છત્તીસગઢના ગિનિયારી નામના ગામમાં ૧૯૫૬માં તીજનબાઈનો જન્મ થયો હતો. એ વખતે મોટાભાગની છોકરીઓને શાળાએ મોકલાતી નહીં એટલે તેમના નસીબમાં ય શાળાએ જવાનું લખ્યું નહોતું. તીજનબાઈ કહે છે : 'હમારે જમાને મેં લડકિયોં કો સ્કૂલ જાના અચ્છા નહીં માનતે થે. પરિવાર કે લોગ સોચતે થે કી ઐસે ભી સસૂરાલ જા કે ખાના હી બનાના હૈ, લકડિયાઁ પઢ લીખ કે ક્યા કરેગી? તો હમ કભી સ્કૂલ નહીં ગયે'.
એ સમયના રિવાજ પ્રમાણે ૧૨ વર્ષની વયે તેમના લગ્ન કરી દેવાયાં, પરંતુ તેમનો ઘર-સંસાર ચાલ્યો નહીં. કારણ કે તીજનબાઈ પાંડવાની પ્રસ્તુતિ કરતા હતાં એ તેમના સાસરિયામાં કોઈને ગમ્યું નહીં. તેની સજારૂપે જ્ઞાાતિએ તેમને નાત બહાર મૂકી દીધાં.
તેમણે જાતે નાનકડી ઝૂંપડી બાંધી. આડોશી-પાડોશીના સહકારથી તેમનું ગાડું ગબડવા લાગ્યું. આ ઘટનાએ તેમને પાંડવાની પ્રસ્તુતિ માટે વધુ બળ આપ્યું. કહો કે મનમાં એક વિદ્રોહ જાગ્યો.
એ વિદ્રોહ પેશન બનીને બહાર નીકળ્યો અને તેમણે ૧૩ વર્ષની વયે પહેલી વખત જાહેરમાં, બાજુનાં ગામ ચંદ્રખુરીમાં પાંડવાની ગાયન-નાટય શૈલીનું પર્ફોર્મન્સ આપ્યું. 'પાંડવાની' કથા બે રીતે રજૂ થાય છે - કાપાલિક અને વેદમતી. તીજનબાઈ કાપાલિક શૈલીમાં પ્રસ્તુતિ કરે છે.
જ્ઞાાતિ બહાર મૂકાયા પછી તેમણે સમગ્ર ધ્યાન પોતાની કળાની ધાર કાઢવામાં આપ્યું. દિવસે દિવસે તેમની કળા વધુ નીખરતી ગઈ. એ ઘટના પછી તીજનબાઈ ક્યારેય સાસરિયે ન ગયાં. પછી તો જ્ઞાાતિના પંચની હાજરીમાં પતિથી છૂટા થયા અને ફરીથી લગ્ન પણ કર્યાં. આજે ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના આ વહાલા દાદી દેશ-વિદેશમાં પાંડવાની રજૂઆત કરીને અસંખ્ય લોકોની દાદ મેળવે છે.
તીજનબાઈ આ કળા તેમના નાના બ્રજલાલજીને જોઈ-જોઈને શીખ્યા હતાં. બાળપણમાં તીજનબાઈ નાના પાસેથી આ કહાની સાંભળતા. પછી તો તેમને આ કથામાં બહુ રસ પડતો અને ધીમે ધીમે આખી કથા યાદ રહી ગઈ.
એકલા હોય ત્યારે કે બાળસખીઓ સામે તીજનબાઈ આ કથાની રજૂઆત કરતાં. તીજનબાઈનો અવાજ ખૂબ ઊંચો હોવાથી તેમને માઈકની ય જરૂર ન પડતી. ઊંચા-બુલંદ અવાજે જ્યારે તીજનબાઈ ભીમની પરાક્રમગાથા વર્ણવતાં ત્યારે દર્શકો એમાં રસ તરબોળ થઈ જતા.
આમ તેમણે ક્યાંય નાટય-સંગીતની તાલીમ લીધી ન હતી, પરંતુ તેમની જન્મજાત ટેલેન્ટને જોઈને ઉમેદસિંહ દેશમુખ જેવા નિષ્ણાતે તેમને ચહેરાના અભિનયની થોડીક આરંભિક ટેકનિક શીખવી હતી.
ત્રણ-ચાર વર્ષમાં તો તીજનબાઈ આસપાસના ગામડાંમાં જાણીતા કલાકાર થઈ ગયાં. કોઈ યુવતી પાંડવાની રજૂઆત કરતી હોય એ આસપાસના લોકો માટે નવી વાત હતી એટલે તેમના કાર્યક્રમમાં દર્શકો વધતા જતા હતા. બીજી તરફ તીજનબાઈની રજૂઆત, દૃશ્યો પ્રમાણે તેમના ચહેરાના બદલાતાં હાવભાવ, બુલંદ અવાજ, સંગીતની જન્મજાત સમજ જેવાં પાસાં દર્શકોમાં આકર્ષણ જગાવતાં હતાં. હાથમાં રહેલાં એકતારાનો ઉપયોગ પણ તીજનબાઈ અનોખી રીતે કરતાં.
જેમ કે, ભીમના પરાક્રમની કથા આવે ત્યારે એ એકતારાને ગદાનું પ્રતીક બનાવી દેતા. અર્જુનની કથા આવે ત્યારે એકતારો જ ધનૂષ હોય એવી સંજ્ઞાા કરતા. તો દ્રોપદીના વાળ ખેંચવાની કથા આવે ત્યારે એકતારાને દ્રોપદીના વાળ બનાવી દેતાં, તો ક્યારેક એકતારાને દુ:શાસનના હાથ બનાવી દેતાં. આ રીતે ચરિત્રચિત્રણ કરવાની તેમની રીત દર્શકોને એ વખતે ખૂબ પસંદ આવતી હતી.
તેમનો પહેલો મોટો બ્રેક મધ્યપ્રદેશના થીયેટરમાં મોટું નામ ગણાતા હબીબ તન્વીરે આપ્યો. હબીબ તન્વીરે તીજનબાઈનો એક કાર્યક્રમ જોયો અને તેમની રજૂઆતથી પ્રભાવિત થયાં. એ પછી હબીબ તન્વીરે તેમને મોટા મંચ ઉપર કળા રજૂ કરવાની તક આપી. એ તેમનાં જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, તે પછી તીજનબાઈ સતત નવી ઊંચાઈ સર કરતા જ ગયાં.
૧૦-૧૨ વર્ષમાં તેમણે એવી ઓળખ મેળવી લીધી કે ૧૯૮૦ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પાંડવાની રજૂઆત કરવાનું નિમંત્રણ આપ્યું. ૧૯૮૦-૯૦નો દશકો તેમની કળાના સન્માનનો દશકો બની રહ્યો. એ દશકામાં તેમને એક તરફ વિવિધ એવોર્ડ્સ મળતા હતા, તો બીજી તરફ દુનિયાભરમાં પોતાની કળા રજૂ કરવાની તક મળતી હતી.
છત્તીસગઢના નાનકડાં ગામડાંમાં ઉછરેલી, નાત બહાર મૂકાયેલી ૨૭-૨૮ વર્ષની યુવતીએ છત્તીસગઢની કળાને બ્રિટન, ફ્રાન્સ, સ્વિઝર્લેન્ડ, જર્મની, તૂર્કી, ટયૂનિશિયા, રોમાનિયા જેવા કેટલાંય દેશોમાં ન કેવળ પહોંચાડી, પણ અનેરું સન્માન અપાવ્યું.
જવાહરલાલ નહેરુના પુસ્તક આધારિત શ્યામ બેનેગલ દિગ્દર્શિત ટેલિવિઝન સીરિઝ ભારત એક ખોજમાં ય તેમને કળા રજૂ કરવાની તક મળી હતી.
તેમની દેખરેખ હેઠળ હવે તો પાંડવાની ગાયન-નાટય શૈલીના આ મહાભારતને નવાં કલાકારો મળ્યા છે. તીજનબાઈએ અથાક પ્રયાસો કરીને નવી જનરેશનને ય તૈયાર કરી છે, જે તીજનબાઈની પદ્ધતિ પ્રમાણે દર્શકો સમક્ષ ભારતવર્ષની આ ચિરંજીવી કથા રજૂ કરે છે.
***
આટ-આટલા સન્માનો પછી ય તીજનબાઈ પોતાને દેહાતી મહિલા ગણાવીને કહે છે : મંચ ઉપર હોઉં ત્યાં સુધી હું એક કલાકાર છું, પણ મંચથી નીચે ઉતર્યા પછી મને સેલિબ્રિટી કલાકાર હોવાનો ભાર રાખવો ગમતો નથી. મને બાળકો-વડીલો સૌને મળવું ગમે છે.
હું આજેય ગામડાંની મહિલા જ છું અને હંમેશા એવી જ રહેવા માગુ છું. વાસી ભાત અને ટમેટાની ચટણી જેવું સાદું ભોજન ખાઉં ત્યારે સંતોષ થાય છે. ઊંચ-નીચ જેવા જ્ઞાાતિના બંધનો દૂર કરવા જોઈએ. દીકરીઓને પૂરતું શિક્ષણ મળવું જોઈએ.
તેમની વિનમ્રતા અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છબી દર્શકોમાં હંમેશા પ્રશંસા પામે છે. ઘણી વખત મંચ ઉપરથી પોતાનો પરિચય આપતા તીજનબાઈ કહે છે : 'હમને ચોરી ભી કી હૈ બચપન મે. ખાને કે લીયે. દરવાજા ખીંચકર બચપન મે ખાના ખા લીયા કરતે થે, ફીર ભાઈ-બહેનો કે બીચ ભૂખા બન કે બૈઠે રહેતે થે. યે ચોરી થી હમારી. હમ મેં ભી હર કમી હે, લેકિન હા, મહાભારત કી કથા મે કોઈ કમી નહીં હે.'
૧૩ વર્ષની વયે જ્ઞાાતિમાંથી જાકારો મેળવનારી કિશોરીએ જગતભરમાં આવકાર મેળવ્યો. જ્ઞાાતિની જડ પરંપરા સામે સંઘર્ષ કરીને અસંખ્ય યુવતીઓને પ્રેરણા પૂરી પાડી છે. એક પ્રદેશની કળાને વિશ્વના તખ્તા ઉપર રજૂ કરીને અનોખું સન્માન અપાવનારા દેશમાં બહુ ઓછા કલાકારો છે અને એમાંનું એક નામ છે - તીજનબાઈ.
***
'પાંડવાની'નો હીરો ભીમ છે
છત્તીસગઢની આ લોકગાયન શૈલી પાંડવાનીમાં કથા તો મહાભારતની જ છે, પણ તેમાં હીરો ભીમ છે. કથા ભીમની આસપાસ ફરે છે અને વળી, ભીમના મનોરંજક વર્ણનો દર્શકોને બહુ પસંદ પડે છે. આ શૈલીની મહાભારતની કથા એમ તો મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ય ભજવાય છે. આદિવાસી વિસ્તારોમાં પાંડવાનીની કથા સદીઓથી ભજવાતી આવે છે.
કહેવાય છે કે ભીમના પરાક્રમને વર્ણવતી આ ગાયન-રજૂઆત શૈલી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવા વિસ્તારોમાં મહાભારતકાળથી જ પ્રચલિત છે. આદિવાસી કલાકારો પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખતા હતા. હવે બહુ ઓછા કલાકારો આ પદ્ધતિથી મહાભારતની કથા મંચ ઉપરથી રજૂ કરે છે.
પાંડવાની ગીત-નાટય શૈલી પુરુષો દ્વારા જ મંચ ઉપરથી રજૂ કરવાની પરંપરા હતી, મહિલાઓએ જો આ કથા રજૂ કરવાની હોય તો બેસીને ગાયનથી રજૂ કરવાની થતી. તેને પાંડવાની સંગીત-નાટય રજૂઆતમાં વેદમતી શૈલીની રજૂઆત કહેવાય છે. પણ તીજનબાઈએ આમાં નવો કેડો કંડાર્યો અને પુરુષો દ્વારા રજૂ થતી કાપાલિક શૈલી અપનાવી.
એ રીતે ગીત-નાટય શૈલી પાંડવાનીમાં કાપાલિક પદ્ધતિથી મહાભારત રજૂ કરનારાં તીજનબાઈ પ્રથમ મહિલા કલાકાર બન્યાં. પાંડવાનીમાં સ્હેજ નૃત્ય ઢબની રજૂઆતના થોડાંક મૌલિક ઉમેરણો સાથે તીજનબાઈએ તેમાં વધુ તાજગીનો સંચાર કર્યો છે.
તીજનબાઈથી પ્રેરિત થઈને ૧૯૮૦ પછી અન્ય મહિલા કલાકારો પણ પાંડવાનીની કથા મંચ ઉપર જીવંત કરતી થઈ છે. એમાં દર્શકોને ધ્યાનમાં રાખીને કલાકારોએ નૃત્ય જેવાં મનોરંજક પાસાને ય ઉમેર્યા છે. એકતારા કે તાનપુરાની મદદથી આ ગીત-નાટય શૈલી રજૂ થાય છે.
છત્તીસગઢની આ લોકગાયન શૈલી પાંડવાનીમાં કથા તો મહાભારતની જ છે, પણ તેમાં હીરો ભીમ છે. કથા ભીમની આસપાસ ફરે છે અને વળી, ભીમના મનોરંજક વર્ણનો દર્શકોને બહુ પસંદ પડે છે. આ શૈલીની મહાભારતની કથા એમ તો મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ય ભજવાય છે. આદિવાસી વિસ્તારોમાં પાંડવાનીની કથા સદીઓથી ભજવાતી આવે છે.
કહેવાય છે કે ભીમના પરાક્રમને વર્ણવતી આ ગાયન-રજૂઆત શૈલી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવા વિસ્તારોમાં મહાભારતકાળથી જ પ્રચલિત છે. આદિવાસી કલાકારો પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખતા હતા. હવે બહુ ઓછા કલાકારો આ પદ્ધતિથી મહાભારતની કથા મંચ ઉપરથી રજૂ કરે છે.
પાંડવાની ગીત-નાટય શૈલી પુરુષો દ્વારા જ મંચ ઉપરથી રજૂ કરવાની પરંપરા હતી, મહિલાઓએ જો આ કથા રજૂ કરવાની હોય તો બેસીને ગાયનથી રજૂ કરવાની થતી. તેને પાંડવાની સંગીત-નાટય રજૂઆતમાં વેદમતી શૈલીની રજૂઆત કહેવાય છે. પણ તીજનબાઈએ આમાં નવો કેડો કંડાર્યો અને પુરુષો દ્વારા રજૂ થતી કાપાલિક શૈલી અપનાવી.
એ રીતે ગીત-નાટય શૈલી પાંડવાનીમાં કાપાલિક પદ્ધતિથી મહાભારત રજૂ કરનારાં તીજનબાઈ પ્રથમ મહિલા કલાકાર બન્યાં. પાંડવાનીમાં સ્હેજ નૃત્ય ઢબની રજૂઆતના થોડાંક મૌલિક ઉમેરણો સાથે તીજનબાઈએ તેમાં વધુ તાજગીનો સંચાર કર્યો છે.
તીજનબાઈથી પ્રેરિત થઈને ૧૯૮૦ પછી અન્ય મહિલા કલાકારો પણ પાંડવાનીની કથા મંચ ઉપર જીવંત કરતી થઈ છે. એમાં દર્શકોને ધ્યાનમાં રાખીને કલાકારોએ નૃત્ય જેવાં મનોરંજક પાસાને ય ઉમેર્યા છે. એકતારા કે તાનપુરાની મદદથી આ ગીત-નાટય શૈલી રજૂ થાય છે.
કવિ દલપતરામ : ગુજરાતી ભાષાના 'દિલ'માં વસેલા 'રામ'
![]() |
| કવિ દલપતરામ |
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. આચાર્યએ જનોઈ બદલવાની વિધિ શરૂ કરાવી ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા, પણ વરસાદ શરૂ થયો એટલે પુસ્તક બંધ કરીને આચાર્ય વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા. પુસ્તકને વરસાદથી બચાવવા ભૂંગળામાં મૂકી દેવું પડયું. આચાર્યને આખી વિધિ કંઠસ્થ ન હતી એટલે જ્યાં સુધી વરસાદ અટકે નહીં ત્યાં સુધી બધાએ રાહ જોવી અનિવાર્ય હતી.
વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ એ શ્લોકો કંઠસ્થ કર્યા હતા તેમ છતાં એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાના શ્લોકો બોલીને વિધિ પૂરી કરાવી. નાની વયે કંઠસ્થ કરેલા શ્લોકો આટલા વર્ષો વીતી જવા છતાં મોટી વયે પણ એવાંને એવાં જ દલપતરામને આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગ તેમની તીવ્ર સ્મરણશક્તિનો પરિચય આપે છે.
સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સોસાયટી
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ : પહેલો ભાગ' પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય. લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૃપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.
એ સમયે આખાય શહેરની સાહિત્યિક, શૈક્ષણિક, વૈચારિક પ્રવૃત્તિમાં દલપતરામની હાજરી અનિવાર્ય બની રહેતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા. સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા. મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૃ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.
દલપતરામે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવી
કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વચ્ચે ગહેરી મિત્રતા હતી. ૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમ જ કેેળવણીના કાર્ય માટે બંનેએ સાથે મળીને પ્રયાસો આદર્યા હતા.
ફાર્બસના અવસાન પછી દલપતરામે લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખતા હતા. દલપતરામ કવિતા વાંચીને તેનો અર્થ ફાર્બસને સમજાવતા. ફાર્બસ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય શોધીને નોંધ ટપકાવી લેતા અને એ રીતે ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.
દલપતરામે ફાર્બસની ઘરવખરી વેંચી, પણ ખરીદનારે વળતર જ ન આપ્યું
સુરતથી ફાર્બસની બદલી થઈ ત્યારે દલપતરામ મદદ માટે થોડો વખત સુરત રોકાયા હતા. અંગ્રેજ અધિકારી ફાર્બસે પોતાની બિનજરૂરી ઘરવખરી વેંચવાનું કામ કવિ દલપતરામને સોંપ્યું હતું. નવાબના જમાઈએ ફાર્બસની ઘરવખરી એક હજાર રૃપિયામાં ખરીદી લીધી. નવાબના જમાઈએ ઘરવખરી તો દલપતરામ પાસેથી મેળવી લીધી પણ વળતર એ વખતે ન આપ્યું. તે પછી બે-ત્રણ વખત અલગ અલગ બહાના બતાવ્યા. આખરે દલપતરામે ફાર્બસને પત્ર લખીને એ ઘટનાની જાણ કરી. ફાર્બસે લખ્યું કે નવાબનો જમાઈ કબૂલેલી રકમ આપશે નહીં એટલે વારંવાર તેની પાસે માગણી કરવાથી કંઈ વળવાનું નથી. દલપતરામે છેતરપિંડીનો કેસ કરવાની ફાર્બસ પાસે પરવાનગી માગી, પરંતુ ફાર્બસે લખ્યું કે કેસ કરવાને બદલે હું પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. સાથે સાથે ફાર્બસે મિત્ર દલપતરામને લખ્યું હતું કે હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ પાર પાડજો.
ભૂતનિબંધ : અંગ્રેજી અનુવાદ થયો હોય એવું પ્રથમ ગુજરાતી લેખન
એ વખતના ગુજરાતમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી ૧૮૪૮માં એક સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં ફાર્બસના આગ્રહથી 'કવિ' દલપતરામે 'ગદ્ય'માં કલમ ચલાવીને 'ભૂતનિબંધ'નું સર્જન કર્યું હતું. જોકે, તેનું સ્વરૂપ આજના 'નિબંધ' જેવું ન હતું, પરંતુ એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલા અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. જનમાનસમાં ભૂતપ્રેતની માન્યતા કેવી અને કેટલી ઊંડી છે તેનો ચિતાર ભૂતનિબંધમાં આપવામાં આવ્યો હતો.
એ ગુજરાતી લેખનનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ : જીવન અને કાર્ય' પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો.
ફાર્બસે દલપતરામ લિખિત ભૂતનિબંધની પ્રશંસા કરતા લખ્યું હતું : 'તેઓ (દલપતરામ) સ્થાનિક સાહિત્યના - પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે 'દેશી' ભાષાઓમાં લખાયેલું હોય - ઉત્સાહી અભ્યાસી છે. તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે. તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.'
દલપતરામ અને નર્મદ : સુધારાવાદી વિદ્વાનોના 'ઝઘડા'
દલપતરામ અને નર્મદ વચ્ચેના મતભેદો એ વખતે બહુ ચર્ચાતા હતા. બંનેના સમર્થકોમાં દલપત-નર્મદના ઝઘડાની ભારે ચર્ચા થતી. બંને સુધારાવાદી વિદ્વાનો વચ્ચે મતભેદો વર્ષો સુધી ચાલ્યા હતા. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા અને તેમના સહકારથી સાહિત્યિક-સુધારાવાદી-કેળવણી માટેના પ્રયાસો કરતા હતા. બીજી તરફ નર્મદનો સુધારાવાદી અભિગમ થોડો જુદો હતો. નર્મદનો અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૃપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું :
'શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ'
દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
'નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી....'
દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસનું નિધન થયું તે પછી નર્મદે પ્રથમ વખત ફાર્બસની પ્રશંસા કરતા લખ્યું હતું કે સ્વભાવે મિલનસાર કહેવાતા ફાર્બસે ગુજરાતીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ગુજરાતને વતન ગણીને કામ કર્યું હતું. ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.
'દલપતરામ : સુધારાનો માળી' પરિચય પુસ્તિકામાં લખ્યું છે કે દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે 'હવે આને યુદ્ધવિરામની ધજા સમજો'. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો.
બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.
પ્રથમ બાળકાવ્યોના સર્જક
કવિ દલપતરામે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. એ વખતના કેળવણી નિયામક ટી.સી. હોપના આગ્રહથી તૈયાર થયેલી હોપ વાચનમાળા માટે બાળકાવ્યો દલપતરામે તૈયાર કરી આપેલાં. એ વખતે દલપતરામને આંખની તકલીફ હતી એટલે એક લહિયો રાખીને તેમણે બાળકાવ્યો તૈયાર કરાવ્યા હતા. નાના બાળકોથી માંડીને સાત ધોરણ સુધીનાં કિશોરો માટે આ બાળકાવ્યો ઉપયોગી હતાં. દલપતરામ સર્જિત બાળકાવ્યો ઘણાં વર્ષો સુધી કંઠસ્થ રહ્યા હતા.
'મહા હેતવાળી દયાળી જ મા તું' જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. આ અને આવા બીજાં અનેક દલપતરામ રચિત બાળકાવ્યો દશકાઓ સુધી પાઠય પુસ્તકોમાં આવતા રહેતાં. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ લખે છે : 'એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય. દલપતરામે નવીન યુગની અભિલાષાઓને પોતાની જૂની પરંપરામાં ઘડાયેલી કાવ્યશૈલીમાં નવો જ પ્રાણ પૂરીને વિવિધ રૃપે પ્રગટ કરી'
દલપતરામે ઢળતી વયે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષાને એક નવો કાવ્યપ્રકાર આપ્યો હતો. દલપતરામ અગાઉ ગુજરાતીમાં બાળકાવ્યોનું સર્જન થયું ન હતું. તે રીતે દલપતરામે ગુજરાતી ભાષાને પ્રથમ વખત બાળકાવ્યો આપ્યાં હતાં.
લગ્નગીતોના સર્જક
માલણ, ગૂંથી લાવ, ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશ મજરો.આ લગ્નગીત દલપતરામે સર્જ્યું હતું. લોકગીતની જેમ વર્ષો સુધી લોકજીભે રહેલાં આવાં લગ્નગીતો ય દલપતરામે લખ્યા હતા. 'રામ લક્ષ્મણ વનમાં સીધાવતા' ગીત પણ એટલું જ લોકપ્રિય થયેલું. દલપતરામે લગ્નગીતોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંપરાગત ઢાળમાં બંધ બેસે એવા ઘણાં ગીતો દલપતરામે લખ્યા હતા. એ જ રીતે ગરબાવલિમાં પણ દલપતરામે નવી રીત અજમાવી હતી. દલપતરામના સમકાલીન કવિ નવલરામ પંડયાએ પછીથી કન્યાઓ માટેની ગરબાવલિ તૈયાર કરી હતી તેમાં થોડો ઘણો પ્રભાવ આ લગ્નગીતોનો હતો એમ કહેવાય છે.
દલપતરામની સર્જનશૈલીથી પ્રભાવિત ગુજરાતી કવિઓ
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે - 'દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૃઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે. બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી'
એક કવિનો પરિચય બીજા સમર્થ કવિ કેવા શબ્દોમાં આપે?
કવિવર દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું હતું : 'કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે'
આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. આચાર્યએ જનોઈ બદલવાની વિધિ શરૂ કરાવી ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા, પણ વરસાદ શરૂ થયો એટલે પુસ્તક બંધ કરીને આચાર્ય વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા. પુસ્તકને વરસાદથી બચાવવા ભૂંગળામાં મૂકી દેવું પડયું. આચાર્યને આખી વિધિ કંઠસ્થ ન હતી એટલે જ્યાં સુધી વરસાદ અટકે નહીં ત્યાં સુધી બધાએ રાહ જોવી અનિવાર્ય હતી.
વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ એ શ્લોકો કંઠસ્થ કર્યા હતા તેમ છતાં એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાના શ્લોકો બોલીને વિધિ પૂરી કરાવી. નાની વયે કંઠસ્થ કરેલા શ્લોકો આટલા વર્ષો વીતી જવા છતાં મોટી વયે પણ એવાંને એવાં જ દલપતરામને આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગ તેમની તીવ્ર સ્મરણશક્તિનો પરિચય આપે છે.
સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સોસાયટી
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ : પહેલો ભાગ' પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય. લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૃપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.
એ સમયે આખાય શહેરની સાહિત્યિક, શૈક્ષણિક, વૈચારિક પ્રવૃત્તિમાં દલપતરામની હાજરી અનિવાર્ય બની રહેતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા. સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા. મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૃ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.
દલપતરામે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવી
કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વચ્ચે ગહેરી મિત્રતા હતી. ૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમ જ કેેળવણીના કાર્ય માટે બંનેએ સાથે મળીને પ્રયાસો આદર્યા હતા.
ફાર્બસના અવસાન પછી દલપતરામે લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખતા હતા. દલપતરામ કવિતા વાંચીને તેનો અર્થ ફાર્બસને સમજાવતા. ફાર્બસ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય શોધીને નોંધ ટપકાવી લેતા અને એ રીતે ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.
દલપતરામે ફાર્બસની ઘરવખરી વેંચી, પણ ખરીદનારે વળતર જ ન આપ્યું
સુરતથી ફાર્બસની બદલી થઈ ત્યારે દલપતરામ મદદ માટે થોડો વખત સુરત રોકાયા હતા. અંગ્રેજ અધિકારી ફાર્બસે પોતાની બિનજરૂરી ઘરવખરી વેંચવાનું કામ કવિ દલપતરામને સોંપ્યું હતું. નવાબના જમાઈએ ફાર્બસની ઘરવખરી એક હજાર રૃપિયામાં ખરીદી લીધી. નવાબના જમાઈએ ઘરવખરી તો દલપતરામ પાસેથી મેળવી લીધી પણ વળતર એ વખતે ન આપ્યું. તે પછી બે-ત્રણ વખત અલગ અલગ બહાના બતાવ્યા. આખરે દલપતરામે ફાર્બસને પત્ર લખીને એ ઘટનાની જાણ કરી. ફાર્બસે લખ્યું કે નવાબનો જમાઈ કબૂલેલી રકમ આપશે નહીં એટલે વારંવાર તેની પાસે માગણી કરવાથી કંઈ વળવાનું નથી. દલપતરામે છેતરપિંડીનો કેસ કરવાની ફાર્બસ પાસે પરવાનગી માગી, પરંતુ ફાર્બસે લખ્યું કે કેસ કરવાને બદલે હું પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. સાથે સાથે ફાર્બસે મિત્ર દલપતરામને લખ્યું હતું કે હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ પાર પાડજો.
ભૂતનિબંધ : અંગ્રેજી અનુવાદ થયો હોય એવું પ્રથમ ગુજરાતી લેખન
એ વખતના ગુજરાતમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી ૧૮૪૮માં એક સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં ફાર્બસના આગ્રહથી 'કવિ' દલપતરામે 'ગદ્ય'માં કલમ ચલાવીને 'ભૂતનિબંધ'નું સર્જન કર્યું હતું. જોકે, તેનું સ્વરૂપ આજના 'નિબંધ' જેવું ન હતું, પરંતુ એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલા અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. જનમાનસમાં ભૂતપ્રેતની માન્યતા કેવી અને કેટલી ઊંડી છે તેનો ચિતાર ભૂતનિબંધમાં આપવામાં આવ્યો હતો.
એ ગુજરાતી લેખનનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ : જીવન અને કાર્ય' પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો.
ફાર્બસે દલપતરામ લિખિત ભૂતનિબંધની પ્રશંસા કરતા લખ્યું હતું : 'તેઓ (દલપતરામ) સ્થાનિક સાહિત્યના - પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે 'દેશી' ભાષાઓમાં લખાયેલું હોય - ઉત્સાહી અભ્યાસી છે. તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે. તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.'
દલપતરામ અને નર્મદ : સુધારાવાદી વિદ્વાનોના 'ઝઘડા'
દલપતરામ અને નર્મદ વચ્ચેના મતભેદો એ વખતે બહુ ચર્ચાતા હતા. બંનેના સમર્થકોમાં દલપત-નર્મદના ઝઘડાની ભારે ચર્ચા થતી. બંને સુધારાવાદી વિદ્વાનો વચ્ચે મતભેદો વર્ષો સુધી ચાલ્યા હતા. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા અને તેમના સહકારથી સાહિત્યિક-સુધારાવાદી-કેળવણી માટેના પ્રયાસો કરતા હતા. બીજી તરફ નર્મદનો સુધારાવાદી અભિગમ થોડો જુદો હતો. નર્મદનો અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૃપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
![]() |
| કવિ નર્મદ |
'શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ'
દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
'નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી....'
દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસનું નિધન થયું તે પછી નર્મદે પ્રથમ વખત ફાર્બસની પ્રશંસા કરતા લખ્યું હતું કે સ્વભાવે મિલનસાર કહેવાતા ફાર્બસે ગુજરાતીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ગુજરાતને વતન ગણીને કામ કર્યું હતું. ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.
'દલપતરામ : સુધારાનો માળી' પરિચય પુસ્તિકામાં લખ્યું છે કે દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે 'હવે આને યુદ્ધવિરામની ધજા સમજો'. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો.
બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.
પ્રથમ બાળકાવ્યોના સર્જક
કવિ દલપતરામે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. એ વખતના કેળવણી નિયામક ટી.સી. હોપના આગ્રહથી તૈયાર થયેલી હોપ વાચનમાળા માટે બાળકાવ્યો દલપતરામે તૈયાર કરી આપેલાં. એ વખતે દલપતરામને આંખની તકલીફ હતી એટલે એક લહિયો રાખીને તેમણે બાળકાવ્યો તૈયાર કરાવ્યા હતા. નાના બાળકોથી માંડીને સાત ધોરણ સુધીનાં કિશોરો માટે આ બાળકાવ્યો ઉપયોગી હતાં. દલપતરામ સર્જિત બાળકાવ્યો ઘણાં વર્ષો સુધી કંઠસ્થ રહ્યા હતા.
'મહા હેતવાળી દયાળી જ મા તું' જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. આ અને આવા બીજાં અનેક દલપતરામ રચિત બાળકાવ્યો દશકાઓ સુધી પાઠય પુસ્તકોમાં આવતા રહેતાં. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ લખે છે : 'એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય. દલપતરામે નવીન યુગની અભિલાષાઓને પોતાની જૂની પરંપરામાં ઘડાયેલી કાવ્યશૈલીમાં નવો જ પ્રાણ પૂરીને વિવિધ રૃપે પ્રગટ કરી'
દલપતરામે ઢળતી વયે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષાને એક નવો કાવ્યપ્રકાર આપ્યો હતો. દલપતરામ અગાઉ ગુજરાતીમાં બાળકાવ્યોનું સર્જન થયું ન હતું. તે રીતે દલપતરામે ગુજરાતી ભાષાને પ્રથમ વખત બાળકાવ્યો આપ્યાં હતાં.
લગ્નગીતોના સર્જક
માલણ, ગૂંથી લાવ, ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશ મજરો.આ લગ્નગીત દલપતરામે સર્જ્યું હતું. લોકગીતની જેમ વર્ષો સુધી લોકજીભે રહેલાં આવાં લગ્નગીતો ય દલપતરામે લખ્યા હતા. 'રામ લક્ષ્મણ વનમાં સીધાવતા' ગીત પણ એટલું જ લોકપ્રિય થયેલું. દલપતરામે લગ્નગીતોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંપરાગત ઢાળમાં બંધ બેસે એવા ઘણાં ગીતો દલપતરામે લખ્યા હતા. એ જ રીતે ગરબાવલિમાં પણ દલપતરામે નવી રીત અજમાવી હતી. દલપતરામના સમકાલીન કવિ નવલરામ પંડયાએ પછીથી કન્યાઓ માટેની ગરબાવલિ તૈયાર કરી હતી તેમાં થોડો ઘણો પ્રભાવ આ લગ્નગીતોનો હતો એમ કહેવાય છે.
દલપતરામની સર્જનશૈલીથી પ્રભાવિત ગુજરાતી કવિઓ
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે - 'દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૃઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે. બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી'
એક કવિનો પરિચય બીજા સમર્થ કવિ કેવા શબ્દોમાં આપે?
કવિવર દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું હતું : 'કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે'
સ્લિપ ઓફ ટંગ: ગલતી સે મિસ્ટેક ક્યોં હોતી હૈ?
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મીડિયા સામે જીભ લપસી તેનો વિડીયો બહુ વાયરલ થયો. આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. આવું શું કામ બને છે? વિજ્ઞાન શું કહે છે?
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં ભૂલથી ભાજપના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું હતું : 'સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજે કહ્યું કે જો ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા યોજાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચાર માટે પહેલો નંબર આપવો પડે.' બાજુમાં બેસેલા નેતાએ સૂચન કર્યું એટલે ભાજપ પ્રમુખે સિદ્ધારામૈયા સરકારને ભ્રષ્ટ ગણાવીને બોલવામાં થયેલી ભૂલ સુધારી લીધી, પણ ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસે ભાજપ અધ્યક્ષનો આ વિડીયો ખૂબ વાયરલ કર્યો.
પાંચ રાજ્યોની ચૂંટણી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભૂલથી પનામા પેપર્સ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ લેવાને બદલે શિવરાજ સિંહ ચૌહાણના દીકરાનું નામ લઈ નાખતા વિવાદ થયો હતો. છેલ્લાં દોઢ-બે વર્ષને બાદ કરતા એ પહેલાંના ભાષણોમાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હોય એવા બનાવો વધુ બનતા હતા ત્યારે ભાજપે એ વિડીયોને વાયરલ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ વક્તા છે, પણ તેમની ય ભૂલને પકડીને વિપક્ષો ભાજપને ઘેરતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી ભૂતાનના પ્રવાસે ગયા હતા. ભૂતાનની સંસદમાં ભાષણ આપતી વખતે વડાપ્રધાને ભૂતાનનું નામ લેવાને બદલે નેપાળનું નામ લીધું હતું એ મુદ્દે વિપક્ષોએ વડાપ્રધાનની ટીકા કરી હતી.
એવી જ ભૂલ હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી. અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું : 'યુપીએ સરકારનો અંત નિશ્વિત છે' ઉપમુખ્યમંત્રીએ ભૂલ સુધારવાનું સૂચન કર્યું પછી મુખ્યમંત્રીએ ભૂલ સુધારીને કહ્યું કે એનડીએ સરકારનો અંત નિશ્વિત છે. પછી આગળનું વાક્ય ઉમેર્યું : 'એનડીએ સરકાર આવશે એ નક્કી છે' વળી બાજુમાં ઉભેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ભૂલ સુધારી એટલે અશોક ગહેલોતે કહ્યું કે 'યુપીએ સરકાર આવશે તે નક્કી છે'!
આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. રાજસ્થાન ભાજપના નેતા અર્જુનલાલ મીણા મીડિયા સામે કહેવા જતા હતા કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને 'કોંગ્રેસ મુક્ત ભારત' કરી દેશે, પણ તેની જીભ લપસી અને તેણે કહી નાખ્યું : 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને ભાજપ મુક્ત ભારત કરી દેશે!'
એક વખત ગુજરાતના એક તાલુકા લેવલના- સંભવત: અંજારના સ્થાનિક નેતા કોંગ્રેસને નિશાન બનાવતી વખતે રીતસર ગાળ બોલ્યા હતા, પછી હાજર મીડિયા પ્રતિનિધિઓને એ ગાળ કાઢી નાખવાની વિનંતી કરી હતી, તેમ છતાં વિડીયો ગુજરાતભરમાં વાયરલ થયો હતો અને કોંગ્રેસે ભાજપના નેતાઓના સંસ્કારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.
માત્ર ભારતના નેતાઓની જુબાન ફીસલે છે એવું નથી, દુનિયાભરના નેતાઓ ભાષણ વખતે છબરડા કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૧૯૮૮માં ખેડૂતોના એક સંમેલનમાં ભાષણ આપી રહ્યા હતા. તેમને બોલવું હતું સેટબેક્સ (નિષ્ફળતા), પણ બોલી ગયા સેક્સ!
વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમેય વિવાદાસ્પદ નિવેદનના કારણે જાણીતા છે, એમાં એક ભાષણમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે બેલ્જિયમને એક દેશ કહેવાને બદલે સિટી ગણાવ્યું. ૨૦૧૧માં ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હતા ત્યારે તેમણે પોતાના દેશને ફ્રાન્સ કહેવાને બદલે જર્મની નામથી સંબોધતા સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.
વેલ, ભાષણ દરમિયાન આવી ભૂલો કેમ થાય છે? ગમતી વ્યક્તિ સામે ફીલિંગ કહેતી વખતે ય આવી જ ભૂલો થતી હોય છે. કહેવાનું કંઈક બીજું હોય પણ મોઢામાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી જાય!
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં ભૂલથી ભાજપના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું હતું : 'સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજે કહ્યું કે જો ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા યોજાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચાર માટે પહેલો નંબર આપવો પડે.' બાજુમાં બેસેલા નેતાએ સૂચન કર્યું એટલે ભાજપ પ્રમુખે સિદ્ધારામૈયા સરકારને ભ્રષ્ટ ગણાવીને બોલવામાં થયેલી ભૂલ સુધારી લીધી, પણ ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસે ભાજપ અધ્યક્ષનો આ વિડીયો ખૂબ વાયરલ કર્યો.
પાંચ રાજ્યોની ચૂંટણી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભૂલથી પનામા પેપર્સ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ લેવાને બદલે શિવરાજ સિંહ ચૌહાણના દીકરાનું નામ લઈ નાખતા વિવાદ થયો હતો. છેલ્લાં દોઢ-બે વર્ષને બાદ કરતા એ પહેલાંના ભાષણોમાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હોય એવા બનાવો વધુ બનતા હતા ત્યારે ભાજપે એ વિડીયોને વાયરલ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ વક્તા છે, પણ તેમની ય ભૂલને પકડીને વિપક્ષો ભાજપને ઘેરતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી ભૂતાનના પ્રવાસે ગયા હતા. ભૂતાનની સંસદમાં ભાષણ આપતી વખતે વડાપ્રધાને ભૂતાનનું નામ લેવાને બદલે નેપાળનું નામ લીધું હતું એ મુદ્દે વિપક્ષોએ વડાપ્રધાનની ટીકા કરી હતી.
એવી જ ભૂલ હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી. અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું : 'યુપીએ સરકારનો અંત નિશ્વિત છે' ઉપમુખ્યમંત્રીએ ભૂલ સુધારવાનું સૂચન કર્યું પછી મુખ્યમંત્રીએ ભૂલ સુધારીને કહ્યું કે એનડીએ સરકારનો અંત નિશ્વિત છે. પછી આગળનું વાક્ય ઉમેર્યું : 'એનડીએ સરકાર આવશે એ નક્કી છે' વળી બાજુમાં ઉભેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ભૂલ સુધારી એટલે અશોક ગહેલોતે કહ્યું કે 'યુપીએ સરકાર આવશે તે નક્કી છે'!
આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. રાજસ્થાન ભાજપના નેતા અર્જુનલાલ મીણા મીડિયા સામે કહેવા જતા હતા કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને 'કોંગ્રેસ મુક્ત ભારત' કરી દેશે, પણ તેની જીભ લપસી અને તેણે કહી નાખ્યું : 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને ભાજપ મુક્ત ભારત કરી દેશે!'
એક વખત ગુજરાતના એક તાલુકા લેવલના- સંભવત: અંજારના સ્થાનિક નેતા કોંગ્રેસને નિશાન બનાવતી વખતે રીતસર ગાળ બોલ્યા હતા, પછી હાજર મીડિયા પ્રતિનિધિઓને એ ગાળ કાઢી નાખવાની વિનંતી કરી હતી, તેમ છતાં વિડીયો ગુજરાતભરમાં વાયરલ થયો હતો અને કોંગ્રેસે ભાજપના નેતાઓના સંસ્કારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.
માત્ર ભારતના નેતાઓની જુબાન ફીસલે છે એવું નથી, દુનિયાભરના નેતાઓ ભાષણ વખતે છબરડા કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૧૯૮૮માં ખેડૂતોના એક સંમેલનમાં ભાષણ આપી રહ્યા હતા. તેમને બોલવું હતું સેટબેક્સ (નિષ્ફળતા), પણ બોલી ગયા સેક્સ!
વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમેય વિવાદાસ્પદ નિવેદનના કારણે જાણીતા છે, એમાં એક ભાષણમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે બેલ્જિયમને એક દેશ કહેવાને બદલે સિટી ગણાવ્યું. ૨૦૧૧માં ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હતા ત્યારે તેમણે પોતાના દેશને ફ્રાન્સ કહેવાને બદલે જર્મની નામથી સંબોધતા સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.
વેલ, ભાષણ દરમિયાન આવી ભૂલો કેમ થાય છે? ગમતી વ્યક્તિ સામે ફીલિંગ કહેતી વખતે ય આવી જ ભૂલો થતી હોય છે. કહેવાનું કંઈક બીજું હોય પણ મોઢામાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી જાય!
પરંતુ આવું કેમ થાય છે? વિજ્ઞાન શું કહે છે?
***
મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડે માનવમનના ઊંડાણમાં પડેલા તાણા-વાણા ઉકેલવા ઘણા પ્રયોગો કર્યા હતા. પાપા પગલી ભરી રહેલાં મનોવિજ્ઞાનને સિગમંડ ફ્રોઈડના પ્રયોગોએ ૧૯મી અને ૨૦મી સદીમાં નવી ઓળખ આપી હતી. આ સિગમંડ ફ્રોઈડે બોલવામાં થતી ભૂલના સંદર્ભમાં દાયકાઓ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૦૧માં 'ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં સ્પીચ મેમરી અને સ્પીચ એરર પાછળના લોજિક જણાવ્યા હતા.
એ તારણો પછીથી ફ્રોઈડિયન સ્લિપ નામે ઓળખાયા. એમાં ફ્રોઈડે કહ્યું હતું કે માણસની અંદરની ઈચ્છા કે જે ક્યારેય બહાર વ્યક્ત થઈ નથી તે આમ અચાનક દિમાગ ઉપર હાવી થઈ જાય છે અને મોંમાથી એવા શબ્દો નીકળી જાય છે. ઘણી વખત વધુ વાંચવાના કારણે ય દિમાગમાં ગરબડ થઈ જાય છે અને શબ્દો ઉલટસૂલટ થઈ શકે છે. ફ્રોઈડે તો ઊંઘથી લઈને આસપાસની પરિસ્થિતિ સુધીના ઘણાં કારણોની વિગતે એ પુસ્તકમાં ચર્ચા કરી હતી. સ્લિપ ઓફ ટંગની બાબતે ફ્રોઈડના તારણો નવા સંશોધકો માટે આજેય રેફરન્સ મટિરિયલ ગણાય છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે થોડા વર્ષો પહેલાં સ્લિપ ઓફ ટંગને લગતું એક સંશોધન હાથ ધર્યું હતું. થોડાંક લોકોને લેબોરેટરીમાં આવવાનું આમંત્રણ અપાયું. એમાંથી અમુક લોકોનું સ્વાગત સુંદર-સ્માર્ટ-સેક્સી લેબ આસિસ્ટન્ટે કર્યું, તો અમુકને વૃદ્ધ પ્રોફેસરે આવકાર આપ્યો. પછી બંને ગ્રુપના લોકોને કંઈક શબ્દો બોલવાનું કહેવાયું. વૃદ્ધ પ્રોફેસરે જેમને આવકાર્યા હતા એમણે આસપાસમાં બનતી ઘટનાઓને લગતા શબ્દો ઉચ્ચાર્યા. ટૂંકા કપડાં પહેરીને મોહક અદામાં જેમનું સ્વાગત લેબ આસિસ્ટન્ટે કર્યું હતું એમણે સંબંધોને લગતા બોલ્ડ શબ્દો ઉચ્ચાર્યા. એ સંશોધનમાં એવું તારણ નીકળ્યું હતું કે ફ્રોઈડે કહ્યું હતું એ વાત ઘણે અંશે સાચી છે. બોલવાની એરર પાછળ માણસની અંદરની ઈચ્છા મહત્વનો ભાગ ભજવે છે.
રશિયન નવલકથાકાર અને ફિલોસોફર ફિયોદોર દોસ્તોયેવસ્કીએ 'વ્હાઈટ બીયર પ્રોબ્લેમ' નામથી એક થીયરી રજૂ કરી હતી. એમાં આ ફિલોસોફરે પહેલી વખત એવો દાવો કર્યો હતો કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ એ બાબતો સ્પીચની એરર બનીને સામે આવી જાય છે. જેના ઉપરથી આપણે ધ્યાન હટાવવા માગીએ છીએ એના ઉપર ખરેખર તો આપણું મસ્તિષ્ક વધુ ધ્યાન આપે છે એટલે દિમાગમાં જંગ જામે છે. દિમાગ જ્યારે ભાષણ અથવા તો લાંબી વાતો વગેરે પ્રવૃત્તિમાં વધુ રોકાયેલું હોય ત્યારે મસ્તિષ્કમાં ગરબડ સર્જાય છે અને એકાએક એવો કોઈ શબ્દ ભૂલ બનીને બહાર નીકળી જાય છે.
ઘણાં લોકો ગર્લફ્રેન્ડને એક્સ ગર્લફ્રેન્ડના નામે બોલાવી નાખતા હોય છે! પત્ની સામે એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઉચ્ચારી દેતા હોય છે. ઘણાં સમાચારોમાં આપણે વાંચીએ છીએ કે બેડ ઉપર એકાએક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે બીજી વ્યક્તિનું નામ લઈ લેતા ખૂની ખેલ સર્જાયો! મતલબ કે દિમાગમાં એવી કશ્મકશ ચાલતી હોય છે કે એ નામ તો ભૂલથી ય નથી લેવું અને એનું જ નામ નીકળી જાય!
અમેરિકન મનોવિજ્ઞાની ડેનિયલ વેગ્નરે સ્પીચ એરરના સંશોધન પછી કહ્યું હતું કે મગજના જે ભાગને 'જબાનને લગામ' રાખવાનું કામ સોંપાયું છે એ ભાગ વધતી ઉંમરના કારણે, માથાની ઈજાના કારણે કે વધુ પડતી માહિતીના કારણે અથવા માનસિક તાણથી કામ કરતો બંધ થઈ જાય છે ત્યારે ન બોલવાનું બોલાય જાય છે.
ફ્રોઈડના સમકાલીન ઓસ્ટ્રિયન ભાષાશાસ્ત્રી રૂડોલ્ફ મેરિંગરે ફ્રોઈડની થીયરીને નકારી કાઢતા ૧૯૨૦માં ૧૦૦૦ લોકો ઉપર સંશોધન કરીને કહ્યું હતું કે બોલતી વખતે શબ્દોનો તાલમેલ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે એટલે ગરબડ થાય છે. આ ભાષાશાસ્ત્રીના મતે બોલવામાં ભૂલ થવાનો મુદ્દો દિમાગી બિલકુલ નથી, માત્ર જીભની ગરબડના કારણે જ એવી એરર થાય છે. મેરિંગરના મતે સ્લિપ ઓફ ટંગથી મનના અંદરુની ભાવો બહાર આવે એ વાતમાં કોઈ તથ્ય નથી, એને નિર્દોષ ગલતી ગણવી જોઈએ.
બ્રિટિશ મનોવિજ્ઞાની રોઝીન પેરેલબર્ગના મતે જીભ ઉપરનો કાબુ ગુમાવીને અચાનક કંઈક બોલી નાખવું તેની પાછળ વ્યક્તિની બોડી લેગ્વેજની ય ભૂમિકા ખરી. માણસ નર્વસ હોય ત્યારે, નશામાં હોય ત્યારે, બહુ જ ઉતાવળમાં હોય ત્યારે કે ઝડપથી બોલવાની આદતોના કારણે ય સ્લિપ ઓફ ટંગનો ભોગ બને છે.
***
દુનિયાભરના વિજ્ઞાનીઓ કહે છે કે આપણાં મસ્તિષ્કમાં ફિટ થયેલી સિસ્ટમ એ વાતની સતત કાળજી રાખે છે કે ક્યારે કઈ વાત બોલવી અને ક્યારે કઈ વાત ન બોલવી. પરિવારના સભ્યોને કહેવાની વાત બોસ સામે બોલાઈ જતી નથી ને માત્ર ફ્રેન્ડ્સને જ કહેવાનું હોય એ રહસ્ય સાથી કર્મચારી સામે છતું થતું નથી એ પાછળ દિમાગની એ જડબેસલાક સિસ્ટમ કામ કરે છે.
તેમ છતાં બોલવામાં ભૂલો થતી રહે છે, કારણે કે એક યા બીજા કારણે દિમાગમાં ગરબડો સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે માણસ દિવસ દરમિયાન લગભગ ૧૦-૧૫ હજાર શબ્દો બોલે છે અને એ દરમિયાન ૨૨ શબ્દો સ્લિપ ઓફ ટંગ થઈ જાય છે. પરફેક્શન ભાષણો વખતે કે ફિલ્મોના ડાયલોગ વખતે કાળજીપૂર્વક લાવવામાં આવે છે, નહીંતર સામાન્ય રીતે સંપૂર્ણ ફિટ અને સ્માર્ટ માણસ પણ દિવસ દરમિયાન બોલવામાં ભૂલો કરે છે. આટ-આટલા સંશોધનો છતાં માણસના મનની જેમ સ્લિપ ઓફ ટંગ પાછળનું રહસ્ય અકબંધ છે. આંગળી મૂકીને સ્પષ્ટ કરી શકાય એવું એકેય તારણ હજુ સુધી સંશોધનો તારવી શક્યા નથી.
સાધારણ માણસોની દરરોજની સરેરાશ ૨૨ ભૂલો યાદ રહેતી નથી, પરંતુ નેતાઓની આપણે યાદ કરી એવી ભૂલો વર્ષો સુધી યાદ રહે છે. જાહેર જીવનમાં સક્રિય લોકોની એક જવાબદારી છે એેટલે જ એમની ટંગ સ્લિપ ન થાય એ જરૂરી બની જાય છે. મહાનુભાવોની જુબાન એક વખત પણ લપસે તો ય વર્ષો સુધી એનો ઉઝરડો રહી જાય છે.
વિખ્યાત સર્જક વસીમ બરેલવીએ લખ્યું છે :
***
મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડે માનવમનના ઊંડાણમાં પડેલા તાણા-વાણા ઉકેલવા ઘણા પ્રયોગો કર્યા હતા. પાપા પગલી ભરી રહેલાં મનોવિજ્ઞાનને સિગમંડ ફ્રોઈડના પ્રયોગોએ ૧૯મી અને ૨૦મી સદીમાં નવી ઓળખ આપી હતી. આ સિગમંડ ફ્રોઈડે બોલવામાં થતી ભૂલના સંદર્ભમાં દાયકાઓ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૦૧માં 'ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં સ્પીચ મેમરી અને સ્પીચ એરર પાછળના લોજિક જણાવ્યા હતા.
એ તારણો પછીથી ફ્રોઈડિયન સ્લિપ નામે ઓળખાયા. એમાં ફ્રોઈડે કહ્યું હતું કે માણસની અંદરની ઈચ્છા કે જે ક્યારેય બહાર વ્યક્ત થઈ નથી તે આમ અચાનક દિમાગ ઉપર હાવી થઈ જાય છે અને મોંમાથી એવા શબ્દો નીકળી જાય છે. ઘણી વખત વધુ વાંચવાના કારણે ય દિમાગમાં ગરબડ થઈ જાય છે અને શબ્દો ઉલટસૂલટ થઈ શકે છે. ફ્રોઈડે તો ઊંઘથી લઈને આસપાસની પરિસ્થિતિ સુધીના ઘણાં કારણોની વિગતે એ પુસ્તકમાં ચર્ચા કરી હતી. સ્લિપ ઓફ ટંગની બાબતે ફ્રોઈડના તારણો નવા સંશોધકો માટે આજેય રેફરન્સ મટિરિયલ ગણાય છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે થોડા વર્ષો પહેલાં સ્લિપ ઓફ ટંગને લગતું એક સંશોધન હાથ ધર્યું હતું. થોડાંક લોકોને લેબોરેટરીમાં આવવાનું આમંત્રણ અપાયું. એમાંથી અમુક લોકોનું સ્વાગત સુંદર-સ્માર્ટ-સેક્સી લેબ આસિસ્ટન્ટે કર્યું, તો અમુકને વૃદ્ધ પ્રોફેસરે આવકાર આપ્યો. પછી બંને ગ્રુપના લોકોને કંઈક શબ્દો બોલવાનું કહેવાયું. વૃદ્ધ પ્રોફેસરે જેમને આવકાર્યા હતા એમણે આસપાસમાં બનતી ઘટનાઓને લગતા શબ્દો ઉચ્ચાર્યા. ટૂંકા કપડાં પહેરીને મોહક અદામાં જેમનું સ્વાગત લેબ આસિસ્ટન્ટે કર્યું હતું એમણે સંબંધોને લગતા બોલ્ડ શબ્દો ઉચ્ચાર્યા. એ સંશોધનમાં એવું તારણ નીકળ્યું હતું કે ફ્રોઈડે કહ્યું હતું એ વાત ઘણે અંશે સાચી છે. બોલવાની એરર પાછળ માણસની અંદરની ઈચ્છા મહત્વનો ભાગ ભજવે છે.
રશિયન નવલકથાકાર અને ફિલોસોફર ફિયોદોર દોસ્તોયેવસ્કીએ 'વ્હાઈટ બીયર પ્રોબ્લેમ' નામથી એક થીયરી રજૂ કરી હતી. એમાં આ ફિલોસોફરે પહેલી વખત એવો દાવો કર્યો હતો કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ એ બાબતો સ્પીચની એરર બનીને સામે આવી જાય છે. જેના ઉપરથી આપણે ધ્યાન હટાવવા માગીએ છીએ એના ઉપર ખરેખર તો આપણું મસ્તિષ્ક વધુ ધ્યાન આપે છે એટલે દિમાગમાં જંગ જામે છે. દિમાગ જ્યારે ભાષણ અથવા તો લાંબી વાતો વગેરે પ્રવૃત્તિમાં વધુ રોકાયેલું હોય ત્યારે મસ્તિષ્કમાં ગરબડ સર્જાય છે અને એકાએક એવો કોઈ શબ્દ ભૂલ બનીને બહાર નીકળી જાય છે.
ઘણાં લોકો ગર્લફ્રેન્ડને એક્સ ગર્લફ્રેન્ડના નામે બોલાવી નાખતા હોય છે! પત્ની સામે એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઉચ્ચારી દેતા હોય છે. ઘણાં સમાચારોમાં આપણે વાંચીએ છીએ કે બેડ ઉપર એકાએક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે બીજી વ્યક્તિનું નામ લઈ લેતા ખૂની ખેલ સર્જાયો! મતલબ કે દિમાગમાં એવી કશ્મકશ ચાલતી હોય છે કે એ નામ તો ભૂલથી ય નથી લેવું અને એનું જ નામ નીકળી જાય!
અમેરિકન મનોવિજ્ઞાની ડેનિયલ વેગ્નરે સ્પીચ એરરના સંશોધન પછી કહ્યું હતું કે મગજના જે ભાગને 'જબાનને લગામ' રાખવાનું કામ સોંપાયું છે એ ભાગ વધતી ઉંમરના કારણે, માથાની ઈજાના કારણે કે વધુ પડતી માહિતીના કારણે અથવા માનસિક તાણથી કામ કરતો બંધ થઈ જાય છે ત્યારે ન બોલવાનું બોલાય જાય છે.
ફ્રોઈડના સમકાલીન ઓસ્ટ્રિયન ભાષાશાસ્ત્રી રૂડોલ્ફ મેરિંગરે ફ્રોઈડની થીયરીને નકારી કાઢતા ૧૯૨૦માં ૧૦૦૦ લોકો ઉપર સંશોધન કરીને કહ્યું હતું કે બોલતી વખતે શબ્દોનો તાલમેલ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે એટલે ગરબડ થાય છે. આ ભાષાશાસ્ત્રીના મતે બોલવામાં ભૂલ થવાનો મુદ્દો દિમાગી બિલકુલ નથી, માત્ર જીભની ગરબડના કારણે જ એવી એરર થાય છે. મેરિંગરના મતે સ્લિપ ઓફ ટંગથી મનના અંદરુની ભાવો બહાર આવે એ વાતમાં કોઈ તથ્ય નથી, એને નિર્દોષ ગલતી ગણવી જોઈએ.
બ્રિટિશ મનોવિજ્ઞાની રોઝીન પેરેલબર્ગના મતે જીભ ઉપરનો કાબુ ગુમાવીને અચાનક કંઈક બોલી નાખવું તેની પાછળ વ્યક્તિની બોડી લેગ્વેજની ય ભૂમિકા ખરી. માણસ નર્વસ હોય ત્યારે, નશામાં હોય ત્યારે, બહુ જ ઉતાવળમાં હોય ત્યારે કે ઝડપથી બોલવાની આદતોના કારણે ય સ્લિપ ઓફ ટંગનો ભોગ બને છે.
***
દુનિયાભરના વિજ્ઞાનીઓ કહે છે કે આપણાં મસ્તિષ્કમાં ફિટ થયેલી સિસ્ટમ એ વાતની સતત કાળજી રાખે છે કે ક્યારે કઈ વાત બોલવી અને ક્યારે કઈ વાત ન બોલવી. પરિવારના સભ્યોને કહેવાની વાત બોસ સામે બોલાઈ જતી નથી ને માત્ર ફ્રેન્ડ્સને જ કહેવાનું હોય એ રહસ્ય સાથી કર્મચારી સામે છતું થતું નથી એ પાછળ દિમાગની એ જડબેસલાક સિસ્ટમ કામ કરે છે.
તેમ છતાં બોલવામાં ભૂલો થતી રહે છે, કારણે કે એક યા બીજા કારણે દિમાગમાં ગરબડો સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે માણસ દિવસ દરમિયાન લગભગ ૧૦-૧૫ હજાર શબ્દો બોલે છે અને એ દરમિયાન ૨૨ શબ્દો સ્લિપ ઓફ ટંગ થઈ જાય છે. પરફેક્શન ભાષણો વખતે કે ફિલ્મોના ડાયલોગ વખતે કાળજીપૂર્વક લાવવામાં આવે છે, નહીંતર સામાન્ય રીતે સંપૂર્ણ ફિટ અને સ્માર્ટ માણસ પણ દિવસ દરમિયાન બોલવામાં ભૂલો કરે છે. આટ-આટલા સંશોધનો છતાં માણસના મનની જેમ સ્લિપ ઓફ ટંગ પાછળનું રહસ્ય અકબંધ છે. આંગળી મૂકીને સ્પષ્ટ કરી શકાય એવું એકેય તારણ હજુ સુધી સંશોધનો તારવી શક્યા નથી.
સાધારણ માણસોની દરરોજની સરેરાશ ૨૨ ભૂલો યાદ રહેતી નથી, પરંતુ નેતાઓની આપણે યાદ કરી એવી ભૂલો વર્ષો સુધી યાદ રહે છે. જાહેર જીવનમાં સક્રિય લોકોની એક જવાબદારી છે એેટલે જ એમની ટંગ સ્લિપ ન થાય એ જરૂરી બની જાય છે. મહાનુભાવોની જુબાન એક વખત પણ લપસે તો ય વર્ષો સુધી એનો ઉઝરડો રહી જાય છે.
વિખ્યાત સર્જક વસીમ બરેલવીએ લખ્યું છે :
કૌન-સી બાત કહાઁ; કૈસે કહી જાતી હૈ
યે સલિકા હો, તો હર બાત સુની જાતી હૈ
પૂછના હૈ તો ગઝલ વાલો સે પૂછો જાકર
કૈસે હર બાત સલીકે સે કહી જાતી હૈ!
યે સલિકા હો, તો હર બાત સુની જાતી હૈ
પૂછના હૈ તો ગઝલ વાલો સે પૂછો જાકર
કૈસે હર બાત સલીકે સે કહી જાતી હૈ!
રેઈનહોલ્ડ અને આર્વેડ: એન્ટાર્કટિકાની આરપાર નીકળનારા સાહસિકો
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
૧૯૮૯-૯૦માં ૯૨ દિવસનો સંઘર્ષ ખેડીને રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સ નામના બે સાહસિકોએ સૌપ્રથમ વખત પગપાળા એન્ટાર્કટિકા પાર કરીને વિક્રમ સર્જ્યો હતો
૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
એ દિવસે એન્ટાર્કટિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ રેકોર્ડ દર્જ થયો હતો. પ્રથમ વખત બે સાહસિકો પગપાળા યાત્રા કરીને એન્ટાર્કટિકામાં સાઉથ પોલ સુધી પહોંચ્યા હતા. એ પહેલાં ય ઘણાં સાહસિકોએ એન્ટાર્કટિકામાં વિજયી ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો હતો. બંનેએ પહેલી વખત પગપાળા એટલે કે સ્કીઈંગ કરીને સાઉથ પોલ સુધીની સફર પૂરી કરી હતી.
૧૩મી નવેમ્બર, ૧૯૮૯ના દિવસે બંનેને પગપાળા એન્ટાર્કટિકા પાર કરવાનું સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં ઘણી મુશ્કેલી મોઢું ખોલીને રાહ જોઈ રહી હતી. ૨૯-૩૦ વર્ષ પહેલાં આજના જેવી ટેકનોલોજી ન હતી. નકશો તો હતો, પરંતુ પગપાળા જવા માટે રસ્તો સાવ અજાણ્યો હતો. સાઉથ પોલ પહોંચ્યા એ વર્ષનો છેલ્લો દિવસ હતો. તે પછી ૧૨મી ફેબ્રુઆરી સુધી બંનેની સંઘર્ષયાત્રા શરૂ રહી હતી.
૧૨મી ફેબ્રુઆરી-૧૯૯૦માં બંનેએ એન્ટાર્કટિકા પાર કર્યો તે સાથે જ બંનેની ૯૨ દિવસ લાંબી અદ્વિતીય સાહસયાત્રાનો અંત આવ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત આ બંનેએ કોઈ જ વાહન કે એનિમલની મદદ વગર એન્ટાર્કટિકા પાર કર્યો હતો. વિશ્વના અસંખ્ય સાહસિકો માટે રેઈનહોલ્ડ અને આર્વેડે વાહન-એનિમલ વગર એન્ટાર્કટિકા પાર કરવાના સાહસની નવી જ દિશા ખોલી આપી હતી.
આ બંનેની સાહસયાત્રા અગાઉ એન્ટાર્કટિકા પાર કરવા માટે વિવિધ વાહનો અથવા તો ઘોડાઓની મદદ લેવાતી હતી. પણ આ બંને સાહસિકોએ માત્ર સ્કીઈંગના સહારે જ એન્ટાર્કટિકા ખંડ ઓળંગ્યો હતો. બંનેને બે વખત સામગ્રી પૂરી પાડવામાં મદદ મેળવી હતી. ત્રણ માસમાં બંનેએ બે વખત - એક વખત સાઉથ પોલ પહોંચતા પહેલાં અને બીજી વખત પહોંચી ગયા પછી - સામગ્રીની મદદ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય દરરોજની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે બંનેએ બરફગાડીમાં ૧૨૦ કિલો સામાન સાથે રાખ્યો હતો, જેમાં ટેન્ટ, સ્વેટર્સ, કપડાં, ખોરાક-પાણી, સ્કીઈંગનો સામાન અને નકશા વગેરેનો સમાવેશ થતો હતો. ૯૨ દિવસમાં બંને સાહસિકોએ ૨૮૧૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
એન્ટાર્કટિકાના અનુભવ અંગે રેઈનહોલ્ડ મેસનરે તેમના પુસ્તક 'એન્ટાર્કટિકા, બોથ હેવન એન્ડ હેલ'માં લખ્યું હતું : 'ત્યાં ઘણી વખત એટલી નિરવ શાંતિ અનુભવાતી કે અમારા બંનેની ધડકન સિવાય કોઈનો ય અવાજ આવતો ન હતો. મેં અને આર્વેડે અગાઉ પણ ઘણાં સાહસો કર્યા હતા, પરંતુ આટલી શાંતિનો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. ઘણી વખત તો એ સન્નાટાથી ડર પણ લાગતો, પરંતુ પછી એ સન્નાટો શાંતિમાં પરિવર્તિત થતો ત્યારે જીવતા જીવત સ્વર્ગનો અનુભવ થતો.'
સમગ્ર પ્રવાસ સુખરૂપ જ રહ્યો હતો એવું ય નહોતું. એપ્રિલમાં જ નોર્થ પોલની યાત્રા કરીને પાછા ફરેલા આર્વેડનું શરીર જવાબ દઈ રહ્યું હતું. એમાં ય તેને પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
પ્રવાસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ તેના પગની ઈજા વકરતી જતી હતી. એ કારણે તો બંનેએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને પ્રવાસનો થોડો ટૂંકો માર્ગ પસંદ કરવો પડયો હતો. નહીંતર સાઉથ પોલ જતાં પહેલાં બંનેએ પશ્વિમ તરફની યાત્રા કરવાની હતી.
પ્રવાસમાં ફેરફાર કરીને ય બંનેએ ૯૨ દિવસમાં સફળતાપૂર્વક એન્ટાર્કટિકા પાર કર્યો હતો. બંનેએ પ્લાનમાં ફેરફાર કર્યો ત્યારે ખાસ એ બાબતનું ય ધ્યાન રાખવાનું હતું કે ૩૧મી ડિસેમ્બર પહેલાં સાઉથ પોલ પહોંચી જવાનું હતું. એક દિવસ મોડું થાય તો આર્વેડ અભૂતપૂર્વ વિક્રમ ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી.
***
એન્ટાર્કટિકાને પહેલી વખત પગતળે કરનારા આ બંને સાહસિકોના વિક્રમો અભૂતપૂર્વ છે. આર્વેડ ફૂક્સ માટે ૧૯૮૯નું વર્ષ ખૂબ અગત્યનું હતું. આર્વેડે એ જ વર્ષે એપ્રિલમાં નોર્થ પોલ પહોંચવાનું સાહસ પાર પાડયું હતું. ડિસેમ્બર સુધીમાં સાઉથ પોલ પહોંચીને એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પહોંચનારા સાહસિક તરીકે આર્વેડ ઈતિહાસ રચવા ઈચ્છતો હતો.
પગની ઈજાથી ત્રસ્ત આર્વેડ ફૂક્સને આગળ વધવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, પણ અગાઉ અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા રેઈનહોલ્ડને તો આવી સ્થિતિમાંથી પસાર થવાનો અનુભવ હતો. તેણે આર્વેડને ફરીથી તૈયાર કર્યો. છેલ્લાં દિવસોમાં ગણતરી કરી તો નિર્ધારિત સમય કરતા ઘણાં પાછળ ચાલી રહ્યા હતા. જો એ રીતે પ્રવાસ આગળ વધે તો આર્વેડ સ્હેજ માટે ઈતિહાસ સર્જવાની તક ગુમાવે એ નક્કી હતું. રેઈનહોલ્ડે તેને પાનો ચડાવ્યે રાખ્યો.
એપ્રિલ-૧૯૮૯માં જ નોર્થ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કરનારા આર્વેડને તેણે ફરી ફરીને યાદ અપાવ્યું કે આપણે ૩૧મી ડિસેમ્બરે પહોંચી જઈશું તો તું વિશ્વનો પ્રથમ એવો સાહસિક બની જઈશ કે જેણે એક જ વર્ષમાં નોર્થ અને સાઉથ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કર્યો હોય. આવી તક જીવનમાં વારંવાર નહીં આવે. આખરે છેલ્લાં દિવસોમાં પ્રવાસની ઝડપ વધી અને ૩૧મી ડિસેમ્બરે જર્મનીના સાહસિક આર્વેડ ફૂક્સના નામે અભૂતપૂર્વ વિક્રમ દર્જ થયો. એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પગપાળા જનારો તે પ્રથમ સાહસવીર બન્યો. નોર્થ પોલનો પ્રવાસ કર્યા પછી માત્ર સાત જ મહિનામાં સાઉથ પોલ સુધી પહોંચ્યો હોય એવો એ વિશ્વનો એકમાત્ર સાહસિક છે.
એના ઈટાલિયન સાથીદાર રેઈનહોલ્ડના નામે તો એનાથી ય મોટા વિક્રમો નોંધાયા છે. એવા અદ્વિતીય વિક્રમો જે રેઈનહોલ્ડને વિશ્વનો ગ્રેટેસ્ટ સાહસવીર બનાવે છે.
***
૭૪ વર્ષના રેઈનહોલ્ડે એકથી એક ચડિયાતા સાહસો કર્યા છે. ૧૯૭૮માં ઓક્સિજન સપ્લીમેન્ટ વગર રેઈનહોલ્ડે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૮૦માં ફરીથી એકલાએ ઓક્સિજન વગર સાવ નવા રસ્તે એવરેસ્ટની ઊંચાઈ આંબી હતી. દુનિયાના ૨૬૦૦૦ ફૂટથી ઉપરના બધા જ ૧૪ શિખરો સર કરવામાં ય રેઈનહોલ્ડને સફળતા મળી. આ સિદ્ધિ મેળવી ત્યારે તેની વય ૪૨ વર્ષની હતી.
૨૦૦૪માં ૬૦ વર્ષની વયે રેઈનહોલ્ડે ગોબીનું રણ પાર કર્યું હતું. રણમાં ૨૦૦૦ કિલોમીટરનું અંતર એકલાએ કાપ્યું હતું. ૧૯૮૯માં એન્ટાર્કટિકા પાર પાડયા પછી ૧૯૯૩માં વાહન કે એનિમલની મદદ વગર ગ્રીનલેન્ડનું ૨૦૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું હતું. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ પગતળે કર્યા હોય એવા વિશ્વના પ્રથમ સાહસવીર બનવાનું સૌભાગ્ય પણ તેને મળ્યું હતું.
સાહસ દરેક વખતે શોહરત જ આપે છે એવું નથી, ઘણી વખત પારાવાર પીડા ય મળે છે. પાકિસ્તાનમાં આવેલા નંગા પર્બતને પાર પાડવાનું પરાક્રમ ૧૯૭૦માં રેઈનહોલ્ડ અને તેના નાનાભાઈ ગ્રંથરે પાર પાડયું. શિખરે તો પહોંચી ગયા, પણ વળતા તોફાન ત્રાટક્યું. રેઈનહોલ્ડને એટલી ગંભીર ઈજા થઈ કે તેના પગની આંગળીઓ કપાઈ ગઈ. માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ચહેરા ઉપર ઘા પડયા, એના નિશાન આજીવન રહ્યા, પણ એનાથી ય ઊંડો ઘાવ દિલ ઉપર પડયો. તેના સાહસિક ભાઈ ગ્રંથરનું એ તોફાનમાં મૃત્યુ થયું. ૨૪ વર્ષના ભાઈને ગુમાવ્યાનું દર્દ રેઈનહોલ્ડને આજીવન રહ્યું.
અમુક આલોચકો તો ગ્રંથરના મોત માટે રેઈનહોલ્ડને જ જવાબદાર ગણે છે. ૨૦૧૦માં નંગા પર્બત નામની ફિલ્મ બની હતી. આ જર્મનભાષાની ફિલ્મમાં એવી ટીકા થઈ હતી કે ઓછા અનુભવી ગ્રંથરને લઈને જવાની રેઈનહોલ્ડની મહાત્વાકાંક્ષાએ ગ્રંથરનો જીવ લીધો. જોકે, આઠ ભાઈઓ અને એક બહેન એમ નવ ભાઈ-બહેનોમાંથી કોઈએ ગ્રંથરના નિધન માટે રેઈનહોલ્ડને જવાબદાર ગણ્યો ન હતો. પરિવારનું માનવું હતું કે રેઈનહોલ્ડ તેના ભાઈને ખૂબ ચાહતો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં જ તેણે પગની આંગળીઓ ગુમાવી હતી.
રેઈનહોલ્ડની ઉંમર ૧૩ વર્ષ હતી ત્યારે ગ્રંથરની વય ૧૧ વર્ષની હતી. એ વખતે બંને ભાઈઓએ શિખરો સર કરવાના સાહસો આદર્યા હતા. ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે બંનેની ગણતરી યુરોપના શ્રેષ્ઠ ઉભરતા પર્વતારોહકોમાં થતી હતી. રેઈનહોલ્ડે એક વખત ભાઈ માટે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રંથર જીવતો હોત તો મારા કરતા એના નામે નોંધાયેલા વિક્રમોની સંખ્યા ઘણી વધુ હોત. રેઈનહોલ્ડનો બીજો એક ભાઈ હર્બટ પણ સાહસિક છે. બંનેએ સાથે મળીને ઘણાં સાહસો કર્યા છે.
જીવનભર સાહસો કરનારા રેઈનહોલ્ડે ૮૦ જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઘણાં ખરા પુસ્તકો બેસ્ટસેલર બન્યા છે. નવા સાહસવીરોને તો રેઈનહોલ્ડના પુસ્તકો વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કારણ કે પુસ્તકોમાં રેઈનહોલ્ડના અનુભવોનો ખજાનો ભર્યો છે.
રેકોર્ડ બુકમાં 'વિશ્વમાં પ્રથમ' એ કેટેગરી સૌથી મહત્વની છે, વિશ્વમાં પ્રથમ એ એવી કેટેગરી છે, જેમાં એડિટિંગની શક્યતા નથી! એવો એક વિક્રમ નોંધાવવા લોકો કેટ-કેટલા પ્રયાસો કરે છે. રેઈનહોલ્ડ મેસનરના નામે ગિનેસ બુકમાં 'વર્લ્ડ ફર્સ્ટ'ની કેટેગરીમાં ૯-૯ વિશ્વવિક્રમો નોંધાયા છે.
સાહસના ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવનારા રેઈનહોલ્ડ મેસનર અત્યારે એકલા સાહસિક છે. તેમના આ પરાક્રમો જ તેમને વિશ્વના ગ્રેટેસ્ટ સાહસવીરમાં સ્થાન આપે છે. સાહસયાત્રા વિશે રેઈનહોલ્ડે એક વખત કહ્યું હતું : 'આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી પાસે મારી સાહસની પિતૃભૂમિ છે અને મારો રૂમાલ મારો ધ્વજ છે. હું ત્યાં મૃત્યુ પામવા નથી જતો, પણ જીવવા જાઉં છું. પર્વતો અનુકૂળ કે પ્રતિકુળ નથી હોતા, તે માત્ર ખતરનાક હોય છે અને ખરો આનંદ ખતરામાં છે.'
૧૩મી નવેમ્બર, ૧૯૮૯ના દિવસે બંનેને પગપાળા એન્ટાર્કટિકા પાર કરવાનું સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં ઘણી મુશ્કેલી મોઢું ખોલીને રાહ જોઈ રહી હતી. ૨૯-૩૦ વર્ષ પહેલાં આજના જેવી ટેકનોલોજી ન હતી. નકશો તો હતો, પરંતુ પગપાળા જવા માટે રસ્તો સાવ અજાણ્યો હતો. સાઉથ પોલ પહોંચ્યા એ વર્ષનો છેલ્લો દિવસ હતો. તે પછી ૧૨મી ફેબ્રુઆરી સુધી બંનેની સંઘર્ષયાત્રા શરૂ રહી હતી.
૧૨મી ફેબ્રુઆરી-૧૯૯૦માં બંનેએ એન્ટાર્કટિકા પાર કર્યો તે સાથે જ બંનેની ૯૨ દિવસ લાંબી અદ્વિતીય સાહસયાત્રાનો અંત આવ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત આ બંનેએ કોઈ જ વાહન કે એનિમલની મદદ વગર એન્ટાર્કટિકા પાર કર્યો હતો. વિશ્વના અસંખ્ય સાહસિકો માટે રેઈનહોલ્ડ અને આર્વેડે વાહન-એનિમલ વગર એન્ટાર્કટિકા પાર કરવાના સાહસની નવી જ દિશા ખોલી આપી હતી.
આ બંનેની સાહસયાત્રા અગાઉ એન્ટાર્કટિકા પાર કરવા માટે વિવિધ વાહનો અથવા તો ઘોડાઓની મદદ લેવાતી હતી. પણ આ બંને સાહસિકોએ માત્ર સ્કીઈંગના સહારે જ એન્ટાર્કટિકા ખંડ ઓળંગ્યો હતો. બંનેને બે વખત સામગ્રી પૂરી પાડવામાં મદદ મેળવી હતી. ત્રણ માસમાં બંનેએ બે વખત - એક વખત સાઉથ પોલ પહોંચતા પહેલાં અને બીજી વખત પહોંચી ગયા પછી - સામગ્રીની મદદ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય દરરોજની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે બંનેએ બરફગાડીમાં ૧૨૦ કિલો સામાન સાથે રાખ્યો હતો, જેમાં ટેન્ટ, સ્વેટર્સ, કપડાં, ખોરાક-પાણી, સ્કીઈંગનો સામાન અને નકશા વગેરેનો સમાવેશ થતો હતો. ૯૨ દિવસમાં બંને સાહસિકોએ ૨૮૧૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
એન્ટાર્કટિકાના અનુભવ અંગે રેઈનહોલ્ડ મેસનરે તેમના પુસ્તક 'એન્ટાર્કટિકા, બોથ હેવન એન્ડ હેલ'માં લખ્યું હતું : 'ત્યાં ઘણી વખત એટલી નિરવ શાંતિ અનુભવાતી કે અમારા બંનેની ધડકન સિવાય કોઈનો ય અવાજ આવતો ન હતો. મેં અને આર્વેડે અગાઉ પણ ઘણાં સાહસો કર્યા હતા, પરંતુ આટલી શાંતિનો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. ઘણી વખત તો એ સન્નાટાથી ડર પણ લાગતો, પરંતુ પછી એ સન્નાટો શાંતિમાં પરિવર્તિત થતો ત્યારે જીવતા જીવત સ્વર્ગનો અનુભવ થતો.'
સમગ્ર પ્રવાસ સુખરૂપ જ રહ્યો હતો એવું ય નહોતું. એપ્રિલમાં જ નોર્થ પોલની યાત્રા કરીને પાછા ફરેલા આર્વેડનું શરીર જવાબ દઈ રહ્યું હતું. એમાં ય તેને પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
પ્રવાસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ તેના પગની ઈજા વકરતી જતી હતી. એ કારણે તો બંનેએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને પ્રવાસનો થોડો ટૂંકો માર્ગ પસંદ કરવો પડયો હતો. નહીંતર સાઉથ પોલ જતાં પહેલાં બંનેએ પશ્વિમ તરફની યાત્રા કરવાની હતી.
પ્રવાસમાં ફેરફાર કરીને ય બંનેએ ૯૨ દિવસમાં સફળતાપૂર્વક એન્ટાર્કટિકા પાર કર્યો હતો. બંનેએ પ્લાનમાં ફેરફાર કર્યો ત્યારે ખાસ એ બાબતનું ય ધ્યાન રાખવાનું હતું કે ૩૧મી ડિસેમ્બર પહેલાં સાઉથ પોલ પહોંચી જવાનું હતું. એક દિવસ મોડું થાય તો આર્વેડ અભૂતપૂર્વ વિક્રમ ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી.
***
એન્ટાર્કટિકાને પહેલી વખત પગતળે કરનારા આ બંને સાહસિકોના વિક્રમો અભૂતપૂર્વ છે. આર્વેડ ફૂક્સ માટે ૧૯૮૯નું વર્ષ ખૂબ અગત્યનું હતું. આર્વેડે એ જ વર્ષે એપ્રિલમાં નોર્થ પોલ પહોંચવાનું સાહસ પાર પાડયું હતું. ડિસેમ્બર સુધીમાં સાઉથ પોલ પહોંચીને એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પહોંચનારા સાહસિક તરીકે આર્વેડ ઈતિહાસ રચવા ઈચ્છતો હતો.
પગની ઈજાથી ત્રસ્ત આર્વેડ ફૂક્સને આગળ વધવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, પણ અગાઉ અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા રેઈનહોલ્ડને તો આવી સ્થિતિમાંથી પસાર થવાનો અનુભવ હતો. તેણે આર્વેડને ફરીથી તૈયાર કર્યો. છેલ્લાં દિવસોમાં ગણતરી કરી તો નિર્ધારિત સમય કરતા ઘણાં પાછળ ચાલી રહ્યા હતા. જો એ રીતે પ્રવાસ આગળ વધે તો આર્વેડ સ્હેજ માટે ઈતિહાસ સર્જવાની તક ગુમાવે એ નક્કી હતું. રેઈનહોલ્ડે તેને પાનો ચડાવ્યે રાખ્યો.
| સાઉથ પોલ સુધીની સાહસયાત્રા કરીને રેકોર્ડ સર્જનારા સાહસિકો - આર્વેડ ફૂક્સ અને રેઈનહોલ્ડ મેસનર |
એપ્રિલ-૧૯૮૯માં જ નોર્થ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કરનારા આર્વેડને તેણે ફરી ફરીને યાદ અપાવ્યું કે આપણે ૩૧મી ડિસેમ્બરે પહોંચી જઈશું તો તું વિશ્વનો પ્રથમ એવો સાહસિક બની જઈશ કે જેણે એક જ વર્ષમાં નોર્થ અને સાઉથ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કર્યો હોય. આવી તક જીવનમાં વારંવાર નહીં આવે. આખરે છેલ્લાં દિવસોમાં પ્રવાસની ઝડપ વધી અને ૩૧મી ડિસેમ્બરે જર્મનીના સાહસિક આર્વેડ ફૂક્સના નામે અભૂતપૂર્વ વિક્રમ દર્જ થયો. એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પગપાળા જનારો તે પ્રથમ સાહસવીર બન્યો. નોર્થ પોલનો પ્રવાસ કર્યા પછી માત્ર સાત જ મહિનામાં સાઉથ પોલ સુધી પહોંચ્યો હોય એવો એ વિશ્વનો એકમાત્ર સાહસિક છે.
એના ઈટાલિયન સાથીદાર રેઈનહોલ્ડના નામે તો એનાથી ય મોટા વિક્રમો નોંધાયા છે. એવા અદ્વિતીય વિક્રમો જે રેઈનહોલ્ડને વિશ્વનો ગ્રેટેસ્ટ સાહસવીર બનાવે છે.
***
૭૪ વર્ષના રેઈનહોલ્ડે એકથી એક ચડિયાતા સાહસો કર્યા છે. ૧૯૭૮માં ઓક્સિજન સપ્લીમેન્ટ વગર રેઈનહોલ્ડે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૮૦માં ફરીથી એકલાએ ઓક્સિજન વગર સાવ નવા રસ્તે એવરેસ્ટની ઊંચાઈ આંબી હતી. દુનિયાના ૨૬૦૦૦ ફૂટથી ઉપરના બધા જ ૧૪ શિખરો સર કરવામાં ય રેઈનહોલ્ડને સફળતા મળી. આ સિદ્ધિ મેળવી ત્યારે તેની વય ૪૨ વર્ષની હતી.
૨૦૦૪માં ૬૦ વર્ષની વયે રેઈનહોલ્ડે ગોબીનું રણ પાર કર્યું હતું. રણમાં ૨૦૦૦ કિલોમીટરનું અંતર એકલાએ કાપ્યું હતું. ૧૯૮૯માં એન્ટાર્કટિકા પાર પાડયા પછી ૧૯૯૩માં વાહન કે એનિમલની મદદ વગર ગ્રીનલેન્ડનું ૨૦૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું હતું. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ પગતળે કર્યા હોય એવા વિશ્વના પ્રથમ સાહસવીર બનવાનું સૌભાગ્ય પણ તેને મળ્યું હતું.
| ગિનેસ બુકમાં નવ-નવ રેકોર્ડ ધરાવતા રેઈનહોલ્ડ મેસનર |
સાહસ દરેક વખતે શોહરત જ આપે છે એવું નથી, ઘણી વખત પારાવાર પીડા ય મળે છે. પાકિસ્તાનમાં આવેલા નંગા પર્બતને પાર પાડવાનું પરાક્રમ ૧૯૭૦માં રેઈનહોલ્ડ અને તેના નાનાભાઈ ગ્રંથરે પાર પાડયું. શિખરે તો પહોંચી ગયા, પણ વળતા તોફાન ત્રાટક્યું. રેઈનહોલ્ડને એટલી ગંભીર ઈજા થઈ કે તેના પગની આંગળીઓ કપાઈ ગઈ. માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ચહેરા ઉપર ઘા પડયા, એના નિશાન આજીવન રહ્યા, પણ એનાથી ય ઊંડો ઘાવ દિલ ઉપર પડયો. તેના સાહસિક ભાઈ ગ્રંથરનું એ તોફાનમાં મૃત્યુ થયું. ૨૪ વર્ષના ભાઈને ગુમાવ્યાનું દર્દ રેઈનહોલ્ડને આજીવન રહ્યું.
અમુક આલોચકો તો ગ્રંથરના મોત માટે રેઈનહોલ્ડને જ જવાબદાર ગણે છે. ૨૦૧૦માં નંગા પર્બત નામની ફિલ્મ બની હતી. આ જર્મનભાષાની ફિલ્મમાં એવી ટીકા થઈ હતી કે ઓછા અનુભવી ગ્રંથરને લઈને જવાની રેઈનહોલ્ડની મહાત્વાકાંક્ષાએ ગ્રંથરનો જીવ લીધો. જોકે, આઠ ભાઈઓ અને એક બહેન એમ નવ ભાઈ-બહેનોમાંથી કોઈએ ગ્રંથરના નિધન માટે રેઈનહોલ્ડને જવાબદાર ગણ્યો ન હતો. પરિવારનું માનવું હતું કે રેઈનહોલ્ડ તેના ભાઈને ખૂબ ચાહતો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં જ તેણે પગની આંગળીઓ ગુમાવી હતી.
રેઈનહોલ્ડની ઉંમર ૧૩ વર્ષ હતી ત્યારે ગ્રંથરની વય ૧૧ વર્ષની હતી. એ વખતે બંને ભાઈઓએ શિખરો સર કરવાના સાહસો આદર્યા હતા. ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે બંનેની ગણતરી યુરોપના શ્રેષ્ઠ ઉભરતા પર્વતારોહકોમાં થતી હતી. રેઈનહોલ્ડે એક વખત ભાઈ માટે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રંથર જીવતો હોત તો મારા કરતા એના નામે નોંધાયેલા વિક્રમોની સંખ્યા ઘણી વધુ હોત. રેઈનહોલ્ડનો બીજો એક ભાઈ હર્બટ પણ સાહસિક છે. બંનેએ સાથે મળીને ઘણાં સાહસો કર્યા છે.
જીવનભર સાહસો કરનારા રેઈનહોલ્ડે ૮૦ જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઘણાં ખરા પુસ્તકો બેસ્ટસેલર બન્યા છે. નવા સાહસવીરોને તો રેઈનહોલ્ડના પુસ્તકો વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કારણ કે પુસ્તકોમાં રેઈનહોલ્ડના અનુભવોનો ખજાનો ભર્યો છે.
રેકોર્ડ બુકમાં 'વિશ્વમાં પ્રથમ' એ કેટેગરી સૌથી મહત્વની છે, વિશ્વમાં પ્રથમ એ એવી કેટેગરી છે, જેમાં એડિટિંગની શક્યતા નથી! એવો એક વિક્રમ નોંધાવવા લોકો કેટ-કેટલા પ્રયાસો કરે છે. રેઈનહોલ્ડ મેસનરના નામે ગિનેસ બુકમાં 'વર્લ્ડ ફર્સ્ટ'ની કેટેગરીમાં ૯-૯ વિશ્વવિક્રમો નોંધાયા છે.
સાહસના ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવનારા રેઈનહોલ્ડ મેસનર અત્યારે એકલા સાહસિક છે. તેમના આ પરાક્રમો જ તેમને વિશ્વના ગ્રેટેસ્ટ સાહસવીરમાં સ્થાન આપે છે. સાહસયાત્રા વિશે રેઈનહોલ્ડે એક વખત કહ્યું હતું : 'આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી પાસે મારી સાહસની પિતૃભૂમિ છે અને મારો રૂમાલ મારો ધ્વજ છે. હું ત્યાં મૃત્યુ પામવા નથી જતો, પણ જીવવા જાઉં છું. પર્વતો અનુકૂળ કે પ્રતિકુળ નથી હોતા, તે માત્ર ખતરનાક હોય છે અને ખરો આનંદ ખતરામાં છે.'
બાંધકામ ક્ષેત્રના બે કરોડ લોકોને રોબોટ બેરોજગાર કરશે!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
વિશ્વમાં બાંધકામ ક્ષેત્રમાંથી ૨૨ કરોડ લોકો રોજગારી મેળવે છે. મશીનરીના કારણે નવી નોકરીઓ સર્જાતી બંધ થશે જ થશે, પણ એ સિવાયના ૨ કરોડ કામદારો બેકાર બનશે..
આગામી ૫૦ વર્ષમાં વિશ્વને ૧૫૦ કરોડ નવા ઘરોની જરૂર પડશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા ૧૦ કરોડ લોકો અત્યારે સાવ નિરાધાર છે. ભાડાના મકાનમાં રહેતા કે નાનો-મોટો આશરો બનાવીને દિવસો કાઢતા બીજા કરોડો લોકોને એમાં ઉમેરીએ તો આજની તારીખે ય વિશ્વને ૮૦ કરોડ નવા ઘરની જરૃર છે. ભારતના શહેરી વિસ્તારોમાં ૨ કરોડ નવા મકાનોની તાતી જરૃરિયાત હોવાના અહેવાલો પણ થોડા સમય પહેલાં આવ્યાં હતાં. આગામી વર્ષોની માતબર જરૃરિયાતને ધ્યાનમાં રાખીને વિશ્વની મોટી મોટી ધનાઢ્ય કંપનીઓએ આ મલાઈદાર બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
૧૯૮૦ પછી વિશ્વનું બાંધકામનું ક્ષેત્ર પૂરબહારમાં ખીલ્યું છે. એટલે કામદારોથી લઈને સુપરવાઈઝર, મિડલમેન અને બિઝનેસમેન સુધી બધા માટે આ ક્ષેત્રમાં વિપુલ તકો છે અને તક ઝડપવી કોને ન ગમે? તક ઝડપવાના ભાગરૃપે આ ક્ષેત્રમાં ધીમે ધીમે કરીને ૧૮ કરોડ કામદારો કામ કરતા થયા છે. ગુજરાતની કુલ વસતિ કરતા ત્રણ ગણાં કામદારો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં અત્યારે કાર્યરત છે. હા. માત્ર કામદારો. મતલબ બિલ્ડર, ઓફિસ સુપરવાઈઝર વગેરેની આમાં ગણતરી થઈ નથી. ઈંટો ખડકતા, પ્લાસ્ટર કરતા, લાદી અને દરવાજા ફિટ કરતા કારીગરોથી લઈને સિંમેન્ટની થેલીઓ ખભે ઊંચકતા મજૂરો આ ૧૮ કરોડમાં આવી જાય. આ આંકડો બિલ્ડિંગ્સ એન્ડ વૂડ વર્ક્સ ઈન્ટરનેશનલનો છે.
વિશ્વની નાની-મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓમાં સત્તાવારી રીતે નોંધાયેલા કામદારોની જ આ અહેવાલમાં ગણતરી થઈ છે. રોજમદાર કહેવાય એવા મજૂરોનો સમાવેશ થયો નથી. પરંતુ એવા મજૂરો પણ ૪ કરોડ હોવાનો અંદાજ છે. કુલ ૨૨ કરોડ જેટલાં લોકોના ઘર કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કારણે ચાલે છે.
કામદારો માટે આવી આશાસ્પદ સ્થિતિ હોય ત્યારે કોઈ કહે કે આગામી બે દશકામાં બે કરોડ લોકોની નોકરી રોબોટ ખાઈ જશે તો?
***
બ્રિટનની મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીએ એક વૈશ્વિક અહેવાલ તૈયાર કર્યો છે. એમાં દાવો થયો છે કે દુનિયા હવે વધુ એક ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે. એ આર્થિક રિવોલ્યુશનમાં રોબોટિકરણ મુખ્ય છે. ટેકનોલોજી જે ઝડપે આગળ વધે છે એ જોતાં આગામી સમયમાં મોટાભાગનું કામ મશીનો ઉપર નિર્ભર થઈ જશે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં.
બાંધકામ ક્ષેત્રમાં માણસ કરતા મશીનો વધુ ઝડપી અને અસરકારક સાબિત થઈ રહ્યાં છે. માણસને મેઈન્ટેઈન કરવામાં ઘણા પરિબળોનું ધ્યાન રાખવું પડતું હોય છે. તેના સોશિયલ પરિબળો, આથક અપેક્ષા, સલામતી વગેરે કેટલીય બાબતો એવી છે કે જેમાં માણસ માટે વિશેષ આયોજનની જરૃર પડે છે. પણ રોબોટની બાબતે એવું કરવાની જરૃર નથી પડતી.
બાંધકામ વખતે અવારનવાર સાંભળવા મળતું હોય કે કોઈને કોઈ કારણથી કારીગર કે મજૂરે રજા પાડી હોય એટલે આગળનું કામ એક-બે દિવસ માટે અટકી જાય, પણ રોબોટ પાસેથી જો આ જ કામ લેવાનું હોય તો ટેકનિકલ ગરબડને બાદ કરતા ભાગ્યે જ કામ અટકે. રોબોટને ન કોઈના લગ્નમાં જવાનું હોય કે ન બીમારીનો સામનો કરવાનો હોય કે ન કોઈ સગા-સંબંધીના ખબર-અંતર પૂછવાની ચિંતા હોય! કમાન્ડ આપો એટલે કામ આગળ વધતું રહે. પ્રોગ્રામ્સના આધારે ધારણા પ્રમાણે રોબોટ પાસેથી કામ લઈ શકાય છે. કદાચ એટલે જ બાંધકામ ક્ષેત્રમાં સવિશેષ રોબોટિકરણ થઈ રહ્યું છે. આ રોબોટિકરણના કારણે આજે સ્થિતિ એ છે કે ૮ કરોડ માણસો જે કામ કરી શકે એ કામ બાંધકામ ક્ષેત્રમાં કાર્યકત રોબોટ્સ કરવા લાગ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બાંધકામ ક્ષેત્રમાં મશીનરીનો ઉપયોગ આજે જ મર્યાદિત થઈ જાય તો વિશ્વમાં ૮ કરોડ નવી નોકરીઓ સર્જાય જાય.
મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીના અહેવાલ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં જ દુનિયામાં ૨૨ લાખ લોકો રોબોટના કારણે નોકરી ગુમાવશે. ૨૦૨૪ સુધીમાં આંકડો વધીને ૫૦ લાખે પહોંચી જશે. અત્યારે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જેમણે ૨૦ વર્ષની ઉંમરે કામ શરૃ કર્યું હશે એવા ૫૦ લાખ કામદારોએ સાતેક વર્ષ પછી ૨૭-૨૮ વર્ષની ભરજુવાનીમાં બેરોજગારીનો સામનો કરવો પડશે. આ લોકોએ એક જ ફિલ્ડમાં ૭-૮ વર્ષ સુધી કામ કર્યા પછી સાવ નવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા મજબૂર થવું પડશે. ખરી ચિંતાની વાત આ જ છે. જે ઉંમરે કોઈ એક ક્ષેત્રમાં ઠરીઠામ થવાની તૈયારી ચાલતી હોય એ ઉંમરે રોબોટ્સના કારણે નવેસરથી કોઈ બીજી જ પ્રવૃતિ શીખવે પડે એ માનવજાત માટે કપરું સાબિત થશે.
અહેવાલનો આધાર લઈએ તો ૨૦૪૦ સુધીમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૨ કરોડ કરતા વધુ કામદારોની જગ્યાએ રોબોટ કામ કરતા હશે. વળી, રોબોટના એકધારા આગમનના કારણે નવી અસંખ્ય નોકરીઓ સર્જાતી બંધ થશે તેની તો કોઈ ગણતરી જ નથી થઈ! જે કામ બચશે એમાં રોબોટ્સનું સુપરવિઝન કરવાનું હશે. એવી નોકરીઓનું અસ્તિત્વ હશે કે જે રોબોટને હેન્ડલ કરી શકે. એ સિવાયના કામદારો ઉપર સતત રોબોટ સાથે સ્પર્ધાનો ખતરો મંડરાતો રહેશે.
૨૦૧૮ના અંત સુધીમાં એકલા બ્રિટનમાં જ ૩૨૮૦ લોકો રોબોટના કારણે નોકરી ગુમાવશે. અમેરિકામાં ૭૧૯૫ કામદારોનું કામ રોબોટના હાથમાં જશે. ભારતમાં તો આવા કોઈ અહેવાલો તૈયાર થતાં નથી, પણ બ્રિટનની જ પેલી કન્સલટન્સીએ તારવેલા તારણોને ટાંકીએ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં ૨૦૪૦ સુધીમાં ૧ કરોડ કામદારોની નોકરી મશીનરી ગળી જશે. ૨૦૨૦ સુધીમાં આ આંકડો પાંચેક લાખ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
એક તરફ રોબોટની વિવિધ આવડતોની પ્રશંસા માનવજાત છાતી ફૂલાવીને કરે છે. રોબોટને માણસે જ બનાવ્યા છે એટલે એની આવડત એ અંતે તો માનવજાતની જ આવડત ગણાવી જોઈએ, પણ બીજી તરફ આ રોબોટ્સ જ અસંખ્ય માણસોના સ્પર્ધકો બની રહ્યાં છે એ ય હકીકત છે.
વેલ, ચિંતા કરવાનું કામ આવી એજન્સીઓનું, અર્થશાસ્ત્રીઓનું, સમાજશાસ્ત્રીઓનું, વિચારકોનું છે. બાકી રીઅલ એસ્ટેટ કંપનીઓ તો પોતાના વિચારોમાં બહુ સ્પષ્ટ છે : રોબોટને થાક ખાવો પડતો નથી, બ્રેક લેવો પડતો નથી. કામ કરવાના કલાકોનું બંધન એના ઉપર લાગુ પાડી શકાતું નથી. રોબોટને રજાની અપેક્ષા નથી કે નથી પગાર વધારાની ડિમાન્ડ. કામદારોના હકોની ય કોઈ લડત નહીં; આ સ્થિતિમાં કંપનીઓ માણસને પસંદ કરે કે મશીનને?
ખેડૂતનું સ્થાન રોબોટ લેશે!
કૃષિ ઉત્પાદન વગર માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જગત ગમે એટલી પ્રગતિ કરી લેશે તો પણ કૃષિ ઉત્પાદન અને તેનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી. પણ હા, તેના સ્વરૃપમાં ચોક્કસ ફેરફાર થશે. એ ફેરફાર થવાની શરૃઆત પણ થઈ ચૂકી છે.
આપણે એમ માનીએ છીએ કે જગતને ખેડૂત વગર ચાલવાનું નથી. એ વાત સાચી જ છે છતાં એમાં એક મોટું પરિવર્તન માથે મંડરાઈ રહ્યું છે. જો એવું થશે તો ખેડૂતો બેકાર બને એ દિવસો ખૂબ નજીક છે! ખેડૂત ખેતરમાં મેનેજર બની જશે અને વાવણી, નિંદામણ, પિયત જેવા કામો રોબોટ કરશે. અમેરિકા જેવા દેશોમાં પ્રાયોગિક ધોરણે એની શરૃઆત થઈ ચૂકી છે. જે ઝડપે પ્રયોગો થાય છે એ જોતાં આગામી એકાદ દશકામાં જગતની ૧૦-૨૦ ગણી-ગાંઠી કંપનીઓ વિશ્વના ૨૦૦ કરોડ લોકોને ખુરશી ઉપર બેસાડી દેશે. એમના ભાગે માત્ર સ્વિચ ચાલુ અને બંધ કરવાનું કામ જ બચશે.
હા, ખેડૂત જેવી કોઠાસૂઝ રોબોટમાં નહીં હોય. ઉત્પાદન ક્ષમતા કદાચ ખેડૂત કરતા વધુ હશે, પરંતુ એવી નિર્ણય શક્તિ રોબોટ ક્યાંથી લાવશે એ હજુ સંશોધનનો વિષય બનશે!
ક્યા ક્ષેત્રો ઉપર પહેલી અસર થશે?
અલગ અલગ સંશોધનો કહે છે કે આગામી બે દશકામાં લગભગ ૫૦ ટકા લોકોની નોકરી રોબોટના હાથમાં જઈ ચડશે. આટલી મોટી સંખ્યામાં તુરંત નોકરીઓ રોબોટના હાથમાં નહીં જાય એવું ય આશ્વાસન ઘણાં અર્થશાસ્ત્રીઓ આપતા રહે છે. પણ પ્રાથમિક અંદાજ એવો છે કે ૫૦ ટકા કામ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત થઈ જશે. એમાં જે ક્ષેત્રોને તુરંત અસર થશે એવા ક્ષેત્રોને અલગ તારવવામાં આવ્યા છે.
જેમ કે, ડ્રાઈવિંગ. ઓટોમેટિક ઓટો ઈન્ડસ્ટ્રીના પડઘા સંભળાવા લાગ્યા છે એટલે દોઢ દશકામાં એક કરોડ કાર ઓટોમેટિક ચાલતી હશે. બીજા શબ્દોમાં કહીએ તો એક કરોડ ડ્રાઈવરોની જરૃર નહીં પડે. બીજું એવું ક્ષેત્ર છે સ્વાસ્થ્યનું. હા. આશ્વર્યજનક લાગે એવી વાત હોવા છતાં એક્સપર્ટ્સ કહે છે કે પેરા મેડિકલ સ્ટાફ પ્રકારનું જે કામ છે એવા વિશ્વમાં લગભગ બે કરોડ લોકોનું કામ મશીનરી આધારિત થઈ જશે. જેમાં બ્લડ ટેસ્ટથી લઈને દવાઓની સૂચના આપતા સ્ટાફ સુધીના લોકોને અસર થશે.
ડિલિવરી બોયની નોકરીઓ તો ખતરામાં છે જ છે. અત્યારે કેટલીય ખાનગી કંપનીઓ રોબોટ દ્વારા પ્રોડક્ટ પહોંચાડવાના પ્રયોગો કરે છે. કંપનીએ ઓનલાઈન પાસવર્ડ આપ્યો હોય એ જ ખાનું ઓર્ડર કરનારથી ઓપન થાય. એ ખાનામાં ઓર્ડર કરેલી પ્રોડક્ટ હોય એટલે કંપનીને ફિડબેક મળી જાય. કામ પૂરું!
રસોઈથી લઈને ઘરકામ સુધીમાં આ બાબતો લાગુ પડે છે. એટલે જ નિષ્ણાતો ચેતવે છેને કે બે દશકામાં ૫૦ ટકા નોકરીઓ રોબોટના હાથમાં હશે!
સપ્તાહમાં એક દિવસ વધુ ઊંઘ કરવાથી થાક ઉતરી શકે?
રજાના દિવસે થોડા કલાકો વધારે ઊંઘ કરીને લોકો થાક ઉતારવાનો કીમિયો અજમાવતા હોય છે, પરંતુ ખરેખર એ કીમિયો કારગત નીવડી શકે ખરો?
૨૧મી સદીમાં કોઈને પાછળ રહેવું પોષાય તેમ નથી, એટલે દરેક ક્ષેત્રમાં શરૃ થઈ છે - આકરી સ્પર્ધા, સ્પર્ધાના કારણે કર્મચારીઓ ઉપર વધતું કામનું ભારણ, કામના ભારણના કારણે વધતો માનસિક તણાવ અને માનસિક તણાવને કારણે સતત મહેસૂસ થતો થાક. આ આજની ફાસ્ટ લાઈફનો ચિતાર છે. ઈન્ટરનેટ ફોર-જીની સ્પીડે ચાલે છે અને લાઈફ એનાથી ય વધુ ફાઈવ-જીની ઝડપે ભાગે છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે. અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે. અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
(10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવા પાછળ સરકારની શું ગણતરી હોઈ શકે?
ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે
નોટબંધી ને જીએસટી એમ બે મોટા આર્થિક ફેરફાર કર્યા પછી વર્તમાન સરકાર વધુ એક આર્થિક બદલાવ લાવીને પરિવર્તનશીલ સરકારની છાપ ઉભી કરવા ધારે છે : વાર્ષિક સિસ્ટમ ચેન્જ કરવાથી નહીં, પણ આર્થિક સિસ્ટમ બદલવાથી અર્થશાસ્ત્રનું ભલું થશે તે વાત સમજવાની જરૂર છે
માણસ બીમાર હોય અને એક વખતના દવાના ડોઝથી સારું ન થાય તો ડોક્ટર દવા બદલે કે બેડશીટ? ઓફકોર્સ દવા જ બદલે! જો બેડશીટ કે બેડ બદલી નાખવાની દર્દીને સારું થવાનું હોત તો તો એ નુસખો પરિવારજનોએ પહેલા કર્યો હોત! અદ્લ આવી સ્થિતિ અત્યારે ભારતના આર્થિક ફેરફારોમાં લાગુ પડી રહી છે. અર્થશાસ્ત્રના ડોક્ટરો મંદ પડેલા અર્થતંત્ર રૃપી દર્દીની બીમારીની દવા યાને અર્થનીતિમાં ફેરફાર કરવાને બદલે બેડશીટ યાને આર્થિક સિસ્ટમ બદલી રહ્યા છે. કદાચ એટલે જ પરિણામ મળતું નથી! પરિણામ નથી મળતું એ જાણવા છતાં દર્દીની દવાને બદલે વધુ એક વખત બેડશીટ બદલવાની તૈયારીનો આરંભ થઈ ચૂક્યો છે.
કેન્દ્રની ભાજપ પ્રેરિત સરકારે બે વર્ષમાં નોટબંધી અને જીએસટી એમ બે આર્થિક ફેરફારો કર્યા છે. નોટબંધીની આડઅસરોમાંથી ભારતીય અર્થતંત્ર હજુ તો માંડ બેઠું થઈ રહ્યું કે તરત જીએસટી લાગુ કરીને ફરીથી અર્થતંત્રને મંદ કરી દેવામાં આવ્યું. આ બંને મોટા ફેરફારોમાં સમાનતા એ હતી કે બંનેનું અમલીકરણ ઉતાવળે થયું હતું. બંનેની આડઅસર એટલી ભયાનક નીવડી કે સરકારે એકથી વધુ વખત પીછેહઠ કરવી પડી. આ બે વખતની પીઠેહઠ પછી વધુ એક વખત સરકારે કમર કસી છે. આ વખતે મુદ્દો છે - નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવાનો.
અત્યારે દેશમાં ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચનું નાણાકીય વર્ષ ચાલે છે. એ નાણાકીય વર્ષ પ્રમાણે કરદાતાઓ કર ભરે છે અને સરકાર પણ નવી નીતિ આ સિસ્ટમ પ્રમાણેના નાણાકીય વર્ષમાં લાગુ પાડે છે. એ માટે બજેટ ફેબુ્રઆરીમાં રજૂૂ થઈ જાય છે અને તેના અમલીકરણ માટે બે માસનો સમય મળે છે. હવે સરકારે આ સિસ્ટમ કેલેન્ટર યર એટલે કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરી નાખવાનું આયોજન કર્યું છે. એનો અર્થ એ કે સરકાર નવેમ્બર માસમાં બજેટ રજૂ કરે અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. સરકારની એ પાછળની લાંબાગાળાની ગણતરીઓની વાત કરતા પહેલાં એ જાણી લઈએ કે કેલેન્ડર વર્ષ પ્રમાણે નાણાકીય વર્ષ લાગુ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ નહીં હોય.
વિશ્વના અડધો અડધ દેશોમાં નાણાકીય વર્ષ ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર છે. ચીન, ઓસ્ટ્રિયા, બેલારૃસ, બ્રાઝિલ, ડેન્માર્ક, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ જેવા કેટલાંય નોંધપાત્ર દેશોએ નાણાકીય વર્ષ 'કેલેન્ટર યર' યાને જાન્યુઆરીથી ડિસેમ્બર રાખ્યું છે. કેટલીય વૈશ્વિક કંપનીઓ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે. કારણ કે તેમના માટે એ સિસ્ટમ વધુ સરળ છે. નાણાકીય વર્ષ પણ વૈશ્વિક રીતે સ્વીકાર્ય એવા કેલેન્ડર યર જાન્યુઆરીથી ડિસેમ્બર હોય તો કંપનીઓને પ્રમોશનથી લઈને વર્ષાંતે મળતું ક્રિસ્મસનું વાર્ષિક વેકેશન સરળતાથી સેટ થઈ જાય છે. રજાઓમાંથી પરવારીને કર્મચારીઓ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં હાજર થાય એ સાથે જ તેને નવા વર્ષે નવા નાણાકીય વર્ષે કામ કરવાનું થાય છે. મનોવૈજ્ઞાાનિક રીતે ય ઘણાં દેશો માટે આ વધુ યોગ્ય વ્યવસ્થા છે અને એટલે જ એ દેશો તે વ્યવસ્થાને વર્ષોથી જાળવી રાખે છે.
બેક ટુ ધ ઈન્ડિયા. ભારતમાં આ નાણાકીય વર્ષની સિસ્ટમ અંગ્રેજ શાસનની દેન છે. ૧૮૬૭માં બ્રિટિશ સરકારે બ્રિટિશ રાજના નાણાકીય વર્ષ સાથે મેળ બેસાડવા માટે ભારતનું હિસાબી વર્ષ પણ એ મુજબ ગોઠવ્યું હતું. ભારતને આઝાદી મળી પછી તુરંત તમામ વહીવટોમાં ફેરફાર કરીને નવું નાણાકીય વર્ષ સેટ કરવું અઘરું હતું એટલે શરૃઆતમાં એ જ સિસ્ટમને જાળવી રાખવામાં આવી.
ભારતે નાણાકીય વર્ષ બદલવા માટે પહેલો વિચાર ૧૯૮૪માં કર્યો હતો. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમના આર્થિક સલાહકાર અને આરબીઆઈના પૂર્વ ગર્વનર લક્ષ્મીકાંત ઝાએ કેલેન્ડર યર પ્રમાણે નાણાકીય વર્ષ ગોઠવવાની ભલામણ કરી હતી. લક્ષ્મીકાંત ઝાની આગેવાનીમાં ૧૯૮૪માં એલકે ઝા કમિટી બનાવાઈ હતી. એ કમિટીએ સરકારને વિગતવાર અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે કરી દેવાથી કઈ કઈ બાબતો સરળ થશે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો.
પૂરતી તૈયારી વગર અમલીકરણ શક્ય ન હતું એટલે યોગ્ય આયોજન થાય ત્યાં સુધી સરકારે રાહ જોવાનું નક્કી કર્યું. પછી તો બે-ચાર વર્ષમાં સરકારની દિશા અન્ય ક્ષેત્રના નવીનીકરણ તરફ ફંટાઈ ગઈ. કોમ્યુનિકેશન અને ટેકનોલોજી તરફ ધ્યાન આપવાની બાબત રાજીવ ગાંધી સરકારની મુખ્ય પ્રાથમિકતા હતી અને એ પછી તો રાજકીય અરાજકતાનો સમયગાળો આવી પડયો એટલે વાત સદંતર વિસરાઈ ગઈ. આર્થિક ઉદાહરણ લાગુ કર્યા પછી તુરંત આવી નવી નાણાકીય વર્ષની સિસ્ટમનું જોખમ લઈ શકાય નહીં એ સમજતા તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે નાણાકીય વર્ષ બદલવા કરતા આર્થિક નીતિ બદલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અનેક દેશોના અર્થશાસ્ત્રથી સારી રીતે વાકેફ હતા અને તેમનો મત હતો કે નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે થાય કે ન થાય તેનાથી બહુ મોટો ફરક પડશે નથી. આમ વાત ત્યાં જ અટકી ગઈ. પણ વાતને અંતે પૂર્ણવિરામ મૂકાયું ન હતું એટલે નાણાકીય પરિવર્તનો તરફ વિશેષ ધ્યાન આપતી વર્તમાન સરકારે અટકી ગયેલી નાણાકીય વર્ષની વાતને આગળ વધારી છે!
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની નેમ છે કે ૨૦૧૯થી નાણાકીય વર્ષ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવામાં આવે. જો એવું થાય તો આવતા વર્ષે મહત્વની ચૂંટણીઓ પૂરી થશે પછી તેની જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. આવતા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણી પછી સરકાર એ દિશામાં જાહેરાતો કરે તો તૈયારી માટે કંપનીઓને અને કરદાતાઓને એટલિસ્ટ આખું વર્ષ મળશે. જો એવું થાય તો લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં નાણાકીય વર્ષ બદલી ગયું હશે. આવું કરવા પાછળ સરકારની મુખ્ય બે ગણતરીઓ છે.
પહેલું તો એ કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક ફેરફારો કરીને વર્તમાન સરકારે વૈશ્વિક મીડિયામાં પૂરતું માઈલેજ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૃણ જેટલીની જોડીને વિશ્વમાં આર્થિક પરિવર્તનો લાવનારા નેતાઓ તરીકે કવરેજ મળ્યું છે. અલબત્ત, એ મીડિયા કવરેજ માત્ર હકારાત્મક નથી; નકારાત્મક પણ છે જ. છતાં પાંચ વર્ષની ટર્મ દરમિયાન ત્રણ મોટા ફેરફારો કરે તો સરકાર લાંબાંગાળે ફાયદો થશે એવા નામે પરિવર્તનશીલ કામગીરી કરી હોવાની બડાઈ કરી શકે.
બીજી ગણતરી એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં આ નવું નાણાકીય વર્ષ લાગુ થાય તો સ્વાભાવિક છે કે તેનું બજેટ નવેમ્બર-૨૦૧૮માં રજૂ કરવાનું થાય. એટલે કે આવતા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. એ હિસાબે ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવે એ પહેલાં જ બજેટની જાહેરાતો સરકારે લાગુ પાડી દીધી હોય તો એ કાર્યોને ૨૦૧૯ની લોકસભામાં ચૂંટણી મુદ્દો પણ બનાવી શકાય! લોકસભાની ચૂંટણીમાં નવા નાણાકીય વર્ષનો મુદ્દો તેમ જ ત્રણ-ત્રણ આર્થિક ફેરફારો કર્યા છે અને તેનો ફાયદો લાંબાંગાળે થશે એવી સ્પષ્ટતાઓ કરીને સરકાર નોટબંધી અને જીએસટી પછી સર્જાયેલી નેગેટિવ અસરને થોડા ઘણાં અંશે ખાળી શકે.
અચ્છા, આ સિવાયના જે ફાયદા છે તે એટલા બધા પ્રભાવી નથી કે તેનાથી ઈકોનોમીમાં મોટો ફેરફાર થાય. જેમ કે, અત્યારે આ નાણાકીય વર્ષની સિસ્ટમ પ્રમાણે દર વખતે લોકસભાની ચૂંટણી પહેલાં એક બજેટ રજૂ થાય છે. એ પછી નવી સરકાર રચાય તે જુલાઈમાં બજેટ રજૂ કરે છે. તેનું અમલીકરણ માત્ર આઠેક મહિના જેટલું લાંબું હોય છે. એનો અર્થ એ કે પાંચ વર્ષે એક વખત બજેટ અને તેનું અમલીકરણ અધૂરું હોય છે. બીજા ફાયદાઓ એવા છે કે જે વિદેશી કંપનીઓ પોતાનું નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે રાખે છે તેને પોતાના વહીવટમાં વધુ સરળતા રહેશે. દેશમાં પણ એક વખત આ સિસ્ટમ લાગુ થાય તો એપ્રિલ-માર્ચને બદલે કેલેન્ડર યર પ્રમાણે નવા વર્ષે જ નવું અમલીકરણ અને ટેક્ષ પણ ડિસેમ્બરના અંતમાં ભરાઈ જાય તો નવા વર્ષે રાહત. ઈન શોર્ટ કેલેન્ડર યર જ બધી રીતે નવું વર્ષ બની રહે. આ વર્ષના મધ્યમાં જે આર્થિક દોડધામનો માહોલ હોય છે તે વર્ષના અંતે જ પૂરો થઈ જાય.
પણ આમ જૂઓ તો એનાથી ઈકોનોમીને એવો કોઈ ફરક પડે નહીં. જે હાડમારી એપ્રિલમાં હોય છે એ હાડમારી ડિસેમ્બરમાં હશે. ખરા અર્થમાં હાડમારી ઓછી તો જ થશે કે જો આર્થિકનીતિમાં કોઈ પ્રજાલક્ષી પરિવર્તન આવે. એ પરિવર્તન વગરના બદલાવ ઘરના બાહરી રંગરોગાન જેવા છે. ઘરમાં ઢગલો કચરો હોય અને ઠેર-ઠેર ઝાળા બાઝ્યા હોય ત્યારે બાહરની દિવાલોમાં ભડકિલા રંગો લગાડી દેવાથી કોઈ ખાસ ફરક આવતો નથી, અદ્લ એવું જ આ બાબતે પણ થશે!
કેન્દ્રની ભાજપ પ્રેરિત સરકારે બે વર્ષમાં નોટબંધી અને જીએસટી એમ બે આર્થિક ફેરફારો કર્યા છે. નોટબંધીની આડઅસરોમાંથી ભારતીય અર્થતંત્ર હજુ તો માંડ બેઠું થઈ રહ્યું કે તરત જીએસટી લાગુ કરીને ફરીથી અર્થતંત્રને મંદ કરી દેવામાં આવ્યું. આ બંને મોટા ફેરફારોમાં સમાનતા એ હતી કે બંનેનું અમલીકરણ ઉતાવળે થયું હતું. બંનેની આડઅસર એટલી ભયાનક નીવડી કે સરકારે એકથી વધુ વખત પીછેહઠ કરવી પડી. આ બે વખતની પીઠેહઠ પછી વધુ એક વખત સરકારે કમર કસી છે. આ વખતે મુદ્દો છે - નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવાનો.
અત્યારે દેશમાં ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચનું નાણાકીય વર્ષ ચાલે છે. એ નાણાકીય વર્ષ પ્રમાણે કરદાતાઓ કર ભરે છે અને સરકાર પણ નવી નીતિ આ સિસ્ટમ પ્રમાણેના નાણાકીય વર્ષમાં લાગુ પાડે છે. એ માટે બજેટ ફેબુ્રઆરીમાં રજૂૂ થઈ જાય છે અને તેના અમલીકરણ માટે બે માસનો સમય મળે છે. હવે સરકારે આ સિસ્ટમ કેલેન્ટર યર એટલે કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરી નાખવાનું આયોજન કર્યું છે. એનો અર્થ એ કે સરકાર નવેમ્બર માસમાં બજેટ રજૂ કરે અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. સરકારની એ પાછળની લાંબાગાળાની ગણતરીઓની વાત કરતા પહેલાં એ જાણી લઈએ કે કેલેન્ડર વર્ષ પ્રમાણે નાણાકીય વર્ષ લાગુ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ નહીં હોય.
વિશ્વના અડધો અડધ દેશોમાં નાણાકીય વર્ષ ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર છે. ચીન, ઓસ્ટ્રિયા, બેલારૃસ, બ્રાઝિલ, ડેન્માર્ક, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ જેવા કેટલાંય નોંધપાત્ર દેશોએ નાણાકીય વર્ષ 'કેલેન્ટર યર' યાને જાન્યુઆરીથી ડિસેમ્બર રાખ્યું છે. કેટલીય વૈશ્વિક કંપનીઓ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે. કારણ કે તેમના માટે એ સિસ્ટમ વધુ સરળ છે. નાણાકીય વર્ષ પણ વૈશ્વિક રીતે સ્વીકાર્ય એવા કેલેન્ડર યર જાન્યુઆરીથી ડિસેમ્બર હોય તો કંપનીઓને પ્રમોશનથી લઈને વર્ષાંતે મળતું ક્રિસ્મસનું વાર્ષિક વેકેશન સરળતાથી સેટ થઈ જાય છે. રજાઓમાંથી પરવારીને કર્મચારીઓ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં હાજર થાય એ સાથે જ તેને નવા વર્ષે નવા નાણાકીય વર્ષે કામ કરવાનું થાય છે. મનોવૈજ્ઞાાનિક રીતે ય ઘણાં દેશો માટે આ વધુ યોગ્ય વ્યવસ્થા છે અને એટલે જ એ દેશો તે વ્યવસ્થાને વર્ષોથી જાળવી રાખે છે.
બેક ટુ ધ ઈન્ડિયા. ભારતમાં આ નાણાકીય વર્ષની સિસ્ટમ અંગ્રેજ શાસનની દેન છે. ૧૮૬૭માં બ્રિટિશ સરકારે બ્રિટિશ રાજના નાણાકીય વર્ષ સાથે મેળ બેસાડવા માટે ભારતનું હિસાબી વર્ષ પણ એ મુજબ ગોઠવ્યું હતું. ભારતને આઝાદી મળી પછી તુરંત તમામ વહીવટોમાં ફેરફાર કરીને નવું નાણાકીય વર્ષ સેટ કરવું અઘરું હતું એટલે શરૃઆતમાં એ જ સિસ્ટમને જાળવી રાખવામાં આવી.
ભારતે નાણાકીય વર્ષ બદલવા માટે પહેલો વિચાર ૧૯૮૪માં કર્યો હતો. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમના આર્થિક સલાહકાર અને આરબીઆઈના પૂર્વ ગર્વનર લક્ષ્મીકાંત ઝાએ કેલેન્ડર યર પ્રમાણે નાણાકીય વર્ષ ગોઠવવાની ભલામણ કરી હતી. લક્ષ્મીકાંત ઝાની આગેવાનીમાં ૧૯૮૪માં એલકે ઝા કમિટી બનાવાઈ હતી. એ કમિટીએ સરકારને વિગતવાર અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે કરી દેવાથી કઈ કઈ બાબતો સરળ થશે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો.
પૂરતી તૈયારી વગર અમલીકરણ શક્ય ન હતું એટલે યોગ્ય આયોજન થાય ત્યાં સુધી સરકારે રાહ જોવાનું નક્કી કર્યું. પછી તો બે-ચાર વર્ષમાં સરકારની દિશા અન્ય ક્ષેત્રના નવીનીકરણ તરફ ફંટાઈ ગઈ. કોમ્યુનિકેશન અને ટેકનોલોજી તરફ ધ્યાન આપવાની બાબત રાજીવ ગાંધી સરકારની મુખ્ય પ્રાથમિકતા હતી અને એ પછી તો રાજકીય અરાજકતાનો સમયગાળો આવી પડયો એટલે વાત સદંતર વિસરાઈ ગઈ. આર્થિક ઉદાહરણ લાગુ કર્યા પછી તુરંત આવી નવી નાણાકીય વર્ષની સિસ્ટમનું જોખમ લઈ શકાય નહીં એ સમજતા તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે નાણાકીય વર્ષ બદલવા કરતા આર્થિક નીતિ બદલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અનેક દેશોના અર્થશાસ્ત્રથી સારી રીતે વાકેફ હતા અને તેમનો મત હતો કે નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે થાય કે ન થાય તેનાથી બહુ મોટો ફરક પડશે નથી. આમ વાત ત્યાં જ અટકી ગઈ. પણ વાતને અંતે પૂર્ણવિરામ મૂકાયું ન હતું એટલે નાણાકીય પરિવર્તનો તરફ વિશેષ ધ્યાન આપતી વર્તમાન સરકારે અટકી ગયેલી નાણાકીય વર્ષની વાતને આગળ વધારી છે!
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની નેમ છે કે ૨૦૧૯થી નાણાકીય વર્ષ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવામાં આવે. જો એવું થાય તો આવતા વર્ષે મહત્વની ચૂંટણીઓ પૂરી થશે પછી તેની જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. આવતા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણી પછી સરકાર એ દિશામાં જાહેરાતો કરે તો તૈયારી માટે કંપનીઓને અને કરદાતાઓને એટલિસ્ટ આખું વર્ષ મળશે. જો એવું થાય તો લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં નાણાકીય વર્ષ બદલી ગયું હશે. આવું કરવા પાછળ સરકારની મુખ્ય બે ગણતરીઓ છે.
પહેલું તો એ કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક ફેરફારો કરીને વર્તમાન સરકારે વૈશ્વિક મીડિયામાં પૂરતું માઈલેજ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૃણ જેટલીની જોડીને વિશ્વમાં આર્થિક પરિવર્તનો લાવનારા નેતાઓ તરીકે કવરેજ મળ્યું છે. અલબત્ત, એ મીડિયા કવરેજ માત્ર હકારાત્મક નથી; નકારાત્મક પણ છે જ. છતાં પાંચ વર્ષની ટર્મ દરમિયાન ત્રણ મોટા ફેરફારો કરે તો સરકાર લાંબાંગાળે ફાયદો થશે એવા નામે પરિવર્તનશીલ કામગીરી કરી હોવાની બડાઈ કરી શકે.
બીજી ગણતરી એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં આ નવું નાણાકીય વર્ષ લાગુ થાય તો સ્વાભાવિક છે કે તેનું બજેટ નવેમ્બર-૨૦૧૮માં રજૂ કરવાનું થાય. એટલે કે આવતા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. એ હિસાબે ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવે એ પહેલાં જ બજેટની જાહેરાતો સરકારે લાગુ પાડી દીધી હોય તો એ કાર્યોને ૨૦૧૯ની લોકસભામાં ચૂંટણી મુદ્દો પણ બનાવી શકાય! લોકસભાની ચૂંટણીમાં નવા નાણાકીય વર્ષનો મુદ્દો તેમ જ ત્રણ-ત્રણ આર્થિક ફેરફારો કર્યા છે અને તેનો ફાયદો લાંબાંગાળે થશે એવી સ્પષ્ટતાઓ કરીને સરકાર નોટબંધી અને જીએસટી પછી સર્જાયેલી નેગેટિવ અસરને થોડા ઘણાં અંશે ખાળી શકે.
અચ્છા, આ સિવાયના જે ફાયદા છે તે એટલા બધા પ્રભાવી નથી કે તેનાથી ઈકોનોમીમાં મોટો ફેરફાર થાય. જેમ કે, અત્યારે આ નાણાકીય વર્ષની સિસ્ટમ પ્રમાણે દર વખતે લોકસભાની ચૂંટણી પહેલાં એક બજેટ રજૂ થાય છે. એ પછી નવી સરકાર રચાય તે જુલાઈમાં બજેટ રજૂ કરે છે. તેનું અમલીકરણ માત્ર આઠેક મહિના જેટલું લાંબું હોય છે. એનો અર્થ એ કે પાંચ વર્ષે એક વખત બજેટ અને તેનું અમલીકરણ અધૂરું હોય છે. બીજા ફાયદાઓ એવા છે કે જે વિદેશી કંપનીઓ પોતાનું નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે રાખે છે તેને પોતાના વહીવટમાં વધુ સરળતા રહેશે. દેશમાં પણ એક વખત આ સિસ્ટમ લાગુ થાય તો એપ્રિલ-માર્ચને બદલે કેલેન્ડર યર પ્રમાણે નવા વર્ષે જ નવું અમલીકરણ અને ટેક્ષ પણ ડિસેમ્બરના અંતમાં ભરાઈ જાય તો નવા વર્ષે રાહત. ઈન શોર્ટ કેલેન્ડર યર જ બધી રીતે નવું વર્ષ બની રહે. આ વર્ષના મધ્યમાં જે આર્થિક દોડધામનો માહોલ હોય છે તે વર્ષના અંતે જ પૂરો થઈ જાય.
પણ આમ જૂઓ તો એનાથી ઈકોનોમીને એવો કોઈ ફરક પડે નહીં. જે હાડમારી એપ્રિલમાં હોય છે એ હાડમારી ડિસેમ્બરમાં હશે. ખરા અર્થમાં હાડમારી ઓછી તો જ થશે કે જો આર્થિકનીતિમાં કોઈ પ્રજાલક્ષી પરિવર્તન આવે. એ પરિવર્તન વગરના બદલાવ ઘરના બાહરી રંગરોગાન જેવા છે. ઘરમાં ઢગલો કચરો હોય અને ઠેર-ઠેર ઝાળા બાઝ્યા હોય ત્યારે બાહરની દિવાલોમાં ભડકિલા રંગો લગાડી દેવાથી કોઈ ખાસ ફરક આવતો નથી, અદ્લ એવું જ આ બાબતે પણ થશે!
(10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે
See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-magazine-gujarati-financial-year-system10-december-2017#sthash.aejVES5S.dpuf
See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-magazine-gujarati-financial-year-system10-december-2017#sthash.aejVES5S.dpuf












