કવિ દલપતરામ : ગુજરાતી ભાષાના 'દિલ'માં વસેલા 'રામ'
![]() |
| કવિ દલપતરામ |
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. આચાર્યએ જનોઈ બદલવાની વિધિ શરૂ કરાવી ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા, પણ વરસાદ શરૂ થયો એટલે પુસ્તક બંધ કરીને આચાર્ય વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા. પુસ્તકને વરસાદથી બચાવવા ભૂંગળામાં મૂકી દેવું પડયું. આચાર્યને આખી વિધિ કંઠસ્થ ન હતી એટલે જ્યાં સુધી વરસાદ અટકે નહીં ત્યાં સુધી બધાએ રાહ જોવી અનિવાર્ય હતી.
વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ એ શ્લોકો કંઠસ્થ કર્યા હતા તેમ છતાં એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાના શ્લોકો બોલીને વિધિ પૂરી કરાવી. નાની વયે કંઠસ્થ કરેલા શ્લોકો આટલા વર્ષો વીતી જવા છતાં મોટી વયે પણ એવાંને એવાં જ દલપતરામને આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગ તેમની તીવ્ર સ્મરણશક્તિનો પરિચય આપે છે.
સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સોસાયટી
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ : પહેલો ભાગ' પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય. લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૃપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.
એ સમયે આખાય શહેરની સાહિત્યિક, શૈક્ષણિક, વૈચારિક પ્રવૃત્તિમાં દલપતરામની હાજરી અનિવાર્ય બની રહેતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા. સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા. મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૃ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.
દલપતરામે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવી
કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વચ્ચે ગહેરી મિત્રતા હતી. ૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમ જ કેેળવણીના કાર્ય માટે બંનેએ સાથે મળીને પ્રયાસો આદર્યા હતા.
ફાર્બસના અવસાન પછી દલપતરામે લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખતા હતા. દલપતરામ કવિતા વાંચીને તેનો અર્થ ફાર્બસને સમજાવતા. ફાર્બસ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય શોધીને નોંધ ટપકાવી લેતા અને એ રીતે ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.
દલપતરામે ફાર્બસની ઘરવખરી વેંચી, પણ ખરીદનારે વળતર જ ન આપ્યું
સુરતથી ફાર્બસની બદલી થઈ ત્યારે દલપતરામ મદદ માટે થોડો વખત સુરત રોકાયા હતા. અંગ્રેજ અધિકારી ફાર્બસે પોતાની બિનજરૂરી ઘરવખરી વેંચવાનું કામ કવિ દલપતરામને સોંપ્યું હતું. નવાબના જમાઈએ ફાર્બસની ઘરવખરી એક હજાર રૃપિયામાં ખરીદી લીધી. નવાબના જમાઈએ ઘરવખરી તો દલપતરામ પાસેથી મેળવી લીધી પણ વળતર એ વખતે ન આપ્યું. તે પછી બે-ત્રણ વખત અલગ અલગ બહાના બતાવ્યા. આખરે દલપતરામે ફાર્બસને પત્ર લખીને એ ઘટનાની જાણ કરી. ફાર્બસે લખ્યું કે નવાબનો જમાઈ કબૂલેલી રકમ આપશે નહીં એટલે વારંવાર તેની પાસે માગણી કરવાથી કંઈ વળવાનું નથી. દલપતરામે છેતરપિંડીનો કેસ કરવાની ફાર્બસ પાસે પરવાનગી માગી, પરંતુ ફાર્બસે લખ્યું કે કેસ કરવાને બદલે હું પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. સાથે સાથે ફાર્બસે મિત્ર દલપતરામને લખ્યું હતું કે હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ પાર પાડજો.
ભૂતનિબંધ : અંગ્રેજી અનુવાદ થયો હોય એવું પ્રથમ ગુજરાતી લેખન
એ વખતના ગુજરાતમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી ૧૮૪૮માં એક સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં ફાર્બસના આગ્રહથી 'કવિ' દલપતરામે 'ગદ્ય'માં કલમ ચલાવીને 'ભૂતનિબંધ'નું સર્જન કર્યું હતું. જોકે, તેનું સ્વરૂપ આજના 'નિબંધ' જેવું ન હતું, પરંતુ એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલા અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. જનમાનસમાં ભૂતપ્રેતની માન્યતા કેવી અને કેટલી ઊંડી છે તેનો ચિતાર ભૂતનિબંધમાં આપવામાં આવ્યો હતો.
એ ગુજરાતી લેખનનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ : જીવન અને કાર્ય' પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો.
ફાર્બસે દલપતરામ લિખિત ભૂતનિબંધની પ્રશંસા કરતા લખ્યું હતું : 'તેઓ (દલપતરામ) સ્થાનિક સાહિત્યના - પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે 'દેશી' ભાષાઓમાં લખાયેલું હોય - ઉત્સાહી અભ્યાસી છે. તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે. તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.'
દલપતરામ અને નર્મદ : સુધારાવાદી વિદ્વાનોના 'ઝઘડા'
દલપતરામ અને નર્મદ વચ્ચેના મતભેદો એ વખતે બહુ ચર્ચાતા હતા. બંનેના સમર્થકોમાં દલપત-નર્મદના ઝઘડાની ભારે ચર્ચા થતી. બંને સુધારાવાદી વિદ્વાનો વચ્ચે મતભેદો વર્ષો સુધી ચાલ્યા હતા. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા અને તેમના સહકારથી સાહિત્યિક-સુધારાવાદી-કેળવણી માટેના પ્રયાસો કરતા હતા. બીજી તરફ નર્મદનો સુધારાવાદી અભિગમ થોડો જુદો હતો. નર્મદનો અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૃપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું :
'શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ'
દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
'નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી....'
દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસનું નિધન થયું તે પછી નર્મદે પ્રથમ વખત ફાર્બસની પ્રશંસા કરતા લખ્યું હતું કે સ્વભાવે મિલનસાર કહેવાતા ફાર્બસે ગુજરાતીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ગુજરાતને વતન ગણીને કામ કર્યું હતું. ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.
'દલપતરામ : સુધારાનો માળી' પરિચય પુસ્તિકામાં લખ્યું છે કે દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે 'હવે આને યુદ્ધવિરામની ધજા સમજો'. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો.
બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.
પ્રથમ બાળકાવ્યોના સર્જક
કવિ દલપતરામે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. એ વખતના કેળવણી નિયામક ટી.સી. હોપના આગ્રહથી તૈયાર થયેલી હોપ વાચનમાળા માટે બાળકાવ્યો દલપતરામે તૈયાર કરી આપેલાં. એ વખતે દલપતરામને આંખની તકલીફ હતી એટલે એક લહિયો રાખીને તેમણે બાળકાવ્યો તૈયાર કરાવ્યા હતા. નાના બાળકોથી માંડીને સાત ધોરણ સુધીનાં કિશોરો માટે આ બાળકાવ્યો ઉપયોગી હતાં. દલપતરામ સર્જિત બાળકાવ્યો ઘણાં વર્ષો સુધી કંઠસ્થ રહ્યા હતા.
'મહા હેતવાળી દયાળી જ મા તું' જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. આ અને આવા બીજાં અનેક દલપતરામ રચિત બાળકાવ્યો દશકાઓ સુધી પાઠય પુસ્તકોમાં આવતા રહેતાં. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ લખે છે : 'એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય. દલપતરામે નવીન યુગની અભિલાષાઓને પોતાની જૂની પરંપરામાં ઘડાયેલી કાવ્યશૈલીમાં નવો જ પ્રાણ પૂરીને વિવિધ રૃપે પ્રગટ કરી'
દલપતરામે ઢળતી વયે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષાને એક નવો કાવ્યપ્રકાર આપ્યો હતો. દલપતરામ અગાઉ ગુજરાતીમાં બાળકાવ્યોનું સર્જન થયું ન હતું. તે રીતે દલપતરામે ગુજરાતી ભાષાને પ્રથમ વખત બાળકાવ્યો આપ્યાં હતાં.
લગ્નગીતોના સર્જક
માલણ, ગૂંથી લાવ, ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશ મજરો.આ લગ્નગીત દલપતરામે સર્જ્યું હતું. લોકગીતની જેમ વર્ષો સુધી લોકજીભે રહેલાં આવાં લગ્નગીતો ય દલપતરામે લખ્યા હતા. 'રામ લક્ષ્મણ વનમાં સીધાવતા' ગીત પણ એટલું જ લોકપ્રિય થયેલું. દલપતરામે લગ્નગીતોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંપરાગત ઢાળમાં બંધ બેસે એવા ઘણાં ગીતો દલપતરામે લખ્યા હતા. એ જ રીતે ગરબાવલિમાં પણ દલપતરામે નવી રીત અજમાવી હતી. દલપતરામના સમકાલીન કવિ નવલરામ પંડયાએ પછીથી કન્યાઓ માટેની ગરબાવલિ તૈયાર કરી હતી તેમાં થોડો ઘણો પ્રભાવ આ લગ્નગીતોનો હતો એમ કહેવાય છે.
દલપતરામની સર્જનશૈલીથી પ્રભાવિત ગુજરાતી કવિઓ
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે - 'દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૃઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે. બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી'
એક કવિનો પરિચય બીજા સમર્થ કવિ કેવા શબ્દોમાં આપે?
કવિવર દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું હતું : 'કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે'
આચાર્યની પોથી બંધ થઈ ત્યાંથી દલપતરામની વાણી શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધુ હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. લગભગ ૧૮૮૫-૮૬નું વર્ષ હતું. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. આચાર્યએ જનોઈ બદલવાની વિધિ શરૂ કરાવી ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા, પણ વરસાદ શરૂ થયો એટલે પુસ્તક બંધ કરીને આચાર્ય વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા. પુસ્તકને વરસાદથી બચાવવા ભૂંગળામાં મૂકી દેવું પડયું. આચાર્યને આખી વિધિ કંઠસ્થ ન હતી એટલે જ્યાં સુધી વરસાદ અટકે નહીં ત્યાં સુધી બધાએ રાહ જોવી અનિવાર્ય હતી.
વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ એ શ્લોકો કંઠસ્થ કર્યા હતા તેમ છતાં એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાના શ્લોકો બોલીને વિધિ પૂરી કરાવી. નાની વયે કંઠસ્થ કરેલા શ્લોકો આટલા વર્ષો વીતી જવા છતાં મોટી વયે પણ એવાંને એવાં જ દલપતરામને આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી. આ પ્રસંગ તેમની તીવ્ર સ્મરણશક્તિનો પરિચય આપે છે.
સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સોસાયટી
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ : પહેલો ભાગ' પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય. લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૃપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.
એ સમયે આખાય શહેરની સાહિત્યિક, શૈક્ષણિક, વૈચારિક પ્રવૃત્તિમાં દલપતરામની હાજરી અનિવાર્ય બની રહેતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા. સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા. મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૃ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.
દલપતરામે ફાર્બસને ગુજરાતી ભાષા શીખવી
કવિ દલપતરામ અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ વચ્ચે ગહેરી મિત્રતા હતી. ૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા હતા અને ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમ જ કેેળવણીના કાર્ય માટે બંનેએ સાથે મળીને પ્રયાસો આદર્યા હતા.
ફાર્બસના અવસાન પછી દલપતરામે લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખતા હતા. દલપતરામ કવિતા વાંચીને તેનો અર્થ ફાર્બસને સમજાવતા. ફાર્બસ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય શોધીને નોંધ ટપકાવી લેતા અને એ રીતે ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.
દલપતરામે ફાર્બસની ઘરવખરી વેંચી, પણ ખરીદનારે વળતર જ ન આપ્યું
સુરતથી ફાર્બસની બદલી થઈ ત્યારે દલપતરામ મદદ માટે થોડો વખત સુરત રોકાયા હતા. અંગ્રેજ અધિકારી ફાર્બસે પોતાની બિનજરૂરી ઘરવખરી વેંચવાનું કામ કવિ દલપતરામને સોંપ્યું હતું. નવાબના જમાઈએ ફાર્બસની ઘરવખરી એક હજાર રૃપિયામાં ખરીદી લીધી. નવાબના જમાઈએ ઘરવખરી તો દલપતરામ પાસેથી મેળવી લીધી પણ વળતર એ વખતે ન આપ્યું. તે પછી બે-ત્રણ વખત અલગ અલગ બહાના બતાવ્યા. આખરે દલપતરામે ફાર્બસને પત્ર લખીને એ ઘટનાની જાણ કરી. ફાર્બસે લખ્યું કે નવાબનો જમાઈ કબૂલેલી રકમ આપશે નહીં એટલે વારંવાર તેની પાસે માગણી કરવાથી કંઈ વળવાનું નથી. દલપતરામે છેતરપિંડીનો કેસ કરવાની ફાર્બસ પાસે પરવાનગી માગી, પરંતુ ફાર્બસે લખ્યું કે કેસ કરવાને બદલે હું પૈસા જતા કરવાનું વધુ પસંદ કરીશ. સાથે સાથે ફાર્બસે મિત્ર દલપતરામને લખ્યું હતું કે હવે પછી તમે આવી બાબતોમાં વધુ સાવચેતીથી કામ પાર પાડજો.
ભૂતનિબંધ : અંગ્રેજી અનુવાદ થયો હોય એવું પ્રથમ ગુજરાતી લેખન
એ વખતના ગુજરાતમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવાના હેતુથી ૧૮૪૮માં એક સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં ફાર્બસના આગ્રહથી 'કવિ' દલપતરામે 'ગદ્ય'માં કલમ ચલાવીને 'ભૂતનિબંધ'નું સર્જન કર્યું હતું. જોકે, તેનું સ્વરૂપ આજના 'નિબંધ' જેવું ન હતું, પરંતુ એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલા અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. જનમાનસમાં ભૂતપ્રેતની માન્યતા કેવી અને કેટલી ઊંડી છે તેનો ચિતાર ભૂતનિબંધમાં આપવામાં આવ્યો હતો.
એ ગુજરાતી લેખનનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 'અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ : જીવન અને કાર્ય' પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો.
ફાર્બસે દલપતરામ લિખિત ભૂતનિબંધની પ્રશંસા કરતા લખ્યું હતું : 'તેઓ (દલપતરામ) સ્થાનિક સાહિત્યના - પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે 'દેશી' ભાષાઓમાં લખાયેલું હોય - ઉત્સાહી અભ્યાસી છે. તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે. તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.'
દલપતરામ અને નર્મદ : સુધારાવાદી વિદ્વાનોના 'ઝઘડા'
દલપતરામ અને નર્મદ વચ્ચેના મતભેદો એ વખતે બહુ ચર્ચાતા હતા. બંનેના સમર્થકોમાં દલપત-નર્મદના ઝઘડાની ભારે ચર્ચા થતી. બંને સુધારાવાદી વિદ્વાનો વચ્ચે મતભેદો વર્ષો સુધી ચાલ્યા હતા. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા અને તેમના સહકારથી સાહિત્યિક-સુધારાવાદી-કેળવણી માટેના પ્રયાસો કરતા હતા. બીજી તરફ નર્મદનો સુધારાવાદી અભિગમ થોડો જુદો હતો. નર્મદનો અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૃપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
![]() |
| કવિ નર્મદ |
'શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ'
દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
'નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી....'
દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસનું નિધન થયું તે પછી નર્મદે પ્રથમ વખત ફાર્બસની પ્રશંસા કરતા લખ્યું હતું કે સ્વભાવે મિલનસાર કહેવાતા ફાર્બસે ગુજરાતીઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને ગુજરાતને વતન ગણીને કામ કર્યું હતું. ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું કે કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.
'દલપતરામ : સુધારાનો માળી' પરિચય પુસ્તિકામાં લખ્યું છે કે દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે 'હવે આને યુદ્ધવિરામની ધજા સમજો'. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો.
બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.
પ્રથમ બાળકાવ્યોના સર્જક
કવિ દલપતરામે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. એ વખતના કેળવણી નિયામક ટી.સી. હોપના આગ્રહથી તૈયાર થયેલી હોપ વાચનમાળા માટે બાળકાવ્યો દલપતરામે તૈયાર કરી આપેલાં. એ વખતે દલપતરામને આંખની તકલીફ હતી એટલે એક લહિયો રાખીને તેમણે બાળકાવ્યો તૈયાર કરાવ્યા હતા. નાના બાળકોથી માંડીને સાત ધોરણ સુધીનાં કિશોરો માટે આ બાળકાવ્યો ઉપયોગી હતાં. દલપતરામ સર્જિત બાળકાવ્યો ઘણાં વર્ષો સુધી કંઠસ્થ રહ્યા હતા.
'મહા હેતવાળી દયાળી જ મા તું' જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. આ અને આવા બીજાં અનેક દલપતરામ રચિત બાળકાવ્યો દશકાઓ સુધી પાઠય પુસ્તકોમાં આવતા રહેતાં. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ લખે છે : 'એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય. દલપતરામે નવીન યુગની અભિલાષાઓને પોતાની જૂની પરંપરામાં ઘડાયેલી કાવ્યશૈલીમાં નવો જ પ્રાણ પૂરીને વિવિધ રૃપે પ્રગટ કરી'
દલપતરામે ઢળતી વયે બાળકાવ્યોનું સર્જન કરીને ગુજરાતી ભાષાને એક નવો કાવ્યપ્રકાર આપ્યો હતો. દલપતરામ અગાઉ ગુજરાતીમાં બાળકાવ્યોનું સર્જન થયું ન હતું. તે રીતે દલપતરામે ગુજરાતી ભાષાને પ્રથમ વખત બાળકાવ્યો આપ્યાં હતાં.
લગ્નગીતોના સર્જક
માલણ, ગૂંથી લાવ, ગુણિયલ ગજરો; તારા ગજરાનો માનીશ મજરો.આ લગ્નગીત દલપતરામે સર્જ્યું હતું. લોકગીતની જેમ વર્ષો સુધી લોકજીભે રહેલાં આવાં લગ્નગીતો ય દલપતરામે લખ્યા હતા. 'રામ લક્ષ્મણ વનમાં સીધાવતા' ગીત પણ એટલું જ લોકપ્રિય થયેલું. દલપતરામે લગ્નગીતોમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંપરાગત ઢાળમાં બંધ બેસે એવા ઘણાં ગીતો દલપતરામે લખ્યા હતા. એ જ રીતે ગરબાવલિમાં પણ દલપતરામે નવી રીત અજમાવી હતી. દલપતરામના સમકાલીન કવિ નવલરામ પંડયાએ પછીથી કન્યાઓ માટેની ગરબાવલિ તૈયાર કરી હતી તેમાં થોડો ઘણો પ્રભાવ આ લગ્નગીતોનો હતો એમ કહેવાય છે.
દલપતરામની સર્જનશૈલીથી પ્રભાવિત ગુજરાતી કવિઓ
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. 'દલપતરામ : સુધારાનો માળી'માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે - 'દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૃઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે. બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી'
એક કવિનો પરિચય બીજા સમર્થ કવિ કેવા શબ્દોમાં આપે?
કવિવર દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું હતું : 'કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે'
સ્લિપ ઓફ ટંગ: ગલતી સે મિસ્ટેક ક્યોં હોતી હૈ?
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મીડિયા સામે જીભ લપસી તેનો વિડીયો બહુ વાયરલ થયો. આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. આવું શું કામ બને છે? વિજ્ઞાન શું કહે છે?
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં ભૂલથી ભાજપના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું હતું : 'સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજે કહ્યું કે જો ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા યોજાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચાર માટે પહેલો નંબર આપવો પડે.' બાજુમાં બેસેલા નેતાએ સૂચન કર્યું એટલે ભાજપ પ્રમુખે સિદ્ધારામૈયા સરકારને ભ્રષ્ટ ગણાવીને બોલવામાં થયેલી ભૂલ સુધારી લીધી, પણ ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસે ભાજપ અધ્યક્ષનો આ વિડીયો ખૂબ વાયરલ કર્યો.
પાંચ રાજ્યોની ચૂંટણી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભૂલથી પનામા પેપર્સ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ લેવાને બદલે શિવરાજ સિંહ ચૌહાણના દીકરાનું નામ લઈ નાખતા વિવાદ થયો હતો. છેલ્લાં દોઢ-બે વર્ષને બાદ કરતા એ પહેલાંના ભાષણોમાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હોય એવા બનાવો વધુ બનતા હતા ત્યારે ભાજપે એ વિડીયોને વાયરલ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ વક્તા છે, પણ તેમની ય ભૂલને પકડીને વિપક્ષો ભાજપને ઘેરતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી ભૂતાનના પ્રવાસે ગયા હતા. ભૂતાનની સંસદમાં ભાષણ આપતી વખતે વડાપ્રધાને ભૂતાનનું નામ લેવાને બદલે નેપાળનું નામ લીધું હતું એ મુદ્દે વિપક્ષોએ વડાપ્રધાનની ટીકા કરી હતી.
એવી જ ભૂલ હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી. અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું : 'યુપીએ સરકારનો અંત નિશ્વિત છે' ઉપમુખ્યમંત્રીએ ભૂલ સુધારવાનું સૂચન કર્યું પછી મુખ્યમંત્રીએ ભૂલ સુધારીને કહ્યું કે એનડીએ સરકારનો અંત નિશ્વિત છે. પછી આગળનું વાક્ય ઉમેર્યું : 'એનડીએ સરકાર આવશે એ નક્કી છે' વળી બાજુમાં ઉભેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ભૂલ સુધારી એટલે અશોક ગહેલોતે કહ્યું કે 'યુપીએ સરકાર આવશે તે નક્કી છે'!
આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. રાજસ્થાન ભાજપના નેતા અર્જુનલાલ મીણા મીડિયા સામે કહેવા જતા હતા કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને 'કોંગ્રેસ મુક્ત ભારત' કરી દેશે, પણ તેની જીભ લપસી અને તેણે કહી નાખ્યું : 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને ભાજપ મુક્ત ભારત કરી દેશે!'
એક વખત ગુજરાતના એક તાલુકા લેવલના- સંભવત: અંજારના સ્થાનિક નેતા કોંગ્રેસને નિશાન બનાવતી વખતે રીતસર ગાળ બોલ્યા હતા, પછી હાજર મીડિયા પ્રતિનિધિઓને એ ગાળ કાઢી નાખવાની વિનંતી કરી હતી, તેમ છતાં વિડીયો ગુજરાતભરમાં વાયરલ થયો હતો અને કોંગ્રેસે ભાજપના નેતાઓના સંસ્કારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.
માત્ર ભારતના નેતાઓની જુબાન ફીસલે છે એવું નથી, દુનિયાભરના નેતાઓ ભાષણ વખતે છબરડા કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૧૯૮૮માં ખેડૂતોના એક સંમેલનમાં ભાષણ આપી રહ્યા હતા. તેમને બોલવું હતું સેટબેક્સ (નિષ્ફળતા), પણ બોલી ગયા સેક્સ!
વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમેય વિવાદાસ્પદ નિવેદનના કારણે જાણીતા છે, એમાં એક ભાષણમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે બેલ્જિયમને એક દેશ કહેવાને બદલે સિટી ગણાવ્યું. ૨૦૧૧માં ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હતા ત્યારે તેમણે પોતાના દેશને ફ્રાન્સ કહેવાને બદલે જર્મની નામથી સંબોધતા સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.
વેલ, ભાષણ દરમિયાન આવી ભૂલો કેમ થાય છે? ગમતી વ્યક્તિ સામે ફીલિંગ કહેતી વખતે ય આવી જ ભૂલો થતી હોય છે. કહેવાનું કંઈક બીજું હોય પણ મોઢામાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી જાય!
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાષણમાં ભૂલથી ભાજપના જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારી ગણાવીને કહ્યું હતું : 'સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજે કહ્યું કે જો ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા યોજાય તો યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટાચાર માટે પહેલો નંબર આપવો પડે.' બાજુમાં બેસેલા નેતાએ સૂચન કર્યું એટલે ભાજપ પ્રમુખે સિદ્ધારામૈયા સરકારને ભ્રષ્ટ ગણાવીને બોલવામાં થયેલી ભૂલ સુધારી લીધી, પણ ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસે ભાજપ અધ્યક્ષનો આ વિડીયો ખૂબ વાયરલ કર્યો.
પાંચ રાજ્યોની ચૂંટણી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભૂલથી પનામા પેપર્સ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ લેવાને બદલે શિવરાજ સિંહ ચૌહાણના દીકરાનું નામ લઈ નાખતા વિવાદ થયો હતો. છેલ્લાં દોઢ-બે વર્ષને બાદ કરતા એ પહેલાંના ભાષણોમાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હોય એવા બનાવો વધુ બનતા હતા ત્યારે ભાજપે એ વિડીયોને વાયરલ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશળ વક્તા છે, પણ તેમની ય ભૂલને પકડીને વિપક્ષો ભાજપને ઘેરતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી મોદી ભૂતાનના પ્રવાસે ગયા હતા. ભૂતાનની સંસદમાં ભાષણ આપતી વખતે વડાપ્રધાને ભૂતાનનું નામ લેવાને બદલે નેપાળનું નામ લીધું હતું એ મુદ્દે વિપક્ષોએ વડાપ્રધાનની ટીકા કરી હતી.
એવી જ ભૂલ હમણાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરી. અશોક ગહેલોતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું : 'યુપીએ સરકારનો અંત નિશ્વિત છે' ઉપમુખ્યમંત્રીએ ભૂલ સુધારવાનું સૂચન કર્યું પછી મુખ્યમંત્રીએ ભૂલ સુધારીને કહ્યું કે એનડીએ સરકારનો અંત નિશ્વિત છે. પછી આગળનું વાક્ય ઉમેર્યું : 'એનડીએ સરકાર આવશે એ નક્કી છે' વળી બાજુમાં ઉભેલા ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ભૂલ સુધારી એટલે અશોક ગહેલોતે કહ્યું કે 'યુપીએ સરકાર આવશે તે નક્કી છે'!
આવું ઘણાં નેતાઓ સાથે બનતું હોય છે. રાજસ્થાન ભાજપના નેતા અર્જુનલાલ મીણા મીડિયા સામે કહેવા જતા હતા કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને 'કોંગ્રેસ મુક્ત ભારત' કરી દેશે, પણ તેની જીભ લપસી અને તેણે કહી નાખ્યું : 'ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશને ભાજપ મુક્ત ભારત કરી દેશે!'
એક વખત ગુજરાતના એક તાલુકા લેવલના- સંભવત: અંજારના સ્થાનિક નેતા કોંગ્રેસને નિશાન બનાવતી વખતે રીતસર ગાળ બોલ્યા હતા, પછી હાજર મીડિયા પ્રતિનિધિઓને એ ગાળ કાઢી નાખવાની વિનંતી કરી હતી, તેમ છતાં વિડીયો ગુજરાતભરમાં વાયરલ થયો હતો અને કોંગ્રેસે ભાજપના નેતાઓના સંસ્કારનો મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો.
માત્ર ભારતના નેતાઓની જુબાન ફીસલે છે એવું નથી, દુનિયાભરના નેતાઓ ભાષણ વખતે છબરડા કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૧૯૮૮માં ખેડૂતોના એક સંમેલનમાં ભાષણ આપી રહ્યા હતા. તેમને બોલવું હતું સેટબેક્સ (નિષ્ફળતા), પણ બોલી ગયા સેક્સ!
વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમેય વિવાદાસ્પદ નિવેદનના કારણે જાણીતા છે, એમાં એક ભાષણમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે બેલ્જિયમને એક દેશ કહેવાને બદલે સિટી ગણાવ્યું. ૨૦૧૧માં ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી રાષ્ટ્રજોગ પ્રવચન કરતા હતા ત્યારે તેમણે પોતાના દેશને ફ્રાન્સ કહેવાને બદલે જર્મની નામથી સંબોધતા સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી.
વેલ, ભાષણ દરમિયાન આવી ભૂલો કેમ થાય છે? ગમતી વ્યક્તિ સામે ફીલિંગ કહેતી વખતે ય આવી જ ભૂલો થતી હોય છે. કહેવાનું કંઈક બીજું હોય પણ મોઢામાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી જાય!
પરંતુ આવું કેમ થાય છે? વિજ્ઞાન શું કહે છે?
***
મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડે માનવમનના ઊંડાણમાં પડેલા તાણા-વાણા ઉકેલવા ઘણા પ્રયોગો કર્યા હતા. પાપા પગલી ભરી રહેલાં મનોવિજ્ઞાનને સિગમંડ ફ્રોઈડના પ્રયોગોએ ૧૯મી અને ૨૦મી સદીમાં નવી ઓળખ આપી હતી. આ સિગમંડ ફ્રોઈડે બોલવામાં થતી ભૂલના સંદર્ભમાં દાયકાઓ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૦૧માં 'ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં સ્પીચ મેમરી અને સ્પીચ એરર પાછળના લોજિક જણાવ્યા હતા.
એ તારણો પછીથી ફ્રોઈડિયન સ્લિપ નામે ઓળખાયા. એમાં ફ્રોઈડે કહ્યું હતું કે માણસની અંદરની ઈચ્છા કે જે ક્યારેય બહાર વ્યક્ત થઈ નથી તે આમ અચાનક દિમાગ ઉપર હાવી થઈ જાય છે અને મોંમાથી એવા શબ્દો નીકળી જાય છે. ઘણી વખત વધુ વાંચવાના કારણે ય દિમાગમાં ગરબડ થઈ જાય છે અને શબ્દો ઉલટસૂલટ થઈ શકે છે. ફ્રોઈડે તો ઊંઘથી લઈને આસપાસની પરિસ્થિતિ સુધીના ઘણાં કારણોની વિગતે એ પુસ્તકમાં ચર્ચા કરી હતી. સ્લિપ ઓફ ટંગની બાબતે ફ્રોઈડના તારણો નવા સંશોધકો માટે આજેય રેફરન્સ મટિરિયલ ગણાય છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે થોડા વર્ષો પહેલાં સ્લિપ ઓફ ટંગને લગતું એક સંશોધન હાથ ધર્યું હતું. થોડાંક લોકોને લેબોરેટરીમાં આવવાનું આમંત્રણ અપાયું. એમાંથી અમુક લોકોનું સ્વાગત સુંદર-સ્માર્ટ-સેક્સી લેબ આસિસ્ટન્ટે કર્યું, તો અમુકને વૃદ્ધ પ્રોફેસરે આવકાર આપ્યો. પછી બંને ગ્રુપના લોકોને કંઈક શબ્દો બોલવાનું કહેવાયું. વૃદ્ધ પ્રોફેસરે જેમને આવકાર્યા હતા એમણે આસપાસમાં બનતી ઘટનાઓને લગતા શબ્દો ઉચ્ચાર્યા. ટૂંકા કપડાં પહેરીને મોહક અદામાં જેમનું સ્વાગત લેબ આસિસ્ટન્ટે કર્યું હતું એમણે સંબંધોને લગતા બોલ્ડ શબ્દો ઉચ્ચાર્યા. એ સંશોધનમાં એવું તારણ નીકળ્યું હતું કે ફ્રોઈડે કહ્યું હતું એ વાત ઘણે અંશે સાચી છે. બોલવાની એરર પાછળ માણસની અંદરની ઈચ્છા મહત્વનો ભાગ ભજવે છે.
રશિયન નવલકથાકાર અને ફિલોસોફર ફિયોદોર દોસ્તોયેવસ્કીએ 'વ્હાઈટ બીયર પ્રોબ્લેમ' નામથી એક થીયરી રજૂ કરી હતી. એમાં આ ફિલોસોફરે પહેલી વખત એવો દાવો કર્યો હતો કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ એ બાબતો સ્પીચની એરર બનીને સામે આવી જાય છે. જેના ઉપરથી આપણે ધ્યાન હટાવવા માગીએ છીએ એના ઉપર ખરેખર તો આપણું મસ્તિષ્ક વધુ ધ્યાન આપે છે એટલે દિમાગમાં જંગ જામે છે. દિમાગ જ્યારે ભાષણ અથવા તો લાંબી વાતો વગેરે પ્રવૃત્તિમાં વધુ રોકાયેલું હોય ત્યારે મસ્તિષ્કમાં ગરબડ સર્જાય છે અને એકાએક એવો કોઈ શબ્દ ભૂલ બનીને બહાર નીકળી જાય છે.
ઘણાં લોકો ગર્લફ્રેન્ડને એક્સ ગર્લફ્રેન્ડના નામે બોલાવી નાખતા હોય છે! પત્ની સામે એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઉચ્ચારી દેતા હોય છે. ઘણાં સમાચારોમાં આપણે વાંચીએ છીએ કે બેડ ઉપર એકાએક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે બીજી વ્યક્તિનું નામ લઈ લેતા ખૂની ખેલ સર્જાયો! મતલબ કે દિમાગમાં એવી કશ્મકશ ચાલતી હોય છે કે એ નામ તો ભૂલથી ય નથી લેવું અને એનું જ નામ નીકળી જાય!
અમેરિકન મનોવિજ્ઞાની ડેનિયલ વેગ્નરે સ્પીચ એરરના સંશોધન પછી કહ્યું હતું કે મગજના જે ભાગને 'જબાનને લગામ' રાખવાનું કામ સોંપાયું છે એ ભાગ વધતી ઉંમરના કારણે, માથાની ઈજાના કારણે કે વધુ પડતી માહિતીના કારણે અથવા માનસિક તાણથી કામ કરતો બંધ થઈ જાય છે ત્યારે ન બોલવાનું બોલાય જાય છે.
ફ્રોઈડના સમકાલીન ઓસ્ટ્રિયન ભાષાશાસ્ત્રી રૂડોલ્ફ મેરિંગરે ફ્રોઈડની થીયરીને નકારી કાઢતા ૧૯૨૦માં ૧૦૦૦ લોકો ઉપર સંશોધન કરીને કહ્યું હતું કે બોલતી વખતે શબ્દોનો તાલમેલ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે એટલે ગરબડ થાય છે. આ ભાષાશાસ્ત્રીના મતે બોલવામાં ભૂલ થવાનો મુદ્દો દિમાગી બિલકુલ નથી, માત્ર જીભની ગરબડના કારણે જ એવી એરર થાય છે. મેરિંગરના મતે સ્લિપ ઓફ ટંગથી મનના અંદરુની ભાવો બહાર આવે એ વાતમાં કોઈ તથ્ય નથી, એને નિર્દોષ ગલતી ગણવી જોઈએ.
બ્રિટિશ મનોવિજ્ઞાની રોઝીન પેરેલબર્ગના મતે જીભ ઉપરનો કાબુ ગુમાવીને અચાનક કંઈક બોલી નાખવું તેની પાછળ વ્યક્તિની બોડી લેગ્વેજની ય ભૂમિકા ખરી. માણસ નર્વસ હોય ત્યારે, નશામાં હોય ત્યારે, બહુ જ ઉતાવળમાં હોય ત્યારે કે ઝડપથી બોલવાની આદતોના કારણે ય સ્લિપ ઓફ ટંગનો ભોગ બને છે.
***
દુનિયાભરના વિજ્ઞાનીઓ કહે છે કે આપણાં મસ્તિષ્કમાં ફિટ થયેલી સિસ્ટમ એ વાતની સતત કાળજી રાખે છે કે ક્યારે કઈ વાત બોલવી અને ક્યારે કઈ વાત ન બોલવી. પરિવારના સભ્યોને કહેવાની વાત બોસ સામે બોલાઈ જતી નથી ને માત્ર ફ્રેન્ડ્સને જ કહેવાનું હોય એ રહસ્ય સાથી કર્મચારી સામે છતું થતું નથી એ પાછળ દિમાગની એ જડબેસલાક સિસ્ટમ કામ કરે છે.
તેમ છતાં બોલવામાં ભૂલો થતી રહે છે, કારણે કે એક યા બીજા કારણે દિમાગમાં ગરબડો સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે માણસ દિવસ દરમિયાન લગભગ ૧૦-૧૫ હજાર શબ્દો બોલે છે અને એ દરમિયાન ૨૨ શબ્દો સ્લિપ ઓફ ટંગ થઈ જાય છે. પરફેક્શન ભાષણો વખતે કે ફિલ્મોના ડાયલોગ વખતે કાળજીપૂર્વક લાવવામાં આવે છે, નહીંતર સામાન્ય રીતે સંપૂર્ણ ફિટ અને સ્માર્ટ માણસ પણ દિવસ દરમિયાન બોલવામાં ભૂલો કરે છે. આટ-આટલા સંશોધનો છતાં માણસના મનની જેમ સ્લિપ ઓફ ટંગ પાછળનું રહસ્ય અકબંધ છે. આંગળી મૂકીને સ્પષ્ટ કરી શકાય એવું એકેય તારણ હજુ સુધી સંશોધનો તારવી શક્યા નથી.
સાધારણ માણસોની દરરોજની સરેરાશ ૨૨ ભૂલો યાદ રહેતી નથી, પરંતુ નેતાઓની આપણે યાદ કરી એવી ભૂલો વર્ષો સુધી યાદ રહે છે. જાહેર જીવનમાં સક્રિય લોકોની એક જવાબદારી છે એેટલે જ એમની ટંગ સ્લિપ ન થાય એ જરૂરી બની જાય છે. મહાનુભાવોની જુબાન એક વખત પણ લપસે તો ય વર્ષો સુધી એનો ઉઝરડો રહી જાય છે.
વિખ્યાત સર્જક વસીમ બરેલવીએ લખ્યું છે :
***
મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડે માનવમનના ઊંડાણમાં પડેલા તાણા-વાણા ઉકેલવા ઘણા પ્રયોગો કર્યા હતા. પાપા પગલી ભરી રહેલાં મનોવિજ્ઞાનને સિગમંડ ફ્રોઈડના પ્રયોગોએ ૧૯મી અને ૨૦મી સદીમાં નવી ઓળખ આપી હતી. આ સિગમંડ ફ્રોઈડે બોલવામાં થતી ભૂલના સંદર્ભમાં દાયકાઓ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૦૧માં 'ધ સાઈકોપેથોલોજી ઓફ એવરીડે લાઈફ' પુસ્તકમાં સ્પીચ મેમરી અને સ્પીચ એરર પાછળના લોજિક જણાવ્યા હતા.
એ તારણો પછીથી ફ્રોઈડિયન સ્લિપ નામે ઓળખાયા. એમાં ફ્રોઈડે કહ્યું હતું કે માણસની અંદરની ઈચ્છા કે જે ક્યારેય બહાર વ્યક્ત થઈ નથી તે આમ અચાનક દિમાગ ઉપર હાવી થઈ જાય છે અને મોંમાથી એવા શબ્દો નીકળી જાય છે. ઘણી વખત વધુ વાંચવાના કારણે ય દિમાગમાં ગરબડ થઈ જાય છે અને શબ્દો ઉલટસૂલટ થઈ શકે છે. ફ્રોઈડે તો ઊંઘથી લઈને આસપાસની પરિસ્થિતિ સુધીના ઘણાં કારણોની વિગતે એ પુસ્તકમાં ચર્ચા કરી હતી. સ્લિપ ઓફ ટંગની બાબતે ફ્રોઈડના તારણો નવા સંશોધકો માટે આજેય રેફરન્સ મટિરિયલ ગણાય છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે થોડા વર્ષો પહેલાં સ્લિપ ઓફ ટંગને લગતું એક સંશોધન હાથ ધર્યું હતું. થોડાંક લોકોને લેબોરેટરીમાં આવવાનું આમંત્રણ અપાયું. એમાંથી અમુક લોકોનું સ્વાગત સુંદર-સ્માર્ટ-સેક્સી લેબ આસિસ્ટન્ટે કર્યું, તો અમુકને વૃદ્ધ પ્રોફેસરે આવકાર આપ્યો. પછી બંને ગ્રુપના લોકોને કંઈક શબ્દો બોલવાનું કહેવાયું. વૃદ્ધ પ્રોફેસરે જેમને આવકાર્યા હતા એમણે આસપાસમાં બનતી ઘટનાઓને લગતા શબ્દો ઉચ્ચાર્યા. ટૂંકા કપડાં પહેરીને મોહક અદામાં જેમનું સ્વાગત લેબ આસિસ્ટન્ટે કર્યું હતું એમણે સંબંધોને લગતા બોલ્ડ શબ્દો ઉચ્ચાર્યા. એ સંશોધનમાં એવું તારણ નીકળ્યું હતું કે ફ્રોઈડે કહ્યું હતું એ વાત ઘણે અંશે સાચી છે. બોલવાની એરર પાછળ માણસની અંદરની ઈચ્છા મહત્વનો ભાગ ભજવે છે.
રશિયન નવલકથાકાર અને ફિલોસોફર ફિયોદોર દોસ્તોયેવસ્કીએ 'વ્હાઈટ બીયર પ્રોબ્લેમ' નામથી એક થીયરી રજૂ કરી હતી. એમાં આ ફિલોસોફરે પહેલી વખત એવો દાવો કર્યો હતો કે જેને આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ એ બાબતો સ્પીચની એરર બનીને સામે આવી જાય છે. જેના ઉપરથી આપણે ધ્યાન હટાવવા માગીએ છીએ એના ઉપર ખરેખર તો આપણું મસ્તિષ્ક વધુ ધ્યાન આપે છે એટલે દિમાગમાં જંગ જામે છે. દિમાગ જ્યારે ભાષણ અથવા તો લાંબી વાતો વગેરે પ્રવૃત્તિમાં વધુ રોકાયેલું હોય ત્યારે મસ્તિષ્કમાં ગરબડ સર્જાય છે અને એકાએક એવો કોઈ શબ્દ ભૂલ બનીને બહાર નીકળી જાય છે.
ઘણાં લોકો ગર્લફ્રેન્ડને એક્સ ગર્લફ્રેન્ડના નામે બોલાવી નાખતા હોય છે! પત્ની સામે એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઉચ્ચારી દેતા હોય છે. ઘણાં સમાચારોમાં આપણે વાંચીએ છીએ કે બેડ ઉપર એકાએક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડે બીજી વ્યક્તિનું નામ લઈ લેતા ખૂની ખેલ સર્જાયો! મતલબ કે દિમાગમાં એવી કશ્મકશ ચાલતી હોય છે કે એ નામ તો ભૂલથી ય નથી લેવું અને એનું જ નામ નીકળી જાય!
અમેરિકન મનોવિજ્ઞાની ડેનિયલ વેગ્નરે સ્પીચ એરરના સંશોધન પછી કહ્યું હતું કે મગજના જે ભાગને 'જબાનને લગામ' રાખવાનું કામ સોંપાયું છે એ ભાગ વધતી ઉંમરના કારણે, માથાની ઈજાના કારણે કે વધુ પડતી માહિતીના કારણે અથવા માનસિક તાણથી કામ કરતો બંધ થઈ જાય છે ત્યારે ન બોલવાનું બોલાય જાય છે.
ફ્રોઈડના સમકાલીન ઓસ્ટ્રિયન ભાષાશાસ્ત્રી રૂડોલ્ફ મેરિંગરે ફ્રોઈડની થીયરીને નકારી કાઢતા ૧૯૨૦માં ૧૦૦૦ લોકો ઉપર સંશોધન કરીને કહ્યું હતું કે બોલતી વખતે શબ્દોનો તાલમેલ કરવામાં લોકો થાપ ખાઈ જાય છે એટલે ગરબડ થાય છે. આ ભાષાશાસ્ત્રીના મતે બોલવામાં ભૂલ થવાનો મુદ્દો દિમાગી બિલકુલ નથી, માત્ર જીભની ગરબડના કારણે જ એવી એરર થાય છે. મેરિંગરના મતે સ્લિપ ઓફ ટંગથી મનના અંદરુની ભાવો બહાર આવે એ વાતમાં કોઈ તથ્ય નથી, એને નિર્દોષ ગલતી ગણવી જોઈએ.
બ્રિટિશ મનોવિજ્ઞાની રોઝીન પેરેલબર્ગના મતે જીભ ઉપરનો કાબુ ગુમાવીને અચાનક કંઈક બોલી નાખવું તેની પાછળ વ્યક્તિની બોડી લેગ્વેજની ય ભૂમિકા ખરી. માણસ નર્વસ હોય ત્યારે, નશામાં હોય ત્યારે, બહુ જ ઉતાવળમાં હોય ત્યારે કે ઝડપથી બોલવાની આદતોના કારણે ય સ્લિપ ઓફ ટંગનો ભોગ બને છે.
***
દુનિયાભરના વિજ્ઞાનીઓ કહે છે કે આપણાં મસ્તિષ્કમાં ફિટ થયેલી સિસ્ટમ એ વાતની સતત કાળજી રાખે છે કે ક્યારે કઈ વાત બોલવી અને ક્યારે કઈ વાત ન બોલવી. પરિવારના સભ્યોને કહેવાની વાત બોસ સામે બોલાઈ જતી નથી ને માત્ર ફ્રેન્ડ્સને જ કહેવાનું હોય એ રહસ્ય સાથી કર્મચારી સામે છતું થતું નથી એ પાછળ દિમાગની એ જડબેસલાક સિસ્ટમ કામ કરે છે.
તેમ છતાં બોલવામાં ભૂલો થતી રહે છે, કારણે કે એક યા બીજા કારણે દિમાગમાં ગરબડો સર્જાતી રહે છે. એક અંદાજ પ્રમાણે માણસ દિવસ દરમિયાન લગભગ ૧૦-૧૫ હજાર શબ્દો બોલે છે અને એ દરમિયાન ૨૨ શબ્દો સ્લિપ ઓફ ટંગ થઈ જાય છે. પરફેક્શન ભાષણો વખતે કે ફિલ્મોના ડાયલોગ વખતે કાળજીપૂર્વક લાવવામાં આવે છે, નહીંતર સામાન્ય રીતે સંપૂર્ણ ફિટ અને સ્માર્ટ માણસ પણ દિવસ દરમિયાન બોલવામાં ભૂલો કરે છે. આટ-આટલા સંશોધનો છતાં માણસના મનની જેમ સ્લિપ ઓફ ટંગ પાછળનું રહસ્ય અકબંધ છે. આંગળી મૂકીને સ્પષ્ટ કરી શકાય એવું એકેય તારણ હજુ સુધી સંશોધનો તારવી શક્યા નથી.
સાધારણ માણસોની દરરોજની સરેરાશ ૨૨ ભૂલો યાદ રહેતી નથી, પરંતુ નેતાઓની આપણે યાદ કરી એવી ભૂલો વર્ષો સુધી યાદ રહે છે. જાહેર જીવનમાં સક્રિય લોકોની એક જવાબદારી છે એેટલે જ એમની ટંગ સ્લિપ ન થાય એ જરૂરી બની જાય છે. મહાનુભાવોની જુબાન એક વખત પણ લપસે તો ય વર્ષો સુધી એનો ઉઝરડો રહી જાય છે.
વિખ્યાત સર્જક વસીમ બરેલવીએ લખ્યું છે :
કૌન-સી બાત કહાઁ; કૈસે કહી જાતી હૈ
યે સલિકા હો, તો હર બાત સુની જાતી હૈ
પૂછના હૈ તો ગઝલ વાલો સે પૂછો જાકર
કૈસે હર બાત સલીકે સે કહી જાતી હૈ!
યે સલિકા હો, તો હર બાત સુની જાતી હૈ
પૂછના હૈ તો ગઝલ વાલો સે પૂછો જાકર
કૈસે હર બાત સલીકે સે કહી જાતી હૈ!
રેઈનહોલ્ડ અને આર્વેડ: એન્ટાર્કટિકાની આરપાર નીકળનારા સાહસિકો
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
૧૯૮૯-૯૦માં ૯૨ દિવસનો સંઘર્ષ ખેડીને રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સ નામના બે સાહસિકોએ સૌપ્રથમ વખત પગપાળા એન્ટાર્કટિકા પાર કરીને વિક્રમ સર્જ્યો હતો
૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
૩૧મી ડિસેમ્બર, ૧૯૮૯નો એ દિવસ હતો.
એ દિવસે એન્ટાર્કટિકાના ઈતિહાસમાં અભૂતપૂર્વ રેકોર્ડ દર્જ થયો હતો. પ્રથમ વખત બે સાહસિકો પગપાળા યાત્રા કરીને એન્ટાર્કટિકામાં સાઉથ પોલ સુધી પહોંચ્યા હતા. એ પહેલાં ય ઘણાં સાહસિકોએ એન્ટાર્કટિકામાં વિજયી ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ રેઈનહોલ્ડ મેસનર અને આર્વેડ ફૂક્સનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો હતો. બંનેએ પહેલી વખત પગપાળા એટલે કે સ્કીઈંગ કરીને સાઉથ પોલ સુધીની સફર પૂરી કરી હતી.
૧૩મી નવેમ્બર, ૧૯૮૯ના દિવસે બંનેને પગપાળા એન્ટાર્કટિકા પાર કરવાનું સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં ઘણી મુશ્કેલી મોઢું ખોલીને રાહ જોઈ રહી હતી. ૨૯-૩૦ વર્ષ પહેલાં આજના જેવી ટેકનોલોજી ન હતી. નકશો તો હતો, પરંતુ પગપાળા જવા માટે રસ્તો સાવ અજાણ્યો હતો. સાઉથ પોલ પહોંચ્યા એ વર્ષનો છેલ્લો દિવસ હતો. તે પછી ૧૨મી ફેબ્રુઆરી સુધી બંનેની સંઘર્ષયાત્રા શરૂ રહી હતી.
૧૨મી ફેબ્રુઆરી-૧૯૯૦માં બંનેએ એન્ટાર્કટિકા પાર કર્યો તે સાથે જ બંનેની ૯૨ દિવસ લાંબી અદ્વિતીય સાહસયાત્રાનો અંત આવ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત આ બંનેએ કોઈ જ વાહન કે એનિમલની મદદ વગર એન્ટાર્કટિકા પાર કર્યો હતો. વિશ્વના અસંખ્ય સાહસિકો માટે રેઈનહોલ્ડ અને આર્વેડે વાહન-એનિમલ વગર એન્ટાર્કટિકા પાર કરવાના સાહસની નવી જ દિશા ખોલી આપી હતી.
આ બંનેની સાહસયાત્રા અગાઉ એન્ટાર્કટિકા પાર કરવા માટે વિવિધ વાહનો અથવા તો ઘોડાઓની મદદ લેવાતી હતી. પણ આ બંને સાહસિકોએ માત્ર સ્કીઈંગના સહારે જ એન્ટાર્કટિકા ખંડ ઓળંગ્યો હતો. બંનેને બે વખત સામગ્રી પૂરી પાડવામાં મદદ મેળવી હતી. ત્રણ માસમાં બંનેએ બે વખત - એક વખત સાઉથ પોલ પહોંચતા પહેલાં અને બીજી વખત પહોંચી ગયા પછી - સામગ્રીની મદદ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય દરરોજની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે બંનેએ બરફગાડીમાં ૧૨૦ કિલો સામાન સાથે રાખ્યો હતો, જેમાં ટેન્ટ, સ્વેટર્સ, કપડાં, ખોરાક-પાણી, સ્કીઈંગનો સામાન અને નકશા વગેરેનો સમાવેશ થતો હતો. ૯૨ દિવસમાં બંને સાહસિકોએ ૨૮૧૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
એન્ટાર્કટિકાના અનુભવ અંગે રેઈનહોલ્ડ મેસનરે તેમના પુસ્તક 'એન્ટાર્કટિકા, બોથ હેવન એન્ડ હેલ'માં લખ્યું હતું : 'ત્યાં ઘણી વખત એટલી નિરવ શાંતિ અનુભવાતી કે અમારા બંનેની ધડકન સિવાય કોઈનો ય અવાજ આવતો ન હતો. મેં અને આર્વેડે અગાઉ પણ ઘણાં સાહસો કર્યા હતા, પરંતુ આટલી શાંતિનો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. ઘણી વખત તો એ સન્નાટાથી ડર પણ લાગતો, પરંતુ પછી એ સન્નાટો શાંતિમાં પરિવર્તિત થતો ત્યારે જીવતા જીવત સ્વર્ગનો અનુભવ થતો.'
સમગ્ર પ્રવાસ સુખરૂપ જ રહ્યો હતો એવું ય નહોતું. એપ્રિલમાં જ નોર્થ પોલની યાત્રા કરીને પાછા ફરેલા આર્વેડનું શરીર જવાબ દઈ રહ્યું હતું. એમાં ય તેને પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
પ્રવાસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ તેના પગની ઈજા વકરતી જતી હતી. એ કારણે તો બંનેએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને પ્રવાસનો થોડો ટૂંકો માર્ગ પસંદ કરવો પડયો હતો. નહીંતર સાઉથ પોલ જતાં પહેલાં બંનેએ પશ્વિમ તરફની યાત્રા કરવાની હતી.
પ્રવાસમાં ફેરફાર કરીને ય બંનેએ ૯૨ દિવસમાં સફળતાપૂર્વક એન્ટાર્કટિકા પાર કર્યો હતો. બંનેએ પ્લાનમાં ફેરફાર કર્યો ત્યારે ખાસ એ બાબતનું ય ધ્યાન રાખવાનું હતું કે ૩૧મી ડિસેમ્બર પહેલાં સાઉથ પોલ પહોંચી જવાનું હતું. એક દિવસ મોડું થાય તો આર્વેડ અભૂતપૂર્વ વિક્રમ ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી.
***
એન્ટાર્કટિકાને પહેલી વખત પગતળે કરનારા આ બંને સાહસિકોના વિક્રમો અભૂતપૂર્વ છે. આર્વેડ ફૂક્સ માટે ૧૯૮૯નું વર્ષ ખૂબ અગત્યનું હતું. આર્વેડે એ જ વર્ષે એપ્રિલમાં નોર્થ પોલ પહોંચવાનું સાહસ પાર પાડયું હતું. ડિસેમ્બર સુધીમાં સાઉથ પોલ પહોંચીને એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પહોંચનારા સાહસિક તરીકે આર્વેડ ઈતિહાસ રચવા ઈચ્છતો હતો.
પગની ઈજાથી ત્રસ્ત આર્વેડ ફૂક્સને આગળ વધવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, પણ અગાઉ અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા રેઈનહોલ્ડને તો આવી સ્થિતિમાંથી પસાર થવાનો અનુભવ હતો. તેણે આર્વેડને ફરીથી તૈયાર કર્યો. છેલ્લાં દિવસોમાં ગણતરી કરી તો નિર્ધારિત સમય કરતા ઘણાં પાછળ ચાલી રહ્યા હતા. જો એ રીતે પ્રવાસ આગળ વધે તો આર્વેડ સ્હેજ માટે ઈતિહાસ સર્જવાની તક ગુમાવે એ નક્કી હતું. રેઈનહોલ્ડે તેને પાનો ચડાવ્યે રાખ્યો.
એપ્રિલ-૧૯૮૯માં જ નોર્થ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કરનારા આર્વેડને તેણે ફરી ફરીને યાદ અપાવ્યું કે આપણે ૩૧મી ડિસેમ્બરે પહોંચી જઈશું તો તું વિશ્વનો પ્રથમ એવો સાહસિક બની જઈશ કે જેણે એક જ વર્ષમાં નોર્થ અને સાઉથ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કર્યો હોય. આવી તક જીવનમાં વારંવાર નહીં આવે. આખરે છેલ્લાં દિવસોમાં પ્રવાસની ઝડપ વધી અને ૩૧મી ડિસેમ્બરે જર્મનીના સાહસિક આર્વેડ ફૂક્સના નામે અભૂતપૂર્વ વિક્રમ દર્જ થયો. એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પગપાળા જનારો તે પ્રથમ સાહસવીર બન્યો. નોર્થ પોલનો પ્રવાસ કર્યા પછી માત્ર સાત જ મહિનામાં સાઉથ પોલ સુધી પહોંચ્યો હોય એવો એ વિશ્વનો એકમાત્ર સાહસિક છે.
એના ઈટાલિયન સાથીદાર રેઈનહોલ્ડના નામે તો એનાથી ય મોટા વિક્રમો નોંધાયા છે. એવા અદ્વિતીય વિક્રમો જે રેઈનહોલ્ડને વિશ્વનો ગ્રેટેસ્ટ સાહસવીર બનાવે છે.
***
૭૪ વર્ષના રેઈનહોલ્ડે એકથી એક ચડિયાતા સાહસો કર્યા છે. ૧૯૭૮માં ઓક્સિજન સપ્લીમેન્ટ વગર રેઈનહોલ્ડે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૮૦માં ફરીથી એકલાએ ઓક્સિજન વગર સાવ નવા રસ્તે એવરેસ્ટની ઊંચાઈ આંબી હતી. દુનિયાના ૨૬૦૦૦ ફૂટથી ઉપરના બધા જ ૧૪ શિખરો સર કરવામાં ય રેઈનહોલ્ડને સફળતા મળી. આ સિદ્ધિ મેળવી ત્યારે તેની વય ૪૨ વર્ષની હતી.
૨૦૦૪માં ૬૦ વર્ષની વયે રેઈનહોલ્ડે ગોબીનું રણ પાર કર્યું હતું. રણમાં ૨૦૦૦ કિલોમીટરનું અંતર એકલાએ કાપ્યું હતું. ૧૯૮૯માં એન્ટાર્કટિકા પાર પાડયા પછી ૧૯૯૩માં વાહન કે એનિમલની મદદ વગર ગ્રીનલેન્ડનું ૨૦૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું હતું. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ પગતળે કર્યા હોય એવા વિશ્વના પ્રથમ સાહસવીર બનવાનું સૌભાગ્ય પણ તેને મળ્યું હતું.
સાહસ દરેક વખતે શોહરત જ આપે છે એવું નથી, ઘણી વખત પારાવાર પીડા ય મળે છે. પાકિસ્તાનમાં આવેલા નંગા પર્બતને પાર પાડવાનું પરાક્રમ ૧૯૭૦માં રેઈનહોલ્ડ અને તેના નાનાભાઈ ગ્રંથરે પાર પાડયું. શિખરે તો પહોંચી ગયા, પણ વળતા તોફાન ત્રાટક્યું. રેઈનહોલ્ડને એટલી ગંભીર ઈજા થઈ કે તેના પગની આંગળીઓ કપાઈ ગઈ. માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ચહેરા ઉપર ઘા પડયા, એના નિશાન આજીવન રહ્યા, પણ એનાથી ય ઊંડો ઘાવ દિલ ઉપર પડયો. તેના સાહસિક ભાઈ ગ્રંથરનું એ તોફાનમાં મૃત્યુ થયું. ૨૪ વર્ષના ભાઈને ગુમાવ્યાનું દર્દ રેઈનહોલ્ડને આજીવન રહ્યું.
અમુક આલોચકો તો ગ્રંથરના મોત માટે રેઈનહોલ્ડને જ જવાબદાર ગણે છે. ૨૦૧૦માં નંગા પર્બત નામની ફિલ્મ બની હતી. આ જર્મનભાષાની ફિલ્મમાં એવી ટીકા થઈ હતી કે ઓછા અનુભવી ગ્રંથરને લઈને જવાની રેઈનહોલ્ડની મહાત્વાકાંક્ષાએ ગ્રંથરનો જીવ લીધો. જોકે, આઠ ભાઈઓ અને એક બહેન એમ નવ ભાઈ-બહેનોમાંથી કોઈએ ગ્રંથરના નિધન માટે રેઈનહોલ્ડને જવાબદાર ગણ્યો ન હતો. પરિવારનું માનવું હતું કે રેઈનહોલ્ડ તેના ભાઈને ખૂબ ચાહતો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં જ તેણે પગની આંગળીઓ ગુમાવી હતી.
રેઈનહોલ્ડની ઉંમર ૧૩ વર્ષ હતી ત્યારે ગ્રંથરની વય ૧૧ વર્ષની હતી. એ વખતે બંને ભાઈઓએ શિખરો સર કરવાના સાહસો આદર્યા હતા. ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે બંનેની ગણતરી યુરોપના શ્રેષ્ઠ ઉભરતા પર્વતારોહકોમાં થતી હતી. રેઈનહોલ્ડે એક વખત ભાઈ માટે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રંથર જીવતો હોત તો મારા કરતા એના નામે નોંધાયેલા વિક્રમોની સંખ્યા ઘણી વધુ હોત. રેઈનહોલ્ડનો બીજો એક ભાઈ હર્બટ પણ સાહસિક છે. બંનેએ સાથે મળીને ઘણાં સાહસો કર્યા છે.
જીવનભર સાહસો કરનારા રેઈનહોલ્ડે ૮૦ જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઘણાં ખરા પુસ્તકો બેસ્ટસેલર બન્યા છે. નવા સાહસવીરોને તો રેઈનહોલ્ડના પુસ્તકો વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કારણ કે પુસ્તકોમાં રેઈનહોલ્ડના અનુભવોનો ખજાનો ભર્યો છે.
રેકોર્ડ બુકમાં 'વિશ્વમાં પ્રથમ' એ કેટેગરી સૌથી મહત્વની છે, વિશ્વમાં પ્રથમ એ એવી કેટેગરી છે, જેમાં એડિટિંગની શક્યતા નથી! એવો એક વિક્રમ નોંધાવવા લોકો કેટ-કેટલા પ્રયાસો કરે છે. રેઈનહોલ્ડ મેસનરના નામે ગિનેસ બુકમાં 'વર્લ્ડ ફર્સ્ટ'ની કેટેગરીમાં ૯-૯ વિશ્વવિક્રમો નોંધાયા છે.
સાહસના ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવનારા રેઈનહોલ્ડ મેસનર અત્યારે એકલા સાહસિક છે. તેમના આ પરાક્રમો જ તેમને વિશ્વના ગ્રેટેસ્ટ સાહસવીરમાં સ્થાન આપે છે. સાહસયાત્રા વિશે રેઈનહોલ્ડે એક વખત કહ્યું હતું : 'આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી પાસે મારી સાહસની પિતૃભૂમિ છે અને મારો રૂમાલ મારો ધ્વજ છે. હું ત્યાં મૃત્યુ પામવા નથી જતો, પણ જીવવા જાઉં છું. પર્વતો અનુકૂળ કે પ્રતિકુળ નથી હોતા, તે માત્ર ખતરનાક હોય છે અને ખરો આનંદ ખતરામાં છે.'
૧૩મી નવેમ્બર, ૧૯૮૯ના દિવસે બંનેને પગપાળા એન્ટાર્કટિકા પાર કરવાનું સાહસ શરૂ કર્યું હતું. માર્ગમાં ઘણી મુશ્કેલી મોઢું ખોલીને રાહ જોઈ રહી હતી. ૨૯-૩૦ વર્ષ પહેલાં આજના જેવી ટેકનોલોજી ન હતી. નકશો તો હતો, પરંતુ પગપાળા જવા માટે રસ્તો સાવ અજાણ્યો હતો. સાઉથ પોલ પહોંચ્યા એ વર્ષનો છેલ્લો દિવસ હતો. તે પછી ૧૨મી ફેબ્રુઆરી સુધી બંનેની સંઘર્ષયાત્રા શરૂ રહી હતી.
૧૨મી ફેબ્રુઆરી-૧૯૯૦માં બંનેએ એન્ટાર્કટિકા પાર કર્યો તે સાથે જ બંનેની ૯૨ દિવસ લાંબી અદ્વિતીય સાહસયાત્રાનો અંત આવ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત આ બંનેએ કોઈ જ વાહન કે એનિમલની મદદ વગર એન્ટાર્કટિકા પાર કર્યો હતો. વિશ્વના અસંખ્ય સાહસિકો માટે રેઈનહોલ્ડ અને આર્વેડે વાહન-એનિમલ વગર એન્ટાર્કટિકા પાર કરવાના સાહસની નવી જ દિશા ખોલી આપી હતી.
આ બંનેની સાહસયાત્રા અગાઉ એન્ટાર્કટિકા પાર કરવા માટે વિવિધ વાહનો અથવા તો ઘોડાઓની મદદ લેવાતી હતી. પણ આ બંને સાહસિકોએ માત્ર સ્કીઈંગના સહારે જ એન્ટાર્કટિકા ખંડ ઓળંગ્યો હતો. બંનેને બે વખત સામગ્રી પૂરી પાડવામાં મદદ મેળવી હતી. ત્રણ માસમાં બંનેએ બે વખત - એક વખત સાઉથ પોલ પહોંચતા પહેલાં અને બીજી વખત પહોંચી ગયા પછી - સામગ્રીની મદદ પૂરી પાડવામાં આવી હતી. એ સિવાય દરરોજની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે બંનેએ બરફગાડીમાં ૧૨૦ કિલો સામાન સાથે રાખ્યો હતો, જેમાં ટેન્ટ, સ્વેટર્સ, કપડાં, ખોરાક-પાણી, સ્કીઈંગનો સામાન અને નકશા વગેરેનો સમાવેશ થતો હતો. ૯૨ દિવસમાં બંને સાહસિકોએ ૨૮૧૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
એન્ટાર્કટિકાના અનુભવ અંગે રેઈનહોલ્ડ મેસનરે તેમના પુસ્તક 'એન્ટાર્કટિકા, બોથ હેવન એન્ડ હેલ'માં લખ્યું હતું : 'ત્યાં ઘણી વખત એટલી નિરવ શાંતિ અનુભવાતી કે અમારા બંનેની ધડકન સિવાય કોઈનો ય અવાજ આવતો ન હતો. મેં અને આર્વેડે અગાઉ પણ ઘણાં સાહસો કર્યા હતા, પરંતુ આટલી શાંતિનો અનુભવ અગાઉ ક્યારેય થયો ન હતો. ઘણી વખત તો એ સન્નાટાથી ડર પણ લાગતો, પરંતુ પછી એ સન્નાટો શાંતિમાં પરિવર્તિત થતો ત્યારે જીવતા જીવત સ્વર્ગનો અનુભવ થતો.'
સમગ્ર પ્રવાસ સુખરૂપ જ રહ્યો હતો એવું ય નહોતું. એપ્રિલમાં જ નોર્થ પોલની યાત્રા કરીને પાછા ફરેલા આર્વેડનું શરીર જવાબ દઈ રહ્યું હતું. એમાં ય તેને પ્રવાસ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.
પ્રવાસ જેમ જેમ આગળ વધી રહ્યો હતો, તેમ તેમ તેના પગની ઈજા વકરતી જતી હતી. એ કારણે તો બંનેએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને પ્રવાસનો થોડો ટૂંકો માર્ગ પસંદ કરવો પડયો હતો. નહીંતર સાઉથ પોલ જતાં પહેલાં બંનેએ પશ્વિમ તરફની યાત્રા કરવાની હતી.
પ્રવાસમાં ફેરફાર કરીને ય બંનેએ ૯૨ દિવસમાં સફળતાપૂર્વક એન્ટાર્કટિકા પાર કર્યો હતો. બંનેએ પ્લાનમાં ફેરફાર કર્યો ત્યારે ખાસ એ બાબતનું ય ધ્યાન રાખવાનું હતું કે ૩૧મી ડિસેમ્બર પહેલાં સાઉથ પોલ પહોંચી જવાનું હતું. એક દિવસ મોડું થાય તો આર્વેડ અભૂતપૂર્વ વિક્રમ ચૂકી જાય એવી પૂરી શક્યતા હતી.
***
એન્ટાર્કટિકાને પહેલી વખત પગતળે કરનારા આ બંને સાહસિકોના વિક્રમો અભૂતપૂર્વ છે. આર્વેડ ફૂક્સ માટે ૧૯૮૯નું વર્ષ ખૂબ અગત્યનું હતું. આર્વેડે એ જ વર્ષે એપ્રિલમાં નોર્થ પોલ પહોંચવાનું સાહસ પાર પાડયું હતું. ડિસેમ્બર સુધીમાં સાઉથ પોલ પહોંચીને એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પહોંચનારા સાહસિક તરીકે આર્વેડ ઈતિહાસ રચવા ઈચ્છતો હતો.
પગની ઈજાથી ત્રસ્ત આર્વેડ ફૂક્સને આગળ વધવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, પણ અગાઉ અસંખ્ય વિક્રમો નોંધાવી ચૂકેલા રેઈનહોલ્ડને તો આવી સ્થિતિમાંથી પસાર થવાનો અનુભવ હતો. તેણે આર્વેડને ફરીથી તૈયાર કર્યો. છેલ્લાં દિવસોમાં ગણતરી કરી તો નિર્ધારિત સમય કરતા ઘણાં પાછળ ચાલી રહ્યા હતા. જો એ રીતે પ્રવાસ આગળ વધે તો આર્વેડ સ્હેજ માટે ઈતિહાસ સર્જવાની તક ગુમાવે એ નક્કી હતું. રેઈનહોલ્ડે તેને પાનો ચડાવ્યે રાખ્યો.
| સાઉથ પોલ સુધીની સાહસયાત્રા કરીને રેકોર્ડ સર્જનારા સાહસિકો - આર્વેડ ફૂક્સ અને રેઈનહોલ્ડ મેસનર |
એપ્રિલ-૧૯૮૯માં જ નોર્થ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કરનારા આર્વેડને તેણે ફરી ફરીને યાદ અપાવ્યું કે આપણે ૩૧મી ડિસેમ્બરે પહોંચી જઈશું તો તું વિશ્વનો પ્રથમ એવો સાહસિક બની જઈશ કે જેણે એક જ વર્ષમાં નોર્થ અને સાઉથ પોલ સુધીનો પગપાળા પ્રવાસ કર્યો હોય. આવી તક જીવનમાં વારંવાર નહીં આવે. આખરે છેલ્લાં દિવસોમાં પ્રવાસની ઝડપ વધી અને ૩૧મી ડિસેમ્બરે જર્મનીના સાહસિક આર્વેડ ફૂક્સના નામે અભૂતપૂર્વ વિક્રમ દર્જ થયો. એક જ વર્ષમાં નોર્થ પોલ અને સાઉથ પોલ સુધી પગપાળા જનારો તે પ્રથમ સાહસવીર બન્યો. નોર્થ પોલનો પ્રવાસ કર્યા પછી માત્ર સાત જ મહિનામાં સાઉથ પોલ સુધી પહોંચ્યો હોય એવો એ વિશ્વનો એકમાત્ર સાહસિક છે.
એના ઈટાલિયન સાથીદાર રેઈનહોલ્ડના નામે તો એનાથી ય મોટા વિક્રમો નોંધાયા છે. એવા અદ્વિતીય વિક્રમો જે રેઈનહોલ્ડને વિશ્વનો ગ્રેટેસ્ટ સાહસવીર બનાવે છે.
***
૭૪ વર્ષના રેઈનહોલ્ડે એકથી એક ચડિયાતા સાહસો કર્યા છે. ૧૯૭૮માં ઓક્સિજન સપ્લીમેન્ટ વગર રેઈનહોલ્ડે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૮૦માં ફરીથી એકલાએ ઓક્સિજન વગર સાવ નવા રસ્તે એવરેસ્ટની ઊંચાઈ આંબી હતી. દુનિયાના ૨૬૦૦૦ ફૂટથી ઉપરના બધા જ ૧૪ શિખરો સર કરવામાં ય રેઈનહોલ્ડને સફળતા મળી. આ સિદ્ધિ મેળવી ત્યારે તેની વય ૪૨ વર્ષની હતી.
૨૦૦૪માં ૬૦ વર્ષની વયે રેઈનહોલ્ડે ગોબીનું રણ પાર કર્યું હતું. રણમાં ૨૦૦૦ કિલોમીટરનું અંતર એકલાએ કાપ્યું હતું. ૧૯૮૯માં એન્ટાર્કટિકા પાર પાડયા પછી ૧૯૯૩માં વાહન કે એનિમલની મદદ વગર ગ્રીનલેન્ડનું ૨૦૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું હતું. એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ પગતળે કર્યા હોય એવા વિશ્વના પ્રથમ સાહસવીર બનવાનું સૌભાગ્ય પણ તેને મળ્યું હતું.
| ગિનેસ બુકમાં નવ-નવ રેકોર્ડ ધરાવતા રેઈનહોલ્ડ મેસનર |
સાહસ દરેક વખતે શોહરત જ આપે છે એવું નથી, ઘણી વખત પારાવાર પીડા ય મળે છે. પાકિસ્તાનમાં આવેલા નંગા પર્બતને પાર પાડવાનું પરાક્રમ ૧૯૭૦માં રેઈનહોલ્ડ અને તેના નાનાભાઈ ગ્રંથરે પાર પાડયું. શિખરે તો પહોંચી ગયા, પણ વળતા તોફાન ત્રાટક્યું. રેઈનહોલ્ડને એટલી ગંભીર ઈજા થઈ કે તેના પગની આંગળીઓ કપાઈ ગઈ. માથાના ભાગે ગંભીર ઈજા થઈ. ચહેરા ઉપર ઘા પડયા, એના નિશાન આજીવન રહ્યા, પણ એનાથી ય ઊંડો ઘાવ દિલ ઉપર પડયો. તેના સાહસિક ભાઈ ગ્રંથરનું એ તોફાનમાં મૃત્યુ થયું. ૨૪ વર્ષના ભાઈને ગુમાવ્યાનું દર્દ રેઈનહોલ્ડને આજીવન રહ્યું.
અમુક આલોચકો તો ગ્રંથરના મોત માટે રેઈનહોલ્ડને જ જવાબદાર ગણે છે. ૨૦૧૦માં નંગા પર્બત નામની ફિલ્મ બની હતી. આ જર્મનભાષાની ફિલ્મમાં એવી ટીકા થઈ હતી કે ઓછા અનુભવી ગ્રંથરને લઈને જવાની રેઈનહોલ્ડની મહાત્વાકાંક્ષાએ ગ્રંથરનો જીવ લીધો. જોકે, આઠ ભાઈઓ અને એક બહેન એમ નવ ભાઈ-બહેનોમાંથી કોઈએ ગ્રંથરના નિધન માટે રેઈનહોલ્ડને જવાબદાર ગણ્યો ન હતો. પરિવારનું માનવું હતું કે રેઈનહોલ્ડ તેના ભાઈને ખૂબ ચાહતો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં જ તેણે પગની આંગળીઓ ગુમાવી હતી.
રેઈનહોલ્ડની ઉંમર ૧૩ વર્ષ હતી ત્યારે ગ્રંથરની વય ૧૧ વર્ષની હતી. એ વખતે બંને ભાઈઓએ શિખરો સર કરવાના સાહસો આદર્યા હતા. ૧૮-૨૦ વર્ષના હતા ત્યારે બંનેની ગણતરી યુરોપના શ્રેષ્ઠ ઉભરતા પર્વતારોહકોમાં થતી હતી. રેઈનહોલ્ડે એક વખત ભાઈ માટે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રંથર જીવતો હોત તો મારા કરતા એના નામે નોંધાયેલા વિક્રમોની સંખ્યા ઘણી વધુ હોત. રેઈનહોલ્ડનો બીજો એક ભાઈ હર્બટ પણ સાહસિક છે. બંનેએ સાથે મળીને ઘણાં સાહસો કર્યા છે.
જીવનભર સાહસો કરનારા રેઈનહોલ્ડે ૮૦ જેટલા પુસ્તકો લખ્યા છે. એમાંથી ઘણાં ખરા પુસ્તકો બેસ્ટસેલર બન્યા છે. નવા સાહસવીરોને તો રેઈનહોલ્ડના પુસ્તકો વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કારણ કે પુસ્તકોમાં રેઈનહોલ્ડના અનુભવોનો ખજાનો ભર્યો છે.
રેકોર્ડ બુકમાં 'વિશ્વમાં પ્રથમ' એ કેટેગરી સૌથી મહત્વની છે, વિશ્વમાં પ્રથમ એ એવી કેટેગરી છે, જેમાં એડિટિંગની શક્યતા નથી! એવો એક વિક્રમ નોંધાવવા લોકો કેટ-કેટલા પ્રયાસો કરે છે. રેઈનહોલ્ડ મેસનરના નામે ગિનેસ બુકમાં 'વર્લ્ડ ફર્સ્ટ'ની કેટેગરીમાં ૯-૯ વિશ્વવિક્રમો નોંધાયા છે.
સાહસના ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવનારા રેઈનહોલ્ડ મેસનર અત્યારે એકલા સાહસિક છે. તેમના આ પરાક્રમો જ તેમને વિશ્વના ગ્રેટેસ્ટ સાહસવીરમાં સ્થાન આપે છે. સાહસયાત્રા વિશે રેઈનહોલ્ડે એક વખત કહ્યું હતું : 'આ બધું હું મારા માટે કરું છું, કારણ કે મારી પાસે મારી સાહસની પિતૃભૂમિ છે અને મારો રૂમાલ મારો ધ્વજ છે. હું ત્યાં મૃત્યુ પામવા નથી જતો, પણ જીવવા જાઉં છું. પર્વતો અનુકૂળ કે પ્રતિકુળ નથી હોતા, તે માત્ર ખતરનાક હોય છે અને ખરો આનંદ ખતરામાં છે.'
બાંધકામ ક્ષેત્રના બે કરોડ લોકોને રોબોટ બેરોજગાર કરશે!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
વિશ્વમાં બાંધકામ ક્ષેત્રમાંથી ૨૨ કરોડ લોકો રોજગારી મેળવે છે. મશીનરીના કારણે નવી નોકરીઓ સર્જાતી બંધ થશે જ થશે, પણ એ સિવાયના ૨ કરોડ કામદારો બેકાર બનશે..
આગામી ૫૦ વર્ષમાં વિશ્વને ૧૫૦ કરોડ નવા ઘરોની જરૂર પડશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા ૧૦ કરોડ લોકો અત્યારે સાવ નિરાધાર છે. ભાડાના મકાનમાં રહેતા કે નાનો-મોટો આશરો બનાવીને દિવસો કાઢતા બીજા કરોડો લોકોને એમાં ઉમેરીએ તો આજની તારીખે ય વિશ્વને ૮૦ કરોડ નવા ઘરની જરૃર છે. ભારતના શહેરી વિસ્તારોમાં ૨ કરોડ નવા મકાનોની તાતી જરૃરિયાત હોવાના અહેવાલો પણ થોડા સમય પહેલાં આવ્યાં હતાં. આગામી વર્ષોની માતબર જરૃરિયાતને ધ્યાનમાં રાખીને વિશ્વની મોટી મોટી ધનાઢ્ય કંપનીઓએ આ મલાઈદાર બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
૧૯૮૦ પછી વિશ્વનું બાંધકામનું ક્ષેત્ર પૂરબહારમાં ખીલ્યું છે. એટલે કામદારોથી લઈને સુપરવાઈઝર, મિડલમેન અને બિઝનેસમેન સુધી બધા માટે આ ક્ષેત્રમાં વિપુલ તકો છે અને તક ઝડપવી કોને ન ગમે? તક ઝડપવાના ભાગરૃપે આ ક્ષેત્રમાં ધીમે ધીમે કરીને ૧૮ કરોડ કામદારો કામ કરતા થયા છે. ગુજરાતની કુલ વસતિ કરતા ત્રણ ગણાં કામદારો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં અત્યારે કાર્યરત છે. હા. માત્ર કામદારો. મતલબ બિલ્ડર, ઓફિસ સુપરવાઈઝર વગેરેની આમાં ગણતરી થઈ નથી. ઈંટો ખડકતા, પ્લાસ્ટર કરતા, લાદી અને દરવાજા ફિટ કરતા કારીગરોથી લઈને સિંમેન્ટની થેલીઓ ખભે ઊંચકતા મજૂરો આ ૧૮ કરોડમાં આવી જાય. આ આંકડો બિલ્ડિંગ્સ એન્ડ વૂડ વર્ક્સ ઈન્ટરનેશનલનો છે.
વિશ્વની નાની-મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓમાં સત્તાવારી રીતે નોંધાયેલા કામદારોની જ આ અહેવાલમાં ગણતરી થઈ છે. રોજમદાર કહેવાય એવા મજૂરોનો સમાવેશ થયો નથી. પરંતુ એવા મજૂરો પણ ૪ કરોડ હોવાનો અંદાજ છે. કુલ ૨૨ કરોડ જેટલાં લોકોના ઘર કન્સ્ટ્રક્શન ક્ષેત્રના કારણે ચાલે છે.
કામદારો માટે આવી આશાસ્પદ સ્થિતિ હોય ત્યારે કોઈ કહે કે આગામી બે દશકામાં બે કરોડ લોકોની નોકરી રોબોટ ખાઈ જશે તો?
***
બ્રિટનની મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીએ એક વૈશ્વિક અહેવાલ તૈયાર કર્યો છે. એમાં દાવો થયો છે કે દુનિયા હવે વધુ એક ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે. એ આર્થિક રિવોલ્યુશનમાં રોબોટિકરણ મુખ્ય છે. ટેકનોલોજી જે ઝડપે આગળ વધે છે એ જોતાં આગામી સમયમાં મોટાભાગનું કામ મશીનો ઉપર નિર્ભર થઈ જશે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં.
બાંધકામ ક્ષેત્રમાં માણસ કરતા મશીનો વધુ ઝડપી અને અસરકારક સાબિત થઈ રહ્યાં છે. માણસને મેઈન્ટેઈન કરવામાં ઘણા પરિબળોનું ધ્યાન રાખવું પડતું હોય છે. તેના સોશિયલ પરિબળો, આથક અપેક્ષા, સલામતી વગેરે કેટલીય બાબતો એવી છે કે જેમાં માણસ માટે વિશેષ આયોજનની જરૃર પડે છે. પણ રોબોટની બાબતે એવું કરવાની જરૃર નથી પડતી.
બાંધકામ વખતે અવારનવાર સાંભળવા મળતું હોય કે કોઈને કોઈ કારણથી કારીગર કે મજૂરે રજા પાડી હોય એટલે આગળનું કામ એક-બે દિવસ માટે અટકી જાય, પણ રોબોટ પાસેથી જો આ જ કામ લેવાનું હોય તો ટેકનિકલ ગરબડને બાદ કરતા ભાગ્યે જ કામ અટકે. રોબોટને ન કોઈના લગ્નમાં જવાનું હોય કે ન બીમારીનો સામનો કરવાનો હોય કે ન કોઈ સગા-સંબંધીના ખબર-અંતર પૂછવાની ચિંતા હોય! કમાન્ડ આપો એટલે કામ આગળ વધતું રહે. પ્રોગ્રામ્સના આધારે ધારણા પ્રમાણે રોબોટ પાસેથી કામ લઈ શકાય છે. કદાચ એટલે જ બાંધકામ ક્ષેત્રમાં સવિશેષ રોબોટિકરણ થઈ રહ્યું છે. આ રોબોટિકરણના કારણે આજે સ્થિતિ એ છે કે ૮ કરોડ માણસો જે કામ કરી શકે એ કામ બાંધકામ ક્ષેત્રમાં કાર્યકત રોબોટ્સ કરવા લાગ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો બાંધકામ ક્ષેત્રમાં મશીનરીનો ઉપયોગ આજે જ મર્યાદિત થઈ જાય તો વિશ્વમાં ૮ કરોડ નવી નોકરીઓ સર્જાય જાય.
મેક ઈન્ટરનેશનલ કન્સલટન્સીના અહેવાલ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં જ દુનિયામાં ૨૨ લાખ લોકો રોબોટના કારણે નોકરી ગુમાવશે. ૨૦૨૪ સુધીમાં આંકડો વધીને ૫૦ લાખે પહોંચી જશે. અત્યારે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જેમણે ૨૦ વર્ષની ઉંમરે કામ શરૃ કર્યું હશે એવા ૫૦ લાખ કામદારોએ સાતેક વર્ષ પછી ૨૭-૨૮ વર્ષની ભરજુવાનીમાં બેરોજગારીનો સામનો કરવો પડશે. આ લોકોએ એક જ ફિલ્ડમાં ૭-૮ વર્ષ સુધી કામ કર્યા પછી સાવ નવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા મજબૂર થવું પડશે. ખરી ચિંતાની વાત આ જ છે. જે ઉંમરે કોઈ એક ક્ષેત્રમાં ઠરીઠામ થવાની તૈયારી ચાલતી હોય એ ઉંમરે રોબોટ્સના કારણે નવેસરથી કોઈ બીજી જ પ્રવૃતિ શીખવે પડે એ માનવજાત માટે કપરું સાબિત થશે.
અહેવાલનો આધાર લઈએ તો ૨૦૪૦ સુધીમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૨ કરોડ કરતા વધુ કામદારોની જગ્યાએ રોબોટ કામ કરતા હશે. વળી, રોબોટના એકધારા આગમનના કારણે નવી અસંખ્ય નોકરીઓ સર્જાતી બંધ થશે તેની તો કોઈ ગણતરી જ નથી થઈ! જે કામ બચશે એમાં રોબોટ્સનું સુપરવિઝન કરવાનું હશે. એવી નોકરીઓનું અસ્તિત્વ હશે કે જે રોબોટને હેન્ડલ કરી શકે. એ સિવાયના કામદારો ઉપર સતત રોબોટ સાથે સ્પર્ધાનો ખતરો મંડરાતો રહેશે.
૨૦૧૮ના અંત સુધીમાં એકલા બ્રિટનમાં જ ૩૨૮૦ લોકો રોબોટના કારણે નોકરી ગુમાવશે. અમેરિકામાં ૭૧૯૫ કામદારોનું કામ રોબોટના હાથમાં જશે. ભારતમાં તો આવા કોઈ અહેવાલો તૈયાર થતાં નથી, પણ બ્રિટનની જ પેલી કન્સલટન્સીએ તારવેલા તારણોને ટાંકીએ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં ૨૦૪૦ સુધીમાં ૧ કરોડ કામદારોની નોકરી મશીનરી ગળી જશે. ૨૦૨૦ સુધીમાં આ આંકડો પાંચેક લાખ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
એક તરફ રોબોટની વિવિધ આવડતોની પ્રશંસા માનવજાત છાતી ફૂલાવીને કરે છે. રોબોટને માણસે જ બનાવ્યા છે એટલે એની આવડત એ અંતે તો માનવજાતની જ આવડત ગણાવી જોઈએ, પણ બીજી તરફ આ રોબોટ્સ જ અસંખ્ય માણસોના સ્પર્ધકો બની રહ્યાં છે એ ય હકીકત છે.
વેલ, ચિંતા કરવાનું કામ આવી એજન્સીઓનું, અર્થશાસ્ત્રીઓનું, સમાજશાસ્ત્રીઓનું, વિચારકોનું છે. બાકી રીઅલ એસ્ટેટ કંપનીઓ તો પોતાના વિચારોમાં બહુ સ્પષ્ટ છે : રોબોટને થાક ખાવો પડતો નથી, બ્રેક લેવો પડતો નથી. કામ કરવાના કલાકોનું બંધન એના ઉપર લાગુ પાડી શકાતું નથી. રોબોટને રજાની અપેક્ષા નથી કે નથી પગાર વધારાની ડિમાન્ડ. કામદારોના હકોની ય કોઈ લડત નહીં; આ સ્થિતિમાં કંપનીઓ માણસને પસંદ કરે કે મશીનને?
ખેડૂતનું સ્થાન રોબોટ લેશે!
કૃષિ ઉત્પાદન વગર માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જગત ગમે એટલી પ્રગતિ કરી લેશે તો પણ કૃષિ ઉત્પાદન અને તેનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી. પણ હા, તેના સ્વરૃપમાં ચોક્કસ ફેરફાર થશે. એ ફેરફાર થવાની શરૃઆત પણ થઈ ચૂકી છે.
આપણે એમ માનીએ છીએ કે જગતને ખેડૂત વગર ચાલવાનું નથી. એ વાત સાચી જ છે છતાં એમાં એક મોટું પરિવર્તન માથે મંડરાઈ રહ્યું છે. જો એવું થશે તો ખેડૂતો બેકાર બને એ દિવસો ખૂબ નજીક છે! ખેડૂત ખેતરમાં મેનેજર બની જશે અને વાવણી, નિંદામણ, પિયત જેવા કામો રોબોટ કરશે. અમેરિકા જેવા દેશોમાં પ્રાયોગિક ધોરણે એની શરૃઆત થઈ ચૂકી છે. જે ઝડપે પ્રયોગો થાય છે એ જોતાં આગામી એકાદ દશકામાં જગતની ૧૦-૨૦ ગણી-ગાંઠી કંપનીઓ વિશ્વના ૨૦૦ કરોડ લોકોને ખુરશી ઉપર બેસાડી દેશે. એમના ભાગે માત્ર સ્વિચ ચાલુ અને બંધ કરવાનું કામ જ બચશે.
હા, ખેડૂત જેવી કોઠાસૂઝ રોબોટમાં નહીં હોય. ઉત્પાદન ક્ષમતા કદાચ ખેડૂત કરતા વધુ હશે, પરંતુ એવી નિર્ણય શક્તિ રોબોટ ક્યાંથી લાવશે એ હજુ સંશોધનનો વિષય બનશે!
ક્યા ક્ષેત્રો ઉપર પહેલી અસર થશે?
અલગ અલગ સંશોધનો કહે છે કે આગામી બે દશકામાં લગભગ ૫૦ ટકા લોકોની નોકરી રોબોટના હાથમાં જઈ ચડશે. આટલી મોટી સંખ્યામાં તુરંત નોકરીઓ રોબોટના હાથમાં નહીં જાય એવું ય આશ્વાસન ઘણાં અર્થશાસ્ત્રીઓ આપતા રહે છે. પણ પ્રાથમિક અંદાજ એવો છે કે ૫૦ ટકા કામ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત થઈ જશે. એમાં જે ક્ષેત્રોને તુરંત અસર થશે એવા ક્ષેત્રોને અલગ તારવવામાં આવ્યા છે.
જેમ કે, ડ્રાઈવિંગ. ઓટોમેટિક ઓટો ઈન્ડસ્ટ્રીના પડઘા સંભળાવા લાગ્યા છે એટલે દોઢ દશકામાં એક કરોડ કાર ઓટોમેટિક ચાલતી હશે. બીજા શબ્દોમાં કહીએ તો એક કરોડ ડ્રાઈવરોની જરૃર નહીં પડે. બીજું એવું ક્ષેત્ર છે સ્વાસ્થ્યનું. હા. આશ્વર્યજનક લાગે એવી વાત હોવા છતાં એક્સપર્ટ્સ કહે છે કે પેરા મેડિકલ સ્ટાફ પ્રકારનું જે કામ છે એવા વિશ્વમાં લગભગ બે કરોડ લોકોનું કામ મશીનરી આધારિત થઈ જશે. જેમાં બ્લડ ટેસ્ટથી લઈને દવાઓની સૂચના આપતા સ્ટાફ સુધીના લોકોને અસર થશે.
ડિલિવરી બોયની નોકરીઓ તો ખતરામાં છે જ છે. અત્યારે કેટલીય ખાનગી કંપનીઓ રોબોટ દ્વારા પ્રોડક્ટ પહોંચાડવાના પ્રયોગો કરે છે. કંપનીએ ઓનલાઈન પાસવર્ડ આપ્યો હોય એ જ ખાનું ઓર્ડર કરનારથી ઓપન થાય. એ ખાનામાં ઓર્ડર કરેલી પ્રોડક્ટ હોય એટલે કંપનીને ફિડબેક મળી જાય. કામ પૂરું!
રસોઈથી લઈને ઘરકામ સુધીમાં આ બાબતો લાગુ પડે છે. એટલે જ નિષ્ણાતો ચેતવે છેને કે બે દશકામાં ૫૦ ટકા નોકરીઓ રોબોટના હાથમાં હશે!
સપ્તાહમાં એક દિવસ વધુ ઊંઘ કરવાથી થાક ઉતરી શકે?
રજાના દિવસે થોડા કલાકો વધારે ઊંઘ કરીને લોકો થાક ઉતારવાનો કીમિયો અજમાવતા હોય છે, પરંતુ ખરેખર એ કીમિયો કારગત નીવડી શકે ખરો?
૨૧મી સદીમાં કોઈને પાછળ રહેવું પોષાય તેમ નથી, એટલે દરેક ક્ષેત્રમાં શરૃ થઈ છે - આકરી સ્પર્ધા, સ્પર્ધાના કારણે કર્મચારીઓ ઉપર વધતું કામનું ભારણ, કામના ભારણના કારણે વધતો માનસિક તણાવ અને માનસિક તણાવને કારણે સતત મહેસૂસ થતો થાક. આ આજની ફાસ્ટ લાઈફનો ચિતાર છે. ઈન્ટરનેટ ફોર-જીની સ્પીડે ચાલે છે અને લાઈફ એનાથી ય વધુ ફાઈવ-જીની ઝડપે ભાગે છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે. અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
આવી ભાગદોડ વચ્ચે માણસ બે પળ સુકૂનની તલાશ રજાના દિવસે કરે છે. સપ્તાહમાં એક દિવસ શાંતિ હોય છે. કોઈ જ ભાગદોડ કર્યા વગર બધું જ કામ નિરાંતે થતું હોય છે. ઉઠીને તરત બાથરૃમમાં ઘૂસી જવાનું હોતું નથી, ઉઠીને તરત નાસ્તો કરીને તૈયાર થવાની પણ ઉતાવળ નથી હોતી કે નથી હોતી ઘરની બહાર નીકળવાની ત્વરા. રજાના દિવસે કંઈ થાય કે ન થાય પણ કંઈ જ નથી કરવાનું, એવું તો લગભગ નક્કી હોય છે.
એમાં સૌથી વધુ પ્રાયોરિટી વધુમાં વધુ કલાકો ઊંઘ ખેંચી કાઢવાની હોય છે! સામાન્ય દિવસોમાં ઉઠવાનો જે નિયત સમય હોય એનાથી બે-ત્રણ કલાક મોડા ઉઠીને એટલી કલાકો વધારે ઊંઘ ખેંચી લેવાની લાલચ માણસ રોકી શકતો નથી. વળી, બપોરે કે મોડી સાંજે પણ સમય મળે તો એકાદ કલાકની મીઠી નીંદર માણી લે છે.
અચ્છા, હવે સવાલ એ છે કે શું સપ્તાહમાં એક દિવસ ઊંઘ વધુ કરી લેવાથી ખરેખર થાક ઉતરી જાય છે?
વેલ, જવાબ છે - ના. એક દિવસ વધારે ઊંઘ ખેંચી કાઢવાથી થાક ઉતરતો નથી. આવું કેમ? લેટ્સ ચેક ધ આન્સર!
પાંચ-છ દિવસ ઉપવાસ કર્યા પછી કે અલ્પાહાર કર્યા પછી એક સામટું ખાઈને ભરપાઈ કરી શકાતું નથી એ જ રીતે એક દિવસ વધુ ઊંઘ કરીને થાક ઉતારી શકાતો નથી. વીકએન્ડમાં લોકો ૧૧-૧૨ કલાક લાંબી ઊંઘ કરે છે, પણ સામાન્ય દિવસોમાં ઊંઘનો સમયગાળો માંડ ૬-૭ કલાક હોય છે. સપ્તાહમાં એક વખત લગભગ બમણી ઊંઘ કર્યા પછી માણસ તરોતાજા લાગવો જોઈએ એના બદલે થાક ઉતર્યો હોય એવું બિલકુલ જણાતું નથી. ઘણાં ખરા કિસ્સામાં આ બાબત એક સરખી રીતે લાગુ પડતી હોય છે. એના ઘણાં કારણો છે.
વધારે પડતો શરાબ પીધો હોય પછી તેનો હેંગઓવર થઈ જાય છે. અદ્લ એવું જ ઓવરસ્લીપિંગથી થાય છે. જે પ્રક્રિયા વધુ પડતાં શરાબથી શરીરમાં થાય છે, એવી જ પ્રક્રિયા વધુ પડતી ઊંઘથી થાય છે. વધારે પડતી ઊંઘથી પણ શરીરમાં થાક મહેસૂસ થાય છે તેને વૈજ્ઞાાનિક પરિભાષામાં સ્લીપિંગ ડ્રન્કેનનેસ કહેવાય છે. વધારે માત્રામાં શરાબ પીધા પછી શરીરની કોશિકાઓ ડેમેજ થાય છે અને માથાના દુખાવાની ફરિયાદ ઉઠે છે, એવી જ ગરબડ વધારે નીંદર કર્યા પછી ચેતાતંત્રમાં સર્જાય છે.
એકચ્યુઅલી, આખું જગત એક લયથી ચાલે છે. ધરી ઉપર પૃથ્વીનું ફરવું એક લય છે, ઝરણાંઓના વહેવામાં એક લય છે, વાદળોનાં ગર્જનમાં એક તાલ છે, પક્ષીઓના કલરવમાં એક લય છે. એવો જ લય આપણાં શરીરમાં ય હોય છે, શરીર જાણે-અજાણે એક રિધમ ફોલો કરે છે. માણસના શરીરમાં અમુક દિનચર્યા પછી સેટ થઈ જાય છે. એ લયને વિજ્ઞાાન જૈવિક ક્લોક અથવા બાયોલોજિકલ ક્લોક કહે છે.
સાયન્સ કહે છે કે દિમાગના હાઈપોથેલેમ નામના હિસ્સામાં સર્કેડિયન પેસમેકર નામની કોશિકાઓ હોય છે. માણસ રોજિંદા જે કામ કરે છે એ પ્રમાણે એ કોશિકાઓ શરીરમાં એક લય સર્જે છે. સર્કેડિયન કોશિકાઓના કારણે સર્જાતા લયને વિજ્ઞાાનીઓ સર્કેડિયન રિધમ પણ કહે છે. જેમ કે, કોઈ માણસ સતત નાઈટ શિફ્ટમાં કામ કરતો હોય તો તેને રજાના દિવસે ય રાત્રે ઊંઘ આવતી નથી. તેને ઊંઘ દિવસે જ આવે છે. જેમ સૂર્યનારાયણ ઊંચે ચડશે એમ બીજા લોકોથી ઊલટું તેના શરીરમાં રાત થવા લાગશે!
ધારો કે તેની શિફ્ટ એકાદ-બે મહિના પછી બદલી જાય અને તેને સામાન્ય કર્મચારીની જેમ દિવસે કામ કરવાનું થાય ત્યારે તેના શરીરમાં એ સાઈકલ સેટ થતા સમય લાગે છે. તેને ઓફિસમાં પણ દિવસે ઊંઘ આવવા લાગે છે અને રાત્રે કંઈ જ કામ ન હોય છતાં ઘરમાં ઊંઘ આવતી નથી! પછી થોડા દિવસ આ રીતે વીતે એટલે ધીમે ધીમે તેના શરીરનો લય બદલે છે અને તેની બાયોલોજિકલ ક્લોક પણ અન્ય કર્મચારીઓની જેમ સેટ થઈ થાય છે અને એ કામ સર્કેડિયન કોશિકાઓ સંભાળે છે એટલે તેના હુકમ વગર શરીર ઈચ્છે તો પણ તરત બાયોલોજિકલ સાઈકલમાં ફેરફાર કરી શકે નહીં.
ઓફિસનો સમય સવારે ૧૦થી સાંજે ૭ સુધીનો કે બપોરે ૧૨થી રાત્રે ૯ સુધીનો હોય એવા કિસ્સામાં બાયોલોજિકલ ક્લોકમાં રાત્રે ૧૨થી સવારે ૭-૮ સુધીનો સમય 'સ્લીપિંગ ટાઈમ' તરીકે આપોઆપ સેટ થઈ જાય છે. સવારે આંખો ઉપર રોશની પથરાય તે સાથે જ સર્કેડિયન કોશિકાઓ સક્રિય થાય છે અને શરીરને ઉઠવાનો આદેશ આપે છે. કાજળઘેરી રાત્રીનો અંધકાર પથરાય તે સાથે જ કોશિકાઓ શરીરને ઊંઘી જવાનો સંકેત આપે છે. આ રીતે ગોઠવાયેલી સાઈકલમાં રજાના દિવસની નિરાંતની ઊંઘ ખલેલ પહોંચાડે છે.
રજાના દિવસે થાય છે એવું કે આપણને ખબર છે કે આજે વિકએન્ડ છે એટલે નિરાંતે ઊઠવાનું છે. વધુ ઊંઘ ખેંચીને શરીરને પડેલા શ્રમનું ભરપાઈ કરી લેવાનું છે, પણ એ કોશિકાઓને આ વાતની ખબર નથી. એ તો એનું કામ નિયમિત દિવસ પ્રમાણે જ કરે છે. એના સિલેબસમાં એક દિવસ માટે અલગ બાયોલોજિકલ ક્લોક સેટ કરવાનું ચેપ્ટર નથી, પરિણામે શરીર વધુ ઊંઘ ખેંચી કાઢે તેની સામે આ કોશિકાઓ બંડ પોકારે છે અને સરવાળે શરીરમાં તાજગી વર્તાવાને બદલે થાક મહેસૂસ થાય છે.
સાયન્સ પ્રમાણે વધારે ઊંઘ ખેંચી કાઢીએ તો કોશિકાઓ કન્ફ્યુઝ્ડ થઈ જાય છે. તેણે દિવસ અને રાત વચ્ચેની જે ક્લોક સેટ કરી છે, તેમાં આ એક દિવસની વધારે પડતી ઊંઘ અવરોધ ખડો કરે છે એટલે એ તાજગીનો સંકેત આપવાને બદલે શરીરમાં કન્ફ્યુઝન ક્રીએટ કરે છે, પરિણામે આપણું ચેતાતંત્ર શરીરને બાયોલોજિકલ ક્લોક પ્રમાણેની સૂચનાઓ આપવાને બદલે ભળતીસળતી સૂચનાઓ મોકલે છે. એ સૂચનાઓ યોગ્ય ન હોવાથી શરીર નકારી દે છે. શરીર અને ચેતાતંત્ર વચ્ચેની એ કશ્મકશના પરિણામે શરીરમાં થોકબંધ થાકનું સર્જન થાય છે!
(10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવા પાછળ સરકારની શું ગણતરી હોઈ શકે?
ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે
નોટબંધી ને જીએસટી એમ બે મોટા આર્થિક ફેરફાર કર્યા પછી વર્તમાન સરકાર વધુ એક આર્થિક બદલાવ લાવીને પરિવર્તનશીલ સરકારની છાપ ઉભી કરવા ધારે છે : વાર્ષિક સિસ્ટમ ચેન્જ કરવાથી નહીં, પણ આર્થિક સિસ્ટમ બદલવાથી અર્થશાસ્ત્રનું ભલું થશે તે વાત સમજવાની જરૂર છે
માણસ બીમાર હોય અને એક વખતના દવાના ડોઝથી સારું ન થાય તો ડોક્ટર દવા બદલે કે બેડશીટ? ઓફકોર્સ દવા જ બદલે! જો બેડશીટ કે બેડ બદલી નાખવાની દર્દીને સારું થવાનું હોત તો તો એ નુસખો પરિવારજનોએ પહેલા કર્યો હોત! અદ્લ આવી સ્થિતિ અત્યારે ભારતના આર્થિક ફેરફારોમાં લાગુ પડી રહી છે. અર્થશાસ્ત્રના ડોક્ટરો મંદ પડેલા અર્થતંત્ર રૃપી દર્દીની બીમારીની દવા યાને અર્થનીતિમાં ફેરફાર કરવાને બદલે બેડશીટ યાને આર્થિક સિસ્ટમ બદલી રહ્યા છે. કદાચ એટલે જ પરિણામ મળતું નથી! પરિણામ નથી મળતું એ જાણવા છતાં દર્દીની દવાને બદલે વધુ એક વખત બેડશીટ બદલવાની તૈયારીનો આરંભ થઈ ચૂક્યો છે.
કેન્દ્રની ભાજપ પ્રેરિત સરકારે બે વર્ષમાં નોટબંધી અને જીએસટી એમ બે આર્થિક ફેરફારો કર્યા છે. નોટબંધીની આડઅસરોમાંથી ભારતીય અર્થતંત્ર હજુ તો માંડ બેઠું થઈ રહ્યું કે તરત જીએસટી લાગુ કરીને ફરીથી અર્થતંત્રને મંદ કરી દેવામાં આવ્યું. આ બંને મોટા ફેરફારોમાં સમાનતા એ હતી કે બંનેનું અમલીકરણ ઉતાવળે થયું હતું. બંનેની આડઅસર એટલી ભયાનક નીવડી કે સરકારે એકથી વધુ વખત પીછેહઠ કરવી પડી. આ બે વખતની પીઠેહઠ પછી વધુ એક વખત સરકારે કમર કસી છે. આ વખતે મુદ્દો છે - નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવાનો.
અત્યારે દેશમાં ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચનું નાણાકીય વર્ષ ચાલે છે. એ નાણાકીય વર્ષ પ્રમાણે કરદાતાઓ કર ભરે છે અને સરકાર પણ નવી નીતિ આ સિસ્ટમ પ્રમાણેના નાણાકીય વર્ષમાં લાગુ પાડે છે. એ માટે બજેટ ફેબુ્રઆરીમાં રજૂૂ થઈ જાય છે અને તેના અમલીકરણ માટે બે માસનો સમય મળે છે. હવે સરકારે આ સિસ્ટમ કેલેન્ટર યર એટલે કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરી નાખવાનું આયોજન કર્યું છે. એનો અર્થ એ કે સરકાર નવેમ્બર માસમાં બજેટ રજૂ કરે અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. સરકારની એ પાછળની લાંબાગાળાની ગણતરીઓની વાત કરતા પહેલાં એ જાણી લઈએ કે કેલેન્ડર વર્ષ પ્રમાણે નાણાકીય વર્ષ લાગુ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ નહીં હોય.
વિશ્વના અડધો અડધ દેશોમાં નાણાકીય વર્ષ ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર છે. ચીન, ઓસ્ટ્રિયા, બેલારૃસ, બ્રાઝિલ, ડેન્માર્ક, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ જેવા કેટલાંય નોંધપાત્ર દેશોએ નાણાકીય વર્ષ 'કેલેન્ટર યર' યાને જાન્યુઆરીથી ડિસેમ્બર રાખ્યું છે. કેટલીય વૈશ્વિક કંપનીઓ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે. કારણ કે તેમના માટે એ સિસ્ટમ વધુ સરળ છે. નાણાકીય વર્ષ પણ વૈશ્વિક રીતે સ્વીકાર્ય એવા કેલેન્ડર યર જાન્યુઆરીથી ડિસેમ્બર હોય તો કંપનીઓને પ્રમોશનથી લઈને વર્ષાંતે મળતું ક્રિસ્મસનું વાર્ષિક વેકેશન સરળતાથી સેટ થઈ જાય છે. રજાઓમાંથી પરવારીને કર્મચારીઓ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં હાજર થાય એ સાથે જ તેને નવા વર્ષે નવા નાણાકીય વર્ષે કામ કરવાનું થાય છે. મનોવૈજ્ઞાાનિક રીતે ય ઘણાં દેશો માટે આ વધુ યોગ્ય વ્યવસ્થા છે અને એટલે જ એ દેશો તે વ્યવસ્થાને વર્ષોથી જાળવી રાખે છે.
બેક ટુ ધ ઈન્ડિયા. ભારતમાં આ નાણાકીય વર્ષની સિસ્ટમ અંગ્રેજ શાસનની દેન છે. ૧૮૬૭માં બ્રિટિશ સરકારે બ્રિટિશ રાજના નાણાકીય વર્ષ સાથે મેળ બેસાડવા માટે ભારતનું હિસાબી વર્ષ પણ એ મુજબ ગોઠવ્યું હતું. ભારતને આઝાદી મળી પછી તુરંત તમામ વહીવટોમાં ફેરફાર કરીને નવું નાણાકીય વર્ષ સેટ કરવું અઘરું હતું એટલે શરૃઆતમાં એ જ સિસ્ટમને જાળવી રાખવામાં આવી.
ભારતે નાણાકીય વર્ષ બદલવા માટે પહેલો વિચાર ૧૯૮૪માં કર્યો હતો. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમના આર્થિક સલાહકાર અને આરબીઆઈના પૂર્વ ગર્વનર લક્ષ્મીકાંત ઝાએ કેલેન્ડર યર પ્રમાણે નાણાકીય વર્ષ ગોઠવવાની ભલામણ કરી હતી. લક્ષ્મીકાંત ઝાની આગેવાનીમાં ૧૯૮૪માં એલકે ઝા કમિટી બનાવાઈ હતી. એ કમિટીએ સરકારને વિગતવાર અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે કરી દેવાથી કઈ કઈ બાબતો સરળ થશે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો.
પૂરતી તૈયારી વગર અમલીકરણ શક્ય ન હતું એટલે યોગ્ય આયોજન થાય ત્યાં સુધી સરકારે રાહ જોવાનું નક્કી કર્યું. પછી તો બે-ચાર વર્ષમાં સરકારની દિશા અન્ય ક્ષેત્રના નવીનીકરણ તરફ ફંટાઈ ગઈ. કોમ્યુનિકેશન અને ટેકનોલોજી તરફ ધ્યાન આપવાની બાબત રાજીવ ગાંધી સરકારની મુખ્ય પ્રાથમિકતા હતી અને એ પછી તો રાજકીય અરાજકતાનો સમયગાળો આવી પડયો એટલે વાત સદંતર વિસરાઈ ગઈ. આર્થિક ઉદાહરણ લાગુ કર્યા પછી તુરંત આવી નવી નાણાકીય વર્ષની સિસ્ટમનું જોખમ લઈ શકાય નહીં એ સમજતા તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે નાણાકીય વર્ષ બદલવા કરતા આર્થિક નીતિ બદલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અનેક દેશોના અર્થશાસ્ત્રથી સારી રીતે વાકેફ હતા અને તેમનો મત હતો કે નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે થાય કે ન થાય તેનાથી બહુ મોટો ફરક પડશે નથી. આમ વાત ત્યાં જ અટકી ગઈ. પણ વાતને અંતે પૂર્ણવિરામ મૂકાયું ન હતું એટલે નાણાકીય પરિવર્તનો તરફ વિશેષ ધ્યાન આપતી વર્તમાન સરકારે અટકી ગયેલી નાણાકીય વર્ષની વાતને આગળ વધારી છે!
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની નેમ છે કે ૨૦૧૯થી નાણાકીય વર્ષ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવામાં આવે. જો એવું થાય તો આવતા વર્ષે મહત્વની ચૂંટણીઓ પૂરી થશે પછી તેની જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. આવતા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણી પછી સરકાર એ દિશામાં જાહેરાતો કરે તો તૈયારી માટે કંપનીઓને અને કરદાતાઓને એટલિસ્ટ આખું વર્ષ મળશે. જો એવું થાય તો લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં નાણાકીય વર્ષ બદલી ગયું હશે. આવું કરવા પાછળ સરકારની મુખ્ય બે ગણતરીઓ છે.
પહેલું તો એ કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક ફેરફારો કરીને વર્તમાન સરકારે વૈશ્વિક મીડિયામાં પૂરતું માઈલેજ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૃણ જેટલીની જોડીને વિશ્વમાં આર્થિક પરિવર્તનો લાવનારા નેતાઓ તરીકે કવરેજ મળ્યું છે. અલબત્ત, એ મીડિયા કવરેજ માત્ર હકારાત્મક નથી; નકારાત્મક પણ છે જ. છતાં પાંચ વર્ષની ટર્મ દરમિયાન ત્રણ મોટા ફેરફારો કરે તો સરકાર લાંબાંગાળે ફાયદો થશે એવા નામે પરિવર્તનશીલ કામગીરી કરી હોવાની બડાઈ કરી શકે.
બીજી ગણતરી એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં આ નવું નાણાકીય વર્ષ લાગુ થાય તો સ્વાભાવિક છે કે તેનું બજેટ નવેમ્બર-૨૦૧૮માં રજૂ કરવાનું થાય. એટલે કે આવતા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. એ હિસાબે ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવે એ પહેલાં જ બજેટની જાહેરાતો સરકારે લાગુ પાડી દીધી હોય તો એ કાર્યોને ૨૦૧૯ની લોકસભામાં ચૂંટણી મુદ્દો પણ બનાવી શકાય! લોકસભાની ચૂંટણીમાં નવા નાણાકીય વર્ષનો મુદ્દો તેમ જ ત્રણ-ત્રણ આર્થિક ફેરફારો કર્યા છે અને તેનો ફાયદો લાંબાંગાળે થશે એવી સ્પષ્ટતાઓ કરીને સરકાર નોટબંધી અને જીએસટી પછી સર્જાયેલી નેગેટિવ અસરને થોડા ઘણાં અંશે ખાળી શકે.
અચ્છા, આ સિવાયના જે ફાયદા છે તે એટલા બધા પ્રભાવી નથી કે તેનાથી ઈકોનોમીમાં મોટો ફેરફાર થાય. જેમ કે, અત્યારે આ નાણાકીય વર્ષની સિસ્ટમ પ્રમાણે દર વખતે લોકસભાની ચૂંટણી પહેલાં એક બજેટ રજૂ થાય છે. એ પછી નવી સરકાર રચાય તે જુલાઈમાં બજેટ રજૂ કરે છે. તેનું અમલીકરણ માત્ર આઠેક મહિના જેટલું લાંબું હોય છે. એનો અર્થ એ કે પાંચ વર્ષે એક વખત બજેટ અને તેનું અમલીકરણ અધૂરું હોય છે. બીજા ફાયદાઓ એવા છે કે જે વિદેશી કંપનીઓ પોતાનું નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે રાખે છે તેને પોતાના વહીવટમાં વધુ સરળતા રહેશે. દેશમાં પણ એક વખત આ સિસ્ટમ લાગુ થાય તો એપ્રિલ-માર્ચને બદલે કેલેન્ડર યર પ્રમાણે નવા વર્ષે જ નવું અમલીકરણ અને ટેક્ષ પણ ડિસેમ્બરના અંતમાં ભરાઈ જાય તો નવા વર્ષે રાહત. ઈન શોર્ટ કેલેન્ડર યર જ બધી રીતે નવું વર્ષ બની રહે. આ વર્ષના મધ્યમાં જે આર્થિક દોડધામનો માહોલ હોય છે તે વર્ષના અંતે જ પૂરો થઈ જાય.
પણ આમ જૂઓ તો એનાથી ઈકોનોમીને એવો કોઈ ફરક પડે નહીં. જે હાડમારી એપ્રિલમાં હોય છે એ હાડમારી ડિસેમ્બરમાં હશે. ખરા અર્થમાં હાડમારી ઓછી તો જ થશે કે જો આર્થિકનીતિમાં કોઈ પ્રજાલક્ષી પરિવર્તન આવે. એ પરિવર્તન વગરના બદલાવ ઘરના બાહરી રંગરોગાન જેવા છે. ઘરમાં ઢગલો કચરો હોય અને ઠેર-ઠેર ઝાળા બાઝ્યા હોય ત્યારે બાહરની દિવાલોમાં ભડકિલા રંગો લગાડી દેવાથી કોઈ ખાસ ફરક આવતો નથી, અદ્લ એવું જ આ બાબતે પણ થશે!
કેન્દ્રની ભાજપ પ્રેરિત સરકારે બે વર્ષમાં નોટબંધી અને જીએસટી એમ બે આર્થિક ફેરફારો કર્યા છે. નોટબંધીની આડઅસરોમાંથી ભારતીય અર્થતંત્ર હજુ તો માંડ બેઠું થઈ રહ્યું કે તરત જીએસટી લાગુ કરીને ફરીથી અર્થતંત્રને મંદ કરી દેવામાં આવ્યું. આ બંને મોટા ફેરફારોમાં સમાનતા એ હતી કે બંનેનું અમલીકરણ ઉતાવળે થયું હતું. બંનેની આડઅસર એટલી ભયાનક નીવડી કે સરકારે એકથી વધુ વખત પીછેહઠ કરવી પડી. આ બે વખતની પીઠેહઠ પછી વધુ એક વખત સરકારે કમર કસી છે. આ વખતે મુદ્દો છે - નાણાકીય વર્ષની સિસ્ટમ બદલવાનો.
અત્યારે દેશમાં ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચનું નાણાકીય વર્ષ ચાલે છે. એ નાણાકીય વર્ષ પ્રમાણે કરદાતાઓ કર ભરે છે અને સરકાર પણ નવી નીતિ આ સિસ્ટમ પ્રમાણેના નાણાકીય વર્ષમાં લાગુ પાડે છે. એ માટે બજેટ ફેબુ્રઆરીમાં રજૂૂ થઈ જાય છે અને તેના અમલીકરણ માટે બે માસનો સમય મળે છે. હવે સરકારે આ સિસ્ટમ કેલેન્ટર યર એટલે કે ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરી નાખવાનું આયોજન કર્યું છે. એનો અર્થ એ કે સરકાર નવેમ્બર માસમાં બજેટ રજૂ કરે અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. સરકારની એ પાછળની લાંબાગાળાની ગણતરીઓની વાત કરતા પહેલાં એ જાણી લઈએ કે કેલેન્ડર વર્ષ પ્રમાણે નાણાકીય વર્ષ લાગુ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ નહીં હોય.
વિશ્વના અડધો અડધ દેશોમાં નાણાકીય વર્ષ ૧લી જાન્યુઆરીથી ડિસેમ્બર છે. ચીન, ઓસ્ટ્રિયા, બેલારૃસ, બ્રાઝિલ, ડેન્માર્ક, ઈટાલી, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ જેવા કેટલાંય નોંધપાત્ર દેશોએ નાણાકીય વર્ષ 'કેલેન્ટર યર' યાને જાન્યુઆરીથી ડિસેમ્બર રાખ્યું છે. કેટલીય વૈશ્વિક કંપનીઓ પણ જાન્યુઆરીથી ડિસેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે. કારણ કે તેમના માટે એ સિસ્ટમ વધુ સરળ છે. નાણાકીય વર્ષ પણ વૈશ્વિક રીતે સ્વીકાર્ય એવા કેલેન્ડર યર જાન્યુઆરીથી ડિસેમ્બર હોય તો કંપનીઓને પ્રમોશનથી લઈને વર્ષાંતે મળતું ક્રિસ્મસનું વાર્ષિક વેકેશન સરળતાથી સેટ થઈ જાય છે. રજાઓમાંથી પરવારીને કર્મચારીઓ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં હાજર થાય એ સાથે જ તેને નવા વર્ષે નવા નાણાકીય વર્ષે કામ કરવાનું થાય છે. મનોવૈજ્ઞાાનિક રીતે ય ઘણાં દેશો માટે આ વધુ યોગ્ય વ્યવસ્થા છે અને એટલે જ એ દેશો તે વ્યવસ્થાને વર્ષોથી જાળવી રાખે છે.
બેક ટુ ધ ઈન્ડિયા. ભારતમાં આ નાણાકીય વર્ષની સિસ્ટમ અંગ્રેજ શાસનની દેન છે. ૧૮૬૭માં બ્રિટિશ સરકારે બ્રિટિશ રાજના નાણાકીય વર્ષ સાથે મેળ બેસાડવા માટે ભારતનું હિસાબી વર્ષ પણ એ મુજબ ગોઠવ્યું હતું. ભારતને આઝાદી મળી પછી તુરંત તમામ વહીવટોમાં ફેરફાર કરીને નવું નાણાકીય વર્ષ સેટ કરવું અઘરું હતું એટલે શરૃઆતમાં એ જ સિસ્ટમને જાળવી રાખવામાં આવી.
ભારતે નાણાકીય વર્ષ બદલવા માટે પહેલો વિચાર ૧૯૮૪માં કર્યો હતો. રાજીવ ગાંધીની સરકાર વખતે તેમના આર્થિક સલાહકાર અને આરબીઆઈના પૂર્વ ગર્વનર લક્ષ્મીકાંત ઝાએ કેલેન્ડર યર પ્રમાણે નાણાકીય વર્ષ ગોઠવવાની ભલામણ કરી હતી. લક્ષ્મીકાંત ઝાની આગેવાનીમાં ૧૯૮૪માં એલકે ઝા કમિટી બનાવાઈ હતી. એ કમિટીએ સરકારને વિગતવાર અહેવાલ આપ્યો હતો. એ અહેવાલમાં ભારતમાં નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે કરી દેવાથી કઈ કઈ બાબતો સરળ થશે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો.
પૂરતી તૈયારી વગર અમલીકરણ શક્ય ન હતું એટલે યોગ્ય આયોજન થાય ત્યાં સુધી સરકારે રાહ જોવાનું નક્કી કર્યું. પછી તો બે-ચાર વર્ષમાં સરકારની દિશા અન્ય ક્ષેત્રના નવીનીકરણ તરફ ફંટાઈ ગઈ. કોમ્યુનિકેશન અને ટેકનોલોજી તરફ ધ્યાન આપવાની બાબત રાજીવ ગાંધી સરકારની મુખ્ય પ્રાથમિકતા હતી અને એ પછી તો રાજકીય અરાજકતાનો સમયગાળો આવી પડયો એટલે વાત સદંતર વિસરાઈ ગઈ. આર્થિક ઉદાહરણ લાગુ કર્યા પછી તુરંત આવી નવી નાણાકીય વર્ષની સિસ્ટમનું જોખમ લઈ શકાય નહીં એ સમજતા તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે નાણાકીય વર્ષ બદલવા કરતા આર્થિક નીતિ બદલવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્થશાસ્ત્રી મનમોહન સિંહ અનેક દેશોના અર્થશાસ્ત્રથી સારી રીતે વાકેફ હતા અને તેમનો મત હતો કે નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે થાય કે ન થાય તેનાથી બહુ મોટો ફરક પડશે નથી. આમ વાત ત્યાં જ અટકી ગઈ. પણ વાતને અંતે પૂર્ણવિરામ મૂકાયું ન હતું એટલે નાણાકીય પરિવર્તનો તરફ વિશેષ ધ્યાન આપતી વર્તમાન સરકારે અટકી ગયેલી નાણાકીય વર્ષની વાતને આગળ વધારી છે!
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની નેમ છે કે ૨૦૧૯થી નાણાકીય વર્ષ બદલીને જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવામાં આવે. જો એવું થાય તો આવતા વર્ષે મહત્વની ચૂંટણીઓ પૂરી થશે પછી તેની જાહેરાત કરાય તેવી પૂરી શક્યતા છે. આવતા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણી પછી સરકાર એ દિશામાં જાહેરાતો કરે તો તૈયારી માટે કંપનીઓને અને કરદાતાઓને એટલિસ્ટ આખું વર્ષ મળશે. જો એવું થાય તો લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં નાણાકીય વર્ષ બદલી ગયું હશે. આવું કરવા પાછળ સરકારની મુખ્ય બે ગણતરીઓ છે.
પહેલું તો એ કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક ફેરફારો કરીને વર્તમાન સરકારે વૈશ્વિક મીડિયામાં પૂરતું માઈલેજ મેળવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૃણ જેટલીની જોડીને વિશ્વમાં આર્થિક પરિવર્તનો લાવનારા નેતાઓ તરીકે કવરેજ મળ્યું છે. અલબત્ત, એ મીડિયા કવરેજ માત્ર હકારાત્મક નથી; નકારાત્મક પણ છે જ. છતાં પાંચ વર્ષની ટર્મ દરમિયાન ત્રણ મોટા ફેરફારો કરે તો સરકાર લાંબાંગાળે ફાયદો થશે એવા નામે પરિવર્તનશીલ કામગીરી કરી હોવાની બડાઈ કરી શકે.
બીજી ગણતરી એ છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં આ નવું નાણાકીય વર્ષ લાગુ થાય તો સ્વાભાવિક છે કે તેનું બજેટ નવેમ્બર-૨૦૧૮માં રજૂ કરવાનું થાય. એટલે કે આવતા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થાય અને તેનું અમલીકરણ જાન્યુઆરીથી થાય. એ હિસાબે ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવે એ પહેલાં જ બજેટની જાહેરાતો સરકારે લાગુ પાડી દીધી હોય તો એ કાર્યોને ૨૦૧૯ની લોકસભામાં ચૂંટણી મુદ્દો પણ બનાવી શકાય! લોકસભાની ચૂંટણીમાં નવા નાણાકીય વર્ષનો મુદ્દો તેમ જ ત્રણ-ત્રણ આર્થિક ફેરફારો કર્યા છે અને તેનો ફાયદો લાંબાંગાળે થશે એવી સ્પષ્ટતાઓ કરીને સરકાર નોટબંધી અને જીએસટી પછી સર્જાયેલી નેગેટિવ અસરને થોડા ઘણાં અંશે ખાળી શકે.
અચ્છા, આ સિવાયના જે ફાયદા છે તે એટલા બધા પ્રભાવી નથી કે તેનાથી ઈકોનોમીમાં મોટો ફેરફાર થાય. જેમ કે, અત્યારે આ નાણાકીય વર્ષની સિસ્ટમ પ્રમાણે દર વખતે લોકસભાની ચૂંટણી પહેલાં એક બજેટ રજૂ થાય છે. એ પછી નવી સરકાર રચાય તે જુલાઈમાં બજેટ રજૂ કરે છે. તેનું અમલીકરણ માત્ર આઠેક મહિના જેટલું લાંબું હોય છે. એનો અર્થ એ કે પાંચ વર્ષે એક વખત બજેટ અને તેનું અમલીકરણ અધૂરું હોય છે. બીજા ફાયદાઓ એવા છે કે જે વિદેશી કંપનીઓ પોતાનું નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે રાખે છે તેને પોતાના વહીવટમાં વધુ સરળતા રહેશે. દેશમાં પણ એક વખત આ સિસ્ટમ લાગુ થાય તો એપ્રિલ-માર્ચને બદલે કેલેન્ડર યર પ્રમાણે નવા વર્ષે જ નવું અમલીકરણ અને ટેક્ષ પણ ડિસેમ્બરના અંતમાં ભરાઈ જાય તો નવા વર્ષે રાહત. ઈન શોર્ટ કેલેન્ડર યર જ બધી રીતે નવું વર્ષ બની રહે. આ વર્ષના મધ્યમાં જે આર્થિક દોડધામનો માહોલ હોય છે તે વર્ષના અંતે જ પૂરો થઈ જાય.
પણ આમ જૂઓ તો એનાથી ઈકોનોમીને એવો કોઈ ફરક પડે નહીં. જે હાડમારી એપ્રિલમાં હોય છે એ હાડમારી ડિસેમ્બરમાં હશે. ખરા અર્થમાં હાડમારી ઓછી તો જ થશે કે જો આર્થિકનીતિમાં કોઈ પ્રજાલક્ષી પરિવર્તન આવે. એ પરિવર્તન વગરના બદલાવ ઘરના બાહરી રંગરોગાન જેવા છે. ઘરમાં ઢગલો કચરો હોય અને ઠેર-ઠેર ઝાળા બાઝ્યા હોય ત્યારે બાહરની દિવાલોમાં ભડકિલા રંગો લગાડી દેવાથી કોઈ ખાસ ફરક આવતો નથી, અદ્લ એવું જ આ બાબતે પણ થશે!
(10-12-17, 'ગુજરાત સમાચાર' ની 'રવિપૂર્તિ'માં પબ્લિશ થયેલો લેખ)
ભારતમાં અત્યારે ૧લી એપ્રિલથી ૩૧મી માર્ચ નાણાકીય વર્ષ છે : તેમાં ફેરફાર કરીને સરકાર ૧લી જાન્યુઆરીથી ૩૧મી ડિસેમ્બર કરવા ઈચ્છે છે
See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-magazine-gujarati-financial-year-system10-december-2017#sthash.aejVES5S.dpuf
See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/ravipurti-magazine-gujarati-financial-year-system10-december-2017#sthash.aejVES5S.dpuf
હેરોલ્ડ ગ્રેહામ : દુનિયાના પ્રથમ રોકેટમેન
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ટ્રમ્પે કિમ જોંગની રોકેટમેન કહીને મશ્કરી કરી, ત્યારથી 'રોકેટમેન' શબ્દ વિશ્વભરના મીડિયામાં ચમકી રહ્યો છે. એ મશ્કરી વચ્ચે અસલી રોકેટમેન વિશે પણ થોડું જાણી લઈએ...
૧૯૬૫માં જેમ્સ બૉન્ડની 'થંડરબોલ' ફિલ્મ આવી હતી. એમાં જેમ્સ બૉન્ડે રોકેટબેલ્ટ યાને જેટ પેક બાંધીને જે ઉડાન ભરી હતી તે ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બૉન્ડ સીરિઝના ચાહકોએ ઉડતા જેમ્સ બૉન્ડને જોવાનો ઉમળકો દાખવ્યો હતો. એ દૃશ્ય 'થંડરબોલ' ફિલ્મની ઓળખ જેવું બની ગયું હતું. જેમ્સ બૉન્ડને ઉડવાની આડકતરી પ્રેરણા જે માણસે આપી હતી તેને હવે દુનિયા રોકેટમેન તરીકે ઓળખે છે : રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ.
અમેરિકાના આક્રમક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના માથા ફરેલા શાસક કિમ જોંગ ઉનની 'રોકેટમેન' કહીને મશ્કરી કરી છે ત્યારથી વિશ્વભરના મીડિયામાં કિમ જોંગ ઉન માટે 'રોકેટમેન' શબ્દપ્રયોગ થઈ રહ્યો છે. આ મશ્કરીના કારણે આજે રોકેટમેન એટલે જાણે કિમ જોંગ ઉન એવી વ્યાખ્યા થઈ ગઈ છે!
પણ એ પહેલાં રોકેટમેન શબ્દનો પ્રયોગ થતો એટલે હેરોલ્ડ ગ્રેહામ નામના સાહસિકને યાદ કરાતા. 'હલ'ના ટૂંકા નામે ઓળખાતા હેરોલ્ડ ગ્રેહામને ઈતિહાસ કેમ રોકેટમેન તરીકે યાદ કરે છે?
***
૧૯૬૫માં જેમ્સ બૉન્ડની 'થંડરબોલ' ફિલ્મ આવી હતી. એમાં જેમ્સ બૉન્ડે રોકેટબેલ્ટ યાને જેટ પેક બાંધીને જે ઉડાન ભરી હતી તે ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બૉન્ડ સીરિઝના ચાહકોએ ઉડતા જેમ્સ બૉન્ડને જોવાનો ઉમળકો દાખવ્યો હતો. એ દૃશ્ય 'થંડરબોલ' ફિલ્મની ઓળખ જેવું બની ગયું હતું. જેમ્સ બૉન્ડને ઉડવાની આડકતરી પ્રેરણા જે માણસે આપી હતી તેને હવે દુનિયા રોકેટમેન તરીકે ઓળખે છે : રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ.
અમેરિકાના આક્રમક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના માથા ફરેલા શાસક કિમ જોંગ ઉનની 'રોકેટમેન' કહીને મશ્કરી કરી છે ત્યારથી વિશ્વભરના મીડિયામાં કિમ જોંગ ઉન માટે 'રોકેટમેન' શબ્દપ્રયોગ થઈ રહ્યો છે. આ મશ્કરીના કારણે આજે રોકેટમેન એટલે જાણે કિમ જોંગ ઉન એવી વ્યાખ્યા થઈ ગઈ છે!
પણ એ પહેલાં રોકેટમેન શબ્દનો પ્રયોગ થતો એટલે હેરોલ્ડ ગ્રેહામ નામના સાહસિકને યાદ કરાતા. 'હલ'ના ટૂંકા નામે ઓળખાતા હેરોલ્ડ ગ્રેહામને ઈતિહાસ કેમ રોકેટમેન તરીકે યાદ કરે છે?
***
૧૧મી ઓક્ટોબર, ૧૯૬૧નો એ દિવસ હતો. અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હાજરીમાં અમેરિકન કંપની બેલ એરક્રાફ્ટે નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ મિલિટરી બેઝ પર રોકેટબેલ્ટની મદદથી માણસ ઉડી શકે છે એનું પ્રદર્શન યોજ્યું હતું.
પ્રેસિડેન્ટ સામે માણસની ફ્રી ફ્લાઈંગની સફળતાનું પ્રદર્શન કરતાં પહેલાં ઘણાં પરીક્ષણો થયા હતા, પણ પ્રમુખ ઉપરાંત અમેરિકી મીડિયા અને અમેરિકાના ચુનંદા મહાનુભાવોની હાજરીમાં થઈ રહેલું એ પ્રદર્શન સફળ રહે એ બહુ જરૂરી હતું. એમાં જરાય ગરબડ થાય તો નામોશી થાય તેમ હતી.
સફળતાનો બધો જ ભાર એકલાં હેરોલ્ડ ગ્રેહામ પર હતો. ખુદ પ્રમુખ હાજર હોય અને એ ઘટનાના સાક્ષી બનવા અમેરિકાના જાણીતા ચહેરા સામે હોય ત્યારે સફળ થવાનું દબાણ વધી જાય એ સ્વાભાવિક છે. પણ ગ્રેહામે એવા કોઈ જ દબાવમાં આવ્યા વગર એકદમ સ્વસ્થતાથી રોકેટબેલ્ટ પહેરીને સરળતાથી ઉડાન ભરી લીધી. નક્કી કરેલા સ્થળેથી ગ્રેહામે ઉડાન ભરી અને જેટ પેકને કંટ્રોલમાં લઈને પ્રમુખ કેનેડી જ્યાં બેઠા હતા તેમની સાવ સામે લેન્ડિંગ કર્યું. તેની કાબિલેદાદ સ્વસ્થતાની ત્યાં હાજર મીડિયાએ ભરપેર પ્રશંસા કરી.
બીજા દિવસે અમેરિકન મીડિયામાં પ્રમુખ કેનેડીની હાજરીમાં રોકેટબેલ્ટની મદદથી માણસે પ્રથમ વખત સફળતાપૂર્વક ફ્રી ફ્લાઈંગ કર્યું તેના અહેવાલો છપાયા અને હેરોલ્ડ ગ્રેહામ માટે પહેલી વાર 'રોકેટમેન' શબ્દ પ્રયોજાયો. એ શબ્દ ભલે તે દિવસે પ્રથમ વખત પ્રયોજાયો હતો, પણ ખરેખર તો હેરોલ્ડ ગ્રેહામ નામનો ૨૭ વર્ષનો એ યુવાન તે પહેલાં જ આ બિરૂદ મેળવી ચૂક્યો હતો.
***
પ્રેસિડેન્ટ સામે માણસની ફ્રી ફ્લાઈંગની સફળતાનું પ્રદર્શન કરતાં પહેલાં ઘણાં પરીક્ષણો થયા હતા, પણ પ્રમુખ ઉપરાંત અમેરિકી મીડિયા અને અમેરિકાના ચુનંદા મહાનુભાવોની હાજરીમાં થઈ રહેલું એ પ્રદર્શન સફળ રહે એ બહુ જરૂરી હતું. એમાં જરાય ગરબડ થાય તો નામોશી થાય તેમ હતી.
સફળતાનો બધો જ ભાર એકલાં હેરોલ્ડ ગ્રેહામ પર હતો. ખુદ પ્રમુખ હાજર હોય અને એ ઘટનાના સાક્ષી બનવા અમેરિકાના જાણીતા ચહેરા સામે હોય ત્યારે સફળ થવાનું દબાણ વધી જાય એ સ્વાભાવિક છે. પણ ગ્રેહામે એવા કોઈ જ દબાવમાં આવ્યા વગર એકદમ સ્વસ્થતાથી રોકેટબેલ્ટ પહેરીને સરળતાથી ઉડાન ભરી લીધી. નક્કી કરેલા સ્થળેથી ગ્રેહામે ઉડાન ભરી અને જેટ પેકને કંટ્રોલમાં લઈને પ્રમુખ કેનેડી જ્યાં બેઠા હતા તેમની સાવ સામે લેન્ડિંગ કર્યું. તેની કાબિલેદાદ સ્વસ્થતાની ત્યાં હાજર મીડિયાએ ભરપેર પ્રશંસા કરી.
બીજા દિવસે અમેરિકન મીડિયામાં પ્રમુખ કેનેડીની હાજરીમાં રોકેટબેલ્ટની મદદથી માણસે પ્રથમ વખત સફળતાપૂર્વક ફ્રી ફ્લાઈંગ કર્યું તેના અહેવાલો છપાયા અને હેરોલ્ડ ગ્રેહામ માટે પહેલી વાર 'રોકેટમેન' શબ્દ પ્રયોજાયો. એ શબ્દ ભલે તે દિવસે પ્રથમ વખત પ્રયોજાયો હતો, પણ ખરેખર તો હેરોલ્ડ ગ્રેહામ નામનો ૨૭ વર્ષનો એ યુવાન તે પહેલાં જ આ બિરૂદ મેળવી ચૂક્યો હતો.
***
રોકેટબેલ્ટની મદદથી માણસ ઉડી શકે કે કેમ તેના પ્રયોગો આમ તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ શરૂ થઈ ચૂક્યા હતાં. લશ્કરી ક્ષમતા વધારવાની સ્પર્ધાના એ દિવસોમાં દરેક દેશમાં લશ્કરને અને સૈનિકોને નવી નવી ટેકનોલોજી વિકસાવવાની મોકળાશ મળી રહી હતી. અમેરિકામાં પણ ફ્લાઈંગ બેલ્ટના પ્રયોગો શરૂ થયા હતા. જો સૈનિકો પાસે ઉડી શકાય એવું જેટ પેક હોય તો વ્યૂહાત્મક રીતે એ ઘણું મહત્વનું સાબિત થઈ શકે તેમ હતું. પ્રયોગો દરમિયાન જ વિશ્વયુદ્ધ પૂરું થયું, પણ વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરનો પ્રારંભ થયો એટલે આવા પ્રયોગોને બળ મળતું રહ્યું.
એમાં ય અમેરિકા-રશિયા વચ્ચે અવકાશી હોડ જામી હતી એટલે એરોસ્પેસના પ્રયોગો પૂર જોશમાં ચાલતા હતા. એના ભાગરૂપે વેન્ડેલ મૂરે નામના સંશોધક અને સાહસિકે ૧૯૫૩ આસપાસ રોકેટ પેક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એમાં બેલ એરક્રાફ્ટ કંપનીનો પૂરો સહકાર મળ્યો. છ-સાત વર્ષના પ્રયોગો પછી વેન્ડેલ મૂરેની લીડરશિપમાં બેલ એરક્રાફ્ટને રોકેટ પેક બનાવવામાં પ્રારંભિક સફળતા મળી. પણ રોકેટ પેકની મદદથી ધારી ઉડાન ભરી શકાતી ન હતી. ઘણાં અવરોધો વચ્ચે રોકેટ પેકથી ઉડવાનું ટેસ્ટિંગ ખુદ સંશોધક મૂરેએ કરી જોયું. ઘણાં પ્રયાસો તેમણે કર્યા. બે-અઢી મીટરની ઊંચાઈ સુધી ઉડવામાં તો તેમને લગભગ વીસેક પ્રયાસો પછી સફળતા મળી, પણ લેન્ડિંગમાં મૂરેનો કંટ્રોલ રહેતો ન હતો. ધારી ઝડપ પણ મેળવી શકાતી ન હતી. ટેસ્ટિંગ વખતે વચ્ચે રાખેલા અવરોધો પાર પાડવાના થતા, એમાં ય નિષ્ફળતા મળતી હતી.
આખરે કંપનીએ ૪૨-૪૪ વર્ષના મૂરેને બદલે ટેસ્ટિંગ માટે તરવરિયા યુવાનને પસંદ કરવાનું વિચાર્યું. કંપનીમાં કામ કરતા થોડા યુવાનોના નામ વિશે વિચાર્યા પછી અંતે સાયન્સ ગ્રેજ્યુએટ હેરોલ્ડ ગ્રેહામ નામના ૨૬-૨૭ વર્ષના જુવાનને પસંદ કરાયો. તે પહેલાં ગ્રેહામે માત્ર કાર ચલાવી હતી. એવિએશનનો તેને કોઈ જ અનુભવ ન હતો છતાં પ્રાથમિક તાલીમના અંતે ૧લી માર્ચ, ૧૯૬૧ના દિવસે તેણે રોકેટબેલ્ટની મદદથી સફળ ઉડાન ભરી લીધી. રોકેટબેલ્ટ ઉપર તેનું પૂરતું નિયંત્રણ હતું એ જોઈને આગળના બધા જ પ્રયોગો ગ્રેહામ ઉપર જ થવા લાગ્યાં. પછી તો તેણે દોઢ જ મહિનામાં ૩૬ વખત ઉડાન ભરીને આંતરિક વર્તુળોમાં રોકેટમેન તરીકેની ઓળખ બનાવી લીધી.
રશિયન અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિન અવકાશમાં પહોંચનારા પ્રથમ ઈન્સાન છે, પણ ગ્રેહામ નામનો અમેરિકી યુવાન એ પહેલાં જ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. ગ્રેહામે શરૂઆતમાં રોકેટબેલ્ટથી ઉડવાના અને લેન્ડિંગ કરવાના સફળ પ્રયોગો કર્યા પછી ઝડપથી ઉડવાના પ્રયોગોમાં પણ એટલી જ સફળતા મેળવી. ગ્રેહામે ૧૯૬૧ના માર્ચ-એપ્રિલમાં પાંચ ફૂટની ઊંચાઈએ ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લગભગ ૧૦૮ ફૂટનું અંતર માત્ર ૧૩ સેકન્ડમાં પૂરું કર્યું હતું. પછીના મહિનામાં બીજી ૨૮ ઉડાન ભરી. દરેક વખતે તેમણે ઝડપ અને ઊંચાઈ વધારી. એક વખત તેમણે લગભગ ૩૨ ફૂટની ઊંચાઈ મેળવીને ૪૦૦ ફૂટનું અંતર ૫૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પૂરું કર્યું હતું.
એમાં ય અમેરિકા-રશિયા વચ્ચે અવકાશી હોડ જામી હતી એટલે એરોસ્પેસના પ્રયોગો પૂર જોશમાં ચાલતા હતા. એના ભાગરૂપે વેન્ડેલ મૂરે નામના સંશોધક અને સાહસિકે ૧૯૫૩ આસપાસ રોકેટ પેક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. એમાં બેલ એરક્રાફ્ટ કંપનીનો પૂરો સહકાર મળ્યો. છ-સાત વર્ષના પ્રયોગો પછી વેન્ડેલ મૂરેની લીડરશિપમાં બેલ એરક્રાફ્ટને રોકેટ પેક બનાવવામાં પ્રારંભિક સફળતા મળી. પણ રોકેટ પેકની મદદથી ધારી ઉડાન ભરી શકાતી ન હતી. ઘણાં અવરોધો વચ્ચે રોકેટ પેકથી ઉડવાનું ટેસ્ટિંગ ખુદ સંશોધક મૂરેએ કરી જોયું. ઘણાં પ્રયાસો તેમણે કર્યા. બે-અઢી મીટરની ઊંચાઈ સુધી ઉડવામાં તો તેમને લગભગ વીસેક પ્રયાસો પછી સફળતા મળી, પણ લેન્ડિંગમાં મૂરેનો કંટ્રોલ રહેતો ન હતો. ધારી ઝડપ પણ મેળવી શકાતી ન હતી. ટેસ્ટિંગ વખતે વચ્ચે રાખેલા અવરોધો પાર પાડવાના થતા, એમાં ય નિષ્ફળતા મળતી હતી.
આખરે કંપનીએ ૪૨-૪૪ વર્ષના મૂરેને બદલે ટેસ્ટિંગ માટે તરવરિયા યુવાનને પસંદ કરવાનું વિચાર્યું. કંપનીમાં કામ કરતા થોડા યુવાનોના નામ વિશે વિચાર્યા પછી અંતે સાયન્સ ગ્રેજ્યુએટ હેરોલ્ડ ગ્રેહામ નામના ૨૬-૨૭ વર્ષના જુવાનને પસંદ કરાયો. તે પહેલાં ગ્રેહામે માત્ર કાર ચલાવી હતી. એવિએશનનો તેને કોઈ જ અનુભવ ન હતો છતાં પ્રાથમિક તાલીમના અંતે ૧લી માર્ચ, ૧૯૬૧ના દિવસે તેણે રોકેટબેલ્ટની મદદથી સફળ ઉડાન ભરી લીધી. રોકેટબેલ્ટ ઉપર તેનું પૂરતું નિયંત્રણ હતું એ જોઈને આગળના બધા જ પ્રયોગો ગ્રેહામ ઉપર જ થવા લાગ્યાં. પછી તો તેણે દોઢ જ મહિનામાં ૩૬ વખત ઉડાન ભરીને આંતરિક વર્તુળોમાં રોકેટમેન તરીકેની ઓળખ બનાવી લીધી.
રશિયન અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિન અવકાશમાં પહોંચનારા પ્રથમ ઈન્સાન છે, પણ ગ્રેહામ નામનો અમેરિકી યુવાન એ પહેલાં જ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. ગ્રેહામે શરૂઆતમાં રોકેટબેલ્ટથી ઉડવાના અને લેન્ડિંગ કરવાના સફળ પ્રયોગો કર્યા પછી ઝડપથી ઉડવાના પ્રયોગોમાં પણ એટલી જ સફળતા મેળવી. ગ્રેહામે ૧૯૬૧ના માર્ચ-એપ્રિલમાં પાંચ ફૂટની ઊંચાઈએ ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લગભગ ૧૦૮ ફૂટનું અંતર માત્ર ૧૩ સેકન્ડમાં પૂરું કર્યું હતું. પછીના મહિનામાં બીજી ૨૮ ઉડાન ભરી. દરેક વખતે તેમણે ઝડપ અને ઊંચાઈ વધારી. એક વખત તેમણે લગભગ ૩૨ ફૂટની ઊંચાઈ મેળવીને ૪૦૦ ફૂટનું અંતર ૫૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પૂરું કર્યું હતું.
આ ઝડપ, આ ઊંચાઈ અને આ સાતત્ય પછી અમેરિકામાં ૨૭ વર્ષનો યુવાન ગ્રેહામ રોકેટમેન તરીકે ઓળખાવા લાગ્યો હતો. રશિયાના પ્રથમ અંતરિક્ષ યાત્રી યુરી ગાગરિનના જવાબમાં અમેરિકાને પોતાના રોકેટમેનની તલાશ હતી અને એ તલાશ એ વખત પૂરતી હેરોલ્ડ ગ્રેહામે પૂરી કરી દીધી હતી!
***
***
પછી તો ગ્રેહામે અમેરિકાના તમામ રાજ્યો ઉપરાંત કેનેડા, મેક્સિકો, જર્મની, આર્જેન્ટિના, ફ્રાન્સ સહિતના ડઝનેક દેશોમાં ભરચક મેદની સામે રોકેટબેલ્ટથી રોકેટની ઝડપે ઉડી બતાવ્યું! ગ્રેહામના આ કરતબથી લોકોની આંખમાં અચરજ અંજાતું! રોકેટબેલ્ટથી ગ્રેહામ તળાવો પાર કરી શકતો. લોકોનું મનોરંજન અને રોકેટબેલ્ટનું પ્રદર્શન કરવા મોટા મેદાનો પાર કરતો. વૃક્ષોની હારમાળા પાર કરી શકતો અને હેલિકોપ્ટર્સ કે વિમાનો અવરોધ માટે વચ્ચે રખાયા હોય એ પાર કરીને હવામાં સર્કલ રચી શકતો. ગ્રેહામના આ કરતબોના જવાબમાં અસંખ્ય લોકો 'રોકેટમેન..' 'રોકેટમેન...'ની ચિચિયારીઓ પાડીને તેમના કૌવતની પ્રશંસા કરતા.
જોકે, ૪૦૦ ફૂટની ફ્લાઈટમાં ૧૯-૨૦ લીટર બળતણ ખર્ચ થતું એટલે વિમાની મુસાફરીની તુલનાએ રોકેટબેલ્ટની મુસાફરી ખર્ચાળ સાબિત થતી. એેક વખત ૪૦૦ ફૂટનું અંતર તય કર્યા પછી નવેસરથી ફ્યુઅલ પુરાવવું પડતું. રોકેટબેલ્ટમાં મોટી ટાંકી શક્ય ન હતી. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને તેનો લાંબાંગાળાનો લશ્કરી ઉપયોગ શક્ય ન હતો, પણ રોકેટની ઝડપે આપબળે ઉડવા માટે રોકેટબેલ્ટ યાને જેટ પેક ઉપયોગી હતું. એ વખતે જેટ પેક સાહસિકોને ઝડપથી ઉડવામાં સ્વાવલંબી બનાવતું હતું અને સાહસનું પ્રદર્શન કરવામાં ય ઉપયોગી હતું. રોકેટબેલ્ટનો બહોળો ઉપયોગ અવકાશયાત્રીઓને કરવાનો થતો હોય છે.
હવે તો એવા અન્ય વિકલ્પો પણ અવેલેબલ છે, પરંતુ સાડા પાંચ-છ દશકા પહેલાં તેનું આકર્ષણ અનેરું હતું. દુનિયાના એ આકર્ષણના કારણે જ હેરોલ્ડ ગ્રેહામને દુનિયાના પ્રથમ રોકેટમેનનું સન્માન મળ્યું હતું.
***
રોકેટબેલ્ટની મદદથી ઉડવાનું શરૂ કર્યું એના દશકાઓ પહેલાં જ માણસે વિમાનની મદદથી ઉડવાનું શરૂ કરી દીધું હતું. પેરાશૂટ જેવા સાધનો પણ ઉડાન માટે મદદે આવ્યા હતા, પણ રોકેટબેલ્ટ કે જેટ પેકથી ઉડવાનું કામ ઘણું અલગ હતું. રોકેટબેલ્ટમાં મોસ્ટલી હાઈડ્રોજન પેરોક્સાઈડનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. રોકેટબેલ્ટમાં કુશળતાની કસોટી તેને કાબુમાં લેતી વખતે થાય છે. રોકેટબેલ્ટ બનાવવાની ટેકનિકમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનારા વેન્ડેલ મૂરેને પણ એમાં સફળતા મળી ન હતી. એ કામ હેરોલ્ડ ગ્રેહામે કરી બતાવ્યું હતું.
હેરોલ્ડ ગ્રેહામે એ પહેલાં ઉડ્ડયનની કોઈ જ તાલીમ લીધી ન હતી. માત્ર કાર ચલાવવાનો અનુભવ ધરાવતા ગ્રેહામે રોકેટબેલ્ટની ઉડાનમાં એવી તો ગ્રિપ મેળવી લીધી હતી કે તેને રોકેટમેન કહ્યા વગર છૂટકો ન હતો. એ જ કારણે પછી તો અમેરિકન એવિએશન વિભાગે તેમને પાયલટનું લાઈસન્સ આપ્યું હતું.
વિશ્વના પ્રથમ રોકેટમેને ઉડ્ડયનની કુશળતાથી ચાર્ટર પાયલટનું લાઈસન્સ મેળવ્યું હતું. એ પછી ગ્રેહામે આ દિશામાં ઘણું કામ કર્યું હતું. રોકેટબેલ્ટના બહોળા અનુભવ પછી તેમણે રોકેટબેલ્ટની નવી ડિઝાઈન તૈયાર કરી હતી. જે સાહસિક માટે વધુ અનુકૂળ હતી. આજે માર્કેટમાં ઉપલબ્ધ રોકેટબેલ્ટનો ઘણો ખરો આધાર ગ્રેહામની ડિઝાઈન આધારિત હોય છે.
વિશ્વમાં અંતરિક્ષ યુગનો આરંભ થયો ત્યારે જે કેટલાક હીરોઝ હતા એમાં એક નામ હતું - રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ. આજે એ નામ એટલું જાણીતું નથી, પણ જ્યારે જ્યારે ઉડ્ડયનના ઈતિહાસની ટાઈમલાઇન નોંધવાની થશે ત્યારે ત્યારે રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામનું નામ અચૂક લેવાશે.
જોકે, ૪૦૦ ફૂટની ફ્લાઈટમાં ૧૯-૨૦ લીટર બળતણ ખર્ચ થતું એટલે વિમાની મુસાફરીની તુલનાએ રોકેટબેલ્ટની મુસાફરી ખર્ચાળ સાબિત થતી. એેક વખત ૪૦૦ ફૂટનું અંતર તય કર્યા પછી નવેસરથી ફ્યુઅલ પુરાવવું પડતું. રોકેટબેલ્ટમાં મોટી ટાંકી શક્ય ન હતી. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને તેનો લાંબાંગાળાનો લશ્કરી ઉપયોગ શક્ય ન હતો, પણ રોકેટની ઝડપે આપબળે ઉડવા માટે રોકેટબેલ્ટ યાને જેટ પેક ઉપયોગી હતું. એ વખતે જેટ પેક સાહસિકોને ઝડપથી ઉડવામાં સ્વાવલંબી બનાવતું હતું અને સાહસનું પ્રદર્શન કરવામાં ય ઉપયોગી હતું. રોકેટબેલ્ટનો બહોળો ઉપયોગ અવકાશયાત્રીઓને કરવાનો થતો હોય છે.
હવે તો એવા અન્ય વિકલ્પો પણ અવેલેબલ છે, પરંતુ સાડા પાંચ-છ દશકા પહેલાં તેનું આકર્ષણ અનેરું હતું. દુનિયાના એ આકર્ષણના કારણે જ હેરોલ્ડ ગ્રેહામને દુનિયાના પ્રથમ રોકેટમેનનું સન્માન મળ્યું હતું.
***
રોકેટબેલ્ટની મદદથી ઉડવાનું શરૂ કર્યું એના દશકાઓ પહેલાં જ માણસે વિમાનની મદદથી ઉડવાનું શરૂ કરી દીધું હતું. પેરાશૂટ જેવા સાધનો પણ ઉડાન માટે મદદે આવ્યા હતા, પણ રોકેટબેલ્ટ કે જેટ પેકથી ઉડવાનું કામ ઘણું અલગ હતું. રોકેટબેલ્ટમાં મોસ્ટલી હાઈડ્રોજન પેરોક્સાઈડનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. રોકેટબેલ્ટમાં કુશળતાની કસોટી તેને કાબુમાં લેતી વખતે થાય છે. રોકેટબેલ્ટ બનાવવાની ટેકનિકમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનારા વેન્ડેલ મૂરેને પણ એમાં સફળતા મળી ન હતી. એ કામ હેરોલ્ડ ગ્રેહામે કરી બતાવ્યું હતું.
હેરોલ્ડ ગ્રેહામે એ પહેલાં ઉડ્ડયનની કોઈ જ તાલીમ લીધી ન હતી. માત્ર કાર ચલાવવાનો અનુભવ ધરાવતા ગ્રેહામે રોકેટબેલ્ટની ઉડાનમાં એવી તો ગ્રિપ મેળવી લીધી હતી કે તેને રોકેટમેન કહ્યા વગર છૂટકો ન હતો. એ જ કારણે પછી તો અમેરિકન એવિએશન વિભાગે તેમને પાયલટનું લાઈસન્સ આપ્યું હતું.
વિશ્વના પ્રથમ રોકેટમેને ઉડ્ડયનની કુશળતાથી ચાર્ટર પાયલટનું લાઈસન્સ મેળવ્યું હતું. એ પછી ગ્રેહામે આ દિશામાં ઘણું કામ કર્યું હતું. રોકેટબેલ્ટના બહોળા અનુભવ પછી તેમણે રોકેટબેલ્ટની નવી ડિઝાઈન તૈયાર કરી હતી. જે સાહસિક માટે વધુ અનુકૂળ હતી. આજે માર્કેટમાં ઉપલબ્ધ રોકેટબેલ્ટનો ઘણો ખરો આધાર ગ્રેહામની ડિઝાઈન આધારિત હોય છે.
વિશ્વમાં અંતરિક્ષ યુગનો આરંભ થયો ત્યારે જે કેટલાક હીરોઝ હતા એમાં એક નામ હતું - રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામ. આજે એ નામ એટલું જાણીતું નથી, પણ જ્યારે જ્યારે ઉડ્ડયનના ઈતિહાસની ટાઈમલાઇન નોંધવાની થશે ત્યારે ત્યારે રોકેટમેન હેરોલ્ડ ગ્રેહામનું નામ અચૂક લેવાશે.
લઘુ ઉદ્યોગો અને હેલ્થ લાઈસન્સ : અવળા હાથની અડબોથ!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
વિશ્વમાં લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આપણે ત્યાં ઉલટી ધારા વહી રહી છે. હેલ્થ લાઈસન્સ જેવા કેટલાંય જરૂરી કાયદાનો અમલ બિનજરૂરી રીતે થઈ રહ્યો છે
કાયદાનું મુખ્ય કામ નાગરિકોનું હિત જળવાય એ જોવાનું છે. એ માટે જરૂર પડયે નવા નવા કાયદા પસાર થતાં હોય છે અને જરૂર પડયે જૂના કાયદાને તિલાંજલિ અપાતી હોય છે. કાયદાના ઘડતરમાં કે કાયદાના પાલનમાં જડતા ન આવે એની તકેદારી રાખવી પડતી હોય છે. જો એમાં જડતા આવી જાય તો વ્યવસ્થાને બદલે અરાજકતા સર્જાતી હોય છે. એ અરાજકતાને પરિણામે નાગરિકોને ફાયદાને બદલે ઘણી વખત મુશ્કેલી વેઠવી પડતી હોય છે.
કોઈ બિલ સંસદમાં પસાર થાય ત્યારે એનો ફાયદો ધ્યાનમાં લેવાતો હોય છે. એ ખરડો કાયદો બનીને અમલી થાય ત્યાં સુધી તેની આડઅસરની જાણ થતી નથી. એટલે જ કાયદો કેટલો વ્યવહારુ છે તેનું પણ સમયાંતરે મૂલ્યાંકન થતું હોય છે. મૂલ્યાંકન પછી કે નાગરિકોની મુશ્કેલી પારખ્યા પછી ઘણાં સરકારી એક્ટમાં સમયાંતરે જરૂરી ફેરફાર થાય છે. પણ કેટલાક કાયદાઓ પસાર થઈ ગયા પછી તેની વ્યવહારુતા જોવાતી નથી અને જડતાથી તેનું પાલન કરવાના સરકારી ફરમાનને વળગી રહેવાનું વલણ ઉપરથી નીચે સુધીના તમામ સ્તરે દાખવવામાં આવતું હોય છે. ભારતના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગને કનડતો એવો જ એક નિયમ છે - હેલ્થ લાઇસન્સ.
કાયદાનું મુખ્ય કામ નાગરિકોનું હિત જળવાય એ જોવાનું છે. એ માટે જરૂર પડયે નવા નવા કાયદા પસાર થતાં હોય છે અને જરૂર પડયે જૂના કાયદાને તિલાંજલિ અપાતી હોય છે. કાયદાના ઘડતરમાં કે કાયદાના પાલનમાં જડતા ન આવે એની તકેદારી રાખવી પડતી હોય છે. જો એમાં જડતા આવી જાય તો વ્યવસ્થાને બદલે અરાજકતા સર્જાતી હોય છે. એ અરાજકતાને પરિણામે નાગરિકોને ફાયદાને બદલે ઘણી વખત મુશ્કેલી વેઠવી પડતી હોય છે.
કોઈ બિલ સંસદમાં પસાર થાય ત્યારે એનો ફાયદો ધ્યાનમાં લેવાતો હોય છે. એ ખરડો કાયદો બનીને અમલી થાય ત્યાં સુધી તેની આડઅસરની જાણ થતી નથી. એટલે જ કાયદો કેટલો વ્યવહારુ છે તેનું પણ સમયાંતરે મૂલ્યાંકન થતું હોય છે. મૂલ્યાંકન પછી કે નાગરિકોની મુશ્કેલી પારખ્યા પછી ઘણાં સરકારી એક્ટમાં સમયાંતરે જરૂરી ફેરફાર થાય છે. પણ કેટલાક કાયદાઓ પસાર થઈ ગયા પછી તેની વ્યવહારુતા જોવાતી નથી અને જડતાથી તેનું પાલન કરવાના સરકારી ફરમાનને વળગી રહેવાનું વલણ ઉપરથી નીચે સુધીના તમામ સ્તરે દાખવવામાં આવતું હોય છે. ભારતના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગને કનડતો એવો જ એક નિયમ છે - હેલ્થ લાઇસન્સ.
***
કેન્દ્ર સરકારે ૨૦૦૬માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પસાર કર્યો હતો. એ કાયદો ખાદ્ય પદાર્થો બનાવતા નાના-મોટા ઉદ્યોગ-ધંધાઓએ સીધો અસરકર્તા બન્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો સીધો મુદ્દો હોવાથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ટાળવા એ કાયદો જરૂરી છે. આ કાયદો દવા બનાવતી કંપનીઓથી લઈને પાણીપૂરીની લારી સુધી વ્યવસ્થિત લાગુ પડે એ અનિવાર્ય છે.
આડેધડ ખાદ્ય સામગ્રીનું વેંચાણ થતું હોય અને એ માટે સરકારી લાઈસન્સ ન હોય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા વધી જાય છે. એના કારણે આખરે નિર્દોષ લોકો રોગચાળાના ખપ્પરમાં હોમાય જાય છે. સરકારી ધારાધોરણ પ્રમાણેની ચીજવસ્તુઓ ખાદ્યપદાર્થોની બનાવટમાં ન વપરાતી હોય તો કિડનીની બિમારી, કેન્સર, આંતરડા ડેમેજ થવા ઉપરાંત ચેતાતંત્રની ગંભીર બીમારી નોતરી શકે છે.
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થતી હોય તો આકરી શિક્ષા ય થવી જોઈએ. પૂરું વળતર ચૂકવ્યાં પછી ય નબળાં ખાદ્યપદાર્થો લોકોને પધરાવતા હોય તો એવાં મોટા ઉદ્યોગપતિ સામે કે નાનકડાં લારીધારક સામે એક સરખી રીતે લાલા આંખ કરવી જોઈએ. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તો સખ્તાઈથી તેનું પાલન આવકાર્ય છે.
પણ ફૂટ સેફ્ટીનો એ કાયદો આપણે ત્યાં બીજી બધી બાબતોમાં બને છે એમ સરકારી અધિકારીઓ માટે તોડનું મોટું કારણ બની ગયો. હેલ્થ લાઈસન્સ ન હોય એવા કિસ્સામાં વહીવટ પતાવવા સુધી જ આ કાયદો મર્યાદિત બનવા લાગ્યો છે. એ મુશ્કેલી તો જાણે ખરી જ, પરંતુ એ સિવાયની બીજી એક મુશ્કેલી એ પણ છે કે જેને જરૂરી ન હોય એવા નાના કે મધ્યમકદના ઉદ્યોગ એકમોએ પણ ફરજિયાત હેલ્થ લાઈસન્સ લેવું પડે છે. જેને હેલ્થની પ્રોડક્ટ સાથે સીધી કોઈ જ લેવા-દેવા નથી એવા લઘુ ઉદ્યોગ એકમો પાસે જો હેલ્થ લાઈસન્સ ન હોય તો અધિકારીઓને તોડનું મજબૂત કારણ મળી જાય છે.
સ્પષ્ટ રીતે અખાદ્ય ન હોય એવા બિઝનેસને બાદ કરતા તમામ નાના-મોટા ઉદ્યોગ એકમો અને ધંધાર્થીઓને આ કાયદો લાગુ પડે છે. સ્વાસ્થ્ય સાથે કે આરોગ્ય સાથે સીધી કશી નિસ્બત ન હોય એ ઉદ્યોગ એકમો પણ આ કાયદો પાળવા બંધાયેલા છે. કાયદાનો વ્યાપ જ એટલો વિશાળ બનાવાયો છે કે તેમાં જે ખાદ્ય સુરક્ષાનો મૂળ હેતુ રખાયો હતો એ પૂરો થતો નથી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદાનું પાલન થતું ન હોય તો જે તે સ્થાનિક તંત્ર એ ઉદ્યોગ એકમને કે ધંધાર્થીને દંડ કરી શકે છે. તેનો વેંચાણનો પરવાનો જોખમમાં આવી જાય એવો આકરો દંડ પણ ફટકારી શકે એવી સત્તા તેમને આપવામાં આવી છે. એ સત્તાના કારણે ઘણી વખત સ્થાનિક તંત્ર બહુ આકરું વલણ પણ દાખવે છે. ક્યારેક ખાદ્યપદાર્થના નિમ્નસ્તરની એકાદ ઘટના સામે આવી હોય તો તમામ લઘુ-મધ્યમ ઉદ્યોગએકમોને એક લાકડીએ દંડ કરાતો હોય છે.
બીજી તરફ સ્થિતિ એ છે કે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ટાળવા અને ઉચ્ચ ગુણવત્તાની ખાદ્યસામગ્રી માર્કેટમાં ઉપલબ્ધ રહે એ માટે કાયદાનું સખ્તાઈથી પાલન કરવવા માટે હેલ્થ ખાતા પાસે પૂરતા અધિકારીઓ કે સ્ટાફનો અભાવ છે. ફૂડ સિક્યુરિટીનો વ્યાપ ઘણો વધારે હોવાના કારણે જે ઉદ્યોગસાહસિકો કે ધંધાર્થીઓમાત્ર ખાવા-પીવાની પ્રોડક્ટનું જ ઉત્પાદન કરે છે તેમના પર તંત્રનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત થતું નથી. ફૂડ સિક્યુરિટીનો હેતુ અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હેતુ એમ બંને સાધી શકાય એવો કાયમી ઉપાય શું?
***
વેલ, તો હવે સવાલ એ છે કે શું હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવી શકાય?
કદાચ થોડો ફેરફાર કરવાથી ફૂડ સેફ્ટી એક્ટ અસરકારક બની શકે. ફૂડ સાથે જેને સીધી લેવાદેવા છે એને લાઈસન્સ ફરજિયાત કરવું જોઈએ. એમાં કોઈ જ બાંધછોડ સુદ્ધાં ન કરવી જોઈએ. જરૂર પડયે આકરો દંડ કરીને લાઈસન્સ રદ્ કરવા સુધીના પગલાં ભરવા જોઈએ. પણ સામે જે લઘુ ઉદ્યોગોને સીધી નિસ્બત નથી એને એક વખત પરવાનગી આપીને મુક્ત કરવા જોઈએ. એનાથી અછતમાં કામ કરતા સરકારી તંત્રનું ધ્યાન માત્ર આરોગ્ય પ્રોડક્ટ સાથે જેને સીધી લેવા-દેવા છે એવા લઘુ કે મધ્યમકદના ઉદ્યોગો ઉપર કેન્દ્રિત થશે.
વળી, સીધી આરોગ્ય પ્રોડક્ટ સાથે નિસ્બત નથી તેવા ઉદ્યોગએકમોને તેમાંથી બાકાત રહેશે તો તંત્ર આડેધડ દંડ વસૂલી નહીં શકે, પણ જ્યાં ખરેખર ચેડાં થાય છે એની નિયમિત તપાસ થઈ શકશે. સામાન્ય ઉદ્યોગ માટે અપાતા ગુમાસ્તાધાર વખતે જ સરકાર અલગથી ટોકન હેલ્થ ટેક્સ વસૂલી લે તો સરકારની કરની આવકમાં સીધો ફરક પણ પડે એમ નથી. આ કર સત્તાવાર હશે એટલે દંડમાં થતો ભ્રષ્ટાચાર બાદ થઈ જશે.
હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવવા માટે આ કવાયત જરૂરી છે એ વાત તો જાણે સમજાઈ ગઈ, પણ એ મુદ્દો ય સમજવો જરૂરી છે કે લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો માટે આટલું મહેરબાન થવું કેમ જરૂરી છે?!
***
આ વર્ષે યુનાઈટેડ નેશન્સે માઈક્રો-સ્મોલ એન્ડ મીડિયમ સાઈઝ્ડ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ડેની ઉજવણી શરૂ કરી છે. આપણે ત્યાં જે સમયગાળામાં નાના ઉદ્યોગએકમો જીએસટીની પળોજણમાં પડયાં હતા બરાબર એ જ સમયગાળામાં ૨૭મી જૂને પ્રથમ એમએસએમઈ ડે ઉજવાઈ ગયો.
યુનાઈડેટ નેશન્સનો ઉદેશ્ય બહુ સ્પષ્ટ છે કે જે સન્માન મોટા ઉદ્યોગોને મળે છે એવું જ સન્માન નાનકડા અને મધ્યમ કદના ઉદ્યોગોને ય મળવું જોઈએ. યુએનના અહેવાલમાં કહેવાયું હતું કે વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં મોટી કંપનીઓ જેટલી અસરકારક નથી નીવડી એનાથી અનેકગણી નાના અને મધ્યમ ઉદ્યોગોએ અસર છોડી છે. યુએન અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સ્મોલ બિઝનેસ તો ત્યાં સુધી કહે છે કે ભારત જેવા વિકાસશીલ દેશોએ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે મોટા ઉદ્યોગોને બદલે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.
એ પાછળનો બીજો ય એક હેતું રહી રહીને યુએનને દેખાયો છે. એ હેતુ છે કાર્યકુશળ ઉદ્યોગપતિઓની ફૌજ તૈયાર કરવાનો! નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક સંસ્થાઓ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવાનો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ એવું દૃઢપણે માને છે કે છેલ્લાં ૫-૭ દશકાથી વિશ્વભરના ઉદ્યોગો ઉપર ચોક્કસ ઉદ્યોગપતિઓનું જ પ્રભુત્વ છે. કોઈ પણ દેશના લાંબાંગાળાના આર્થિક વિકાસ માટે ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિ અને તેમના પરિવારનું આધિપત્ય અત્યંત ગંભીર હોવાનું નવી પેઢીના અર્થશાસ્ત્રીઓ અનેક વખત કહી ચૂક્યા છે.
ગણ્યા-ગાંઠયા ૧૦૦ ધનવાનો ભેગા મળીને દુનિયાભરની સરકારો ઉપર પ્રભાવ પાથરી શકતા હોય તો એ વિશ્વની શાંતિ અને સલામતિ માટે જોખમી છે. એનો અર્થ એવો થયો કે દુનિયાના ૨૦૦ જેટલાં દેશો ૧૦૦ જેટલા સાધન-સંપન્ન ઉદ્યોગપતિઓના ઈશારે પોતાના મહત્વના નિર્ણયો કરે છે. જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
આર્થિક ક્ષેત્રે પહોળી થતી આ ખાઈ સંતુલિત થાય તે માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એવી નીતિ વિશ્વભરમાં અપનાવાઈ રહી છે. તેનાથી બે-ત્રણ દશકામાં આર્થિક સંતુલન જળવાશે અને લઘુ-મધ્યમ કદના ઉદ્યોગોની આર્થિક શક્તિ પણ એટલી વિશાળ હશે કે તેનાથી ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિઓની પ્રભાવી રાજનીતિ ખાળી શકાશે.
એશિયા કે આફ્રિકામાં આવા ઉદ્યોગોની કુલ કમાણી કેટલી છે અને તેની કુલ ઈકોનોમીમાં શું અસર છે એવા બહુ સંશોધનો નથી થતા, પણ યુરોપ આ બાબતે વિશેષ ધ્યાન આપે છે. એ અહેવાલોનો આધાર લઈએ તો યુરોપમાં મીડિયમ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૫ કરોડ યુરો છે. લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૧ કરોડ યુરો અને અતિ લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખ યુરોનું છે. આ બધા મળીને યુરોપિયન સંઘની ઈકોનોમીમાં પ્રભાવી હિસ્સો ધરાવે છે.
વિશ્વમાં સૌથી વધુ સ્મોલ સ્કેલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકામાં છે. બીજી રીતે કહીએ તો અમેરિકા લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાંથી પણ નોંધપાત્ર કમાણી રળે છે. અમેરિકાના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો વર્ષે ૧૦ કરોડ ડોલરનો નફો રળે છે. તો ઓસ્ટ્રેલિયામાં ૪૦ લાખ લોકોને લઘુ અને મધ્યમ ઉદ્યોગો રોજગારી આપે છે.
પરંતુ આપણે ત્યાં ઉલટી ધારા વહે છે. નોટબંધીનો માર ખમીને હજુ તો માંડ માંડ બેઠી થઈ રહેલી આ ઈન્ડસ્ટ્રી પર જ સૌથી વધુ માર જીએસટીનો ય પડયો છે. એમાં વળી ફૂડ સેફ્ટી જેવા જરૂરી કાયદા બિનજરૂરી ઉદ્યોગ એકમો પર પણ ફરજિયાત બનાવાયા છે. એનાથી થાય છે એવું કે વિશ્વ આપી રહ્યું છે એવું પ્રોત્સાહન પણ લઘુ ઉદ્યોગોને આપી નથી શકાતું કે નથી નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલાં ચેડાં રોકી શકાતા.
જરૂરી કાયદાનું બિનજરૂરી અમલીકરણ કઈ રીતે થાય તેનું આ બંધબેસતું ઉદાહરણ છે!
આડેધડ ખાદ્ય સામગ્રીનું વેંચાણ થતું હોય અને એ માટે સરકારી લાઈસન્સ ન હોય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતા વધી જાય છે. એના કારણે આખરે નિર્દોષ લોકો રોગચાળાના ખપ્પરમાં હોમાય જાય છે. સરકારી ધારાધોરણ પ્રમાણેની ચીજવસ્તુઓ ખાદ્યપદાર્થોની બનાવટમાં ન વપરાતી હોય તો કિડનીની બિમારી, કેન્સર, આંતરડા ડેમેજ થવા ઉપરાંત ચેતાતંત્રની ગંભીર બીમારી નોતરી શકે છે.
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થતી હોય તો આકરી શિક્ષા ય થવી જોઈએ. પૂરું વળતર ચૂકવ્યાં પછી ય નબળાં ખાદ્યપદાર્થો લોકોને પધરાવતા હોય તો એવાં મોટા ઉદ્યોગપતિ સામે કે નાનકડાં લારીધારક સામે એક સરખી રીતે લાલા આંખ કરવી જોઈએ. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તો સખ્તાઈથી તેનું પાલન આવકાર્ય છે.
પણ ફૂટ સેફ્ટીનો એ કાયદો આપણે ત્યાં બીજી બધી બાબતોમાં બને છે એમ સરકારી અધિકારીઓ માટે તોડનું મોટું કારણ બની ગયો. હેલ્થ લાઈસન્સ ન હોય એવા કિસ્સામાં વહીવટ પતાવવા સુધી જ આ કાયદો મર્યાદિત બનવા લાગ્યો છે. એ મુશ્કેલી તો જાણે ખરી જ, પરંતુ એ સિવાયની બીજી એક મુશ્કેલી એ પણ છે કે જેને જરૂરી ન હોય એવા નાના કે મધ્યમકદના ઉદ્યોગ એકમોએ પણ ફરજિયાત હેલ્થ લાઈસન્સ લેવું પડે છે. જેને હેલ્થની પ્રોડક્ટ સાથે સીધી કોઈ જ લેવા-દેવા નથી એવા લઘુ ઉદ્યોગ એકમો પાસે જો હેલ્થ લાઈસન્સ ન હોય તો અધિકારીઓને તોડનું મજબૂત કારણ મળી જાય છે.
સ્પષ્ટ રીતે અખાદ્ય ન હોય એવા બિઝનેસને બાદ કરતા તમામ નાના-મોટા ઉદ્યોગ એકમો અને ધંધાર્થીઓને આ કાયદો લાગુ પડે છે. સ્વાસ્થ્ય સાથે કે આરોગ્ય સાથે સીધી કશી નિસ્બત ન હોય એ ઉદ્યોગ એકમો પણ આ કાયદો પાળવા બંધાયેલા છે. કાયદાનો વ્યાપ જ એટલો વિશાળ બનાવાયો છે કે તેમાં જે ખાદ્ય સુરક્ષાનો મૂળ હેતુ રખાયો હતો એ પૂરો થતો નથી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદાનું પાલન થતું ન હોય તો જે તે સ્થાનિક તંત્ર એ ઉદ્યોગ એકમને કે ધંધાર્થીને દંડ કરી શકે છે. તેનો વેંચાણનો પરવાનો જોખમમાં આવી જાય એવો આકરો દંડ પણ ફટકારી શકે એવી સત્તા તેમને આપવામાં આવી છે. એ સત્તાના કારણે ઘણી વખત સ્થાનિક તંત્ર બહુ આકરું વલણ પણ દાખવે છે. ક્યારેક ખાદ્યપદાર્થના નિમ્નસ્તરની એકાદ ઘટના સામે આવી હોય તો તમામ લઘુ-મધ્યમ ઉદ્યોગએકમોને એક લાકડીએ દંડ કરાતો હોય છે.
બીજી તરફ સ્થિતિ એ છે કે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ટાળવા અને ઉચ્ચ ગુણવત્તાની ખાદ્યસામગ્રી માર્કેટમાં ઉપલબ્ધ રહે એ માટે કાયદાનું સખ્તાઈથી પાલન કરવવા માટે હેલ્થ ખાતા પાસે પૂરતા અધિકારીઓ કે સ્ટાફનો અભાવ છે. ફૂડ સિક્યુરિટીનો વ્યાપ ઘણો વધારે હોવાના કારણે જે ઉદ્યોગસાહસિકો કે ધંધાર્થીઓમાત્ર ખાવા-પીવાની પ્રોડક્ટનું જ ઉત્પાદન કરે છે તેમના પર તંત્રનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત થતું નથી. ફૂડ સિક્યુરિટીનો હેતુ અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હેતુ એમ બંને સાધી શકાય એવો કાયમી ઉપાય શું?
***
વેલ, તો હવે સવાલ એ છે કે શું હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવી શકાય?
કદાચ થોડો ફેરફાર કરવાથી ફૂડ સેફ્ટી એક્ટ અસરકારક બની શકે. ફૂડ સાથે જેને સીધી લેવાદેવા છે એને લાઈસન્સ ફરજિયાત કરવું જોઈએ. એમાં કોઈ જ બાંધછોડ સુદ્ધાં ન કરવી જોઈએ. જરૂર પડયે આકરો દંડ કરીને લાઈસન્સ રદ્ કરવા સુધીના પગલાં ભરવા જોઈએ. પણ સામે જે લઘુ ઉદ્યોગોને સીધી નિસ્બત નથી એને એક વખત પરવાનગી આપીને મુક્ત કરવા જોઈએ. એનાથી અછતમાં કામ કરતા સરકારી તંત્રનું ધ્યાન માત્ર આરોગ્ય પ્રોડક્ટ સાથે જેને સીધી લેવા-દેવા છે એવા લઘુ કે મધ્યમકદના ઉદ્યોગો ઉપર કેન્દ્રિત થશે.
વળી, સીધી આરોગ્ય પ્રોડક્ટ સાથે નિસ્બત નથી તેવા ઉદ્યોગએકમોને તેમાંથી બાકાત રહેશે તો તંત્ર આડેધડ દંડ વસૂલી નહીં શકે, પણ જ્યાં ખરેખર ચેડાં થાય છે એની નિયમિત તપાસ થઈ શકશે. સામાન્ય ઉદ્યોગ માટે અપાતા ગુમાસ્તાધાર વખતે જ સરકાર અલગથી ટોકન હેલ્થ ટેક્સ વસૂલી લે તો સરકારની કરની આવકમાં સીધો ફરક પણ પડે એમ નથી. આ કર સત્તાવાર હશે એટલે દંડમાં થતો ભ્રષ્ટાચાર બાદ થઈ જશે.
હેલ્થ લાઈસન્સને અસરકારક બનાવવા માટે આ કવાયત જરૂરી છે એ વાત તો જાણે સમજાઈ ગઈ, પણ એ મુદ્દો ય સમજવો જરૂરી છે કે લઘુ અને મધ્યમકદના ઉદ્યોગો માટે આટલું મહેરબાન થવું કેમ જરૂરી છે?!
***
આ વર્ષે યુનાઈટેડ નેશન્સે માઈક્રો-સ્મોલ એન્ડ મીડિયમ સાઈઝ્ડ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ડેની ઉજવણી શરૂ કરી છે. આપણે ત્યાં જે સમયગાળામાં નાના ઉદ્યોગએકમો જીએસટીની પળોજણમાં પડયાં હતા બરાબર એ જ સમયગાળામાં ૨૭મી જૂને પ્રથમ એમએસએમઈ ડે ઉજવાઈ ગયો.
યુનાઈડેટ નેશન્સનો ઉદેશ્ય બહુ સ્પષ્ટ છે કે જે સન્માન મોટા ઉદ્યોગોને મળે છે એવું જ સન્માન નાનકડા અને મધ્યમ કદના ઉદ્યોગોને ય મળવું જોઈએ. યુએનના અહેવાલમાં કહેવાયું હતું કે વિકાસશીલ દેશોના આર્થિક વિકાસમાં મોટી કંપનીઓ જેટલી અસરકારક નથી નીવડી એનાથી અનેકગણી નાના અને મધ્યમ ઉદ્યોગોએ અસર છોડી છે. યુએન અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર સ્મોલ બિઝનેસ તો ત્યાં સુધી કહે છે કે ભારત જેવા વિકાસશીલ દેશોએ ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે મોટા ઉદ્યોગોને બદલે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ.
એ પાછળનો બીજો ય એક હેતું રહી રહીને યુએનને દેખાયો છે. એ હેતુ છે કાર્યકુશળ ઉદ્યોગપતિઓની ફૌજ તૈયાર કરવાનો! નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વૈશ્વિક સંસ્થાઓ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપવાનો મત ધરાવતા અર્થશાસ્ત્રીઓ એવું દૃઢપણે માને છે કે છેલ્લાં ૫-૭ દશકાથી વિશ્વભરના ઉદ્યોગો ઉપર ચોક્કસ ઉદ્યોગપતિઓનું જ પ્રભુત્વ છે. કોઈ પણ દેશના લાંબાંગાળાના આર્થિક વિકાસ માટે ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિ અને તેમના પરિવારનું આધિપત્ય અત્યંત ગંભીર હોવાનું નવી પેઢીના અર્થશાસ્ત્રીઓ અનેક વખત કહી ચૂક્યા છે.
ગણ્યા-ગાંઠયા ૧૦૦ ધનવાનો ભેગા મળીને દુનિયાભરની સરકારો ઉપર પ્રભાવ પાથરી શકતા હોય તો એ વિશ્વની શાંતિ અને સલામતિ માટે જોખમી છે. એનો અર્થ એવો થયો કે દુનિયાના ૨૦૦ જેટલાં દેશો ૧૦૦ જેટલા સાધન-સંપન્ન ઉદ્યોગપતિઓના ઈશારે પોતાના મહત્વના નિર્ણયો કરે છે. જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
આર્થિક ક્ષેત્રે પહોળી થતી આ ખાઈ સંતુલિત થાય તે માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એવી નીતિ વિશ્વભરમાં અપનાવાઈ રહી છે. તેનાથી બે-ત્રણ દશકામાં આર્થિક સંતુલન જળવાશે અને લઘુ-મધ્યમ કદના ઉદ્યોગોની આર્થિક શક્તિ પણ એટલી વિશાળ હશે કે તેનાથી ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિઓની પ્રભાવી રાજનીતિ ખાળી શકાશે.
એશિયા કે આફ્રિકામાં આવા ઉદ્યોગોની કુલ કમાણી કેટલી છે અને તેની કુલ ઈકોનોમીમાં શું અસર છે એવા બહુ સંશોધનો નથી થતા, પણ યુરોપ આ બાબતે વિશેષ ધ્યાન આપે છે. એ અહેવાલોનો આધાર લઈએ તો યુરોપમાં મીડિયમ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૫ કરોડ યુરો છે. લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૧ કરોડ યુરો અને અતિ લઘુ કહેવાય એવા ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખ યુરોનું છે. આ બધા મળીને યુરોપિયન સંઘની ઈકોનોમીમાં પ્રભાવી હિસ્સો ધરાવે છે.
વિશ્વમાં સૌથી વધુ સ્મોલ સ્કેલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝ અમેરિકામાં છે. બીજી રીતે કહીએ તો અમેરિકા લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાંથી પણ નોંધપાત્ર કમાણી રળે છે. અમેરિકાના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો વર્ષે ૧૦ કરોડ ડોલરનો નફો રળે છે. તો ઓસ્ટ્રેલિયામાં ૪૦ લાખ લોકોને લઘુ અને મધ્યમ ઉદ્યોગો રોજગારી આપે છે.
પરંતુ આપણે ત્યાં ઉલટી ધારા વહે છે. નોટબંધીનો માર ખમીને હજુ તો માંડ માંડ બેઠી થઈ રહેલી આ ઈન્ડસ્ટ્રી પર જ સૌથી વધુ માર જીએસટીનો ય પડયો છે. એમાં વળી ફૂડ સેફ્ટી જેવા જરૂરી કાયદા બિનજરૂરી ઉદ્યોગ એકમો પર પણ ફરજિયાત બનાવાયા છે. એનાથી થાય છે એવું કે વિશ્વ આપી રહ્યું છે એવું પ્રોત્સાહન પણ લઘુ ઉદ્યોગોને આપી નથી શકાતું કે નથી નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલાં ચેડાં રોકી શકાતા.
જરૂરી કાયદાનું બિનજરૂરી અમલીકરણ કઈ રીતે થાય તેનું આ બંધબેસતું ઉદાહરણ છે!
AK-47ની શોધ બદલ મિખાઈલ કલાશનિકોવને અફસોસ હતો
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
AK-47ની શોધને ૭૦ વર્ષ થયા એ નિમિત્તે રશિયામાં તેના શોધક કલાશનિકોવનું સ્મારક ખુલ્લું મૂકાયું છે. કલાશનિકોવે કેવા સંજોગોમાં AK-47 બનાવી હતી?
ખેડૂત પરિવારમાં જન્મેલા મિખાઈલ કલાશનિકોવને બાળપણથી જ અલગ અલગ ચીજવસ્તુઓને ભેગી કરીને એના પ્રયોગો કરવા ગમતા હતા. કિશોરાવસ્થામાં મિખાઈલે ખેડૂત પિતાને ખેતીમાં મદદરૂપ બને એવા સાધનો બનાવી આપ્યા હતાં. વાવણી અને લણણી ઉપરાંત સિંચાઈમાં સરળતા રહે એવા મિખાઈલે બનાવેલા સાધનોની ડિમાન્ડ બીજા ખેડૂતો પણ કરવા લાગ્યા હતા.
પરિવારજનોએ ખેતીને બદલે આવા સાધનો બનાવવા તરફ ધ્યાન દેવાનું મિખાઈલને પ્રોત્સાહન આપવા માંડયું, પણ નવા સાધનો વિકસાવવા માટે ચીજવસ્તુઓ ખરીદવી પડે. એવું બજેટ તે વખતે મિખાઈલ પાસે ન હતું.
પરિવાર પાસે ય એવી રકમ ન હતી કે મિખાઈલની ધારણા પ્રમાણે બજેટ ફાળવી શકે. મિખાઈલે ટ્રેક્ટર રીપેર કરતા કારીગર પાસે થોડો વખત નોકરી કરી. થોડો સમય બીજી પણ નાની-મોટી નોકરીઓ કરીને બિઝનેસ માટે બજેટ એકઠું કરવા મથામણ આદરી. ખેતીમાં ઉપયોગી થાય તેવા સાધનો બનાવીને બિઝનેસ શરૂ કરવાનું મિખાઈલનું આયોજન સફળ થાય એ પહેલાં બીજા વિશ્વયુદ્ધનાં પડઘમ વાગ્યાં.
રશિયન આર્મીમાં યુવાનોની ભરતી થતી હતી. આર્થિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિખાઈલે પણ એમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. બીજા વિશ્વયુદ્ધની અરાજકતામાં ખેતી માટે મિખાઈલે કરેલી નાની-મોટી શોધો ભૂલાઈ ગઈ. ખુદ મિખાઈલે પણ એ પ્રયોગો ભૂલીને યુદ્ધમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
૧૯૪૧માં જર્મની સામે બ્રયાન્સ્કમાં યુદ્ધ થયું એમાં મિખાઈલને ગંભીર ઈજા થઈ. કેટલાય મહિનાઓ સુધી મિખાઈલને હોસ્પિટલના બિછાને પડી રહેવું પડયું. એ દરમિયાન તેનો પરિચય અન્ય ઈજાગ્રસ્ત સૈનિકો સાથે ય થયો. વાતચીત દરમિયાન તમામ સૈનિકો એક જ ફરિયાદ કરતા હતા કે તેમની પાસે જોઈએ એવી બંદૂક નથી. નાઝીસૈન્ય પાસે જેવી બંદૂકો છે એવી બંદૂકો રશિયન સૈનિકો પાસે હોય તો ઈજાગ્રસ્ત સૈનિકોની સંખ્યા ઘટી જાય એમ છે એવું મિખાઈલને સમજાયું ત્યારથી તેના પ્રયોગશીલ દિમાગમાં ફરીથી નવું સંશોધન કરવાનું જોમ આવ્યું.
હોસ્પિટલના બિછાને જ મિખાઈલે નવી બંદૂક બનાવવાના પ્રયોગો હાથ ધર્યાં. એ વખતે રશિયામાં જે બંદૂકનો ઉપયોગ થતો હતો તેમાં બે ગોળી છૂટે એ વચ્ચે ઘણો સમય જતો હતો. મિખાઈલે પહેલાં તો એ સમયગાળો ઘટે એ માટે સંશોધનો કર્યા. એ પછી ગોળીની તીવ્રતા વધારવાના પ્રયોગો પણ કર્યા. ઠંડા કે ગરમ વાતાવરણમાં રાઈફલ એક સરખી અસરથી દુશ્મનોને વીંધી નાખે તે માટે ય મિખાઈલે કામ કર્યું. નવી બંદૂકની ડિઝાઈનનું ઘણું કામ થઈ ચૂક્યું હતું એ દરમિયાન ઈજા સારી થઈ જતાં હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી.
આર્મીની જવાબદારી તેની રાહ જોઈને બેઠી હતી. ફરીથી મિખાઈલને યુદ્ધભૂમિમાં જવાનું થયું, પણ એ વખતે એક ઉચ્ચ આર્મી અધિકારીને મિખાઈલની બંદૂકની ડિઝાઈન વિશે ખબર પડી. ઉચ્ચ આર્મી અધિકારીએ તેને યુદ્ધભૂમિને બદલે શસ્ત્ર ડિઝાઈનર તરીકે કામ કરવાનું સૂચવ્યું. આર્મી અધિકારીએ સમજાવ્યું કે દેશને સૈનિકો તો મળી જશે, પણ શસ્ત્ર ડિઝાઈનર નહીં મળે. એ કામ વધુ મહત્વનું છે એવો ઉચ્ચ અધિકારીએ પાનો ચડાવ્યો એ સાથે મિખાઈલ કલાશનિકોવની રશિયન સૈન્યમાં વેપન્સ ડિઝાઈનર તરીકેની નવી કારકિર્દીનો આરંભ થયો.
***
મિલિટરી એન્જિનિયર તરીકે મિખાઈલે કામ શરૂ કર્યું એ સાથે નાના-મોટાં ઘણાં શસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં જે સાધનોની તાત્કાલિક જરૃરિયાત હતી એવા સાધનો પ્રાયોરિટીથી તેમણે બનાવી આપ્યાં. સબમશીન ગનથી લઈને હળવા વજનની બંદૂકો એ વર્ષોમાં તેમણે ડિઝાઈન કરી.
મિલિટરી એન્જિનિયર તરીકે મિખાઈલે કામ શરૂ કર્યું એ સાથે નાના-મોટાં ઘણાં શસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં જે સાધનોની તાત્કાલિક જરૃરિયાત હતી એવા સાધનો પ્રાયોરિટીથી તેમણે બનાવી આપ્યાં. સબમશીન ગનથી લઈને હળવા વજનની બંદૂકો એ વર્ષોમાં તેમણે ડિઝાઈન કરી.
દરમિયાન તેમના દિમાગમાં પેલી તીવ્ર અને ઘાતક બંદૂકની ડિઝાઈન તો આકાર પામતી જ હતી. પણ એ કામ તુરંત થઈ શકે એમ ન હતું. તેમણે સમય મળ્યે એમાં પ્રયોગો કર્યા. એવો જ એક પ્રયોગ વિશ્વયુદ્ધનું છેલ્લું વર્ષ ચાલતું હતું એ દરમિયાન ૧૯૪૫માં કર્યો. પરંતુ બંદૂકને મિલિટરી ટ્રાયલમાં સદંતર નિષ્ફળતા મળી. લશ્કરી અધિકારીઓએ મિખાઈલની ટીકા કરી અને આવા અશક્ય જણાતા પ્રોજેક્ટ ઉપર કામ કરવાને બદલે સૈન્ય માટે જરૃરી હોય એવા શસ્ત્રોની ડિઝાઈનમાં ધ્યાન આપવાની સલાહ આપી.
પણ લશ્કરી ટ્રાયલમાં નિષ્ફળ નીવડેલી બંદૂકથી મિખાઈલને બહુ જ અપેક્ષા હતી. મિખાઈલને હતું કે એ બંદૂક યુદ્ધભૂમિના સમીકરણો બદલી શકે તેમ છે. એ વિશ્વાસે મિખાઈલને ફરીથી પ્રયાસો કરવાનું બળ આપ્યું. યુદ્ધ પૂરુ થઈ ચૂક્યું હતું, પણ અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડવોરની શરૂઆત થઈ હતી. એ હિસાબે રશિયાએ શસ્ત્રોના પ્રયોગોમાં ઓટ ન આવવા દીધી. નવા નવા લશ્કરી પ્રયોગોને પૂરતું પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી.
એ નીતિના ભાગરૂપે મિખાઈલને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધારવાની પરવાનગી મળી. નિષ્ફળતા પછી બમણાં જોશથી સફળતા માટે પ્રયાસો કરી રહેલા મિખાઈલને ૧૯૪૭માં ધારણા પ્રમાણેની બંદૂક વિકસાવવામાં સફળતા મળી હતી. ઝડપી, તીવ્ર અને ઘાતક એ બંદૂકને નામ મળ્યું : AK-47.
***
૧૯૪૨થી શરૂ થયેલા પ્રયોગોને આખરે ૧૯૪૭માં સફળતા મળી હતી. ૧૯૪૭માં મિખાઈલ કલાશનિકોવે AK-47 બંદૂક બનાવી તે ઓટોમેટિક હતી. ઓટોમેટિક માટે રશિયામાં 'ઓવ્ટોમેટ' શબ્દ વપરાય છે. 'ઓવ્ટોમેટ'નો A, ડિઝાઈનર મિખાઈલની સરનેમ કલાશનિકોવનો K અને શોધ જે વર્ષે થઈ હતી એ ૧૯૪૭માંથી 47 લઈને બંદૂકને AK-47 નામ આપવામાં આવ્યું.
એ વખતે દુનિયામાં વપરાતી બધી જ બંદૂકો કરતા AK-47 આધુનિક હતી. ૧૯૪૮માં લશ્કરી પ્રયોગો સફળ થયા પછી રશિયાએ ૧૯૪૯માં આ બંદૂકને સત્તાવાર રીતે લશ્કરમાં સ્થાન આપ્યું.
AK-47 વિકસાવવામાં મિખાઈલને પાંચ વર્ષ લાગ્યાં હતાં, નોકરીના ભાગરૂપે આ રાઈફલ તેમણે ડિઝાઈન કરી હતી એટલે વિશ્વમાં બંદૂક સફળ થઈ પછી ય તેમને કશું જ આર્થિક વળતર મળ્યું ન હતું. વળી, આ રાઈફલના પ્રોડક્ટ હકો મિખાઈલના કે રશિયાના નામે નોંધાયા ન હતા એટલે ડિઝાઈનમાં ફેરફાર કરીને આ જ બંદૂક ઘણાં દેશોમાં બનવા લાગી હતી.
કોલ્ડવોર પછી અમેરિકામાં AK-47 બહુ જ લોકપ્રિય નીવડી. અત્યાર સુધીમાં ૧૦ કરોડ AK-47નું ઉત્પાદન થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં AK-47ને સૌથી વધુ ઉત્પાદિત બંદૂકની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
વિશ્વનાં ૧૦૬ જેટલાં દેશોમાં AK-47નો લશ્કરી ઉપયોગ થાય છે. સોમાલિયાના ચાંચિયાથી લઈને આતંકવાદીઓ સુધી પણ AK-47 પહોંચી ચૂકી છે. ૩૦ દેશો આ બંદૂકનું ઉત્પાદન કરે છે. સૌથી મોટા ઉત્પાદક દેશો રશિયા અને ચીન છે. આજે દુનિયામાં વર્ષે એકાદ લાખ લોકો આ બંદૂકના કારણે મૃત્યુ પામતા હોવાનું કહેવાય છે. તેને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતકી હથિયાર માનવામાં આવે છે.
રશિયન સૈનિકો દુશ્મનોની તીવ્ર ગોળીના જવાબરૂપે બચાવમાં તીવ્ર ગોળીઓ છોડી શકે એ માટે બનેલી બંદૂક પછીથી બર્બરતાનું પ્રતીક બની ગઈ છે. આજે વિશ્વમાં પ્રતિ ૬૦મા વ્યક્તિ પાસે એક AK-47 ઉપલબ્ધ છે. તેના વિવિધ ઉત્પાદનો ૧૦ ડોલરથી લઈને ૨૦૦ ડોલર સુધીમાં મળી જાય છે. એટલે કે ૭૦૦ રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીમાં આ રાઈફલ ઉપલબ્ધ બને છે.
૧૯૪૨થી શરૂ થયેલા પ્રયોગોને આખરે ૧૯૪૭માં સફળતા મળી હતી. ૧૯૪૭માં મિખાઈલ કલાશનિકોવે AK-47 બંદૂક બનાવી તે ઓટોમેટિક હતી. ઓટોમેટિક માટે રશિયામાં 'ઓવ્ટોમેટ' શબ્દ વપરાય છે. 'ઓવ્ટોમેટ'નો A, ડિઝાઈનર મિખાઈલની સરનેમ કલાશનિકોવનો K અને શોધ જે વર્ષે થઈ હતી એ ૧૯૪૭માંથી 47 લઈને બંદૂકને AK-47 નામ આપવામાં આવ્યું.
એ વખતે દુનિયામાં વપરાતી બધી જ બંદૂકો કરતા AK-47 આધુનિક હતી. ૧૯૪૮માં લશ્કરી પ્રયોગો સફળ થયા પછી રશિયાએ ૧૯૪૯માં આ બંદૂકને સત્તાવાર રીતે લશ્કરમાં સ્થાન આપ્યું.
AK-47 વિકસાવવામાં મિખાઈલને પાંચ વર્ષ લાગ્યાં હતાં, નોકરીના ભાગરૂપે આ રાઈફલ તેમણે ડિઝાઈન કરી હતી એટલે વિશ્વમાં બંદૂક સફળ થઈ પછી ય તેમને કશું જ આર્થિક વળતર મળ્યું ન હતું. વળી, આ રાઈફલના પ્રોડક્ટ હકો મિખાઈલના કે રશિયાના નામે નોંધાયા ન હતા એટલે ડિઝાઈનમાં ફેરફાર કરીને આ જ બંદૂક ઘણાં દેશોમાં બનવા લાગી હતી.
કોલ્ડવોર પછી અમેરિકામાં AK-47 બહુ જ લોકપ્રિય નીવડી. અત્યાર સુધીમાં ૧૦ કરોડ AK-47નું ઉત્પાદન થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં AK-47ને સૌથી વધુ ઉત્પાદિત બંદૂકની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
વિશ્વનાં ૧૦૬ જેટલાં દેશોમાં AK-47નો લશ્કરી ઉપયોગ થાય છે. સોમાલિયાના ચાંચિયાથી લઈને આતંકવાદીઓ સુધી પણ AK-47 પહોંચી ચૂકી છે. ૩૦ દેશો આ બંદૂકનું ઉત્પાદન કરે છે. સૌથી મોટા ઉત્પાદક દેશો રશિયા અને ચીન છે. આજે દુનિયામાં વર્ષે એકાદ લાખ લોકો આ બંદૂકના કારણે મૃત્યુ પામતા હોવાનું કહેવાય છે. તેને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતકી હથિયાર માનવામાં આવે છે.
રશિયન સૈનિકો દુશ્મનોની તીવ્ર ગોળીના જવાબરૂપે બચાવમાં તીવ્ર ગોળીઓ છોડી શકે એ માટે બનેલી બંદૂક પછીથી બર્બરતાનું પ્રતીક બની ગઈ છે. આજે વિશ્વમાં પ્રતિ ૬૦મા વ્યક્તિ પાસે એક AK-47 ઉપલબ્ધ છે. તેના વિવિધ ઉત્પાદનો ૧૦ ડોલરથી લઈને ૨૦૦ ડોલર સુધીમાં મળી જાય છે. એટલે કે ૭૦૦ રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીમાં આ રાઈફલ ઉપલબ્ધ બને છે.
વિશ્વની સૌથી લોકપ્રિય, સૌથી ઘાતક અને સૌથી વધુ જથ્થામાં બનતી બંદૂક AK-47 છે, તે જાણીને શોધક મિખાઈલની છેલ્લાં વર્ષોમાં કેવી પ્રતિક્રિયા હતી?
***
રશિયામાં આ રાઈફલના ૭૦ વર્ષ થયા તેની પૂરજોશમાં ઉજવણી થઈ હતી. રશિયન પ્રમુખ પુતિને આ રાઈફલને રશિયાની કલ્ચરલ બ્રાન્ડ ગણાવી હતી. ગયા સપ્તાહે સંશોધક મિખાઈલ કલાશનિકોવના સન્માનમાં એક સ્મારક ખુલ્લું મૂકાયું હતું. મિખાઈલની ૩૦ ફૂટ ઊંચી પ્રતિમાનું મોસ્કોમાં અનાવરણ થયું હતું. AK-47 હાથમાં રાખીને મિખાઈલનું પૂતળું મોસ્કોની બજારમાં ભલે ખડું કરાયું હોય, પણ આ રાઈફલની શોધ બદલ મિખાઈલને છેલ્લાં દિવસોમાં પારાવાર અફસોસ હતો.
આર્મીમેન મિખાઈલ સંવેદનશીલ હૃદય ધરાવતા હતા. બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતા હતા ત્યારે મિખાઈલ કવિ બનવાનું સપનું જોતા હતા. કિશોરાવસ્થામાં શરૂ થયેલી કવિતાઓના સર્જનની સફર જીવનના અંતિમ તબક્કા સુધી ચાલું રહી હતી. યુદ્ધ વખતે, શસ્ત્રોની ડિઝાઈન વખતે અને નિવૃત્ત થયા પછી ય તેમણે કવિતા સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો.
એમની સર્જક તરીકેની યાત્રા દરમિયાન તેમના ૬ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. જેમાં કવિતાઓ, નિબંધો, લેખો અને જીવનના અનુભવોનો સમાવેશ થતો હતો. છેલ્લાં શ્વાસ સુધી તેમણે કવિતાનું સર્જન કર્યું હતું. તેમની સંવેદનશીલ કવિતાઓ વાંચીને ભાગ્યે જ કોઈ એવું માની શકતા કે AK-47 જેવી ઘાતકી રાઈફલના સર્જક આવાં ઉર્મી કાવ્યોના પણ સર્જક છે!
૨૦૦૭માં પહેલી વખત બચાવ માટે બનેલી બંદૂકને બર્બરતાનું પ્રતીક બનતી જોઈને મિખાઈલે પોતાની શોધ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સખેદ કહ્યું હતું કે મારી શોધથી નિર્દોષ લોકોના મૃત્યુ થતાં જોઈને મારી ઊંઘ ઉડી જાય છે.
૨૦૧૩માં ૯૪ વર્ષની તેમનું નિધન થયું તેના થોડા સમય પહેલાં જાણે પોતાની શોધ બદલ ઈશ્વરની માફી માગતા હોય એમ તેમણે ચર્ચને એક પત્ર લખ્યો હતો : 'હું ૯૩ વર્ષનો ખેડૂતપુત્ર મિખાઈલ એ માટે ખુબ દુ:ખી છું કે મારી શોધના કારણે લોકો પળવારમાં મોતને ભેટે છે. રહી રહીને મને સવાલ થાય છે કે શું હું એ લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર છું? મારી શોધના કારણે જે મૃત્યુ થયા છે અને હું એના માટે જો જવાબદાર હોઈશ તો ઈશ્વર મને માફ કરશે?'
આર્મીમેન મિખાઈલ સંવેદનશીલ હૃદય ધરાવતા હતા. બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતા હતા ત્યારે મિખાઈલ કવિ બનવાનું સપનું જોતા હતા. કિશોરાવસ્થામાં શરૂ થયેલી કવિતાઓના સર્જનની સફર જીવનના અંતિમ તબક્કા સુધી ચાલું રહી હતી. યુદ્ધ વખતે, શસ્ત્રોની ડિઝાઈન વખતે અને નિવૃત્ત થયા પછી ય તેમણે કવિતા સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો.
એમની સર્જક તરીકેની યાત્રા દરમિયાન તેમના ૬ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. જેમાં કવિતાઓ, નિબંધો, લેખો અને જીવનના અનુભવોનો સમાવેશ થતો હતો. છેલ્લાં શ્વાસ સુધી તેમણે કવિતાનું સર્જન કર્યું હતું. તેમની સંવેદનશીલ કવિતાઓ વાંચીને ભાગ્યે જ કોઈ એવું માની શકતા કે AK-47 જેવી ઘાતકી રાઈફલના સર્જક આવાં ઉર્મી કાવ્યોના પણ સર્જક છે!
૨૦૦૭માં પહેલી વખત બચાવ માટે બનેલી બંદૂકને બર્બરતાનું પ્રતીક બનતી જોઈને મિખાઈલે પોતાની શોધ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સખેદ કહ્યું હતું કે મારી શોધથી નિર્દોષ લોકોના મૃત્યુ થતાં જોઈને મારી ઊંઘ ઉડી જાય છે.
૨૦૧૩માં ૯૪ વર્ષની તેમનું નિધન થયું તેના થોડા સમય પહેલાં જાણે પોતાની શોધ બદલ ઈશ્વરની માફી માગતા હોય એમ તેમણે ચર્ચને એક પત્ર લખ્યો હતો : 'હું ૯૩ વર્ષનો ખેડૂતપુત્ર મિખાઈલ એ માટે ખુબ દુ:ખી છું કે મારી શોધના કારણે લોકો પળવારમાં મોતને ભેટે છે. રહી રહીને મને સવાલ થાય છે કે શું હું એ લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર છું? મારી શોધના કારણે જે મૃત્યુ થયા છે અને હું એના માટે જો જવાબદાર હોઈશ તો ઈશ્વર મને માફ કરશે?'
ભારતના માર્કેટમાં દર વર્ષે કેટલી નકલી દવાઓ વેંચાય છે?
રૂરલ ઈન્ડિયામાં કુલ દવાના વેંચાણમાંથી ૨૫ ટકા નકલી દવાઓ વેંચાય છે
નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.
માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.
હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.
પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.
બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!
એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.
તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!
ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.
ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.
માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.
હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.
પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.
બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!
એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.
તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!
ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.
ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
ઈન્ટરનેટમાં આવી રહેલો ભારતીય ભાષાઓનાં વર્ચસ્વનો ટ્રેન્ડ!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
અત્યારે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીમાંથી માત્ર ૦.૦૧ ટકા માહિતી ભારતીય ભાષાઓમાં છે, પણ સંશોધનો કહે છે કે ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાઈ જશે
વિશ્વમાં ૨૦૧૭માં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૪૮૦ કરોડ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. એમાં ૨૦૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૨ સુધીમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૫૫૦ કરોડને પાર થશે ત્યારે ૩૮૦થી ૪૦૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ હશે. બે વર્ષ પછી જ ૨૦૧૯માં દુનિયામાં ૨૫૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ થશે. મોબાઈલ અને સ્માર્ટફોન યુઝર્સમાં ભારત અને ચીન ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યાં છે.
ચીનમાં ૧૫૦ કરોડ મોબાઈલ યુઝર્સ છે અને ભારતમાં મોબાઈલ યુઝર્સનો આંકડો લગભગ ૧૪૦ કરોડને પાર થવાની તૈયારીમાં છે. ભારતમાં આગામી પાંચ વર્ષમાં મોબાઈલ ધારકો વધશે અને ભારત ચીન કરતા એ મામલે આગળ નીકળી જશે. અત્યારે દેશમાં ૩૮ કરોડ જેટલા સ્માર્ટફોન ધારકો છે, એમાં માત્ર ચાર વર્ષમાં ૬૦-૬૫ ટકાનો વધારો થવાની ધારણા છે. ૨૦૧૬માં દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ૩૭. ૩ કરોડ હતી. બે વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૫૦ કરોડ થવાની શક્યતા ગ્લોબલ ઈન્ટરનેટ ટ્રાફિકનું મોનિટરિંગ કરતી એજન્સીઓએ વ્યક્ત કરી છે. ૨૦૧૨ સુધીમાં દેેશમાં ૮૨ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ હશે.
ભારતમાં લોકોની ખરીદશક્તિ વધી છે. મોબાઈલ ફોન તો ઠીક હવે સ્માર્ટફોન ભારતમાં જરૃરિયાત ગણાય છે. એક અંદાજ એવો છે કે કરોડો મોબાઈલ ધારકો બે-ત્રણ વર્ષમાં સ્માર્ટફોન ધારક બની જશે. એ હિસાબે સ્માર્ટફોન યુઝર્સનો આંકડો બે-ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધશે. ૨૦૨૨માં આપણાં દેશમાં ૧૦૦ કરોડ લોકો પાસે સ્માર્ટફોન હશે અને કુલ મોબાઈલ ફોન્સની સંખ્યા ૨૦૦ કરોડ કરતાં ય વધું હશે! દેશના વીસેક કરોડ લોકો પાસે બબ્બે મોબાઈલ હશે. બીજી રીતે કહીએ તો દેશની કુલ વસતિમાંથી ૭૦ ટકા પાસે સ્માર્ટફોન હશે.
બસ, આ અહેવાલો જોઈને જ વિશ્વભરની મોબાઈલ કંપનીઓને ભારતનું નામ સાંભળીને લાળ ટપકે છે! ચીનની કંપનીઓને ભારતના વિશાળ માર્કેટમાં સસ્તા ભાવે સ્માર્ટફોન વેંચીને કબજો કરવો છે. તો અમેરિકા-જાપાન-સાઉથ કોરિયાની મોબાઈલ કંપનીઓ પણ લોયલ ગ્રાહકોની તલાશમાં બધું જ કરી છૂટવા તૈયાર છે.
એમાં ભારતીય ગ્રાહકોને આકર્ષે એવી કિંમત ઉપરાંત વિવિધ સુવિધાનો સમાવેશ થાય છે. ૫થી ૬ ઈંચની સ્ક્રીન, હાઈ રિઝોલ્યુશનના કેમેરા, બેટરી ક્ષમતા, મોબાઈલ સ્ટોરેજ જેવું ઘણું બધું આપીને ભારતીય ગ્રાહકોને ખુશ કરવાની કોશિશ થઈ છે અને એમાંની એક સુવિધા છે ભાષા!
***
૨૦૦૮-૧૦ આસપાસ મોબાઈલ ફોનમાં હિન્દીભાષા સપૉર્ટ થતી ત્યારે ભાષાપ્રેમીઓનું હૈયું હરખાઈ ગયું હતું. વિદેશી કંપનીઓ માટે ત્યારે ભાષા કે વધુ સુવિધા જેવા ફેક્ટર્સ કામ કરતાં ન હતાં. માર્કેટમાં સ્પર્ધા ઓછી હતી એટલે મોનોપોલી ભોગવતી કંપનીઓ મોબાઈલના નામે જે આપે એ લઈ લેવાના દિવસો હતાં. ભારતમાં તો ટેકનોલોજીના સંશોધનો નહીંવત્ થાય છે, એટલે મોબાઈલ ફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થાય તેવા સંશોધનોની શક્યતા જ નહોતી. વિદેશી સંશોધનો થાય એની રાહ જોવાની હતી અથવા તો મોબાઈલના માર્કેટમાં સ્પર્ધા જામે ત્યાં સુધી ધીરજ રાખવાની હતી.
એ ધીરજનું ફળ ૨૦૧૩-૧૪ પછી મળવા લાગ્યું. મોબાઈલ કંપનીઓ વચ્ચે ભારતનું માર્કેટ સર કરવાની હોડ જામી હતી અને એમાં હિન્દી સિવાયની ભાષાઓ માર્કેટિંગ ફિચરના ભાગરૃપે સપૉર્ટ થવા લાગી હતી. ભારતના ગ્રાહકોએ હિન્દી સિવાયની ભાષાની ડિમાન્ડ નહોતી કરી, પણ કંપનીઓએ રાજ્યોના માર્કેટ પ્રમાણે એક પછી એક ભાષાઓ ઉમેરવા માંડી. ભાષા ઉમેરાતી ગઈ પછી ગ્રાહકોમાં ય એની ડિમાન્ડ થવા લાગી.
આમ તો હજુ હમણાં સુધી સ્થાનિક ભાષા સપૉર્ટ થતી હોય તો જ મોબાઈલ ખરીદે એવી ડિમાન્ડ કરનારા ગ્રાહકો બહુ ઓછા હતા, પણ સોશિયલ મીડિયાનું મોજું ફરી વળ્યું પછી ગુજરાતી-મરાઠી-બંગાળી જેવી ભાષાઓ મોબાઈલમાં દેખાતી હોય તો જે તે રાજ્યના ગ્રાહકને ઘણું નવું વાંચવા મળતું હતું એટલે એવી ભાષા સપૉર્ટ થતી હોય એવા મોબાઈલ ખરીદવાનું પ્રમાણ વધ્યું. આભાર તો આવી કંપનીઓનો જ માનવો રહ્યો કે તેમણે સ્પર્ધાના કારણે ભારતની ભાષાઓ સપૉર્ટ થાય એવા મોબાઈલ આપણાં સુધી પહોંચાડયા, નહીંતર ભારતીય ગ્રાહકો આવી ડિમાન્ડ કરતા હોત કે કેમ એ મોટો સવાલ હોત!
ભારતીય ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ઉપલબ્ધ બનવા લાગ્યા એ પછીના ત્રણ-ચાર વર્ષમાં હવે સ્થિતિ સદંતર બદલી ગઈ છે. આજે ભારતમાં મળતા ૮૦ ટકા સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી છે. આપણી સરકાર પણ રહી રહીને જાગી છે. સરકારે ઓક્ટોબર-૨૦૧૬માં એવી જાહેરાત કરી હતી કે ૧લી જુલાઈ, ૨૦૧૭ પછી દેશના માર્કેટમાં પ્રવેશ કરનારી કોઈ પણ મોબાઈલ ઉત્પાદક કંપનીએ ભારતની બધી જ સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન જ ઉપલબ્ધ બનાવવા પડશે.
ભારતની સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોનનું પ્રમાણ વધ્યું એ પાછળ ફેસબુક અને વોટ્સએપની લોકપ્રિયતાનો પણ ફાળો ખરો. આ બંનેમાં હિન્દી સિવાયની ભાષાઓમાં વિચારો વ્યક્ત થવા લાગ્યાં એટલે ગ્રાહકોમાં ય પ્રાદેશિક ભાષા સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોન ખરીદવાનું વલણ વધ્યું. આજે દરેક રાજ્યોમાં માતૃભાષામાં વાંચન સામગ્રી ફરવા લાગી છે. પ્રાદેશિક ભાષા સપૉર્ટ ન થતી હોય એવાં સ્માર્ટફોન્સની સંખ્યા ઘટી ગઈ છે અને જે મોબાઈલમાં હજુ ય ભારતીય ભાષાઓ સપૉર્ટ નથી થતી એમાં એ કસર વિવિધ એપ્સ દ્વારા પૂરી થઈ જાય છે.
ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો સ્માર્ટફોન ગુજરાતી કન્ટેન્ટથી ઉભરાવાં લાગ્યા છે. ભારતમાં લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં એ જ સ્થિતિ છે, છતાં સવાલ હજુય એ છે કે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષામાં કેટલી વાંચન સામગ્રી ઉપલબ્ધ હશે?
***
ભારતની સત્તાવાર ભાષામાં કુલ કેટલું કેન્ટેન્ટ અવેલેબલ છે તેનું એક રસપ્રદ સંશોધન ગૂગલ સાથે મળીને પ્રોફેશ્નલ સર્વિસ કંપની KPMGએ હમણાં હાથ ધર્યું હતું. એનું તારણ એ આવ્યું કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કુલ સામગ્રી સાથે આપણી ૨૨ સત્તાવાર ભાષાઓમાં અવેલેબલ કન્ટેન્ટની તુલના થાય તો એ માત્ર ૦.૦૧ ટકા જેટલું છે. બીજાં શબ્દોમાં કહીએ તો આ સામગ્રી ઈન્ટરનેટના મહાસાગરમાં એક બુંદ જેટલી ગણાય!
આમ તો હજુ હમણાં સુધી સ્થાનિક ભાષા સપૉર્ટ થતી હોય તો જ મોબાઈલ ખરીદે એવી ડિમાન્ડ કરનારા ગ્રાહકો બહુ ઓછા હતા, પણ સોશિયલ મીડિયાનું મોજું ફરી વળ્યું પછી ગુજરાતી-મરાઠી-બંગાળી જેવી ભાષાઓ મોબાઈલમાં દેખાતી હોય તો જે તે રાજ્યના ગ્રાહકને ઘણું નવું વાંચવા મળતું હતું એટલે એવી ભાષા સપૉર્ટ થતી હોય એવા મોબાઈલ ખરીદવાનું પ્રમાણ વધ્યું. આભાર તો આવી કંપનીઓનો જ માનવો રહ્યો કે તેમણે સ્પર્ધાના કારણે ભારતની ભાષાઓ સપૉર્ટ થાય એવા મોબાઈલ આપણાં સુધી પહોંચાડયા, નહીંતર ભારતીય ગ્રાહકો આવી ડિમાન્ડ કરતા હોત કે કેમ એ મોટો સવાલ હોત!
ભારતીય ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ઉપલબ્ધ બનવા લાગ્યા એ પછીના ત્રણ-ચાર વર્ષમાં હવે સ્થિતિ સદંતર બદલી ગઈ છે. આજે ભારતમાં મળતા ૮૦ ટકા સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી છે. આપણી સરકાર પણ રહી રહીને જાગી છે. સરકારે ઓક્ટોબર-૨૦૧૬માં એવી જાહેરાત કરી હતી કે ૧લી જુલાઈ, ૨૦૧૭ પછી દેશના માર્કેટમાં પ્રવેશ કરનારી કોઈ પણ મોબાઈલ ઉત્પાદક કંપનીએ ભારતની બધી જ સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન જ ઉપલબ્ધ બનાવવા પડશે.
ભારતની સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોનનું પ્રમાણ વધ્યું એ પાછળ ફેસબુક અને વોટ્સએપની લોકપ્રિયતાનો પણ ફાળો ખરો. આ બંનેમાં હિન્દી સિવાયની ભાષાઓમાં વિચારો વ્યક્ત થવા લાગ્યાં એટલે ગ્રાહકોમાં ય પ્રાદેશિક ભાષા સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોન ખરીદવાનું વલણ વધ્યું. આજે દરેક રાજ્યોમાં માતૃભાષામાં વાંચન સામગ્રી ફરવા લાગી છે. પ્રાદેશિક ભાષા સપૉર્ટ ન થતી હોય એવાં સ્માર્ટફોન્સની સંખ્યા ઘટી ગઈ છે અને જે મોબાઈલમાં હજુ ય ભારતીય ભાષાઓ સપૉર્ટ નથી થતી એમાં એ કસર વિવિધ એપ્સ દ્વારા પૂરી થઈ જાય છે.
ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો સ્માર્ટફોન ગુજરાતી કન્ટેન્ટથી ઉભરાવાં લાગ્યા છે. ભારતમાં લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં એ જ સ્થિતિ છે, છતાં સવાલ હજુય એ છે કે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષામાં કેટલી વાંચન સામગ્રી ઉપલબ્ધ હશે?
***
ભારતની સત્તાવાર ભાષામાં કુલ કેટલું કેન્ટેન્ટ અવેલેબલ છે તેનું એક રસપ્રદ સંશોધન ગૂગલ સાથે મળીને પ્રોફેશ્નલ સર્વિસ કંપની KPMGએ હમણાં હાથ ધર્યું હતું. એનું તારણ એ આવ્યું કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કુલ સામગ્રી સાથે આપણી ૨૨ સત્તાવાર ભાષાઓમાં અવેલેબલ કન્ટેન્ટની તુલના થાય તો એ માત્ર ૦.૦૧ ટકા જેટલું છે. બીજાં શબ્દોમાં કહીએ તો આ સામગ્રી ઈન્ટરનેટના મહાસાગરમાં એક બુંદ જેટલી ગણાય!
અંગ્રેજીમાં તો ઈન્ટરનેટ ઉપર જ્ઞાાનનો ખજાનો છે જ છે, પરંતુ રશિયન, જર્મન, જાપાનીઝ, સ્પેનીશ, ફ્રેન્ચ, ચાઈનીઝ, પોર્ટુગીઝ, ઈટાલીયન, પોલીશ અને ટર્કીશ ભાષા અંગ્રેજી સિવાય ટોપ-૧૦ના લિસ્ટમાં છે. ૫૧ ટકા સાથે અંગ્રેજી સામગ્રી સૌથી વધુ છે. એ પછી ૬.૬ ટકા સાથે રશિયન ભાષા બીજાં, ૫.૬ ટકા જાપાનીઝ અને જર્મન ત્રીજા, ૫.૧ ટકા સ્પેનીશ ચોથા અને ૪.૧ સાથે ફ્રેન્ચ પાંચમા ક્રમે છે. ભારતની પ્રાદેશિક ભાષા તો ઠીક હિન્દી ભાષા આ યાદીમાં ટોપ-૪૦માં પણ નથી. વિશ્વમાં ૩૦ કરોડ કરતા વધુ લોકો હિન્દીભાષા જાણે છે, છતાં ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સામગ્રી ૦.૧ ટકા પણ નથી. જો ૦.૧ ટકા સામગ્રી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય તો હિન્દીનો સમાવેશ ટોપ-૩૦ થાત!
***
વેલ, અત્યારે ભારતીય ભાષાઓની ઈન્ટરનેટ ઉપર ભલે આ સ્થિતિ છે, પરંતુ ગૂગલ અને KPMGના અહેવાલમાં એવી ધારણા વ્યક્ત થઈ છે કે ઈન્ટરનેટ ઉપર આગામી સમય ભારતીય ભાષાઓનો હશે. ૨૦૧૧માં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના માત્ર ૪ કરોડ યુઝર્સ હતાં. એ સિવાયના યુઝર્સ અંગ્રેજી ઉપર આધાર રાખતાં હતાં. સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી પછી સ્થિતિ બદલાઈ છે. ૨૦૧૬માં ભારતીય ભાષા ઉપર આધાર રાખતા હોય એવા યુઝર્સની સંખ્યા વધીને ૨૪ કરોડ થઈ ગઈ હતી. ૨૦૨૧ સુધીમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાની સામગ્રી ઉપર જ આધાર રાખતા યુઝર્સનો આંકડો ૫૦ કરોડને પાર થશે.
આ આંકડાને આધાર બનાવીને નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતના યુઝર્સ હવે ભારતીય ભાષાઓ ઉપર વધુ આધાર રાખતા થયા છે અને એ જ કારણે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના કન્ટેન્ટનો ટ્રેન્ડ આવશે.
બીજું ય એક અવલોકન જોવા જેવું છે. ૧૯૯૦ પછી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ૮૦ ટકા સામગ્રી ઈંગ્લિશમાં હતી. સામે મોટાભાગના ડિવાઈસ પણ ઈંગ્લિશ લેગ્વેજ સપૉર્ટેડ હતાં. કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સ્માર્ટફોનમાં જેમ જેમ વિવિધ ભાષાઓ સપૉર્ટ થવા લાગી તેમ તેમ એ ભાષાનું કન્ટેન્ટનો શેર વધવા લાગ્યો. રશિયન, ફ્રેન્ચ, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ સહિતની ભાષાઓએ પણ આ જ પ્રક્રિયાના ભાગરૃપે ઈન્ટરનેટની સામગ્રીમાં ભાગીદારી વધારી હતી. એ જ પ્રક્રિયા હવે ભારતમાં થઈ રહી છે. પરિણામે ઈન્ટરનેટ ઉપરની સામગ્રીમાં ભારતીય ભાષાઓનો શેર પણ વધશે એવી આશા ઉજળી બની છે.
એ કન્ટેન્ટ કેવું હશે? જ્ઞાાનવર્ધક હશે? એનાથી આપણાં યુઝર્સના વિકાસમાં કોઈ ફેર પડશે? શિક્ષણ-સ્વાસ્થ્યમાં એનો લાભ મળશે?
વોટ્સએપ અને ફેસબુક ઉપર ફેલાતી અધકચરી માહિતીના આધારે તો આ સવાલોનો જવાબ નિરાશાજનક મળે છે.
પણ આશા અમર છે. લેટ્સ હોપ! ઈન્ટરનેેટ ઉપર આવી રહેલો ભારતીય ભાષાનો નવો ટ્રેન્ડ જ્ઞાનવર્ધક હશે.
***
વેલ, અત્યારે ભારતીય ભાષાઓની ઈન્ટરનેટ ઉપર ભલે આ સ્થિતિ છે, પરંતુ ગૂગલ અને KPMGના અહેવાલમાં એવી ધારણા વ્યક્ત થઈ છે કે ઈન્ટરનેટ ઉપર આગામી સમય ભારતીય ભાષાઓનો હશે. ૨૦૧૧માં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના માત્ર ૪ કરોડ યુઝર્સ હતાં. એ સિવાયના યુઝર્સ અંગ્રેજી ઉપર આધાર રાખતાં હતાં. સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી પછી સ્થિતિ બદલાઈ છે. ૨૦૧૬માં ભારતીય ભાષા ઉપર આધાર રાખતા હોય એવા યુઝર્સની સંખ્યા વધીને ૨૪ કરોડ થઈ ગઈ હતી. ૨૦૨૧ સુધીમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાની સામગ્રી ઉપર જ આધાર રાખતા યુઝર્સનો આંકડો ૫૦ કરોડને પાર થશે.
આ આંકડાને આધાર બનાવીને નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતના યુઝર્સ હવે ભારતીય ભાષાઓ ઉપર વધુ આધાર રાખતા થયા છે અને એ જ કારણે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના કન્ટેન્ટનો ટ્રેન્ડ આવશે.
બીજું ય એક અવલોકન જોવા જેવું છે. ૧૯૯૦ પછી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ૮૦ ટકા સામગ્રી ઈંગ્લિશમાં હતી. સામે મોટાભાગના ડિવાઈસ પણ ઈંગ્લિશ લેગ્વેજ સપૉર્ટેડ હતાં. કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સ્માર્ટફોનમાં જેમ જેમ વિવિધ ભાષાઓ સપૉર્ટ થવા લાગી તેમ તેમ એ ભાષાનું કન્ટેન્ટનો શેર વધવા લાગ્યો. રશિયન, ફ્રેન્ચ, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ સહિતની ભાષાઓએ પણ આ જ પ્રક્રિયાના ભાગરૃપે ઈન્ટરનેટની સામગ્રીમાં ભાગીદારી વધારી હતી. એ જ પ્રક્રિયા હવે ભારતમાં થઈ રહી છે. પરિણામે ઈન્ટરનેટ ઉપરની સામગ્રીમાં ભારતીય ભાષાઓનો શેર પણ વધશે એવી આશા ઉજળી બની છે.
એ કન્ટેન્ટ કેવું હશે? જ્ઞાાનવર્ધક હશે? એનાથી આપણાં યુઝર્સના વિકાસમાં કોઈ ફેર પડશે? શિક્ષણ-સ્વાસ્થ્યમાં એનો લાભ મળશે?
વોટ્સએપ અને ફેસબુક ઉપર ફેલાતી અધકચરી માહિતીના આધારે તો આ સવાલોનો જવાબ નિરાશાજનક મળે છે.
પણ આશા અમર છે. લેટ્સ હોપ! ઈન્ટરનેેટ ઉપર આવી રહેલો ભારતીય ભાષાનો નવો ટ્રેન્ડ જ્ઞાનવર્ધક હશે.
********************
ભારતીય ભાષાઓમાં ગુજરાતી ક્યાં હશે?
૨૦૨૧ સુધીમાં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાઓનું પ્રભુત્વ વધશે. એમાં ગુજરાતીનું સ્થાન પણ આગળ પડતું છે. ૨૦૨૧માં ઈન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષા ઉપર આધાર રાખતા યુઝર્સની સંખ્યા ૨.૬ કરોડ હશે.
હિન્દીના ૨૧ કરોડ યુઝર્સ હશે એટલે સ્વાભાવિક રીતે ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રથમ નંબરે હશે. એ પછી ૫.૧ કરોડ યુઝર્સ સાથે મરાઠી બીજાં ક્રમે, ૪.૨ કરોડ સાથે બંગાળી ત્રીજા ક્રમે, ૩.૨ કરોડ સાથે તમિલ ચોથા અને ૩.૧ કરોડ વપરાશકર્તા સાથે તેલુગુ પાંચમા ક્રમે હશે. એ પછી છટ્વો ક્રમ ગુજરાતીને મળશે.
















