હિન્દી: રાજભાષા, નારાજભાષા!
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
હિન્દીને ભારતમાં રાજભાષાનો દરજ્જો મળ્યાનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ
૫૦ વર્ષ પહેલા ૧૯૬૫ના પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીએ જ ભારતે હિન્દી ભાષાને રાજભાષા તરીકે સ્વીકારી અમલી બનાવી હતી. અડધી સદી પછી પણ હિન્દી સામેનો વિરોધ સંપૂર્ણપણે નાબુદ થયો નથી..
૧૯૬૫માં ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માટેની તૈયારી ભારતભરમાં થઈ રહી હતી. એક તરફ સરકારી તંત્ર પ્રજાસત્તાક દિનના જડબેસલાક સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હતું, તો બીજી તરફ ભારતમાં ચોમેર પ્રદર્શનકારોએ દેખાવો શરૂ કર્યા હતા, જે સરકાર માટે માથાનો દુખાવો બન્યા હતા. સરકાર સામેના વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે બહુ આક્રમક બનવા લાગ્યા હતા. ક્યાંક ક્યાંક તો એ પ્રદર્શનો હિંસક પણ બન્યા હતા. પ્રદર્શનકારોએ સરકારી અસ્કામત પર તો પોતાનો ગુસ્સો ઉતાર્યો જ હતો, સાથોસાથ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેની ખફગીનો ભોગ બન્યા હતા. ભારતમાં છૂટા-છવાયા વિરોધ પ્રદર્શનો થવા એ નવી વાત નહોતી, પણ આઝાદી પછી કદાચ પ્રથમ વખત આ રીતે લોકોએ સરકારી નીતિનો આટલો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સરકાર સામેનો આ સજ્જડ વિરોધ કોઈ એક પ્રદેશના લોકોનો નહોતો. ઘણા બધા લોકો છૂટા-છવાયા દેખાવો કરી રહ્યાં હતા, છતાં મુદ્દાની બાબતે બધા એકસુત્રતાના તાંતણે બંધાયેલા હતા. પ્રદર્શનકારો અલગ અલગ જગ્યાએ હોવા છતાં અને તેની વિરોધની તરાહ જુદી હોવા છતાં બધા એક જ મુદ્દે સરકારની નીતિનો વિરોધ કરી રહ્યાં હતા. ચારેબાજુથી આ વિરોધને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યાં હતા. કોઈકનો મત એવો હતો કે વિરોધ વ્યર્થ છે. તો ઘણાં એમ માનતા હતા કે વિરોધમાં વજૂદ છે. બંને પક્ષે પોતાને સાચા ઠેરવતા મજબૂત તર્ક હતા, બંને પક્ષે સામ સામે નીતિ ખોટી છે એવું ઠસાવતી ધારદાર દલીલો ય થતી હતી.
મૂળે આખો મામલો એવી રીતે ગૂંચવાયો હતો કે કોણ સાચુ છે અને કોની વાત ખોટી છે એ નક્કી કરવાનું કામ હિમાલય સર કરવા જેટલું કે કદાચ એથીય વધુ અઘરૂ હતું. કેમ કે, એ વિરોધ હતો ભારતના બે રાજ્યો વચ્ચે પત્રવ્યવહારમાં ઉપયોગમાં લેવાનારી કોઈ એક ભાષાનો. એ વિરોધ હતો સરકારી કચેરીઓમાં ડોક્યુમેન્ટેશન કઈ ભાષામાં કરવું એની ગડમથલનો. એ વિરોધ હતો આખા દેશની શાળા-મહાશાળાઓમાં ફરજિયાત ભણવાના થતાં એક વિષયનો. એ વિરોધ હતો સાંસ્કૃત્તિક ભિન્નતા ધરાવતા અને ૧૬૦૦ જેટલી ભાષાઓ-બોલીઓ બોલતા દેશને રાજભાષાના એક બંધારણીય તાંતણે બાંધવાનો. પણ તો પ્રશ્ન એ થાય કે બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે જ તેમાં રાજભાષાની જોગવાઈઓ હતી તો પછી એ વિરોધ છેક ૧૫ વર્ષ પછી કેમ થતો હતો?
* * *
બ્રિટિશ શાસન દરમિયાન બધા જ વહીવટો સ્વાભાવિક રીતે જ અંગ્રેજીમાં થતાં હતા. પણ એ સમયે અંગ્રેજી ભાષા આજની તુલનાએ લોકસ્વીકૃત ન હતી. વળી, આઝાદીની ચળવળ વખતે લોકોની ભાષા તરીકે હિન્દી વધુ સારી રીતે ઉભરી આવી હતી. એ જ કારણ હશે કે જ્યારે બંધારણમાં કોઈ એક ભાષાને 'નેશનલ લેંગ્વેજ' બનાવવાનું સામે આવ્યું ત્યારે વધારેમાં વધારે બોલાતી ભાષા તરીકે હિન્દી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો અને એ માપદંડને ધ્યાનમાં રાખીને ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯માં બંધારણીય સમિતિએ હિન્દીને રાજભાષા ઘોષિત કરી હતી.
ભારતીય સંવિધાનના ભાગ ૧૭ની કલમ ૩૪૩માં ઉલ્લેખ કરાયો છે કે 'ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સંઘ (કેન્દ્ર સરકાર)ના રાજકીય હેતુઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રયોજવામાં આવશે.' હિન્દીની રાજભાષા ઘોષિત કરાઈ ત્યારે જ નક્કી કરાયું હતું કે ૨૬મી જાન્યુઆરી, ૧૯૬૫થી હિન્દી ભાષા ભારતીયની એક માત્ર સત્તાવાર ભાષા હશે.
આ પંદરેક વર્ષનો સમયગાળો નક્કી કરવા પાછળ પણ એક ચોક્કસ હેતુ હતો કે દક્ષિણ ભારતમાં એ સમય દરમિયાન હિન્દી ભાષાનો બરાબર પ્રચાર કરવામાં આવે અને એ માટે ૧૯૪૯માં દક્ષિણ હિન્દી પ્રચાર સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિનું કામ હતું દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનો પ્રચાર કરવાનું અને બોલચાલની ભાષામાં તેને સ્થાન અપાવવાનું, પણ એવું કરવામાં સફળતા ન મળી.
હિન્દીને સત્તાવાર બંધારણમાં સ્થાન તો મળી ગયું, પરંતુ ધીમે પગલે વિરોધનો ગણગણાટ પણ શરૂ થયો હતો. ૧૯૬૫માં જે વિરોધ પ્રદર્શનો હતા એ આ ગણગણાટનું વિશાળ સ્વરૂપ હતું. જોકે, પ્રથમ વખત ૧૩ ઓક્ટોબર, ૧૯૫૭માં દક્ષિણ ભારતમાં હિન્દીને રાજભાષા બનાવવા સામે વ્યાપક વિરોધનો સૂર ઉઠયો હતો. હિન્દી વિરૃદ્ધ દેખાવકારોએ એ દિવસને 'એન્ટી હિન્દી ડે' તરીકે ઉજવ્યો હતો. નાના પાયે વર્ષો સુધી હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા સામે વિરોધ પ્રદર્શનો થતાં રહ્યાં હતા, પરંતુ કદાચ ત્યારે તેને ગંભીરતાથી લેવામાં નહોતા આવ્યા.
વિરોધ કરવામાં બે સંગઠનોઃ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) અને ડીકે (દ્રવિડર કઝગમ) મુખ્ય ભાગ ભજવતા હતા. આ બંને પક્ષના વિચારોને વરેલા લોકોએ અંતે ૧૯૬૫માં પૂરજોશમાં વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્વિમ બંગાળ મુખ્ય હતા. વ્યાપક વિરોધ પ્રદર્શનોના અંતે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ હિન્દીને ભારતીય સંઘની એક માત્ર રાજભાષા તરીકે ઘોષિત કરવાના નિર્ણયમાં ફેરફાર કરાવ્યો અને અંગ્રેજીને પણ હિન્દીની લગોલગ સ્થાન આપ્યું.
આજેય કેન્દ્ર સરકારના દસ્તાવેજો અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવે છે. વળી, રાજ્યોને પોતાની અલગ ભાષાઓ છે. એટલે રાજ્ય સરકારોએ પોતાના દસ્તાવેજો અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક એમ ત્રણ ભાષામાં તૈયાર રાખવાના રહે છે.
પરંતુ એક રીતે તો હિન્દીને બંધારણમાં રાજભાષા તરીકે સ્થાન મળ્યું એ પહેલા જ આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રભાષા તરીકે લોકોમાં સન્માન મળી ચૂક્યું હતું! કઈ રીતે?
* * *
'હિન્દી ભારતની રાષ્ટ્રભાષા બનવી જોઈએ. અંગ્રેજી પરદેશી ભાષા છે અને દેશનો નાનામાં નાનો માણસ અંગ્રેજી સાથે તાદાત્મ્ય સાધી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વર્ષો લાગશે. વળી, બંગાળી, બિહારી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી જેવી ભારતની કેટ-કેટલી પ્રાદેશિક ભાષાના મૂળ હિન્દીમાં પડેલા છે. જેટલી સરળતાથી આપણી લઢણમાં હિન્દી આવી શકે એટલી ઝડપથી ઈંગ્લીશ બોલવું કે લખવું સરળ નહીં હોય. અંગ્રેજીની વ્યવસ્થિત તાલીમ પામેલા હજારો ભારતીયો હજુ પણ સાચી રીતે અંગ્રેજી બોલી નથી શકતા તો લાખો આમ આદમી કઈ રીતે બોલી શકશે? આપણે હજુ અંગ્રેજીનો અસરકારક ઉપયોગ કરતા શીખવાનું બાકી છે. ભારતને જોડતી કોઈ એક ભાષા હોવી ઘટે અને એ કામ મારી દ્રષ્ટિએ હિન્દી જ કરી શકે તેમ છે અને એટલે તેને રાષ્ટ્રભાષાનું ગૌરવ મળે એ જરૃરી છે. અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરું છું એટલે જરૂરી નથી કે તેની દૂરગામી અસર હોય. એ અસર તો બધા નેતાઓ અને સાક્ષર લોકો જ ઉપજાવી શકશે. આપણે બધાએ સહિયારા અને એકધારા પ્રયાસો કરવા પડશે. બિન હિન્દી પ્રાંતોમાં હિન્દી સાહિત્યને પહોંચતું કરવું પડશે અને હિન્દીને સારી રીતે શીખવાડી-સમજાવી શકે તેવા લોકોની પણ મોટે પાયે મદદ લેવી પડશે ત્યારે જ હિન્દીને ખરી રીતે રાષ્ટ્રીય ભાષાનું ગૌરવ અપાવી શકીશું. ભારતના હિત માટે અંગ્રેજી સ્વીકારવાની સાથોસાથ હિન્દીને એક ઊંચાઈ તો આપવી જ રહી!'
હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની ખુલ્લી તરફેણ કરતા આ શબ્દો છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના. ૨૮ માર્ચ, ૧૯૧૮ના રોજ ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી ગાંધીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે તો હજુ હિન્દીને રાષ્ટ્રભાષા જેવો બંધારણીય દરજ્જો આપી શકાય એ વિચાર પણ વધારે પડતો હતો. એ સમયે ગાંધીજીએ ભારતની કોઈ એક ભાષા પર પસંદગી ઉતારવાની હોય તો હિન્દી પર ઉતારવી જોઈએ એવો વિચાર વહેતો કર્યો હતો.
૧૯૩૫માં ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનમાં પણ ગાંધીજીએ ફરી વખત આવા જ વિચારો વ્યક્ત કર્યા હતા. એટલું જ નહીં, ૧૯૩૬માં હિન્દીના વિકાસ માટે વર્ધામાં સ્થપાયેલી સંસ્થા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના સક્રિય સંસ્થાપક પણ ગાંધીજી હતા. એ રીતે તો ગાંધીજીએ હિન્દીને બંધારણમાં સ્થાન મળે એની રાહ જોયા વગર જ રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ઘણા વર્ષો પહેલા જ શરૂ કરી દીધા હતા.
અંતે શું થયું? હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત હતી અને બનાવી દીધી રાજભાષા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારત પાસે બંધારણીય રીતે બબ્બે ઓફિસિયલ લેંગ્વેજીસ છે, પરંતુ નેશનલ લેંગ્વેજ એકેય નથી અને હવે કદાચ દેશને તેની જરૂરીયાત પણ વર્તાતી નથી. બંધારણમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેના ગાંધીજીના શબ્દોને આપણે બરાબર પકડયા હતા, પરંતુ કદાચ તેમના ભાવને પકડવામાં નિષ્ફળતા મળી હોય એમ પણ ન બની શકે?
સરકાર સામેનો આ સજ્જડ વિરોધ કોઈ એક પ્રદેશના લોકોનો નહોતો. ઘણા બધા લોકો છૂટા-છવાયા દેખાવો કરી રહ્યાં હતા, છતાં મુદ્દાની બાબતે બધા એકસુત્રતાના તાંતણે બંધાયેલા હતા. પ્રદર્શનકારો અલગ અલગ જગ્યાએ હોવા છતાં અને તેની વિરોધની તરાહ જુદી હોવા છતાં બધા એક જ મુદ્દે સરકારની નીતિનો વિરોધ કરી રહ્યાં હતા. ચારેબાજુથી આ વિરોધને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યાં હતા. કોઈકનો મત એવો હતો કે વિરોધ વ્યર્થ છે. તો ઘણાં એમ માનતા હતા કે વિરોધમાં વજૂદ છે. બંને પક્ષે પોતાને સાચા ઠેરવતા મજબૂત તર્ક હતા, બંને પક્ષે સામ સામે નીતિ ખોટી છે એવું ઠસાવતી ધારદાર દલીલો ય થતી હતી.
મૂળે આખો મામલો એવી રીતે ગૂંચવાયો હતો કે કોણ સાચુ છે અને કોની વાત ખોટી છે એ નક્કી કરવાનું કામ હિમાલય સર કરવા જેટલું કે કદાચ એથીય વધુ અઘરૂ હતું. કેમ કે, એ વિરોધ હતો ભારતના બે રાજ્યો વચ્ચે પત્રવ્યવહારમાં ઉપયોગમાં લેવાનારી કોઈ એક ભાષાનો. એ વિરોધ હતો સરકારી કચેરીઓમાં ડોક્યુમેન્ટેશન કઈ ભાષામાં કરવું એની ગડમથલનો. એ વિરોધ હતો આખા દેશની શાળા-મહાશાળાઓમાં ફરજિયાત ભણવાના થતાં એક વિષયનો. એ વિરોધ હતો સાંસ્કૃત્તિક ભિન્નતા ધરાવતા અને ૧૬૦૦ જેટલી ભાષાઓ-બોલીઓ બોલતા દેશને રાજભાષાના એક બંધારણીય તાંતણે બાંધવાનો. પણ તો પ્રશ્ન એ થાય કે બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે જ તેમાં રાજભાષાની જોગવાઈઓ હતી તો પછી એ વિરોધ છેક ૧૫ વર્ષ પછી કેમ થતો હતો?
* * *
બ્રિટિશ શાસન દરમિયાન બધા જ વહીવટો સ્વાભાવિક રીતે જ અંગ્રેજીમાં થતાં હતા. પણ એ સમયે અંગ્રેજી ભાષા આજની તુલનાએ લોકસ્વીકૃત ન હતી. વળી, આઝાદીની ચળવળ વખતે લોકોની ભાષા તરીકે હિન્દી વધુ સારી રીતે ઉભરી આવી હતી. એ જ કારણ હશે કે જ્યારે બંધારણમાં કોઈ એક ભાષાને 'નેશનલ લેંગ્વેજ' બનાવવાનું સામે આવ્યું ત્યારે વધારેમાં વધારે બોલાતી ભાષા તરીકે હિન્દી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો અને એ માપદંડને ધ્યાનમાં રાખીને ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯માં બંધારણીય સમિતિએ હિન્દીને રાજભાષા ઘોષિત કરી હતી.
ભારતીય સંવિધાનના ભાગ ૧૭ની કલમ ૩૪૩માં ઉલ્લેખ કરાયો છે કે 'ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સંઘ (કેન્દ્ર સરકાર)ના રાજકીય હેતુઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રયોજવામાં આવશે.' હિન્દીની રાજભાષા ઘોષિત કરાઈ ત્યારે જ નક્કી કરાયું હતું કે ૨૬મી જાન્યુઆરી, ૧૯૬૫થી હિન્દી ભાષા ભારતીયની એક માત્ર સત્તાવાર ભાષા હશે.
આ પંદરેક વર્ષનો સમયગાળો નક્કી કરવા પાછળ પણ એક ચોક્કસ હેતુ હતો કે દક્ષિણ ભારતમાં એ સમય દરમિયાન હિન્દી ભાષાનો બરાબર પ્રચાર કરવામાં આવે અને એ માટે ૧૯૪૯માં દક્ષિણ હિન્દી પ્રચાર સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિનું કામ હતું દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનો પ્રચાર કરવાનું અને બોલચાલની ભાષામાં તેને સ્થાન અપાવવાનું, પણ એવું કરવામાં સફળતા ન મળી.
હિન્દીને સત્તાવાર બંધારણમાં સ્થાન તો મળી ગયું, પરંતુ ધીમે પગલે વિરોધનો ગણગણાટ પણ શરૂ થયો હતો. ૧૯૬૫માં જે વિરોધ પ્રદર્શનો હતા એ આ ગણગણાટનું વિશાળ સ્વરૂપ હતું. જોકે, પ્રથમ વખત ૧૩ ઓક્ટોબર, ૧૯૫૭માં દક્ષિણ ભારતમાં હિન્દીને રાજભાષા બનાવવા સામે વ્યાપક વિરોધનો સૂર ઉઠયો હતો. હિન્દી વિરૃદ્ધ દેખાવકારોએ એ દિવસને 'એન્ટી હિન્દી ડે' તરીકે ઉજવ્યો હતો. નાના પાયે વર્ષો સુધી હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા સામે વિરોધ પ્રદર્શનો થતાં રહ્યાં હતા, પરંતુ કદાચ ત્યારે તેને ગંભીરતાથી લેવામાં નહોતા આવ્યા.
વિરોધ કરવામાં બે સંગઠનોઃ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) અને ડીકે (દ્રવિડર કઝગમ) મુખ્ય ભાગ ભજવતા હતા. આ બંને પક્ષના વિચારોને વરેલા લોકોએ અંતે ૧૯૬૫માં પૂરજોશમાં વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્વિમ બંગાળ મુખ્ય હતા. વ્યાપક વિરોધ પ્રદર્શનોના અંતે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ હિન્દીને ભારતીય સંઘની એક માત્ર રાજભાષા તરીકે ઘોષિત કરવાના નિર્ણયમાં ફેરફાર કરાવ્યો અને અંગ્રેજીને પણ હિન્દીની લગોલગ સ્થાન આપ્યું.
આજેય કેન્દ્ર સરકારના દસ્તાવેજો અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ તૈયાર કરવામાં આવે છે. વળી, રાજ્યોને પોતાની અલગ ભાષાઓ છે. એટલે રાજ્ય સરકારોએ પોતાના દસ્તાવેજો અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક એમ ત્રણ ભાષામાં તૈયાર રાખવાના રહે છે.
પરંતુ એક રીતે તો હિન્દીને બંધારણમાં રાજભાષા તરીકે સ્થાન મળ્યું એ પહેલા જ આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રભાષા તરીકે લોકોમાં સન્માન મળી ચૂક્યું હતું! કઈ રીતે?
* * *
'હિન્દી ભારતની રાષ્ટ્રભાષા બનવી જોઈએ. અંગ્રેજી પરદેશી ભાષા છે અને દેશનો નાનામાં નાનો માણસ અંગ્રેજી સાથે તાદાત્મ્ય સાધી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વર્ષો લાગશે. વળી, બંગાળી, બિહારી, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી જેવી ભારતની કેટ-કેટલી પ્રાદેશિક ભાષાના મૂળ હિન્દીમાં પડેલા છે. જેટલી સરળતાથી આપણી લઢણમાં હિન્દી આવી શકે એટલી ઝડપથી ઈંગ્લીશ બોલવું કે લખવું સરળ નહીં હોય. અંગ્રેજીની વ્યવસ્થિત તાલીમ પામેલા હજારો ભારતીયો હજુ પણ સાચી રીતે અંગ્રેજી બોલી નથી શકતા તો લાખો આમ આદમી કઈ રીતે બોલી શકશે? આપણે હજુ અંગ્રેજીનો અસરકારક ઉપયોગ કરતા શીખવાનું બાકી છે. ભારતને જોડતી કોઈ એક ભાષા હોવી ઘટે અને એ કામ મારી દ્રષ્ટિએ હિન્દી જ કરી શકે તેમ છે અને એટલે તેને રાષ્ટ્રભાષાનું ગૌરવ મળે એ જરૃરી છે. અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરું છું એટલે જરૂરી નથી કે તેની દૂરગામી અસર હોય. એ અસર તો બધા નેતાઓ અને સાક્ષર લોકો જ ઉપજાવી શકશે. આપણે બધાએ સહિયારા અને એકધારા પ્રયાસો કરવા પડશે. બિન હિન્દી પ્રાંતોમાં હિન્દી સાહિત્યને પહોંચતું કરવું પડશે અને હિન્દીને સારી રીતે શીખવાડી-સમજાવી શકે તેવા લોકોની પણ મોટે પાયે મદદ લેવી પડશે ત્યારે જ હિન્દીને ખરી રીતે રાષ્ટ્રીય ભાષાનું ગૌરવ અપાવી શકીશું. ભારતના હિત માટે અંગ્રેજી સ્વીકારવાની સાથોસાથ હિન્દીને એક ઊંચાઈ તો આપવી જ રહી!'
હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની ખુલ્લી તરફેણ કરતા આ શબ્દો છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના. ૨૮ માર્ચ, ૧૯૧૮ના રોજ ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી ગાંધીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારે તો હજુ હિન્દીને રાષ્ટ્રભાષા જેવો બંધારણીય દરજ્જો આપી શકાય એ વિચાર પણ વધારે પડતો હતો. એ સમયે ગાંધીજીએ ભારતની કોઈ એક ભાષા પર પસંદગી ઉતારવાની હોય તો હિન્દી પર ઉતારવી જોઈએ એવો વિચાર વહેતો કર્યો હતો.
૧૯૩૫માં ઈન્દોરમાં મળેલા હિન્દી સાહિત્ય સંમેલનમાં પણ ગાંધીજીએ ફરી વખત આવા જ વિચારો વ્યક્ત કર્યા હતા. એટલું જ નહીં, ૧૯૩૬માં હિન્દીના વિકાસ માટે વર્ધામાં સ્થપાયેલી સંસ્થા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના સક્રિય સંસ્થાપક પણ ગાંધીજી હતા. એ રીતે તો ગાંધીજીએ હિન્દીને બંધારણમાં સ્થાન મળે એની રાહ જોયા વગર જ રાષ્ટ્રભાષા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ઘણા વર્ષો પહેલા જ શરૂ કરી દીધા હતા.
અંતે શું થયું? હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત હતી અને બનાવી દીધી રાજભાષા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારત પાસે બંધારણીય રીતે બબ્બે ઓફિસિયલ લેંગ્વેજીસ છે, પરંતુ નેશનલ લેંગ્વેજ એકેય નથી અને હવે કદાચ દેશને તેની જરૂરીયાત પણ વર્તાતી નથી. બંધારણમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેના ગાંધીજીના શબ્દોને આપણે બરાબર પકડયા હતા, પરંતુ કદાચ તેમના ભાવને પકડવામાં નિષ્ફળતા મળી હોય એમ પણ ન બની શકે?
પોપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ!
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
૫૦ રૂપિયાની કાચી સામગ્રીમાંથી ૧૫૦૦ રૂપિયાનો બિઝનેસ કરવો હોય તો પોપકોર્ન વેંચવાનું શરૂ કરવું પડે! અત્યારે મોંઘા થયેલા પોપકોર્નની ગણના એક સમયે સૌથી સોંધા ફૂડ તરીકે થતી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વોર પ્રોડક્શન બોર્ડે તો પોપકોર્નને અનિવાર્ય અને કિફાયતી ફૂડ ગણાવ્યું હતું.
ફિલ્મે તીન ચીજો કી વજહ સે ચલતી હૈ, એન્ટરટેઇનમેન્ટ, સોફ્ટ ડ્રિંક્સ ઓર પોપકોર્ન.
'ડર્ટી પિક્ચર' ફિલ્મમાં વિદ્યા બાલનના ભાગે આવેલા સંવાદને થોડો ફેરવીને આ રીતે પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સની બાબતમાં કહી શકાય. પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સનો બિઝનેસ મલ્ટિપ્લેક્સ સિનેમા માટે કમાઉ દીકરા જેવો છે.
ભારતના બહુધા મલ્ટિપ્લેક્સ તેની ૭૦ ટકા કમાણી પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સમાંથી રળે છે. એમાંય પોપકોર્ન અને સિનેમા તો જાણે એક સિક્કાની બે બાજુ હોય એમ દશકાઓથી એકમેક સાથે જોડાઈ ગયા છે. કોર્ન કર્નેલ્સ (પોપકોર્ન બનાવવા માટેની તૈયાર મકાઈ સહિતની સામગ્રી)ના એક કિલોના જથ્થાબંધ ભાવ ૧૫૦થી વધારે નથી, પણ જ્યારે તેમાંથી પોપકોર્ન બનાવીને ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે ૧૦૦ ગ્રામના પોપકોર્ન પેકના ભાવ ૧૫૦ કરતા પણ વધારે હોય છે. એ રીતે ગણતરી માંડીએ તો પોપકોર્નના એક કિલોગ્રામના ભાવ રૂપિયા ૧૫૦૦ થયા ગણાય. સીધું ગણિત એવું થયું કે ૧૫૦ની કાચી સામગ્રીમાંથી ૧૫૦૦ રૂપિયાનો બિઝનેસ થયો.
હવે આ બિઝનેસમાંથી ઇક્વિપમેન્ટ, લેબર અને પેકેજિંગ સહિતનો ખર્ચ બાદ કરવામાં આવે તો ય નફાનો ગાળો બહુ મોટો થાય એમાં બે મત નથી. આ કિંમત થઈ તૈયાર રિટેઇલ મળતા પોપકોર્ન પેકની. ઘર માટે માઇક્રોવેવમાં બનાવી શકાતા પોપકોર્ન પેકેજિસના કિલોના ભાવ ૫૦૦ રૂપિયા સુધી છે. છતાં ૨૦૧૨માં એક અંદાજ પ્રમાણે આ બિઝનેસ વર્ષે ૧,૦૦૦ કરોડે પહોચે છે.
વેલ, ખરેખર તો એક સમયે પોપકોર્ન સૌથી સસ્તું ફૂડ હતું અને એટલે જ કદાચ પોપકોર્ને આ લોકપ્રિયતા મેળવી છે.
***
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુગરના પૂરવઠામાં મોટી અછત આવી હતી ત્યારે કેન્ડી સહિતના પ્રોડક્શનમાં પણ તેની ખૂબ ગંભીર અસર થઈ હતી. એ સમયે પોપકોર્ન માટે વિસ્તરવાનો શ્રેષ્ઠ મોકો હતો અને તેનો બરાબર લાભ પણ આ ફૂડને મળ્યો.
એ સમયે સૌથી સસ્તા ફૂડની વાત આવે કે તરત જ લોકો સામે પોપકોર્નનો વિકલ્પ પ્રથમ ક્રમે રહેતો. માત્ર પાંચ-સાત સેન્ટ્સમાં તો ત્રણ-ચાર લોકો ખાઈ શકે એટલી મોટી પોપકોર્ન બેગ આસાનાથી મળી રહેતી. ગ્રેટ ડિપ્રેશન પિરિયડ (બીજા વિશ્વયુદ્ધ પહેલાંથી છેક યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીના સમયગાળાને ૨૦મી સદીના ઈતિહાસમાં ગ્રેટ ડિપ્રેશન પિરિયડ કહેવાય છે) દરમિયાન જ્યારે તમામ બાબતોથી આવકનો સ્ત્રોત બંધ થતો હતો ત્યારે પોપકોર્નની બનાવટે ગૃહ ઉદ્યોગકારો અને ખેડૂતોના ઘરનો ચૂલો જલતો રાખ્યો હતો.
અમેેરિકાના નેબ્રાસ્કા, નોર્થ લૂપ, ઓહિયો, લોવા સહિતના વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યા બાદ તેમાંથી પોપકોર્ન બનાવીને આવક મેળવવાનું શરૂ રાખ્યું હતું. એ સમયે જ નહીં, આજે પણ આ પ્રદેશો તેના મકાઈના ઉત્પાદન અને પોપકોર્ન ઈન્ડસ્ટ્રી માટે જગતભરમાં જાણીતા છે.
એમ કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ આસપાસના સમયગાળામાં સરેરાશ અમેરિકન્સ ૨૪ કલાકમાં ત્રણ વખત પોપકોર્ન ખાઈને થોડી સી પેટ પૂજા કહી ભી, કભી ભી કરી લે એવી સ્થિતિ હતી. વોર પ્રોડક્શન બોર્ડે એ વખતે એવી એક સત્તાવાર જાહેરાત પણ કરી હતી કે પોપકોર્ન આ વિકટ સમયમાં લોકો માટે ખૂબ ઉપયોગી ખાદ્ય પ્રોડક્ટ છે અને તેના કારણે અસંખ્ય લોકોને લાંબું આયુષ્ય મળ્યું છે.
પોપકોર્નનું ઉત્પાદન એકાએક ચોમેર થવા લાગ્યું હતું એટલે બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યાં હોવાનું કારણ આગળ ધરીને અલગ અલગ સમયે વાંધો દર્જ થયો હતો. પોપકોર્ન આજે વિશ્વમાં સૌથી લોકપ્રિય ફૂડ છે એની પાછળ આ વાંધા અરજીઓનો પણ એટલો જ અગત્યનો ફાળો કહી શકાય. કેમકે, લોક લાગણીને ગંભીરતાથી લઈને પોપકોર્ન બનાવતી ફેક્ટરીઓએ તેની બનાવટ અને પેકેજિંગ માટેના ચોક્કસ ધારા-ધોરણ બનાવ્યા અને સાથે સાથે અમેરિકામાં નેશનલ પોપકોર્ન એસોસિએશન સ્થપાયું. નવા ધંધાર્થીએ પોપકોર્ન ઉદ્યોગમાં પ્રવેશવું હોય તેના માટે આ એસોસિએશનના નિયમો ઉથાપવાનું લગભગ અશક્ય હતું. પરિણામે પોપકોર્ન માટેનો ગ્રાહકોનો વિશ્વાસ બેવડાઈ ગયો.
આજેય ભાગ્યે જ કોઈ એક પ્રકારનું ફૂડ બનાવતા લોકો આ રીતે ગંભીર થઈને નિયમો બનાવતા હશે, ત્યારે અડધી સદી પહેલા પોપકોર્નની બનાવટમાં ખાસ ધારા-ધોરણ બંધાવા એ બહુ મોટી વાત કહેવાય. અમેરિકા બીજી ઘણા બધી બાબતોની જેમ આ મામલે પણ કદાચ એટલે જ નંબર વન બની શક્યું હશે!
***
પોપકોર્નના ઉત્પાદનમાં ભલે અમેરિકા નંબર વન પોઝિશન પર હતું અને છે, પણ મૂળે એ અમેરિકાની દેન નથી. વ્યાપક રીતે એમ મનાય છે કે બ્રિટનમાંથી અમેરિકા સ્થાઈ થયેલા વસાહતીઓ પોપકોર્નની મેથડ અમેરિકા લઈ આવ્યા હતા. વળી, એ બ્રિટનનું ફૂડ હોવાની ય શક્યતા નથી. ૨૦ સદીના મધ્યાહને પોપકોર્ન લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે હોય એ અલગ વાત છે, પરંતુ દુનિયા માટે પોપકોર્ન નવા પ્રકારનું ફૂડ નહોતું. પોપકોર્નના મૂળિયા તો છેક છ હજાર વર્ષ કે એથીય વધારે જૂના ઈતિહાસમાં મળી આવ્યા છે.
મેક્સિકોની બેટ ગુફામાંથી ૧૯૪૮-૧૯૫૦ દરમિયાન સંશોધકોને કેટલાક સેમ્પલ્સ મળી આવ્યા હતા. જેમાં એક કડી પોપકોર્નની મળી હતી, એ મુજબ ઈ.સ. પૂર્વે ૩૬૦૦ આસપાસ પેલી ગુફામાં રહેતો માનવી પોપકોર્ન ખાતો હતો. એશિયા અને પોપકોર્નને પણ સદીઓ પૂરાણો નાતો રહ્યો છે. ચીનમાં ૧૫મી સદીના છેલ્લા દશકામાં લોકો પોપકોર્ન ખાતા હતા એના અધારભૂત પુરાવાઓ મળ્યા છે. તો સુમાત્રા અને ભારતમાં પણ એ જ સમયગાળામાં પોપકોર્નનું અસ્તિત્વ નોંધાયું છે. આપણે ત્યાં હોળી દરમિયાન ખવાતી ધાણી (જે જુવારમાંથી બને છે) પણ આમ તો પોપકોર્નની માસીયાઈ જ છે!
અને હા, રહી વાત સિનેમાની. તો સિનેમા સાથે પોપકોર્ને કઈ રીતે જોડી બનાવી લીધી એ કહેવું તો કપરું છે, પરંતુ એમ કહેવાય છે કે બોલતી ફિલ્મોના દૌરથી ફિલ્મની સાથે સાથે નાસ્તામાં હળવા પોપકોર્નની લહેજત ઉઠાવવાનું શરૂ થયું હતું. પોપકોર્ન હેલ્થ માટે હાનિકારક છે કે ફાયદાકારક એ મુદ્દો હંમેશાથી સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે ડિબેટનો વિષય રહ્યો છે. પણ પોપકોર્ન પ્રેમીઓને એમ ક્યાં કોઈ રોકી શકવાનું છે? વિન્ટર એટલે પોપકોર્નનો સેલિંગ ટાઇમ! અને ૧૯મી જાન્યુઆરી એટલે વર્લ્ડ પોપકોર્ન ડે. પોપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ!
પોપકોર્ન મશીનના શોધક : ચાર્લ્સ ક્રેટર્સ
પોપકોર્નને હાથ બનાવટમાંથી મુક્તિ આપીને આધૂનિક સ્વરૂપ આપવાનો યશ ચાર્લ્સ ક્રેટર્સને આપવો રહ્યો. ૧૮૮૫માં ક્રેટર્સે પ્રથમ વખત થોડા પ્રયોગો કરીને પોપકોર્ન બનાવતું એક મોબાઇલ મશીન તૈયાર કર્યું હતું. પછીથી તેમણે શિકાગોમાં સી. ક્રેટર્સ એન્ડ કંપની બનાવી હતી અને પોપકોર્ન બનાવતા મશીનનું વ્યાપારીકરણ કરીને માર્કેટમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.
આજેય પોપકોર્ન મશીન્સની દુનિયામાં આ કંપનીની આગવી શાખ છે. ચાર્લ્સની પાંચમી જનરેશન કુશળતાપૂર્વક કંપનીનું સંચાલન કરી રહી છે. સીઈઓ ચાર્લ્સ ડી ક્રેટર્સ અને પ્રેસિડેન્ટ એન્ડ્રુ ક્રેટર્સના નેતૃત્વમાં કંપનીએ વિશ્વભરમાં વ્યાપ વધાર્યો છે. પોપકોર્નના મૂળિયા મળે કે ન મળે, પણ આ કંપનીએ પોપકોર્ન મશીન્સની બનાવટમાં પોતાના મૂળિયા ખૂબ ઊંડે સુધી વિસ્તાર્યા છે એમાં તો બે મત નથી!
ફિલ્મે તીન ચીજો કી વજહ સે ચલતી હૈ, એન્ટરટેઇનમેન્ટ, સોફ્ટ ડ્રિંક્સ ઓર પોપકોર્ન.
'ડર્ટી પિક્ચર' ફિલ્મમાં વિદ્યા બાલનના ભાગે આવેલા સંવાદને થોડો ફેરવીને આ રીતે પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સની બાબતમાં કહી શકાય. પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સનો બિઝનેસ મલ્ટિપ્લેક્સ સિનેમા માટે કમાઉ દીકરા જેવો છે.
ભારતના બહુધા મલ્ટિપ્લેક્સ તેની ૭૦ ટકા કમાણી પોપકોર્ન અને સોફ્ટ ડ્રિંક્સમાંથી રળે છે. એમાંય પોપકોર્ન અને સિનેમા તો જાણે એક સિક્કાની બે બાજુ હોય એમ દશકાઓથી એકમેક સાથે જોડાઈ ગયા છે. કોર્ન કર્નેલ્સ (પોપકોર્ન બનાવવા માટેની તૈયાર મકાઈ સહિતની સામગ્રી)ના એક કિલોના જથ્થાબંધ ભાવ ૧૫૦થી વધારે નથી, પણ જ્યારે તેમાંથી પોપકોર્ન બનાવીને ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે ૧૦૦ ગ્રામના પોપકોર્ન પેકના ભાવ ૧૫૦ કરતા પણ વધારે હોય છે. એ રીતે ગણતરી માંડીએ તો પોપકોર્નના એક કિલોગ્રામના ભાવ રૂપિયા ૧૫૦૦ થયા ગણાય. સીધું ગણિત એવું થયું કે ૧૫૦ની કાચી સામગ્રીમાંથી ૧૫૦૦ રૂપિયાનો બિઝનેસ થયો.
હવે આ બિઝનેસમાંથી ઇક્વિપમેન્ટ, લેબર અને પેકેજિંગ સહિતનો ખર્ચ બાદ કરવામાં આવે તો ય નફાનો ગાળો બહુ મોટો થાય એમાં બે મત નથી. આ કિંમત થઈ તૈયાર રિટેઇલ મળતા પોપકોર્ન પેકની. ઘર માટે માઇક્રોવેવમાં બનાવી શકાતા પોપકોર્ન પેકેજિસના કિલોના ભાવ ૫૦૦ રૂપિયા સુધી છે. છતાં ૨૦૧૨માં એક અંદાજ પ્રમાણે આ બિઝનેસ વર્ષે ૧,૦૦૦ કરોડે પહોચે છે.
વેલ, ખરેખર તો એક સમયે પોપકોર્ન સૌથી સસ્તું ફૂડ હતું અને એટલે જ કદાચ પોપકોર્ને આ લોકપ્રિયતા મેળવી છે.
***
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુગરના પૂરવઠામાં મોટી અછત આવી હતી ત્યારે કેન્ડી સહિતના પ્રોડક્શનમાં પણ તેની ખૂબ ગંભીર અસર થઈ હતી. એ સમયે પોપકોર્ન માટે વિસ્તરવાનો શ્રેષ્ઠ મોકો હતો અને તેનો બરાબર લાભ પણ આ ફૂડને મળ્યો.
એ સમયે સૌથી સસ્તા ફૂડની વાત આવે કે તરત જ લોકો સામે પોપકોર્નનો વિકલ્પ પ્રથમ ક્રમે રહેતો. માત્ર પાંચ-સાત સેન્ટ્સમાં તો ત્રણ-ચાર લોકો ખાઈ શકે એટલી મોટી પોપકોર્ન બેગ આસાનાથી મળી રહેતી. ગ્રેટ ડિપ્રેશન પિરિયડ (બીજા વિશ્વયુદ્ધ પહેલાંથી છેક યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીના સમયગાળાને ૨૦મી સદીના ઈતિહાસમાં ગ્રેટ ડિપ્રેશન પિરિયડ કહેવાય છે) દરમિયાન જ્યારે તમામ બાબતોથી આવકનો સ્ત્રોત બંધ થતો હતો ત્યારે પોપકોર્નની બનાવટે ગૃહ ઉદ્યોગકારો અને ખેડૂતોના ઘરનો ચૂલો જલતો રાખ્યો હતો.
અમેેરિકાના નેબ્રાસ્કા, નોર્થ લૂપ, ઓહિયો, લોવા સહિતના વિસ્તારોમાં મોટા ભાગના ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યા બાદ તેમાંથી પોપકોર્ન બનાવીને આવક મેળવવાનું શરૂ રાખ્યું હતું. એ સમયે જ નહીં, આજે પણ આ પ્રદેશો તેના મકાઈના ઉત્પાદન અને પોપકોર્ન ઈન્ડસ્ટ્રી માટે જગતભરમાં જાણીતા છે.
એમ કહેવાય છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ આસપાસના સમયગાળામાં સરેરાશ અમેરિકન્સ ૨૪ કલાકમાં ત્રણ વખત પોપકોર્ન ખાઈને થોડી સી પેટ પૂજા કહી ભી, કભી ભી કરી લે એવી સ્થિતિ હતી. વોર પ્રોડક્શન બોર્ડે એ વખતે એવી એક સત્તાવાર જાહેરાત પણ કરી હતી કે પોપકોર્ન આ વિકટ સમયમાં લોકો માટે ખૂબ ઉપયોગી ખાદ્ય પ્રોડક્ટ છે અને તેના કારણે અસંખ્ય લોકોને લાંબું આયુષ્ય મળ્યું છે.
પોપકોર્નનું ઉત્પાદન એકાએક ચોમેર થવા લાગ્યું હતું એટલે બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યાં હોવાનું કારણ આગળ ધરીને અલગ અલગ સમયે વાંધો દર્જ થયો હતો. પોપકોર્ન આજે વિશ્વમાં સૌથી લોકપ્રિય ફૂડ છે એની પાછળ આ વાંધા અરજીઓનો પણ એટલો જ અગત્યનો ફાળો કહી શકાય. કેમકે, લોક લાગણીને ગંભીરતાથી લઈને પોપકોર્ન બનાવતી ફેક્ટરીઓએ તેની બનાવટ અને પેકેજિંગ માટેના ચોક્કસ ધારા-ધોરણ બનાવ્યા અને સાથે સાથે અમેરિકામાં નેશનલ પોપકોર્ન એસોસિએશન સ્થપાયું. નવા ધંધાર્થીએ પોપકોર્ન ઉદ્યોગમાં પ્રવેશવું હોય તેના માટે આ એસોસિએશનના નિયમો ઉથાપવાનું લગભગ અશક્ય હતું. પરિણામે પોપકોર્ન માટેનો ગ્રાહકોનો વિશ્વાસ બેવડાઈ ગયો.
આજેય ભાગ્યે જ કોઈ એક પ્રકારનું ફૂડ બનાવતા લોકો આ રીતે ગંભીર થઈને નિયમો બનાવતા હશે, ત્યારે અડધી સદી પહેલા પોપકોર્નની બનાવટમાં ખાસ ધારા-ધોરણ બંધાવા એ બહુ મોટી વાત કહેવાય. અમેરિકા બીજી ઘણા બધી બાબતોની જેમ આ મામલે પણ કદાચ એટલે જ નંબર વન બની શક્યું હશે!
***
પોપકોર્નના ઉત્પાદનમાં ભલે અમેરિકા નંબર વન પોઝિશન પર હતું અને છે, પણ મૂળે એ અમેરિકાની દેન નથી. વ્યાપક રીતે એમ મનાય છે કે બ્રિટનમાંથી અમેરિકા સ્થાઈ થયેલા વસાહતીઓ પોપકોર્નની મેથડ અમેરિકા લઈ આવ્યા હતા. વળી, એ બ્રિટનનું ફૂડ હોવાની ય શક્યતા નથી. ૨૦ સદીના મધ્યાહને પોપકોર્ન લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે હોય એ અલગ વાત છે, પરંતુ દુનિયા માટે પોપકોર્ન નવા પ્રકારનું ફૂડ નહોતું. પોપકોર્નના મૂળિયા તો છેક છ હજાર વર્ષ કે એથીય વધારે જૂના ઈતિહાસમાં મળી આવ્યા છે.
મેક્સિકોની બેટ ગુફામાંથી ૧૯૪૮-૧૯૫૦ દરમિયાન સંશોધકોને કેટલાક સેમ્પલ્સ મળી આવ્યા હતા. જેમાં એક કડી પોપકોર્નની મળી હતી, એ મુજબ ઈ.સ. પૂર્વે ૩૬૦૦ આસપાસ પેલી ગુફામાં રહેતો માનવી પોપકોર્ન ખાતો હતો. એશિયા અને પોપકોર્નને પણ સદીઓ પૂરાણો નાતો રહ્યો છે. ચીનમાં ૧૫મી સદીના છેલ્લા દશકામાં લોકો પોપકોર્ન ખાતા હતા એના અધારભૂત પુરાવાઓ મળ્યા છે. તો સુમાત્રા અને ભારતમાં પણ એ જ સમયગાળામાં પોપકોર્નનું અસ્તિત્વ નોંધાયું છે. આપણે ત્યાં હોળી દરમિયાન ખવાતી ધાણી (જે જુવારમાંથી બને છે) પણ આમ તો પોપકોર્નની માસીયાઈ જ છે!
અને હા, રહી વાત સિનેમાની. તો સિનેમા સાથે પોપકોર્ને કઈ રીતે જોડી બનાવી લીધી એ કહેવું તો કપરું છે, પરંતુ એમ કહેવાય છે કે બોલતી ફિલ્મોના દૌરથી ફિલ્મની સાથે સાથે નાસ્તામાં હળવા પોપકોર્નની લહેજત ઉઠાવવાનું શરૂ થયું હતું. પોપકોર્ન હેલ્થ માટે હાનિકારક છે કે ફાયદાકારક એ મુદ્દો હંમેશાથી સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે ડિબેટનો વિષય રહ્યો છે. પણ પોપકોર્ન પ્રેમીઓને એમ ક્યાં કોઈ રોકી શકવાનું છે? વિન્ટર એટલે પોપકોર્નનો સેલિંગ ટાઇમ! અને ૧૯મી જાન્યુઆરી એટલે વર્લ્ડ પોપકોર્ન ડે. પોપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ!
પોપકોર્ન મશીનના શોધક : ચાર્લ્સ ક્રેટર્સ
પોપકોર્નને હાથ બનાવટમાંથી મુક્તિ આપીને આધૂનિક સ્વરૂપ આપવાનો યશ ચાર્લ્સ ક્રેટર્સને આપવો રહ્યો. ૧૮૮૫માં ક્રેટર્સે પ્રથમ વખત થોડા પ્રયોગો કરીને પોપકોર્ન બનાવતું એક મોબાઇલ મશીન તૈયાર કર્યું હતું. પછીથી તેમણે શિકાગોમાં સી. ક્રેટર્સ એન્ડ કંપની બનાવી હતી અને પોપકોર્ન બનાવતા મશીનનું વ્યાપારીકરણ કરીને માર્કેટમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.
આજેય પોપકોર્ન મશીન્સની દુનિયામાં આ કંપનીની આગવી શાખ છે. ચાર્લ્સની પાંચમી જનરેશન કુશળતાપૂર્વક કંપનીનું સંચાલન કરી રહી છે. સીઈઓ ચાર્લ્સ ડી ક્રેટર્સ અને પ્રેસિડેન્ટ એન્ડ્રુ ક્રેટર્સના નેતૃત્વમાં કંપનીએ વિશ્વભરમાં વ્યાપ વધાર્યો છે. પોપકોર્નના મૂળિયા મળે કે ન મળે, પણ આ કંપનીએ પોપકોર્ન મશીન્સની બનાવટમાં પોતાના મૂળિયા ખૂબ ઊંડે સુધી વિસ્તાર્યા છે એમાં તો બે મત નથી!
| ચાર્લ્સ ડી. ક્રેટરે પ્રથમ વખત કમર્શિયલ પોપકોર્ન મશીન તૈયાર કર્યું હતું |
સર સલામત તો ટોપિયાઁ બહોત!
ધૂમ-૩માં આમિર ખાનનો હેટ-લૂક ફેન્સને લવેબલ લાગ્યો છે. બોલીવૂડમાં હેટ પહેરવાનો ટ્રેન્ડ રાજ કપૂર સાહેબે સેટ કર્યો હતો. ભારતમાં ૨૦મી સદીના મધ્યાહને લોકપ્રિય થયેલી હેટનો યુરોપ-અમેરિકામાં તો સદીઓ પહેલાથી આગવો મરતબો રહ્યો છે. હેટની શાન બરકરાર રાખવામાં ઘણા સેલિબ્રિટીઝનો ફાળો ય મળતો રહ્યો છે.
૧૨૧૫ ઈ.સ.નો સમય હતો. રોમન કેથોલિક ચર્ચના પોપ ઈનોસન્ટ ત્રીજાના વડપણ હેઠળ રોમમાં ધાર્મિક વ્યાપ માટે યહુદીઓની એક બેઠક મળી હતી. જેને ઈતિહાસમાં ફોર્થ કાઉન્સિલ ઓફ ધ લેટરનના નામે ઓળખવામાં આવે છે. બેઠકમાં તત્કાલિન ધાર્મિક વિવાદોથી લઈને રોમન કેથલિક સંપ્રદાયની વિભિન્ન બાબતો પર ચર્ચા થવાની હતી.
તેમાં
ભાગ લેવા માટે ૧૪૦૦ લોકોને આમંત્રિત કરાયા હતા. ભેગા થયેલા બધા સભ્યો
પોશાકથી એકસુત્રતાના તાંતણે બંધાયેલા હોય એવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
તય કરેલા ડ્રેસ-કોડની સાથે સાથે બધાએ મસ્તક પર થોડા સખત કાપડમાંથી બનેલી
એક ચોક્ક્સ દેખાવ ધરાવતી પાઘડી પહેરી હતી. જેના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી
હતી એ પોપ ઈનોસન્ટ ત્રીજાએ આપણે ત્યાં મંદિરના શિખર હોય એવા આકારની એટલે કે
ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી એક પાઘડી પહેરી હતી. હાજર રહેલા તમામ
સભ્યોએ પણ એવી જ પાઘડી પહેરી હતી. બધાએ પોત-પોતાના હોદનુસાર ક્રમસઃ
વ્યવસ્થાના ભાગરૂપે મોટેથી નાની એ રીતે પાઘડી પર પસંદગી ઢોળી હતી.
આ
તમામ પાઘડીઓને પૂર્વાયોજિત બનાવડાવવામાં આવી હતી. ઈતિહાસની સંભવતઃ આ પહેલી
એવી ઘટના હતી કે જ્યાં હાજર રહેલા બધાના શિર પર પીળા રંગની પાઘડી શોભતી
હતી. આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલા મળેલી એ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ ધારણ કરેલી
પેલી ખાસ પ્રકારની પાઘ એટલે ધૂમ-૩માં આમિર ખાને પહેરેલી રાઉન્ડ શેઇપ હેટની
પૂર્વજ કેપ.
***
આપણે ત્યાં શિયાળામાં આવી એકેય પ્રકારની હેટ-કેપ પહેરવાનો ખાસ ટ્રેન્ડ નથી હોતો. ઊનની ગરમ કહેવાતી અને ચપોચપ માથામાં આવી જાય એવી ટોપી શિયાળા દરમિયાન આપણે પહેરતા હોઈએ છીએ. ઉનાળામાં આપણે ત્યાં લોકો વિભિન્ન હેટ ખરીદતા હોય છે. ખાસ કરીને યંગસ્ટર્સ રાઉન્ડ શેઇપમાં વૈવિધ્યસભર હેટ પહેરીને અલગ ભાત પાડવાનો પ્રયાસ કરતા હોય છે.
***
આપણે ત્યાં શિયાળામાં આવી એકેય પ્રકારની હેટ-કેપ પહેરવાનો ખાસ ટ્રેન્ડ નથી હોતો. ઊનની ગરમ કહેવાતી અને ચપોચપ માથામાં આવી જાય એવી ટોપી શિયાળા દરમિયાન આપણે પહેરતા હોઈએ છીએ. ઉનાળામાં આપણે ત્યાં લોકો વિભિન્ન હેટ ખરીદતા હોય છે. ખાસ કરીને યંગસ્ટર્સ રાઉન્ડ શેઇપમાં વૈવિધ્યસભર હેટ પહેરીને અલગ ભાત પાડવાનો પ્રયાસ કરતા હોય છે.
જોકે,
વિશ્વના ઠંડા દેશોમાં કે જ્યાં વર્ષ દરમિયાન મોટાભાગે ઠંડીનો અહેસાસ થતો
રહે છે ત્યાં સામાન્ય લોકોમાં બારેમાસ હેટ એટલી જ સહજ છે જેટલા પગમાં જૂતા!
સાવ એવુંય નથી કે શીત પ્રદેશોમાં ઠંડકથી માથાના ઉપરના ભાગને રક્ષણ આપવા
માટે જ હેટ પહેરાય છે. પહેલાં ખડકોમાં કામ કરતા મજૂરો માથા પર અચાનક કંઈક
પડે તો એનાથી સલામતી રાખવા માટે થોડી મજબૂત અને ભારેખમ હેટ પહેરતા હતા. તો
સામે પક્ષે ધનવાન લોકો એવું માનતા કે ખુલ્લા મસ્તકે બહાર નીકળવું એ તો
સ્ટેટ્સ સાથે ચેડાં થયા ગણાય! એટલે એ લોકો પોતાના કિંમતી પોશાકને અનુરૂપ
હેટ ધારણ કરવાનું અચૂક પસંદ કરતા.
એ
રીતે હેટના અલગ અલગ પ્રકાર પડી ગયા. હેટ પરથી માણસનો ક્લાસ ઓળખાતો એવોય એક
સમય હતો. ખાસ કરીને યુરોપ-અમેરિકી દેશોમાં હેટના આકાર અને બનાવટની તરાહ
પરથી એવી અટકળ થતી કે આ મહાશય શું કામ કરતા હશે અને કેટલા માલદાર હશે!
મજૂરોની જુદા આકારની હેટ, તો સરકારી અમલદારોની ય જુદી. ઉમરાવોની અદકેરી કેપ
હોય, તો બીજી તરફ સૈનિકોનું માથું પણ ખાસ તરાહની કેપથી ઢંકાયેલું જોવા
મળતું હતું. મહિલાઓ માટેય અલગ દેખાવની હેટ તૈયાર કરાવાતી હતી.
૧૫મી
સદીમાં ચર્ચમાં એકાએક એવો નિયમ લદાયો કે કોઈ પણ સ્ત્રીએ ખુલ્લા વાળ રાખીને
ચર્ચમાં ન પ્રવેશવું. ચર્ચના આ કાનૂનના કારણે સ્ત્રીઓમાં હેટની જરૂરીયાત
એકાએક વધી ગઈ. એ અરસામાં હેનિન પ્રકારની હેટ સ્ત્રીઓ પહેરતી થઈ. આ કેપ શંકુ
આકારની હતી. એટલે કે કોન જેવો તેનો દેખાવ હતો. આવી કેપ ખાસ તો વયસ્ક
સ્ત્રીઓ વધુ પહેરવાનું પસંદ કરતી હતી.
કેપની
ખપત વધી એટલે તેમાં વ્યાપારીકરણ પણ પ્રવેશ્યું. ધનવાન ઉમરાવોની સ્ત્રી
દરેક પ્રસંગે એકની એક હેટ પહેરે એ તો કેમ ચાલે? એટલે દરેક પોશાક સાથે શોભે
એવી હેટ બનાવનારા કારીગરો વધવા લાગ્યા. આખા યુરોપમાં એ સમયે હેટની બનાવટમાં
ઈટાલીના કારીગરોની આગવી શાખ હતી. તવંગર લોકો પોતાના ઘરની સ્ત્રીઓ ઈટાલિયન
બનાવટની હેટ પહેરે એને મરતબો સમજતા હતા. ઉમરાવો કે પછી અતિ ધનવાન વેપારીઓ
ઈટાલીથી હેટ આયાત કરવાને બદલે કારીગરોને ઘરે બોલાવી લેતા અને પછી ચોક્કસ
માપની હેટનું સર્જન થાય એવો માહોલ ઘરમાં જ ખડો કરી દેતા.
જેમ
હંમેશા બને છે એમ પુરુષોની સ્ટાઇલમાં ઝડપી ફેરફાર નથી આવતો પણ સ્ત્રીઓના
પોશાકમાં વિશાળ વૈવિધ્યનો અવકાશ હોય છે એવું જ હેટની બાબતમાં પણ બન્યું.
એકાદ શૈકામાં જ મહિલાઓ માટે હેટની મોટી રેન્જ ઉપલબ્ધ બની ગઈ. પુરુષો માટે
મંદિરના શિખર જેવી ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી ગોળાકાર હેટ સિવાય ભાગ્યે
જ કોઈ વૈવિધ્ય જોવા મળતું હતું. આ સ્થિતિ છેક ૧૮મી સદીના અંત સુધી ચાલી.
વચ્ચેના સમયગાળામાં હેટ બનાવતી ફેક્ટરીઓ અસ્તિત્વમાં આવી ગઈ હતી. મસ્તક અને
ચહેરાને શોભે એવી હેટ ૧૮મી સદીના અંતિમ પડાવમાં અને ૧૯મી સદીના શરૂઆતી
દૌરમાં મોટા પ્રમાણમાં મળવા લાગી હતી.
એમને
એમ વધુ એક સૈકો વીતી ગયો. એ દરમિયાન અમુક પ્રકારની હેટ વિખ્યાત બની ગઈ.
દક્ષિણ અમેરિકી લોકોની ઓળખ સમી કાઉબોય હેટ પ્રખ્યાત થઈ હતી. પનામા નહેરના
બાંધકામ વખતે કામદારો જે એકસરખી કેપ પહેરતા તે પછીથી પનામા હેટ તરીકે
ઓળખાવા લાગી. ઈંગ્લેન્ડના ડર્બી નામના સ્થળે પરંપરાગત યોજાતા હોર્સ
રાઇડિંગમાં ઘોડે સવારો જે કેપ પહેરતા તે ડર્બી હેટ તરીકે ખ્યાતિ પામી હતી. આ
ડર્બી હેટને થોમસ અને વિલિયમ બોલર નામના બે ભાઈઓએ ફેરફાર સાથે નવતર ડિઝાઇન
કરી હતી એટલે તે બોલર હેટના નામે ય ઓળખાણ પામી હતી (પછીથી આ બંને ભાઈઓએ
ઘોડેસવારો માટે કેપ બનાવતી કંપની લોક એન્ડ કો. માટે વિશાળ રેન્જમાં હેટ
ડિઝાઇન કરવાનું કામ કર્યું હતું).
પ્રથમ
અને બીજાં વિશ્વયુદ્ધની વચ્ચેના સમયમાં હેટ પહેરવાનો ટ્રેન્ડ ચરમસીમાએ
હતો. એમ કહો કે એ સમયગાળો હેટની તવારીખમાં સુવર્ણકાળ હતો.
બ્રિટન-અમેરિકા-ફ્રાન્સ-રશિયા-જર્મની જેવા દેશોમાં તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ
એવી મળતી કે જે માથામાં હેટ પહેર્યા વગર ઘરની બહાર પગ મૂકતી!
***
બીજા વિશ્વયુદ્ધ પછી અચાનક હેટ પહેરવાનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો. ફિલ્મી કલાકારોને બાદ કરતા હેટ ધારણ કરનારાની તાદાત ખૂબ ઘટી ગઈ. ૧૯૬૦ પછી લગભગ ૩ દશકા સુધી અવનવી હેર સ્ટાઇલના કારણે હેટનું વળગણ ઘટયા બાદ ફરીથી માઇકલ જેક્શન અને પ્રિન્સેસ ડાયનાના કારણે ટોપી ઇન ટ્રેન્ડ બની હતી.
***
બીજા વિશ્વયુદ્ધ પછી અચાનક હેટ પહેરવાનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો. ફિલ્મી કલાકારોને બાદ કરતા હેટ ધારણ કરનારાની તાદાત ખૂબ ઘટી ગઈ. ૧૯૬૦ પછી લગભગ ૩ દશકા સુધી અવનવી હેર સ્ટાઇલના કારણે હેટનું વળગણ ઘટયા બાદ ફરીથી માઇકલ જેક્શન અને પ્રિન્સેસ ડાયનાના કારણે ટોપી ઇન ટ્રેન્ડ બની હતી.
હવે
દુનિયામાં હજારેક પ્રકારની ટોપીઓ જોવા મળે છે. રમતથી સિનેમા સુધી અલગ અલગ
રંગની અને ડિઝાઇનની હેટ લોકપ્રિય થઈ છે. ઘણા સેલિબ્રિટીઝે હેટને હિટ
કરાવવામાં યોગદાન પણ આપ્યું છે. લેડી ગાગા, ડેવિડ બેકહેમ, કેટ મિડલટન,
લિયોનાર્ડો ડી કેપ્રિયો સહિતના અસંખ્ય સેલિબ્રિટિઝ હેટ સાથે જોવા મળે છે.
એમાં
લેટેસ્ટ ઉમેરો આમિર ખાનનો થયો છે. ધૂમ-૩નું શૂટિંગ શરૂ થયું તેના ત્રણ માસ
અગાઉથી પરફેક્શનના આગ્રહી આમિર ખાને એવા કારણથી હેટ પહેરવાનો પ્રારંભ
કર્યો હતો કે શૂટિંગ વખતે હેટ પહેરવામાં બરાબર હાથ બેસી જાય. ફિલ્મ રિલિઝ
થઈ પછી ય આમિરે હેટ પહેરવાનું ચાલું રાખ્યું હતું. લંડનથી ખાસ આયાત થયેલી
આમિર ખાનની એ હેટ ભારતમાં શિયાળામાં પણ હેટ માર્કેટમાં તેજી લાવવામાં
કારણભૂત બની હતી.
ફિલિપ ટ્રેસીઃ દુનિયાનો મશહૂર હેટ ડિઝાઇનર
લેડી ગાગાથી લઈને કેટ મિડલટન, ડેવિડ બેકહેમ સહિતના સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા લંડનના ફિલિપ ટ્રેસીનું હેટ ડિઝાઇનિંગની દુનિયામાં અત્યારે આગવું નામ છે. સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા કરતા આ ૪૬ વર્ષના ડિઝાઇનર પોતે પણ સેલિબ્રિટી બની ગયા છે. એમ તો બ્રિટનનાં રાણીની હેટ પણ સ્ટાઈલ આઈકન ગણાય છે. એની ડિઝાઈન પણ ક્યારેક ક્યારેક ફિલિપ ટ્રેસી કરે છે. કેટ મિડલ્ટન, મેગન મર્કેલ માટે ય વારે-તહેવારે ફિલિપ હેટ ડિઝાઈન કરી આપે છે.
ફિલિપ ટ્રેસીઃ દુનિયાનો મશહૂર હેટ ડિઝાઇનર
લેડી ગાગાથી લઈને કેટ મિડલટન, ડેવિડ બેકહેમ સહિતના સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા લંડનના ફિલિપ ટ્રેસીનું હેટ ડિઝાઇનિંગની દુનિયામાં અત્યારે આગવું નામ છે. સેલિબ્રિટીની હેટ ડિઝાઇન કરતા કરતા આ ૪૬ વર્ષના ડિઝાઇનર પોતે પણ સેલિબ્રિટી બની ગયા છે. એમ તો બ્રિટનનાં રાણીની હેટ પણ સ્ટાઈલ આઈકન ગણાય છે. એની ડિઝાઈન પણ ક્યારેક ક્યારેક ફિલિપ ટ્રેસી કરે છે. કેટ મિડલ્ટન, મેગન મર્કેલ માટે ય વારે-તહેવારે ફિલિપ હેટ ડિઝાઈન કરી આપે છે.
![]() |
| સેલિબ્રિટીઝની હેટ ડિઝાઈન કરીને ખુદ સેલિબ્રિટી બની ગયેલા ફિલિપ ટ્રેસી |
ફિલિપની
બીજી ઓળખ આપવી હોય તો એમ પણ આપી શકાય કે હેરી પોર્ટર શ્રેણીની બધી જ
ફિલ્મોમાં જોવા મળેલી બધી જ હેટ તેમણે ડિઝાઇન કરી હતી. તેમની આ કળા માટે
તેમને બ્રિટિશ એસેસરીઝ ઓફ ધ યરનો ખિતાબ પાંચ-પાંચ વખત આપવામાં આવ્યો છે.
મજાની વાત એ છે કે દુનિયાને ટોપી પહેરાવતા આ વિખ્યાત ડિઝાઇનર પોતે એક પણ
પ્રકારની ટોપી પહેરવાના શોખીન નથી!
બુચ કેસિડી : ધૂમ-3નો અસલી ચોર!
![]() |
| બુચ કેસિડી |
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ધૂમ-૩માં આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એ અમેરિકન બેંક ચોર બુચ કેસિડી ક્યારેય પોલીસના હાથમાં આવ્યો ન હતો. પોલીસ દાવો કરતી હતી કે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, પણ ખરેખર તે રહસ્યની જેમ જીવ્યો અને એમ જ મૃત્યુ પામ્યો...
બ્લેક સૂટ-નીચે બ્લેક પેન્ટ અને એવા જ રંગના જૂતા તેનો લગભગ કાયમી પોશાક. ઉંમર હશે ૩૦થી ૩૫ વર્ષ. માંડ પાંચેક ફીટની ઊંચાઈ. મધ્યમ બાંધો, હંમેશા ક્લિનશેવ્ડ રહેતા ચહેરાને જોઈનેે લાગે નહીં કે આ માણસ આટલો ખતરનાક હશે. માથામાં ટૂંકા વાળ, એના પર કાળી હેટ. પેશાથી ચોર, પરંતુ તેની સામેના પૂરાવાઓ શોધવા પોલીસ પણ મથી રહી હોય એટલું સજ્જડ તેનું આયોજન. છતાં, ચોરી કરીને પોતાની આગવી ઓળખ મૂકવા માટે દરેક વખતે એક ચોક્કસ નિશાની છોડતો જાય. આ ઠગ ચોરી કરવામાં જેટલો શાતિર, એટલો ભાગવામાં તેજતર્રાર.
ચોરી કરવાના તરિકાથી ખૂંખાર, પણ પાછો નેકદિલ ઈનસાન! ચોરી માતબર અને યાદગાર કરવાની કે જેમાં બેંક પાયમાલ થઈ જાય, પરંતુ એક પણ લોકોને ઈજા ન પહોંચે કે જાનહાની ન થાય એની ખાસ તકેદારી ય રાખવાની. અઠંગ ચોર કેમેય કરીનેે પકડાતો ન હોવાથી સરકારી એજન્સી તેની સામે સુલેહનો પ્રસ્તાવ મૂકે છે - 'ચોરી કરવાનું છોડી દઈશ તો બધા ગૂના માફ કરી દેવામાં આવશે', પણ એટલી જ બેફિકરાઈથી પ્રસ્તાવને ઠૂકરાવી દઈને સામે પડકાર ફેંકે છે કે તમારાથી પકડી શકાય તો પકડી લો!
ચોરી કરવા માટે મુખ્ય ટાર્ગેટ - બેંક. દરેક વખતે એવો મેસેજ આપે છે કે 'બેંકવાલો તુમ્હારી ઐસી કી તૈસી'.
***
ધૂમ-૩માં ચોરનો કિરદાર નિભાવતા આમિર ખાનના પાત્રની ઉપર વર્ણવી એ ખાસિયત છે એવું થોડી વાર માટે લાગે તો એ સ્વાભાવિક છે, પરંતુ ખરેખર તો આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એવા એક અમેરિકન મહાઠગની આ વાત છે.
***
ધૂમ-૩માં ચોરનો કિરદાર નિભાવતા આમિર ખાનના પાત્રની ઉપર વર્ણવી એ ખાસિયત છે એવું થોડી વાર માટે લાગે તો એ સ્વાભાવિક છે, પરંતુ ખરેખર તો આમિર ખાનનું પાત્ર જેના પરથી પ્રેરિત છે એવા એક અમેરિકન મહાઠગની આ વાત છે.
![]() |
| 'ધૂમ-3'માં આામિર ખાનનું કેરેક્ટર બુચ કેસિડીથી પ્રેરિત હતું |
લગભગ સવા-સો વર્ષ પહેલાં દક્ષિણ અમેરિકામાં તેના નામની આણ પ્રવર્તતી હતી. બેંક ઉપરાંત ટ્રેન રોબરીમાં તેની એવી ધાક જામી ગઈ હતી કે બીજી કોઈ પણ ગેંગ દક્ષિણ અમેરિકામાં ક્યાંય પણ બેંક કે ટ્રેન લૂંટે તો તરત જ તેનો અપયશ આ ઠગના નામે ચડી જતો. લોકો અખબારોમાં છપાતા તેના કારસ્તાનને ખૂબ રસપૂર્વક વાંચતા. તેણે કઈ રીતે બેંક કે ટ્રેન લૂંટી છે તે જાણવાની સૌને ઈંતેજારી રહેતી.
વિવિધ બેંકનું વ્યવસ્થાતંત્ર તેની બીકના કારણે ખાસ સલામતી ગોઠવતું હતું, તો ટ્રેનમાં મૂલ્યવાન માલ-સામાનની હેરફેર વખતે વિશેષ ગાર્ડ્સ તૈનાત કરાતા હતા. પણ જ્યારે આ ખૂંખાર ચોર ત્રાટકતો ત્યારે બધું જ પાણીમાં જતું. કેમ કે, તે હંમેશા એક કદમ આગળનું વિચારતો અને એના કારણે દરેક વખતે જડબેસલાક સલામતીની ધજિયા ઉડાવવાનું તેના માટે સાવ જ આસાન હતું.
ધીરે ધીરે તે એવો ચોર બની રહ્યો હતો કે જેનું અસ્તિત્વ માત્ર દંતકથાઓમાં જ હોય. છતાં તેનું સાચે જ અસ્તિત્વ હતું અને હંમેશા દંતકથાની જેમ રહેવાનું હતું. તેનું નામ હતું - રોબર્ટ લોરી પાર્કર ઉર્ફે બુચ કેસિડી ઉર્ફે વિલિયમ વિલ્કોક્ષ ઉર્ફે વિલિયમ ટી. ફિલિપ્સ. જેણે દક્ષિણ અમેરિકા ઉપરાંત બોલિવિયામાં અસંખ્ય બેંક ચોરીઓ કરી હતી અને 'ધ વાઇલ્ડ બંચ ગેંગ' બનાવીને વર્ષો સુધી તેનું સુકાન પણ સંભાળ્યું હતું. કોણ હતો આ બુચ કેસિડી?
***
રોબર્ટ લોરી પાર્કર નામનો એક છોકરડો ૧૩ ભાઈઓ-બહેનોમાં સૌથી મોટો. દક્ષિણ અમેરિકાના બીવર નામના એક નાનકડાં ગામમાં તેનો ગરીબ પરિવાર રહેતો હતો. ગરીબીમાં જન્મેલા રોબર્ટને મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે પોતે ગરીબીમાં જન્મ્યો છે એ નસીબ છે, પણ કોઈ કાળે જીવનભર ગરીબીમાં નથી સબડવું.
***
રોબર્ટ લોરી પાર્કર નામનો એક છોકરડો ૧૩ ભાઈઓ-બહેનોમાં સૌથી મોટો. દક્ષિણ અમેરિકાના બીવર નામના એક નાનકડાં ગામમાં તેનો ગરીબ પરિવાર રહેતો હતો. ગરીબીમાં જન્મેલા રોબર્ટને મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે પોતે ગરીબીમાં જન્મ્યો છે એ નસીબ છે, પણ કોઈ કાળે જીવનભર ગરીબીમાં નથી સબડવું.
સમૃદ્ધ જીવન જીવવાના શમણા સાથે તેણે માત્ર ૧૫ વર્ષની વયે ઘર છોડી દીધું. બાળપણ ખૂબ યાતનામાં વીત્યુ. સમજણો થયો ત્યારથી જ મા-બાપથી અળગા રહીને જીવવાનું પસંદ કર્યું હતું. એ સમય હતો ૧૮૮૦ આસપાસનો. ઘોડાનો તબેલો ચલાવતા માઇક કેસિડીને ત્યાં નોકરી કરવા લાગ્યો. ઘોડાની સંભાળ રાખવાની સાથે સાથે માઇક તેને બીજુ ઘણું બધું શીખવતો હતો કે જે તેને પછીથી કામ આવવાનું હતું. માઇક પાસેથી જ એક વાર રોબર્ટે રોબિન હૂડની વાતો સાંભળી. રોબિન હૂડથી તે એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે રોબિન હૂડને જ પોતાનો હીરો બનાવી લીધો.
માઇક પાસે માંડ બે વર્ષ કામ કર્યું હશે, પરંતુ માઇકનો તેના પર બહુ પ્રભાવ પડયો હતો. તેને હંમેશા એક મોટા તબેલાના માલિક બનીને માઇકની જેમ એશો-આરામની જિંદગી જીવવી હતી. અલગ અલગ ઔલાદના અને રંગના ઘોડાઓની વચ્ચે રહેવાનું સ્વપ્ન જોઈને તેણે વળી થોડી રઝળપાટ કરી લીધી. એ દરમિયાન તેના જેવા જ બીજા થોડા મિત્રોના પરિચયમાં આવ્યો. બધાએ ભેગા મળીને આસપાસના નાના-મોટા વેપારીઓને ત્યાં રોકડની ચોરી શરૂ કરી.
એક વખત રોબર્ટે વિચાર કરીને તેના સાથીદારોને કહ્યું 'આ રીતે નાની મોટી ચોરીઓ કરીને કશું જ નહીં વળે, કંઈક મોટું કરવું પડશે. એટલું મોટું કે પછી ચોમેર આપણી જ ચર્ચા થતી હોય.' બધાને તેની વાત ગળે ઉતરી. અમુકે એવી શર્ત રાખી કે તે મૂળ નામને બદલે બીજા ભળતા-સળતા નામનો ઉપયોગ કરશે અને એ રીતે ચારેય સભ્યોના નવા નામ વિચારાયા. માઇક કેસિડીના પ્રભાવમાં રહેલા રોબર્ટે પોતાનું નામ પાડયું - બુચ કેસિડી. મિત્રોની ટોળકીનું નામ પણ પડયું - ધ વાઇલ્ડ બંચ.
![]() |
| સનડેન્સ કિડ, વિલિયમ એલ્સવર્થ, બેન ક્લિપેટ્રિક, હાર્વે લોગાન અને છેલ્લે વાઈલ્ડ બંચનો લીડર બુચ કેસિડી |
ધ વાઇલ્ડ બંચે પ્રથમ નિશાન બનાવી ટેલુરાઇડ નામના ટાઉનમાં આવેલી સેન મિગુઇલ વેલી બેંકને. આ આયોજનબદ્ધ ચોરીમાં બેંકની લગભગ વીસેક હજાર ડોલરની રકમ ઉઠાવી લીધી. પ્રથમ બેંક ચોરીની રોકડમાંથી જ કેસિડીએ તેનું તબેલાનું સ્વપ્ન પૂરું કર્યું. વચ્ચેના ત્રણ-ચાર વર્ષના ગાળામાં ચોરીઓ કરવાનું બંધ કર્યું અને માત્ર તબેલા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારે તે બધાને પોતાની ઓળખ વિલિયમ વિલ્કોક્ષ તરીકે આપતો હતો. આ તેણે રાખેલું પોતાનું ત્રીજું નામ હતું. જોકે, એ બહુ લાંબું ન ચાલ્યું. કેમ કે, કેસિડીને ૧૮૯૪માં તેના ગૂના બદલ બે વર્ષની જેલ થઈ. જેલમાંથી છૂટયા પછી તેણે ફરીથી મિત્રોને ભેગા કર્યા અને પછી તેના કારનામાની હારમાળા સર્જાઈ ગઈ.
એ જ વર્ષે કેસિડીને તેના જેવો જ ચોરીમાં અને નાસવામાં કુશળ એવો એક સ્માર્ટ જોડીદાર મળી ગયો. જેનું નામ હતુંઃ હેરી લોંગબાઉટ. બેંક અને ટ્રેન રોબરીના ઈતિહાસમાં તેને સનડેન્સ કિડના નામથી ઓળખવામાં આવે છે. કેસિડીના અન્ય સાથીદારોના નામ હતા, વિલિયમ એલ્સવર્થ, બેન કિલપેટ્રિક અને હાર્વે લોગાન કે જે કિડ કરીના નામે ઓળખાતો હતો અને કેસિડી જ્યારે અંડરગ્રાઉન્ડ હોય ત્યારે ગેંગનું સુકાન કિડ કરી સંભાળતો.
જોત-જોતામાં તો આ ગેંગે તરખાટ મચાવી દીધો. ૧૮૯૬થી ૧૯૦૨ સુધીના ગણતરીના વર્ષોમાં ધ વાઇલ્ડ બંચના નામે મોન્ટપેલર, ઇડાહા, દક્ષિણ ડેકોટા, ન્યૂ મેક્સિકો, નેવાડા અને વ્યોમિંગ આસપાસની કેટલી બધી ટ્રેન લૂંટવાના અને બીજી એટલી જ બેંકોમાં ચોરી કરવાના કંઈ કેટલાય કારસ્તાન ચડી ચૂક્યા હતા. જ્યારે આ ગેંગ પર સુરક્ષા તંત્રનો કોઈ જ કાબૂ ન રહ્યો ત્યારે યુનિયન પેસિફિક રેલબોર્ડે કેસિડી સામે પ્રસ્તાવ મૂક્યો કે જો તે ટ્રેન લૂંટવાનું બંધ કરી દે તો રેલ્વે બોર્ડ તેની સામેના તમામ આરોપો પડતા મૂકશે અને તેની ગેંગના સભ્યોને રેલ્વે બોર્ડમાં સુરક્ષા ગાર્ડ્સની નોકરી પણ આપશે. કેસિડીએ પ્રસ્તાવ ઠૂકરાવી દીધો, પણ ચોરીઓ કરવાનું ઓછું કરી નાખ્યું.
ધીમે ધીમે સાવ નહીંવત કરી નાખ્યું. એ દરમિયાન પોલીસે કેસિડી અને સનડેન્સ કિડ સિવાયના બીજા સભ્યોને એક પછી એક નિશાન બનાવ્યા અને તમામને ખતમ કરી નાખ્યા. પોતાના સાથીદારોના મોતથી રઘવાયા થયેલા કેસિડી અને સનડેન્સ કિડે ફરીથી દક્ષિણ અમેરિકાને ધમરોળ્યું અને પછી બંને પોતાનો દેશ છોડીને બોલિવિયા ચાલ્યા ગયા.
૧૯૦૮માં બોલિવિયા પોલીસે એવો દાવો કર્યો કે એક બેંક રોબરી વખતે કેસિડી અને સનડેન્સ કિડ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, પણ એ કેસિડી અને સનડેન્સ કિડ જ હતા કે કેેમ તેના કોઈ ચોક્કસ પુરાવા આપવામાં પોલીસ નાકામ રહી હતી. તો શું બુચ કેસિડી અને સનડેન્સ કિડ ખરેખર માર્યા ગયા હતા?
***
૧૯૨૦માં વ્યોમિંગમાં રહેતા વિલિયમ ટી. ફિલિપ્સે એક પુસ્તક લખ્યું. જેનું નામ હતું, 'ધ ઇન્વિન્સિબલ બેન્ડિટ : ધ સ્ટોરી ઓફ બુચ કેસિડી'. આ પુસ્તકમાં ધ વાઇલ્ડ બંચની એવી એવી વાતો હતી જે માત્ર બુચ કેસિડી જ જાણતો હોય.
***
૧૯૨૦માં વ્યોમિંગમાં રહેતા વિલિયમ ટી. ફિલિપ્સે એક પુસ્તક લખ્યું. જેનું નામ હતું, 'ધ ઇન્વિન્સિબલ બેન્ડિટ : ધ સ્ટોરી ઓફ બુચ કેસિડી'. આ પુસ્તકમાં ધ વાઇલ્ડ બંચની એવી એવી વાતો હતી જે માત્ર બુચ કેસિડી જ જાણતો હોય.
અમેરિકન લેખક અને સંશોધક લેરી પોઇન્ટરે કેસિડી પર ખાસ્સુ રિસર્ચ કર્યા પછી ૧૯૭૭માં એવો દાવો કર્યો હતો કે વિલિયમ ટી. ફિલિપ્સ જ ખરેખર બુચ કેસિડી હતો. પોઇન્ટરે 'ઇન સર્ચ ઓફ બુચ કેસિડી' નામનું પુસ્તક લખ્યું હતું. તેણે વિલિયમ ફિલિપ્સની એક તસવીર સાથે કેસિડીની તસવીરની સામ્યતા પણ દર્શાવી હતી.
કેસિડીની બહેન લુલા પાર્કરે 'બુચ કેસિડીઃ માય બ્રધર' નામનું પુસ્તક લખ્યું હતું. તેણે ૧૯૭૦માં એવો દાવો કર્યો હતો કે કેસિડી ૧૯૩૫ સુધી તેના પરિવારને મળવા આવતો હતો. વિલિયમ ફિલપ્સનું ૧૯૩૭માં ૭૧ નિધન થયું હતું. શું આ વિલિયમ ફિલિપ્સ જ કેસિડી હતો? આ રહસ્ય પર આજ સુધી પડદો રહ્યો છે.
***
1969માં અમેરિકન ફિલ્મ ડિરેક્ટર જ્યોર્જ રોય હિલે 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' નામની ફિલ્મ બનાવી હતી. 2003માં આ ફિલ્મને લાઈબ્રેરી ઓફ કોંગ્રેસે નેશનલ ફિલ્મ રજીસ્ટ્રીમાં સ્થાન આપ્યું હતું. અમેરિકન ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટે 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' ફિલ્મને 100 યાદગાર અમેરિકન ફિલ્મ્સના લિસ્ટમાં 73મો ક્રમ આપ્યો હતો.
'ધૂમ-3'માં આમિર ખાનનું પાત્ર બુચ કેસિડીથી પ્રભાવિત હતું. દેખાવથી લઈને બેંક ચોરીના કિસ્સા સુધી આમિરના પાત્રનું કેરેક્ટર બુચ કેસિડીના આધારે બનાવાયું હતું. 'બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ' ફિલ્મના અમુક ફાઈટસીન ભારતની ઓલટાઈમ ક્લાસિક ગણાતી ફિલ્મ 'શોલે' સાથે ય સામ્યતા ધરાવે છે!
![]() |
| બુચ કેસિડી એન્ડ સનડેન્સ કિડ ફિલ્મમાં બુચ કેસિડી બનેલા પૌલ ન્યૂમેન અને સનડેન્સ કિડ બનેલા રોબર્ટ રેડફોર્ડ |
ક્રોસ-વર્ડ પઝલ્સ : @ 100 નોટઆઉટ....
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
ક્રોઝ-વર્ડ પઝલે અખબારના પાના ઉપર જગ્યા બનાવી તેને 100 વર્ષ થયા. ક્રોસ-વર્ડ પઝલ કઈ સ્થિતિમાં ક્રિએટ થઈ હતી? બદલામાં તેના સર્જકને શું મળ્યું હતું?
'આપણી નેક્સ્ટ સન્ડે એડિશનમાં ક્રિશમસને ધ્યાનમાં રાખીને કશુંક નવું આપવું છે.' ન્યૂયોર્કના એક અખબારના એડિટર પોતાના ન્યૂઝપેપરમાં ફન વિભાગની જવાબદારી નિભાવતા ડેપ્યુટી એડિટરને બોલાવીને સૂચના આપી રહ્યાં હતા.
'...પણ એના માટે તો થોડો વધુ સમય જોઈશે અને હવે આપણી પાસે નેક્સ્ટ એડિશન માટે એટલો સમય જ ક્યાં બચ્યો છે?' ડિપ્યુટી એડિટરે સાહેબને સમજાવવાની કોશિશ કરી.
'તમારી પાસે આજનો દિવસ છે, એ દરમિયાન કશુંક નવું વિચારી જૂઓ, વધુ વાત આવતીકાલે કરીશું.' એડિટરે સત્તાવાહી સ્વરમાં ડેપ્યુટી એડિટરને જણાવ્યું.
'હું પૂરી કોશિશ કરીશ સર, થેન્ક યુ!' ડેપ્યુટી એડિટરે એડિટરની કેબિનમાંથી વિદાય લીધી.
ડેપ્યુટી એડિટર પોતાની જગ્યાએ આવીને વિચારે ચડયો. 'એક દિવસમાં નવું આપીને આપીને શું આપી શકાશે?' તેણે મનોમન પ્રશ્ન કર્યો અને પછી ફન વિભાગમાં શું નવું આપી શકાય એની શક્યતાઓ ચકાસવામાં તે લાગી ગયો. બાકી રહેલા બીજા કામો પણ તેને સાથે સાથે કરવાના હતા. આજે તેને કામમાં બહુ મન ન લાગ્યું. સન્ડેની નવી એડિશન માટે તેનું મન સતત વિચાર કરતું રહ્યું.
'...પણ એના માટે તો થોડો વધુ સમય જોઈશે અને હવે આપણી પાસે નેક્સ્ટ એડિશન માટે એટલો સમય જ ક્યાં બચ્યો છે?' ડિપ્યુટી એડિટરે સાહેબને સમજાવવાની કોશિશ કરી.
'તમારી પાસે આજનો દિવસ છે, એ દરમિયાન કશુંક નવું વિચારી જૂઓ, વધુ વાત આવતીકાલે કરીશું.' એડિટરે સત્તાવાહી સ્વરમાં ડેપ્યુટી એડિટરને જણાવ્યું.
'હું પૂરી કોશિશ કરીશ સર, થેન્ક યુ!' ડેપ્યુટી એડિટરે એડિટરની કેબિનમાંથી વિદાય લીધી.
ડેપ્યુટી એડિટર પોતાની જગ્યાએ આવીને વિચારે ચડયો. 'એક દિવસમાં નવું આપીને આપીને શું આપી શકાશે?' તેણે મનોમન પ્રશ્ન કર્યો અને પછી ફન વિભાગમાં શું નવું આપી શકાય એની શક્યતાઓ ચકાસવામાં તે લાગી ગયો. બાકી રહેલા બીજા કામો પણ તેને સાથે સાથે કરવાના હતા. આજે તેને કામમાં બહુ મન ન લાગ્યું. સન્ડેની નવી એડિશન માટે તેનું મન સતત વિચાર કરતું રહ્યું.
દિવસ તો આમ ને આમ પૂરો થવા આવ્યો. તેણે હવે ઘરે જવાનું વિચાર્યું. તે ફરી સ્વગત બોલ્યો 'હવે તો રાતે જ વિચારીશ કે નેક્સ્ટ એડિશનની અણધારી આફતમાંથી કેમ ઉગરી શકાશે' તે બહાર જવા નીકળતો જ હતો કે તેને અચાનક કંઈક વિચાર મનમાં ઝબકી ગયો. તે જરાવાર થોભ્યો અને ફરીથી પોતાની જગ્યાએ ગયો. ફટાફટ કંઈક લખવા માંડયો. કદાચ તેને સન્ડેની એડિશન માટે શું નવું આપવું તેનો જવાબ મળી ગયો હતો. થોડી કલાકો પછી તેના ચહેરા પર હળવાશ હતી. ઉતાવળે જે લખાયું હતું તેને તે ધારી ધારીને જોતો હતો. ઘરે જવા નીકળ્યો હતો ત્યારના અને અત્યારના સમય વચ્ચે ખાસ્સા ચારેક કલાકનો ગાળો પડી ગયો હતો. ઓફિસમાં લગભગ કોઈ જ નહોતું. ઘરે જવામાં આટલું મોડું થયું હોવા છતાં તેના મનમાં હાશકારો હતો.
***
'ફન વિભાગમાં તમે જે નવો પ્રયોગ કર્યો છે એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, આપણે દર રવિવારની એડિશનમાં તેને જગ્યા આપીશું' ૨૧ ડિસેમ્બર, ૧૯૧૩ના રોજ 'ન્યૂયોર્ક વર્લ્ડ' નામના અખબારના એડિટર હેરબર્ટ બેયર્ડ સ્વોપ પેલા ડેપ્યુટી એડિટર આર્થર વિન્નીને સસ્મિત જણાવી રહ્યાં હતા.
***
'ફન વિભાગમાં તમે જે નવો પ્રયોગ કર્યો છે એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે, આપણે દર રવિવારની એડિશનમાં તેને જગ્યા આપીશું' ૨૧ ડિસેમ્બર, ૧૯૧૩ના રોજ 'ન્યૂયોર્ક વર્લ્ડ' નામના અખબારના એડિટર હેરબર્ટ બેયર્ડ સ્વોપ પેલા ડેપ્યુટી એડિટર આર્થર વિન્નીને સસ્મિત જણાવી રહ્યાં હતા.
વિન્નીએ હકારમાં મસ્તક ધૂણાવ્યું. એડિટરે ઉમેર્યું 'બની શકે કે જો આટલો સારો ફિડબેક મળતો રહેશે તો આપણે તેને સપ્તાહમાં બે વખત પણ આપી શકીએ, તમે તૈયારી રાખજો. જરૃર પડશે તો તમને એમાં મદદનીશ પણ આપીશું'
'મેં થોડું વિચાર્યું છે, આપણે એમાં હજુ થોડા પ્રયોગો કરીશું તો રિડર્સને વિવિધતા મળશે', વિન્નીએ એડિટર સામે જોઈને આત્મવિશ્વાસથી કહ્યું.
'બિલકુલ! તમને જે સારું લાગે એ કરતા રહેજો' એડિટરે વિન્ની પર વિશ્વાસ જતાવ્યો.
બંનેની વાતચીત પૂરી થઈ એટલે ૪૨ વર્ષના આર્થર વિન્ની એડિટરની કેબિનમાંથી બહાર નીકળીને પોતાના કામમાં લાગી ગયા. તેમણે કરેલો પ્રયોગ સફળ થયો છે એ જાણીને તે મનોમન હરખાયા. જોકે, એમને એ ક્યાં ખબર હતી કે તેમનો આ નવો પ્રયોગ એક દિવસ વિશ્વભરના અખબારોનો અવિભાજ્ય હિસ્સો બની જશે.
આર્થર વિન્નીએ કરેલી એ નવી શોધ વર્ડ-ક્રોસના નામે પહેલી વખત અખબારમાં પ્રકાશિત થઈ ત્યારે ડાઇમંડ શેપના ખાનામાં પઝલ રૃપે ૩૨ વર્ડ્સ શોધવા માટેની સૂચના લખવામાં આવી હતી કે 'નીચેની સૂચનાઓને ધ્યાનથી વાંચીને ઉપરના ખાનાઓમાં બંધબેસતા શબ્દો ગોઠવો'. શરૃઆતની લોકપ્રિયતાના જોરે ક્રોસ-વર્ડ પઝલે નવા આયામો સર કર્યાં.
'મેં થોડું વિચાર્યું છે, આપણે એમાં હજુ થોડા પ્રયોગો કરીશું તો રિડર્સને વિવિધતા મળશે', વિન્નીએ એડિટર સામે જોઈને આત્મવિશ્વાસથી કહ્યું.
'બિલકુલ! તમને જે સારું લાગે એ કરતા રહેજો' એડિટરે વિન્ની પર વિશ્વાસ જતાવ્યો.
બંનેની વાતચીત પૂરી થઈ એટલે ૪૨ વર્ષના આર્થર વિન્ની એડિટરની કેબિનમાંથી બહાર નીકળીને પોતાના કામમાં લાગી ગયા. તેમણે કરેલો પ્રયોગ સફળ થયો છે એ જાણીને તે મનોમન હરખાયા. જોકે, એમને એ ક્યાં ખબર હતી કે તેમનો આ નવો પ્રયોગ એક દિવસ વિશ્વભરના અખબારોનો અવિભાજ્ય હિસ્સો બની જશે.
આર્થર વિન્નીએ કરેલી એ નવી શોધ વર્ડ-ક્રોસના નામે પહેલી વખત અખબારમાં પ્રકાશિત થઈ ત્યારે ડાઇમંડ શેપના ખાનામાં પઝલ રૃપે ૩૨ વર્ડ્સ શોધવા માટેની સૂચના લખવામાં આવી હતી કે 'નીચેની સૂચનાઓને ધ્યાનથી વાંચીને ઉપરના ખાનાઓમાં બંધબેસતા શબ્દો ગોઠવો'. શરૃઆતની લોકપ્રિયતાના જોરે ક્રોસ-વર્ડ પઝલે નવા આયામો સર કર્યાં.
![]() |
| આર્થર વિન્ની અને તેમણે 21મી ડિસેમ્બર, 1913માં સર્જેલી પ્રથમ ક્રોસ-વર્ડ પઝલ |
જોત જોતામાં ન્યૂયોર્કના મોટાભાગના અખબારોએ વિન્નીની પેટર્ન પ્રમાણે ક્રોસ-વર્ડ છાપવાનું શરૃ કર્યું. હરીફ અખબારોની સામે મજબૂત સ્પર્ધા પૂરી પાડવા અને લોકોનો રસ સતત જળવાઈ રહે તે માટે વિન્નીએ ઘણી નવી નવી તરાહથી ક્રોસ-વર્ડ પઝલ્સ આપવાનું શરૃ રાખ્યું. હરીફ અખબારોથી વિન્ની હંમેશા બે કદમ આગળ રહેતા. એ દરમિયાન તેમણે ક્રોસ-વર્ડ માટે પોતાને કોપી રાઇટ આપી દેવા માટે તેના અખબારના તંત્રી અને અન્ય સાહેબોને કહ્યું. વિન્નીનો કોપી-રાઇટનો દાવો યેનકેન પ્રકારે ઉડાવી દેવાયો.
ધીરે ધીરે આર્થર વિન્નીનો રસ તેમાંથી ઓછો થતો ગયો. તેમને માર્ગારેટ પિથરબ્રિજ નામની એક સહાયક આપવામાં આવી હતી. લગલગાટ ૮ વર્ષ સુધી ક્રોસ-વર્ડની કમાન સંભાળ્યા પછી વિન્નીએ ૧૯૨૧માં માર્ગારેટને બધી જ જવાબદારી સોંપી દીધી.
ધીરે ધીરે આર્થર વિન્નીનો રસ તેમાંથી ઓછો થતો ગયો. તેમને માર્ગારેટ પિથરબ્રિજ નામની એક સહાયક આપવામાં આવી હતી. લગલગાટ ૮ વર્ષ સુધી ક્રોસ-વર્ડની કમાન સંભાળ્યા પછી વિન્નીએ ૧૯૨૧માં માર્ગારેટને બધી જ જવાબદારી સોંપી દીધી.
આજના ક્રોસ-વર્ડ પઝલ્સની ડિઝાઇનનો ઘણો ખરો યશ માર્ગાટેરને ય મળે છે. માર્ગારેટને જ્યારે ક્રોસ-વર્ડની તમામ જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેને એમાં કશો જ રસ પડતો ન હતો. જોબ માનીને તે બનાવી કાઢતી.
એ સમયે ન્યૂયોર્ક વર્લ્ડના એક ખૂબ જ લોકપ્રિય કટાર લેખક ફ્રેન્કલિન પી. એડમ્સને આ કોયડાઓમાં કોણ જાણે કેમ પણ બહુ રસ પડતો હતો. સપ્તાહમાંથી ડેઈલી કરાયેલી ક્રોસ-વર્ડ પઝલ્સને તે દરરોજ ભરતા અને માર્ગારેટના ડેસ્ક પર રાખી દેતા. એટલું જ નહીં, ક્યાં ક્યાં ભૂલો થઈ છે તેના પર નિશાની પણ કરતા.
માર્ગારેટ દરરોજ તેના પર નજર ફેરવતી અને પછી કચરાટોપલીમાં ફેંકી દેતી. થોડા દિવસો આ ક્રમ ચાલ્યો. માર્ગારેટને એમ કે કટાર લેખક થોડા દિવસોમાં થાકી જશે, પરંતુ એમ થાકે તો ફ્રેન્કલિન શાના! અંતે માર્ગારેટનો રસ આ પઝલ્સમાં કેળવાયો. પછી તો ક્રોસ-વર્ડ પઝલ્સ ન કેવળ તેની ઓળખ બની ગઈ, પણ બહુ બધી રોકડ રળવામાં ય માર્ગારેટને આ ફંડા કામ લાગ્યો.
![]() |
| માર્ગારેટ પિથરબ્રિજ |
બે પાર્ટનર સાથે મળીને તેણે ક્રોસ-વર્ડ પઝલ્સનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. શરૃઆતમાં ચાર લાખ નકલ વેંચાયા પછી તો ૧૯૮૪ સુધીમાં માર્ગારેટે ૧૩૪ વોલ્યુમ પર કામ કર્યું હતું. સૌથી મહત્ત્વની વાતઃ ક્રોસ-વર્ડ પઝલ્સના ઉદય વખતે 'સમયનો વેડફાટ' કહીને તેને વખોડી કાઢનારા ન્યૂયોર્કના ખૂબ મોટા અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સે' પણ ક્રોસ-વર્ડ
તો પછી આર્થર વિન્નીનું શું થયું?
***
'વોશિંગ્ટન પોસ્ટ' માટે ક્રોસ-વર્ડ પઝલ્સ ક્રિએટ કરતા ૬૩ વર્ષના મેર્લ રીગલ અત્યારે અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વમાં ક્રોસ વર્ડ ક્રિએશનમાં મોખરાનું નામ ગણાય છે. પઝલ્સના શોખીન હોવાના કારણે ક્રોસ-વર્ડ પઝલ્સના ક્રિએશનમાં આવી ગયેલા મેર્લ રીગલ પંદરેક વર્ષ પહેલા ઈન્ટરનેટ પર કશુંક વાંચી રહ્યાં હતા ત્યારે તેના ધ્યાનમાં એક પેરેગ્રાફ આવ્યો. તેમાં આર્થર વિન્ની વિશે થોડું લખ્યું હતું :
***
'વોશિંગ્ટન પોસ્ટ' માટે ક્રોસ-વર્ડ પઝલ્સ ક્રિએટ કરતા ૬૩ વર્ષના મેર્લ રીગલ અત્યારે અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વમાં ક્રોસ વર્ડ ક્રિએશનમાં મોખરાનું નામ ગણાય છે. પઝલ્સના શોખીન હોવાના કારણે ક્રોસ-વર્ડ પઝલ્સના ક્રિએશનમાં આવી ગયેલા મેર્લ રીગલ પંદરેક વર્ષ પહેલા ઈન્ટરનેટ પર કશુંક વાંચી રહ્યાં હતા ત્યારે તેના ધ્યાનમાં એક પેરેગ્રાફ આવ્યો. તેમાં આર્થર વિન્ની વિશે થોડું લખ્યું હતું :
'મૂળ ઈંગ્લેન્ડના વતની અને પછી અમેરિકામાં સ્થાઈ થયેલા આર્થર વિન્નીનું નિધન ૧૪ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ ફ્લોરિડાના ક્લીઅરવોટરમાં થયું હતું. તેમણે ક્રોસ-વર્ડ પઝલ્સનું સર્જન કર્યું હતું.' આટલું વાંચીને રીગલને વિચાર આવ્યો કે વિન્નીનું અવસાન થયું હતું તે સ્થળ ક્લીઅરવોટર તેનાથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે એટલે ક્રોસ-વર્ડ રસિયા અને ક્રિએટર તરીકે તેના સર્જકની તપાસ તો કરવી જોઈએ.
રીગલે તેના જર્નલિસ્ટ મિત્રોની મદદથી તપાસ કરી જોઈ, પણ ખાસ કશું ન મળ્યું. તેનું નિધન જો ક્લીઅરવોટરમાં જ થયું હોય તો ત્યાં તેની કબર હોવી જોઈએ એમ ધાર્યું હતું, પણ એવી કોઈ કબર તેને ન મળી. રીગલને એ જાણવામાં રસ હતો કે આ ક્રોસ-વર્ડ ક્રિએટરનું પછી શું થયું હતું. ક્રોસ-વર્ડના નામે કમાણી કરનારા ઘણા હતો, તો પછી વિન્નીએ શું કર્યું હશે? ક્રોસ-વર્ડ પર લખાયેલી જૂની એક-બે પુસ્તિકામાં તેના વિશે થોડો ઉલ્લેખ મળ્યો હતો. આ સિવાય આ ક્રોસ-વર્ડ પઝલના સર્જક વિશે એવું તો કેટલું બધુ હતું જે તેની પઝલની માફક હતું. કોયડાઓ ઉકેલવા પડે તેમ હતા.
આ ઘટનાને વર્ષો પસાર થઈ ગયા પછી ગયા વર્ષે એક દિવસ અચાનક રીગલની પત્ની મેરીને ઈન્ટરનેટ પર ક્યાંકથી વિન્નીની મોટી પુત્રીની મરણનોંધ વાંચવામાં આવી. તેમાં તેની એક નાની બહેનનો પણ ઉલ્લેખ હતો, જે ક્લીઅરવોટરમાં રહેતી હતી. તરત જ રીગલ દંપતીએ તેના સુધી પહોંચવા માટે પ્રયાસો આદર્યા. રીગલે સંપર્ક શોધીને તેની સાથે વાત કરી. ૮૦ વર્ષની વયે પહોંચવા આવેલા કેથરિન વિન્નીએ રીગલ દંપતી સાથે મુલાકાત કરવાની તૈયારી દર્શાવી અને એ રીતે રીગલને ક્રોસ-વર્ડ પઝલ્સના સર્જકની ન મળેલી કડીઓ મળી ગઈ.
***
વાત એમ હતી પોતાને કોપીરાઇટ ન મળ્યા પછી વિન્નીએ પઝલ્સમાં રસ દાખવવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ક્રોસ-વર્ડ પઝલ્સની કમાણીમાંથી રોકડી કરવા મેદાને પડેલા લોકોથી પણ વિન્નીને થોડો અણગમો થયો હતો.
***
વાત એમ હતી પોતાને કોપીરાઇટ ન મળ્યા પછી વિન્નીએ પઝલ્સમાં રસ દાખવવાનું ઓછું કરી નાખ્યું હતું. વળી, ક્રોસ-વર્ડ પઝલ્સની કમાણીમાંથી રોકડી કરવા મેદાને પડેલા લોકોથી પણ વિન્નીને થોડો અણગમો થયો હતો.
૧૯૩૧ સુધી 'ન્યૂયોર્ક વર્લ્ડ' ચાલુ રહ્યું હતું, એ બંધ થયા પછી તેઓ ક્લીઅરવોટર આવી ગયા હતા. તેમણે ૬૨ વર્ષની વયે લગ્ન કર્યા હતા. જોકે, પોતાના સર્જનમાંથી તેમણે કોઈ પણ કારણોથી કમાણી કરવાનું ટાળ્યું હતું.
તેમની કબર ન હોવાનું કારણ કહેતા કેથરિને કહ્યું હતું કે તેમના પિતાને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો. કેથરિને બહુ ગર્વભેર જણાવ્યું કે તેમના પિતા કહેતા કે 'તેમણે કમાણી માટે ક્રોસ-વર્ડનું સર્જન ક્યારેય નહોતું કર્યું અને ન તો તેમણે કમાણી માટે કોપીરાઇટની માંગણી કરી હતી!'
![]() |
| વિશ્વની પ્રથમ ક્રોસ-વર્ડ પઝલ |
વીડિયો ગેઇમ્સ : ટંકશાળ પાડી રહેલી કલ્પનાની માયાજાળ!
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
સ્માર્ટફોન અને ગેઇમ્સ એક બીજાના પર્યાય જેવા બની ગયા છે. સ્માર્ટફોન યુઝર્સના મોબાઇલફોન માટેના હેતુઓમાં ફોટોગ્રાફી પછી ગેઇમ્સ સૌથી વધુ પસંદગીની બાબત છે એવું એક લેટેસ્ટ સંશોધન કહે છે. વીડિયો ગેઇમ્સ આજે માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી રહ્યું, પરંતુ હવે વિશાળ બિઝનેસ પણ બની ગયો છે. સ્માર્ટફોનની સાથે સાથે સતત વિકસતો જતો આ બિઝનેસ આજે ૯,૩૦૦ કરોડ ડોલરને પાર કરી ગયો છે. જોકે, છએક દાયકા પહેલા જ્યારે તેનો પાયો નખાયો ત્યારે આ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો હતો...
સ્માર્ટફોનનું પ્રયોજન માત્ર ફોન કોલ્સ પૂરતું સીમિત નથી રહ્યું. તેની પાછળ ઘણા બધા હેતુઓ જોડાયા છે. સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહેવાથી લઈને દુનિયાભરમાં બનતી ઘટનાઓ ગણતરીની સેકન્ડમાં જાણી શકાય છે એટલે સ્માર્ટફોન વગર હવે ચાલે તેમ નથી. કોઈ પણ રીતે મનોરંજન મેળવવું એ સ્માર્ટફોનનો મુખ્ય ઉદેશ્ય છે.
સ્માર્ટફોન અને ગેઇમ્સ એક બીજાના પર્યાય જેવા બની ગયા છે. સ્માર્ટફોન યુઝર્સના મોબાઇલફોન માટેના હેતુઓમાં ફોટોગ્રાફી પછી ગેઇમ્સ સૌથી વધુ પસંદગીની બાબત છે એવું એક લેટેસ્ટ સંશોધન કહે છે. વીડિયો ગેઇમ્સ આજે માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી રહ્યું, પરંતુ હવે વિશાળ બિઝનેસ પણ બની ગયો છે. સ્માર્ટફોનની સાથે સાથે સતત વિકસતો જતો આ બિઝનેસ આજે ૯,૩૦૦ કરોડ ડોલરને પાર કરી ગયો છે. જોકે, છએક દાયકા પહેલા જ્યારે તેનો પાયો નખાયો ત્યારે આ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો હતો...
સ્માર્ટફોનનું પ્રયોજન માત્ર ફોન કોલ્સ પૂરતું સીમિત નથી રહ્યું. તેની પાછળ ઘણા બધા હેતુઓ જોડાયા છે. સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહેવાથી લઈને દુનિયાભરમાં બનતી ઘટનાઓ ગણતરીની સેકન્ડમાં જાણી શકાય છે એટલે સ્માર્ટફોન વગર હવે ચાલે તેમ નથી. કોઈ પણ રીતે મનોરંજન મેળવવું એ સ્માર્ટફોનનો મુખ્ય ઉદેશ્ય છે.
વિશ્વભરમાં થયેલા એક ખાનગી સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે ફોટોગ્રાફી પછી સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ વીડિયો ગેઇમ્સ રમવા માટે થાય છે. વીડિયો ગેઇમ્સ વગરનો એક સ્માર્ટફોન શોધવો મુશ્કેલ છે. ગેઈમ્સ એપ્સનો ધીકતો ધંધો દિવસે દિવસે મોટો થતો જાય છે. ગેમ્સ એપ ડેવલપર્સને આમાં બહુ મોટી શક્યતાઓ દેખાઈ રહી છે, આજે સતત વિકસી રહેલી વીડિયો ગેઇમ્સ ઈન્ડસ્ટ્રીનો પાયો લગભગ ૬૫ વર્ષ પહેલા ખોડાયો હતો.
***
૧૯૫૦ના દાયકામાં થોમસ ગોલ્ડસ્મિથ અને ઈસ્ટર્ન રેયમેન ફિલ્ડ નામના બે અમેરિકન્સે કેથડ રે ટયૂબ....ડિવાઇસ વીડિયો ગેઇમનું નિર્માણ કર્યું હતું. એ શરૃઆતી સોપાન હતું એટલે તે લોકપ્રિય ન થઈ. એ પ્રાથમિક તબક્કાની ગેઇમ હતી એટલે ય કદાચ તેને બહુ ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
***
૧૯૫૦ના દાયકામાં થોમસ ગોલ્ડસ્મિથ અને ઈસ્ટર્ન રેયમેન ફિલ્ડ નામના બે અમેરિકન્સે કેથડ રે ટયૂબ....ડિવાઇસ વીડિયો ગેઇમનું નિર્માણ કર્યું હતું. એ શરૃઆતી સોપાન હતું એટલે તે લોકપ્રિય ન થઈ. એ પ્રાથમિક તબક્કાની ગેઇમ હતી એટલે ય કદાચ તેને બહુ ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
૧૯૫૦ના વર્ષમાં ચાર્લી એડમ નામના કમ્પ્યુટર ઈજનેરે થોડી વધુ મહેનત કરીને બાઉન્સી બોલ ગેઇમ ક્રિએટ કરી હતી. એ ગેઇમ પણ પહેલાની માફક બહુ લોકભોગ્ય બની નહી, પરંતુ ત્યાર પછી ક્રિસ્ટોફર સ્ટ્રેચી , એ. એસ. ડગ્લાસ જેવા કમ્પ્યુટર ઈજનેરોએ આ ક્ષેત્રે ખેડાણ આદર્યું હતું જેના પરિણામે વીડિયો ગેઇમ્સને ધીમે ધીમે પોપ્યુલારિટી મળવા લાગી હતી.
એ જ અરસામાં બૂકહેવેનની નેશનલ લેબોરેટરીમાં એક મહત્ત્વ પૂર્ણ સોફ્ટવેર પર કામ થઈ રહ્યું હતું. વિલિયમ હિજિન્બોથમે ટેનિસ ફોટ ટુ નામની એક ગેઇમ્સ બનાવી હતી. આ ગેઇમ્સના ક્રિએટર વિલિયમે પોન્ગ ગેઇમ્સ બનાવીને વીડિયો ગેમિંગ ક્ષેત્રે એક નવું જ પ્રકરણ આલેખ્યું. એ સમય હતો ૧૯૬૦ આસપાસનો. ત્યાર બાદ ગેમિંગ ઈન્ડસ્ટ્રીએ સતત નવા નવા સોપાનો સર કરવા માંડયા હતા. જેમાં તેેને અવનવી વિકસતી જતી ટેકનોલોજીનો સથવારો પણ મળ્યો એટલે નાવિન્ય પીરસવાનો પડકાર પણ ઉમેરાતો જતો હતો.
***
***
૧૯૬૫થી આજ સુધીમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં જે ફેરફારો થયા છે અને જે નવિનતા આવી છે તેના ૮ ભાગ પાડીને જનરેશન પ્રમાણે વહેંચવામાં આવ્યા છે. અત્યારે ગેમિંગની આઠમી જનરેશન ચાલી રહી છે. પ્રથમથી લઈને આઠ સુધી પહોંચેલા આ બિઝનેસે છેલ્લા પાંચ દશકામાં ઘણા ચડાવ ઉતાર જોયા છે.
જર્મન-અમેરિકન રાફ બિઅરને ગેમિંગ ઉદ્યોગના પાયોનિયર તરીકેનું સન્માન આપવામાં આવે છે. આ રાફ બિઅરે બ્રાઉન બોક્ષ ગેઇમ બનાવી હતી જે વિશ્વભરમાં લોકપ્રિયતાના શિખરો સર કરવામાં સફળ રહી હતી. એ પછી સતત લેવલ પાર થતાં રહ્યાં છે. ૧૯૮૦ પછી એકધારી ચાલતી ઘરેડમાં પરિવર્તન આવવાનું શરૃ થયું. એડવેન્ચર, એક્શન, કાર-બાઇક રેસિંગ, ફાઇટિંગ, શૂટિંગ, રિધમ, રન એન્ડ ગન જેવી વિભિન્ન થીમવાળી ગેઇમ્સ આવવા લાગી હતી.
ઈન્ટરનેટની શોધ થયા પછી ઓનલાઇન ગેઇમિંગનું વધુ એક વિશાળ માર્કેટ ખડું થયું. ૧૯૯૫-૨૦૦૦ સુધીના પિરિયડમાં તો કોઈ પણ દેશના ગેઇમ રસિયા સાથે ઓનલાઇન ગેઇમિંગનો આનંદ ઉઠાવી શકાય એવી ટેકનિક પણ શોધાઈ ગઈ હતી. બંને ઓનલાઇન પ્લેયર્સ એકમેકની ભાષા જાણતા ન હોવા છતાં ગેઇમ તેની વચ્ચે જોડાણનું માધ્યમ બની જતી. ગેઇમિંગની આ સફર હવે ૩ડી સુધી લંબાઈ છે. પહેલા માત્ર થોડી ક્ષણો માટે મનોરંજન આપવા અને લેવા માટે ગેઇમિંગનો ઉપયોગ થતો હતો. પછી તેના દ્વારા રોકડી રળી લેનારા પણ મેદાને પડયા હતા અને પરિણામે ગેઇમિંગ એક મોટા ઉદ્યોગ તરીકે સામે આવ્યું છે. લેપટોપ, ટેબલેટ, આઈપેડ, મોબાઇલ ફોન જેવા અત્યાધૂનિક ઉપકરણોએ ગેઇમિંગ માર્કેટને હવા આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
ઈન્ટરનેટની શોધ થયા પછી ઓનલાઇન ગેઇમિંગનું વધુ એક વિશાળ માર્કેટ ખડું થયું. ૧૯૯૫-૨૦૦૦ સુધીના પિરિયડમાં તો કોઈ પણ દેશના ગેઇમ રસિયા સાથે ઓનલાઇન ગેઇમિંગનો આનંદ ઉઠાવી શકાય એવી ટેકનિક પણ શોધાઈ ગઈ હતી. બંને ઓનલાઇન પ્લેયર્સ એકમેકની ભાષા જાણતા ન હોવા છતાં ગેઇમ તેની વચ્ચે જોડાણનું માધ્યમ બની જતી. ગેઇમિંગની આ સફર હવે ૩ડી સુધી લંબાઈ છે. પહેલા માત્ર થોડી ક્ષણો માટે મનોરંજન આપવા અને લેવા માટે ગેઇમિંગનો ઉપયોગ થતો હતો. પછી તેના દ્વારા રોકડી રળી લેનારા પણ મેદાને પડયા હતા અને પરિણામે ગેઇમિંગ એક મોટા ઉદ્યોગ તરીકે સામે આવ્યું છે. લેપટોપ, ટેબલેટ, આઈપેડ, મોબાઇલ ફોન જેવા અત્યાધૂનિક ઉપકરણોએ ગેઇમિંગ માર્કેટને હવા આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
ગેઇમિંગનું માર્કેટ : ૯,૩૦૦ કરોડ ડોલરની ઊંચાઈ.....
વિશ્વમાં ગેઇમિંગનું માર્કેટ ૯,૩૦૦ કરોડ ડોલરને આંબી ગયું છે. ૨૦૧૧ની શરૃઆતમાં આ બિઝનેસ ૨,૫૦૦ કરોડ ડોલર હતો. માત્ર અઢીથી ત્રણ જ વર્ષમાં આ બિઝનેસને ચાર ગણો વેગ મળ્યો છે. આ આંકડા જ બતાવે છે કે ગેઇમિંગ માર્કેટમાં કેટલી તેજીનો માહોલ છે.
જાપાન, અમેરિકા, સાઉથ કોરિયા, ચીન અને ભારત ગેઇમ્સ સોફ્ટવેર બનાવવામાં અગ્રેસર ગણાય છે. ભારતના કમ્પ્યુટર ઈજનેરોના શિરે અમેરિકાના ગેઇમિંગ માર્કેટની મોટી જવાબદારી રહેલી છે. બે પ્રકારની ગેઇમ્સની અત્યારે બજારમાં ડિમાન્ડ છે. એડલ્ટ અને એક્શનથી ભરપૂર હોય એવી ગેઇમ્સ યુઝર્સ ખૂબ જલ્દી સ્વીકારી લે છે.
વોર ફિલ્મોની જેમ અટપટ્ટી વોરની ગેઇમ્સ બનાવવાની જરૃરીયાત રહે છે એટલે આવી ગેઇમ્સ બનાવનારાની પણ ઓનલાઇન ખાસ્સી ડિમાન્ડ રહે છે. વળી, એ કામ ડિઝાઇન કરવાથી લઈને સ્ટોરી બનાવવા સુધી જેટલું મુશ્કેલ છે એટલું જ ટફ તે ગેઇમ્સના બધા જ લેવલ પાર કરવાનું પણ છે. એ કારણે તેમાં લાંબાં ગાળા સુધી ગેઇમ્સ રસિયાઓનો રસ જળવાઈ રહે છે. આવી ગેઇમ્સ ઊંચા દામ ચૂકવીને ઓનલાઇન કે પછી ડાઉનલોડ કરીને રમવાનું ચલણ સતત વધતું જાય છે અને કદાચ એટલે જ તેમાં કમાણી પણ ધીકતી છે.
ગેમર ફેક્ટ્સ : કિતને પ્રતિશત લોગ.......
૭૨ પ્રતિશત સ્માર્ટફોન યુઝર્સ ગેઇમ રમવાનું પસંદ કરે છે.
૫૫ ટકા લોકો લેપટોપ કે પીસીમાં ગેઇમ રાખે છે.
૪૨ ટકા મહિલાઓ (કુલ ગેઇમ્સ રસિયાઓમાંથી) વિવિધ અઘરી લાગતી ગેઇમ્સ ખરીદીને પણ રમે છે.
૬૦ રૃપિયા સુધીનો ખર્ચ પ્રતિ માસ એવરેજ સ્માર્ટફોન યુઝર્સ કરે છે.
૩૭ વર્ષ, ગેઇમ રસિયાના સરેરાશ ઉંમર આ છે અને તે છેલ્લા ૧૨ વર્ષથી ગેઇમિંગનો આનંદ ઉઠાવે છે.
૭૮ યુઝર્સ લેપટોપ, પીસી કે મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ગેઇમ્સ દર બે મહિનામાં બદલી નાખે છે.
૪૦ ઈન્ટરનેટ યુઝર્સ ઓનલાઇન ગેઇમ રમે છે.
૪૨ ટકા મહિલાઓ (કુલ ગેઇમ્સ રસિયાઓમાંથી) વિવિધ અઘરી લાગતી ગેઇમ્સ ખરીદીને પણ રમે છે.
૬૦ રૃપિયા સુધીનો ખર્ચ પ્રતિ માસ એવરેજ સ્માર્ટફોન યુઝર્સ કરે છે.
૩૭ વર્ષ, ગેઇમ રસિયાના સરેરાશ ઉંમર આ છે અને તે છેલ્લા ૧૨ વર્ષથી ગેઇમિંગનો આનંદ ઉઠાવે છે.
૭૮ યુઝર્સ લેપટોપ, પીસી કે મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ગેઇમ્સ દર બે મહિનામાં બદલી નાખે છે.
૪૦ ઈન્ટરનેટ યુઝર્સ ઓનલાઇન ગેઇમ રમે છે.
૩૦ પ્રતિશત લોકો ફ્રી ઓનલાઇન ગેઇમ્સને બદલે પેઇડ ગેઇમ્સ રમે છે.
પ્લે એટ ફોર્ટી પ્લસ : કિસ કી મજાલ કહે મુજે દિવાના
સાઇન ઇન - હર્ષ મેસવાણિયા
ચાલીસીએ પહોંચેલા સચિન તેંડુલકરે ગયા મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, તો બીજી તરફ ૪૨ના થયેલા પ્રવીણ તાંબેની પસંદગી મુંબઈની રણજી ટ્રોફીની ટીમમાં થઈ. ઝારખંડ સામેની મેચમાં જો પ્રવીણ તાંબેનો સમાવેશ અંતિમ ઇલેવનમાં થશે તો તેના નામે મોટી વયે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પદાર્પણ કરનારા ભારતીય તરીકેનો વિક્રમ બનશે. જોકે, ૪૦ વર્ષ પછી કોઈ રમતમાં પદાર્પણ કરનારો તાંબે પ્રથમ ખેલાડી નથી. ધારો કે તાંબે શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટમાં સ્થાન મેળવે તો પણ તેના નામે વિશ્વ વિક્રમ ન બને એમ પણ બને!
તારીખ : ૧૫ માર્ચ, ૧૮૭૭
સમય : સવારના ૯-૧૦ આસપાસ
સ્થળ : ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન શહેર
ઘટના : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ મેચ
માર્ચ મહિનાનો સમય છે, છતાં ઓસ્ટ્રેલિયાના વાતાવરણ પ્રમાણે હવામાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. મેદાનમાં હાજર રહેલા થોડાંક ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવ ગ્રેગરી અને મહેમાન ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જેમ્સ લીલીવ્હાઇટ ટોસ ઉછાળવા મેદાન પર ઉતરે છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ પર પસંદગી ઉતારે છે. આ સાથે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઐતિહાસિક પ્રકરણ આલેખાય જાય છે.
ચાલીસીએ પહોંચેલા સચિન તેંડુલકરે ગયા મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, તો બીજી તરફ ૪૨ના થયેલા પ્રવીણ તાંબેની પસંદગી મુંબઈની રણજી ટ્રોફીની ટીમમાં થઈ. ઝારખંડ સામેની મેચમાં જો પ્રવીણ તાંબેનો સમાવેશ અંતિમ ઇલેવનમાં થશે તો તેના નામે મોટી વયે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પદાર્પણ કરનારા ભારતીય તરીકેનો વિક્રમ બનશે. જોકે, ૪૦ વર્ષ પછી કોઈ રમતમાં પદાર્પણ કરનારો તાંબે પ્રથમ ખેલાડી નથી. ધારો કે તાંબે શાનદાર પ્રદર્શન કરીને ટેસ્ટમાં સ્થાન મેળવે તો પણ તેના નામે વિશ્વ વિક્રમ ન બને એમ પણ બને!
તારીખ : ૧૫ માર્ચ, ૧૮૭૭
સમય : સવારના ૯-૧૦ આસપાસ
સ્થળ : ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન શહેર
ઘટના : ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ મેચ
માર્ચ મહિનાનો સમય છે, છતાં ઓસ્ટ્રેલિયાના વાતાવરણ પ્રમાણે હવામાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. મેદાનમાં હાજર રહેલા થોડાંક ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવ ગ્રેગરી અને મહેમાન ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જેમ્સ લીલીવ્હાઇટ ટોસ ઉછાળવા મેદાન પર ઉતરે છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ પર પસંદગી ઉતારે છે. આ સાથે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઐતિહાસિક પ્રકરણ આલેખાય જાય છે.
![]() |
| જેમ્સ સાઉથર્ટન |
એક સાથે ૨૨ ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરે છે, જેમાંથી ૬ જેટલા ખેલાડીઓ તો ૩૫ વર્ષની ઉંમરનો પડાવ પાર કરી ચૂક્યા છે, એકાદ બે ચાલીસીમાં પહોંચવાની તૈયારીમાં છે. એક ખેલાડીની ઉંમર ૫૦ વર્ષને આંબવું આંબવું થઈ રહી છે, તેને પણ ટેસ્ટ મેચની કેપ મળે છે. એ ખેલાડી જ્યારે માથામાં કેપ પહેરે છે ત્યારે કદાચ તેણે કલ્પના પણ નહીં કરી હોય કે હવે તે એક રન નહીં કરે કે એક વિકેટ પણ નહી લે તો ય તેનું નામ ક્રિકેટ બૂકમાં હંમેશા માટે નોંધપાત્ર બની જશે. આ ખેલાડી એટલે જેમ્સ સાઉથર્ટન. આજેય જેના નામે ૪૯ વર્ષ અને ૧૧૯ દિવસે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાનો વિક્રમ બોલે છે.
ક્રિકેટમાં આજના સમયે કદાચ આ વિક્રમ તૂટવો લગભગ અશક્ય ગણાય છે. ૪૦ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય કરિઅર શરૃ કરી હોય એવા ટેસ્ટ ક્રિકેટમાં ગણીને ૧૩ ખેલાડીઓ છે. જેમાં બે ભારતીય ખેલાડીઓ છે. ૪૧ વર્ષ અને ૨૭ દિવસે ભારત વતી ૧૯૩૩માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટ રમનારા રૃસ્તમજી જમશેદજીના નામે સૌથી મોટી ઉંમરે ટેસ્ટ મેચ રમનારા ભારતીય ખેલાડી તરીકેનો રેકોર્ડ બોલે છે. રૃસ્તમજીએ મુંબઈમાં રમાયેલી એ મેચમાં ૫ રન કર્યાં હતા અને અંગ્રેજોની ૩ વિકેટ ખેડવવામાં તેમનું પ્રદાન હતું.
![]() |
| રૂસ્તમજી જમશેદજી |
૪૦ વર્ષે ટેસ્ટ મેચ રમનારા બીજા ભારતીય એટલે સી. રામાસ્વામી. રામાસ્વામી ૧૯૩૬ના વર્ષમાં ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમમાં જોડાયા હતા અને બે મેચ રમ્યા હતા. તેમણે બે મેચમાં ૫૬ રનની એવરેજ સાથે ૧૭૦ રન કર્યા હતા. મુંબઈ માટે રણજીમાં રમવાની તૈયારી કરી રહેલા પ્રવીણ તાંબેને જો ટેસ્ટ મેચ રમવાની તક મળે તો આ બંને ભારતીય ખેલાડીનો વિક્રમ તે તોડી શકે તેમ છે.
***
૩૦ વર્ષ સુધી કોઈ પણ રમતમાં ખેલાડીને નેશનલ ટીમમાં સ્થાન ન મળે એટલે એ સ્વીકારી લે છે કે હવે તેને ક્યારેય ટીમમાં સ્થાન નહીં મળી શકે. બહુ હોંશીલો અને મહેનતું ખેલાડી હોય તો ઉંમરના ૩૦ વર્ષના પડાવે ટીમમાં સ્થાન મેળવે. સ્પોર્ટ્સમાં ૩૫ વર્ષ તો લગભગ રિટાયર્ડ થવાની ઉંમર થઈ ગઈ કહેવાય. શરીર જવાબ દેવા માંડયું ન હોય અને સારી ક્ષમતા ધરાવતો ખેલાડી હોય તો ૩૮-૪૦ વર્ષ સુધી મેદાન પર જોઈ શકાય છે. ૪૦ વર્ષે તો લગભગ ખેલાડીઓ 'પૂર્વ ખેલાડી'નું બિરુદ મેળવીને કોચ તરીકેની જવાબદારી નિભાવતા માંડે છે કે પછી કમેન્ટરી બોક્સમાં બેસીને રમતનું વિશ્લેષણ કરવાનું પસંદ કરવા લાગે છે.
***
૩૦ વર્ષ સુધી કોઈ પણ રમતમાં ખેલાડીને નેશનલ ટીમમાં સ્થાન ન મળે એટલે એ સ્વીકારી લે છે કે હવે તેને ક્યારેય ટીમમાં સ્થાન નહીં મળી શકે. બહુ હોંશીલો અને મહેનતું ખેલાડી હોય તો ઉંમરના ૩૦ વર્ષના પડાવે ટીમમાં સ્થાન મેળવે. સ્પોર્ટ્સમાં ૩૫ વર્ષ તો લગભગ રિટાયર્ડ થવાની ઉંમર થઈ ગઈ કહેવાય. શરીર જવાબ દેવા માંડયું ન હોય અને સારી ક્ષમતા ધરાવતો ખેલાડી હોય તો ૩૮-૪૦ વર્ષ સુધી મેદાન પર જોઈ શકાય છે. ૪૦ વર્ષે તો લગભગ ખેલાડીઓ 'પૂર્વ ખેલાડી'નું બિરુદ મેળવીને કોચ તરીકેની જવાબદારી નિભાવતા માંડે છે કે પછી કમેન્ટરી બોક્સમાં બેસીને રમતનું વિશ્લેષણ કરવાનું પસંદ કરવા લાગે છે.
૫૦ વર્ષે શરીરને રમત માટે તૈયાર કરવાનું કામ ખૂબ જ કપરું હોય છે. જોકે, અમુક ખેલાડીઓ ઉંમર વધવાની સાથે રિટાયર્ડ થવાનું વિચારવાને બદલે રમવાનું પસંદ કરવાના ઉદાહરણો પણ વિવિધ રમતોમાં મળી રહે છે. એમાંથી એક વર્ગ એવો છે જેમણે ખૂબ મોટી વયે રમતમાં પદાર્પણ કર્યું હોય અને બીજો વર્ગ એવો એવો છે જેઓ મોટી ઉંમર સુધી રમતમાં એક્ટિવ રહ્યાં હોય.
સામાન્ય રીતે ખેલાડી નિવૃત્તિ થાય પછી કોચ તરીકેની કરિઅર પસંદ કરતો હોય છે, પરંતુ ૧૯૪૮માં અમેરિકન બાસ્કેટબોલ લીગમાં ખૂબ જ સફળ ગણાતા કોચ નાટ હિક્કેને માત્ર કોચ બનીને કારકિર્દી પૂરી કરવી ન હતી. એટલે તેમણે ખેલાડી તરીકે પોતાની ટીમનો હિસ્સો બનવાનું નક્કી કર્યું. ૪૬મા બર્થ ડેના માત્ર બે દિવસ અગાઉ તેઓ પહેલી વખત મેદાનમાં ખેલાડીની હેસિયતથી ઉતર્યા અને એ સાથે આજ સુધી અતૂટ રહેલો વિક્રમ પણ પોતાના નામે કરી ગયા.
સામાન્ય રીતે ખેલાડી નિવૃત્તિ થાય પછી કોચ તરીકેની કરિઅર પસંદ કરતો હોય છે, પરંતુ ૧૯૪૮માં અમેરિકન બાસ્કેટબોલ લીગમાં ખૂબ જ સફળ ગણાતા કોચ નાટ હિક્કેને માત્ર કોચ બનીને કારકિર્દી પૂરી કરવી ન હતી. એટલે તેમણે ખેલાડી તરીકે પોતાની ટીમનો હિસ્સો બનવાનું નક્કી કર્યું. ૪૬મા બર્થ ડેના માત્ર બે દિવસ અગાઉ તેઓ પહેલી વખત મેદાનમાં ખેલાડીની હેસિયતથી ઉતર્યા અને એ સાથે આજ સુધી અતૂટ રહેલો વિક્રમ પણ પોતાના નામે કરી ગયા.
આ ઘટનાના ૬૫ વર્ષ પછી પણ બાસ્કેટ બોલમાં સૌથી મોટી વયે પદાર્પણ કરનારા ખેલાડી તરીકે તેમના નામનો ઉલ્લેખ થાય છે. આવું જ એક બીજુ નામ એટલે જેક ક્વાઇન. ૧૯૩૩માં જેક જ્યારે બેઝબોલ રમવા મેદાને પડયા ત્યારે તેની ઉંમર ૫૦ વર્ષ હતી. જોકે, જેક શરૃઆતમાં ઘણી બધી પ્રાદેશિક ટીમ સાથે જોડાયેલા રહ્યાં હતા. હોકીમાં આ વિક્રમ મૌરિસ રોબર્ટના નામે છે. નેશનલ હોકી લીગના ઈતિહાસમાં મૌરિસની નોંધ એવા ખેલાડી તરીકે લેવામાં આવી છે કે જેમણે ૧૯૫૧માં રમવાનું શરૃ કર્યું ત્યારે તેની ઉંમર ૪૫ વર્ષ અને ૩૪૫ દિવસ હતી. પછી એકાદ-દોઢ વર્ષ દરમિયાન તેઓ લગભગ દસેક મેચ રમ્યા હતા. તેમના નામે રહેલો વિક્રમ આજેય અતૂટ છે.
![]() |
| ગોર્ડી હોર્વે |
હોકીમાં ૫૨ વર્ષના પડાવ સુધી પહોંચવા છતાં રમવાનો રેકોર્ડ ગોર્ડી હોવેનો છે. આ કેનેડિયન ખેલાડીએ અદ્ભૂત ફિટનેસનો પરચો આપીને લાંબો સમય સુધી રમવાનું ચાલુ રાખ્યું હતું. રમતના મેેદાનમાં લાંબાં સમય સુધી અણનમ રહેલા આ ખેલાડીનું 2016માં 88 વર્ષની વયે નિધન થયું હતું.
ફૂટબોલ ક્લબની વાત આવે તો અલગ અલગ ક્લબ માટે ઘણા બધા ખેલાડીઓના નામે ૪૦ વર્ષ પછી રમવાનો વિક્રમ બોલે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના દેશની ટીમ માટે ૪૦ વર્ષ પછી રમ્યા હોય એવા પહેલા ખેલાડી હતા : એલેક્ઝાન્ડર મોર્ટન. ગ્રેટ બ્રિટનમાં ૧૮૩૧માં જન્મેલા મોર્ટન પોતાના દેશ વતી ૧૮૭૩માં સ્કોટલેન્ડ સામે રમવા માટે ફૂટબોલના મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષ હતી. તેમના નામે બીજો એક રસપ્રદ વિક્રમ પણ નોંધાયેલો છે. તેઓ એ મેચમાં સુકાની હતા અને ચાલીસી પછી સુકાની તરીકેની જવાબદારી સાથે મેદાને પડયા હોય એવા પણ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે એક માત્ર ખેલાડી છે.
ફૂટબોલ ક્લબની વાત આવે તો અલગ અલગ ક્લબ માટે ઘણા બધા ખેલાડીઓના નામે ૪૦ વર્ષ પછી રમવાનો વિક્રમ બોલે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના દેશની ટીમ માટે ૪૦ વર્ષ પછી રમ્યા હોય એવા પહેલા ખેલાડી હતા : એલેક્ઝાન્ડર મોર્ટન. ગ્રેટ બ્રિટનમાં ૧૮૩૧માં જન્મેલા મોર્ટન પોતાના દેશ વતી ૧૮૭૩માં સ્કોટલેન્ડ સામે રમવા માટે ફૂટબોલના મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષ હતી. તેમના નામે બીજો એક રસપ્રદ વિક્રમ પણ નોંધાયેલો છે. તેઓ એ મેચમાં સુકાની હતા અને ચાલીસી પછી સુકાની તરીકેની જવાબદારી સાથે મેદાને પડયા હોય એવા પણ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે એક માત્ર ખેલાડી છે.
૪૨ વર્ષ સુધી નેશનલ ટીમમાં સ્થાન જાળવી રાખનારા ખેલાડી તરીકેનો વિક્રમ પણ વળી ઈંગ્લેન્ડના સ્ટેન્લી મેથ્યુસના નામે જ આજ પર્યન્ત રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં ૪૦ પ્લસ ડેબ્યુ ખેલાડી આફ્રિકન દેશ કેમેરુનનો છે. રશિયા સામે ૧૯૯૪માં જ્યારે કેમેરુનના રોજર મિલ્લા મેદાન પર ઉતર્યો ત્યારે તેની વય ૪૨ વર્ષ હતી. ઉંમરના ૭૬ વર્ષ પછી ગોલ્ફ ટૂર્નામેન્ટમાં રમનારા ખેલાડી તરીકે જેરી બેર્બરના નામનો ઉલ્લેખ પણ મળી રહે છે.
અમેરિકાના શિકાગોમાં ૧૮૭૫માં જન્મેલા ચાર્લી ઓ-લેરી બેઝબોલની સેન્ટ લુઇસ બ્રાઉન્સ માટે છેલ્લી વખત ૧૯૩૪માં રમવા ઉતર્યા ત્યારે તેની ઉંમર ૫૯ વર્ષ હતી. તેઓ જ્યારે પહેલી વખત મેદાનમાં ઉતર્યા ત્યારે તેઓ ૨૯ વર્ષના હતા, એટલે કે તેની સ્પોર્ટ્સ કરિઅર ૩૦ વર્ષ જેટલી લાંબી હતી. બેઝબોલના આવા જ બીજા ખેલાડી હતા સ્ટચેલ પેઇજ. પેઇજ તેમની ક્લબ કેનસાસ સિટી એથ્લેટ્સ માટે છેક ૫૯ વર્ષ સુધી રમ્યા હતા.
***
કરિઅર પૂરી થવાની ઉંમરે નવી શરૃઆત કરનારા ખેલાડીઓ ઘણા બધા મળી રહે છે. બીજી તરફ ખૂબ લાંબાં સમય સુધી રમતમાં એક્ટિવ રહેનારા ખેલાડીઓની પણ કમી નથી. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હોકી, ટેનિસ બેઝબોલ જેવી રમતોમાં શારીરિક ક્ષમતા ખૂબ મહત્ત્વની પૂરવાર થતી હોય છે અને ૪૦ વર્ષ પછી શરીરને મેદાનને કાબેલ બનાવવાનું કામ કપરું હોય છે.
અમેરિકાના શિકાગોમાં ૧૮૭૫માં જન્મેલા ચાર્લી ઓ-લેરી બેઝબોલની સેન્ટ લુઇસ બ્રાઉન્સ માટે છેલ્લી વખત ૧૯૩૪માં રમવા ઉતર્યા ત્યારે તેની ઉંમર ૫૯ વર્ષ હતી. તેઓ જ્યારે પહેલી વખત મેદાનમાં ઉતર્યા ત્યારે તેઓ ૨૯ વર્ષના હતા, એટલે કે તેની સ્પોર્ટ્સ કરિઅર ૩૦ વર્ષ જેટલી લાંબી હતી. બેઝબોલના આવા જ બીજા ખેલાડી હતા સ્ટચેલ પેઇજ. પેઇજ તેમની ક્લબ કેનસાસ સિટી એથ્લેટ્સ માટે છેક ૫૯ વર્ષ સુધી રમ્યા હતા.
***
કરિઅર પૂરી થવાની ઉંમરે નવી શરૃઆત કરનારા ખેલાડીઓ ઘણા બધા મળી રહે છે. બીજી તરફ ખૂબ લાંબાં સમય સુધી રમતમાં એક્ટિવ રહેનારા ખેલાડીઓની પણ કમી નથી. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હોકી, ટેનિસ બેઝબોલ જેવી રમતોમાં શારીરિક ક્ષમતા ખૂબ મહત્ત્વની પૂરવાર થતી હોય છે અને ૪૦ વર્ષ પછી શરીરને મેદાનને કાબેલ બનાવવાનું કામ કપરું હોય છે.
![]() |
| પ્રવીણ તાંબે |
આવા સંજોગોમાં ફોર્ટી પ્લસ નવી શરૃઆત કરવી એ પોતાનામાં જ એક સિદ્ધિ છે. જ્યારે રિટાયર્ડ થવાની ઉંમરે લાંબાં સમય સુધી રમતા રહેવું એ પણ એટલી જ મોટી ઉપલબ્ધી ગણાય છે. આમાંના મોટા ભાગના ખેલાડીની ઉંમર પ્રવીણ તાંબેની અત્યારની વય કરતા મોટી હતી અને છતાં તે દેશ માટે કે જે તે ક્બલ માટે મેદાનમાં ઉતરી શક્યા હતા. એ અલગ વાત છે કે આમાંના મોટા ભાગના ખેલાડીઓનો મેદાન પરનો રેકોર્ડ લાજવાબ નથી રહ્યો. વળી મોટી ઉંમરે પ્રારંભ કરનારા માટે લાંબી કરિઅરનો બહુ અવકાશ નથી રહેતો, પરંતુ એમાં નવી તરાહ તો હતી જ. જોવાનું એ રહે છે કે રણજી ટ્રોફીની મેચથી નવો પ્રારંભ કરનારા પ્રવીણ તાંબેનું શું થાય છે?
EVMનો મત વિસ્તાર ભારત છે!
સાઇન ઇન - હર્ષ મેસવાણિયા
લોકસભાના મહાજંગ પહેલા સેમિફાઇનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ૪ ડિસેમ્બરે દિલ્હીમાં મતદાન થશે અને ૧લી ડિસેમ્બરે (એટલે કે આજે) રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાયેલા ઈલેક્શનમાં મતદાતાઓએ ખૂબ જ ઉમળકો દાખવ્યો હતો. ઊંચું મતદાન થવા પાછળ મતદાતાઓની જાગૃત્તિ જેટલો જ ફાળો ઈવીએમનો પણ છે. સમયનો બચાવ કરીને ઈવીએમ જેટલી ઝડપે મતદાન બૂથમાં કામ કરે છે, એટલી જ ઝડપ પરિણામ વખતે પણ મળે છે. ઈવીએમ કેટલાં સફળ રહ્યાં છે? કેવા સંજોગોમાં તેનો વપરાશ ચલણી બન્યો હતો? કયો દેશ ઈવીએમના ઉપયોગમાં અવ્વલ છે? વિગેરે સવાલોના જવાબો પણ જાણવા જેવા છે.
વાત છે ૧૮૯૨ના વર્ષની. અમેરિકાના ન્યૂયોર્કની નજીકના એક શહેર લોકપોર્ટમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી હતી. આ ચૂંટણીઓમાં મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડયા. એટલા માટે નહીં કે કોઈ લોકપ્રિય નેતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, બલ્કે એટલા માટે કે પહેલી વખત કાગળ પર નિશાન કરવાને બદલે માત્ર બટન પ્રેસ કરીને ઈલેક્શન બૂથ પરથી પાછું આવી જવાનું હતું. મતદાતાઓમાં ભારે હોંશ હતી મતદાન કરવાની. અને પેલા નવા પ્રયોજાઈ રહેલા મશીનને નિહાળવાની ય ખરી.
લોકસભાના મહાજંગ પહેલા સેમિફાઇનલ સમી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ૪ ડિસેમ્બરે દિલ્હીમાં મતદાન થશે અને ૧લી ડિસેમ્બરે (એટલે કે આજે) રાજસ્થાનમાં મતદાન થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાયેલા ઈલેક્શનમાં મતદાતાઓએ ખૂબ જ ઉમળકો દાખવ્યો હતો. ઊંચું મતદાન થવા પાછળ મતદાતાઓની જાગૃત્તિ જેટલો જ ફાળો ઈવીએમનો પણ છે. સમયનો બચાવ કરીને ઈવીએમ જેટલી ઝડપે મતદાન બૂથમાં કામ કરે છે, એટલી જ ઝડપ પરિણામ વખતે પણ મળે છે. ઈવીએમ કેટલાં સફળ રહ્યાં છે? કેવા સંજોગોમાં તેનો વપરાશ ચલણી બન્યો હતો? કયો દેશ ઈવીએમના ઉપયોગમાં અવ્વલ છે? વિગેરે સવાલોના જવાબો પણ જાણવા જેવા છે.
વાત છે ૧૮૯૨ના વર્ષની. અમેરિકાના ન્યૂયોર્કની નજીકના એક શહેર લોકપોર્ટમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી હતી. આ ચૂંટણીઓમાં મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડયા. એટલા માટે નહીં કે કોઈ લોકપ્રિય નેતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, બલ્કે એટલા માટે કે પહેલી વખત કાગળ પર નિશાન કરવાને બદલે માત્ર બટન પ્રેસ કરીને ઈલેક્શન બૂથ પરથી પાછું આવી જવાનું હતું. મતદાતાઓમાં ભારે હોંશ હતી મતદાન કરવાની. અને પેલા નવા પ્રયોજાઈ રહેલા મશીનને નિહાળવાની ય ખરી.
લોકોમાં આ મશીને બહુ કૂતુહલ જગાવ્યું. બધાને એની ઉત્સુકતા હતી કે આ નવો પ્રયોગ છે તો સારો, પણ સફળ કેટલો રહેશે? તેમાંથી મત ગણતરી કેવી રીતે થશે? પ્રશ્નો ઘણા હતા, પરંતુ મત ગણતરીના દિવસે બધા જવાબો મળી ગયા. નક્કી કરેલા દિવસે મત ગણતરી થઈ અને લોકોના ઉત્સાહ વચ્ચે જ્યાં પરિણામ મેળવવા માટે મોડી સાત સુધી રાહ જોવી પડતી એના બદલે સાંજ પડતા પડતા તો પરિણામ પણ આવી ગયા. વળતા દિવસે ચૂંટણી તંત્રએ આ વોટિંગ મશીન સફળ રીતે પ્રયોજાયું હોવાનો રિપોર્ટ આપ્યો અને એ રીતે વિશ્વમાં પહેલી વાર વોટિંગ મશીનથી મતદાન થયાની ઐતિહાસિક ઘટના નોંધાઈ ગઈ.
***
***
અમેરિકામાં થયેલા આ પ્રથમ પ્રયોગ પછી ચાર વર્ષ સુધી એકેય ચૂંટણીઓમાં એક યા બીજા કારણોસર વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. ૧૮૯૬માં ન્યુયોર્કના જ રોચેસ્ટર નામના સિટીમાં યોજાયેલા ઈલેક્શનમાં તમામ બૂથો પર વોટિંગ મશીન પ્રયોજાયું અને ત્યાર બાદની ચૂંટણીઓમાં વોટિંગ મશીનની સંગીન શરૃઆત થઈ. ૧૯૩૦ આવતા આવતા તો અમેરિકાના લગભગ તમામ મોટા શહેરોમાં વોટિંગ મશીનનો ઉપયોગ શરૃ થઈ ગયો હતો. વોટિંગ મશીનને વ્યાપક રીતે પોપ્યુલર બનાવવાનો યશ અમેરિકાને ભાગે જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી થયેલી ચૂંટણીઓથી વોટિંગ મશીનનો ઉપયોગ અમેરિકા ઉપરાંત બ્રિટનમાં રાષ્ટ્ર વ્યાપી બન્યો હતો. ૧૯૬૦ પછી અમેરિકાની તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થવા લાગ્યો હતો. નાના-મોટા બધા બૂથો પર ઈવીએમ ચલણી બન્યું હતું. તો બ્રિટને પણ આ સિસ્ટમનો લાભ લેવાનું શરૃ કરી દીધું હતું. જોકે, સાથે સાથે વિવાદ પણ થતો રહેતો હતો એટલે જેટલી ઝડપે તેની શરૃઆત થઈ હતી એેટલી જ ઝડપે લોકપ્રિય ન બની શક્યું. હજુ પણ મોટા ભાગના દેશોમાં બેલેટ પેપરથી જ મતદાન થઈ રહ્યું હતું.
ભારત સહિતના એશિયાઈ દેશોમાં તો છેક ૨૦મી સદીના અંત ભાગમાં ઈલેક્શનમાં વોટિંગ મશીનનો પ્રારંભ થયો હતો. આજે હવે સ્થિતિ એવી છે કે ભારતની આ મામલે દાદાગીરી ચાલે છે. તમામ ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ તો થાય જ છે. સાથે સાથે ભારતમાં બનેલા ઈવીએમની ડિમાન્ડ ભારતની બહાર પણ વધતી જાય છે.
***
એમ.બી. હનીફાને ભારતના પ્રથમ ઈવીએમ ડિઝાઇનર તરીકેનું સન્માન આપવામાં આવે છે. હનીફાએ ૧૫ ઓક્ટોબર, ૧૯૮૦ના દિવસે પહેલું ઈવીએમ તૈયાર કરીને રજૂ કર્યું હતું. આજે ભારતમાં વપરાતા અને વિદેશમાં મોકલાતા વોટિંગ મશીનની મૂળભૂત ડિઝાઇન હનીફાની પેટર્નને અનુસરે છે. હનીફાએ તૈયાર કરેલા મશીન પ્રમાણે ભારતના ચૂંટણી કમિશને પ્રથમ પ્રયોગ ૧૯૮૧માં કેરળની ઉત્તર પારાવાર બેઠકની વિધાનસભામાં કર્યો હતો. એક સાથે ૫૦ જેટલા બૂથો પર ઈવીએમને પ્રયોજવામાં આવ્યું હતું, પણ તેના માટેની જાગૃતિના અભાવે સગવડ કરતા અગવડ વધુ પડી હતી. મતદાતાઓને ખાસ સમજાવવામાં આવ્યું હોવા છતાં બૂથ પર ગૂંચવણો વધી ગઈ હતી.
એમ.બી. હનીફાને ભારતના પ્રથમ ઈવીએમ ડિઝાઇનર તરીકેનું સન્માન આપવામાં આવે છે. હનીફાએ ૧૫ ઓક્ટોબર, ૧૯૮૦ના દિવસે પહેલું ઈવીએમ તૈયાર કરીને રજૂ કર્યું હતું. આજે ભારતમાં વપરાતા અને વિદેશમાં મોકલાતા વોટિંગ મશીનની મૂળભૂત ડિઝાઇન હનીફાની પેટર્નને અનુસરે છે. હનીફાએ તૈયાર કરેલા મશીન પ્રમાણે ભારતના ચૂંટણી કમિશને પ્રથમ પ્રયોગ ૧૯૮૧માં કેરળની ઉત્તર પારાવાર બેઠકની વિધાનસભામાં કર્યો હતો. એક સાથે ૫૦ જેટલા બૂથો પર ઈવીએમને પ્રયોજવામાં આવ્યું હતું, પણ તેના માટેની જાગૃતિના અભાવે સગવડ કરતા અગવડ વધુ પડી હતી. મતદાતાઓને ખાસ સમજાવવામાં આવ્યું હોવા છતાં બૂથ પર ગૂંચવણો વધી ગઈ હતી.
ચૂંટણી પંચે એ પછી થોડો સમય વધુ પ્રયોગો કર્યા. ભારતના અલગ અલગ રાજ્યોની નાની-મોટી ચૂંટણીઓમાં છૂટા છવાયા પ્રયોગો કરીને લોકોમાં ઠીક ઠીક જાગૃત્તિ આવે ત્યાં સુધી રાહ જોવાનું વલણ અખત્યાર કર્યું. ૧૯૯૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતના લગભગ ૭૫ ટકા મતદાન બૂથો પર ઈવીએમનો ઉપયોગ થયો હતો. આ વખતે તેને બરાબર પ્રતિસાદ પણ મળ્યો. થોડા ફેર વોટિંગના વિવાદોને બાદ કરતા લોકોનું વોટિંગ મશીન તરફનું વલણ ખૂબ જ હકારાત્મક જોવા મળ્યું હતું. ત્યાર પછીના જુદા જુદા રાજ્યોના વિધાનસભાના ઈલેક્શન વખતે પણ આ પ્રયોગ શરૃ રાખવામાં આવ્યો હતો.
૨૦૦૪ સુધીમાં ભારતના લોકમાનસમાં વોટિંગ મશીનને વ્યાપક સ્વીકૃતિ મળી ચૂકી હતી. ૨૦૦૪માં યોજાયેલા જનરલ ઈલેક્શનમાં ભારતભરમાં પ્રથમ વખત ઈવીએમથી મતદાન થયું હતું. ઈવીએમના ઈતિહાસમાં ૧૮૯૨ બાદ આ ઐતિહાસિક બાબત હતી. દુનિયાના કોઈ પણ દેશ દ્વારા પોતાની આવડી મોટી ચૂંટણીમાં બધા જ બૂથો પર ઈવીએમનો થયો હોય એવો આ પ્રથમ કિસ્સો હતો. એ રીતે ભારતે પોતાના નામે એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો. એ પછી તો ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે પણ સમગ્ર ભારતમાં ઈવીએમ દ્વારા જ મતદાન થયું હતું.
આજે ભારતની સ્થિતિ શું છે? ભારત આજે વિશ્વનું એવું એક માત્ર રાષ્ટ્ર છે જ્યાં ઈવીએમની બોલબાલા છે. માત્ર ચૂનાવમાં જ નહી, બનાવટમાં અને એક્સપોર્ટમાં પણ ભારતનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. નેપાળ, ભૂતાન, કેન્યા નામિબિયા સહિતના દેશોમાં ભારતમાં બનતા ઈવીએમની ડિમાન્ડ છે. ભારતમાં બે સરકારી કંપનીઓ ઈવીએમ નિર્માણનું કામ કરે છે. બેંગલુરુમાં આવેલી ભારત ઈલેક્ટ્રોનિક્સ અને હૈદ્રાબાદની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈવીએમનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સે ૧૯૮૯માં ઈવીએમનું ઉત્પાદન શરૃ કર્યું હતું અને તે વખતે ૭૫,૦૦૦ ઈવીએમ બનાવ્યા હતા. એના ૮ વર્ષ પછી ૧૯૯૬માં તેનું ટર્ન ઓવર ૧, ૦૦૦ કરોડને આંબી ગયું હતું. એના પરથી જ તેના ઉત્પાદનનો અને સફળતાનો અંદાજ લગાવી શકાય છે. એક ઈવીએમની કિંમત આશરે રૃપિયા ૫,૫૦૦થી લઈને ૭,૫૦૦ હજાર સુધી હોય છે. એક ઈવીએમ વધુમાં વધુ ૩,૮૪૦ મતો નોંધી શકે છે. જોકે, હવે ગોઠવણ જ એવી કરવામાં આવે છે કે એક વોટિંગ મશીનના ભાગે માંડ ૧૨૦૦થી ૧૪૦૦ મત આવે છે. એક વખત ઈવીએમ દ્વારા કરેલા મતદાનનો ડેટા તેમાં ૧૦ વર્ષ સુધી સાચવી શકાય છે. વળી, ઈવીએમમાં વધુમાં વધુ ૬૪ ઉમેદવારોના ચિન્હો પણ સમાવી શકાય છે. ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે આખા ભારતમાં ૧૩,૬૮,૪૩૦ ઈવીએમ તૈનાત કરવામાં આવ્યા હતા. ઈવીએમના કારણે છેલ્લી બે લોકસભાની ચૂંટણી વખતે ૧૦,૦૦૦ ટન કાગળનો બચાવ કરી શકાય છે.
***
આટલી ઉપયોગીતા છતાં ઈવીએમને લઈને લગભગ દરેક ઈલેક્શનમાં એકાદ મોટો વિવાદ પણ થાય છે. વિવાદ માત્ર ભારતમાં જ થાય છે એવું ય નથી. અમેરિકામાં ઈવીએમના કારણે ઉમેદવાર હાર્યો હોય એવા કેસ પણ ભૂતકાળમાં નોંધાયેલા છે અને એમાંથી હજુ પણ અમુકનો નિવેડો નથી આવ્યો.
આજે ભારતની સ્થિતિ શું છે? ભારત આજે વિશ્વનું એવું એક માત્ર રાષ્ટ્ર છે જ્યાં ઈવીએમની બોલબાલા છે. માત્ર ચૂનાવમાં જ નહી, બનાવટમાં અને એક્સપોર્ટમાં પણ ભારતનું નોંધપાત્ર પ્રદાન ગણાય છે. નેપાળ, ભૂતાન, કેન્યા નામિબિયા સહિતના દેશોમાં ભારતમાં બનતા ઈવીએમની ડિમાન્ડ છે. ભારતમાં બે સરકારી કંપનીઓ ઈવીએમ નિર્માણનું કામ કરે છે. બેંગલુરુમાં આવેલી ભારત ઈલેક્ટ્રોનિક્સ અને હૈદ્રાબાદની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈવીએમનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સે ૧૯૮૯માં ઈવીએમનું ઉત્પાદન શરૃ કર્યું હતું અને તે વખતે ૭૫,૦૦૦ ઈવીએમ બનાવ્યા હતા. એના ૮ વર્ષ પછી ૧૯૯૬માં તેનું ટર્ન ઓવર ૧, ૦૦૦ કરોડને આંબી ગયું હતું. એના પરથી જ તેના ઉત્પાદનનો અને સફળતાનો અંદાજ લગાવી શકાય છે. એક ઈવીએમની કિંમત આશરે રૃપિયા ૫,૫૦૦થી લઈને ૭,૫૦૦ હજાર સુધી હોય છે. એક ઈવીએમ વધુમાં વધુ ૩,૮૪૦ મતો નોંધી શકે છે. જોકે, હવે ગોઠવણ જ એવી કરવામાં આવે છે કે એક વોટિંગ મશીનના ભાગે માંડ ૧૨૦૦થી ૧૪૦૦ મત આવે છે. એક વખત ઈવીએમ દ્વારા કરેલા મતદાનનો ડેટા તેમાં ૧૦ વર્ષ સુધી સાચવી શકાય છે. વળી, ઈવીએમમાં વધુમાં વધુ ૬૪ ઉમેદવારોના ચિન્હો પણ સમાવી શકાય છે. ૨૦૦૯ના લોકસભા ચૂનાવ વખતે આખા ભારતમાં ૧૩,૬૮,૪૩૦ ઈવીએમ તૈનાત કરવામાં આવ્યા હતા. ઈવીએમના કારણે છેલ્લી બે લોકસભાની ચૂંટણી વખતે ૧૦,૦૦૦ ટન કાગળનો બચાવ કરી શકાય છે.
***
આટલી ઉપયોગીતા છતાં ઈવીએમને લઈને લગભગ દરેક ઈલેક્શનમાં એકાદ મોટો વિવાદ પણ થાય છે. વિવાદ માત્ર ભારતમાં જ થાય છે એવું ય નથી. અમેરિકામાં ઈવીએમના કારણે ઉમેદવાર હાર્યો હોય એવા કેસ પણ ભૂતકાળમાં નોંધાયેલા છે અને એમાંથી હજુ પણ અમુકનો નિવેડો નથી આવ્યો.
જર્મનીની સુપ્રીમ કોર્ટે તો ઈવીએમ વિશ્વસનીય ન હોવાનું પણ કહ્યું છે, જ્યારે ઇઝરાયેલમાં તો વોટિંગ મશીન પર ધોરણસરનો પ્રતિબંધ જ મૂકવામાં આવ્યો છે. આ દેશોને વોટિંગ મશીન ભલે નકામા લાગતા હોય, પણ ભારતમાં આ એકદમ બંધ બેસતી સુવિધા છે એનું કારણ આગળ ધરતા ઘણા નિષ્ણાતો કહે છે કે જ્યારે પેપરમાં ચિન્હ મારીને મતદાન થતું હતું ત્યારે સરેરાશ ૧૦થી ૧૫ ટકા મતો ખોટા પડતા હતા એના બદલે ઈવીએમ વધુ સારું પરિણામ લઈ આવે છે.
ભારતના થોડા અર્ધ શિક્ષિત અને એટલા જ બીજા અશિક્ષિત મતદાતાઓ જે તે ઉમેદવારના સિમ્બોલની સામે માત્ર બટન પ્રેસ કરી દે એટલે તેમનું કામ પૂરું થઈ જાય. ભારતમાં ઈવીએમની લોકપ્રિયતા પાછળ કદાચ એક કારણ આ પણ હોઈ શકે છે!
...અને એ રીતે નિવૃત્તિનો સમયગાળો નક્કી થયો!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
સચિનની નિવૃત્તિ સાથે ક્યારે નિવૃત્તિ લેવી, ક્યારે ન લેવી એ ચર્ચા પણ શરૃ થઈ છે. સ્પોર્ટ્સમાં ખેલાડીઓ માટે ક્ષેત્ર સન્યાસ-નિવૃત્તિ-રિટાયર્ડમેન્ટ જેવા શબ્દો ૧૯૩૦ આસપાસ ચલણી બન્યા એના ૬ દાયકા અગાઉ કારખાનેદારો-સરકારી અમલદારો અને ખાનગી કંપનીના કામદારો માટે નિવૃત્તિનો સમય અને પેન્શનની ટકાવારી અમલી બનાવાઈ હતી.
રામાયણમાં એક પ્રસંગ છે. અયોધ્યાના રાજા દશરથ એક દિવસ દર્પણમાં જોઈ રહ્યાં હતા ત્યારે તેમને કાનના ઉપરના ભાગે શ્વેત થયેલા થોડા વાળ દેખાયા. સફેદ કેશ જોઈને તેમણે એ જ ઘડીએ નક્કી કરી લીધુ કે હવે અવધની રાજગાદી યુવાન થયેલા રાજકુમાર રામચંદ્રને સોંપી દેવી જોઈએ. નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યા હોવાથી રાજગાદી પુત્રને સોંપી દેવાની પોતાની ઈચ્છા તેમણે ગુરુદેવ વશિષ્ઠને જણાવી. રાજ્યમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી અને નવા રાજા તરીકે રામનો રાજ્યાભિષેક કરવાની પણ તૈયારી કરી.
આ ધાર્મિક કથા બહુ જાણીતી છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ કે આપણે ત્યાં આ રીતે રાજાઓ નિવૃત્ત થઈને પુત્રને રાજ્યનો કારભાર સોંપીને વનમાં જતા રહેતા. આપણી પ્રાચીન વ્યવસ્થામાં જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં ૫૦ વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જતો. જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ.
આ ધાર્મિક કથા બહુ જાણીતી છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ કે આપણે ત્યાં આ રીતે રાજાઓ નિવૃત્ત થઈને પુત્રને રાજ્યનો કારભાર સોંપીને વનમાં જતા રહેતા. આપણી પ્રાચીન વ્યવસ્થામાં જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં ૫૦ વર્ષ પછી માણસ નિવૃત્ત થઈ જતો. જેને આપણે વાનપ્રસ્થાશ્રમ કહીએ છીએ.
આ તો આપણી પ્રાચીન વ્યવસ્થા હતી જે કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. અત્યારની નિવૃત્તિનો સમયગાળો આપણા આ વાનપ્રસ્થાશ્રમની આસપાસનો જ છે. આપણે ત્યાં જ નહીં, પણ મહદ્દઅંશે સમગ્ર વિશ્વમાં રિટાયર્ડમેન્ટ માટેની પોલિસી ૫૦થી ૭૦ વર્ષ આસપાસ રાખવામાં આવી છે.
* * *
મધ્યયુગમાં કર્મચારીઓ માટે સેવા નિવૃત્તિ જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. ખાસ કરીને રાજા માટે કે કોઈ સરકાર માટે કામ કરતા કર્મચારીઓ શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેતા અને પછી મોટા ભાગે તેને બરતરફ કરવામાં આવતા. કર્મચારીએ પોતાના કાર્યકાળ દરમિયાન બહુ સારું કામ કર્યું હોય તો જે તે રાજા કે કંપની ઉપહારમાં કશુંક આપે તે જ તેની મૂડી બની રહેતી. ખેતી પર જીવન નિર્ભર હતું ત્યાં સુધી તો સેવા નિવૃત્તિનો બહુ સવાલ રહેતો ન હતો.
* * *
મધ્યયુગમાં કર્મચારીઓ માટે સેવા નિવૃત્તિ જેવો કોઈ કન્સેપ્ટ નહોતો. ખાસ કરીને રાજા માટે કે કોઈ સરકાર માટે કામ કરતા કર્મચારીઓ શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેતા અને પછી મોટા ભાગે તેને બરતરફ કરવામાં આવતા. કર્મચારીએ પોતાના કાર્યકાળ દરમિયાન બહુ સારું કામ કર્યું હોય તો જે તે રાજા કે કંપની ઉપહારમાં કશુંક આપે તે જ તેની મૂડી બની રહેતી. ખેતી પર જીવન નિર્ભર હતું ત્યાં સુધી તો સેવા નિવૃત્તિનો બહુ સવાલ રહેતો ન હતો.
શરીરમાં દમ હોય ત્યાં સુધી માણસ ખેતી કે ખેતમજૂરી કરતો રહેતો, પણ સૈન્યમાં કે રાજાઓની વહીવટી કચેરીઓમાં કામ કરતા લોકો પણ સામાન્ય રીતે શરીર કાર્યક્ષમ રહે ત્યાં સુધી કામમાં જોતરાયેલા રહેતા હતા.
બ્રિટને વર્ષો સુધી અલગ અલગ દેશમાં શાસન કર્યું હોવા છતાં તેના અધિકારીઓ કે કર્મચારીઓ માટે એક પણ પ્રકારની નિવૃત્તિ યોજના ઘડી ન હતી. નિવૃત્તિનો સમયગાળો અને નિવૃત્ત કર્મચારીને વળતર આપવા માટેનું યોગ્ય બંધારણ ઘડવાનો યશ જર્મનીને આપવો રહ્યો. આજે આખી દુનિયાની રિટાયર્ડમેન્ટ પોલિસી જર્મનીએ નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અનુસરે છે.
સંયુક્ત જર્મનીના પહેલા ચાન્સલર (જર્મનીમાં ચાન્સલર પાસે વડાપ્રધાન જેવી સત્તા હોય છે) ઓટો વૉન બિસ્માર્ક જર્મનીના એકીકરણ માટે જગતભરમાં વિખ્યાત છે. તેઓ તેમની આ સિદ્ધિ માટે જ વધુ જાણીતા છે, પરંતુ તેમના નામે અન્ય પણ એક મહત્ત્વપૂર્ણ કામ નોંધાયેલું છે. તેઓ આધૂનિક રિટાયર્ડમેન્ટ પોલિસીના જનક કહેવાય છે. આખી જીંદગી નોકરીના નામે કરી દેનારા કર્મચારીઓના અંતિમ દિવસો સુખરૂપ પસાર થાય એવા મુખ્ય ઉદેશ્યથી બિસ્માર્કે નિવૃત્તિ નીતિનું ગઠન કર્યું હતું.
બિસ્માર્કને આ નિવૃત્તિ નીતિને અમલી બનાવવાનો વિચાર પોતાના ૬૫ વર્ષે આવ્યો હતો. બિસ્માર્કે પોતાની શક્તિનો ઉપયોગ કરીને દેશના વયસ્ક લોકોને નિવૃત્તિ પેન્શન મળે એ માટેની વ્યવસ્થા કરી રાખી હતી. જર્મન લેખક ફેલિક્સ એકરમેને તેમના પુસ્તક 'અર્લી ન્યુ જર્મની'માં ઉલ્લેખ કર્યો છે તે મુજબ જર્મનીના રાજાએ અને સરકારે બિસ્માર્કની આ નીતિનો સ્વીકાર એટલા માટે પણ કરી લીધો હતો કે તે સમયે જર્મનીના કામદારોનું સરેરાશ આયુષ્ય જ માંડ ૬૦ વર્ષ હતું. એટલે બિસ્માર્કે નક્કી કરેલી નિવૃત્તિ નીતિને અમલી બનાવાય તો પણ એવા કામદારો તો ગણ્યા ગાંઠયા મળે જેની ઉંમર ૬૫ વર્ષ ઉપરની હોય!
આમ છેક ૧૮૮૩થી નિવૃત્તિ નીતિને અમલી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે ૧૮૮૯માં અમલી બનાવાઈ હતી. જોકે, જર્મનીએ શરૃઆતમાં થોડા વર્ષો સુધી નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શન માટેની ઉંમર ૭૦ વર્ષ રાખી હતી. પછીથી તેને ઘટાડીને ૬૫ કરી દેવામાં આવી હતી. ૧૯મી સદીમાં કામદારો-અમલદારો માટે લેવાયેલો આ સૌથી મોટો નિર્ણય હતો. જેની અસર દૂરગામી પડવાની હતી અને પછીથી સમગ્ર વિશ્વમાં નિવૃત્તિ નીતિ અમલી બનાવવામાં જર્મનીની આ પહેલ ખૂબ જ ઉપકારક નિવડવાની હતી.
જર્મનીએ કાયદાકીય દરજ્જો આપીને રિટાયર્ડમેન્ટ પોલિસીનું યોગ્ય ગઠન કર્યું એ પહેલા જોકે એક માણસ હતો જેણે કામદારોને નિવૃત્ત કરવા જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. ઈંગ્લેન્ડના સુધારાવાદી કોટન મેથેરે ૧૮મી સદીના પ્રારંભે કામદારોએ ઉંમરના અમુક પડાવે રિટાયર્ડ થવું જોઈએ એવી ચળવળ ચલાવી હતી. એ પાછળ એમના બે તર્ક હતા. એક, જો જૂના કામદારો-અધિકારીઓ નિવૃત્ત થાય તો તેમની જગ્યાએ નવા ભણેલા-ગણેલા યુવાનોને તક મળે. બીજુ, અમુક ઉંમર પછી ભારેખમ અને ચિવટવાળુ કામ કરવામાં શરીરને ભારે શ્રમ પડે છે એટલે તેની કામ અને શરીર એમ બંને પર વિપરિત અસર થાય છે એટલે નિવૃત્ત થવાનો વિચાર બંને પક્ષે ફાયદાકારક નીવડશે.
ઈંગ્લેન્ડમાં આવી મહત્ત્વપૂર્ણ ચળવળ થઈ હોવા છતાં ત્યારે તેને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. બ્રિટનને તો એ સમયે સૈનિકો-અમલદારો-કારકૂનોની સવિશેષ જરૃરીયાત હતી છતાં તેમના તરફથી આવી કોઈ જ પહેલ કરવામાં આવી ન હતી. બ્રિટનમાં નિવૃત્તિ પોલિસી છેક ૧૯૧૦ આસપાસ અમલી બની હતી. ભારતને પણ એ જ પોલિસી વારસામાં મળી હતી. જોકે, આઝાદી પછી ભારતે તેમાં ઘણાં સુધારા-વધારા કર્યા હતા.
ઈંગ્લેન્ડમાં આવી મહત્ત્વપૂર્ણ ચળવળ થઈ હોવા છતાં ત્યારે તેને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી. બ્રિટનને તો એ સમયે સૈનિકો-અમલદારો-કારકૂનોની સવિશેષ જરૃરીયાત હતી છતાં તેમના તરફથી આવી કોઈ જ પહેલ કરવામાં આવી ન હતી. બ્રિટનમાં નિવૃત્તિ પોલિસી છેક ૧૯૧૦ આસપાસ અમલી બની હતી. ભારતને પણ એ જ પોલિસી વારસામાં મળી હતી. જોકે, આઝાદી પછી ભારતે તેમાં ઘણાં સુધારા-વધારા કર્યા હતા.
એક અમેરિકા આ બાબતે જર્મનીની લગોલગ ચાલતું હતું. ૧૮૫૦માં સ્થપાયેલી અમેરિકાની ધ અમેરિકન એક્સપ્રેસ કંપનીએ ૧૮૭૫માં કંપનીના કામદારો માટે નિવૃત્તિ પોલિસી ઘડી હતી. આ ખાનગી પોલિસી હતી એેટલે તેને સત્તાવાર રીતે ગણતરીમાં લેવામાં નથી આવતી, પરંતુ તેમાં એવી જોગવાઈ હતી કે કોઈ કર્મચારી મોટી ઉંમરે કામ કરવા સક્ષમ ન હોય તો તેને કંપની પેન્શન આપશે. આ પોલિસીમાં નિવૃત્તિની ઉંમર નક્કી કરવામાં નહોતી આવી, પણ કંપનીના અધિકારીઓને એમ લાગે કે કર્મચારી કામ કરવા સક્ષમ નથી તો તેને નોકરીમાંથી મુક્ત કરવામાં આવતો હતો.
એ પછી અમેરિકામાં ૧૯મી સદીના અંત સુધીમાં એટલે કે માત્ર ૨૫ જ વર્ષમાં બીજી ૧૩ ખાનગી કંપનીઓએ કર્મચારીઓ માટે નિવૃત્તિ પોલિસીને અમલી બનાવી હતી. અમેરિકન સરકારે તો એ પછી છેક ૧૯૩૫માં કાનૂન બનાવીને નિવૃત્તિની વયમર્યાદા અને પેન્શનની ટકાવારી નક્કી કરી હતી. એ પાછળ અમેરિકાની વિવિધ ફેક્ટરીઓના માલિકો જવાબદાર હતા.
અમેરિકામાં તે સમયે ફેક્ટરીઓના માલિકો કર્મચારીઓને આ હકો આપવા કોઈ કાળે તૈયાર ન હતા અને એ કારણે મજબૂત ચળવળ છતાં કાયદાનું ગઠન મોડુ થયું. અમેરિકામાં આ પોલિસી આવે તે માટે ફિઝિશન અને મોર્ડન મેડિસિનના ફાધર ગણાતા વિલિયમ ઓસ્લરનું પ્રદાન અનેરું હતું. તેમણે કામદારોની તરફેણમાં નિવૃત્તિ પોલિસી આવે એ માટે મજબૂત લોબિંગ કર્યું હતું. તેમણે અમુક ઉંમરે શરીર કાર્યક્ષમ રહેતું નથી એવી થીઅરી રજૂ કરીને અમેરિકાના નેતાઓને આ વાત ગળે ઉતારી હતી.
* * *
આજે આખી દુનિયામાં લગભગ ૭૦ ટકા દેશોમાં ૫૭ વર્ષથી લઈને ૬૬ વર્ષ સુધીની રિટાયર્ડમેન્ટ પોલિસી પ્રવર્તે છે. જે સમયે નિવૃત્તિની પોલિસી અમલી બની ત્યારે સરેરાશ આયુષ્ય માંડ ૬૦ વર્ષ જેટલું હતું. મેડિકલ સાયન્સની ઉપલબ્ધીઓને પરિણામે હવે એમાં સહેજેય વધારો થયો છે ત્યારે આજે આ પોલિસી વિશ્વના વયસ્ક લોકો માટે ખરેખર ઉપકારક બની રહી છે.
* * *
આજે આખી દુનિયામાં લગભગ ૭૦ ટકા દેશોમાં ૫૭ વર્ષથી લઈને ૬૬ વર્ષ સુધીની રિટાયર્ડમેન્ટ પોલિસી પ્રવર્તે છે. જે સમયે નિવૃત્તિની પોલિસી અમલી બની ત્યારે સરેરાશ આયુષ્ય માંડ ૬૦ વર્ષ જેટલું હતું. મેડિકલ સાયન્સની ઉપલબ્ધીઓને પરિણામે હવે એમાં સહેજેય વધારો થયો છે ત્યારે આજે આ પોલિસી વિશ્વના વયસ્ક લોકો માટે ખરેખર ઉપકારક બની રહી છે.
ઉંમરનો પાછલો પડાવ ગર્વભેર વીતાવવા માટે નિવૃત્તિ અને વળતર લાકડીનું કામ કરે છે. નિવૃત્તિ સચિન તેંડુલકરની હોય કે પછી ૬૫ વર્ષે પહોંચેલા કોઈ સામાન્ય કર્મચારીની, બધા માટે તેનું ખાસ મહત્ત્વ હોય છે. ઢળતી ઉંમરે બિસ્માર્કે ચાતરેલા ચીલા પર આજે કેટલાય વયસ્કોને વિસામો મળી રહ્યો છે.
સબ કુછ બિકતા હૈ, બસ દામ સહી હોના ચાહિએ!
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
હમણાં લંડનમાં ૧,૧૧,૬૨,૮૦૦ રૃપિયામાં ગાંધીજીના ચરખાની હરાજી કરવામાં આવી, તો બીજી તરફ જિનિવામાં દુનિયાના સૌથી કિંમતી ગણાતા હીરાની નિલામી થઈ. હજુ આ મહિનામાં જ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના વસીયતની હરાજી પણ પેરિસમાં થવાની છે. થોડા મહિનાઓ પહેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની કવિતાની નિલામી થઈ હતી. દુનિયામાં એન્ટિક અને હિસ્ટોરિકલ ચીજ વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવતા લોકો ઊંચી બોલી લગાવીને જે તે વસ્તુનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરે છે. અહીં કેટલીક એવી હરાજીઓની વાત કરીએ જેની બોલી સૌથી ઊંચી બોલાઈ હોય અને પછી એક રેકોર્ડ કાયમ થયો હોય...
રોમનકાળની મૂર્તિનો ૨૧મી સદીમાં પણ ચળકાટ
૧૯૨૦માં રોમમાં થોડા મજુરો ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે તેને એક મૂર્તિ હાથ લાગી હતી. આ મૂર્તિનો અભ્યાસ કરતા જણાયું કે તે આશરે બે હજાર વર્ષ પુરાણી છે. સદીઓ જૂની હોવાના કારણે બેશક તે કિંમતી હતી, પણ તેની ખરી કિંમત તો છેક ૮૭ વર્ષ બાદ ઉપજી. ખોદકામ કરનારા મજુરોએ સપનામાં પણ વિચારી નહીં હોય એટલી રકમ આ મૂર્તિને ૨૦૦૭માં મળી. જ્યારે તેને હરાજીમાં મૂકવામાં આવી ત્યારે જાણકારોએ આગાહી કરી હતી કે વધી વધીને મૂર્તિની કિંમત ૭ મિલિયન ડોલર આવી શકે, પરંતુ જ્યારે તેની બોલી બોલાઈ ત્યારે એ સાંભળીને આગાહી કરનારાઓની આંખ આશ્ચર્યથી પહોળી રહી ગઈ હતી! ૨૦૦૭માં રોમની આ પુરાણી મૂર્તિના પૂરા ૨૬.૬ મિલિયન ડોલર એટલે કે ૧ અબજ ૮૨ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ ઉપજી હતી. કોઈ મૂર્તિને હરાજીમાં મળેલી આજ સુધીની આ સર્વોચ્ચ કિંમત છે.
૫૦ વર્ષ જૂની કારની કિંમત ૭૭ કરોડ હોય શકે?
૧૯૫૭માં બનેલી અને ૪ વર્ષ સુધી રેસમાં દોડનારી ટેસ્ટા રોસા નામની કાર ૧૯ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગીદાર બની હતી અને એમાંથી ૧૦ વખત તો તે અવ્વલ રહી હતી. બાકીની તમામ રેસમાં ચાર નંબરથી પાછળનો ક્રમ તો ક્યારેય મેળવ્યો ન હતો. આવો રેકોર્ડ હોય તો કાર રેસિંગના શોખીનોને આ કાર ખરીદવામાં કદાચ રસ પડે, પણ તોયે તેની કિંમત ૭૭ કરોડ મળી શકે? હા, મળી શકે. જો તેનું નામ ફેરારી ટેસ્ટા રોસા હોય તો. ઈટાલીના ઓટોમોબાઇલ ડિઝાઇનર સેર્ગિઓ સ્કેગલિટીએ તૈયાર કરેલી આ કારની કિંમત ૨૦૦૯માં એક હરાજીમાં ૭૭ કરોડ રૃપિયા બોલાઈ હતી. એમ મનાય છે કે હવે ફરીથી જો આ કારની નિલામી થાય તો તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૃપિયા તો આવી જ શકે! કારની હરાજી બાબતે તો બીજા ઘણાં આવા જ ઉદાહરણો મળી રહે તેમ છે.
એક ચિત્ર જે ૬૭૩ કરોડમાં વેંચાયું!
પાબ્લો પિકાસોનું એક પેઇન્ટિંગ ન્યૂડ, ગ્રીન લીવ્સ એન્ડ બસ્ટની ૨૦૧૦માં નિલામી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ ચિત્રના ૬૭૩ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. માત્ર ૮ જ મિનિટ ચાલેલી હરાજીનો રેકોર્ડ એ છે કે આજેય તે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રકમ મેળવનારી નિલામી ગણાય છે અને વળી, કોઈ ચિત્રકારના ચિત્રને મળેલી અધિકતમ કિંમતનો રેકોર્ડ તો ખરો જ! ૧૯૩૨માં બનેલા આ ચિત્રની હરાજી ૨૦૧૦માં કરવામાં આવી હતી. ટાઇમ જેવા વિશ્વ પ્રતિષ્ઠિત સામયિકે પણ તેની હરાજીની નોંધ લીધી હતી. મજાની વાત એ છે કે આ પહેલાનો વિક્રમ પણ પાબ્લો પિકાસોના જ એક ચિત્ર બોય વિથ અ પાઇપના નામે હતો. જેને ૨૦૦૪માં થયેલી નિલામીમાં ૬૭૦ કરોડ જેવી માતબર રકમ મળી હતી.
મેરેલિન મનરોના એક ડ્રેસની કિંમત ૮ કરોડ
પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોએ પહેરેલા કપડાની કિંમત ૧૯૯૯માં થયેલી એક હરાજીમાં ૧૨,૦૦૦ ડોલર આંકવામાં આવી હતી. જોકે, પછી હરાજીમાં મનરોના આ એક ડ્રેસ માટે નક્કી કરેલી રકમ કરતા અનેક ગણા વધારે રૃપિયા મળ્યા હતા. આ ડ્રેસ માટે ૮ કરોડ રૃપિયા ચૂકવાયા હતા. મનરોએ આ ડ્રેસ પહેરીને જ કેનેડી માટે હેપી બર્થ ડે સોંગ રજૂ કરીને ડાન્સ પણ કર્યો હતો.
એક વાળની લટના ૭૩ લાખ રૃપિયા
૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં અમેરિકામાં એલ્વિસ પ્રીસ્લી નામના સિંગર અને એક્ટરની ખૂબ જ લોકપ્રિયતા હતી. તેના ગળામાં જેટલો જાદૂ હતો એટલી જ અપિલિંગ તેની હેર સ્ટાઇલ પણ હતી. તેના ચાહકોમાં તે હેર સ્ટાઇલના કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. વાળ માટે સૌથી વધુ કિંમતનો રેકોર્ડ આજે પણ પ્રીસ્લીના નામે છે. ૨૦૦૨માં એલ્વિસ પ્રીસ્લીના વાળની લટની નિલામી થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી ૭૩ કરોડ રૃપિયાની હતી. દુનિયાભરના કોઈ પણ સેલિબ્રિટીના વાળ માટે મળેલી આ આજેય સર્વોચ્ચ કિંમત ગણાય છે.
બિલ ગેટ્સ જેવા ખરીદનારા હોય પછી તો પૂછવુ જ શું?
લિયોનાર્ડો દ વિન્ચીની હસ્તપ્રતોને ૧૯૯૪માં હરાજીમાં મૂકવામાં આવી હતી. કોડેક્ષ હેમર નામથી ઓળખાતી વિન્ચીની ડાયરીની કિંમત બિલ ગેટ્સે બરાબર આંકી હતી. ૭૨ પાનાની આ હસ્તપ્રતો ગેટ્સે લગભગ ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ આપીને ખરીદી લીધી હતી. પછીથી તેની સ્કેન થયેલી નકલ ઈન્ટનેટ પર પણ ઉપલબ્ધ કરાવી હતી.
કિસ્સા કૂર્સી કા : ડ્રેગન આરામ ખુરશીની કિંમત પૂરા ૧૭૮ કરોડ રૃપિયા!
આ ખુરશીની ખાસિયત એ છે કે તેની વિશેષ કોઈ જ ખાસિયત ન હોવા છતાં નિલામીમાં તેના ૧૭૮ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. એ સમયના વિખ્યાત મહિલા આઇરિશ ડિઝાઇનર એલિન ગ્રેએ ડ્રેગન જેવા આકારની આ ચેર ૧૯૧૭થી ૧૯૧૯ દરમિયાન બનાવી હોવાનું કહેવાય છે. અત્યારે તો માર્કેટમાં જાત જાતની અને ભાત-ભાતની ખુરશીઓ મળી રહે છે, પણ જ્યારે આ ખુરશીની ડિઝાઇન બની ત્યારે તે આવી એક માત્ર ચેર હતી. તેનાથી ખુરશીઓની બનાવટમાં એક નવો ટ્રેન્ડ શરૃ થયો હતો. ડ્રેગન આરામ ખુરશીને નિલામીમાં મળેલી આટલી મોટી કિંમત પાછળ નિષ્ણાતો આ કારણને જવાબદાર ગણે છે.
પ્રકૃતિ પ્રેમી અમેરિકન પેઇન્ટર અને લેખક જ્હોન જેમ્સની બૂક 'બર્ડ્સ ઓફ અમેરિકા' પક્ષીઓના સચિત્ર વર્ણનો માટે ખૂબ વખણાયેલી વિશ્વ વિખ્યાત બૂક છે. ૧૮૨૭માં પ્રકાશિત થયેલી આ બૂકની નિલામી ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ બેનમૂન બૂકને હરાજીમાં ૬૩ કરોડ રૃપિયા મળ્યા હતા. એ જ રીતે રોલેક્સે ૧૯૪૨માં બનાવેલી એક ઘડિયાળને ૭૩ કરોડ રૃપિયા જેટલી ઊંચી કિંમત મળી હતી. ૨૦૦૭માં એક વાયોલિનની હરાજી કરવામાં આવી ત્યારે તેની બોલી ૨૫ કરોડ રૃપિયા લગાવાઈ હતી. સાચી કિંમત આંકવામાં આવે તો અમૂલ્ય વસ્તુનું મૂલ્ય આપી પણ શકાય છે અને મેળવી પણ શકાય છે.
૧૯૨૦માં રોમમાં થોડા મજુરો ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે તેને એક મૂર્તિ હાથ લાગી હતી. આ મૂર્તિનો અભ્યાસ કરતા જણાયું કે તે આશરે બે હજાર વર્ષ પુરાણી છે. સદીઓ જૂની હોવાના કારણે બેશક તે કિંમતી હતી, પણ તેની ખરી કિંમત તો છેક ૮૭ વર્ષ બાદ ઉપજી. ખોદકામ કરનારા મજુરોએ સપનામાં પણ વિચારી નહીં હોય એટલી રકમ આ મૂર્તિને ૨૦૦૭માં મળી. જ્યારે તેને હરાજીમાં મૂકવામાં આવી ત્યારે જાણકારોએ આગાહી કરી હતી કે વધી વધીને મૂર્તિની કિંમત ૭ મિલિયન ડોલર આવી શકે, પરંતુ જ્યારે તેની બોલી બોલાઈ ત્યારે એ સાંભળીને આગાહી કરનારાઓની આંખ આશ્ચર્યથી પહોળી રહી ગઈ હતી! ૨૦૦૭માં રોમની આ પુરાણી મૂર્તિના પૂરા ૨૬.૬ મિલિયન ડોલર એટલે કે ૧ અબજ ૮૨ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ ઉપજી હતી. કોઈ મૂર્તિને હરાજીમાં મળેલી આજ સુધીની આ સર્વોચ્ચ કિંમત છે.
૫૦ વર્ષ જૂની કારની કિંમત ૭૭ કરોડ હોય શકે?
૧૯૫૭માં બનેલી અને ૪ વર્ષ સુધી રેસમાં દોડનારી ટેસ્ટા રોસા નામની કાર ૧૯ આંતરરાષ્ટ્રીય રેસમાં ભાગીદાર બની હતી અને એમાંથી ૧૦ વખત તો તે અવ્વલ રહી હતી. બાકીની તમામ રેસમાં ચાર નંબરથી પાછળનો ક્રમ તો ક્યારેય મેળવ્યો ન હતો. આવો રેકોર્ડ હોય તો કાર રેસિંગના શોખીનોને આ કાર ખરીદવામાં કદાચ રસ પડે, પણ તોયે તેની કિંમત ૭૭ કરોડ મળી શકે? હા, મળી શકે. જો તેનું નામ ફેરારી ટેસ્ટા રોસા હોય તો. ઈટાલીના ઓટોમોબાઇલ ડિઝાઇનર સેર્ગિઓ સ્કેગલિટીએ તૈયાર કરેલી આ કારની કિંમત ૨૦૦૯માં એક હરાજીમાં ૭૭ કરોડ રૃપિયા બોલાઈ હતી. એમ મનાય છે કે હવે ફરીથી જો આ કારની નિલામી થાય તો તેની કિંમત ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૃપિયા તો આવી જ શકે! કારની હરાજી બાબતે તો બીજા ઘણાં આવા જ ઉદાહરણો મળી રહે તેમ છે.
એક ચિત્ર જે ૬૭૩ કરોડમાં વેંચાયું!
પાબ્લો પિકાસોનું એક પેઇન્ટિંગ ન્યૂડ, ગ્રીન લીવ્સ એન્ડ બસ્ટની ૨૦૧૦માં નિલામી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે આ ચિત્રના ૬૭૩ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. માત્ર ૮ જ મિનિટ ચાલેલી હરાજીનો રેકોર્ડ એ છે કે આજેય તે સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રકમ મેળવનારી નિલામી ગણાય છે અને વળી, કોઈ ચિત્રકારના ચિત્રને મળેલી અધિકતમ કિંમતનો રેકોર્ડ તો ખરો જ! ૧૯૩૨માં બનેલા આ ચિત્રની હરાજી ૨૦૧૦માં કરવામાં આવી હતી. ટાઇમ જેવા વિશ્વ પ્રતિષ્ઠિત સામયિકે પણ તેની હરાજીની નોંધ લીધી હતી. મજાની વાત એ છે કે આ પહેલાનો વિક્રમ પણ પાબ્લો પિકાસોના જ એક ચિત્ર બોય વિથ અ પાઇપના નામે હતો. જેને ૨૦૦૪માં થયેલી નિલામીમાં ૬૭૦ કરોડ જેવી માતબર રકમ મળી હતી.
મેરેલિન મનરોના એક ડ્રેસની કિંમત ૮ કરોડ
પૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર અમેરિકન અભિનેત્રી મેરેલિન મનરોએ પહેરેલા કપડાની કિંમત ૧૯૯૯માં થયેલી એક હરાજીમાં ૧૨,૦૦૦ ડોલર આંકવામાં આવી હતી. જોકે, પછી હરાજીમાં મનરોના આ એક ડ્રેસ માટે નક્કી કરેલી રકમ કરતા અનેક ગણા વધારે રૃપિયા મળ્યા હતા. આ ડ્રેસ માટે ૮ કરોડ રૃપિયા ચૂકવાયા હતા. મનરોએ આ ડ્રેસ પહેરીને જ કેનેડી માટે હેપી બર્થ ડે સોંગ રજૂ કરીને ડાન્સ પણ કર્યો હતો.
એક વાળની લટના ૭૩ લાખ રૃપિયા
૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં અમેરિકામાં એલ્વિસ પ્રીસ્લી નામના સિંગર અને એક્ટરની ખૂબ જ લોકપ્રિયતા હતી. તેના ગળામાં જેટલો જાદૂ હતો એટલી જ અપિલિંગ તેની હેર સ્ટાઇલ પણ હતી. તેના ચાહકોમાં તે હેર સ્ટાઇલના કારણે ખાસ્સા ચર્ચામાં રહેતા હતા. વાળ માટે સૌથી વધુ કિંમતનો રેકોર્ડ આજે પણ પ્રીસ્લીના નામે છે. ૨૦૦૨માં એલ્વિસ પ્રીસ્લીના વાળની લટની નિલામી થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી ૭૩ કરોડ રૃપિયાની હતી. દુનિયાભરના કોઈ પણ સેલિબ્રિટીના વાળ માટે મળેલી આ આજેય સર્વોચ્ચ કિંમત ગણાય છે.
બિલ ગેટ્સ જેવા ખરીદનારા હોય પછી તો પૂછવુ જ શું?
લિયોનાર્ડો દ વિન્ચીની હસ્તપ્રતોને ૧૯૯૪માં હરાજીમાં મૂકવામાં આવી હતી. કોડેક્ષ હેમર નામથી ઓળખાતી વિન્ચીની ડાયરીની કિંમત બિલ ગેટ્સે બરાબર આંકી હતી. ૭૨ પાનાની આ હસ્તપ્રતો ગેટ્સે લગભગ ૨૦૦ કરોડ જેટલી માતબર રકમ આપીને ખરીદી લીધી હતી. પછીથી તેની સ્કેન થયેલી નકલ ઈન્ટનેટ પર પણ ઉપલબ્ધ કરાવી હતી.
કિસ્સા કૂર્સી કા : ડ્રેગન આરામ ખુરશીની કિંમત પૂરા ૧૭૮ કરોડ રૃપિયા!
આ ખુરશીની ખાસિયત એ છે કે તેની વિશેષ કોઈ જ ખાસિયત ન હોવા છતાં નિલામીમાં તેના ૧૭૮ કરોડ રૃપિયા ઉપજ્યા હતા. એ સમયના વિખ્યાત મહિલા આઇરિશ ડિઝાઇનર એલિન ગ્રેએ ડ્રેગન જેવા આકારની આ ચેર ૧૯૧૭થી ૧૯૧૯ દરમિયાન બનાવી હોવાનું કહેવાય છે. અત્યારે તો માર્કેટમાં જાત જાતની અને ભાત-ભાતની ખુરશીઓ મળી રહે છે, પણ જ્યારે આ ખુરશીની ડિઝાઇન બની ત્યારે તે આવી એક માત્ર ચેર હતી. તેનાથી ખુરશીઓની બનાવટમાં એક નવો ટ્રેન્ડ શરૃ થયો હતો. ડ્રેગન આરામ ખુરશીને નિલામીમાં મળેલી આટલી મોટી કિંમત પાછળ નિષ્ણાતો આ કારણને જવાબદાર ગણે છે.
પ્રકૃતિ પ્રેમી અમેરિકન પેઇન્ટર અને લેખક જ્હોન જેમ્સની બૂક 'બર્ડ્સ ઓફ અમેરિકા' પક્ષીઓના સચિત્ર વર્ણનો માટે ખૂબ વખણાયેલી વિશ્વ વિખ્યાત બૂક છે. ૧૮૨૭માં પ્રકાશિત થયેલી આ બૂકની નિલામી ૨૦૧૦માં કરવામાં આવી હતી. આ બેનમૂન બૂકને હરાજીમાં ૬૩ કરોડ રૃપિયા મળ્યા હતા. એ જ રીતે રોલેક્સે ૧૯૪૨માં બનાવેલી એક ઘડિયાળને ૭૩ કરોડ રૃપિયા જેટલી ઊંચી કિંમત મળી હતી. ૨૦૦૭માં એક વાયોલિનની હરાજી કરવામાં આવી ત્યારે તેની બોલી ૨૫ કરોડ રૃપિયા લગાવાઈ હતી. સાચી કિંમત આંકવામાં આવે તો અમૂલ્ય વસ્તુનું મૂલ્ય આપી પણ શકાય છે અને મેળવી પણ શકાય છે.






















