નિક વાલેન્ડા : દૂર રેહ પાયે જો હમસે, દમ કહાઁ મંઝિલ મે હૈ!
નિક વાલેન્ડાએ સતત અણધાર્યા સ્ટંટ્સ કરીને વિશ્વભરમાં અનેરા સાહસિક તરીકે નામના મેળવી છે. 'અસંભવ' શબ્દમાં પણ વ્યક્ત ન થઈ શકે એવા સાહસોની વિક્રમી સફળતા પાછળ જેની સાત પેઢીની મહેનત બોલે છે એવા ૩૫ વર્ષના આ સાહસિકની બે દશકાની સફર પર એક નજર...
ક્યુબેકમાં ચાલતા એક સ્ટંટ્સના કાર્યક્રમમાં ૨૦ વર્ષનો યુવક ૩૦ ફીટ ઊંચે દોરડા ઉપર કોઈ જ આધાર વગર સંતુલતથી ચાલતો ચાલતો આવીને બરાબર વચ્ચે એ જ હાલતમાં બધાના આશ્વર્ય વચ્ચે અટકી ગયો અને નીચે ઉભેલી એક યુવતીને તાકી રહ્યો. એ છોકરી તેને ઘણા વખતથી ગમતી હતી. આજે તેણે પોતાની લાગણી વ્યક્ત કરી જ દેવાનું નક્કી કર્યું હતું. કાર્યક્રમ નિહાળતા ૨૫ હજાર પ્રેક્ષકો તેમ જ પિરામીડ બનાવીને કાર્યક્રમમાં ભાગીદાર બનેલા સાત ફેમિલી મેમ્બર્સની હાજરીમાં તેણે જેકેટના પોકેટમાં ખૂબ સંભાળપૂર્વક રાખેલું રેડ રોઝ કાઢ્યું અને એક પગ ઘૂંટણેથી વાળીને પ્રપોઝ કર્યું 'વીલ યુ મેરી મી!'. પ્રેક્ષકોના હર્ષનાદ વચ્ચે યુવાનની અનોખી અદાથી મોહી પડેલી યુવતીએ પ્રપોઝલ સ્વીકારી લીધી અને એક વીક પછી બંને લગ્નગ્રંથીથી પણ જોડાઈ ગયા. ૧૯૯૯માં બનેલો આ પ્રસંગ ઈરેન્ડિરા માટે કાયમ અવિસ્મરણીય બની રહ્યો. ઈરેન્ડિરા માટે સ્ટંટ્સ નવી નવાઈની વાત નહોતી, પણ આ યુવાનની પ્રપોઝ કરવાની સ્ટાઇલ નવી હતી. બાકી એમ તો ઈરેન્ડિરાનું ફેમિલી વિશ્વના સૌથી પૂરાણા ત્રણ સર્કસ પરિવાર પૈકીનું એક ગણાય છે. એ પણ સર્કસ-જોખમી સ્ટંટ્સ વગેરેની વચ્ચે ઉછરી છે એટલે સ્વાભાવિક રીતે જ તેને નિતનવા જોખમ ખેડતો આ યુવક તરત પસંદ પડી ગયો. પ્યાર માટે આવું જોખમ લેનારા એ યુવકને દુનિયા આજે કિંગ ઓફ ધ વાયર- નિલ વાલેન્ડાના નામે ઓળખે છે. જે પ્યાર માટે આવું કરી શકતો હોય એ પેશન માટે શું ન કરે?
'લોકોને સતત નવું જોવું ગમે છે. જો પ્રેક્ષકોને નવું નહીં આપીએ તો એ નવું શોધવા માંડશે. આ મંત્ર મેં બરાબર દિમાગમાં ઉતારી લીધો છે. જેના ભાગરૃપે હું માત્ર હાઈ-વાયર વોકર બનીને જ નથી રહ્યો, પણ સાથે સાથે મેં બીજા જોખમી સ્ટંટ્સ તરફ ધ્યાન આપ્યું છે. ધારણા બહારની બાબતો કરો તો જ લોકો અસાધારણ ગણીને સન્માન આપશે'. આ શબ્દો નિકના જીવનમંત્ર જેવા છે. તેણે સાયકલ-મોટર સાયકલની મદદથી સ્ટંટ્સ કર્યા છે, તો ધ વ્હિલ ઓફ ડેથના પ્રયોગો પણ કર્યા છે. સામે પક્ષે હેલિકોપ્ટરની નીચે દાંતની મદદથી લટકીને કર્યા હોય એવા પડકારો પણ હસતા મોઢે કર્યા છે. ૩૫ વર્ષના આ સાહસિકને ક્યારેય અકસ્માત નથી નડયો, પરંતુ તેના પરિવારના કેટલાય સભ્યોએ જીવ આપીને આ પરંપરાને આગળ વધારી છે. હંમેશા ધારેલા બધા જ મિશનો તેણે પળવારમાં પાર પાડયા છે. તેને સતત નવા નવા વિક્રમો માટે એવોર્ડ અપાય છે, પરંતુ તેના ચહેરા ઉપર એવોર્ડ કરતા વાલેન્ડા પરિવારની શાન જેવા જોખમી સ્ટંટ્સનો સિલસિલો આગળ વધારી શકાયો એનો આનંદ વધારે ઝલકે છે!
* * *
નિક સર્કસ અને વિવિધ સાહસો કરતા મૂળ જર્મનીના અને સમયાંતરે અમેરિકા સ્થિત થયેલા વોલેન્ડા પરિવારની સાતમી પેઢીનો સાહસિક છે. તેના પરિવારમાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ આવા હેરતઅંગેજ સ્ટંટ્સ માટે જાણીતી છે. ૨૦૧૧માં નિક અને તેની માતાએ એક દોરડા ઉપર સામ-સામા ચાલીને સંયુક્ત રીતે બે ટાવર્સની વચ્ચે વાયર વોક કર્યું હતું. આ બાબત દર્શાવી દે છે કે તેના પરિવાર માટે સાહસ કેટલું સહજ છે. ૧૯૨૦થી અધ્ધરતાલ દોરડા ઉપર ચાલવાના સ્ટંટના કારણે નિકના પડદાદા કાર્લ વાલેન્ડર ખ્યાતનામ થયા હતા. 'કાર્લે ધ ફ્લાઇંગ વાલેન્ડાસ' નામથી સર્કસ અને સાહસથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરતી કંપની બનાવી હતી. તેમને એ સમયે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. કાર્લ પછી આવી પ્રસિદ્ધિ નિકને મળી છે. નિક માટે પોતાના પડદાદા કાર્લ જ બાળવયથી રોલ મોડેલ રહ્યા છે. બધા જ કરતબોની સફળતા પછી નિક તેના પડદાદાને એ અર્પણ કરી દે છે. એક જોખમી સ્ટંટ કરતી વખતે કાર્લે દોરડા પરથી બેલેન્સ ગુમાવ્યું હતું અને ઊંચાઈ ઉપરથી નીચે પટકાવાને કારણે ૭૩ વર્ષની વયે તેમનું મૃત્યુ થયુ હતું. આ ઘટનાના એક વર્ષ પછી નિકનો જન્મ થયો હતો. આશ્વર્યજનક બાબત એ છે કે કાર્લનો જન્મ જાન્યુઆરી માસમાં થયો હતો અને નિકનો જન્મ પણ જાન્યુઆરી માસમાં જ થયો હતો એટલે નિકના પિતાને ઘણા ભવિષ્યવેત્તાઓએ એમ કહ્યું હતું કે તેમના પિતાનો જન્મ પુત્ર રૃપે થયો છે!
વાલેન્ડા પરિવારને પ્રસિદ્ધિ અને પ્રેક્ષકોનો પ્યાર મળ્યો એ સાથે સાથે તેમણે તેની આકરી કિંમત પણ ચૂકવી છે. આ સર્કસ દ્વારા ૭ સભ્યોનો પિરામીડ ખૂબ જ પોપ્યુલર થયો હતો. ૧૯૬૨માં એક અકસ્માત થયો ત્યારે પિરામીડનું સંતુલન રહ્યું નહીં અને એ જોખમી ખેલ કરવામાં બે સભ્યોએ જીવ ખોયો હતો. એટલું જ ઓછું હોય એમ નિકના કાકા મારિયોને પેરેલિસિસ થઈ ગયો હતો. છેલ્લા પાંચ દશકામાં આ પરિવારે એક મોભી સહિત ત્રણ સ્વજનો ગુમાવ્યા છે.
સર્કસ સાથે સાત-સાત પેઢીથી સંકળાયેલા પરિવારમાં જન્મ થવાને કારણે નિકની આકરી તાલીમ બાળવયે જ થઈ ગઈ હતી. સામાન્ય રીતે બાળક ચાલતા શીખે એ ઉંમરે તેના માટે માતા-પિતા અલગ અલગ પ્રકારની ચાલવાની સાયકલ્સ વગેરેની વ્યવસ્થા કરતા હોય છે, પરંતુ વાલેન્ડા પરિવારમાં બાળક દોરડા પર ચાલતા શીખે! નિક માત્ર બે વર્ષનો હતો ત્યારે જ તેના માતા-પિતાએ તેને દોરડા પર ચાલતા શિખવાડયું હતું. યુવાન થયો ત્યાં સુધીમાં આ બધી જ કળામાં તે મહારત હાંસિલ કરી ચૂક્યો હતો. ૬ વર્ષની વયે પ્રથમ વખત નાયગ્રા ધોધ જોયો ત્યારે તેણે પરિવારના સભ્યોને કહ્યું હતું કે હું એક દિવસ આ ધોધ દોરડા પર ચાલીને પાર કરીશ. પરિવારના સભ્યોએ તેને બાળસહજ વાત ગણીને હસી કાઢી હતી, પણ તેણે મનમાં બરાબર એ ગાંઠ વાળી લીધી હતી જે સપનું તેણે ૨૦૧૨માં ૩૨ વર્ષની વયે સાકાર કર્યું હતું.
જોકે, એક સમયે તેના પિતાએ નિકને બીજા કોઈ ધંધામાં નસીબ અજમાવવાનું સૂચન કર્યું હતું. કેમ કે, સર્કસને પાટિયા લાગવા માંડયા હતા એટલે તેના પિતાને એમાં સંતાનોનું ભાવિ જણાતું ન હતું. નિકના પિતા ડેલિલાહ વાલેન્ડાએ 'ધ લાસ્ટ ઓફ ધ વાલેન્ડાસ' નામની એક કિતાબ લખી હતી જેમાં આવા જોખમી સ્ટંટ્સ સામે વધતા પડકારોની વાત કરીને પરિવારની આ છ પેઢી જૂની પરંપરાનો પોતાનાથી અંત આવશે એવું ખૂબ ખેદપૂર્વક તેમાં લખ્યું હતું. જો સાહસિક જોખમો ન ખેડી શકાય તો નિકની ઈચ્છા પાયલટ બનવાની હતી. તેના પિતાએ નિકને પાયલટ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા હિંમત આપી હતી, ૧૯૯૮થી તેના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, જેના કારણે દુનિયાને એક લિજેન્ડરી સ્ટંટમેન મળ્યો. કાર્લે ક્રિએટ કરેલો સાત સભ્યોનો પિરામીડ ફરીથી નવા સ્વરૃપે રજૂ થયો ત્યારે તેનો એક સભ્ય નિક પણ હતો. પછીથી આ ઘટનાનો ઉલ્લેખ કરીને નિકે કહ્યું હતું કે 'પ્રેક્ષકોનો પ્રેમ અને ટેલિવિઝનના દ્રશ્યો જોઈને મને લાગ્યું કે આટલા લોકોનો પ્રેમ મળે છે અને વાલેન્ડા નામમાં જે વિશ્વાસ લોકો દાખવી રહ્યાં છે એ પરંપરાને મારે આગળ વધારવી જોઈએ. બસ એ ઘડીએ મેં નક્કી કર્યું કે મારો જન્મ આ કામ માટે જ થયો છે અને હું જીવનભર આ કામ જ કરીશ. ત્યાર પછી મેં ક્યારેય પાછું ફરીને જોયું નથી, જોવાની નવરાશ પણ નથી મળી'.
* * *
નિકનું માનવું છે કે ઈશ્વરે તેને આ શક્તિ જન્મજાત આપી છે એ સિવાય તે કદાચ આ કામ પાર પાડી શકે નહીં. તે એક પણ સ્ટંટ્સની આગોતરી તૈયારી નથી કરતો. સ્ટંટ્સ કરતા પહેલા પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરે છે અને પછી તે દોરડા પર ચાલવાનું શરૃ કરે ત્યારે તેને એમ જ લાગે છે કે તે ઈશ્વર તેને ચાલવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આઝાદીની તર્જ પર રચાયેલા રામપ્રસાદ બિસ્મિલના શબ્દો 'હોશ ઉડા દેંગે હમેં રોકો ન આજ, દૂર રેહ પાએ જો હમસે દમ કહાઁ મંઝિલ મે હૈ...' અહીં આ યુવાનને થોડા અલગ રીતે લાગુ પડે છે એવું નથી લાગતું?
નિકના જોખમોની વણજાર...
* ગયા સપ્તાહે ૨ નવેમ્બર, ૨૦૧૪ના રોજ બે બિલ્ડિંગ્સ વચ્ચે દોરડા ઉપર ઊંચાઈ અને ઝડપનો નવો વિક્રમ કાયમ કર્યો હતો. સાથે-સાથે આંખ ઉપર પટ્ટી બાંધીને ઊંચાઈ પર ચાલવાનો વિક્રમ પણ તેને પોતાના નામે કર્યો હતો.
* તેના નામે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નવ રત્નો જેવા નવ વિક્રમો નોંધાયેલા છે.
* આ બધા સ્ટંટ્સ વખતે તેનો એક જ મેસેજ હોય છે કે દિલની વાત સાંભળો અને એ પ્રમાણે વર્તો
* નિકના બધા જ જોખમી સ્ટંટ્સ વખતે તેની પત્ની અને ત્રણ બાળકો આસપાસમાં જ હોય છે. નાયગ્રા ધોધ પર ચાલતા અગાઉના સાત દિવસ પહેલા તેણે પ્રથમ વખત પરિવારથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
* ૨૦૦૮માં તેણે દોરડા પર ૨૫૦ ફીટ લાંબી અને ૧૩૫ ફીટ ઊંચી સાયકલ રાઇડ કરીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
* ૨૩ જૂન, ૨૦૧૩ના દિવસે દોરડા પર ચાલીને ઊંચાઈ પરથી ગ્રાન્ડ કેન્યલ એરિયા ક્રોસ કરનારો તે દુનિયાનો પ્રથમ સાહસિક બન્યો હતો.
* ૧૦ જૂન, ૨૦૧૧નો દિવસ નિક માટે નવા સીમાચિન્હ રૃપ બની રહ્યો. ૨૫૦ ફીટ ઊંચે ઉડતા હેલિકોપ્ટરમાં દાંતથી પક્કડ જમાવીને તેણે સ્ટંટ કર્યો ત્યારે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં તેણે સ્થાન મેળવ્યું હતું.
* તેના માટે અમેરિકા અને કેનેડાએ ૧૧૬ વર્ષનો પ્રતિબંધ હટાવીને નાયગ્રા ધોધ ઉપર દોરડા પર ચાલવાનો તેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ અભૂતપૂર્વ ઘટના હતી કે જ્યારે કોઈ એક સ્ટંટમેન માટે કાયદામાં આટલો મોટો ફેરફાર કરાયો હોય. વળી બંને દેશોએ બે વર્ષ સુધી જિયોગ્રાફિકલ સર્વે પણ કરાવ્યો હતો. ૧ લાખ ૨૦ હજાર ચાહકો તેના સ્ટંટની બીજ તરફ રાહ જોઈને ઉભા હતા. કોઈ એક કરતબ માટે આટલા લોકો રાહ જોતા હોય એવો પણ એ વિરલ બનાવ હતો.
* ૬૫ વર્ષની વયે કાર્લે ૧૨૦૦ ફીટ લાંબું વોક કર્યુ હતું એને આજેય તે પોતાના કરતા એને વધુ મહાન કરતબ ગણે છે
એલન યુસ્ટેસ : ઊંચાઈએથી પડતું મૂકીને ઊંચાઈ મેળવનારો સાહસિક
દિવાળીના ધમાકા વચ્ચેે ૫૭ વર્ષના ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એલન યુસ્ટેસે ઊંચાઈએથી કૂદકો લગાવીને નવી ઊંચાઈ મેળવી છે. સાધારણ પરિસ્થિતિમાં ઉછરેલા એલને હંમેશા અસાધારણ સફળતા મેળવ્યે રાખી છે. અભ્યાસ પૂરો કરવા એક સમયે પાર્ટટાઇમ પોપકોર્ન વેચનારા યુવકે જીવનના ઉતર્રાધ સુધીમાં અપ્રતિમ નામ-દામ મેળવી લીધા છે...
૧૯૭૪નું વર્ષ હતું. ફ્લોરિડામાં વોલ્ટ ડિઝનીની મોનોરેલનો કોન્ટ્રાક્ટ માર્ટિન મેરિએટા નામની કંપનીને મળ્યો હતો. કંપનીએ પાઇનહિલ્સમાં કામદારોને રહેવા માટે નાનકડાં ક્વાર્ટર્સ ફાળવ્યા. એમાંના એક કર્મચારીનો પુત્ર સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને કોલેજમાં આવ્યો. ૧૭ વર્ષના એ છોકરાએ સ્કૂલમાં અવ્વલ આવીને આગળના અભ્યાસ માટે સ્કોલરશિપ મેળવી લીધી. સ્કોલરશિપથી કોલેજની ફીની સમસ્યા તો ઉકલી ગઈ, પણ કોલેજના અન્ય ખર્ચાની વ્યવસ્થા કરવી જરૃરી હતી. તેણે એનો ઉકેલ શોધી લીધો. કોલેજ ટાઇમમાં લેક્ચર ભરવાના અને બાકીના ફાજલ સમયમાં પોપકોર્ન વેંચીને પૈસા કમાવાનો વિકલ્પ તેને માફક આવી ગયા. વચ્ચે વેકેશનના સમયગાળા દરમિયાન ડિઝની વર્લ્ડના મોનોરેલ પ્રોજેક્ટમાં પાર્ટટાઇમ નોકરી કરીને બચત કરવાનો કીમિયો પણ બરાબર કારગત નીવડયો.
પુસ્તકો અને કપડા સહિતની વર્ષ દરમિયાન ખપમાં આવતી ખરીદી એ આ વેકેશનમાં કમાયેલા પૈસાથી કરતો. આમ કરતા તેની કોલેજ પૂરી થઈ. તેણે કમ્પ્યુટર ઈજનેરીની ડિગ્રી મેળવી હતી. એ સમયે હજુ કમ્પ્યુટર ઈજનેરી આજના જેટલી વિકસિત નહોતી થઈ. કમ્પ્યુટર ઈજનેરને બીજી શાખાઓના એન્જિનિયરની જેમ માતબર પૈસા મળે એવી અપેક્ષા થોડી વધારે પડતી હતી એટલે કમ્પ્યુટર એન્જિનિયરે એ સમયે હજુ વિકસી રહેલી નવી નવી કંપનીઓમાં કામ શોધવું પડતું. આ છોકરાએ પણ નોકરીની શરૃઆત સિલિકોન વેલીની એક સાવ સામાન્ય કંપનીથી કરી, પણ તેના સતત કામ કરતા રહેવાના ખંત અને મહેનતકશ સ્વભાવે તેણે પોતાના ક્ષેત્રમાં એક પછી ઊંચાઈ મેળવ્યે રાખી.
નોકરી ઉપરાંત તેને કમ્પ્યુટર અંગેના નવા સંશોધનોમાં પણ એટલી જ દિલચસ્પી હતી. નોકરી-સંશોધનની સાથે સાથે તેણે કમ્પ્યુટર સાયન્સના ક્લાસ ભરવાનું ય શરૃ રાખ્યું. ૧૯૮૪માં તેણે પીએચ.ડી પૂરું કર્યું ત્યારે તેની સંશોધનની આવડત પર એકેડમિક મહોર પણ લાગી ચૂકી હતી. તેણે જે ઝડપથી રસ્તો કંડાર્યો હતો એ પછી તો તેની આગેકૂચને રોક લગાવવાનું કામ કોઈ પણ માટે અશક્ય હતું. તેની આવડતમાં હવે અમેરિકાની માતબર કંપનીઓ રસ દાખવવા લાગી હતી. તેણે સમય પારખીને ઝડપથી વિશ્વમાં પોતાનો ડંકો વગાડતી કંપની ગૂગલને ડાળ બનાવી લીધી. ગૂગલમાં રહીને તેને દૌલત-શોહરત મળ્યા, પરંતુ તેના નસીબમાં કમ્પ્યુટર ઈજનેર તરીકે નહીં, પણ સાહસિક એલેન યુસ્ટેસ તરીકે ઓળખાવાનું લખ્યું હતું એની કલ્પના તો તેણે છેક ૨૦૧૧ સુધી નહોતી કરી!
* * *
'ઈટ વોઝ અમેઝિંગ! આ વાઇલ્ડ રાઇડિંગ મારા જીવનની યાદગાર પળ હતી. ત્યાંથી હું વાતાવરણના એક એક લેયર્સ અનુભવી શકતો હતો. એ સમયે મને અવકાશની ડાર્કનેસ ખૂબ સુંદર લાગી રહી હતી. આટલું મનોહર દ્રશ્ય મારી જિંદગીમાં મેં ક્યારેય જોયું નથી... અને ઝડપ, ઝડપ તો એવી હતી કે જાણે થોડી વાર માટે હું પોતે જ સુપરસોનિક અવકાશ યાન બની ગયો ન હોઉં. હું આકાશી ઊંચાઈ છોડીને જમીન પર આવી રહ્યો હતો ત્યારે વિચારતો હતો કે આ ૧૫ મિનિટ હજુ થોડી વધુ લાંબી ચાલે તો કેટલું સારું!'
અવાજની ગતિને ભેદીને અવકાશી ઊંચાઈ પરથી ધરતી પર પગ મૂકનારા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલન યુસ્ટેસે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેના ચહેરા પર ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો. તેણે એક સાથે ત્રણ ત્રણ વિક્રમ ઉપર કબ્જો જમાવ્યો હતો. ૧,૩૫,૯૦૮ ફીટની ઊંચાઈ પરથી છલાંગ લગાવીને ઓસ્ટ્રેલિયન સાહસિક ફેલિક્સ બોમગાર્ટનરનો ૧,૨૮,૧૦૦ ફીટની ઊંચાઈનો રેકોર્ડ તોડયો હતો. તો ૧૩૨૧ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે નીચે આવીને ફેલિક્સના જ ૧૩૦૧ કિ.મી. પ્રતિ કલાકના વિક્રમને ધ્વસ્ત કર્યો હતો. ૧,૨૩,૪૧૪ ફીટનું ફ્રી ફોલ અંતર ૪ મિનિટ અને ૨૭ સેકન્ડમાં કાપ્યુ હતું. અગાઉ ૫ મિનિટમાં ૧ લાખ ૧૮ હજાર ફીટનું અંતર કાપવાનો વિક્રમ ફેલિક્સના નામે જ બોલતો હતો.
રેકોર્ડ બ્રેકિંગ સ્પીડે જમીન સુધી આવતા પહેલા ૩૫ હજાર ક્યૂબિક ફીટ હિલિમય વાયુ ભરેલાં બલૂનની સહાયતાથી એલન યુસ્ટેસે લગભગ ૨ કલાકની મુસાફરી કરીને અવકાશમાં ધારેલી ઊંચાઈ મેળવી હતી.
૧૪ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે ફેલિક્સ બોમગાર્ટનરે અવાજની ગતિએ જમીન ઉપર આવવાના વિક્રમ બનાવ્યો હતો એના બરાબર બે વર્ષ અને ૧૦ દિવસ પછી એલને આ વિક્રમ તોડયો, પણ ખરેખર તો એની શરૃઆત ફેલિક્સના જમ્પ અગાઉ ૨૦૧૧થી શરૃ થઈ ચૂકી હતી. ગૂગલના એક ખાનગી મિશનના ભાગરૃપે સ્પેસ સ્યુટમાં સ્ટ્રેટોસ્ફિયરને લગતા કેટલાક સંશોધનો માટે આ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો હતો. ફેલિક્સે પહેલાથી જ જમ્પની જાહેરાત કરી દીધી હોવાથી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન તેમના તરફ હતું, પણ આ આખો પ્રોજેક્ટ એકદમ ખાનગી ધોરણે રખાયો હોવાથી એલને સાહસમાં સફળતા મેળવ્યા પછી તેની નોંધ લેવાઈ હતી. ઉડીને આંખે વળગે એવી બીજી એક વાત એ છે કે બંનેના સાહસમાં મુખ્ય ફરક ઉંમરનો છે. ફેલિક્સે છલાંગ લગાવી ત્યારે તે ચાલીસીમાં હતો. જ્યારે ગૂગલના નોલેજ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત એલન યુસ્ટેસ નિવૃત્તિના આરે છે. ૫૭ વર્ષના એલને મોટાભાગનો સમય લેબોરેટરીમાં સંશોધન પાછળ કે ઓફિસમાં સાથી કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં ગાળ્યો છે. તેને સ્કાઇ ડાઇવિંગ પ્રકારના કોઈ સાહસ સાથે દૂરનો સંબંધ નહોતો. ફેલિક્સ પહેલેથી જ સાહસિક તરીકે વિખ્યાત હતો અને મોટો જમ્પ લગાવતા અગાઉ કંઈ કેટલીય છલાંગો લગાવી ચૂક્યો હતો. બીજી બાજુ સાહસનું પોતાનું ક્ષેત્ર ન હોવા છતાં ઢળતી ઉંમરે આવડું ખેડાણ કરવાના કારણે પણ એલનનું આ વિશિષ્ટ સાહસ ગણાવી શકાય.
મૂળે તો બાળપણમાં બધાથી અલગ તરી જવાનો જે ગુણ એલને વિકસાવ્યો હતો એ જ તેને આવું સાહસ કરવા પ્રેરે છે. એ સમયે કે જ્યારે પોતાના ક્લાસમેન્ટ્સ કમ્પ્યુટર ઈજનેરીમાં પ્રવેશ નહોતા મેળવતા ત્યારે એનાથી સામા પ્રવાહે જવું, આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ભણવાની સાથે સાથે કમાણી કરવાનો વિકલ્પ ઊભો કરવો, સામાન્ય કંપનીમાં નોકરી શરૃ કરી હોવાથી દેશની અગ્રગણ્ય કંપનીના દરવાજા ઓપન થાય એ માટે એકેડમિક અને પ્રાયોગિક સફળતા મેળવવા જેવા કેટલાય સાહસો ખરેખર તો એલનના સ્વભાવમાં હતા.
પુસ્તકો અને કપડા સહિતની વર્ષ દરમિયાન ખપમાં આવતી ખરીદી એ આ વેકેશનમાં કમાયેલા પૈસાથી કરતો. આમ કરતા તેની કોલેજ પૂરી થઈ. તેણે કમ્પ્યુટર ઈજનેરીની ડિગ્રી મેળવી હતી. એ સમયે હજુ કમ્પ્યુટર ઈજનેરી આજના જેટલી વિકસિત નહોતી થઈ. કમ્પ્યુટર ઈજનેરને બીજી શાખાઓના એન્જિનિયરની જેમ માતબર પૈસા મળે એવી અપેક્ષા થોડી વધારે પડતી હતી એટલે કમ્પ્યુટર એન્જિનિયરે એ સમયે હજુ વિકસી રહેલી નવી નવી કંપનીઓમાં કામ શોધવું પડતું. આ છોકરાએ પણ નોકરીની શરૃઆત સિલિકોન વેલીની એક સાવ સામાન્ય કંપનીથી કરી, પણ તેના સતત કામ કરતા રહેવાના ખંત અને મહેનતકશ સ્વભાવે તેણે પોતાના ક્ષેત્રમાં એક પછી ઊંચાઈ મેળવ્યે રાખી.
નોકરી ઉપરાંત તેને કમ્પ્યુટર અંગેના નવા સંશોધનોમાં પણ એટલી જ દિલચસ્પી હતી. નોકરી-સંશોધનની સાથે સાથે તેણે કમ્પ્યુટર સાયન્સના ક્લાસ ભરવાનું ય શરૃ રાખ્યું. ૧૯૮૪માં તેણે પીએચ.ડી પૂરું કર્યું ત્યારે તેની સંશોધનની આવડત પર એકેડમિક મહોર પણ લાગી ચૂકી હતી. તેણે જે ઝડપથી રસ્તો કંડાર્યો હતો એ પછી તો તેની આગેકૂચને રોક લગાવવાનું કામ કોઈ પણ માટે અશક્ય હતું. તેની આવડતમાં હવે અમેરિકાની માતબર કંપનીઓ રસ દાખવવા લાગી હતી. તેણે સમય પારખીને ઝડપથી વિશ્વમાં પોતાનો ડંકો વગાડતી કંપની ગૂગલને ડાળ બનાવી લીધી. ગૂગલમાં રહીને તેને દૌલત-શોહરત મળ્યા, પરંતુ તેના નસીબમાં કમ્પ્યુટર ઈજનેર તરીકે નહીં, પણ સાહસિક એલેન યુસ્ટેસ તરીકે ઓળખાવાનું લખ્યું હતું એની કલ્પના તો તેણે છેક ૨૦૧૧ સુધી નહોતી કરી!
* * *
'ઈટ વોઝ અમેઝિંગ! આ વાઇલ્ડ રાઇડિંગ મારા જીવનની યાદગાર પળ હતી. ત્યાંથી હું વાતાવરણના એક એક લેયર્સ અનુભવી શકતો હતો. એ સમયે મને અવકાશની ડાર્કનેસ ખૂબ સુંદર લાગી રહી હતી. આટલું મનોહર દ્રશ્ય મારી જિંદગીમાં મેં ક્યારેય જોયું નથી... અને ઝડપ, ઝડપ તો એવી હતી કે જાણે થોડી વાર માટે હું પોતે જ સુપરસોનિક અવકાશ યાન બની ગયો ન હોઉં. હું આકાશી ઊંચાઈ છોડીને જમીન પર આવી રહ્યો હતો ત્યારે વિચારતો હતો કે આ ૧૫ મિનિટ હજુ થોડી વધુ લાંબી ચાલે તો કેટલું સારું!'
અવાજની ગતિને ભેદીને અવકાશી ઊંચાઈ પરથી ધરતી પર પગ મૂકનારા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એલન યુસ્ટેસે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેના ચહેરા પર ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો. તેણે એક સાથે ત્રણ ત્રણ વિક્રમ ઉપર કબ્જો જમાવ્યો હતો. ૧,૩૫,૯૦૮ ફીટની ઊંચાઈ પરથી છલાંગ લગાવીને ઓસ્ટ્રેલિયન સાહસિક ફેલિક્સ બોમગાર્ટનરનો ૧,૨૮,૧૦૦ ફીટની ઊંચાઈનો રેકોર્ડ તોડયો હતો. તો ૧૩૨૧ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે નીચે આવીને ફેલિક્સના જ ૧૩૦૧ કિ.મી. પ્રતિ કલાકના વિક્રમને ધ્વસ્ત કર્યો હતો. ૧,૨૩,૪૧૪ ફીટનું ફ્રી ફોલ અંતર ૪ મિનિટ અને ૨૭ સેકન્ડમાં કાપ્યુ હતું. અગાઉ ૫ મિનિટમાં ૧ લાખ ૧૮ હજાર ફીટનું અંતર કાપવાનો વિક્રમ ફેલિક્સના નામે જ બોલતો હતો.
રેકોર્ડ બ્રેકિંગ સ્પીડે જમીન સુધી આવતા પહેલા ૩૫ હજાર ક્યૂબિક ફીટ હિલિમય વાયુ ભરેલાં બલૂનની સહાયતાથી એલન યુસ્ટેસે લગભગ ૨ કલાકની મુસાફરી કરીને અવકાશમાં ધારેલી ઊંચાઈ મેળવી હતી.
૧૪ ઓક્ટોબર, ૨૦૧૨ના દિવસે ફેલિક્સ બોમગાર્ટનરે અવાજની ગતિએ જમીન ઉપર આવવાના વિક્રમ બનાવ્યો હતો એના બરાબર બે વર્ષ અને ૧૦ દિવસ પછી એલને આ વિક્રમ તોડયો, પણ ખરેખર તો એની શરૃઆત ફેલિક્સના જમ્પ અગાઉ ૨૦૧૧થી શરૃ થઈ ચૂકી હતી. ગૂગલના એક ખાનગી મિશનના ભાગરૃપે સ્પેસ સ્યુટમાં સ્ટ્રેટોસ્ફિયરને લગતા કેટલાક સંશોધનો માટે આ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો હતો. ફેલિક્સે પહેલાથી જ જમ્પની જાહેરાત કરી દીધી હોવાથી વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન તેમના તરફ હતું, પણ આ આખો પ્રોજેક્ટ એકદમ ખાનગી ધોરણે રખાયો હોવાથી એલને સાહસમાં સફળતા મેળવ્યા પછી તેની નોંધ લેવાઈ હતી. ઉડીને આંખે વળગે એવી બીજી એક વાત એ છે કે બંનેના સાહસમાં મુખ્ય ફરક ઉંમરનો છે. ફેલિક્સે છલાંગ લગાવી ત્યારે તે ચાલીસીમાં હતો. જ્યારે ગૂગલના નોલેજ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત એલન યુસ્ટેસ નિવૃત્તિના આરે છે. ૫૭ વર્ષના એલને મોટાભાગનો સમય લેબોરેટરીમાં સંશોધન પાછળ કે ઓફિસમાં સાથી કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં ગાળ્યો છે. તેને સ્કાઇ ડાઇવિંગ પ્રકારના કોઈ સાહસ સાથે દૂરનો સંબંધ નહોતો. ફેલિક્સ પહેલેથી જ સાહસિક તરીકે વિખ્યાત હતો અને મોટો જમ્પ લગાવતા અગાઉ કંઈ કેટલીય છલાંગો લગાવી ચૂક્યો હતો. બીજી બાજુ સાહસનું પોતાનું ક્ષેત્ર ન હોવા છતાં ઢળતી ઉંમરે આવડું ખેડાણ કરવાના કારણે પણ એલનનું આ વિશિષ્ટ સાહસ ગણાવી શકાય.
મૂળે તો બાળપણમાં બધાથી અલગ તરી જવાનો જે ગુણ એલને વિકસાવ્યો હતો એ જ તેને આવું સાહસ કરવા પ્રેરે છે. એ સમયે કે જ્યારે પોતાના ક્લાસમેન્ટ્સ કમ્પ્યુટર ઈજનેરીમાં પ્રવેશ નહોતા મેળવતા ત્યારે એનાથી સામા પ્રવાહે જવું, આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ભણવાની સાથે સાથે કમાણી કરવાનો વિકલ્પ ઊભો કરવો, સામાન્ય કંપનીમાં નોકરી શરૃ કરી હોવાથી દેશની અગ્રગણ્ય કંપનીના દરવાજા ઓપન થાય એ માટે એકેડમિક અને પ્રાયોગિક સફળતા મેળવવા જેવા કેટલાય સાહસો ખરેખર તો એલનના સ્વભાવમાં હતા.
૧૯૯૯માં ગૂગલ સાથે કામ શરૃ કરનારા એલન યુસ્ટેસના એચપી સાથેના અનુભવને ધ્યાનમાં રાખીને ગૂગલે તેને તરત જ એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ બનાવી દીધા. એમાં એલને થોડા વર્ષો જીવ રેડીને કામ કર્યું. ૨૦૦૬માં ગૂગલે પ્રમોશન આપીને તેમને પ્રોડક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. ૨૦૧૧થી એલન ગૂગલના સૌથી મહત્ત્વના એક એવા નોલેજ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે સાથે ગૂગલના ફૂડ બેંક અને સ્કોલરશિપના પ્રોજેકટ પણ સંભાળે છે.
ગૂગલમાં અલગ અલગ વિભાગમાં મહત્ત્વની જવાબદારીઓ ઉપાડવાની સાથે આ સિક્રેટ મિશનનો ભાર તેમના મજબૂત ખભા ઉપર આવ્યો ત્યારે છેક સુધી તેમણે છલાંગ લગાવવાની હિંમત પોતે કરશે એવી જાહેરાત નહોતી કરી. સ્પેસ સ્યુટ સહિતના સંશોધનો અને તૈયારી થતી હતી એ સમયગાળામાં જ મનોમન નક્કી કરીને એલને તૈયારી આરંભી દીધી હતી. જે બે કંપની સહભાગી હતી એનેય આ વાતની જાણ નહોતી. પ્રયોગ માટે પસંદ કરાયેલા સંભવિત ઉમેદવારો સાથે એલને તાલીમ મેળવવાનું શરૃ કર્યું હતું અને સિક્રેટ પ્રોજેક્ટની જેમ જ અંતે સિક્રેટ છતું કરીને પોતાનો મનસૂબો જણાવ્યો હતો. ક્યારેય ન કરેલા કામ માટે અને પોતાની કુશળતાથી દૂરના ક્ષેત્રમાં આમ અચાનક હાથ નાખીને સફળતા મેળવવી એના માટે જથ્થાબંધ હિંમત જોઈએ. એ હિંમત જૂટાવવા માટે એલન વાહવાહીના હકદાર ઠરે છે. આખી જીંદગી ઓફિસમાં કે સંશોધનો માટે લેબોરેટરીમાં વીતાવ્યા બાદ અને વળી નિવૃત્તિનું કાઉન્ડ ડાઉન શરૃ થઈ ચૂક્યું હોય ત્યારે સ્પેસ સ્યૂટના પ્રયોગ માટે આવડી હિંમત કરવાનું કામ ક્યો અધિકારી કરે?
એક ભારતીય સાથીદાર સાથે એલનની લાંબી ઈનિંગ
આઈઆઈટી-કાનપુરમાં ભણેલા અમિતાભ શ્રીવાસ્તવ સાથે એલન યુસ્ટેસની લાંબી ઈનિંગ રહી છે. સમવયસ્ક અને હમહોબી એવા અમિતાભ સાથે મળીને એલને ચીપ માટે એટીઓએમ રિસર્ચ વર્ક કર્યું હતું. ૯૦ દાયકામાં શરૃ થયેલું કામ કેટલાય વર્ષો સુધી ચાલ્યા બાદ છેક ૨૦૦૫માં બંનેને સહિયારો એવોર્ડ આપીને તેમનું સન્માન કરાયું હતું. ચીપના બંધારણમાં અતિ મહત્ત્વના પરિબળો માટે કામ કરનારા આ બંને પાસે તેના પેટન્ટ નોંધાયેલા છે. એલને ગૂગલ જોઈન કર્યું પછીથી એક તબક્કે આ કામ અધૂરું રહેશે એવી દહેશત હતી. બીજી તરફ અમિતાભે પણ માઇક્રોસોફ્ટ સહિતની મોટી કંપનીઓમાં ઘણો વખત મહત્ત્વના હોદ મેળવ્યા હતા. એલન અને અમિતાભ ભરચક કામમાં એવા ડૂબી ગયા હતા કે કામ જેમનું તેમ અટકી પડયું હતું. અંતે બંનેએ વ્યસ્તતા વચ્ચે પણ સંપર્ક સેતુ જોડી રાખીને ધારેલું કામ કરવામાં સરળતા મેળવી હતી. બંનેના સંશોધન પર પછીથી એલન યુસ્ટેસે એક પુસ્તક પણ લખ્યું છે.
ગૂગલમાં અલગ અલગ વિભાગમાં મહત્ત્વની જવાબદારીઓ ઉપાડવાની સાથે આ સિક્રેટ મિશનનો ભાર તેમના મજબૂત ખભા ઉપર આવ્યો ત્યારે છેક સુધી તેમણે છલાંગ લગાવવાની હિંમત પોતે કરશે એવી જાહેરાત નહોતી કરી. સ્પેસ સ્યુટ સહિતના સંશોધનો અને તૈયારી થતી હતી એ સમયગાળામાં જ મનોમન નક્કી કરીને એલને તૈયારી આરંભી દીધી હતી. જે બે કંપની સહભાગી હતી એનેય આ વાતની જાણ નહોતી. પ્રયોગ માટે પસંદ કરાયેલા સંભવિત ઉમેદવારો સાથે એલને તાલીમ મેળવવાનું શરૃ કર્યું હતું અને સિક્રેટ પ્રોજેક્ટની જેમ જ અંતે સિક્રેટ છતું કરીને પોતાનો મનસૂબો જણાવ્યો હતો. ક્યારેય ન કરેલા કામ માટે અને પોતાની કુશળતાથી દૂરના ક્ષેત્રમાં આમ અચાનક હાથ નાખીને સફળતા મેળવવી એના માટે જથ્થાબંધ હિંમત જોઈએ. એ હિંમત જૂટાવવા માટે એલન વાહવાહીના હકદાર ઠરે છે. આખી જીંદગી ઓફિસમાં કે સંશોધનો માટે લેબોરેટરીમાં વીતાવ્યા બાદ અને વળી નિવૃત્તિનું કાઉન્ડ ડાઉન શરૃ થઈ ચૂક્યું હોય ત્યારે સ્પેસ સ્યૂટના પ્રયોગ માટે આવડી હિંમત કરવાનું કામ ક્યો અધિકારી કરે?
એક ભારતીય સાથીદાર સાથે એલનની લાંબી ઈનિંગ
આઈઆઈટી-કાનપુરમાં ભણેલા અમિતાભ શ્રીવાસ્તવ સાથે એલન યુસ્ટેસની લાંબી ઈનિંગ રહી છે. સમવયસ્ક અને હમહોબી એવા અમિતાભ સાથે મળીને એલને ચીપ માટે એટીઓએમ રિસર્ચ વર્ક કર્યું હતું. ૯૦ દાયકામાં શરૃ થયેલું કામ કેટલાય વર્ષો સુધી ચાલ્યા બાદ છેક ૨૦૦૫માં બંનેને સહિયારો એવોર્ડ આપીને તેમનું સન્માન કરાયું હતું. ચીપના બંધારણમાં અતિ મહત્ત્વના પરિબળો માટે કામ કરનારા આ બંને પાસે તેના પેટન્ટ નોંધાયેલા છે. એલને ગૂગલ જોઈન કર્યું પછીથી એક તબક્કે આ કામ અધૂરું રહેશે એવી દહેશત હતી. બીજી તરફ અમિતાભે પણ માઇક્રોસોફ્ટ સહિતની મોટી કંપનીઓમાં ઘણો વખત મહત્ત્વના હોદ મેળવ્યા હતા. એલન અને અમિતાભ ભરચક કામમાં એવા ડૂબી ગયા હતા કે કામ જેમનું તેમ અટકી પડયું હતું. અંતે બંનેએ વ્યસ્તતા વચ્ચે પણ સંપર્ક સેતુ જોડી રાખીને ધારેલું કામ કરવામાં સરળતા મેળવી હતી. બંનેના સંશોધન પર પછીથી એલન યુસ્ટેસે એક પુસ્તક પણ લખ્યું છે.
મીણબત્તી : રોશન હૈ તેરે દમ સે દુનિયા!
નૂતન વર્ષ-દીપાવલીના તહેવારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દીવડાઓનું સ્થાન મીણબત્તીએ લઈ લીધું છે. મીણબત્તીનો વ્યાપ દિવાળી પૂરતો જ સીમિત નથી રહેતો, બર્થ ડે સેલિબ્રેશનથી લઈને મૌન આંદોલન સુધી મીણબત્તી સંગીન રોશની ફેલાવતી રહે છે. સદીઓ પહેલા રોશની આપવાનું કામ કરતી મીણબત્તી હવે પ્રસંગોને રોશન કરવાની જિમ્મેદારી નિભાવે છે.
૧૭મી સદીની એ અંધકારમય રાતોમાં ઉજાસ કરવાના હેતુથી આયર્લેન્ડ રાજ્યના કેપિટલ ડબલીનમાં એક નવો કાયદો અમલી બનાવાયો હતો. પાટનગર ડબલીન રાતે પણ રોશન રહેવું જોઈએ એવા ઈરાદા સાથે ૧૬૧૬માં એક કાયદો ઘડાયો કે દર પાંચ ઘરના અંતરે એક મીણબત્તી બહાર સળગતી હોવી જોઈએ. મીણબત્તી સળગે છે કે કેમ એનું ધ્યાન નિયત થયેલા પાંચ મકાનાએ રાખવાનું થતું. નિયમભંગ થયો તો પાંચેય માલિકો દંડાશે એવા ડરથી ડબલીન આખું એ સમયે રાતે ય રોશન રહેતું હતું. રાતે શહેરની ગલીઓમાંથી પસાર થયેલા કોઈ વટેમાર્ગુને પૂરતો અજવાસ ન મળે અને એ કચેરીમાં ફરિયાદ કરે તો જે તે વિસ્તારના પાંચેય ઘરોને સજા કરવામાં આવતી. સજામાં શું હોય? અજવાળું નહોતું કર્યું એટલે સજારૃપે કચેરીને મીણબત્તી જમા કરાવવી પડતી!
ડબલીન એ સમયે યુરોપ આખામાં રોશનીના શહેર તરીકે જાણીતું બન્યું હતું. રોશનીના શહેર તરીકે વિખ્યાત થવા પાછળ સ્ટ્રીટ લાઇટના આ કીમિયા ઉપરાંતનું પણ એક પરિબળ હતું. કેન્ડલ્સ બનાવવાનો ઉદ્યોગ ડબલીનમાં પૂરબહારમાં ખિલ્યો હતો. સમગ્ર યુરોપમાં ડબલીનની મીણબત્તીઓનો પ્રકાશ ઝળહળતો હતો. પ્રારંભે શરૃ થયેલી એક કંપની તો આજે ય અડીખમ રહીને મીણબત્તીઓનું ઉત્પાદન કરી રહી છે.
મીણબત્તીઓની બાબતમાં ભલે ડબલીને આ ઐતિહાસિક પહેલ કરી હોય, પણ ખરેખર તો કેન્ડલ્સનું ઔધોગિક સ્વરૃપ તો છેક ૧૩મી સદીમાં જ યુરોપમાં આકાર પામી ચૂક્યું હતું. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડના કેટલાક કેન્ડલ્સ મેકર ખૂબ નાના પાયે ઉદ્યોગ ચલાવતા હતા. પરંપરાગત રીતે મીણબત્તી બનાવ્યા પછી ઘરે ઘરે જઈને તેનું વેંચાણ કરતા હતા. પ્રાણીઓની ચરબી અને તેલના મિક્ષણથી બનેલી કેન્ડલ્સ કિચનની જરૃરીયાતોને ધ્યાનમાં રાખીને બનાવાતી હતી. ગણ્યા ગાંઠયા કેન્ડલ્સ મેકર મધપૂડાનો ઉપયોગ કરીને ચર્ચ માટે ખર્ચાળ કેન્ડલ્સ બનાવી દેતા હતા.
૧૫મી સદીમાં કેન્ડલનું સૌપ્રથમ બીબું પેરિસમાં આકાર પામ્યું હતું. એની સફળતાથી પ્રેરાઈને પછીથી તૈયાર બીબાંની મદદથી મીણબત્તી બનાવવાનો બિઝનેસ પૂરજોશમાં ચાલ્યો હતો. એ પહેલા કોઈ માપથી મીણબત્તી બનતી નહોતી. ઘરેલું તરાહથી બનેલી અત્યાર સુધીની મીણબત્તીઓ બીબાં જેટલી આકર્ષક તો ક્યાંથી હોય! બીબાના પ્રયોજને મીણબત્તીને લોકપ્રિય બનાવવામાં પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી.
જેના પરથી આપણે મીણબત્તી અર્થ તારવ્યો છે એ મીણનો ઉપયોગ તો મીણબત્તી બનાવવામાં બહુ પછીથી થવા લાગ્યો હતો. ૧૭મી ૧૮મી સદીમાં ધાર્મિક કાર્યક્રમો વખતે મીણમાંથી બનેલી મીણબત્તી સળગાવવાનો જ આગ્રહ રખાતો હતો. આપણે ત્યાં જેમ કેરોસીનનો દીવો ધાર્મિક સ્થળોમાં નહોતો થતો એ જ રીતે પ્રાણીની ચરબી કે તેના શરીરમાંથી નીકળતા ઓઇલમાંથી બનેલી મીણબત્તી યુરોપની ધાર્મિક માન્યતા પ્રમાણે પેટાવી શકાતી ન હતી. એ સમયે મીણનું ઉત્પાદન આજની તુલનાએ ઘણું ઓછું હતું એટલે મીણબત્તી પ્રમાણમાં મોંઘી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં કે પછી ધનવાન લોકોને જ એ મીણબત્તી રોજિંદા વપરાશમાં પરવડે તેમ હતી. સામાન્ય મધ્યમ વર્ગીય ઘરોમાં તો એ સમયે યુરોપમાં મોટા પાયે બનવા લાગેલી સસ્તી મીણબત્તીઓ જ ચાલતી. માલદાર લોકો તેનાથી સુગ રાખતા એની પાછળનું કારણ એવું હતું કે એમાંથી દુર્ગંધ આવતી હતી. ઘણી મીણબત્તીઓમાં એ દુર્ગંધ એટલી હદે તીવ્ર હતી કે ઘરમાં જ નહીં, પણ શેરીમાં પણ એની તીવ્રતા વ્યાપી જતી. ત્યારના કારખાનેદારો માટે મીણબત્તીના ઉત્પાદન આડે આ સૌથી મોટી સમસ્યા હતી. મીણબત્તી ઉદ્યોગમાં ઝંપલાવનારા નવા કારખાનેદારો પોતાની મીણબત્તી ખપાવવા માટે ઓછી 'દુર્ગંધ ધરાવતી' મીણબત્તી તરીકે નવી મીણબત્તીનો પ્રચાર કરતા હતા.
ડબલીનમાં સ્ટ્રીટ લાઇટ તરીકે મીણબત્તીનો ઉપયોગ થયો હતો એની તો સદીઓ વીતી ચૂકી હતી. ધીરે ધીરે બ્રિટનના ઘણા શહેરો મીણબત્તીની રોશનીથી ઝળાહળાં થવા લાગ્યા હતા, પણ પછી ઉચ્ચ સરકારી અફસરો અને જમીનદારોના વ્યાપક વિરોધના પગલે બ્રિટનના ઘણાં શહેરોમાં દુર્ગંધ ફેલાવતી મીણબત્તી જાહેરમાં પેટાવવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો.
૧૯મી સદીનો પૂર્વાર્ધ કેન્ડલ્સના વિકાસમાં નવો ચીલો ચાતરનારો બની રહ્યો. ૧૮૨૦માં મીણબત્તીમાંથી નીકળતી બદબૂનો ઉપાય શોધાયો હતો. ફ્રાન્સ રસાયણશાસ્ત્રી મિશેલે પ્રાણીની ચરબી-ઓઈલમાંથી નીકળતા એસિડ વગેરે પદાર્થોને મીણબત્તી બનાવતી વખતે કઈ રીતે અલગ તારવી શકાય તેનો ઉપાય શોધી કાઢ્યો હતો. જેનાથી મીણબત્તી બનાવતા પહેલા અમુક રાસાયણિક પ્રક્રિયા કરીને દૂર્ગંધ ફેલાવતા એસિડને અલગ કરી શકાતો હતો. આ ઘટના સદીઓ જૂની મીણબત્તીના નવા લિબાસ માટે કારણભૂત બની હતી. બદબૂ દૂર કરવાની સાથે સાથે તેમાં અમુક દ્રાવણ ભેળવાય તો સુગંધ પ્રસરે છે એવી ય તરકીબો શોધાતી હતી. ખાદ્યપદાર્થ જેવી સુગંધ કે ગમતા ફૂલોની ફોરમ મીણબત્તીની રોશની સાથે ફેલાય તો બિઝનેસ વધુ વિકસી શકે એવી ગણતરી માંડીને થોડા એ તરફ સંશોધનો થયાં. એ જ અરસામાં કાળા રંગની મીણબત્તીઓમાં રંગપૂરણી પણ થઈ. મનગમતી મહેક સાથે મનભાવન રંગની મીણબત્તીઓ જગતભરના માર્કેટમાં મળવા લાગી હતી.
૧૯મી સદીનો પૂર્વાર્ધ મીણબત્તીના વિકાસમાં છલાંગ લગાવનારો રહ્યો અને ઉત્તરાર્ધ લાઇટિંગ ટેકનિક માટે સીમાચિન્હ બની રહ્યો. ૧૮૭૯માં લાઇટ બલ્બની શોધ થઈ એ પછી એક તબક્કે એવું મનાતું હતું કે હવે કેન્ડલ ઉદ્યોગમાં અંધારું થઈ જશે. જોકે, એ માત્ર ધારણા જ પૂરવાર થઈ. ૨૦મી સદીમાં ઉદ્યોગ ઘટવાને બદલે સતત વધતો ચાલ્યો. તેના ઉપયોગનું સ્વરૃપ ભલે બદલાતું ગયું, પણ તેની લોકપ્રિયતા અકબંધ રહેવા પામી છે.
મીણબત્તીના વ્યાપનો અંદાજ એ વાત પરથી આવી શકે કે યુરોપ તેમજ અમેરિકામાં દર ૧૦માંથી ૭ ઘરોમાં કેન્ડલનો ઉપયોગ થાય છે. એશિયન-આફ્રિકન દેશોમાં ખૂબ ઝડપથી આ એવરેજ સુધરીને ૧૦માંથી પાંચ ખોરડા થઈ છે.
અંધારા ઓરડામાં ઉજાસ વેરવાથી લઈને કોઈક આલિશાન હોટલના અંધારા કોનામાં કેન્ડલ લાઇટ ડિનર સુધી મીણબત્તીનો માન મરતબો જળવાયો છે. ક્યાંક તે શણગાર સ્વરૃપે હાજરી નોંધાવે છે, તો ક્યાંક શ્રદ્ધારૃપે ઝળહળી ઊઠે છે. કેન્ડલ્સ આજે પ્રકાશનો એક માત્ર સોર્સ નથી, પણ પ્રસંગોએ ઘર સજાવટથી ધાર્મિક કાર્યક્રમો સુધી બધે જ તેની અનિવાર્યતા તો બની સિદ્ધ થઈ જ છે. એકદમ નાનકડી સાઇઝમાં પણ ઉપલબ્ધ બનતી કેન્ડલ્સનો વપરાશ સૌથી વધુ બર્થ ડે સેલિબ્રેશન વખતે થાય છે. પ્રકાશ માટે થતો હતો કદાચ એનાથી વધુ વપરાશ અને વ્યાપ ૨૧મી સદીમાં થયો છે. હવે તેની પાસેથી રોશનીની અપેક્ષા નથી હોતી, પણ જીવનના યાદગાર પ્રસંગોને રોશન કરવાની જવાબદારી તો તે આજેય સુપેરે નિભાવી જાણે છે.
મીણબત્તીથી રોશન દુનિયા
* આયર્લેન્ડના કેપિટલ ડબલીનમાં સૌથી જૂની મેન્યુફેક્ચરિંગ કંપની રાથબોર્ન કેન્ડલ્સ હજુ ય ૧૪૮૮ના વર્ષથી આજે ૫૨૬ વર્ષથી પણ ઉત્પાદન કરી રહી છે. પાંચ પાંચ સદી જૂની કંપની કાર્યરત રહી હોય એવા આંગળીના વેઢે ગણી શકાય એટલા ઉદાહરણો માંડ મળે છે. આ કંપની હવે ડબલીનની વૈશ્વિક ઓળખ બની ગઈ છે એટલે તેને નિભાવવા માટે સરકાર પણ પ્રયાસો કરે છે.
* ૧૯મી સદીમાં ભારતમાં બનતી કેન્ડલ્સમાં તજની ફ્લેવર માણી શકાતી હતી. તજના ઉપયોગથી બનતી મીણબત્તી અંગ્રેજી અફસરો બહુ જ પસંદ કરતા હતા.
* રોમનો પ્રાણીઓની ચરબી, તેલ અને શણની વાટ વગેરેની શેળભેળથી બનેલી મીણબત્તીનો ઉપયોગ કરતા હોવાનું પ્રાચીન રોમન લખાણોમાંથી જણાયું છે. ખાસ તો રોમન રાજાઓ મીણબત્તીઓના શોખીન હતા અને પોતાને ગમતી મીણવાટ બનાવવા કુશળ કારીગરોને તગડું વેતન પણ આપતા હતા.
* જેનો અર્થ આપણે મીણબત્તી કરીએ છીએ એ અંગ્રેજી વર્ડ કેન્ડલ મૂળ તો લેટિન શબ્દ કેન્ડિલા ઉપરથી ઉતરી આવ્યો છે. તેનો એક મતલબ થાય છે- ચળકાટ. બીજો અર્થ થાય છે અંધકારને દૂર કરનારી સફેદ રોશની.
* મીણબત્તી બનાવવા માટે પ્રાણીના શરીરની ચરબી-ઓઈલથી લઈને ફળોનો રસ, મધપૂડામાંથી મળતું મીણ વગેરેનો ઉપયોગ થતો હતો, પણ પછી પરિવર્તનની સાથે સાથે વ્હેલ માછલીના માથામાંથી નીકળતા સફેદ પદાર્થથી લઈને પેટ્રોલિયમમાંથી મળતા પેરાફિન વેક્સનો પણ મોટાપ્રમાણમાં વપરાશ થવા લાગ્યો છે. આજે તો મીણબત્તી બનાવવા માટે એક કરતા અનેક પદાર્થ હાજર હોય છે.
* ૧૭મી સદીમાં ઈંગ્લેન્ડે એક વટહુકમ બહાર પાડીને હોમમેઇડ મીણબત્તી બનાવવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. આજે મીણબત્તી બનાવવાનો ગૃહ ઉદ્યોગ સરળ છે, પણ એ વખતે ઈંગ્લેન્ડમાં મીણબત્તીના ગૃહ ઉદ્યોગ માટે પરવાનો લેવો ફરજિયાત હતો. સાથે સાથે માતબર ટેક્સ પણ ચૂકવવો પડતો હતો. કારણ કે, કારખાનેદારોએ આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું એટલે ઈંગ્લેન્ડને એમાં બિઝનેસ દેખાયો હતો.
* ભારત અને ચીનમાં બનેલી સસ્તી મીણબત્તીઓનું યુરોપિયન દેશોમાં અને અમેરિકામાં મોટું બજાર વિકસ્યું છે. અમેરિકામાં વેક્સની કિંમત ખૂબ ઊંચી હોય છે, જ્યારે ભારત ચીનમાં ૫૦ કિલોના વેક્સના ભાવ ૧૫૦૦થી ૨૦૦૦ સુધી રહેતા હોય છે. જેના કારણે એશિયન દેશો જેટલી સસ્તી મીણબત્તી બનાવવી યુરોપ-અમેરિકામાં ખૂબ અઘરું પડે છે
એક હતી રંગોળી : રંગોળીનો ફિકો પડતો જતો રંગ!
દીપાવલી-નૂતન વર્ષ એટલે મીઠાઈઓ-ફટાકડાં-દીવડાની સાથે સાથે રંગોળીનો પણ તહેવાર. ભારતીય તહેવારોમાં રંગોળીનું મૂલ્ય અનેરું અંકાતુ હતું, પણ સદીઓ જૂની આ ભારતીય પરંપરાની રંગત રંગવિહિન થવાના આરે પહોંચી છે, જેના માટે થોડાં વર્ષો પછી કહેવાશે- એક હતી રંગોળી!
નવી વહુના ગુણ જોવા હોય તો તેની રંગોળીની એક ઝલક મેળવવી પડે એવું ધારીને ગામડાં ગામમાં મહિલા વર્ગ ખાસ નવી પરણેલી વહુ જે ઘરમાં આવી હોય એ ઘરમાં 'નવા વર્ષના રામ રામ' કરવા આવે અને ગોળ ગોળ વાતો કરીને પૂછી જ લે કે આ રંગોળી નવી વહુએ બનાવી છે? રંગોળી જો સારી બની હોય તો મુલાકાતી એવું વિચારે કે નવોઢા છે તો ગુણિયલ! પણ જો રંગોળીમાં ભલીવાર ન હોય તો થોડા દિવસ 'એ સાંભળ્યું, પેલી તો કંઈ જ શીખીને નથી આવી' પ્રકારની ખોદણી પણ થાય. રંગોળી સારી બની હોય તો વડસાસુ-સાસુ-કાકી સાસુ વગેરે બહુ પોરસથી આગંતુકને બતાવે કે 'જૂઓ આ રંગોળી અમારી નવી વહુએ બનાવી છે હોં' અને એ પ્રશંસા સાંભળીને રસોડામાં એકલી એકલી કામ કરતી વહુ કામનો બોજ ભૂલીને મલકાઈ ઉઠે. એના કામનો ઉત્સાહ બમણો થઈ જાય! રંગોળી નવી વહુની ક્રિએટિવિટીનો ક્રાઇટેરિયા બની જતો. આમ પણ રંગોળી દ્વારા મહિલાઓની આવડતની પરીક્ષા અને જો એમાં સફળ થાય તો પ્રશંસા બંને થતી.
દિવાળીના તહેવારોમાં બહારથી બધુ લાવવાની જિમ્મેદારી પુરુષની રહેતી અને ઘરની સફાઈથી લઈને રંગોળી સુધીની જવાબદારી મહિલાઓ હોંશે હોંશે ઉપાડી લેતી. ફળિયામાં ગાયનું છાણ અને રાતી માટીનું ખૂબ કાળજીપૂર્વક લિંપણ કરીને તેના પર રંગોળી બનાવાતી હતી. આપણા લોકસંગીતની જેમ રંગોળી પણ એક પેઢીથી બીજી પેઢીને સહજ રીતે વારસામાં મળી જતી. જેના કારણે એ આખી પરંપરા સદીઓ સુધી જીવંત રહી શકી. દિવસો અગાઉનું આયોજન, કેવી રંગોળી બનાવવી એના વિચારો અને એ માટે રંગોની પસંદગી સહિતની બાબતોમાં ખૂબ જ ચિવટથી કામ લેવામાં આવતું. કોઈક કોઈ પ્રદેશમાં તો રંગોળીથી ઘરની સ્ત્રીઓ વીતેલા વર્ષનું સરવૈયુ આપતી, જેના આધારે મહેમાનો યજમાનની આર્થિક-માનસિક સ્થિતિનો કયાસ કાઢી લેતા.
સપરમાં દિવસે ઘરે આવનારા મહેમાનો રંગોળી જોઈને ખુશ થઈ જાય એવો ભાવ એ રંગોળીની મહેનત પાછળ રહેતો, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રંગોળી આજના વોટ્સએપ-ફેસબૂકના વાઇરલ જમાનામાં લુપ્ત થતી જતી કળા બની રહી છે. બહુ બહુ તો તૈયાર ડિઝાઈનના પતાકડાં બજારમાંથી ખરીદી લઈને એમાં રંગ પૂરીને રંગોળી બનાવ્યાનો સંતોષ મેળવી લેવાય છે. કોઈ વળી થોડો વધુ ઉત્સાહ દાખવીને રંગોળીની આખી ચોપડી જ ખરીદી લાવે છે. રંગોળીને લાગેલું ગ્રહણ એટલે ઓછી મહેનતે ફટાફટ રંગોળી બનાવી નાખવાનું આ વલણ. બજારમાં મળતા તૈયાર બીબાંમાં બિંદુ જોડીને રંગોળી બનાવી નાખવાની અને એ બૂકમાં લખેલા કલર્સ જ પૂરી દેવાનો જે હાથવગો શોર્ટકટ છે એના કારણે ભારતની પરંપરાગત રંગોળી તરાહમાં તો મોટો તફાવત આવ્યો જ છે એ તો જાણે ઠીક, પરંતુ રંગોળી બનાવવાની કલાકોની મહેનત પછી એ જોઈને તહેવારમાં કશુંક કર્યાનો જે આનંદ આવતો એમાં તો જરૃર ઓટ આવી છે. જોકે, આ ઓટ પહેલા ભરતીનો સાગર પણ ઘૂઘવતો હતો.
* * *
દીપાવલી-બેસતા વર્ષની તહેવાર શ્રૃંખલાની ધાર્મિક માન્યતા રામના વનવાસ પછી અયોધ્યા આગમન સાથે જોડાયેલી છે અને રંગોળીનો ઈતિહાસ પણ એમાંથી બાકાત નથી. રામના આગમનથી હર્ષિત થયેલાં અયોધ્યાવાસીઓએ આતશબાજી કરીને આખા અયોધ્યાને શણગાર્યું હતું. ઘરના ચોગાનમાં વિભિન્ન રંગો બિછાવીને રંગોળી બનાવી હતી ત્યારથી દર વર્ષે રંગોળી બનાવવાની પ્રથા થઈ હોવાનું વ્યાપક પણે મનાય છે. રામાયણ-મહાભારત જેવા ભારતીય પૌરાણિક મહાકાવ્યોમાં રંગોળીના વર્ણનો મળે છે.
રંગોળી સાથે બ્રહ્માજીની કથા ય જાણીતી છે. ભારતના જૂનાં ચિત્રોને ટાંકીએ એક ઈતિહાસ એવો વર્ણવાયો છે કે પ્રાચીન કાળમાં એક રાજા અને તેના પ્રજાજનો રાજકુમારના અકાળ મૃત્યુુથી બહુ જ વ્યથિત હતા. બધાએ મળીને બ્રહ્માજીને આહ્વાહન કર્યું એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા. રાજાએ બ્રહ્માજી પાસે રાજકુમારના જીવનનું વરદાન માંગ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું કે રાજકુમારની પ્રતિકૃતિ સમાન ચિત્ર દોરી આપશો તો હું એમાં પ્રાણ પૂરી દઈશ. આજ્ઞાાનુસાર રાજદરબારના આંગણે જ રાજકુમારની પ્રતિકૃતિ દોરવામાં આવી, વચન પ્રમાણે બ્રહ્માજીએ પ્રાણ પૂર્યા એટલે રાજકુમાર સજીવન થયો. એ ઘટના હંમેશા માટે યાદ રાખવા માટે પછીથી એ રાજ્યમાં રંગોળી પૂરાવાની શરૃઆત થઈ અને એ રીતે રંગોળીનો ફેલાવો થયો.
* * *
ભારતમાં રંગોળીનો ફેલાવો એટલો બધો વ્યાપક છે કે નામ-રીત ભિન્ન હોવા છતાં તત્વતઃ રંગોળી બધે જ અલગ અલગ તહેવારોની શાન બની રહી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રંગોળી નામ લોકજીભે ચડયું છે, પણ અન્ય રાજ્યોમાં રંગોળીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. બંગાળની રંગોળીઓમાં ચોખાનો ભરપૂર ઉપયોગ થાય છે, વળી દરિયાકાંઠેથી મળતા નાના નાના શંખ વગેરેનો ઉપયોગ થાય છે. આ રંગોળીને અલ્પના કહેવામાં આવે છે. કેરળમાં ફૂલોથી રંગોળી બને છે જેને પૂક્કલમ કહેવાય છે. રાજસ્થાનમાં માંડના તો ઉત્તરપ્રદેશમાં ચૌકા પૂરના કહેવાય છે. વળી, આધ્રપ્રદેશમાં મુગ્ગુલ, હિમાચલ પ્રદેશમાં અદૂપના, તમિલનાડુમાં કોમલ અને બિહારમાં એપન જેવા લોકબોલીના નામોથી આપણી આ રંગોળી ઓળખાય છે.
હવે તો બજારમાં કેટલા બધા પ્રકારના રંગ મળે છે, પણ જ્યારે આવી અનુકૂળતા નહોતી ત્યારે રંગોળી બનાવા ઘરેલું રંગનું સર્જન કરાતું. ચોખાનો લોટ અને ઘઊંના દાણાને અધકચરા કરીને તેનો રંગોળીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. એ પાછળનો રંગોળી બનાવવા ઉપરાંતનો હેતુ એવો હતો કે કીડીઓ-કબૂતર જેવા પક્ષીઓ સહિતના સજીવો એમાંથી તેનો ખોરાક મેળવે એટલે રંગોળીની રંગોળી થાય, સાથે સાથે આવા સજીવોનું પેટ ભરાય એટલે એ બહાને તહેવારમાં થોડું પૂણ્ય પણ મળે!
ભારતભરની રંગોળીમાં બીજી એક બાબતની સમાનતા શ્વેત રંગમાં જોવા મળે છે. અન્ય રંગોની તુલનાએ આપણી રંગોળીઓમાં શ્વેત રંગ છૂટથી વપરાય છે. દક્ષિણ ભારતમાં ફૂલોની રંગોળી બને છે એમાં ય સફેદ ફૂલોનો ઉપયોગ થાય છે. કારણ કે તહેવાર પ્રિય અને શાંતિ પ્રિય આપણે ભારતીયો શ્વેત રંગને શાંતિ-શુદ્ધતાનો રંગ ગણીએ છીએ એટલે તહેવારોમાં વધુ સમૃદ્ધિ ભળે એવો આશય પણ ખરો જ!
જીવનમાં રંગોળીનું સિમ્બોલિક મહત્વ છે. આટલા દિવસના તહેવાર દરમિયાન સતત નવી નવી રંગોળી બનાવવા પાછળ જીવનમાં સતત નવું સ્વીકારવાનો હિડન મેસેજ રહેલો છે. તહેવારોમાં આંખને ગમે એવી ડિઝાઇન અને કલર્સથી પોઝીટિવ વેવ્સ ફેલાય છે એટલે ઉમંગ બેવડાઈ જાય છે.
રંગોળી પરથી તેને દોરનારાના વ્યક્તિની ય ઝાંખી મેળવી શકાય. કેવા કલર્સ વપરાયા છે અને રંગોળીમાં દોરાયેલી આડી-અવળી રેખાઓના આધારે વ્યક્તિત્વના હિડન હકારાત્મક અને નકારાત્મક પાસાઓ પણ ઓળખાતા. ખાસ તો યુવાનીના ઉંબરે પગ મૂકતી કન્યાએ દોરેલી રંગોળી પરથી મહેમાનો તેના ગુણોને તારવી જાણતા એવું ય મનાતું હતું. રંગોળીથી ઘરમાં રહેતા લોકોની કલા તરફની રૃચિ દેખાતી, તહેવારનો ઉમંગ તેના હૈયાના કેટલો છે એનો તાગ રંગોળી જોઈને આવતો. પણ હવે તૈયાર બિંદુઓમાં રંગ પૂરીને રંગોળી જેવી ભાત પાડવાનો જે ચીલો પડયો છે એના કારણે કેટલાક વર્ષો પછી કથાનકોમાં કહેવાતું હશે- એક હતી રંગોળી...
રેકોર્ડ બૂકમાં રંગોળી
કર્ણાટકના બેેંલગાઁવમાં જ્યોતિ ચિંડક અને તેની ટીમે વેસ્ટ વસ્તુઓ એકઠી કરીને ૨૦૧૨ના મધર્સ ડે નિમિત્તે વિશ્વભરની મહિલાઓને સંદેશ આપવા ૧૯૫૮૨ સ્કવેર ફીટમાં વિશાળ રંગોળી બનાવી હતી. માત્ર આઠ જ કલાકમાં બનેલી એ રંગોળીને લાર્જેસ્ટ વેસ્ટ મટિરિયલ રંગોળી તરીકેનું સન્માન ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડે આપ્યું હતું. જોકે, આ રંગોળીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ન હતું.
ગિનિસ બૂકમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં બનેલી રંગોળીને સ્થાન મળ્યું છે. જિલ્લા એડમિનિસ્ટ્રેશનના સહકારથી ૧૫૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૫૦ હજાર કિલોગ્રામ કલરના ઉપયોગ દ્વારા માત્ર બે કલાકમાં ૨૨, ૮૬૨ સ્કવેર મીટરની રંગોળી બનાવી હતી. બેટી બચાવો આંદોલનના ભાગરૃપે બનેલી આ રંગોળીએ કેટલાક રેકોર્ડ પોતાના નામ કર્યા હતા. અગાઉનો વિક્રમ અમદાવાદમાં નોંધાયો હતો. પ્રજાપતિ બહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના પ્રયાસોથી ૨૦૧૧માં લગભગ ૨૫૦૦ સભ્યો-સ્ટૂડન્ટ્સે મળીને ૯,૦૨૮ સ્કવેર મીટર રંગોળી બનાવી હતી, જેને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
કેવા રંગોથી રંગોળી ખરા અર્થમાં રંગીન બને છે?
* લાકડાના વ્હેરને રંગીને, વિવિધ રંગી દાળોનો ઉપયોગ કરીને, વિભિન્ન રંગી ફૂલોની પાંદડીઓ કે રંગેલા ચોખાની મદદ ઘરની સામગ્રીથી ભારતના ઘણા પ્રદેશોમાં રંગોળી બનાવાય છે.
* ધામક સ્થાનોમાં પરંપરાનું પાલન કરીને ચોખા-ઘઉંનો લોટ, કંકુ-હળદરનું ચૂર્ણ વગેરેનો ઉપયોગ શુકનવંતી રંગોળી કરવામાં થાય છે.
* કાચા ચોખાને થોડો વખત પલાળીને પછી તેની પેસ્ટ બનાવવામાં આવે છે. કાપડના વીંટાને પેસ્ટમાં પલાળીને, તેને અનામિકા (ત્રીજી આંગળી) પર વીંટીને તેનાથી ડિઝાઈન પાડવામાં આવે છે. સૂકાયા બાદ આ સફેદ ડિઝાઈન ખૂબ સુંદર લાગે છે. રંગ ઉમેરવા માટે તેમાં કંકુ અને હળદરનો ઉપયોગ કરી થાય છે.
* ખાદ્ય રંગોને ચોખાના દાણાંમાં મેળવીને ઘેર બેઠા રંગ બનાવી શકાય છે. ખાદ્ય રંગને થોડાં પાણીમાં મેળવીને તેમાં ચોખા નાખવામાં આવે છે. ચોખાને એક સરખો રંગ લાગે ત્યાં સુધી હલાવ્યા પછી રંગેલા ચોખાને છાંયડામાં એક કાગળ પર પાથરીને સૂકાવવા મૂકી દેવાય છે. સૂકાયેલા ચોખાનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાવો.
* ગુલાબની પાંદડીઓ, ગલગોટાની પાંદડીઓ, કાગળ જેવા જાંબલી ફૂલોની પાંદડીઓ, કાપેલું ઘાસ કે પાંદડા વગેરેનો ઉપયોગ કરીને મોટાં કદની પ્રકૃતિમય રંગોળી પૂરવામાં આવે છે.
દિવાળીના તહેવારોમાં બહારથી બધુ લાવવાની જિમ્મેદારી પુરુષની રહેતી અને ઘરની સફાઈથી લઈને રંગોળી સુધીની જવાબદારી મહિલાઓ હોંશે હોંશે ઉપાડી લેતી. ફળિયામાં ગાયનું છાણ અને રાતી માટીનું ખૂબ કાળજીપૂર્વક લિંપણ કરીને તેના પર રંગોળી બનાવાતી હતી. આપણા લોકસંગીતની જેમ રંગોળી પણ એક પેઢીથી બીજી પેઢીને સહજ રીતે વારસામાં મળી જતી. જેના કારણે એ આખી પરંપરા સદીઓ સુધી જીવંત રહી શકી. દિવસો અગાઉનું આયોજન, કેવી રંગોળી બનાવવી એના વિચારો અને એ માટે રંગોની પસંદગી સહિતની બાબતોમાં ખૂબ જ ચિવટથી કામ લેવામાં આવતું. કોઈક કોઈ પ્રદેશમાં તો રંગોળીથી ઘરની સ્ત્રીઓ વીતેલા વર્ષનું સરવૈયુ આપતી, જેના આધારે મહેમાનો યજમાનની આર્થિક-માનસિક સ્થિતિનો કયાસ કાઢી લેતા.
સપરમાં દિવસે ઘરે આવનારા મહેમાનો રંગોળી જોઈને ખુશ થઈ જાય એવો ભાવ એ રંગોળીની મહેનત પાછળ રહેતો, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રંગોળી આજના વોટ્સએપ-ફેસબૂકના વાઇરલ જમાનામાં લુપ્ત થતી જતી કળા બની રહી છે. બહુ બહુ તો તૈયાર ડિઝાઈનના પતાકડાં બજારમાંથી ખરીદી લઈને એમાં રંગ પૂરીને રંગોળી બનાવ્યાનો સંતોષ મેળવી લેવાય છે. કોઈ વળી થોડો વધુ ઉત્સાહ દાખવીને રંગોળીની આખી ચોપડી જ ખરીદી લાવે છે. રંગોળીને લાગેલું ગ્રહણ એટલે ઓછી મહેનતે ફટાફટ રંગોળી બનાવી નાખવાનું આ વલણ. બજારમાં મળતા તૈયાર બીબાંમાં બિંદુ જોડીને રંગોળી બનાવી નાખવાની અને એ બૂકમાં લખેલા કલર્સ જ પૂરી દેવાનો જે હાથવગો શોર્ટકટ છે એના કારણે ભારતની પરંપરાગત રંગોળી તરાહમાં તો મોટો તફાવત આવ્યો જ છે એ તો જાણે ઠીક, પરંતુ રંગોળી બનાવવાની કલાકોની મહેનત પછી એ જોઈને તહેવારમાં કશુંક કર્યાનો જે આનંદ આવતો એમાં તો જરૃર ઓટ આવી છે. જોકે, આ ઓટ પહેલા ભરતીનો સાગર પણ ઘૂઘવતો હતો.
* * *
દીપાવલી-બેસતા વર્ષની તહેવાર શ્રૃંખલાની ધાર્મિક માન્યતા રામના વનવાસ પછી અયોધ્યા આગમન સાથે જોડાયેલી છે અને રંગોળીનો ઈતિહાસ પણ એમાંથી બાકાત નથી. રામના આગમનથી હર્ષિત થયેલાં અયોધ્યાવાસીઓએ આતશબાજી કરીને આખા અયોધ્યાને શણગાર્યું હતું. ઘરના ચોગાનમાં વિભિન્ન રંગો બિછાવીને રંગોળી બનાવી હતી ત્યારથી દર વર્ષે રંગોળી બનાવવાની પ્રથા થઈ હોવાનું વ્યાપક પણે મનાય છે. રામાયણ-મહાભારત જેવા ભારતીય પૌરાણિક મહાકાવ્યોમાં રંગોળીના વર્ણનો મળે છે.
રંગોળી સાથે બ્રહ્માજીની કથા ય જાણીતી છે. ભારતના જૂનાં ચિત્રોને ટાંકીએ એક ઈતિહાસ એવો વર્ણવાયો છે કે પ્રાચીન કાળમાં એક રાજા અને તેના પ્રજાજનો રાજકુમારના અકાળ મૃત્યુુથી બહુ જ વ્યથિત હતા. બધાએ મળીને બ્રહ્માજીને આહ્વાહન કર્યું એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા. રાજાએ બ્રહ્માજી પાસે રાજકુમારના જીવનનું વરદાન માંગ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું કે રાજકુમારની પ્રતિકૃતિ સમાન ચિત્ર દોરી આપશો તો હું એમાં પ્રાણ પૂરી દઈશ. આજ્ઞાાનુસાર રાજદરબારના આંગણે જ રાજકુમારની પ્રતિકૃતિ દોરવામાં આવી, વચન પ્રમાણે બ્રહ્માજીએ પ્રાણ પૂર્યા એટલે રાજકુમાર સજીવન થયો. એ ઘટના હંમેશા માટે યાદ રાખવા માટે પછીથી એ રાજ્યમાં રંગોળી પૂરાવાની શરૃઆત થઈ અને એ રીતે રંગોળીનો ફેલાવો થયો.
* * *
ભારતમાં રંગોળીનો ફેલાવો એટલો બધો વ્યાપક છે કે નામ-રીત ભિન્ન હોવા છતાં તત્વતઃ રંગોળી બધે જ અલગ અલગ તહેવારોની શાન બની રહી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રંગોળી નામ લોકજીભે ચડયું છે, પણ અન્ય રાજ્યોમાં રંગોળીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. બંગાળની રંગોળીઓમાં ચોખાનો ભરપૂર ઉપયોગ થાય છે, વળી દરિયાકાંઠેથી મળતા નાના નાના શંખ વગેરેનો ઉપયોગ થાય છે. આ રંગોળીને અલ્પના કહેવામાં આવે છે. કેરળમાં ફૂલોથી રંગોળી બને છે જેને પૂક્કલમ કહેવાય છે. રાજસ્થાનમાં માંડના તો ઉત્તરપ્રદેશમાં ચૌકા પૂરના કહેવાય છે. વળી, આધ્રપ્રદેશમાં મુગ્ગુલ, હિમાચલ પ્રદેશમાં અદૂપના, તમિલનાડુમાં કોમલ અને બિહારમાં એપન જેવા લોકબોલીના નામોથી આપણી આ રંગોળી ઓળખાય છે.
હવે તો બજારમાં કેટલા બધા પ્રકારના રંગ મળે છે, પણ જ્યારે આવી અનુકૂળતા નહોતી ત્યારે રંગોળી બનાવા ઘરેલું રંગનું સર્જન કરાતું. ચોખાનો લોટ અને ઘઊંના દાણાને અધકચરા કરીને તેનો રંગોળીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. એ પાછળનો રંગોળી બનાવવા ઉપરાંતનો હેતુ એવો હતો કે કીડીઓ-કબૂતર જેવા પક્ષીઓ સહિતના સજીવો એમાંથી તેનો ખોરાક મેળવે એટલે રંગોળીની રંગોળી થાય, સાથે સાથે આવા સજીવોનું પેટ ભરાય એટલે એ બહાને તહેવારમાં થોડું પૂણ્ય પણ મળે!
ભારતભરની રંગોળીમાં બીજી એક બાબતની સમાનતા શ્વેત રંગમાં જોવા મળે છે. અન્ય રંગોની તુલનાએ આપણી રંગોળીઓમાં શ્વેત રંગ છૂટથી વપરાય છે. દક્ષિણ ભારતમાં ફૂલોની રંગોળી બને છે એમાં ય સફેદ ફૂલોનો ઉપયોગ થાય છે. કારણ કે તહેવાર પ્રિય અને શાંતિ પ્રિય આપણે ભારતીયો શ્વેત રંગને શાંતિ-શુદ્ધતાનો રંગ ગણીએ છીએ એટલે તહેવારોમાં વધુ સમૃદ્ધિ ભળે એવો આશય પણ ખરો જ!
જીવનમાં રંગોળીનું સિમ્બોલિક મહત્વ છે. આટલા દિવસના તહેવાર દરમિયાન સતત નવી નવી રંગોળી બનાવવા પાછળ જીવનમાં સતત નવું સ્વીકારવાનો હિડન મેસેજ રહેલો છે. તહેવારોમાં આંખને ગમે એવી ડિઝાઇન અને કલર્સથી પોઝીટિવ વેવ્સ ફેલાય છે એટલે ઉમંગ બેવડાઈ જાય છે.
રંગોળી પરથી તેને દોરનારાના વ્યક્તિની ય ઝાંખી મેળવી શકાય. કેવા કલર્સ વપરાયા છે અને રંગોળીમાં દોરાયેલી આડી-અવળી રેખાઓના આધારે વ્યક્તિત્વના હિડન હકારાત્મક અને નકારાત્મક પાસાઓ પણ ઓળખાતા. ખાસ તો યુવાનીના ઉંબરે પગ મૂકતી કન્યાએ દોરેલી રંગોળી પરથી મહેમાનો તેના ગુણોને તારવી જાણતા એવું ય મનાતું હતું. રંગોળીથી ઘરમાં રહેતા લોકોની કલા તરફની રૃચિ દેખાતી, તહેવારનો ઉમંગ તેના હૈયાના કેટલો છે એનો તાગ રંગોળી જોઈને આવતો. પણ હવે તૈયાર બિંદુઓમાં રંગ પૂરીને રંગોળી જેવી ભાત પાડવાનો જે ચીલો પડયો છે એના કારણે કેટલાક વર્ષો પછી કથાનકોમાં કહેવાતું હશે- એક હતી રંગોળી...
રેકોર્ડ બૂકમાં રંગોળી
કર્ણાટકના બેેંલગાઁવમાં જ્યોતિ ચિંડક અને તેની ટીમે વેસ્ટ વસ્તુઓ એકઠી કરીને ૨૦૧૨ના મધર્સ ડે નિમિત્તે વિશ્વભરની મહિલાઓને સંદેશ આપવા ૧૯૫૮૨ સ્કવેર ફીટમાં વિશાળ રંગોળી બનાવી હતી. માત્ર આઠ જ કલાકમાં બનેલી એ રંગોળીને લાર્જેસ્ટ વેસ્ટ મટિરિયલ રંગોળી તરીકેનું સન્માન ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડે આપ્યું હતું. જોકે, આ રંગોળીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું ન હતું.
ગિનિસ બૂકમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં બનેલી રંગોળીને સ્થાન મળ્યું છે. જિલ્લા એડમિનિસ્ટ્રેશનના સહકારથી ૧૫૦૦ વિદ્યાર્થીઓએ મળીને ૫૦ હજાર કિલોગ્રામ કલરના ઉપયોગ દ્વારા માત્ર બે કલાકમાં ૨૨, ૮૬૨ સ્કવેર મીટરની રંગોળી બનાવી હતી. બેટી બચાવો આંદોલનના ભાગરૃપે બનેલી આ રંગોળીએ કેટલાક રેકોર્ડ પોતાના નામ કર્યા હતા. અગાઉનો વિક્રમ અમદાવાદમાં નોંધાયો હતો. પ્રજાપતિ બહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના પ્રયાસોથી ૨૦૧૧માં લગભગ ૨૫૦૦ સભ્યો-સ્ટૂડન્ટ્સે મળીને ૯,૦૨૮ સ્કવેર મીટર રંગોળી બનાવી હતી, જેને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.
કેવા રંગોથી રંગોળી ખરા અર્થમાં રંગીન બને છે?
* લાકડાના વ્હેરને રંગીને, વિવિધ રંગી દાળોનો ઉપયોગ કરીને, વિભિન્ન રંગી ફૂલોની પાંદડીઓ કે રંગેલા ચોખાની મદદ ઘરની સામગ્રીથી ભારતના ઘણા પ્રદેશોમાં રંગોળી બનાવાય છે.
* ધામક સ્થાનોમાં પરંપરાનું પાલન કરીને ચોખા-ઘઉંનો લોટ, કંકુ-હળદરનું ચૂર્ણ વગેરેનો ઉપયોગ શુકનવંતી રંગોળી કરવામાં થાય છે.
* કાચા ચોખાને થોડો વખત પલાળીને પછી તેની પેસ્ટ બનાવવામાં આવે છે. કાપડના વીંટાને પેસ્ટમાં પલાળીને, તેને અનામિકા (ત્રીજી આંગળી) પર વીંટીને તેનાથી ડિઝાઈન પાડવામાં આવે છે. સૂકાયા બાદ આ સફેદ ડિઝાઈન ખૂબ સુંદર લાગે છે. રંગ ઉમેરવા માટે તેમાં કંકુ અને હળદરનો ઉપયોગ કરી થાય છે.
* ખાદ્ય રંગોને ચોખાના દાણાંમાં મેળવીને ઘેર બેઠા રંગ બનાવી શકાય છે. ખાદ્ય રંગને થોડાં પાણીમાં મેળવીને તેમાં ચોખા નાખવામાં આવે છે. ચોખાને એક સરખો રંગ લાગે ત્યાં સુધી હલાવ્યા પછી રંગેલા ચોખાને છાંયડામાં એક કાગળ પર પાથરીને સૂકાવવા મૂકી દેવાય છે. સૂકાયેલા ચોખાનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાવો.
* ગુલાબની પાંદડીઓ, ગલગોટાની પાંદડીઓ, કાગળ જેવા જાંબલી ફૂલોની પાંદડીઓ, કાપેલું ઘાસ કે પાંદડા વગેરેનો ઉપયોગ કરીને મોટાં કદની પ્રકૃતિમય રંગોળી પૂરવામાં આવે છે.
જ્યારે અમેરિકાએ એક ચોરને કોટવાળ બનાવ્યો!
દુનિયાભરના હેકર્સ માટે હીરો રહેલા કેવિન મિટનિકનું નામ સાંભળતા જ એક સમયે એફબીઆઈના ભવાં તંગ થઈ જતા હતા, એ જ માણસ હવે કમ્પ્યુટર સિસ્ટમની સુરક્ષા માટે એફબીઆઈની મદદ કરે છે!
૧૯૮૦ના દાયકામાં જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ દુનિયાભરમાં હજુ નવી નવી વિકસીને વ્યાપક બની રહી હતી ત્યારે એક ૧૫-૧૬ વર્ષના છોકરાને કમ્પ્યુટર સિસ્ટમ શીખવાને બદલે એ જાણવામાં વધુ રસ પડયો કે એમાં પડેલી માહિતી છૂપાયેલી રાખી હોય તો પણ કેમ શોધી શકાય? લોકો કમ્પ્યુટર સિસ્ટમ, સોફ્ટવેર શીખવામાં વ્યસ્ત હતા ત્યારે આ છોકરો એને કઈ રીતે તોડી શકાય એ તરકીબ શોધવામાં મસ્ત હતો. ધીરે ધીરે એકાદ વર્ષની મહેનત બાદ તેણે અંતે એ કળા હસ્તગત કરી લીધી. મિત્રોના કે સગા-વ્હાલાના કમ્પ્યુટરમાં પડેલી વિગતો પોતાને કામની હોય કે ન હોય, પણ કેવી રીતે ઉઠાવી લેવી એ જ તેના દિમાગમાં ચાલતું હોય. જેમ સિક્યુરિટી વધુ જડબેસલાક હોય એમ તેને વધારે મજા પડતી. થોડા વર્ષોમાં કમ્પ્યુટર સિસ્ટમ વધુને વધુ સિક્યોર બનતી ગઈ અને પેલો છોકરો વધુને વધુ શાતિર બનતો ગયો. કિશોર વયે કોઈકના ટેલિફોન જોડાણને અધવચ્ચેથી અવરોધીને ખાનગી વાતો સાંભળી લેવી કે પછી ટિખળ માટે એ લાઇનમાંથી અન્ય મિત્રોને ફોન કરવા જેવા જે નટખટ નુસખાઓ માત્ર ગમ્મત ખાતર કર્યા હતા એ જ આગળ જતાં કમ્પ્યુટર હેકિંગ માટે પ્રેરક બન્યા.
મોટી મોટી કંપનીઓની ખાનગી માહિતી મેળવવાની સાથે સાથે તેના સોફ્ટવેરનો ભરપૂર ઉપયોગ એ છોકરો કરવા લાગ્યો હતો. ૨૦ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે અનેક કંપનીઓને પોતાની ઝપટે ચડાવી દીધી હતી. એમાં એક કંપનીના સોફ્ટવેરની નકલ કરવાના ગુનામાં એ સપડાઈ ગયો. અમેરિકામાં નવા નવા ઘડાયેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ તેને ૧૯૮૮માં એક વર્ષની સજા થઈ. જેલની સજા પૂરી કરી એટલે તેને ૩ વર્ષની સરકારની નિગરાની હેઠળ રાખવામાં આવ્યો. હવે તે જેલમાં ન હતો, પણ તેની બધી જ બાબતો પર સરકાર સીધી નજર રાખતી હતી. એમ કરતા બીજા ત્રણ વર્ષ પણ વીતી ગયા. એ દરમિયાન એ શાંત રહ્યો, ગુનો કરવાની એકેય કોશિશ તેણે એ સમયે ન કરી.
સરકારને લાગ્યું કે હવે એ હેકિંગ છોડી દેશે ત્યાં જ તેણે પૈસિફિક બેલ નામના વોઇસ મેઇલ કમ્પ્યુટરને હેક કર્યું. ફરીથી તેના નામે ધરપકડ વોરંટ નીકળ્યું. એ પોલીસને હાથતાળી આપીને આબાદ છટકી ગયો. એફબીઆઈએ અઢી વર્ષ તેને શોધવામાં કાઢ્યાં. એ દરમિયાન તેણે ખરા અર્થમાં હેકિંગ ક્ષેત્રે હાહાકાર મચાવી દીધો. અમેરિકાની વિખ્યાત ટેલિકોમ કંપનીઓના સોફ્ટવેર ચોરવાથી લઈને ખાનગી ઈ-મેઇલ વાંચવાં સુધીના ગુનાઓ તેણે આચર્યા. થોડા વર્ષોમાં સ્થિતિ એ આવી કે તે અમેરિકાના સાઇબર ક્રાઇમમાં મોખરાનું નામ ગણાવા લાગ્યો. ટૂંક સમયમાં અમેરિકાએ તેને મોસ્ટ નોટોરિયસના લિસ્ટમાં અગ્રતાક્રમ આપ્યો! તેને મોસ્ટવોસ્ટેડ જાહેર કરાયો. એની ધરપકડની ઘટના માધ્યમોમાં પણ ખૂબ ચર્ચાસ્પદ બની હતી. સરકાર પર મીડિયાએ દબાવ વધાર્યો એટલે સરકારે એફબીઆઈ ઉપર એને કોઈ પણ ભોગે પકડવાનું પ્રેશર કર્યું. અંતે ૧૫ ફેબુ્રઆરી, ૧૯૯૫ના રોજ પોલીસે તેના કેરોલિના ખાતેના ગુપ્ત આવાસનું પગેરું દાબીને તેની ધરપકડ કરી. ૨૦ હજાર ક્રેડિટ કાર્ડના નંબરો ચોરી લેવા સહિતના ૨૨ ગુનાઓ માટે તેના પર કેસ ચલાવાયો અને છેવટે તેને પાંચ વર્ષની સજા થઈ. એ સિવાયના અન્ય હેકર્સ સાથેની સંડોવણી સહિતના થોડા કેસ તો પેન્ડિંગ હતા એટલે એક રીતે આ ૩૦ વર્ષના યુવાન હેકરની બાકીની જિંદગી જેલમાં જ નીકળે એ વાત લગભગ પાકી હતી. જેલમાંથી છૂટે એટલે તરત જ સરકારની કડક નિગરાની હેઠળ રહેવાનું હતું એ નફામાં. કોઈ ગુનેગાર માટે આટલું થાય એટલે લગભગ બાકીની જિંદગી યાતનામય હોય એ નક્કી જ હોય, પરંતુ આ હેકર થોડો અલગ હતો અને એની જિંદગીમાં અણધાર્યા વળાંકો સહજ હતા!
* * *
આ હેકર એટલે આજનો વિશ્વ વિખ્યાત કમ્પ્યુટર સુરક્ષા સલાહકાર કેવિન મિટનિક. મિટનિક વિશ્વભરના હેકર્સ માટે રોલ મોડેલ હતો. હેકિંગ કઈ રીતે કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મિટનિક હતો. એનું હેકિંગ એટલું સજ્જડ હતું કે એફબીઆઈને પણ તેની નોંધ લેવી પડી એ બાબત જ વિશ્વભરના સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા લોકો માટે મિટનિકના સન્માન ખાતર પૂરતી હતી. એટલું જ નહીં, જે દિવસે મિટનિકના હેકિંગના સમાચારો ચમક્યા એ દિવસે તેના સન્માનમાં વિશ્વભરના હેકર્સે ઘણી બધી સિસ્ટમ્સ અને સોફ્ટવેર પર ત્રાટક્યા હતા. એટલું જ નહીં, એ વખતે ૧ કરોડ ૬૦ લાખ જેટલી વેબસાઇટ્સ હતી એમાંની હજારો લોકપ્રિય વેબસાઇટ્સ પર પણ હેકર્સ ત્રાટક્યા હતા અને તેમાં ટેકનિકલ ખામી સર્જી દીધી હતી. હેકિંગના ગુના માટે પકડાયેલા કોઈ ગુનેગાર માટે જગતભરના હેકર્સમાં રોષ ભભૂક્યો હોય અને બધાએ એક સાથે આટલા પ્રમાણમાં વેબસાઇટ્સને નિશાન બનાવી હોય એવો જગતનો આ પહેલો બનાવ હતો.
પછી તો મિટનિકે એના કારાવાસ દરમિયાન નવરાશના સમયનો ઉપયોગ કરીને એક પુસ્તક લખી કાઢ્યું, જેનું નામ હતું- 'ધ આર્ટ ઓફ ડિસેપ્શન'. જોકે, એ પછી તો તેણે હેકિંગની દુનિયામાં ડોકિયુ કરતા ઘણા પુસ્તકો લખ્યા, પણ 'ઘોસ્ટ ઇન ધ વાયરઃ માય એડવેન્ચર અસ ધ વર્લ્ડસ્ મોસ્ટ વોન્ટેડ હેકર્સ' નામના પુસ્તકે મિટનિકને ઘણી ખ્યાતિ અપાવી. એ પુસ્તકમાં મિટનિકે પોતે કઈ રીતે કામ કરતો હતો વગેરેથી લઈને હેકર્સની માનસિકતા અને તેના કાર્યો વિશે વિગતે લખ્યું છે. એ પુસ્તક આજેય હેકર્સની માનસિકતા અને કાર્ય પદ્ધતિ સમજવા માટે રેફરેન્સમાં લેવાય છે. મિટનિકનું કામ અહીં પૂરું થતું ન હતું. પુસ્તક લખવા ઉપરાંત હજુયે તેણે અમેરિકા માટે ઘણું કરવાનું બાકી હતું. એક મોટો વળાંક બાકી હતો જે તેને સમગ્ર સાઇબર વિશ્વમાં અનોખી ઓળખ આપનારો બની રહેવાનો હતો.
* * *
મિટનિકનો જેલવાસ ૨૦૦૦ના વર્ષમાં પૂરો થયો અને એ સાથે વધુ એક વખત નજરકેદ જેવી સ્થિતિ આવી પડી. આ પહેલા જ્યારે ટિનેજર તરીકે પકડાયો ત્યારે જેમ ત્રણ વર્ષ સરકારની નિગરાની હેઠળ રખાયો હતો એવું જ આ વખતે થયું પણ થોડું અલગ રીતે. આ વખતે તેણે એક પણ ડિવાઇઝને હાથ સુદ્ધાં લગાવવાનો ન હતો. તેને એક માત્ર સવલત મેળવવાની છૂટ હતી-ઈ-મેઇલની. એમાંયે એણે તો ટાઇપિંગ પણ કરવાનું ન હતું. તેની ગર્લ ફ્રેન્ડ તેના વતી મેઇલ ચેક કરી આપતી. આમ છેક ૨૦૦૩ સુધી ચાલ્યું, પરંતુ એ દરમિયાન હેકિંગ અને કમ્પ્યુટર સિસ્ટમમાં મિટનિકની અનોખી કૂનેહના કારણે એફબીઆઈએ તેની સેવા લેવાનું નક્કી કર્યું. તેની કુશળતા વેડફાઈ જાય એના કરતા તેની પાસેથી રચનાત્મક કામ લેવાના ઈરાદાથી એફબીઆઈએ ખાસ આયોજન કરીને સરકારી સિસ્ટમ્સની સુરક્ષાની જવાબદારી મિટનિકના શિરે આપી. શરૃઆતમાં તેના ઉપર બરાબર ચાંપતી નજર રખાતી હતી, પરંતુ પછી સરકારનો વિશ્વાસ સંપાદન કરવામાં મિટનિકને સફળતા મળવા લાગી. ત્યાર બાદ તેને સાઇબર સિક્યુરિટી કન્સલટન્ટ બનાવાયો. અમેરિકામાં સાઈબર ક્રાઇમ અને હેકિંગની બાબતમાં જાગૃતિ લાવવા માટે ચાલતા સાઇબર સિક્યુરિટી અવેરનેસ ટ્રેનિંગના ચીફ હેકિંગ ઓફિસર તરીકે મિટનિકની નિમણૂંક કરાઈ હતી. ૫૦ વર્ષના થયેલા આ સાઇબર જગતના માસ્ટર માઇન્ડે સાઇબર સિક્યુરિટી એજન્સી ખોલી છે, સરકાર અવારનવાર તેની સેવાનો લાભ લે છે. હમણાં ફરીથી ચીની હેકર્સના ત્રાસથી છૂટકારો મેળવવો હતો એટલે એફબીઆઈને તરત જ મિટનિક યાદ આવ્યો. એફબીઆઈના ડિરેક્ટર જેમ્સ કોમીના કહેવા પ્રમાણે અમેરિકાની મોટી મોટી કંપનીઓ ચીની હેકર્સના નિશાના ઉપર છે અને સરકારી એજન્સીઓ પણ એના સંભવિત લિસ્ટમાં હોય એ સ્વાભાવિક છે. એમાંથી ઉગરવા માટે ફરીથી મિટનિકની મદદ લેવામાં આવશે.
આજના સાઇબર ક્રાઇમ અને હેકિંગ વિશે મિટનિકનું માનવું છે કે 'આગામી સમયમાં વિભિન્ન દેશોના આર્થિક પતન માટે હેકિંગ કારણભૂત હશે. આપણે જેટલી ગંભીરતાથી આંતકવાદ અને શસ્ત્રોને લઈએ છીએ એટલી કે કદાચ એનાથી વધારે ગંભીરતાથી સાઇબર ક્રાઇમ અને હેકિંગને લેવાની જરૃર છે. એવું પણ બને કે આપણી ગુપ્ત બાબતો જે આપણા પરિવારને પણ ખબર ન હોય એ વાત કોઈક અજાણ્યે ખૂણે કોઈક અજાણ્યા માણસને ખબર હોય. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માનવી સુધી દરેક માટે હેકિંગ ખતરનાક બાબત છે એ આપણે યાદ રાખવું રહ્યું.' બદલાતા સમયમાં અને ઈન્ટરનેટની વધતી જતી વિશાળતા વચ્ચે કદાચ મિટનિકે તેની કાળી બાજુઓનો બરાબર અભ્યાસ કરી લીધો છે અને આ શબ્દોમાં તેનો નિચોડ ઝળકી રહ્યો છે.
જગતના હેકિંગ ઈતિહાસમાં મોસ્ટ નોટોરિયસ ગણાતા ગુનેગારની આવડત પર ભરોસો મૂકીને મહત્ત્વની કામગીરી સોંપવાનું કામ ખતરનાક પણ બની શકે અને જો તેને આ રીતે રચનાત્મક દિશામાં વાળી શકાય તો કેવિન મિટનિક જેવા સાઇબર સુરક્ષક પણ ક્રિએટ કરી શકાય છે? ટેલેન્ટને જેલની ચાર દિવાલોમાં જ પૂરી રાખવી કે પછી તેની દિવાલો વિસ્તારી દેવી એ બાબત પર પણ ઘણો ખરો મદાર રહેતો હોય છે!
હેકિંગનો હાહાકાર
- કમ્પ્યુટર સિસ્ટમ-સોફ્ટવેર-ઈન્ટરનેટ જેટલો જ જૂનો ઈતિહાસ હેકિંગનો પણ છે. કમ્પ્યુટર સિસ્ટમ વિકસીને લોકસ્વીકૃત બની રહી હતી ત્યારે એ જ સમયગાળામાં હેકિંગના છૂટા છવાયા બનાવો બનવા લાગ્યાં હતાં.
- ૧૯૮૩માં રીલિઝ થયેલી ફિલ્મ વોરગેઇમ્સ’માં હેકિંગ જગતને આબાદ રીતે કેમેરામાં ઝીલવામાં આવ્યું હતું. એ પછી કેટલાય હેકર્સે સ્વીકાર્યું હતું કે એ ફિલ્મ તેના માટે હેકિંગ કરવા માટે પ્રેરણા બની હતી.
- ૧૯૮૮માં કોર્નેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોબર્ટ મૉરિસે એક પ્રોગ્રામ બનાવ્યો હતો જે કમ્પ્યુટર સિસ્ટમમાં ધૂસીને આખી સિસ્ટમને ઠપ્પ કરી દેવા સક્ષમ હતો. જોકે, રોબર્ટ બહુ સમય સુધી બચી ન શક્યો અને સુરક્ષા એજન્સીએ તેને પકડી પાડ્યો. ત્યાર પછી જોકે તેને દંડ કરીને છોડી દેવામાં આવ્યો હતો.
- ૧૯૯૪માં એક ૧૬ વર્ષના છોકરાએ કમ્પ્યુટર સિસ્ટમ સુરક્ષાની જવાબદારી લેતી અમેરિકન એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. રિચર્ડ પ્રાઇસ નામના એ છોકરાએ નાસાની કમ્પ્યુટર સિસ્ટમને પણ નિશાન બનાવી હતી. એ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. એક 16 વર્ષનો છોકરો નાસાની સિક્યુરિટી તોડી નાખે એ ઘટના મીડિયામાં બહુ ચર્ચાસ્પદ બની હતી.
- ૧૯૯૫માં ક્રિસ્ટોફર પાઇલ નામના એક હેકરને ૧૮ માસની સજા થઈ હતી. કેમ કે, તે વાઇરસ પ્રોગ્રામ લખનારો પ્રથમ હેકર હતો. આવા ગુના સબબ સજા મેળવાનો પાઇલ દુનિયાનો પહેલો હેકર હતો.
- ૧૯૯૯ના વર્ષમાં મેલિસા વાયરસે દુનિયાભરના અસંખ્ય કમ્પ્યુટર્સ ખરાબ કરી નાખ્યા. એફબીઆઈએ રાત દિવસની મહેનત પછી આ વાયરસ બનાવનારા પ્રોગ્રામર ડેવિડ સ્મિથને પકડી પાડ્યો હતો.
- હેકિંગની સૌથી વઘુ સજા મેળવનારો હેકર અમેરિકાનો આલબર્ટ ગોન્ઝલેસ છે. તેણે પોતાને નિર્દોષ પુરવાર કરવા માટે ૨૦ કરોડ ડોલર ખર્ચયા હતા અને પછી પણ ૨૦ વર્ષની જેલ થઈ હતી.
- દુનિયાભરના હેકર્સ મળીને અત્યાર સુધીમાં એક ટ્રિલિયન ડોલરની બૌધિક સામગ્રી ચોરી ચૂક્યાં છે.
- કમ્પ્યુટર હેકિંગનો સૌથી વઘુ શિકાર થનારો દેશ છે અમેરિકા. અમેરિકામાં ૧૩.૧ ટકા કમ્પ્યુટર હેક થયા છે એ પછીના ક્રમે ભારત આવે છે. ભારતમાં કુલ કમ્પ્યુટર પૈકીના ૭ ટકા કમ્પ્યુટર હેકિંગનો શિકાર બન્યાં છે.
- - સૌથી મોટા સૈન્ય હેકિંગને અંજામ દેનારા હેકરનું નામ ગૈરી મેકિનન છે. તેણે ૨૦૦૧-૨૦૦૨માં અમેરિકન આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે ડિફેન્સ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ્સ હેક કરી દીધી હતી. તેણે ૮ લાખ ડોલરનું નુકસાન કર્યું હતું.
- ૧૯૮૩માં રીલિઝ થયેલી ફિલ્મ વોરગેઇમ્સ’માં હેકિંગ જગતને આબાદ રીતે કેમેરામાં ઝીલવામાં આવ્યું હતું. એ પછી કેટલાય હેકર્સે સ્વીકાર્યું હતું કે એ ફિલ્મ તેના માટે હેકિંગ કરવા માટે પ્રેરણા બની હતી.
- ૧૯૮૮માં કોર્નેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોબર્ટ મૉરિસે એક પ્રોગ્રામ બનાવ્યો હતો જે કમ્પ્યુટર સિસ્ટમમાં ધૂસીને આખી સિસ્ટમને ઠપ્પ કરી દેવા સક્ષમ હતો. જોકે, રોબર્ટ બહુ સમય સુધી બચી ન શક્યો અને સુરક્ષા એજન્સીએ તેને પકડી પાડ્યો. ત્યાર પછી જોકે તેને દંડ કરીને છોડી દેવામાં આવ્યો હતો.
- ૧૯૯૪માં એક ૧૬ વર્ષના છોકરાએ કમ્પ્યુટર સિસ્ટમ સુરક્ષાની જવાબદારી લેતી અમેરિકન એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. રિચર્ડ પ્રાઇસ નામના એ છોકરાએ નાસાની કમ્પ્યુટર સિસ્ટમને પણ નિશાન બનાવી હતી. એ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. એક 16 વર્ષનો છોકરો નાસાની સિક્યુરિટી તોડી નાખે એ ઘટના મીડિયામાં બહુ ચર્ચાસ્પદ બની હતી.
- ૧૯૯૫માં ક્રિસ્ટોફર પાઇલ નામના એક હેકરને ૧૮ માસની સજા થઈ હતી. કેમ કે, તે વાઇરસ પ્રોગ્રામ લખનારો પ્રથમ હેકર હતો. આવા ગુના સબબ સજા મેળવાનો પાઇલ દુનિયાનો પહેલો હેકર હતો.
- ૧૯૯૯ના વર્ષમાં મેલિસા વાયરસે દુનિયાભરના અસંખ્ય કમ્પ્યુટર્સ ખરાબ કરી નાખ્યા. એફબીઆઈએ રાત દિવસની મહેનત પછી આ વાયરસ બનાવનારા પ્રોગ્રામર ડેવિડ સ્મિથને પકડી પાડ્યો હતો.
- હેકિંગની સૌથી વઘુ સજા મેળવનારો હેકર અમેરિકાનો આલબર્ટ ગોન્ઝલેસ છે. તેણે પોતાને નિર્દોષ પુરવાર કરવા માટે ૨૦ કરોડ ડોલર ખર્ચયા હતા અને પછી પણ ૨૦ વર્ષની જેલ થઈ હતી.
- દુનિયાભરના હેકર્સ મળીને અત્યાર સુધીમાં એક ટ્રિલિયન ડોલરની બૌધિક સામગ્રી ચોરી ચૂક્યાં છે.
- કમ્પ્યુટર હેકિંગનો સૌથી વઘુ શિકાર થનારો દેશ છે અમેરિકા. અમેરિકામાં ૧૩.૧ ટકા કમ્પ્યુટર હેક થયા છે એ પછીના ક્રમે ભારત આવે છે. ભારતમાં કુલ કમ્પ્યુટર પૈકીના ૭ ટકા કમ્પ્યુટર હેકિંગનો શિકાર બન્યાં છે.
- - સૌથી મોટા સૈન્ય હેકિંગને અંજામ દેનારા હેકરનું નામ ગૈરી મેકિનન છે. તેણે ૨૦૦૧-૨૦૦૨માં અમેરિકન આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે ડિફેન્સ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ્સ હેક કરી દીધી હતી. તેણે ૮ લાખ ડોલરનું નુકસાન કર્યું હતું.
હેન્ડશેક : હાથ સે હાથ મિલાતે ચલો...
વિભિન્ન દેશોના સર્વસત્તાધીશોની બેઠક હોય કે કેન્ટિનમાં ગપાટા હાંકતા કોલેજિયન્સ હોય - બધા એકમેકને ઉષ્માભેર આવકાર આપવા શેકહેન્ડ કરે છે. હેન્ડશેક યાને હસ્તધૂનન એક આગવી તહેઝીબ છે, હસ્તધૂનન એક કળા છે અને હસ્તધૂનન એક પ્રોટોકોલ પણ છે...
૧ જાન્યુઆરી, ૧૯૦૭ના એ દિવસે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા વર્ષની ઉજવણી પૂરજોશમાં ચાલતી હતી. વિવિધ રાજ્યોના ગવર્નરો, દેશના ગણનાપાત્ર બિઝનેસમેન, રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, કલા-સાહિત્યની વિખ્યાત વ્યક્તિઓ વગેરે વ્હાઇટ હાઉસમાં એકઠા થયા હતા. અમેરિકન પ્રમુખ નિમંત્રિત મહેમાનોને મળીને અભિવાદન ઝીલી રહ્યા હતા. એક પછી મહેમાનો સાથે હાથ મિલાવીને પ્રમુખ જ્યારે પોતાની ખુરસી ઉપર બેઠા ત્યાં સુધીમાં તેઓ ૮,૫૧૦ લોકો સાથે હસ્તધૂનન કરી ચૂક્યા હતા. આ સાથે જ તેમણે વર્ષો સુધી અતૂટ રહેનારો વિક્રમ પોતાના નામે નોંધાવી દીધો હતો. આ ઘટનાને આજે 112 વર્ષ વીતી ગયા છે અને વ્હાઇટ હાઉસમાં ૧9 પ્રમુખો બદલાઈ ચૂક્યા છે. આજેય એક દિવસમાં સૌથી વધુ લોકો સાથે હસ્તધૂનન કરવાનો રેકોર્ડ અમેરિકાના ૨૬માં પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના નામે અંકિત થયેલો છે.
અમેરિકાના ૪૪માં પ્રમુખ બરાક ઓબામા કદાચ રૂઝવેલ્ટ કરતા વધુ લોકોને મળતા હશે-મળ્યા હશે, છતાં એ વિક્રમની લગોલગ પહોંચી શક્યા નથી. કદાચ એ રેકોર્ડની લગોલગ પહોંચવાની જરૂર પણ નથી. મોટા દેશના વડાઓ માટે હસ્તધૂનન કોલેજમાં મિત્રોને મળવા જેટલી સરળ વાત નથી હોતી. એમાં એક ચોક્કસ રસમને ફોલો કરવાની હોય છે એટલે રેકોર્ડ તોડવા ખાતર પ્રમુખ કે વડાપ્રધાન દોડીને કોઈ પણ સાથે હાથ મિલાવી લે એવું ય નથી બનવાનું!
માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વના કોઈ પણ દેશના સત્તાધીશથી રૂઝવેલ્ટનો વિક્રમ તૂટયો નથી અને હવે સતત વ્યસ્તતા વચ્ચે ઘેરાયેલા રહેતા નેતાઓથી આ રેકોર્ડ તૂટશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
***
આ ઘટનાના વર્ષો પછી ન્યૂ જર્સીના મેયર જોસેફ લેસેરોવે ૧૯૭૭ના જુલાઈ માસમાં એક દિવસમાં ૧૧,૦૦૦ લોકોને હેન્ડશેક (શેક હેન્ડ) કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. જોકે, રૂઝવેલ્ટે દેશના સર્વસત્તાધીશ તરીકે આ વિક્રમ કાયમ કર્યો હતો એટલે મેયર તરીકે જોસેફે નોંધાવેલા રેકોર્ડથી તેમનો રેકોર્ડ તૂટયો ન ગણાય. એ પછી તો દુનિયામાં શેકહેન્ડને લગતા ઘણા બધા વિક્રમો બન્યા છે-તૂટયાં ય છે.
આજે ૨૧મી સદીમાં હસ્તધૂનન આપણી તહેઝીબનો એક અભિન્ન હિસ્સો છે, પરંતુ ૧૬મી સદી સુધી તેનો વ્યાપ આજના જેટલો ન હતો. ઈંગ્લેન્ડના ઉમરાવ અને રાજાના માનીતા દરબારી સર વોલ્ટર રેલેફે બ્રિટિશ કોર્ટમાં ૧૬મી સદીના ઉતરાર્ધમાં શેક હેન્ડની પ્રથા શરૂ કરી હતી. રાજાના પ્રતિનિધિ તરીકે તેમના ભાગે કેટલોક વખત ન્યાય તોળવાનું કામ આવ્યું હતું. એ દરમિયાન નવી નવી શરૂ થયેલી વકાલત અંતર્ગત કોઈકનો મુક્દમો કોઈક અન્ય વાક્પટુ માણસ રજૂ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. જેના સંદર્ભમાં કેસનો નિવેડો આવે પછી સર વોલ્ટર બંને પક્ષકારો સાથે હાથ મિલાવતા હતા. એટલે એ અરસામાં શેક હેન્ડની રસમ વધુ લોકપ્રિય બનવા લાગી હતી.
જોકે, ૧૬મી સદીથી જ હેન્ડશેકનો પ્રારંભ થયો એમ પણ કહી શકાય તેમ નથી. કારણ કે ઈજિપ્તના પ્રાચીન શિલ્પોમાં બે વ્યક્તિ એકબીજાનું અભિવાદન કરવા માટે હસ્તધૂનન કરતા હોવાના સંકેતો મળ્યા છે. કેટલાક વર્ષો પહેલા બર્લિન આસપાસના એક ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૩૦૦-૩૫૦ના સમયગાળાની મનાતી કેટલીક મૂર્તિઓ મળી આવી હતી, જેમાં અલગ અલગ દેશના સૈનિકો હસ્તધૂનન કરીને સમજૂતિ કરતા હોવાનું દ્રશ્ય જોવા મળે છે.
કહેવાય છે કે ઈ.સ. પૂર્વ ૨૮૦૦ આસપાસ આકસ્મિક રીતે જ હસ્તધૂનનની પ્રથા શરૂ થઈ હતી. અચાનક જ ફાટી નીકળતા પ્રચંડ યુદ્ધના એ દિવસોમાં કોઈક અજાણ્યા લોકોને મૈત્રીનો અહેસાસ કરાવવા માટે અને હાથમાં હથિયાર નથી એવી પરોક્ષ સાબિતીના હેતુથી હાથ આગળ લંબાવાતો હતો. સામેની અજાણી વ્યક્તિ જો મૈત્રી સ્વીકારે તો બંને હાથ આગળ કરીને આગળ લંબાયેલા હાથને આવકાર આપતી સંજ્ઞાા કરે એટલે એક બીજાનો ખતરો ટળી જતો. આગળ જતાં આ પ્રથા વધુ મજબૂત, વધુ સ્વીકૃત થઈ ગઈ. જોકે, દેશકાળ પ્રમાણે હસ્તધૂનનની રીત-રસમ થોડી બદલાઈ જાય છે.
જેમ કે, મોટા ભાગના ઈસ્લામિક દેશોમાં મહિલાઓ પુરુષો સાથે શેકહેન્ડ નથી કરતી. તો પશ્વિમના દેશોમાં શેક હેન્ડની સાથે સાથે હળવું આલિંગન આપીને અને ગાલ પર ચૂંબન કરીને સ્ત્રી-પુરુષો એકમેકનું અભિવાદન ઝીલે છે. અમેરિકામાં સ્ત્રી-પુરુષો વચ્ચે હેન્ડશેકની બાબતમાં તફાવત નથી વર્તાતો હોતો, પણ અમેરિકાના એક સમયના કટ્ટર હરિફ રશિયામાં પુરુષો-પુરુષો સાથે અને મહિલાઓ-મહિલાઓ સાથે હસ્તધૂનન કરવાનું વધુ પસંદ કરે છે. પાર્ટીઝ કે સોશ્યલ ફંકશન્સમાં ભાગ્યે જ કોઈ મહિલા પુરુષ સાથે કે પુરુષ મહિલા સાથે શેક હેન્ડ કરવાની પહેલ કરે છે અને જો આવી પહેલ કોઈ કરે તો ઘણા રૃઢિવાદી રશિયન્સ તેને અસભ્ય વર્તનની કેટેગરીમાં મૂકી દે છે.
***
પ્રમાણમાં રૂઢિચૂસ્ત ગણાતા બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલા શેક હેન્ડ માટે પોતાનો હાથ આગળ ન કરે ત્યાં સુધી પુરુષો પહેલ નથી કરતા. બ્રિટનમાં મહિલાઓ તેને ન ગમતી વ્યક્તિ સાથે જાણી જોઈને હસ્તધૂનન કરતી નથી. એનો ઈરાદો સામેવાળી વ્યક્તિને તેના તરફના અણગમાનો સ્પષ્ટ સંદેશો આપવાનો હોય છે. શેક હેન્ડની પ્રતિક્રિયા પરથી મહિલાઓ પોતાની લાગણી વહેતી કરે છે. તો ઓસ્ટ્રેલિયામાં આવો કોઈ જ ભેદભાવ નથી રખાતો. સ્ત્રી-પુરુષનો ભેદભાવ તો દૂરની વાત છે, બાળકો સાથે પણ મોટેરાઓ જેટલા જ ઉમળકાથી હસ્તધૂનન કરવામાં આવે છે. જાહેર કાર્યક્રમો વખતે એક હરોળમાં હસ્તધૂનન કરતી વખતે જો બાળક પણ તેમાં સામેલ હોય તો તેને ય વયસ્ક વ્યક્તિ જેટલું જ સન્માન આપીને શેક હેન્ડ કરવામાં આવે છે.
ચીન-જાપાન-મલેશિયામાં 'વીક શેક હેન્ડ' કરવાનો ધારો પ્રચલિત છે. એટલે કે જેને ખરેખરું શેક હેન્ડ કહેવાય એવું એકદમ ઉમળકાસભર નહીં, પરંતુ હાથના પંજાને જરાક જેટલો જ હાથમાં લઈને છોડી દેવાની રીતને વીક શેક હેન્ડ કહે છે.
ભારતમાં હસ્તધૂનન બ્રિટિશ શાસનની અસર તળે આવ્યું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. કેમ કે, રાજા-રજવાડા વખતે હસ્તધૂનન પ્રચલિત હોવાનું સંભવ નથી. વળી, એ સમયે હાથ જોડીને જ રાજા-મહારાજા કે સૂબા-જમીનદારનો મલાજો જળવાતો. વળી, રાજાને ભાગ્યે જ એનાથી મોટા રાજાનું અભિવાદન કરવાનું આવતું. એ સિવાય સરખે સરખા હોદ્દાના કે વયના લોકો મળે ત્યારે ગળે મળીને લાગણી વ્યક્ત કરતા હતા એટલે એ રીતે પણ શેક હેન્ડની જરૃર એ સમયે વર્તાતી નહીં હોય.
આજના સંદર્ભમાં વાત કરવાની હોય તો વિશ્વભરમાં શેક હેન્ડ ખૂબ જ પ્રચલિત પ્રથા થઈ ગઈ છે. ગ્લોબલ વિલેજ બની રહેલી પૃથ્વી ઉપર આ રસમ પૂરબહારમાં ખીલી છે એના પરથી એેક વાત તો સ્પષ્ટ છે કે હવે હસ્તધૂનન એક બીજાના હૃદય સુધી સેતુ બનાવવાનું કામ કરે છે. પ્રોટોકોલ હોય તો પણ અને તહેઝીબ હોય તો પણ આજે રોજ બરોજના વ્યવહાર હસ્તધૂનન વગર ક્યાં સચવાય છે!
ઐતિહાસિક શેકહેન્ડ
* બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ, સોવિયેટ યુનિયન (રશિયા)ના જનરલ સેક્રેટરી જોસેફ સ્ટાલિન અને અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેને ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે હસ્તધૂનન કરીને બીજા વિશ્વયુદ્ધની નિશ્વિત મનાતી જીતની ઉજવણી કરી હતી.
અમેરિકાના ૪૪માં પ્રમુખ બરાક ઓબામા કદાચ રૂઝવેલ્ટ કરતા વધુ લોકોને મળતા હશે-મળ્યા હશે, છતાં એ વિક્રમની લગોલગ પહોંચી શક્યા નથી. કદાચ એ રેકોર્ડની લગોલગ પહોંચવાની જરૂર પણ નથી. મોટા દેશના વડાઓ માટે હસ્તધૂનન કોલેજમાં મિત્રોને મળવા જેટલી સરળ વાત નથી હોતી. એમાં એક ચોક્કસ રસમને ફોલો કરવાની હોય છે એટલે રેકોર્ડ તોડવા ખાતર પ્રમુખ કે વડાપ્રધાન દોડીને કોઈ પણ સાથે હાથ મિલાવી લે એવું ય નથી બનવાનું!
માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વના કોઈ પણ દેશના સત્તાધીશથી રૂઝવેલ્ટનો વિક્રમ તૂટયો નથી અને હવે સતત વ્યસ્તતા વચ્ચે ઘેરાયેલા રહેતા નેતાઓથી આ રેકોર્ડ તૂટશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
***
આ ઘટનાના વર્ષો પછી ન્યૂ જર્સીના મેયર જોસેફ લેસેરોવે ૧૯૭૭ના જુલાઈ માસમાં એક દિવસમાં ૧૧,૦૦૦ લોકોને હેન્ડશેક (શેક હેન્ડ) કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. જોકે, રૂઝવેલ્ટે દેશના સર્વસત્તાધીશ તરીકે આ વિક્રમ કાયમ કર્યો હતો એટલે મેયર તરીકે જોસેફે નોંધાવેલા રેકોર્ડથી તેમનો રેકોર્ડ તૂટયો ન ગણાય. એ પછી તો દુનિયામાં શેકહેન્ડને લગતા ઘણા બધા વિક્રમો બન્યા છે-તૂટયાં ય છે.
આજે ૨૧મી સદીમાં હસ્તધૂનન આપણી તહેઝીબનો એક અભિન્ન હિસ્સો છે, પરંતુ ૧૬મી સદી સુધી તેનો વ્યાપ આજના જેટલો ન હતો. ઈંગ્લેન્ડના ઉમરાવ અને રાજાના માનીતા દરબારી સર વોલ્ટર રેલેફે બ્રિટિશ કોર્ટમાં ૧૬મી સદીના ઉતરાર્ધમાં શેક હેન્ડની પ્રથા શરૂ કરી હતી. રાજાના પ્રતિનિધિ તરીકે તેમના ભાગે કેટલોક વખત ન્યાય તોળવાનું કામ આવ્યું હતું. એ દરમિયાન નવી નવી શરૂ થયેલી વકાલત અંતર્ગત કોઈકનો મુક્દમો કોઈક અન્ય વાક્પટુ માણસ રજૂ કરે એવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. જેના સંદર્ભમાં કેસનો નિવેડો આવે પછી સર વોલ્ટર બંને પક્ષકારો સાથે હાથ મિલાવતા હતા. એટલે એ અરસામાં શેક હેન્ડની રસમ વધુ લોકપ્રિય બનવા લાગી હતી.
જોકે, ૧૬મી સદીથી જ હેન્ડશેકનો પ્રારંભ થયો એમ પણ કહી શકાય તેમ નથી. કારણ કે ઈજિપ્તના પ્રાચીન શિલ્પોમાં બે વ્યક્તિ એકબીજાનું અભિવાદન કરવા માટે હસ્તધૂનન કરતા હોવાના સંકેતો મળ્યા છે. કેટલાક વર્ષો પહેલા બર્લિન આસપાસના એક ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૩૦૦-૩૫૦ના સમયગાળાની મનાતી કેટલીક મૂર્તિઓ મળી આવી હતી, જેમાં અલગ અલગ દેશના સૈનિકો હસ્તધૂનન કરીને સમજૂતિ કરતા હોવાનું દ્રશ્ય જોવા મળે છે.
કહેવાય છે કે ઈ.સ. પૂર્વ ૨૮૦૦ આસપાસ આકસ્મિક રીતે જ હસ્તધૂનનની પ્રથા શરૂ થઈ હતી. અચાનક જ ફાટી નીકળતા પ્રચંડ યુદ્ધના એ દિવસોમાં કોઈક અજાણ્યા લોકોને મૈત્રીનો અહેસાસ કરાવવા માટે અને હાથમાં હથિયાર નથી એવી પરોક્ષ સાબિતીના હેતુથી હાથ આગળ લંબાવાતો હતો. સામેની અજાણી વ્યક્તિ જો મૈત્રી સ્વીકારે તો બંને હાથ આગળ કરીને આગળ લંબાયેલા હાથને આવકાર આપતી સંજ્ઞાા કરે એટલે એક બીજાનો ખતરો ટળી જતો. આગળ જતાં આ પ્રથા વધુ મજબૂત, વધુ સ્વીકૃત થઈ ગઈ. જોકે, દેશકાળ પ્રમાણે હસ્તધૂનનની રીત-રસમ થોડી બદલાઈ જાય છે.
જેમ કે, મોટા ભાગના ઈસ્લામિક દેશોમાં મહિલાઓ પુરુષો સાથે શેકહેન્ડ નથી કરતી. તો પશ્વિમના દેશોમાં શેક હેન્ડની સાથે સાથે હળવું આલિંગન આપીને અને ગાલ પર ચૂંબન કરીને સ્ત્રી-પુરુષો એકમેકનું અભિવાદન ઝીલે છે. અમેરિકામાં સ્ત્રી-પુરુષો વચ્ચે હેન્ડશેકની બાબતમાં તફાવત નથી વર્તાતો હોતો, પણ અમેરિકાના એક સમયના કટ્ટર હરિફ રશિયામાં પુરુષો-પુરુષો સાથે અને મહિલાઓ-મહિલાઓ સાથે હસ્તધૂનન કરવાનું વધુ પસંદ કરે છે. પાર્ટીઝ કે સોશ્યલ ફંકશન્સમાં ભાગ્યે જ કોઈ મહિલા પુરુષ સાથે કે પુરુષ મહિલા સાથે શેક હેન્ડ કરવાની પહેલ કરે છે અને જો આવી પહેલ કોઈ કરે તો ઘણા રૃઢિવાદી રશિયન્સ તેને અસભ્ય વર્તનની કેટેગરીમાં મૂકી દે છે.
***
પ્રમાણમાં રૂઢિચૂસ્ત ગણાતા બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલા શેક હેન્ડ માટે પોતાનો હાથ આગળ ન કરે ત્યાં સુધી પુરુષો પહેલ નથી કરતા. બ્રિટનમાં મહિલાઓ તેને ન ગમતી વ્યક્તિ સાથે જાણી જોઈને હસ્તધૂનન કરતી નથી. એનો ઈરાદો સામેવાળી વ્યક્તિને તેના તરફના અણગમાનો સ્પષ્ટ સંદેશો આપવાનો હોય છે. શેક હેન્ડની પ્રતિક્રિયા પરથી મહિલાઓ પોતાની લાગણી વહેતી કરે છે. તો ઓસ્ટ્રેલિયામાં આવો કોઈ જ ભેદભાવ નથી રખાતો. સ્ત્રી-પુરુષનો ભેદભાવ તો દૂરની વાત છે, બાળકો સાથે પણ મોટેરાઓ જેટલા જ ઉમળકાથી હસ્તધૂનન કરવામાં આવે છે. જાહેર કાર્યક્રમો વખતે એક હરોળમાં હસ્તધૂનન કરતી વખતે જો બાળક પણ તેમાં સામેલ હોય તો તેને ય વયસ્ક વ્યક્તિ જેટલું જ સન્માન આપીને શેક હેન્ડ કરવામાં આવે છે.
ચીન-જાપાન-મલેશિયામાં 'વીક શેક હેન્ડ' કરવાનો ધારો પ્રચલિત છે. એટલે કે જેને ખરેખરું શેક હેન્ડ કહેવાય એવું એકદમ ઉમળકાસભર નહીં, પરંતુ હાથના પંજાને જરાક જેટલો જ હાથમાં લઈને છોડી દેવાની રીતને વીક શેક હેન્ડ કહે છે.
ભારતમાં હસ્તધૂનન બ્રિટિશ શાસનની અસર તળે આવ્યું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. કેમ કે, રાજા-રજવાડા વખતે હસ્તધૂનન પ્રચલિત હોવાનું સંભવ નથી. વળી, એ સમયે હાથ જોડીને જ રાજા-મહારાજા કે સૂબા-જમીનદારનો મલાજો જળવાતો. વળી, રાજાને ભાગ્યે જ એનાથી મોટા રાજાનું અભિવાદન કરવાનું આવતું. એ સિવાય સરખે સરખા હોદ્દાના કે વયના લોકો મળે ત્યારે ગળે મળીને લાગણી વ્યક્ત કરતા હતા એટલે એ રીતે પણ શેક હેન્ડની જરૃર એ સમયે વર્તાતી નહીં હોય.
આજના સંદર્ભમાં વાત કરવાની હોય તો વિશ્વભરમાં શેક હેન્ડ ખૂબ જ પ્રચલિત પ્રથા થઈ ગઈ છે. ગ્લોબલ વિલેજ બની રહેલી પૃથ્વી ઉપર આ રસમ પૂરબહારમાં ખીલી છે એના પરથી એેક વાત તો સ્પષ્ટ છે કે હવે હસ્તધૂનન એક બીજાના હૃદય સુધી સેતુ બનાવવાનું કામ કરે છે. પ્રોટોકોલ હોય તો પણ અને તહેઝીબ હોય તો પણ આજે રોજ બરોજના વ્યવહાર હસ્તધૂનન વગર ક્યાં સચવાય છે!
ઐતિહાસિક શેકહેન્ડ
* બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ, સોવિયેટ યુનિયન (રશિયા)ના જનરલ સેક્રેટરી જોસેફ સ્ટાલિન અને અમેરિકાના પ્રમુખ હેરી ટ્રુમેને ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે હસ્તધૂનન કરીને બીજા વિશ્વયુદ્ધની નિશ્વિત મનાતી જીતની ઉજવણી કરી હતી.
* બીજા વિશ્વયુદ્ધના મંડાણ પહેલા જર્મનીના શાસક હિટલર અને બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર નેવિલ ચેમ્બર્લેઇન વચ્ચે થયેલી ઐતિહાસિક સંધી પછી હસ્તધૂનન થયું હતું. જોકે, એ સંધી લાંબી ચાલી નહોતી
* હંમેશા બાખડતા રહેલા ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંધી કરાવવાનું કામ તત્કાલિન અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને વ્હાઈટ હાઉસમાં ૧૯૯૩ની ૧૩મી સપ્ટેમ્બરે કરાવ્યું હતું ત્યાર પછી બંને નેતાઓએ શેક હેન્ડ કર્યું હતું
* ૧૬ વર્ષની વયે પ્રમુખ જ્હોન એફ કેનેડીને મળ્યા પછી કિશોર વયે બિલ ક્લિન્ટનની આંખમાં પ્રમુખ બનવાનું શમણું અંજાયું હતું.
* હંમેશા બાખડતા રહેલા ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંધી કરાવવાનું કામ તત્કાલિન અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને વ્હાઈટ હાઉસમાં ૧૯૯૩ની ૧૩મી સપ્ટેમ્બરે કરાવ્યું હતું ત્યાર પછી બંને નેતાઓએ શેક હેન્ડ કર્યું હતું
* ૧૬ વર્ષની વયે પ્રમુખ જ્હોન એફ કેનેડીને મળ્યા પછી કિશોર વયે બિલ ક્લિન્ટનની આંખમાં પ્રમુખ બનવાનું શમણું અંજાયું હતું.
દેશનું ગંભીર અને ગમાર 'ગન'તંત્ર
- ભારતમાં ૨૦ લાખ નાગરિકો ખાનગી શસ્ત્રોનું લાઈસન્સ ધરાવે છે!
સમાજમાં વટ પાડી દેવા શસ્ત્રો રાખતા લોકોની સંખ્યાનો આંકડો દેશમાં ભયજનક રીતે વધી રહ્યો છે. પોલીસ ફોર્સની સંખ્યા માંડ ૧૬ લાખ છે જ્યારે સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો એનાથી વધારે હોય એ દેશના અમન અને વ્યવસ્થાપન માટે જોખમી કહેવાય...
દેશભરમાં છેલ્લા ચાર વર્ષોમાં ૭૦૦ આરટીઆઈ માત્ર ખાનગી શસ્ત્રોના લાઇસન્સનો આંકડો મેળવવા માટે થઈ છે. એમાંથી મોટા ભાગના એક્ટિવિસ્ટને સંતોષકારક જવાબ આપવામાં રાજ્ય સરકારો અને જેની નિગરાની હેઠળ આ બધુ આવે છે એ ખૂદ ભારતનું ગૃહ મંત્રાલય ઉણું ઉતર્યું છે. દેશના એક અંગ્રેજી અખબારે એકાદ વર્ષ પહેલા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેટલા લોકો પાસે ખાનગી શસ્ત્રોના પરવાના છે એનો અહેવાલ ગૃહ મંત્રાલય પાસે માંગ્યો ત્યારે ગૃહ મંત્રાલયે હાથ ઊંચા કરીને રાજ્ય સરકારો પાસેથી આંકડો મેળવવાની ભલામણ કરી હતી. રાજ્ય સરકારો પાસે ય ચોક્કસ આંકડો ન હતો એટલે દેશની મોટાભાગની રાજ્ય સરકારોએ સોગંધનામુ કરાવીને અંદાજિત સંખ્યા જણાવી હતી. આટ-આટલી આરટીઆઈ અને વિવિધ પ્રયાસો પછી પણ સરકાર પાસેથી ચોક્કસ આંકડો તો નથી જ જાણી શકાયો, પણ છતાંય જે છૂટા છવાયા અહેવાલો મળ્યા એ દેશની શાંતિ માટે ખતરાની સાયરન સમાન બની રહ્યા છે.
બધા પરથી એક નિષ્કર્ષ નીકળ્યો કે દેશમાં ૨૦ લાખ લોકો ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધરાવે છે. સત્તાવાર આંકડો આટલો હોય એનો અર્થ એવો થયો કે એનાથી બમણા-ત્રણ-ચાર કે પાંચ ગણા લોકો પાસે પરવાના વગરના શસ્ત્રો હોવાનો સંભવ છે.
હમણાં આ સંખ્યાને સદ્ભાગ્યે હાઇકોર્ટની એક ભલામણને કારણે વધુ બળ મળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની અરાજકતાને ધ્યાનમાં રાખીને સરકારને રાજ્યમાં ખાનગી શસ્ત્રોના લાયસન્સ ધારકોની સંખ્યા જણાવવા કહ્યું હતું. જો સરકાર પાસે આંકડો ઉપલબ્ધ ન હોય તો તેનો તાકીદે અહેવાલ તૈયાર કરવાનો હુકમ પણ કર્યો હતો એટલે અંતે ઉત્તર પ્રદેશની સરકારે આઈઆઈએમ લખનૌને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપી હતી. અહેવાલનો આંકડો સરકાર માટે ય ધારણા કરતા ઘણો મોટો હતો.
ઉત્તર પ્રદેશની પોલીસ પાસે અઢી લાખ હથિયારો છે. જ્યારે નાગરિકો પાસે ૧૧ લાખ લેટેસ્ટ બંદૂકો છે. શસ્ત્રોના પરવાના ધારકોની સંખ્યા પ્રમાણે ભારતના ૫૦ શહેરોનું લિસ્ટ પણ પેલા અહેવાલમાં આપવામાં આવ્યું છે. જેમાંથી ૨૧ શહેરો એકલા ઉત્તર પ્રદેશના છે. લખનૌમાં સૌથી વધુ ૪૮, ૪૩૬ ખાનગી શસ્ત્રોના પરવાના અપાયા છે અને હજુ ય ૫૦ હજાર અરજી તો પેન્ડિંગ રખાઈ છે. આ યાદીમાં બીજા નંબરે રહેલા પંજાબના ૧૧ શહેરો ટોપ ૫૦ના લિસ્ટમાં છે.
પોલીસ કરતા વધુ શસ્ત્રો નાગરિકો પાસે હોય એ સ્થિતિ લાંબાં ગાળાની શાંતિ માટે જોખમી છે. જો પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થાય તો પોલીસ પાસે નથી એવા અત્યાધૂનિક શસ્ત્રો નાગરિકો પાસે હોવાના કારણે મામલો થાળે પડવાને બદલે વધારે ગંભીર બની શકે છે. શસ્ત્રોનો સામ સામો પ્રયોગ થાય તો કેટલી અને કેવી હિંસા થઈ શકે એની કલ્પના કરવી અઘરી નથી. હાઈકોર્ટે ગંભીરતા પારખીને આ બાબતે સરકાર પાસે ખૂલાસો પૂછ્યો છે.
માત્ર યુપીમાં જ આ હાલત છે એવું નથી, દેશભરમાં બહુધા આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ૨૦૧૩ મુજબ દેશમાં કુલ પોલીસ ફોર્સનો આંકડો ૧૬ લાખ છે. એટલે કે એક લાખ નાગરિકોની સુરક્ષા માટે ૧૩૦ પોલીસ જવાનો ઉપલબ્ધ છે. એમાં વળી, ઈન્ડિયાના સ્પેશ્યલ પીપલ્સ (નેતા-અભિનેતા-સરકારી બાબૂઓ-સામાજિક કાર્યકરો વગેરે વગેરે)માટે ખડેપગે રખાતી પોલીસને બાદ કરીએ તો આંકડો વધુ નીચો આવી જાય. આવી દયનીય હાલત વચ્ચે સુરક્ષાના કારણોથી સરકારે આખા ભારતમાં ૨૦ લાખ નાગરિકોને શસ્ત્રોના પરવાના આપ્યા છે. પરવાનાની બીજી બાજુ એ છે કે એનો ઉપયોગ સુરક્ષા માટે ઓછો અને છાકો પાડી દેવા માટે વધુ થાય છે. ભાજપ-કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી-બસપા-એનસીપી જેવા રાજકીય પક્ષોના કાર્યકરો પાસે જ પોતાની સુરક્ષા (સુરક્ષા માટે શસ્ત્રો રાખનારાઓ પાછા દેશની સુરક્ષાના ઠાલા વચનોની લ્હાણી કરતા હોય!) માટે પરવાના મેળવેલી બંદૂકોની સંખ્યા ૮થી ૧૦ લાખ થવા જાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ છે આમ જનતા અને મતદારો ઉપર રોફ જમાવવા માટે! એકચ્યુઅલી કેટલા નાગરિકો પાસે હથિયાર છે એ ખૂદ સરકારને ખબર ન હોય ત્યારે ખરી મુશ્કેલી ચૂંટણીઓ વખતે થાય છે. ચૂંટણી પંચ આચાર સંહિતા હેઠળ હથિયાર ધારકોને શસ્ત્રો જમા કરાવવાનું ફરમાન છોડે છે. એ ફરમાનનો અમલ કરવાનું કામ પોલીસનું છે. હવે પોલીસનું કામ વધુ મુશ્કેલ બે કારણોથી બને છે. એક તો પોલીસનું પોતાનું અપર્યાપ્ત સંખ્યાબળ અને બીજું, ચોક્કસ આંકડાઓનો અભાવ. જ્યારે સ્પષ્ટ રીતે ખબર જ નથી કે કોની પાસે શસ્ત્રોનો પરવાનો છે ત્યારે પોલીસ કરે પણ શું?! 'છીંડે ચડે એ ચોર'ના ન્યાયે જેની પાસેથી શસ્ત્રો બરામદ થાય એ લેવાના બાકીના હરિવાલા!
ક્રાઇમમાં લાઇસન્સ ધારક શસ્ત્રોનો બહોળો ઉપયોગ એ તેની બીજી ગંભીર અસર. એનો એક નાનકડો દાખલોઃ ૨૦૧૨માં ભારતમાં ૭૦ હજાર હત્યા થઈ હતી. એમાંથી ૪૨,૯૨૩ હત્યા લાઇસન્સ ધારકોના બંદૂકના નાળચે કરાઈ હતી. ઘણા કેસમાં લાઇસન્સ ધારકની સીધી સંકોવણી ન હોય, છતાં એના શસ્ત્રના પરવાનાથી કોઈકની પરલોકની ટિકિટ ફાટી હોય! વળી, આ સંખ્યા ઘટવાને બદલે ઉત્તરોત્તર વધી રહી છે. ૨૦૦૦ના વર્ષમાં ૩૫,૦૦૦ હત્યા પાછળ પરવાનાવાળી બંદૂક વપરાઈ હતી જેની તુલનાએ છેલ્લા એક દશકામાં આ આંકડો ૧૦ હજાર જેટલો વધ્યો છે. એમાં ય વળી ઈજા પામનારા લોકોની ગણના અલગથી કરવી પડે તેમ છે. ૨૦૦૮માં લાઈસન્સના શસ્ત્રોથી દેશમાં ૬,૫૦૦ નાગરિકોને ઈજા થઈ હતી.
આઈઆઈએમ દ્વારા કેટલાક સૂચનો અહેવાલમાં અપાયા છે. એ મુજબ આ ગંભીર સ્થિતિ ટાળવા માટે એવા શસ્ત્રો અપાય કે જેનાથી જીવલેણ હુમલો ન થઈ શકે, પણ આત્મ સુરક્ષા સંભવ બને, નાગરિકો પાસે પોલીસથી ઓછા શસ્ત્રો હોય એની અહેવાલ દ્વારા સતત નિગરાની રાખવી, સુરક્ષાનો મુદ્દો પૂરો થાય એટલે જરૃર પડયે જે તે વ્યક્તિનું લાઇસન્સ રદ્ કરવું, શસ્ત્ર લાઈસન્સ ધારકો પોલીસની નજર તળે રહે અને આસપાસના પોલીસ મથકોમાં અમુક સમયે સખત હાજરી નોંધાવવી જ પડે એવો કડક નિયમ હોય, તો શસ્ત્ર રાખવાનો ક્રેઝ ઘણે ખરે અંશે ટાળી શકાશે.
આ સૂચનો ઉપર એક સંસ્થાએ લોકમત પણ મેળવ્યો હતો. જેને ખરેખર આમ આદમી કહી શકાય એવા લોકોઃ દુકાનદારો, રોજમદાર-ખાનગી-સરકારી કર્મચારીઓ વગેરેનો એક જ સૂર હતો કે જેની પાસે શસ્ત્રોનું લાઈસન્સ છે એ રોફ જમાવવા માટે જ તેનો ઉપયોગ કરે છે. જો સુરક્ષાનો જ મુદ્દો હોય તો પછી દરરોજ શસ્ત્રોનો દેખાડો કરવાની ક્યાં જરૃર છે? એવો અણિદાર સવાર પણ લોકોએ ઉઠાવ્યો હતો.
મોટાભાગના ખાનગી શસ્ત્રના પરવાનેદારો બેલ્ટમાં બંદૂક ખોંસીને દેખાડો કરતા હોય છે. જરૃર પડયે અમુક પ્રસંગે એકાદ ફાયરિંગ પણ કરી લેતા હોય એ નફામાં! ફાયરિંગનો રિપોર્ટ ભલે સ્થાનિક પોલીસને આપવાનો થતો હોય, પણ જ્યારે સ્થાનિક પોલીસ સાથે જ સેટિંગ હોય ત્યારે છાકો પાડી દેતા ધડાકાને રોકે પણ કોણ?
ગુજરાતમાં ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધારકો કેટલા?
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં કેટલા નાગરિકો પાસે ખાનગી શસ્ત્રનો પરવાનો છે એવો પ્રશ્ન સરકારને પૂછ્યો હતો. ગૃહમંત્રાલયનો વિશેષ હવાલો સંભાળતા હોવાથી મોદીએ જ તેમનો ઉત્તર આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૮-૧૦ દરમિયાન ૧૮ જિલ્લાઓમાં ૨૪૮૪ પરવાના અપાયા હતા. સૌથી વધારે ખાનગી શસ્ત્ર લાઇસન્સ ધરાવતો જિલ્લો સુરત હતો અને અહિંસના પૂજારી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ૬૪ લોકોએ આત્મરક્ષા કાજે લાઈસન્સ મેળવ્યા હતાં! જોકે, ત્યારે સરકાર પાસે ગાંધીનગર, અમદાવાદ, પાટણ, આણંદ, જામનગર, પંચમહાલ અને નવસારીના આંકડા ઉપલબ્ધ ન હતા એટલે કદાચ આંકડો વધારે મોટો પણ હોઈ શકે!
ખાનગી શસ્ત્રોના પરવાનામાં ભારત બીજા નંબરે
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક વિશ્વ વ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. ૧૭૮ દેશોના આંકડા મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભારત ખાનગી શસ્ત્રોનો પરવાનો આપવામાં બીજા નંબરે છે. ૧૩૬ કરોડની વસતી ધરાવતા દેશ ચીનમાં ખાનગી શસ્ત્ર ધારકો માત્ર ૬.૮ લાખ છે. જાપાને તો એનાથી ય ઓછા લાઇસન્સ ઈસ્યુ કર્યા છે. જાપાનમાં માંડ ૪ લોકો પાસે ખાનગી શસ્ત્ર રાખવાની પરમિટ છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ૧.૮૫ લાખ લોકો સત્તાવાર રીતે શસ્ત્રો ધરાવે છે. જોકે, બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં સરકારની મીઠી નજર હેઠળ બિન સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો આંખો પહોળી થઈ જાય એવડો મોટો છે. ઈન્ડોેનેસિયાની આબાદી ૨૫ કરોડ છે અને ત્યાં ખાનગી શસ્ત્રોના ૩૪ હજાર લાઇસન્સ ધારકો છે. છેલ્લે ૨૦૧૨માં ન્યુયોર્કમાં મળેલી એક બેઠકમાં ખાનગી શસ્ત્રોના નિયંત્રણ પર બધા દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. નાગરિકો પાસે ઓછામાં ઓછા શસ્ત્રો હોય એવો બધા દેશોના પ્રતિનિધિઓએ નિર્ધાર કર્યો હતો, પણ ભારતે એ સંમતિપત્રકમાં હસ્તાક્ષર કર્યા ન હતા. અહીં આપણા ખંધા રાજકારણીઓનો ધંધો જ આવા શસ્ત્રો પર ચાલતો હોય ત્યારે એના પર પાબંદી લગાવવાનું કેમ પરવડે!
બધા પરથી એક નિષ્કર્ષ નીકળ્યો કે દેશમાં ૨૦ લાખ લોકો ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધરાવે છે. સત્તાવાર આંકડો આટલો હોય એનો અર્થ એવો થયો કે એનાથી બમણા-ત્રણ-ચાર કે પાંચ ગણા લોકો પાસે પરવાના વગરના શસ્ત્રો હોવાનો સંભવ છે.
હમણાં આ સંખ્યાને સદ્ભાગ્યે હાઇકોર્ટની એક ભલામણને કારણે વધુ બળ મળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની અરાજકતાને ધ્યાનમાં રાખીને સરકારને રાજ્યમાં ખાનગી શસ્ત્રોના લાયસન્સ ધારકોની સંખ્યા જણાવવા કહ્યું હતું. જો સરકાર પાસે આંકડો ઉપલબ્ધ ન હોય તો તેનો તાકીદે અહેવાલ તૈયાર કરવાનો હુકમ પણ કર્યો હતો એટલે અંતે ઉત્તર પ્રદેશની સરકારે આઈઆઈએમ લખનૌને આ મહત્વપૂર્ણ કામગીરી સોંપી હતી. અહેવાલનો આંકડો સરકાર માટે ય ધારણા કરતા ઘણો મોટો હતો.
ઉત્તર પ્રદેશની પોલીસ પાસે અઢી લાખ હથિયારો છે. જ્યારે નાગરિકો પાસે ૧૧ લાખ લેટેસ્ટ બંદૂકો છે. શસ્ત્રોના પરવાના ધારકોની સંખ્યા પ્રમાણે ભારતના ૫૦ શહેરોનું લિસ્ટ પણ પેલા અહેવાલમાં આપવામાં આવ્યું છે. જેમાંથી ૨૧ શહેરો એકલા ઉત્તર પ્રદેશના છે. લખનૌમાં સૌથી વધુ ૪૮, ૪૩૬ ખાનગી શસ્ત્રોના પરવાના અપાયા છે અને હજુ ય ૫૦ હજાર અરજી તો પેન્ડિંગ રખાઈ છે. આ યાદીમાં બીજા નંબરે રહેલા પંજાબના ૧૧ શહેરો ટોપ ૫૦ના લિસ્ટમાં છે.
પોલીસ કરતા વધુ શસ્ત્રો નાગરિકો પાસે હોય એ સ્થિતિ લાંબાં ગાળાની શાંતિ માટે જોખમી છે. જો પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થાય તો પોલીસ પાસે નથી એવા અત્યાધૂનિક શસ્ત્રો નાગરિકો પાસે હોવાના કારણે મામલો થાળે પડવાને બદલે વધારે ગંભીર બની શકે છે. શસ્ત્રોનો સામ સામો પ્રયોગ થાય તો કેટલી અને કેવી હિંસા થઈ શકે એની કલ્પના કરવી અઘરી નથી. હાઈકોર્ટે ગંભીરતા પારખીને આ બાબતે સરકાર પાસે ખૂલાસો પૂછ્યો છે.
માત્ર યુપીમાં જ આ હાલત છે એવું નથી, દેશભરમાં બહુધા આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ૨૦૧૩ મુજબ દેશમાં કુલ પોલીસ ફોર્સનો આંકડો ૧૬ લાખ છે. એટલે કે એક લાખ નાગરિકોની સુરક્ષા માટે ૧૩૦ પોલીસ જવાનો ઉપલબ્ધ છે. એમાં વળી, ઈન્ડિયાના સ્પેશ્યલ પીપલ્સ (નેતા-અભિનેતા-સરકારી બાબૂઓ-સામાજિક કાર્યકરો વગેરે વગેરે)માટે ખડેપગે રખાતી પોલીસને બાદ કરીએ તો આંકડો વધુ નીચો આવી જાય. આવી દયનીય હાલત વચ્ચે સુરક્ષાના કારણોથી સરકારે આખા ભારતમાં ૨૦ લાખ નાગરિકોને શસ્ત્રોના પરવાના આપ્યા છે. પરવાનાની બીજી બાજુ એ છે કે એનો ઉપયોગ સુરક્ષા માટે ઓછો અને છાકો પાડી દેવા માટે વધુ થાય છે. ભાજપ-કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી-બસપા-એનસીપી જેવા રાજકીય પક્ષોના કાર્યકરો પાસે જ પોતાની સુરક્ષા (સુરક્ષા માટે શસ્ત્રો રાખનારાઓ પાછા દેશની સુરક્ષાના ઠાલા વચનોની લ્હાણી કરતા હોય!) માટે પરવાના મેળવેલી બંદૂકોની સંખ્યા ૮થી ૧૦ લાખ થવા જાય છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ છે આમ જનતા અને મતદારો ઉપર રોફ જમાવવા માટે! એકચ્યુઅલી કેટલા નાગરિકો પાસે હથિયાર છે એ ખૂદ સરકારને ખબર ન હોય ત્યારે ખરી મુશ્કેલી ચૂંટણીઓ વખતે થાય છે. ચૂંટણી પંચ આચાર સંહિતા હેઠળ હથિયાર ધારકોને શસ્ત્રો જમા કરાવવાનું ફરમાન છોડે છે. એ ફરમાનનો અમલ કરવાનું કામ પોલીસનું છે. હવે પોલીસનું કામ વધુ મુશ્કેલ બે કારણોથી બને છે. એક તો પોલીસનું પોતાનું અપર્યાપ્ત સંખ્યાબળ અને બીજું, ચોક્કસ આંકડાઓનો અભાવ. જ્યારે સ્પષ્ટ રીતે ખબર જ નથી કે કોની પાસે શસ્ત્રોનો પરવાનો છે ત્યારે પોલીસ કરે પણ શું?! 'છીંડે ચડે એ ચોર'ના ન્યાયે જેની પાસેથી શસ્ત્રો બરામદ થાય એ લેવાના બાકીના હરિવાલા!
ક્રાઇમમાં લાઇસન્સ ધારક શસ્ત્રોનો બહોળો ઉપયોગ એ તેની બીજી ગંભીર અસર. એનો એક નાનકડો દાખલોઃ ૨૦૧૨માં ભારતમાં ૭૦ હજાર હત્યા થઈ હતી. એમાંથી ૪૨,૯૨૩ હત્યા લાઇસન્સ ધારકોના બંદૂકના નાળચે કરાઈ હતી. ઘણા કેસમાં લાઇસન્સ ધારકની સીધી સંકોવણી ન હોય, છતાં એના શસ્ત્રના પરવાનાથી કોઈકની પરલોકની ટિકિટ ફાટી હોય! વળી, આ સંખ્યા ઘટવાને બદલે ઉત્તરોત્તર વધી રહી છે. ૨૦૦૦ના વર્ષમાં ૩૫,૦૦૦ હત્યા પાછળ પરવાનાવાળી બંદૂક વપરાઈ હતી જેની તુલનાએ છેલ્લા એક દશકામાં આ આંકડો ૧૦ હજાર જેટલો વધ્યો છે. એમાં ય વળી ઈજા પામનારા લોકોની ગણના અલગથી કરવી પડે તેમ છે. ૨૦૦૮માં લાઈસન્સના શસ્ત્રોથી દેશમાં ૬,૫૦૦ નાગરિકોને ઈજા થઈ હતી.
આઈઆઈએમ દ્વારા કેટલાક સૂચનો અહેવાલમાં અપાયા છે. એ મુજબ આ ગંભીર સ્થિતિ ટાળવા માટે એવા શસ્ત્રો અપાય કે જેનાથી જીવલેણ હુમલો ન થઈ શકે, પણ આત્મ સુરક્ષા સંભવ બને, નાગરિકો પાસે પોલીસથી ઓછા શસ્ત્રો હોય એની અહેવાલ દ્વારા સતત નિગરાની રાખવી, સુરક્ષાનો મુદ્દો પૂરો થાય એટલે જરૃર પડયે જે તે વ્યક્તિનું લાઇસન્સ રદ્ કરવું, શસ્ત્ર લાઈસન્સ ધારકો પોલીસની નજર તળે રહે અને આસપાસના પોલીસ મથકોમાં અમુક સમયે સખત હાજરી નોંધાવવી જ પડે એવો કડક નિયમ હોય, તો શસ્ત્ર રાખવાનો ક્રેઝ ઘણે ખરે અંશે ટાળી શકાશે.
આ સૂચનો ઉપર એક સંસ્થાએ લોકમત પણ મેળવ્યો હતો. જેને ખરેખર આમ આદમી કહી શકાય એવા લોકોઃ દુકાનદારો, રોજમદાર-ખાનગી-સરકારી કર્મચારીઓ વગેરેનો એક જ સૂર હતો કે જેની પાસે શસ્ત્રોનું લાઈસન્સ છે એ રોફ જમાવવા માટે જ તેનો ઉપયોગ કરે છે. જો સુરક્ષાનો જ મુદ્દો હોય તો પછી દરરોજ શસ્ત્રોનો દેખાડો કરવાની ક્યાં જરૃર છે? એવો અણિદાર સવાર પણ લોકોએ ઉઠાવ્યો હતો.
મોટાભાગના ખાનગી શસ્ત્રના પરવાનેદારો બેલ્ટમાં બંદૂક ખોંસીને દેખાડો કરતા હોય છે. જરૃર પડયે અમુક પ્રસંગે એકાદ ફાયરિંગ પણ કરી લેતા હોય એ નફામાં! ફાયરિંગનો રિપોર્ટ ભલે સ્થાનિક પોલીસને આપવાનો થતો હોય, પણ જ્યારે સ્થાનિક પોલીસ સાથે જ સેટિંગ હોય ત્યારે છાકો પાડી દેતા ધડાકાને રોકે પણ કોણ?
ગુજરાતમાં ખાનગી શસ્ત્રોના લાઇસન્સ ધારકો કેટલા?
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં કેટલા નાગરિકો પાસે ખાનગી શસ્ત્રનો પરવાનો છે એવો પ્રશ્ન સરકારને પૂછ્યો હતો. ગૃહમંત્રાલયનો વિશેષ હવાલો સંભાળતા હોવાથી મોદીએ જ તેમનો ઉત્તર આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૮-૧૦ દરમિયાન ૧૮ જિલ્લાઓમાં ૨૪૮૪ પરવાના અપાયા હતા. સૌથી વધારે ખાનગી શસ્ત્ર લાઇસન્સ ધરાવતો જિલ્લો સુરત હતો અને અહિંસના પૂજારી ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ૬૪ લોકોએ આત્મરક્ષા કાજે લાઈસન્સ મેળવ્યા હતાં! જોકે, ત્યારે સરકાર પાસે ગાંધીનગર, અમદાવાદ, પાટણ, આણંદ, જામનગર, પંચમહાલ અને નવસારીના આંકડા ઉપલબ્ધ ન હતા એટલે કદાચ આંકડો વધારે મોટો પણ હોઈ શકે!
ખાનગી શસ્ત્રોના પરવાનામાં ભારત બીજા નંબરે
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ થોડા સમય પહેલા એક વિશ્વ વ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો. ૧૭૮ દેશોના આંકડા મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભારત ખાનગી શસ્ત્રોનો પરવાનો આપવામાં બીજા નંબરે છે. ૧૩૬ કરોડની વસતી ધરાવતા દેશ ચીનમાં ખાનગી શસ્ત્ર ધારકો માત્ર ૬.૮ લાખ છે. જાપાને તો એનાથી ય ઓછા લાઇસન્સ ઈસ્યુ કર્યા છે. જાપાનમાં માંડ ૪ લોકો પાસે ખાનગી શસ્ત્ર રાખવાની પરમિટ છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ૧.૮૫ લાખ લોકો સત્તાવાર રીતે શસ્ત્રો ધરાવે છે. જોકે, બાંગ્લાદેશ-પાકિસ્તાનમાં સરકારની મીઠી નજર હેઠળ બિન સત્તાવાર રીતે શસ્ત્ર ધારકોનો આંકડો આંખો પહોળી થઈ જાય એવડો મોટો છે. ઈન્ડોેનેસિયાની આબાદી ૨૫ કરોડ છે અને ત્યાં ખાનગી શસ્ત્રોના ૩૪ હજાર લાઇસન્સ ધારકો છે. છેલ્લે ૨૦૧૨માં ન્યુયોર્કમાં મળેલી એક બેઠકમાં ખાનગી શસ્ત્રોના નિયંત્રણ પર બધા દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. નાગરિકો પાસે ઓછામાં ઓછા શસ્ત્રો હોય એવો બધા દેશોના પ્રતિનિધિઓએ નિર્ધાર કર્યો હતો, પણ ભારતે એ સંમતિપત્રકમાં હસ્તાક્ષર કર્યા ન હતા. અહીં આપણા ખંધા રાજકારણીઓનો ધંધો જ આવા શસ્ત્રો પર ચાલતો હોય ત્યારે એના પર પાબંદી લગાવવાનું કેમ પરવડે!
પ્રથમ પ્રયત્ને ભારત મંગળ પર પહોંચશે?
૨૪મીએ ભારતનું મહાત્વાકાંક્ષી મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે તો ભારત એક સાથે અનેક વિક્રમો પર નામ નોંધાવી દેશે. મંગળ સુધી પહોંચનારો પ્રથમ એશિયન દેશ, વિશ્વની માત્ર ચોથી સંસ્થા અને પ્રથમ પ્રયત્ને અચૂક નિશાન ભેદવાની અનોખી સિદ્ધિ તો ખરી જ...
એ ૨૧ તસવીરો આગામી ૨૧મી સદીને નવી દિશા આપવાની હતી અને એટલા માટે જ તે ખૂબ મહત્ત્વની બની રહેવાની હતી. ફોટોગ્રાફી અને ફિલ્મોમાં આવેલા રંગીન પરિવર્તનના એ સંગીન પ્રારંભિક દિવસોમાં પેલી ૨૧ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોએ સંશોધકોની કલ્પનાઓને નવો રંગ આપવાનું મહામૂલું કામ કર્યું હતું. એ તસવીરો તેમના માટે દુનિયાની કોઈ પણ ચીજ-વસ્તુ કરતા મૂલ્યવાન હતી અને હોવી ય જોઈએ. કારણ કે એ તસવીરોએ વિશ્વને પ્રથમ વખત ખરા અર્થમાં નવી દુનિયા બતાવી હતી. સામાન્ય કેમેરાની મદદથી અસામાન્ય સ્થિતિમાં લેવાયેલી એ તમામ ૨૧ તસવીરો પરલોકમાંથી પૃથ્વી ઉપર આવી હતી અને એ ઘટના પૃથ્વીવાસીઓ માટે સાવ નવી હતી. પહેલી વખત બીજી દુનિયાની તસવીરો પૃથ્વી સુધી પહોંચી હતી અને એટલે તે અનેકગણી મૂલ્યવાન હતી.
જેના કારણે પૃથ્વી સિવાયની બીજી દુનિયાના શોધ-સંશોધનનું પોષક-પ્રેરક-પ્રોત્સાહક વાતાવરણ બનવાનું હતું એ ૨૧ તસવીરો નાસાના ઓરબિટ અવકાશ યાન મરિનર-૪ દ્વારા મોકલાયેલી મંગળની સપાટીનો 'આંખે દેખ્યો અહેવાલ' હતો. મંગળ વિશેની કપોળ-કલ્પિત ધારણાઓથી વિપરિત નરી વાસ્તવિકતાનો એ પ્રથમ માનવસર્જિત દસ્તાવેજ હતો.
* * *
૧૯ મે, ૧૯૬૪ના દિવસે અમેરિકન અવકાશી સંશોધન સંસ્થા નાસાએ રવાના કરેલું મરિનર-૪ મંગળ ઉપર ૧૫ જૂન, ૧૯૬૫ના રોજ પહોંચીને પોતાની કામગીરી સફળતાપૂર્વક શરૃ કરે એ પહેલા રશિયાના પાંચ અને નાસાના એક મળી મંગળ સુધી પહોંચવાના કુલ છ નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા. આ એ વખતનો સમયગાળો હતો જ્યારે હજુ માનવીને ચંદ્ર ઉપર પગ મૂકવાનો બાકી હતો અને રશિયા-અમેરિકા વચ્ચે અવકાશમાં આધિપત્ય સ્થાપવાની કશ્મકશ તેના મધ્યાહને પહોંચી ચૂકી હતી. ૧૯૭૦ સુધીમાં રશિયાએ વધુ પ્રયાસો શરૃ રાખ્યા. રશિયાને સફળતા મળે એ પહેલા નાસાએ સફળતાનું સાતત્ય જાળવી રાખીને મરિનર-૬ અને મરિનર-૭ને મંગળ સુધી પહોંચાડીને પોતાની કુશળતાને ધાર આપી દીધી હતી. દશકો પૂરો થાય એ પહેલા જ નાસાએ નીલ આર્મસ્ટ્રોંગના પગલા મારફતે ચંદ્ર ઉપર પણ પોતાની હયાતિની અમિટ છાપ છોડી દીધી હતી.
પ્રથમ પ્રયાસ તો રશિયાએ છેક ૧૦ ઓક્ટોબર, ૧૯૬૦ના દિવસે 'માર્સ' નામનું મિશન શરૃ કર્યું ત્યારથી થયો કહેવાય, પણ અમેરિકાને હરિફાઈ આપવાની ઉતાવળમાં રશિયાને સફળતા મળી તેના ૧૧ વર્ષના પ્રયત્નો પછી! રશિયાનું મહાત્વાકાંક્ષી મિશન માર્સ-૨ મંગળ ઉપર જઈને પોતાની કામગીરીને અંજામ તો ન આપી શક્યું, પરંતુ તેના નામે મંગળની સપાટી ઉપર પહોંચનારા માનવસર્જિત પ્રથમ પદાર્થ તરીકેનું સન્માન જરૃર નોંધાઈ ગયું. ડસ્ટ અને નબળા વાતાવરણને કારણે તે તેના સમકાલિન નાસાના મરિનર-૯ની લગોલગ કામ કરી શક્યું નહીં, પણ મંગળ ઉપર જઈને તૂટી પડયું અને તેના માથે નિષ્ફળતાનું લેબલ લાગી ગયું.
ધાર્યા પ્રમાણેનું કામ કરનારા પ્રથમ અવકાશ યાનનું શ્રેય મરિનર-૯ને આપવું રહ્યું. આ યાને ૭૦૦૦ તસવીરો સાથે મંગળના ઘણા ખરા ભાગને અને તેની આંતરિક રચનાને સમજવામાં ભાગ ભજવ્યો હતો. મજાની વાત એ છે કે રશિયાના માર્સ-૨થી ૧૧ દિવસ પછી મોકલાયેલું આ યાન તેના કરતા ૧૩ દિવસ વહેલું પહોંચડવામાં નાસાના વિજ્ઞાાનિકોને સફળતા મળી હતી. રશિયા-અમેરિકા વચ્ચે અંતરિક્ષની હોડના એ દિવસોમાં મરિનર-૯એ નાસાના કોલર ઊંચા કરાવી દીધા હતા.
રશિયાએ બીજા ચાર વર્ષમાં ચાર યાન મોકલીને મહેનત ચાલુ રાખી એ દરમિયાન નાસાએ કોઈ જ પ્રયાસો ન કર્યા. ચાર વર્ષના વિરામ બાદ નાસાએ વિકિંગ-૧ નામનું ઓરબિટ અને પ્રથમ લેન્ડર (ભ્રમણકક્ષામાં ફરવાની સાથે સપાટી ઉપર ઉતરાણ કરીને જરૃરી સંશોધન કરે તેવું) યાન ૨૦ જુલાઈ ૧૯૭૬ના દિવસે સફળતાપૂર્વક મંગળ ઉપર ઉતાર્યું. એટલું જ નહીં, તેના એક માસ પછી સપ્ટેમ્બરમાં એવા જ પ્રકારના વિકિંગ-૨નો મંગળની સપાટી સુધી સ્પર્શ કરાવ્યો એ સાથે જ નાસાની અવકાશ ક્ષેત્રની શાખ પણ આસમાનની ઊંચાઈઓને સ્પર્શી ચૂકી હતી. આ બંને યાને મંગળને સમજવા માટે લગભગ ૫૦ હજાર તસવીરો નાસાને મોકલી આપી હતી. અત્યાર સુધીનું સંશોધન મંગળની ભ્રમણકક્ષા સુધી સીમિત રહ્યું હતું જે હવે સપાટી સુધી લંબાયું હતું. જોકે, અચાનક નાસાએ મંગળ ઉપરના મિશનો બંધ કર્યા હતા. સ્પેસ સાયન્સમાં આધિપત્ય સ્થાપી દીધા પછી નાસાએ મંગળ મિશન ઉપર રોક લગાવી સાથે સાથે રશિયાએ પણ લાંબો વિરામ લીધો. ૧૯૮૮થી ૧૯૯૬ સુધીમાં વળી રશિયા-અમેરિકાએ મંગળયાનના છૂટા છવાયા નિષ્ફળ પ્રયાસો કરી લીધા હતા. ૧૯૯૬માં નાસાએ માર્સ ગ્લોબલ સર્વેયરને ભ્રમણકક્ષામાં છૂટું મૂક્યું અને તેની પાસેથી સાત વર્ષ સુધી કામ લીધું. એ દરમિયાન ૬ પૈડાવાળું પાથફાઇન્ડર (આ યાન રોવર પ્રકારનું હતું કે જે સપાટી ઉપર ભ્રમણ કરીને સપાટીનો ઊંડાણપૂર્વકનો અહેવાલ મોકલી શકતું હતું) મંગળની સપાટી પર મોકલાયું. તેની સાથે છેલ્લે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૭ના દિવસે સંપર્ક થયો હતો. પછીથી તેનો સંપર્ક નથી થયો, પણ તેના સપાટી અંગેના અહેવાલો સંશોધન માટે દિશાસૂચક બની રહ્યાં. ૨૦મી સદીના એ છેલ્લા વર્ષોમાં અમેરિકા, જાપાન, રશિયા સહિત પાંચેક યાને મંગળ સુધી પહોંચવા ઉડાન ભરી હતી, પણ તમામને નિષ્ફળતાનો સામનો કરવો પડયો હતો. એમ તો ચીનને પણ ૨૧મી સદીના પ્રથમ દશકામાં પ્રયાસ કરીને નિષ્ફળતાનો ખારો સ્વાદ ચાખવો પડયો હતો. નાસાએ ઓગસ્ટ ૨૦૦૭માં ફોએનિક્સ માર્સ લેન્ડરે મંગળ ઉપર પહોંચાડયું હતું. બે વર્ષ સુધી નિયત કામગીરી કરીને ૨૪ મે, ૨૦૧૦માં નિવૃત્તિ જાહેર કરી દીધી હતી! છેલ્લે નાસાના માર્સ ઓડિસી, સ્પિરિટ, ઓપોર્ચ્યુનિટી, એમઆરઓ અને ફોએનિક્સ તેમજ યુરોપિયન યુનિયનના માર્સ એક્સપ્રેસને મંગળ યાત્રામાં સફળતા મળી હતી.
* * *
પાંચ મંગળ યાન અત્યારે એક્ટિવ છે. ભારતનું માર્સ ઓરબિટ મિશન (એમઓએમ) અને એમેરિકાનું માવેન રસ્તામાં છે.
માવેન સંભવતઃ ૨૧મી સપ્ટેમ્બર (આજે) તે મંગળના વાતાવરણમાં પહોંચશે. ભારતના મંગળયાનની જેમ નાસાનું આ માવેન યાન પણ ઓર્બિટર છે. નાસાએ તેને મંગળના વાતાવરણનો અભ્યાસ કરવાનું કામ સોંપ્યું છે.
મંગળ ઉપર અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા, યુરોપિયન સંઘ ઉપરાંત ચીન, જાપાનના છૂટાં છવાયા મળીને કુલ ૪૦ જેટલા અંતરિક્ષ યાનો મોકલાયા છે. જેમાંથી ૨૩ યાનો નિષ્ફળ નિવડયા છે. રશિયા આ બાબતે સૌથી કમનસીબ પૂરવાર થયું છે. મંગળ ઉપર સંશોધનનો સિલસિલો રશિયાએ શરૃ કર્યો હતો, આજે ૫૦ વર્ષ ઉપરાંતનો સમય વીતી ચૂક્યો હોવા છતાં તે નાસાની તુલનાએ મંગળ વિશે ખાસ સફળ થયું નથી. આજે મંગળ ઉપર પાંચ એક્ટિવ પ્રોજેક્ટ્સ છે અને એમાં એકેય રશિયાનું નથી.
જો ભારત પ્રથમ પ્રયાસે મંગળ ઉપર પહોંચી જશે તો ચીન-જાપાનને પાછળ રાખીને એશિયાનો પ્રથમ દેશ બની જશે. આ એક જ સિદ્ધિ નથી, અમેરિકા, રશિયા અને યુરોપિયન સંઘ પછી મંગળ સુધી પહોંચનારી ચોથી મોટી શક્તિ તરીકે પણ પ્રસ્થાપિત થશે. આ સિવાયની સૌથી મોટી સફળતા એ પણ નોંધવી રહી કે પ્રથમ ઘાએ નિશાન ભેદી શકાય તો વિશ્વનો એકમેવ દેશ બનશે, જેણે પહેલી જ વખતમાં ધારી સફળતા મેળવી હોય. લેટ્સ હોપ, મંગળયાનની યાત્રા મંગળમય હશે!
મંગળ શા માટે?
પૃથ્વીની જેમ જે ગ્રહો ઉપર માનવજીવન શક્ય છે એના સંશોધનમાં મંગળ સૌથી નજીક માનવામાં આવે છે. ડ્રાય સપાટી, પૃથ્વીની જેમ મૌસમની શક્યતા, હવામાન, ખીણ જેવી ઘણી બાબતોના કારણે મંગળ અવકાશી સંશોધન કરતી સંસ્થા માટે વધુ મહત્ત્વનો અને રસ જગાવતો ગ્રહ રહેતો આવ્યો છે. એ જ કારણ છે કે મંગળ ઉપર મહત્ત્વના બધા દેશોને નવું નવું જાણવાની સતત ઉત્સુકતા રહે છે. માનવ જીવન શક્ય હોય એવી શક્યતા અન્ય ગ્રહો કરતા મંગળ ઉપર વધુ સતેજ મનાય છે. ત્યાં અબજો વર્ષો પહેલા પાણી હોવાની શક્યતા સંશોધકોને લાગે છે. કેમ કે, નદી-નાળાના ચિન્હો પણ જણાયા છે. પૃથ્વી સાથે ઘણી બધી રીતે સરખા મંગળ ગ્રહ વિશે એટલે જ પૃથ્વીના સંશોધકોને વધુ ઉત્સુકતા અને રસ જળવાઈ રહ્યાં છે. જો માણસ મંગળ ઉપર વસવાટ કરે તો તેનું એક વર્ષ પૃથ્વીના બે વર્ષ બરાબર થાય. કેમ કે, મંગળનું એક વર્ષ ૬૮૭ દિવસે થાય છે.
મંગળમય રીતે સક્રિય પંચ
માર્સ ઓડિસીઃ ૨૪ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે નાસાએ માર્સ ઓડિસીને ઓરબિટ પર પહોંચાડયું હતું. એ ૨૦૦૪માં તેનું કામ પૂર્ણ કરે તેમ હતું, પણ ઉમ્મિદથી વધારે તેણે નાસા માટે ઘણા વર્ષો એક્ટિવ રહ્યું. તેના નામે સૌથી વધુ સમય માટે કામ કરવાનો વિક્રમ બોલે છે. આજેય તે કાર્યરત છે.
ઓપોર્ચ્યુનિટી : ગોલ્ફ કાર્ટની સાઇઝનું નાસાનું માર્સ એક્સપ્લોરેશન રોવર એટલે કે ઓપોર્ચ્યુનિટી યાન જાન્યુઆરી ૨૦૦૪માં મંગળ ઉપર લેન્ડ થયું હતું. તેની પાસેથી ૯૦ દિવસ સુધી કામ લેવાની ધારણા હતી, પણ તે લાંબાં ગાળા સુધી કાર્યરત રહ્યું હતું. ૨૦૧૩ના ફેબુ્રઆરી માસ સુધીમાં તેણે મંગળની સપાટી ઉપર ૩૫. ૫૮ કિલોમીટરની સફર ખેડી નાખી હતી.
માર્સ એક્સપ્રેસ : ધ યુરોપિયન સ્પેસ એજન્સીએ (ઈએસએ) માર્સ એક્સપ્રેસ યાન મંગળ પર ૩ જૂન, ૨૦૦૩ના દિવસે રવાના કર્યું હતું. દુર્ભાગ્યે પહોંચ્યા પછી તેનો સંપર્ક સેતુ ખોરવાઈ ગયો હતો. મજાની વાત એ છે કે ઓર્બિટર માર્સ એક્સપ્રેસ સાથે ૨૦૦૫માં ઈએસએનો સંપર્ક થઈ શક્યો હતો અને તેના થકી ઈએસએને હાઈ રિઝોલ્યુશન ધરાવતી કેટલીક તસવીરો પણ પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી તે એકાએક વ્યવસ્થિત કામ કરતું થયું હતું અને હજુ ય કામ કરે છે.
માર્સ રિકોન ઓર્બિટર (એમઆરઓ) : નાસા દ્વારા ૨૦૦૫માં મોકલાયા પછી તેણે મંગળ વિશે બનતી પુષ્કળ માહિતી નાસા સુધી પહોંચાડી હતી. મંગળના વાતાવરણની અને રેડિએશનની વિગતો એમઆરઓ દ્વારા મળી હતી. જોકે, એમઆરઓ પાસેથી મળેલી માહિતી નાસાએ બહુ જાહેર કરી નથી.
માર્સ સાયન્સ લેબોરેટરી (ક્યુરોસિટ) : આ રોવર યાન ૫ ઓગસ્ટ, ૨૦૧૨ના દિવસે મંગળ ઉપર લેન્ડ થયું હતું. અત્યાર સુધીના યાન ભ્રમણકક્ષા (ઓરબિટ) સુધી મોકલાતા હતા અથવા તો લેન્ડિંગ કરાતું હતુ. વળી, રોવર પ્રકારના યાન મોકલીને સપાટીનો અભ્યાસ કરાયો છે ખરો, પણ ક્યુરોસિટીના ભાગે સપાટીના અંતરના ભાગનો અભ્યાસ કરવાનું કઠિન કામ આવ્યું હતું. તેનો પ્રવાસ જ ખાડામાં લેન્ડિંગ કરીને થયો હતો. મંગળમાં જીવસૃષ્ટિ અને પાણી હોવાની અવકાશ સંશોધકોની જે ધારણા હતી તેને ક્યૂરોસિટીએ વધુ મજબૂત બનાવી છે. તેણે ૭૦ હજાર જેટલી તસવીરો મોકલી છે.
મહાન હો તો તમારા દેશમાં, અમારા દેશમાં ન પ્રવેશતા!
દલાઈ લામાને દક્ષિણ આફ્રિકાએ કોઈ કારણોથી વિઝા ન આપ્યા. હોબાળો મચ્યો એટલે આફ્રિકાએ ગોળગોળ ખૂલાસો પણ કર્યો. દલાઈ લામા પહેલી એવી સેલિબ્રિટી નથી જેની વિઝા અરજી નકારી કાઢવામાં આવી હોય. અગાઉ ઘણા બધા જાણીતા નામો પર અલગ અલગ દેશોનો એન્ટ્રીનો સિક્કો લાગી ચૂક્યો છે.
સેલિબ્રિટી થઈ ગયા એટલે દુનિયાભરમાં ફરવાનો પરવાનો મળી ગયો એવું માનતા ઘણા મહાનુભાવોની ધારણા એક પળમાં ધ્વસ્ત કરી નાખનારા બનાવોની વાત માંડવાની હોય તો એ યાદી ખૂબ લાંબી થઈ શકે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામા અને છેક આચાર્ય રજનીશ સુધીના જાણીતા અને જનમાનસમાં પ્રભાવ ધરાવતા મહાનુભાવોને કોઈને કોઈ કારણોથી વિઝા ન મળ્યાના બનાવો બની ચૂક્યા છે.
ક્યારેક વિદેશ ગમન કરવા ઈચ્છુક સામાન્ય લોકોને પોતાની પોલિસી પ્રમાણે કોઈ દેશ એમ સરળતાથી વિઝા ન આપે એ સ્વાભાવિક બાબત છે. વિઝા આપ્યા પછી જે તે વ્યક્તિ એ દેશમાં રહી પડશે તો શું થશે અને સમયાંતરે પરવાના વિના કાયમી વસવાટ કરી લીધાનો આંકડો ખૂબ મોટો થઈ જાય, જેના કારણે બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ મુખ્ય કારણ સામાન્ય લોકોના વિઝા નકાર પાછળ કોઈ પણ દેશનું હોય શકે છે-હોય છે, પરંતુ સેલિબ્રિટીના કેસમાં આ મુદ્દો જ અસ્થાને છે. ખ્યાતનામ વ્યક્તિ દેશમાં હંમેશા માટે રહી જાય એ વાત બહુ શક્ય નથી હોતી. વળી, અમેરિકા જેવા દેશમાં તો એવા કેટલાય વિદેશી મહાનુભાવોને કાયમી વસવાટની પરવાનગી પણ આસાનીથી મળી જાય છે. પણ સેલિબ્રિટીના વિઝા નકારની બાબતમાં અમુક ન ધારેલી બાબતો સામે આવતી રહે છે. ક્યારેક વિઝા ન આપવાનું કારણ મજબૂત હોય છે તો ક્યારેક સાવ વાહિયાત બાબતને આગળ કરીને વિઝા નકારી દેવામાં આવતા હોય છે. કોઈ કલાકારના વિચારો કે શબ્દો સાથે સહમત ન થતો દેશ તેના આવવા ઉપર અંકુશ મૂકી દે છે તો ક્યારેક રાજકીય બાબતો પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દલાઈ લામાને દક્ષિણ આફ્રિકા વિઝા આપવામાં રાજકીય કાવાદાવા કરે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા જ અમેરિકા પોતાના દેશમાં આવવાનું નિમંત્રણ પાઠવે એ બધી જ બાબતો રાજકીય છે, પણ એ સિવાયના એવા યે કારણો આગળ ધરવામાં આવતા હોય છે જે પહેલી નજરે ગળે ઉતરે એવા હોતા નથી!
બ્રાડઃ તિબેટીયનોની તરફેણ એટલે ચીનમાં નો એન્ટ્રી
બ્રાડ પિટના વિઝા અને તેની ફિલ્મો પર ચીનમાં પ્રતિબંધ છે. કેમ? કારણ કે તેણે તિબેટીયનોના કથાનક પર આધારિક એક ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તિબેટીયનોના નામથી જ ચીનને તરત વાંકુ પડી જતું હોય છે. એમાં બ્રાડ પિટ નજરે ચડી ગયો હતો એટલે ચીને આ લોકપ્રિય અભિનેતાને પણ વિઝા ન આપીને ચર્ચા જગાવી હતી. ચીન સેલિબ્રિટીને વિઝા ન આપવાની બાબતે ચર્ચામાં વધુ રહેતું હોય છે. બ્રાડ પિટ અગાઉ ડિરેક્ટર માર્ટિન સ્કોર્સિસ ઉપરાંત હેરિસન ફોર્ડ, માઇલી સાયરસ, રિચાર્ડ ગેરે, બોબ ડેેલન વગેરે જેવા કેટલાય જાણીતા નામો ઉપર ચીન વિઝા નકારનો સિક્કો મારી ચૂક્યું છે. એમાંથી મોટા ભાગનાના વિઝા તેની તિબેટીયનો તરફની કૂણી લાગણીના કારણે ચીને નથી આપ્યા.
બ્રાડ પિટના વિઝા અને તેની ફિલ્મો પર ચીનમાં પ્રતિબંધ છે. કેમ? કારણ કે તેણે તિબેટીયનોના કથાનક પર આધારિક એક ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તિબેટીયનોના નામથી જ ચીનને તરત વાંકુ પડી જતું હોય છે. એમાં બ્રાડ પિટ નજરે ચડી ગયો હતો એટલે ચીને આ લોકપ્રિય અભિનેતાને પણ વિઝા ન આપીને ચર્ચા જગાવી હતી. ચીન સેલિબ્રિટીને વિઝા ન આપવાની બાબતે ચર્ચામાં વધુ રહેતું હોય છે. બ્રાડ પિટ અગાઉ ડિરેક્ટર માર્ટિન સ્કોર્સિસ ઉપરાંત હેરિસન ફોર્ડ, માઇલી સાયરસ, રિચાર્ડ ગેરે, બોબ ડેેલન વગેરે જેવા કેટલાય જાણીતા નામો ઉપર ચીન વિઝા નકારનો સિક્કો મારી ચૂક્યું છે. એમાંથી મોટા ભાગનાના વિઝા તેની તિબેટીયનો તરફની કૂણી લાગણીના કારણે ચીને નથી આપ્યા.
મારાડોના-હિલ્ટનઃ જાના થા જાપાન પહોંચ ગયે ઘર!
૨૦૧૦ના એ દિવસે વહેલી સવારે પેરિસ હિલ્ટન જાપાનના એરપોર્ટ પર પહોંચી એટલે તરત જ જાપાની ઓફિસર્સે તેને ઘેરી લીધી. કારણ કે એરપોર્ટ અધિકારીઓને શંકા થઈ કે પેરિસ ડ્રગ્સનું સેવન કરીને આવી છે. છ કલાક સુધી પૂછપરછ અને તપાસના અંતે અધિકારીઓનો શક સાચો પડયો હતો. પોતાની ફેશન પ્રોડક્ટને પ્રમોટ કરવા ટોકિયો આવેલી પેરિસ હિલ્ટન જાપાન પહોંચતા પહેલા જ નશો કરીને આવી હતી. એટલે અધિકારીઓએ એને ત્યાંથી જ ઘરે પરત કરવાનો હુુકમ કર્યો હતો.
આવો જ અનુભવ ફૂટબોલ સુપરસ્ટાર મારાડોનાને થયો હતો. ફૂટબોલમાં અનોખા વિક્રમો ધરાવતા મારાડોનાને વિશ્વભરમાં જ્યાં જાય ત્યાં અદકેરું સન્માન મળતું હોય છે, પરંતુ જાપાનમાં થયેલા કડવા અનુભવે તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. ઈમિગ્રેશન અધિકારીઓએ જ્યારે તેને ઉટપટાંગ સવાલો કર્યા ત્યારે મારાડોનાએ કરેલો બધો જ નશો પળવારમાં ઉતરી ગયો હતો. ડ્રગ્સનું સેવન કરીને જાપાનમાં પ્રવેશવાની ઈચ્છા સેવતા વધુ એક સેલિબ્રિટીને જાપાની અધિકારીઓએ ઘર ભણી વળી જવાનો ઈશારો કરી દીધો હતો.
જાપાન પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં આ બાબતને ખાસ પ્રાધાન્ય આપે છે. ડ્રગ્સનું સેવન કરનારા કેટલાય સેલિબ્રિટીને જાપાની ઈમિગ્રેશન અધિકારીઓએ પોતાની પોલિસીનો અમલ કરાવ્યો છે. ભૂતકાળમાં ધ રોલિંગ્સ સ્ટોન્સ નામના મ્યુઝિકલ ગૃપથી લઈને રસેલ બ્રાન્ડ જેવા જાણીતા નામ સુધીનાનો જાપાન પ્રવેશ ડ્રગ્સના સેવનનું કારણ આગળ ધરીને અટકાવી દેવામાં આવ્યો હતો.
ચીન-જાપાનની જેમ જ શ્રીલંકાએ પણ એક સેલિબ્રિટીના નામ ઉપર પ્રવેશ નિષેધ કર્યો છે. એ નામ છે પોપસ્ટાર એકોન. ચીન-જાપાન કરતા તદ્ન અલગ કારણ આપીને શ્રીલંકાએ એકોન પર પાબંદી મૂકી છે. એકોનના એક વીડિયો સોંગ 'સેક્સી ચિક...'થી શ્રીલંકન સરકારને વાંધો પડયો અને એ સાથે જ એકોન માટે શ્રીલંકાના દરવાજા બંધ થઈ ગયા!
૨૦૧૦ના એ દિવસે વહેલી સવારે પેરિસ હિલ્ટન જાપાનના એરપોર્ટ પર પહોંચી એટલે તરત જ જાપાની ઓફિસર્સે તેને ઘેરી લીધી. કારણ કે એરપોર્ટ અધિકારીઓને શંકા થઈ કે પેરિસ ડ્રગ્સનું સેવન કરીને આવી છે. છ કલાક સુધી પૂછપરછ અને તપાસના અંતે અધિકારીઓનો શક સાચો પડયો હતો. પોતાની ફેશન પ્રોડક્ટને પ્રમોટ કરવા ટોકિયો આવેલી પેરિસ હિલ્ટન જાપાન પહોંચતા પહેલા જ નશો કરીને આવી હતી. એટલે અધિકારીઓએ એને ત્યાંથી જ ઘરે પરત કરવાનો હુુકમ કર્યો હતો.
આવો જ અનુભવ ફૂટબોલ સુપરસ્ટાર મારાડોનાને થયો હતો. ફૂટબોલમાં અનોખા વિક્રમો ધરાવતા મારાડોનાને વિશ્વભરમાં જ્યાં જાય ત્યાં અદકેરું સન્માન મળતું હોય છે, પરંતુ જાપાનમાં થયેલા કડવા અનુભવે તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. ઈમિગ્રેશન અધિકારીઓએ જ્યારે તેને ઉટપટાંગ સવાલો કર્યા ત્યારે મારાડોનાએ કરેલો બધો જ નશો પળવારમાં ઉતરી ગયો હતો. ડ્રગ્સનું સેવન કરીને જાપાનમાં પ્રવેશવાની ઈચ્છા સેવતા વધુ એક સેલિબ્રિટીને જાપાની અધિકારીઓએ ઘર ભણી વળી જવાનો ઈશારો કરી દીધો હતો.
જાપાન પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં આ બાબતને ખાસ પ્રાધાન્ય આપે છે. ડ્રગ્સનું સેવન કરનારા કેટલાય સેલિબ્રિટીને જાપાની ઈમિગ્રેશન અધિકારીઓએ પોતાની પોલિસીનો અમલ કરાવ્યો છે. ભૂતકાળમાં ધ રોલિંગ્સ સ્ટોન્સ નામના મ્યુઝિકલ ગૃપથી લઈને રસેલ બ્રાન્ડ જેવા જાણીતા નામ સુધીનાનો જાપાન પ્રવેશ ડ્રગ્સના સેવનનું કારણ આગળ ધરીને અટકાવી દેવામાં આવ્યો હતો.
ચીન-જાપાનની જેમ જ શ્રીલંકાએ પણ એક સેલિબ્રિટીના નામ ઉપર પ્રવેશ નિષેધ કર્યો છે. એ નામ છે પોપસ્ટાર એકોન. ચીન-જાપાન કરતા તદ્ન અલગ કારણ આપીને શ્રીલંકાએ એકોન પર પાબંદી મૂકી છે. એકોનના એક વીડિયો સોંગ 'સેક્સી ચિક...'થી શ્રીલંકન સરકારને વાંધો પડયો અને એ સાથે જ એકોન માટે શ્રીલંકાના દરવાજા બંધ થઈ ગયા!
ધ બિટલેસઃ લોકપ્રિયતા અને વિઝા નકારનો પ્રારંભિક કિસ્સોધ બિટલેસ મ્યુઝિકલ ગૃપે સાતમા દશકાના યંગસ્ટર્સમાં લોકપ્રિયતાના નવા આયામો સર કર્યા હતા. ચોમેર તેની ધૂનો લોકજીભે રમતી હતી. જોકે, ઈઝરાયેલે ૧૯૬૪માંં એક કાર્યક્રમ માટે આવતા આ ગૃપના મેમ્બર્સને રોકી રાખ્યા હતા. 'ઈઝરાયેલના યંગસ્ટર્સ ઉપર આ ગૃપની નકારાત્મક અસર પડશે' એવું કારણ આગળ ધરીને તે ગૃપના ચાર સભ્યોને ઈઝરાયેલના અધિકારીઓએ દેશમાં પ્રવેશ આપ્યો નહોતો. એ સમયે આ કિસ્સો ખૂબ જ ચર્ચાયો હતો. લોકપ્રિય નામોને દેશમાં નો એન્ટ્રી કરવાનો એ સૌથી ચર્ચાસ્પદ અને સંભવતઃ પ્રથમ મોટો બનાવ હતો. એ પછી ધ બેટલેસ માટે ફિલિપાઇન્સના દરવાજા પણ બંધ થયા હતા. કેમ કે, આ પોપ્યુલર ગૃપના ફેન એવા ફિલિપાઇન્સના ફર્સ્ટ લેડી સાથે બ્રેકફાસ્ટનું ભાવભર્યુ આમંત્રણ ગૃપ મેમ્બર્સને મળ્યું હતું, પણ ધ બિટલેસે તેનો અસ્વીકાર કર્યો હતો એટલે અંતે ફિલિપાઇન્સે તેમના નામ પર હંમેશા માટે ચોકડી મારી દીધી હતી. ફિલિપાઇન્સની લાગણી દૂભાય જાય તો કેવા નિર્ણયો લઈ શકે તેનો એક બીજો નમૂનો...
એલેક બેલ્ડવિનઃ ફિલિપાઇન્સ વિરુદ્ધ એક કમેન્ટ આપી અને...અમેરિકન અભિનેતા એલેક બેલ્ડવિને કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ ડેવિડ લેટરમેનના શોમાં આવીને ૨૦૦૯માં ફિલિપાઇન્સની એક ટીખળ કરી હતી. જેને જવાબ આપતા ફિલિપાઇન્સે તેને પોતાના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એલેકની મજાક કંઈક એવી હતી કે 'જો તમને વધુ બાળકોની જરૃર હોય તો ફિલિપાઇન્સની દુલ્હન સાથે લગ્ન કરી લેવા જોઈએ!' તેની આ મજાકને ફિલિપાઇન્સે ગંભીરતાથી લીધી હતી અને એલેક ફિલિપાઇન્સમાં ક્યારેય પગ ન મૂકે એવી વ્યવસ્થા કરી હતી.
લેડી ગાગા, માઇલી સાયરસ, લીલી એલન, બિયોન્સ નોલેસ, માર્થા સ્ટીવર્ટ, એમી વાઇનહાઉસ, સલમા હાયેક સહિતની કેટલીય સુંદરીઓને તેના વર્તનના કારણે કે પછી અશ્લિલ ફોટોશૂટના કારણેે અલગ અલગ દેશોમાં પ્રવેશ નિષેધ ફરમાવાયો છે. ઘણા કિસ્સાઓમાં તો અધવચ્ચેથી પ્રવાસ ટૂંકાવીને પોતાના દેશમાં ચાલ્યા જવાનો હુકમ પણ છૂટયો છે. જેમ કે, થોડા મહિનાઓ પહેલા લેડી ગાગા દૂબઈમાં જાહેર સ્થળોએ નગ્ન ફોટોશૂટ કરાવતી હતી એટલે તેના વિઝા પરવાનાને ટૂંકાવી દેવામાં આવ્યો હતો.
એક એવી સેલિબ્રિટી જેના માટે વિશ્વના બધા જ દેશોના દરવાજા બંધ છે!
લંડનમાં રહેતા ગેરી ગ્લિટર માટે વિશ્વમાં તમામ દેશોના દરવાજા બંધ છે. ૭૦-૮૦ના દશકમાં રોક સ્ટાર ગેરીએ બ્રિટન-અમેરિકાની નવી પેઢીમાં પોતાના મ્યુઝિકનું ઘેલું લગાડયું હતું. મ્યુઝિક એલબમ્સની સાથે સાથે સ્ટેજ ગજવતા ગેરીની લોકપ્રિયતાની ઈર્ષા ભલભલા ગાયક-સંગીતકાર-ગીતકારને આવે એવો એ સમય હતો, પરંતુ જો સાવચેતી રાખવામાં ન આવે તો સૌથી પહેલું ગ્રહણ પ્રસિદ્ધિને લાગતું હોય છે. એવું જ ગેરીના કેસમાં થયું. ગેરી પર બાળયૌન શૌષણના આરોપ ઉપર આરોપ લાગતા ગયા અને એ વમળમાં ફસાતો ગયો. ડ્રગ્સના સેવનથી લઈને ચાઈલ્ડ પોર્નોગ્રાફી સુધીની બદીઓમાં તેનું નામ ઉછળ્યું. આરોપો સાબિત થતા ગયા અને ગેરી માટે મુશ્કેલીઓનો પહાડ ખડકાવા લાગ્યો. તેને સજા થઈ, તેણે વળતી અપિલ કરી વગેરે વગેરે ઘણું બનતું રહ્યું. સાથે સાથે બધા દેશોએ એક યા બીજા કારણોથી તેના પ્રવેશ પર પણ પાબંદી મૂકી દીધી. હવે સ્થિતિ એ છે કે ૭૦ વર્ષના ગેરી પાસે બ્રિટન સિવાય બધા જ દેશોના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે.
લેડી ગાગા, માઇલી સાયરસ, લીલી એલન, બિયોન્સ નોલેસ, માર્થા સ્ટીવર્ટ, એમી વાઇનહાઉસ, સલમા હાયેક સહિતની કેટલીય સુંદરીઓને તેના વર્તનના કારણે કે પછી અશ્લિલ ફોટોશૂટના કારણેે અલગ અલગ દેશોમાં પ્રવેશ નિષેધ ફરમાવાયો છે. ઘણા કિસ્સાઓમાં તો અધવચ્ચેથી પ્રવાસ ટૂંકાવીને પોતાના દેશમાં ચાલ્યા જવાનો હુકમ પણ છૂટયો છે. જેમ કે, થોડા મહિનાઓ પહેલા લેડી ગાગા દૂબઈમાં જાહેર સ્થળોએ નગ્ન ફોટોશૂટ કરાવતી હતી એટલે તેના વિઝા પરવાનાને ટૂંકાવી દેવામાં આવ્યો હતો.
એક એવી સેલિબ્રિટી જેના માટે વિશ્વના બધા જ દેશોના દરવાજા બંધ છે!
લંડનમાં રહેતા ગેરી ગ્લિટર માટે વિશ્વમાં તમામ દેશોના દરવાજા બંધ છે. ૭૦-૮૦ના દશકમાં રોક સ્ટાર ગેરીએ બ્રિટન-અમેરિકાની નવી પેઢીમાં પોતાના મ્યુઝિકનું ઘેલું લગાડયું હતું. મ્યુઝિક એલબમ્સની સાથે સાથે સ્ટેજ ગજવતા ગેરીની લોકપ્રિયતાની ઈર્ષા ભલભલા ગાયક-સંગીતકાર-ગીતકારને આવે એવો એ સમય હતો, પરંતુ જો સાવચેતી રાખવામાં ન આવે તો સૌથી પહેલું ગ્રહણ પ્રસિદ્ધિને લાગતું હોય છે. એવું જ ગેરીના કેસમાં થયું. ગેરી પર બાળયૌન શૌષણના આરોપ ઉપર આરોપ લાગતા ગયા અને એ વમળમાં ફસાતો ગયો. ડ્રગ્સના સેવનથી લઈને ચાઈલ્ડ પોર્નોગ્રાફી સુધીની બદીઓમાં તેનું નામ ઉછળ્યું. આરોપો સાબિત થતા ગયા અને ગેરી માટે મુશ્કેલીઓનો પહાડ ખડકાવા લાગ્યો. તેને સજા થઈ, તેણે વળતી અપિલ કરી વગેરે વગેરે ઘણું બનતું રહ્યું. સાથે સાથે બધા દેશોએ એક યા બીજા કારણોથી તેના પ્રવેશ પર પણ પાબંદી મૂકી દીધી. હવે સ્થિતિ એ છે કે ૭૦ વર્ષના ગેરી પાસે બ્રિટન સિવાય બધા જ દેશોના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે.
દુભાષિયાઃ નેતાઓના વિચારોને શબ્દોના વાઘા પહેરાવતા કીમિયાગરો
રશિયા અને અમેરિકાના નેતા વચ્ચે વિક્તોર સુખોડ્રેવ
જાપાનની યાત્રાએ ગયેલા વડાપ્રધાને મોટાભાગે હિન્દીમાં પ્રવચન કર્યું હતું. બે દેશોના નેતાઓ જ્યારે પોત-પોતાની ભાષામાં જ સંબોધન-વાર્તાલાપ કરવાનું વલણ અપનાવે ત્યારે દુભાષિયાની ભૂમિકા અતિ અગત્યની બની જતી હોય છે. રાજકીય નેતાઓના દુભાષિયા હોવું એટલે...
અમે તમારી કબર ખોદી નાખીશું!' આવું વાક્ય વાંચતા-સાંભળતાની સાથે જ રણમેદાનમાં સામ-સામે ઊભા રહીને એકમેકને પડકારતા દુશ્મનોનું દ્રશ્ય સહેજેય નજર સામે આવી જાય, પણ ખરેખર આ વાક્ય એક નેતાએ મંત્રણાના મંચ પર ઉચ્ચાર્યું હતું એવું કોઈ કહે તો? તો સ્વાભાવિક રીતે જ આશ્વર્યનો કોઈ પાર ન રહે કે આવું વાક્ય અને એ પણ મંત્રણાના મંચ પર! આવી ઘટના ખરેખર ૧૯૫૯માં બની હતી. એ કયા બે દેશો વચ્ચે બની હતી એ જો જાણીએ તો તો આશ્વર્ય એ બાબતે થાય કે ત્રીજું વિશ્વયુદ્ધ કઈ રીતે ટાળી શકાયું હશે! કેમ કે, આ વાક્ય રશિયન પ્રમુખ નિકિતા ક્રુશેવે અમેરિકામાં જઈને ઉચ્ચાર્યું હતું, એ ય પાછું શીતયુદ્ધના ગરમાવા વચ્ચે!
લેકીન, કિંતુ પરંતુ....આ વાક્ય નિકિતા બોલ્યા હતા ખરા, પણ તેમનો કહેવાનો અર્થ કંઈક જુદો હતો. વાત જાણે એમ હતી કે અમેરિકાની મુલાકાત દરમિયાન નિકિતાએ કહ્યું હતું કે સામ્યવાદ મૂડીવાદને ખતમ કરી નાખશે, (ટૂંકમાં આ મહાશય એમ કહેવા માંગતા હતા કે સામ્યવાદ મૂડીવાદ કરતા વધુ વખત ટકશે અને સ્વીકૃત બનશે!) પણ તેેમના દુભાષિયાએ રશિયનભાષામાંથી અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં સુધીમાં તેણે અમેરિકાની કબર ખોદી નાખી હતી! આ એક વાક્યના કારણે અમેરિકનોને નિકિતા ક્રુશેવ તોછડા લાગ્યા હતા અને અમેરિકન અખબારોએ આ ગુસ્તાખી બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. રશિયા પહોંચ્યા પછી તેમના દુભાષિયાની અનુવાદની આ ક્ષતિ સામે આવી હતી. જોકે, ત્યાં સુધીમાં મામલો થાળે પડી ચૂક્યો હતો.
આ આખી ઘટનામાં હજુ એક આશ્વર્ય બાકી છે. આ ગંભીર ભૂલ કરનારા માણસનું નામ હતું- વિક્તોર સુખોડ્રેવ. આપણા માટે આ નામ ભલે અજાણ્યું હોય, પરંતુ રાજકીય નેતાઓ વચ્ચે ભાષાંતરનું કામ કરતા વૈશ્વિક દુભાષિયાઓના આંતરિક વર્તુળોમાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. એટલું જ નહીં વિવિધ રાજદ્વારીઓ પણ તેમને સન્માનની દ્રષ્ટિએ જોતા હતા. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય સમજ એટલી ઉમદા હતી કે રશિયામાં કોઈ વિદેશી નેતાની સત્તાવાર મુલાકાત હોય કે રશિયન નેતાની મહત્ત્વની વિદેશ યાત્રા હોય, વિક્તોરની હાજરી અનિવાર્ય લેખાતી. નિકિતાથી લઈને મિખાઇલ ગાર્બાચોવ સુધીના રશિયન નેતાઓ માટે તેેમણે અસંખ્ય વિદેશ યાત્રાઓમાં અનુવાદકનું કામ કર્યું હતું. વિક્તોર જેવા ગણનાપાત્ર દુભાષિયાથી પણ આવી ગંભીર ભૂલ રહી જતી હોય તો એ કામ કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી અઘરી નથી.
આવો જ એક કિસ્સો અમેરિકન પ્રમુખ જિમી કાર્ટર સાથે પણ બન્યો હતો. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને હજુ તો માંડ થોડા મહિના થયા હતા ત્યારે તેમણે ૧૯૭૭માં પોલેન્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પ્રમુખના દુભાષિયા તરીકે એક રશિયન દુભાષિયાને રોકવામાં આવ્યો. તે રશિયનની સાથે પોલિશભાષા પણ જાણતો હતો. જોકે, તે રશિયનભાષાનો દુભાષિયો હતો પોલિશભાષા નહીં. એટલે તેણે પ્રમુખના અંગ્રેજીમાંથી જે પોલિશ ટ્રાન્સલેશન કર્યું એ ગંભીર છબરડાવાળું હતું. જેમકે, પ્રમુખ બોલ્યા કે 'જ્યારે હું અમેરિકા છોડીને પોલેન્ડ આવતો હતો ત્યારે મેં આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી'. પેલાએ એનો અનુવાદ કર્યો 'જ્યારે હું અમેરિકા ત્યાગી રહ્યો હતો ત્યારે મને તમારી લાલસા હતી!' આ વાક્યોને પકડીને પોલેન્ડ-અમેરિકા બંને દેશોના મીડિયામાં કાર્ટરની બરાબર ઠેકડી ઉડાડાઈ હતી.
આવો જ એક કિસ્સો ગયા વર્ષે ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલી આપવા ગયા ત્યારે તેમણે મંડેલાને સ્મરાંજલી આપતા કેટલાક શબ્દો કહ્યાં હતાં. જેને થામ્સાંકા જેન્ટજિ નામના આફ્રિકન દુભાષિયાએ અલગ રીતે રજૂ કર્યા હતા. જેને કારણે પછી આફ્રિકન સરકારને પણ ખૂલાસો આપવો પડયો હતો. થામ્સાંકા પર આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા વખતે ય જોવા મળ્યું કે કોઈ વિદેશી નેતા જ્યારે પોતાની ભાષામાં વકતવ્ય આપે ત્યારે એ વકતવ્યને તરત જ જે તે ભાષામાં ઢાળવાનું કામ કેટલું કૂનેહ માંગી લેતું હોય છે. વડાપ્રધાન મોદી એકાદ પેરેગ્રાફ જેટલું બોલીને અટકે એટલે તરત જ દુભાષિયાનું કામ શરૃ થઈ જાય! મોદીએ તેમના પ્રવચનમાં હિન્દીના કેટલાંક શબ્દો પ્રયોજ્યા તેનો તરત થયેલો અનુવાદ જોવા જેવો છેઃ 'દાયિત્વ'નું ઈંગ્લીશ ખરેખર તો લાયેબિલિટી થવું જોઈએ, પણ દુભાષિયાને સુજેલો શબ્દ હતો-કેરફૂલી. એ જ રીતે મોદીએ જાપાનમાં મળેલા માન-પાન માટે પોતાને 'સૌભાગ્યશાળી' ગણાવ્યા તો એનો તરજૂમો થયો 'આઈ એમ લકી!'. પણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાની બ્યુટીને સમજનારા દુભાષિયાએ આ શબ્દ માટે 'આઈ એમ પ્રિવિલેજ્ડ', 'આઈ ઓનર્ડ ટુ બી હીઅર' 'આઈ એડ્માઇયર ફોર ધીસ વિઝિટ' કે એવો કોઈક થોડો વધારે મજેદાર અર્થ કાઢ્યો હોત!
બે દેશો વચ્ચેના ગંભીર કોમ્યુનિકેશનમાં એક એક શબ્દના યે અનેક અર્થ તારવવામાં આવતા હોય ત્યારે શબ્દોની હેરફેર ટાળીને, બોલનારી વ્યક્તિનો કહેવાનો મૂળ ભાવ જાળવી રાખીને એ જ ઘડીએ તરજૂમો કરવાનું કામ ધાર્યા કરતા અનેકગણું પડકારજનક છે અને એટલે આવી નાની મોટી ક્ષતિઓ સ્વાભાવિક પણ છે. આવી હ્યુમન એરર પાછળના કારણ અંગે તારણ કાઢતા વિશ્વના વિખ્યાત દુભાષિયાઓએ પોતાના વિચારો ઘણા પ્રસંગોએ વ્યક્ત કર્યા છે જે તેમના પ્રોફેશનના પડકારોને બખૂબી વાચા આપે છે.
અગાઉ જેનો ઉલ્લેખ થયો છે એ વિક્તોર સુખોડ્રેવ આ વર્ષે મે માસમાં ૮૧ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમણે એક વખત કહ્યું હતું કે 'એક તો ગંભીર પ્રકારના નીતિ વિષયક મુદ્દાઓની વાત થતી હોય અને એક કાને સાંભળ્યું જ હોય ત્યાં તરત જ બોલીને બીજી ભાષામાં શબ્દો વહેતા પણ કરવાના હોય છે. ખરેખર તો એક જ ભાષામાં બોલાયેલી વાતને તરત જ એ જ ભાષામાં બીજા શબ્દોમાં ઢાળવી હોય તો ય કપરું કામ છે ત્યારે આ તો આખી ભાષા જ બદલવાની છે. ત્યારે માહોલ જ એવો હોય છે કે દુભાષિયા દ્વારા બોલાતા શબ્દો કરોડો લોકોના ભવિષ્ય માટે કારણભૂત બનવાના હોય, એટલે એ રીતે ય સતર્ક રહેવું પડે છે. એક રીતે પોતાની ભાષામાં વાક્યો બોલતા નેતા કરતા દુભાષિયા દ્વારા બોલાતો અનુવાદ વધુ ઐતિહાસિક મૂલ્ય ધરાવતો હોય છે!'
ડો. બેનેફશેહ કેયનોસે ઈરાનના ચાર પ્રમુખો સાથે કામ કર્યું છે. ઈરાનની રાજકીય તાસિરથી બરાબર વાકેફ આ મહિલાએ એક વખત પોતાના કામ અંગે કહ્યું હતું કે દરેક પ્રમુખ અલગ અલગ માનસિકતા અને જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના કારણે તેમણે જે કહ્યું હોય એ પોતાની રીતે સાચું હોય, પણ તેનો સાર્વત્રિક અર્થ નીકળે ત્યારે વાત અલગ થઈ જતી હોય છે. કદાવર અને બોલકા રાજકીય નેતાઓના દુભાષિયા માટે આ બાબત જ સૌથી વધુ પડકારજનક છે.
ચીનના ડેંગ ઝિયાઓપિંગ સાથે કામ કરનારા વિક્ટર ગાઓનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં જ્યારે બંને નેતાઓ એક બીજા સાથે પોત-પોતાની ભાષામાં વાત કરતા હોય ત્યારે દુભાષિયાએ કરેલા અનુવાદનું મૂલ્ય વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય નીતિ જેવા ભારેખમ વિષય પર શબ્દોની જરાક પણ ચૂક થાય તો મંત્રણા પડી ભાંગવાની શક્યતા પણ ખૂબ પ્રબળ હોય છે. એ રીતે દુભાષિયાનું કામ માત્ર અનુવાદનું નથી, પણ જેમના માટે અનુવાદ કરવાનો છે એમની પોલિસી અને સ્વભાવથી પરિચિત હોવું અનિવાર્ય છે.
૧૮મી સદીના આરંભથી સત્તાવાર રીતે શરૃ થયેલી આ દુભાષિયાની સેવાઓનો ઈતિહાસ અને વર્તમાન ખૂબ રોચક છે. બે રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થતી હોય ત્યારે ગણ્યા-ગાંઠયા લોકો હોય છે કે જેને ખરેખર શું વાતચીત થઈ એની જાણકારી હોય છે. એમાં દુભાષિયાનો પણ સમાવેશ થાય છે. હ્યુમન એરરની વાત બાજુ પર રાખીએ તો એવા ય કિસ્સા નોંધાયા છે જેમાં બે દેશના સત્તાધિશો વચ્ચેની શાબ્દિક ઉગ્રતાને ખાળવામાં દુભાષિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. જેમ કે, વિક્ટર ગાઓએ નોંધ્યું છે એમ એક વખત ડેંગની અમેરિકા મુલાકાત વખતે (ડેંગ પ્રાદેશિક ઉચ્ચારણો બોલવામાં માહેર હતા અને તેની ચાઇનિઝભાષા પણ એવી જ પ્રાદેશિક ઉચ્ચારણોથી ભરપૂર રહેતી) તેમણે અમેરિકાના વલણ બાબતે જે શબ્દો કહ્યાં એને અમેરિકન દુભાષિયાએ અલગ રીતે સમજાવ્યા એટલે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વોલ્ટર મોન્ડેલ ભડક્યા. વિક્ટરે આખી વાતનો દોર હાથમાં લઈને વોલ્ટરને સમજાવ્યા પછી તેમણે ડેંગ સામે જોઈને સ્મિત આપ્યું!
ડો. બેનેફશેહ કેયનોસના ઓબ્ઝર્વેશન પ્રમાણે જ્યારે બે મોટા ગજાના નેતાઓ વાતચીત કરતા હોય ત્યારે તેમની વચ્ચે વારેવારે ઈગોનો ટકરાવ થતો રહેતો હોય છે. દ્વિપક્ષીય વાર્તાલાપમાં પોત-પોતાની ભાષામાં તક મળે તો ટોણો મારવાનું ન ચૂકતા નેતાઓના દુભાષિયા જાણી જોઈને આવી બધી બાબતોને ટાળી દેતા હોય છે. દુભાષિયાને અનુવાદ માટે જરૃરી શબ્દો શોધીને કામ નથી ચલાવવાનું હોતુ, પણ વિચારોનો અર્થ પારખીને પ્રગટ કરવાનો હોય છે. જો એમાં ઉણા ઉતરે તો થામ્સાંકા જેવી નોબત પણ આવી શકે!
લેકીન, કિંતુ પરંતુ....આ વાક્ય નિકિતા બોલ્યા હતા ખરા, પણ તેમનો કહેવાનો અર્થ કંઈક જુદો હતો. વાત જાણે એમ હતી કે અમેરિકાની મુલાકાત દરમિયાન નિકિતાએ કહ્યું હતું કે સામ્યવાદ મૂડીવાદને ખતમ કરી નાખશે, (ટૂંકમાં આ મહાશય એમ કહેવા માંગતા હતા કે સામ્યવાદ મૂડીવાદ કરતા વધુ વખત ટકશે અને સ્વીકૃત બનશે!) પણ તેેમના દુભાષિયાએ રશિયનભાષામાંથી અંગ્રેજી અનુવાદ કર્યો ત્યાં સુધીમાં તેણે અમેરિકાની કબર ખોદી નાખી હતી! આ એક વાક્યના કારણે અમેરિકનોને નિકિતા ક્રુશેવ તોછડા લાગ્યા હતા અને અમેરિકન અખબારોએ આ ગુસ્તાખી બદલ તેમની આકરી ઝાટકણી કાઢી હતી. રશિયા પહોંચ્યા પછી તેમના દુભાષિયાની અનુવાદની આ ક્ષતિ સામે આવી હતી. જોકે, ત્યાં સુધીમાં મામલો થાળે પડી ચૂક્યો હતો.
આ આખી ઘટનામાં હજુ એક આશ્વર્ય બાકી છે. આ ગંભીર ભૂલ કરનારા માણસનું નામ હતું- વિક્તોર સુખોડ્રેવ. આપણા માટે આ નામ ભલે અજાણ્યું હોય, પરંતુ રાજકીય નેતાઓ વચ્ચે ભાષાંતરનું કામ કરતા વૈશ્વિક દુભાષિયાઓના આંતરિક વર્તુળોમાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. એટલું જ નહીં વિવિધ રાજદ્વારીઓ પણ તેમને સન્માનની દ્રષ્ટિએ જોતા હતા. તેમની આંતરરાષ્ટ્રીય રાજકીય સમજ એટલી ઉમદા હતી કે રશિયામાં કોઈ વિદેશી નેતાની સત્તાવાર મુલાકાત હોય કે રશિયન નેતાની મહત્ત્વની વિદેશ યાત્રા હોય, વિક્તોરની હાજરી અનિવાર્ય લેખાતી. નિકિતાથી લઈને મિખાઇલ ગાર્બાચોવ સુધીના રશિયન નેતાઓ માટે તેેમણે અસંખ્ય વિદેશ યાત્રાઓમાં અનુવાદકનું કામ કર્યું હતું. વિક્તોર જેવા ગણનાપાત્ર દુભાષિયાથી પણ આવી ગંભીર ભૂલ રહી જતી હોય તો એ કામ કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી અઘરી નથી.
આવો જ એક કિસ્સો અમેરિકન પ્રમુખ જિમી કાર્ટર સાથે પણ બન્યો હતો. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યાને હજુ તો માંડ થોડા મહિના થયા હતા ત્યારે તેમણે ૧૯૭૭માં પોલેન્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પ્રમુખના દુભાષિયા તરીકે એક રશિયન દુભાષિયાને રોકવામાં આવ્યો. તે રશિયનની સાથે પોલિશભાષા પણ જાણતો હતો. જોકે, તે રશિયનભાષાનો દુભાષિયો હતો પોલિશભાષા નહીં. એટલે તેણે પ્રમુખના અંગ્રેજીમાંથી જે પોલિશ ટ્રાન્સલેશન કર્યું એ ગંભીર છબરડાવાળું હતું. જેમકે, પ્રમુખ બોલ્યા કે 'જ્યારે હું અમેરિકા છોડીને પોલેન્ડ આવતો હતો ત્યારે મેં આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી'. પેલાએ એનો અનુવાદ કર્યો 'જ્યારે હું અમેરિકા ત્યાગી રહ્યો હતો ત્યારે મને તમારી લાલસા હતી!' આ વાક્યોને પકડીને પોલેન્ડ-અમેરિકા બંને દેશોના મીડિયામાં કાર્ટરની બરાબર ઠેકડી ઉડાડાઈ હતી.
આવો જ એક કિસ્સો ગયા વર્ષે ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલી આપવા ગયા ત્યારે તેમણે મંડેલાને સ્મરાંજલી આપતા કેટલાક શબ્દો કહ્યાં હતાં. જેને થામ્સાંકા જેન્ટજિ નામના આફ્રિકન દુભાષિયાએ અલગ રીતે રજૂ કર્યા હતા. જેને કારણે પછી આફ્રિકન સરકારને પણ ખૂલાસો આપવો પડયો હતો. થામ્સાંકા પર આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા વખતે ય જોવા મળ્યું કે કોઈ વિદેશી નેતા જ્યારે પોતાની ભાષામાં વકતવ્ય આપે ત્યારે એ વકતવ્યને તરત જ જે તે ભાષામાં ઢાળવાનું કામ કેટલું કૂનેહ માંગી લેતું હોય છે. વડાપ્રધાન મોદી એકાદ પેરેગ્રાફ જેટલું બોલીને અટકે એટલે તરત જ દુભાષિયાનું કામ શરૃ થઈ જાય! મોદીએ તેમના પ્રવચનમાં હિન્દીના કેટલાંક શબ્દો પ્રયોજ્યા તેનો તરત થયેલો અનુવાદ જોવા જેવો છેઃ 'દાયિત્વ'નું ઈંગ્લીશ ખરેખર તો લાયેબિલિટી થવું જોઈએ, પણ દુભાષિયાને સુજેલો શબ્દ હતો-કેરફૂલી. એ જ રીતે મોદીએ જાપાનમાં મળેલા માન-પાન માટે પોતાને 'સૌભાગ્યશાળી' ગણાવ્યા તો એનો તરજૂમો થયો 'આઈ એમ લકી!'. પણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાની બ્યુટીને સમજનારા દુભાષિયાએ આ શબ્દ માટે 'આઈ એમ પ્રિવિલેજ્ડ', 'આઈ ઓનર્ડ ટુ બી હીઅર' 'આઈ એડ્માઇયર ફોર ધીસ વિઝિટ' કે એવો કોઈક થોડો વધારે મજેદાર અર્થ કાઢ્યો હોત!
બે દેશો વચ્ચેના ગંભીર કોમ્યુનિકેશનમાં એક એક શબ્દના યે અનેક અર્થ તારવવામાં આવતા હોય ત્યારે શબ્દોની હેરફેર ટાળીને, બોલનારી વ્યક્તિનો કહેવાનો મૂળ ભાવ જાળવી રાખીને એ જ ઘડીએ તરજૂમો કરવાનું કામ ધાર્યા કરતા અનેકગણું પડકારજનક છે અને એટલે આવી નાની મોટી ક્ષતિઓ સ્વાભાવિક પણ છે. આવી હ્યુમન એરર પાછળના કારણ અંગે તારણ કાઢતા વિશ્વના વિખ્યાત દુભાષિયાઓએ પોતાના વિચારો ઘણા પ્રસંગોએ વ્યક્ત કર્યા છે જે તેમના પ્રોફેશનના પડકારોને બખૂબી વાચા આપે છે.
અગાઉ જેનો ઉલ્લેખ થયો છે એ વિક્તોર સુખોડ્રેવ આ વર્ષે મે માસમાં ૮૧ વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમણે એક વખત કહ્યું હતું કે 'એક તો ગંભીર પ્રકારના નીતિ વિષયક મુદ્દાઓની વાત થતી હોય અને એક કાને સાંભળ્યું જ હોય ત્યાં તરત જ બોલીને બીજી ભાષામાં શબ્દો વહેતા પણ કરવાના હોય છે. ખરેખર તો એક જ ભાષામાં બોલાયેલી વાતને તરત જ એ જ ભાષામાં બીજા શબ્દોમાં ઢાળવી હોય તો ય કપરું કામ છે ત્યારે આ તો આખી ભાષા જ બદલવાની છે. ત્યારે માહોલ જ એવો હોય છે કે દુભાષિયા દ્વારા બોલાતા શબ્દો કરોડો લોકોના ભવિષ્ય માટે કારણભૂત બનવાના હોય, એટલે એ રીતે ય સતર્ક રહેવું પડે છે. એક રીતે પોતાની ભાષામાં વાક્યો બોલતા નેતા કરતા દુભાષિયા દ્વારા બોલાતો અનુવાદ વધુ ઐતિહાસિક મૂલ્ય ધરાવતો હોય છે!'
ડો. બેનેફશેહ કેયનોસે ઈરાનના ચાર પ્રમુખો સાથે કામ કર્યું છે. ઈરાનની રાજકીય તાસિરથી બરાબર વાકેફ આ મહિલાએ એક વખત પોતાના કામ અંગે કહ્યું હતું કે દરેક પ્રમુખ અલગ અલગ માનસિકતા અને જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાના કારણે તેમણે જે કહ્યું હોય એ પોતાની રીતે સાચું હોય, પણ તેનો સાર્વત્રિક અર્થ નીકળે ત્યારે વાત અલગ થઈ જતી હોય છે. કદાવર અને બોલકા રાજકીય નેતાઓના દુભાષિયા માટે આ બાબત જ સૌથી વધુ પડકારજનક છે.
ચીનના ડેંગ ઝિયાઓપિંગ સાથે કામ કરનારા વિક્ટર ગાઓનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધોમાં જ્યારે બંને નેતાઓ એક બીજા સાથે પોત-પોતાની ભાષામાં વાત કરતા હોય ત્યારે દુભાષિયાએ કરેલા અનુવાદનું મૂલ્ય વધારે હોય છે. આંતરરાષ્ટ્રીય નીતિ જેવા ભારેખમ વિષય પર શબ્દોની જરાક પણ ચૂક થાય તો મંત્રણા પડી ભાંગવાની શક્યતા પણ ખૂબ પ્રબળ હોય છે. એ રીતે દુભાષિયાનું કામ માત્ર અનુવાદનું નથી, પણ જેમના માટે અનુવાદ કરવાનો છે એમની પોલિસી અને સ્વભાવથી પરિચિત હોવું અનિવાર્ય છે.
૧૮મી સદીના આરંભથી સત્તાવાર રીતે શરૃ થયેલી આ દુભાષિયાની સેવાઓનો ઈતિહાસ અને વર્તમાન ખૂબ રોચક છે. બે રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થતી હોય ત્યારે ગણ્યા-ગાંઠયા લોકો હોય છે કે જેને ખરેખર શું વાતચીત થઈ એની જાણકારી હોય છે. એમાં દુભાષિયાનો પણ સમાવેશ થાય છે. હ્યુમન એરરની વાત બાજુ પર રાખીએ તો એવા ય કિસ્સા નોંધાયા છે જેમાં બે દેશના સત્તાધિશો વચ્ચેની શાબ્દિક ઉગ્રતાને ખાળવામાં દુભાષિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. જેમ કે, વિક્ટર ગાઓએ નોંધ્યું છે એમ એક વખત ડેંગની અમેરિકા મુલાકાત વખતે (ડેંગ પ્રાદેશિક ઉચ્ચારણો બોલવામાં માહેર હતા અને તેની ચાઇનિઝભાષા પણ એવી જ પ્રાદેશિક ઉચ્ચારણોથી ભરપૂર રહેતી) તેમણે અમેરિકાના વલણ બાબતે જે શબ્દો કહ્યાં એને અમેરિકન દુભાષિયાએ અલગ રીતે સમજાવ્યા એટલે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વોલ્ટર મોન્ડેલ ભડક્યા. વિક્ટરે આખી વાતનો દોર હાથમાં લઈને વોલ્ટરને સમજાવ્યા પછી તેમણે ડેંગ સામે જોઈને સ્મિત આપ્યું!
ડો. બેનેફશેહ કેયનોસના ઓબ્ઝર્વેશન પ્રમાણે જ્યારે બે મોટા ગજાના નેતાઓ વાતચીત કરતા હોય ત્યારે તેમની વચ્ચે વારેવારે ઈગોનો ટકરાવ થતો રહેતો હોય છે. દ્વિપક્ષીય વાર્તાલાપમાં પોત-પોતાની ભાષામાં તક મળે તો ટોણો મારવાનું ન ચૂકતા નેતાઓના દુભાષિયા જાણી જોઈને આવી બધી બાબતોને ટાળી દેતા હોય છે. દુભાષિયાને અનુવાદ માટે જરૃરી શબ્દો શોધીને કામ નથી ચલાવવાનું હોતુ, પણ વિચારોનો અર્થ પારખીને પ્રગટ કરવાનો હોય છે. જો એમાં ઉણા ઉતરે તો થામ્સાંકા જેવી નોબત પણ આવી શકે!
કેપ્ટન ચાર્લ્સઃ બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યૌદ્ધો
- ઈતિહાસમાં બે વખત સર્વોચ્ચ યુદ્ધ સન્માન મેળવનારા લડવૈયાની દાસ્તાન
- યુદ્ધનું પરિણામ યૌદ્ધાઓના પરાક્રમ પર નિર્ભર હોય અને પરાક્રમનું પ્રમાણ પારિતોષિક હોય! બીજા વિશ્વયુદ્ધમાં અપ્રતિમ સાહસ બતાવીને બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત થયેલો આવો જ અનોખો લડવૈયો હતો- ચાર્લ્સ અપહેમ...
'રાજાના આદેશાનુસાર આ વિશેષ એવોર્ડ ન્યુઝિલેન્ડની સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ ચાર્લ્સ અપહેમને એનાયત કરવામાં આવે છે. ચાર્લ્સે દુશ્મન સૈન્ય પર ત્રાટકવાની સાથે સાથે સાથી સૈનિકોને નવજીવન આપવામાં પણ એટલી મહામૂલી ભૂમિકા ભજવી હતી. દુશ્મનોને ત્રણ કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં આગળ વધતા અટકાવવામાં તેણે એકલા હાથે સફળતા મેળવી હતી. પોતાના પરાક્રમના કારણે સાથી સૈનિકોમાં જોમ ભરવાનું કામ પણ તેમણે બખૂબી કર્યું હતું. ૧૩ મીટર સુધી જમીન પર ઘસડાઈને તેણે ચોકીઓની રખેવાળી કરી હતી. વળી, 'બેટલ ઓફ ક્રીટ'માં જીવલેણ હથિયારો ધરાવતા ૨૨ દુશ્મનોને અંતિમ શ્વાસ લેવડાવવામાં તેની ગનમાંથી છૂટેલી ગોળીઓ કારણભૂત બની હતી. તેની આ યુદ્ધ કૂનેેહના કારણે આખી સેનાને પ્રેરણા મળી હતી. દુશ્મનો સામે આક્રમકતાથી તૂટી પડવાનો તેનો મનસૂબો ખરેખર પ્રશંસાને પાત્ર છે. બ્રિટન તેના શૌર્યનું સન્માન કરતા ગૌરવ અનુભવે છે.'
લંડનની યુદ્ધ ઓફિસમાંથી વહેતો થયેલો આ સંદેશો બ્રિટિશ સરકારની સત્તાવાર પત્રિકા 'ધ લંડન ગેજેટ'માં ૧૪ ઓક્ટોબર, ૧૯૪૧ના દિવસે પ્રકાશિત થયો ત્યારે ચાર્લ્સે કલ્પના પણ નહીં કરી હોય કે તે ટૂંક સમયમાં બીજી વખત આવા જ શબ્દો સાંભળવા ભાગ્યશાળી બનશે અને ૧૫૦ વર્ષ પછી ય 'વિક્ટોરિયા ક્રોસ' પારિતોષિક બબ્બે વખત મેળવનારા એક માત્ર સૈનિક તરીકે અવિસ્મરણીય બની રહેશે.
* * *
બીજા વિશ્વયુદ્ધની કારમી મરણચીસોના પડઘા આખા વિશ્વમાં ગુંજી રહ્યાં હતાં એ સમયે જર્મની-ઈટાલીની સંયુક્ત સેના વિરુદ્ધ બ્રિટનના નેજા હેઠળ ગ્રીસ-ન્યુુઝિલેન્ડ-ઓસ્ટ્રેલિયાની સેના ગ્રીસના ક્રીટ ટાપુ ઉપર જંગે ચડી હતી. ૧૯૪૧માં ૨૦મેથી ૧લી જૂન વચ્ચેના ૧૧ દિવસ ચાલેલા 'બેટલ ઓફ ક્રીટ' નામથી ઓળખાતા એ યુદ્ધમાં જર્મની-ઈટાલીની સેનાનો હાથ સતત ઉપર રહેતો હતો છતાં બ્રિટનના નેજા હેઠળ લડતા ન્યુઝિલેન્ડના ચાર્લ્સ અપહેમે દુશ્મનોના દાંત ખાટાં કરી નાખ્યાં હતાં. અમુક યુદ્ધની જીત મીઠી નથી લાગતી હોતી. 'બેટલ ઓફ ક્રીટ' પણ જર્મની માટે એવી જ એક કડવી જીત હતી. જેમાં વિજય મેળવ્યો હોવા છતાં જર્મની ચાર્લ્સના અનોખા પરાક્રમને કેમેય કરીને ભૂલી શકતું નહોતું. જર્મનીએ દિવસો અગાઉ કરેલી ગણતરીને નવા નવા સૈન્યમાં જોડાયેલા ૩૨ વર્ષના ચાર્લ્સે માત્ર ૮ દિવસમાં ઊંધી પાડી દીધી હતી. ક્રીટમાં વ્યૂહાત્મક રીતે પથરાયેલી મિત્ર રાષ્ટ્રોની ચોકીઓ કબ્જે કરવાની જર્મનીની મૂરાદ મનમાં જ રહી ગઈ હતી. આખી પલટનને નેસ્ત નાબૂદ કરવાની મનેચ્છા પણ અધૂરી રહી. આ એક જ સૈનિક બેખૌફીથી એવો તો ઝઝૂમ્યો હતો કે ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધની લડાઈઓમાં મિત્ર રાષ્ટ્રોના સૈનિકો તેના પરાક્રમના ઉદાહરણો આપતા હતા.
જોકે, ત્યારે જર્મનીએ પણ ક્યાં કલ્પના કરી હતી કે બીજા વિશ્વયુદ્ધના આ સૌથી પરાક્રમી સૈનિકનો બીજી વાર સામનો કરવાનો વખત બહુ જલ્દી આવવાનો છે!
* * *
બીજી વખતનું તેનું પરાક્રમ માત્ર થોડી કલાકો માટેનું હતું, પણ એ એટલું સજ્જડ હતું કે ઈજિપ્તના 'બેટલ ઓફ અલ એલીમેઇન'માં મિત્ર રાષ્ટ્રોની જીત પાછળ ચાર્લ્સની યુદ્ધનીતિએ અતિ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
'બેટલ ઓફ ક્રીટ'માં ચાર્લ્સ અપહેમે દાખવેલી યુદ્ધ કૂનેહ અને ચપળતા પછી છએક માસમાં તેને ન્યુઝિલેન્ડની એક પલટનનો કેપ્ટન બનાવાયો અને ઈજિપ્તમાં લડી રહેલી બ્રિટનની સેનાની મદદ માટે મોકલી દેવાયો. ચાર્લ્સની ખરી કસોટી હવે ઈજિપ્તમાં થવાની હતી. રણ પ્રદેશમાં ચાર્લ્સે પોતાની આખી ટીમને જુસ્સો આપીને આગળ વધારવાની હતી. ચાર્લ્સ એક સૈનિક તરીકે તો પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો હતો પરંતુ હવે તેને એક ટીમ લીડર તરીકે ય પોતાની યુુદ્ધ કુશળતા સાબિત કરવાની હતી. એમાં એ બરાબર કામિયાબ નિવડયો હતો.
૧૯૪૨માં ૧થી ૨૭ જુલાઈના દિવસો દરમિયાન ઈજિપ્તમાં બ્રિટન અને મિત્ર રાષ્ટ્રોની સામે જર્મની અને ઈટાલીએ મોરચો માંડયો હતો. એ યુદ્ધને વિશ્વયુદ્ધના ઈતિહાસમાં 'બેટલ ઓફ અલ એલીમેઇન' નામ આપવામાં આવ્યું હતું. એમાં બ્રિટનની સેનાને કવચ આપીને જર્મનીની શસ્ત્રોથી લદાયેલી એક આખી પલટનને રોકવાનું કામ ચાર્લ્સનું નેતૃત્વ ધરાવતી ન્યુઝિલેન્ડની એ સૈન્ય ટૂકડીએ કરવાનું હતું.
૧૪ અને ૧૫મી જુલાઈનો એ દિવસ કેપ્ટન ચાર્લ્સના નામે હંમેશા માટે નોંધાઈ ગયો. એ દિવસે તેણે ફરીથી જર્મનોને 'બેટલ ઓફ ક્રીટ'નું દુઃસ્વપ્ન યાદ કરાવ્યું હતું. રણમાં ધસમસતી આગળ વધી રહેલી જર્મનીની લશ્કરી છાવણીને ચાર્લ્સની સૈન્ય ટૂકડીએ અધવચ્ચે આંતરી. ચાર્લ્સે જર્મનીની કેટલીક ટેન્ક અને ગનથી ભરેલી જીપ પર હુમલો કરીને જર્મની પર બરાબર પ્રહાર કર્યો હતો. હાથમાં ગોળી ખાવા છતાં તેણે દુશ્મનોને પડકારવાનું ચાલું રાખ્યું. એ એટલી હદે ઘાયલ થયો હતો તો પણ તેણે દુશ્મન સેનાનો સામનો કર્યો. તેનાથી હવે ખસી શકાતું નહોતું છતાં એ ચાલી શક્યો ત્યાં સુધી તેણે જંગ જારી રાખ્યો. ગ્રીસની જેમ ઈજિપ્તમાં પણ તેણે જર્મન સેના વિરુદ્ધ છેક સુધી લડત આપી અને ઘણો યુદ્ધ સરંજામ એકલા હાથે નાબુદ કર્યો. તેના આ પરાક્રમ બદલ તેને બીજી વખત 'વિક્ટોરિયા ક્રોસ' આપવાનું નક્કી થયું. જે ઐતિહાસિક બાબત હતી. કેમ કે, ચાર્લ્સ અપહેમ પહેલા અને એ પછી આજ સુધી 'વિક્ટોરિયા ક્રોસ'ના દોઢસો વર્ષના ઈતિહાસમાં એ સન્માન કોઈ પણ સૈનિકને યુદ્ધમાં લડવા માટે બે વખત એનાયત નથી થયો! આ એવોર્ડે જ તેને બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યોદ્ધા સાબિત કર્યો હતો.
* * *
૧૧ મે, ૧૯૪૫ના એ દિવસે સૈનિકોનો ભવ્ય સત્કાર સમારોહ બકિંગહામ પેલેસમાં યોજાયો હતો. સૈનિકાના શૌર્યનું સન્માન કરવા માટે ખૂદ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ હાજર હતા. કેટલાકને બ્રિટનનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો તો કોઈને અન્ય મેડલ્સ મળવાના હતાં. એ સમારોહમાં ચાર્લ્સ અપહેમને પણ 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો. આખા સમારોહમાં એ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એવું ય નહોતું કે સમારોહમાં વિશેષ સન્માન મેળવનારો એ એક માત્ર યોદ્ધા હાજર હતો. બીજા ઘણાં બધાં લડવૈયાઓ અને યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લોકો હતા કે જેને 'વિક્ટોરિયા ક્રોસ' મળવાનો હતો, પણ તેમ છતાં ચાર્લ્સ એટલા માટે ધ્યાનાકર્ષક બન્યો હતો. કેમ કે, એ એક માત્ર સૈનિક હતો જેણે જીવનના ૩૭મા વર્ષે બબ્બે 'વિક્ટોરિયા ક્રોસ' પર પોતાનું નામ અંકિત કર્યું હતું.
''કેપ્ટન ચાર્લ્સ ખરેખર બીજાં 'વિક્ટોરિયા ક્રોસ'ને મેળવવા પાત્ર છે ખરા?''
સમારોહમાં ચાર્લ્સને એવોર્ડ આપતી વખતે રાજા જ્યોર્જ પંચમે મેજર જનરલ હોવાર્ડ કિપનબર્ગરને ઉદેશીને પૂછ્યું હતું.
''સર હું ખૂબ આદરપૂર્વક કહીશ કે જો મારી પાસે 'વિક્ટોરિયા ક્રોસ' આપવાની સત્તા હોત તો બેશક એકથી વધુ વખત મેં એ ચાર્લ્સને આપ્યો હોત!'' મેજર જનરલે રાજાના સન્માનમાં મસ્તક નમાવીને તરત રાજાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ઉત્તર અપેક્ષિત હોય એમ એ સાંભળતાની સાથે જ રાજાએ ચાર્લ્સની પીઠ થાબડી હતી. એ દ્રશ્ય ચાર્લ્સની આંખો સામે ૮૬ વર્ષ સુધી સતત તરવરતું હતું અને જ્યારે જ્યારે એ યાદ આવતું ત્યારે તેની આંખોમાં એક અનોખી ખૂમારી આવી જતી હતી.
આમ તો એની યુદ્ધ કારકિર્દી એટલી બધી લાંબી પણ નહોતી. ૧૯૩૯ સુધી સરકારી નોકરી કર્યા પછી બીજાં વિશ્વયુદ્ધના પડઘમ વાગ્યા ત્યારે યુવાનો સૈન્યમાં જોડાતા હતા એમાં ચાર્લ્સે પણ ન્યુઝિલેન્ડની સેનામાં જોડાવાનું મન મનાવ્યું. યુદ્ધ પછી ઈજાના કારણે તેમણે સેનામાંથી નિવૃત્તિ લીધી. યુવા વયે ખેતી કરી હતી એ જ વ્યવસાય ફરીથી અપનાવ્યો. યૌદ્ધાને સરકાર તરફથી મળતી લોન લીધી, તેમાંથી ખેતર લીધું અને ત્યાર બાદ તો શાળા કોલેજોમાં સ્કોલરશીપ આપીને ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ૧૯૯૪માં ૮૬ વર્ષની વયે ચાર્લ્સે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ઘરમાં કે ખેતરમાં જર્મન બનાવટની એક પણ ચીજવસ્તુ ન હોય એનું ખાસ ધ્યાન રાખતા હતા. ન્યુઝિલેન્ડમાં આજેય ૧૦ નેશનલ હીરોની યાદી તૈયાર કરવાની હોય તો એમાં લોકો ખૂબ ગૌરવપૂર્વક ચાર્લ્સ અપહેમનું નામ શુમાર કરે છે!
-------------------------------------------
ચાર્લ્સ અગાઉ બે વ્યક્તિએ બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવ્યાં છે!
જોકે, આ બંને તબીબ હતા અને સૈનિકોની સારવાર માટે તેમને આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ચાર્લ્સ અપહેમે એક યોદ્ધા તરીકે આ સન્માન મેળવીને બબ્બે વખત ઈતિહાસ રચનારો વિશ્વનો પ્રથમ લડવૈયો બન્યો હતો.
જોકે, ત્યારે જર્મનીએ પણ ક્યાં કલ્પના કરી હતી કે બીજા વિશ્વયુદ્ધના આ સૌથી પરાક્રમી સૈનિકનો બીજી વાર સામનો કરવાનો વખત બહુ જલ્દી આવવાનો છે!
* * *
બીજી વખતનું તેનું પરાક્રમ માત્ર થોડી કલાકો માટેનું હતું, પણ એ એટલું સજ્જડ હતું કે ઈજિપ્તના 'બેટલ ઓફ અલ એલીમેઇન'માં મિત્ર રાષ્ટ્રોની જીત પાછળ ચાર્લ્સની યુદ્ધનીતિએ અતિ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
'બેટલ ઓફ ક્રીટ'માં ચાર્લ્સ અપહેમે દાખવેલી યુદ્ધ કૂનેહ અને ચપળતા પછી છએક માસમાં તેને ન્યુઝિલેન્ડની એક પલટનનો કેપ્ટન બનાવાયો અને ઈજિપ્તમાં લડી રહેલી બ્રિટનની સેનાની મદદ માટે મોકલી દેવાયો. ચાર્લ્સની ખરી કસોટી હવે ઈજિપ્તમાં થવાની હતી. રણ પ્રદેશમાં ચાર્લ્સે પોતાની આખી ટીમને જુસ્સો આપીને આગળ વધારવાની હતી. ચાર્લ્સ એક સૈનિક તરીકે તો પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો હતો પરંતુ હવે તેને એક ટીમ લીડર તરીકે ય પોતાની યુુદ્ધ કુશળતા સાબિત કરવાની હતી. એમાં એ બરાબર કામિયાબ નિવડયો હતો.
૧૯૪૨માં ૧થી ૨૭ જુલાઈના દિવસો દરમિયાન ઈજિપ્તમાં બ્રિટન અને મિત્ર રાષ્ટ્રોની સામે જર્મની અને ઈટાલીએ મોરચો માંડયો હતો. એ યુદ્ધને વિશ્વયુદ્ધના ઈતિહાસમાં 'બેટલ ઓફ અલ એલીમેઇન' નામ આપવામાં આવ્યું હતું. એમાં બ્રિટનની સેનાને કવચ આપીને જર્મનીની શસ્ત્રોથી લદાયેલી એક આખી પલટનને રોકવાનું કામ ચાર્લ્સનું નેતૃત્વ ધરાવતી ન્યુઝિલેન્ડની એ સૈન્ય ટૂકડીએ કરવાનું હતું.
૧૪ અને ૧૫મી જુલાઈનો એ દિવસ કેપ્ટન ચાર્લ્સના નામે હંમેશા માટે નોંધાઈ ગયો. એ દિવસે તેણે ફરીથી જર્મનોને 'બેટલ ઓફ ક્રીટ'નું દુઃસ્વપ્ન યાદ કરાવ્યું હતું. રણમાં ધસમસતી આગળ વધી રહેલી જર્મનીની લશ્કરી છાવણીને ચાર્લ્સની સૈન્ય ટૂકડીએ અધવચ્ચે આંતરી. ચાર્લ્સે જર્મનીની કેટલીક ટેન્ક અને ગનથી ભરેલી જીપ પર હુમલો કરીને જર્મની પર બરાબર પ્રહાર કર્યો હતો. હાથમાં ગોળી ખાવા છતાં તેણે દુશ્મનોને પડકારવાનું ચાલું રાખ્યું. એ એટલી હદે ઘાયલ થયો હતો તો પણ તેણે દુશ્મન સેનાનો સામનો કર્યો. તેનાથી હવે ખસી શકાતું નહોતું છતાં એ ચાલી શક્યો ત્યાં સુધી તેણે જંગ જારી રાખ્યો. ગ્રીસની જેમ ઈજિપ્તમાં પણ તેણે જર્મન સેના વિરુદ્ધ છેક સુધી લડત આપી અને ઘણો યુદ્ધ સરંજામ એકલા હાથે નાબુદ કર્યો. તેના આ પરાક્રમ બદલ તેને બીજી વખત 'વિક્ટોરિયા ક્રોસ' આપવાનું નક્કી થયું. જે ઐતિહાસિક બાબત હતી. કેમ કે, ચાર્લ્સ અપહેમ પહેલા અને એ પછી આજ સુધી 'વિક્ટોરિયા ક્રોસ'ના દોઢસો વર્ષના ઈતિહાસમાં એ સન્માન કોઈ પણ સૈનિકને યુદ્ધમાં લડવા માટે બે વખત એનાયત નથી થયો! આ એવોર્ડે જ તેને બીજા વિશ્વયુદ્ધનો સૌથી પરાક્રમી યોદ્ધા સાબિત કર્યો હતો.
* * *
૧૧ મે, ૧૯૪૫ના એ દિવસે સૈનિકોનો ભવ્ય સત્કાર સમારોહ બકિંગહામ પેલેસમાં યોજાયો હતો. સૈનિકાના શૌર્યનું સન્માન કરવા માટે ખૂદ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ હાજર હતા. કેટલાકને બ્રિટનનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો તો કોઈને અન્ય મેડલ્સ મળવાના હતાં. એ સમારોહમાં ચાર્લ્સ અપહેમને પણ 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનો હતો. આખા સમારોહમાં એ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. એવું ય નહોતું કે સમારોહમાં વિશેષ સન્માન મેળવનારો એ એક માત્ર યોદ્ધા હાજર હતો. બીજા ઘણાં બધાં લડવૈયાઓ અને યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા લોકો હતા કે જેને 'વિક્ટોરિયા ક્રોસ' મળવાનો હતો, પણ તેમ છતાં ચાર્લ્સ એટલા માટે ધ્યાનાકર્ષક બન્યો હતો. કેમ કે, એ એક માત્ર સૈનિક હતો જેણે જીવનના ૩૭મા વર્ષે બબ્બે 'વિક્ટોરિયા ક્રોસ' પર પોતાનું નામ અંકિત કર્યું હતું.
''કેપ્ટન ચાર્લ્સ ખરેખર બીજાં 'વિક્ટોરિયા ક્રોસ'ને મેળવવા પાત્ર છે ખરા?''
સમારોહમાં ચાર્લ્સને એવોર્ડ આપતી વખતે રાજા જ્યોર્જ પંચમે મેજર જનરલ હોવાર્ડ કિપનબર્ગરને ઉદેશીને પૂછ્યું હતું.
''સર હું ખૂબ આદરપૂર્વક કહીશ કે જો મારી પાસે 'વિક્ટોરિયા ક્રોસ' આપવાની સત્તા હોત તો બેશક એકથી વધુ વખત મેં એ ચાર્લ્સને આપ્યો હોત!'' મેજર જનરલે રાજાના સન્માનમાં મસ્તક નમાવીને તરત રાજાના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ઉત્તર અપેક્ષિત હોય એમ એ સાંભળતાની સાથે જ રાજાએ ચાર્લ્સની પીઠ થાબડી હતી. એ દ્રશ્ય ચાર્લ્સની આંખો સામે ૮૬ વર્ષ સુધી સતત તરવરતું હતું અને જ્યારે જ્યારે એ યાદ આવતું ત્યારે તેની આંખોમાં એક અનોખી ખૂમારી આવી જતી હતી.
આમ તો એની યુદ્ધ કારકિર્દી એટલી બધી લાંબી પણ નહોતી. ૧૯૩૯ સુધી સરકારી નોકરી કર્યા પછી બીજાં વિશ્વયુદ્ધના પડઘમ વાગ્યા ત્યારે યુવાનો સૈન્યમાં જોડાતા હતા એમાં ચાર્લ્સે પણ ન્યુઝિલેન્ડની સેનામાં જોડાવાનું મન મનાવ્યું. યુદ્ધ પછી ઈજાના કારણે તેમણે સેનામાંથી નિવૃત્તિ લીધી. યુવા વયે ખેતી કરી હતી એ જ વ્યવસાય ફરીથી અપનાવ્યો. યૌદ્ધાને સરકાર તરફથી મળતી લોન લીધી, તેમાંથી ખેતર લીધું અને ત્યાર બાદ તો શાળા કોલેજોમાં સ્કોલરશીપ આપીને ઘણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. ૧૯૯૪માં ૮૬ વર્ષની વયે ચાર્લ્સે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ઘરમાં કે ખેતરમાં જર્મન બનાવટની એક પણ ચીજવસ્તુ ન હોય એનું ખાસ ધ્યાન રાખતા હતા. ન્યુઝિલેન્ડમાં આજેય ૧૦ નેશનલ હીરોની યાદી તૈયાર કરવાની હોય તો એમાં લોકો ખૂબ ગૌરવપૂર્વક ચાર્લ્સ અપહેમનું નામ શુમાર કરે છે!
-------------------------------------------
ચાર્લ્સ અગાઉ બે વ્યક્તિએ બબ્બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવ્યાં છે!
ડો. આર્થર માર્ટિન લીક
ચાર્લ્સ અપહેમ અગાઉ બે વ્યક્તિઓને યુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ કોમનવેલ્થનો આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળી ચૂક્યો છે. બે વખત 'વિક્ટોરિયા ક્રોસ' મેળવનારી પ્રથમ વ્યક્તિ હતા ડો. આર્થર માર્ટિન લીક. ૧૯૦૨ની બોર વોરમાં દુશ્મનોથી માત્ર ૧૦૦ મીટરના અંતરે રહીને સૈનિકોની સારવાર કરી હતી. કેટલાય સૈનિકોનો જીવ બચાવવામાં ચાવીરૃપ ભૂમિકા ભજવવા બદલ આ તબીબને બ્રિટને વીરતાનો સર્વોચ્ચ પુરસ્કાર આપ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ માર્ટિને તેની આ બહાદુરી ફરી વખત બતાવી હતી. દુશ્મનોની ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ થયેલા અસંખ્ય સૈનિકોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતાં. ગોળીઓના વરસાદ વચ્ચે તેમણે નિર્ભિક થઈને સારવારની કામગીરી કરી હતી જેના માટે સૈન્યના કમાન્ડરે તેમને 'વિક્ટોરિયા ક્રોસ' આપવા ભલામણ કરી હતી.
ડો. નોએલ ચાવાસી
આવા જ બીજા તબીબ હતા નોએલ ચાવાસી. રોયલ આર્મી સાથે મેડિકલ ટીમમાં સમાવેશ પામનારા ડો નોએલે બ્રિટનના અસંખ્ય સૈનિકોને નવજીવન આપ્યું હતું. બેટલ ઓફ સોમ વખતે તેણે ૫૦૦ લોકોની સારવાર ગોળીબારી વચ્ચે કરી હતી. જેના માટે તેનું સન્માન 'વિક્ટોરિયા ક્રોસ'થી કરાયું હતું. ૧૯૧૭ના વર્ષમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં જ બેટલ ઓફ મુડ વખતે તેમણે ફરી વખત સતત બે દિવસ અને બે રાત ખડેપગે રહીને સૈનિકોની સારવાર કરી હતી. તેમણે ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગંભીર રીતે ઘવાયેલા લોકોની સારવાર કરી હતી એટલે તેમને ફરી વખત 'વિક્ટોરિયા ક્રોસ'થી પુરસ્કૃત કરાયા હતા.જોકે, આ બંને તબીબ હતા અને સૈનિકોની સારવાર માટે તેમને આ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ચાર્લ્સ અપહેમે એક યોદ્ધા તરીકે આ સન્માન મેળવીને બબ્બે વખત ઈતિહાસ રચનારો વિશ્વનો પ્રથમ લડવૈયો બન્યો હતો.
---------------------------------------
સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' ક્યારથી અપાય છે?
'વિક્ટોરિયા ક્રોસ'એ બ્રિટનના આધિપત્ય હેઠળનો સર્વોચ્ચ યુદ્ધ ચંદ્રક છે. કોમનવેલ્થ તરીકે ઓળખાતા ૫૩ દેશોના સૈનિકોને અને યુદ્ધમાં અન્ય મહત્ત્વની બહાદુરી બતાવવાના સન્માન રૃપે આ એવોર્ડ એનાયત થતો હતો અને હજુ પણ થાય છે.
૧૮૫૦ આસપાસ ઈંગ્લેન્ડનો સુરજ સોળે કળાએ ખીલતો હતો. એ સમયે આર્મી ઓફિસર્સને તેમણે યુદ્ધમાં દાખવેલા શૌર્ય માટે સન્માન કરવામાં આવતું હતું, પણ સૈનિકો માટે એવો કોઈ જ વિશેષ એવોર્ડ એનાયત નહોતો કરાતો. ત્યારે ૧૮૫૪માં એક વિશેષ સમિતિએ આવા એવોર્ડની ભલામણ રાણી વિક્ટોરિયાને કરી હતી. આર્મી અધિકારીઓએ એનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે આ એવોર્ડની તરફેણ કરી હતી. પરિણામે ૨૯ જાન્યુઆરી, ૧૮૫૬માં 'વિક્ટોરિયા ક્રોસ'ની સમિતિનું ગઠન થયું હતું. નામ અંગે ઘણી અવઢવના અંતે પ્રિન્સ આલ્બર્ટે 'વિક્ટોરિયા ક્રોસ' નામ પર મંજૂરી લગાવી હતી. એ નામને રાણીએ પણ વધાવી લીધું હતું. ત્યાર બાદ ૧૮૫૭થી એ એવોર્ડની શરૃઆત થઈ હતી.
સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વિક્ટોરિયા ક્રોસ' ક્યારથી અપાય છે?
'વિક્ટોરિયા ક્રોસ'એ બ્રિટનના આધિપત્ય હેઠળનો સર્વોચ્ચ યુદ્ધ ચંદ્રક છે. કોમનવેલ્થ તરીકે ઓળખાતા ૫૩ દેશોના સૈનિકોને અને યુદ્ધમાં અન્ય મહત્ત્વની બહાદુરી બતાવવાના સન્માન રૃપે આ એવોર્ડ એનાયત થતો હતો અને હજુ પણ થાય છે.
૧૮૫૦ આસપાસ ઈંગ્લેન્ડનો સુરજ સોળે કળાએ ખીલતો હતો. એ સમયે આર્મી ઓફિસર્સને તેમણે યુદ્ધમાં દાખવેલા શૌર્ય માટે સન્માન કરવામાં આવતું હતું, પણ સૈનિકો માટે એવો કોઈ જ વિશેષ એવોર્ડ એનાયત નહોતો કરાતો. ત્યારે ૧૮૫૪માં એક વિશેષ સમિતિએ આવા એવોર્ડની ભલામણ રાણી વિક્ટોરિયાને કરી હતી. આર્મી અધિકારીઓએ એનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે આ એવોર્ડની તરફેણ કરી હતી. પરિણામે ૨૯ જાન્યુઆરી, ૧૮૫૬માં 'વિક્ટોરિયા ક્રોસ'ની સમિતિનું ગઠન થયું હતું. નામ અંગે ઘણી અવઢવના અંતે પ્રિન્સ આલ્બર્ટે 'વિક્ટોરિયા ક્રોસ' નામ પર મંજૂરી લગાવી હતી. એ નામને રાણીએ પણ વધાવી લીધું હતું. ત્યાર બાદ ૧૮૫૭થી એ એવોર્ડની શરૃઆત થઈ હતી.




















