- Back to Home »
- Sign in »
- પ્રાણી માત્ર જેલને પાત્ર!
Posted by :
Harsh Meswania
Sunday 9 February 2014
સાઇન-ઇન - હર્ષ મેસવાણિયા
થોડા દિવસ રશિયાની એક જેલમાં મોબાઇલ લઈ જતી બિલાડીની ધરપકડ થઈ! માણસોને તો જેલની સજા થતી જ હોય છે, પણ પ્રાણી-પંખીઓને જેલભેગા કરવામાં આવ્યા હોય એવા અનેક બનાવો નોંધાયા છે..
રશિયાના પાટનગર મોસ્કોથી એકાદ હજાર કિલોમીટર દૂર આવેલી જેલમાં કેદીઓની સાથે સાથે એક બિલાડીને પણ જેલની કોટડીમાં રાખવામાં આવી છે. આ બિલાડી કોઈ ખાસ કેદીની કે જેલર સા'બની પાલતું બિલાડી હોવાના કારણે કોટડીમાં નથી રખાઈ, પણ તેને હેરાફેરીના આરોપસર કેદની સજા મળી છે. વાત જાણે એમ છે કે આ બિલાડી જેલમાં કેદીઓ સુધી મોબાઇલ પહોંચાડવાનું ગુનાહિત કૃત્ય કરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. છેલ્લે જ્યારે એ કેટ પકડાઈ ત્યારે તે કોની પાસેથી મોબાઇલ લઈને કોને મોબાઇલ પહોંચાડવાનું મિશન પાર પાડી રહી હતી તેની કોઈ ભાળ જેલના સુરક્ષાતંત્રને ન મળી એટલે અંતે બિલાડી પર જ ગુનો દર્જ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવી. જો બિલાડી કોની છે એ વાતનો કંઈક પુરાવો મળ્યો હોત તો તેના માલિક પર કાર્યવાહી થાત, પરંતુ અહીં તો બિલાડીના ભાગ્યમાં જેલ જ લખાયેલી હતી!
બકરાના રસ્તામાં એક નવી નક્કોર પોલીસવેન હતી અને.....જો ભારતના આ ત્રણ બકરા બોલી શકતા હોત તો જરૃર દલીલ કરી હોત કે 'અમારા રસ્તામાં પોલીસવેન આવી ગઈ એમાં અમારો શું વાંક માયબાપ!' આસામના ધૂબરી નામના ટાઉનમાં બે દિવસ પહેલા જ પોલીસે વસાવેલી એક નવી નક્કોર કાર રસ્તા પર પાર્ક કરેલી પડી હતી. એ જ રસ્તા પરથી થોડા બકરાઓનું ટોળું નીકળ્યું અને કાર હડફેટે આવી ગઈ! પોલીસવેનને હડફેટે લેવાની ગુસ્તાખી કરનારા બધા બકરાઓ તો પોલીસને હાથ ન લાગ્યા, પણ જે બે-ત્રણ પકડાઈ શક્યા તેને પકડીને પોલીસે અંદર કરી દીધા પછી માલિકની શોધ આદરી. ૨૦૧૩માં બનેલી આ વિચિત્ર ઘટનામાં પોલીસે બકરાના માલિક પાસેથી વળતર મેળવ્યું હતું. એ દરમિયાન સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થાએ મધ્યસ્થી કરીને બકરાઓને જામીન અપાવી દીધા હતા. આ બકરાઓ પેલી રશિયાની બિલાડી કરતા વધુ નસીબદાર નીકળ્યા!
લાત મારનારા ગધેડાને દંડ
મેક્સિકોના ચૈપાસ પ્રાંતમાં એક ગધેડા સામે બે ગુના નોંધાયા હતા. બંને વખતે તેણે એક જ પ્રકારનો ગુનો કર્યો હતો-લાત મારવાનો. બે વ્યક્તિઓને તેણે એવી તો કચકચાવીને લાત મારી દીધી હતી કે પછી બંનેએ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરવી પડી હતી. માથાભારે ડોન્કીને પોલીસે પકડીને જેલમાં ધકેલી દીધો. થોડા દિવસ તો કોઈએ તેના ખબર ન પૂછ્યા, પણ પછી કોણ જાણે કેમ તેના માલિકે ગધેડાને છોડાવવાનું નક્કી કર્યું અને પોલીસ સાથે ડિલ કરી કે પેલા બંને અસર ગ્રસ્તોના હોસ્પિટલના બિલ તે ચૂકવી દેશે. બદલામાં ગધેડાને મૂક્ત કરી દેવાનો રહેશે. પોલીસે ગધેડાને જેલમાં સાચવી રાખવા કરતા તેને છોડી દેવાનું વધુ યોગ્ય લાગ્યુ હશે એટલે તેના માલિકને તોફાની ગધેડાને વ્યવસ્થિત સાચવવાની વૉર્નિંગ આપીને તેને મૂક્ત કરી દેવામાં આવ્યો. જોકે, માલિકને ૨૭,૦૦૦ હજાર રૃપિયાનો દંડ ભરવો પડયો હતો. જો એના અપલખણ આવા ને આવા રહેશે તો ભવિષ્યમાં તે ધરપકડના કારણે ફરી વખત ન્યુઝમાં સ્થાન મેળવી શકે છે.
એક યુવક ગાયની હડફેટે ચડયો અને જીવ ખોયો
નાઈજિરિયાના ઓગન સ્ટેટમાં આવેલા એક સાન્ગો ઓટા નામના નાનકડા ટાઉનમાં એક ગાય પર ખૂનનો આરોપ લગાવીને તેની ગત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. સાન્ગો ઓટામાં યુથ ફેસ્ટિવલની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. થોડા યુવાનો રિહર્ષલ કરી રહ્યાં હતા ત્યારે ગાય ત્યાંથી પસાર થઈ અને બે યુવાનોને હડફેટે લઈ લીધા. અઝિઝ સેલેકો નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને અંતે તેણે દમ તોડી દીધો હતો. ડેયો નામનો બીજો એક યુવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ સ્ટેશનની નજીકમાં બનેલા બનાવની જાણ તરત જ પોલીસને થઈ હતી અને તાત્કાલિક અસરથી એ ગાયની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, તેના માલિક સુધી પહોંચવામાં પોલીસ નાકામ રહી હતી એટલે ગાય હજુ પણ છેલ્લા સાત-આઠ માસથી જેલમાં છે. તેના પર ખૂનનો મુકદમો ચાલી રહ્યો છે. જો આરોપ સાબિત થશે તો બની શકે કે એ ગાયની બાકીની જિંદગી જેલમાં જ વીતશે.
રામાચંદ્રન નિરંકુશ બન્યો અને ત્રણ લોકોના મોતનું કારણ બન્યો
રામાચંદ્રન નામનો હાથી કેરળના ધાર્મિક મેળાવડામાં નિરંકુશ બન્યો હતો. જેમાં ત્રણ લોકોએ જાન ગુમાવ્યો હતો. આ ઘટનામાં હાથીની ધરપકડ કરાઈ હતી. રામાચંદ્રન હાથીને જેલમાં પૂર્યા પછી તેના માલિક સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી હતી. હાથીના ગંભીર ગુના બદલ તેનો માલિક દંડાયો હતો. માલિકને ૩૦ લાખ રૃપિયા ચૂકવવા પડયા હતા. જ્યારે હાથી ઉપર ત્રણ માસનો પ્રતિબંધ મૂકાયો હતો. રામાચંદ્રન ત્રણ માસ સુધી જાહેર રસ્તા પર ચાલી શક્યો ન હતો. બની શકે કે હવે તેનો માલિક તેની કસ્ટડી અન્ય કોઈને સાવ નજીવી કિંમતે આપી દેશે. કદાચ એવુંય બની શકે કે હવે પછી પ્રાણીઓને પાળવાનું જ બંધ કરી દેશે!
બકરાએ ફૂલ ખાધા એટલે કેસ થયો પણ કોર્ટે નિર્દોષ છોડયો!
ઓસ્ટ્રેલિયાના એક બકરાએ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટના ગાર્ડનમાં આવેલા ફૂલોને ખોરાક બનાવ્યા તો તેના પર આફત આવી પડી. તેની સામે ફરિયાદ થઈ. સામાન્ય કોર્ટમાં તેનો કેસ થયો અને તેના પર આશરે ૧૫ હજાર રૃપિયાનો દંડ થયો. બકરાના માલિક જિમ ડિઝર્નેટે ઉપલી અદાલતમાં અરજી કરી, જેમાં બકરાએ ઈરાદાપૂર્વક ફૂલ ખાધા હોવાનું સાબિત ન થઈ શક્યું અનેે તેનો નિર્દોષ છૂટકારો થયો. તેનો છૂટકારો થયો ત્યારે તેના માલિકે આસપાસના લોકોને પાર્ટી આપીને તેની ઉજવણી કરી હતી. જિમે તો ફેસબૂક પર પણ તેનું પેજ ક્રિએટ કર્યું હતું. જેને ૧૬,૦૦૦ લાઇક્સ મળી હતી. જિમ આ બકરાને લકીચાર્મ માને છે અને તેને પહેલાથી જ એવો અંદાજ હતો કે બકરા પર થયેલા કોર્ટ કેસમાં તેની ચોક્કસ જીત જ થશે!
પાડોશી દેશનું કબૂતર ભારતમાં ગિરફ્તાર
આપણા પાડોશી દેશ પાકિસ્તાનનું એક કબૂતર પોલીસે એટલા માટે ગિરફ્તાર કર્યું હતું. કેમ કે, તે ગળામાં દૂરબીન લટકાવીને ભારતના સીમાડામાં જાસૂસી કરતું હતું. અહીં એ પ્રશ્ન થાય કે એવી ખબર કેમ પડે કે એ કબૂતર પાકિસ્તાનનું હતું અને તે ભારતીય સીમાડાની જ જાસૂસી કરી રહ્યું હતું? તો એનો જવાબ કંઈક એવો છે કે કબૂતરને જ્યારે દૂરબીન સાથે જોયું ત્યારે પોલીસને શક થયો. પોલીસે વધુ તપાસ કરી તો કબૂતરના પગમાં એક પાકિસ્તાની નંબર લખ્યા હતા. જેનો કોઈ જ અત્તો-પત્તો ન લાગ્યો. વળી, પક્ષીવિદેની મદદ લીધા પછી જાણ્યું કે એ કબૂતર પાકિસ્તાનમાં મોટા પાયે જોવા મળતી કબૂતરની જાતિ જેવું હતું. કબૂતર કોના માટે કામ કરતું હતું તે પોલીસ શોધી શકી નથી. આજે બે વર્ષ પછી પણ કબૂતરનો કબ્જો અમૃતસર પોલીસ સ્ટેશન પાસે છે. આજેય તે કબૂતરને અને પોલીસને માલિકની તલાશ છે.
ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના બહાવલપુર જિલ્લામાં પકડાઈ ગયેલા વાંદરા સાથે પણ એવું જ કંઈક બન્યું. પાકિસ્તાનમાં તેની સામે જાસૂસીનો કોઈ મુકદમો સાબિત ન થયો એટલે તેને એક સ્થાનિક ઝૂને સોંપી દેવામાં આવ્યો છે. બે વર્ષથી તે ઝૂનો સભ્ય છે. આવું જ ગુજરાતમાં મુશર્રફની બાબતમાં બન્યું હતું. કચ્છના મહેમાન બનેલા મુશર્રફ નામના પાકિસ્તાની ઊંટ મરતા સુધી કચ્છમાં રહ્યું હતું. જનરલ પરવેઝ મુશર્રફની સરકાર વખતે ભારતમાં પ્રવેશ્યું હોવાથી તેનું નામ મુશર્રફ પડયું હતું. બોર્ડર પર પ્રાણીઓ પાસે જાસૂસી કરાવાતી હોવાનું દુનિયાભરમાં વ્યાપક રીતે બનતું રહે છે. તો ક્યારેય પશુ-પક્ષીઓ નિર્દોષ રીતે જ બોર્ડર ક્રોસ કરતા હોય છે અને બોર્ડર સિક્યોરિટીના હાથમાં પકડાઈ જાય છે. જીવ-દયા પ્રેમીઓનો પશુ-પક્ષીઓની ધરપકડ બાબતમાં એવો મત રહ્યો છે કે પશુ-પક્ષીઓ જાણી જોઈને ક્રાઇમ કરતા નથી એટલે તેને સજા કરવી બરાબર નથી. જોકે, એ વાત સાચી હોવા છતાં ય સજીવો અજાણતા ગુનો કરતા રહે છે અને સજા પણ ભોગવતા રહે છે!
થોડા દિવસ રશિયાની એક જેલમાં મોબાઇલ લઈ જતી બિલાડીની ધરપકડ થઈ! માણસોને તો જેલની સજા થતી જ હોય છે, પણ પ્રાણી-પંખીઓને જેલભેગા કરવામાં આવ્યા હોય એવા અનેક બનાવો નોંધાયા છે..
રશિયાના પાટનગર મોસ્કોથી એકાદ હજાર કિલોમીટર દૂર આવેલી જેલમાં કેદીઓની સાથે સાથે એક બિલાડીને પણ જેલની કોટડીમાં રાખવામાં આવી છે. આ બિલાડી કોઈ ખાસ કેદીની કે જેલર સા'બની પાલતું બિલાડી હોવાના કારણે કોટડીમાં નથી રખાઈ, પણ તેને હેરાફેરીના આરોપસર કેદની સજા મળી છે. વાત જાણે એમ છે કે આ બિલાડી જેલમાં કેદીઓ સુધી મોબાઇલ પહોંચાડવાનું ગુનાહિત કૃત્ય કરી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. છેલ્લે જ્યારે એ કેટ પકડાઈ ત્યારે તે કોની પાસેથી મોબાઇલ લઈને કોને મોબાઇલ પહોંચાડવાનું મિશન પાર પાડી રહી હતી તેની કોઈ ભાળ જેલના સુરક્ષાતંત્રને ન મળી એટલે અંતે બિલાડી પર જ ગુનો દર્જ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવી. જો બિલાડી કોની છે એ વાતનો કંઈક પુરાવો મળ્યો હોત તો તેના માલિક પર કાર્યવાહી થાત, પરંતુ અહીં તો બિલાડીના ભાગ્યમાં જેલ જ લખાયેલી હતી!
બકરાના રસ્તામાં એક નવી નક્કોર પોલીસવેન હતી અને.....જો ભારતના આ ત્રણ બકરા બોલી શકતા હોત તો જરૃર દલીલ કરી હોત કે 'અમારા રસ્તામાં પોલીસવેન આવી ગઈ એમાં અમારો શું વાંક માયબાપ!' આસામના ધૂબરી નામના ટાઉનમાં બે દિવસ પહેલા જ પોલીસે વસાવેલી એક નવી નક્કોર કાર રસ્તા પર પાર્ક કરેલી પડી હતી. એ જ રસ્તા પરથી થોડા બકરાઓનું ટોળું નીકળ્યું અને કાર હડફેટે આવી ગઈ! પોલીસવેનને હડફેટે લેવાની ગુસ્તાખી કરનારા બધા બકરાઓ તો પોલીસને હાથ ન લાગ્યા, પણ જે બે-ત્રણ પકડાઈ શક્યા તેને પકડીને પોલીસે અંદર કરી દીધા પછી માલિકની શોધ આદરી. ૨૦૧૩માં બનેલી આ વિચિત્ર ઘટનામાં પોલીસે બકરાના માલિક પાસેથી વળતર મેળવ્યું હતું. એ દરમિયાન સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થાએ મધ્યસ્થી કરીને બકરાઓને જામીન અપાવી દીધા હતા. આ બકરાઓ પેલી રશિયાની બિલાડી કરતા વધુ નસીબદાર નીકળ્યા!
લાત મારનારા ગધેડાને દંડ
મેક્સિકોના ચૈપાસ પ્રાંતમાં એક ગધેડા સામે બે ગુના નોંધાયા હતા. બંને વખતે તેણે એક જ પ્રકારનો ગુનો કર્યો હતો-લાત મારવાનો. બે વ્યક્તિઓને તેણે એવી તો કચકચાવીને લાત મારી દીધી હતી કે પછી બંનેએ હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરવી પડી હતી. માથાભારે ડોન્કીને પોલીસે પકડીને જેલમાં ધકેલી દીધો. થોડા દિવસ તો કોઈએ તેના ખબર ન પૂછ્યા, પણ પછી કોણ જાણે કેમ તેના માલિકે ગધેડાને છોડાવવાનું નક્કી કર્યું અને પોલીસ સાથે ડિલ કરી કે પેલા બંને અસર ગ્રસ્તોના હોસ્પિટલના બિલ તે ચૂકવી દેશે. બદલામાં ગધેડાને મૂક્ત કરી દેવાનો રહેશે. પોલીસે ગધેડાને જેલમાં સાચવી રાખવા કરતા તેને છોડી દેવાનું વધુ યોગ્ય લાગ્યુ હશે એટલે તેના માલિકને તોફાની ગધેડાને વ્યવસ્થિત સાચવવાની વૉર્નિંગ આપીને તેને મૂક્ત કરી દેવામાં આવ્યો. જોકે, માલિકને ૨૭,૦૦૦ હજાર રૃપિયાનો દંડ ભરવો પડયો હતો. જો એના અપલખણ આવા ને આવા રહેશે તો ભવિષ્યમાં તે ધરપકડના કારણે ફરી વખત ન્યુઝમાં સ્થાન મેળવી શકે છે.
એક યુવક ગાયની હડફેટે ચડયો અને જીવ ખોયો
નાઈજિરિયાના ઓગન સ્ટેટમાં આવેલા એક સાન્ગો ઓટા નામના નાનકડા ટાઉનમાં એક ગાય પર ખૂનનો આરોપ લગાવીને તેની ગત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. સાન્ગો ઓટામાં યુથ ફેસ્ટિવલની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. થોડા યુવાનો રિહર્ષલ કરી રહ્યાં હતા ત્યારે ગાય ત્યાંથી પસાર થઈ અને બે યુવાનોને હડફેટે લઈ લીધા. અઝિઝ સેલેકો નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો અને અંતે તેણે દમ તોડી દીધો હતો. ડેયો નામનો બીજો એક યુવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ સ્ટેશનની નજીકમાં બનેલા બનાવની જાણ તરત જ પોલીસને થઈ હતી અને તાત્કાલિક અસરથી એ ગાયની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, તેના માલિક સુધી પહોંચવામાં પોલીસ નાકામ રહી હતી એટલે ગાય હજુ પણ છેલ્લા સાત-આઠ માસથી જેલમાં છે. તેના પર ખૂનનો મુકદમો ચાલી રહ્યો છે. જો આરોપ સાબિત થશે તો બની શકે કે એ ગાયની બાકીની જિંદગી જેલમાં જ વીતશે.
રામાચંદ્રન નિરંકુશ બન્યો અને ત્રણ લોકોના મોતનું કારણ બન્યો
રામાચંદ્રન નામનો હાથી કેરળના ધાર્મિક મેળાવડામાં નિરંકુશ બન્યો હતો. જેમાં ત્રણ લોકોએ જાન ગુમાવ્યો હતો. આ ઘટનામાં હાથીની ધરપકડ કરાઈ હતી. રામાચંદ્રન હાથીને જેલમાં પૂર્યા પછી તેના માલિક સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી હતી. હાથીના ગંભીર ગુના બદલ તેનો માલિક દંડાયો હતો. માલિકને ૩૦ લાખ રૃપિયા ચૂકવવા પડયા હતા. જ્યારે હાથી ઉપર ત્રણ માસનો પ્રતિબંધ મૂકાયો હતો. રામાચંદ્રન ત્રણ માસ સુધી જાહેર રસ્તા પર ચાલી શક્યો ન હતો. બની શકે કે હવે તેનો માલિક તેની કસ્ટડી અન્ય કોઈને સાવ નજીવી કિંમતે આપી દેશે. કદાચ એવુંય બની શકે કે હવે પછી પ્રાણીઓને પાળવાનું જ બંધ કરી દેશે!
બકરાએ ફૂલ ખાધા એટલે કેસ થયો પણ કોર્ટે નિર્દોષ છોડયો!
ઓસ્ટ્રેલિયાના એક બકરાએ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટના ગાર્ડનમાં આવેલા ફૂલોને ખોરાક બનાવ્યા તો તેના પર આફત આવી પડી. તેની સામે ફરિયાદ થઈ. સામાન્ય કોર્ટમાં તેનો કેસ થયો અને તેના પર આશરે ૧૫ હજાર રૃપિયાનો દંડ થયો. બકરાના માલિક જિમ ડિઝર્નેટે ઉપલી અદાલતમાં અરજી કરી, જેમાં બકરાએ ઈરાદાપૂર્વક ફૂલ ખાધા હોવાનું સાબિત ન થઈ શક્યું અનેે તેનો નિર્દોષ છૂટકારો થયો. તેનો છૂટકારો થયો ત્યારે તેના માલિકે આસપાસના લોકોને પાર્ટી આપીને તેની ઉજવણી કરી હતી. જિમે તો ફેસબૂક પર પણ તેનું પેજ ક્રિએટ કર્યું હતું. જેને ૧૬,૦૦૦ લાઇક્સ મળી હતી. જિમ આ બકરાને લકીચાર્મ માને છે અને તેને પહેલાથી જ એવો અંદાજ હતો કે બકરા પર થયેલા કોર્ટ કેસમાં તેની ચોક્કસ જીત જ થશે!
પાડોશી દેશનું કબૂતર ભારતમાં ગિરફ્તાર
આપણા પાડોશી દેશ પાકિસ્તાનનું એક કબૂતર પોલીસે એટલા માટે ગિરફ્તાર કર્યું હતું. કેમ કે, તે ગળામાં દૂરબીન લટકાવીને ભારતના સીમાડામાં જાસૂસી કરતું હતું. અહીં એ પ્રશ્ન થાય કે એવી ખબર કેમ પડે કે એ કબૂતર પાકિસ્તાનનું હતું અને તે ભારતીય સીમાડાની જ જાસૂસી કરી રહ્યું હતું? તો એનો જવાબ કંઈક એવો છે કે કબૂતરને જ્યારે દૂરબીન સાથે જોયું ત્યારે પોલીસને શક થયો. પોલીસે વધુ તપાસ કરી તો કબૂતરના પગમાં એક પાકિસ્તાની નંબર લખ્યા હતા. જેનો કોઈ જ અત્તો-પત્તો ન લાગ્યો. વળી, પક્ષીવિદેની મદદ લીધા પછી જાણ્યું કે એ કબૂતર પાકિસ્તાનમાં મોટા પાયે જોવા મળતી કબૂતરની જાતિ જેવું હતું. કબૂતર કોના માટે કામ કરતું હતું તે પોલીસ શોધી શકી નથી. આજે બે વર્ષ પછી પણ કબૂતરનો કબ્જો અમૃતસર પોલીસ સ્ટેશન પાસે છે. આજેય તે કબૂતરને અને પોલીસને માલિકની તલાશ છે.
ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનના બહાવલપુર જિલ્લામાં પકડાઈ ગયેલા વાંદરા સાથે પણ એવું જ કંઈક બન્યું. પાકિસ્તાનમાં તેની સામે જાસૂસીનો કોઈ મુકદમો સાબિત ન થયો એટલે તેને એક સ્થાનિક ઝૂને સોંપી દેવામાં આવ્યો છે. બે વર્ષથી તે ઝૂનો સભ્ય છે. આવું જ ગુજરાતમાં મુશર્રફની બાબતમાં બન્યું હતું. કચ્છના મહેમાન બનેલા મુશર્રફ નામના પાકિસ્તાની ઊંટ મરતા સુધી કચ્છમાં રહ્યું હતું. જનરલ પરવેઝ મુશર્રફની સરકાર વખતે ભારતમાં પ્રવેશ્યું હોવાથી તેનું નામ મુશર્રફ પડયું હતું. બોર્ડર પર પ્રાણીઓ પાસે જાસૂસી કરાવાતી હોવાનું દુનિયાભરમાં વ્યાપક રીતે બનતું રહે છે. તો ક્યારેય પશુ-પક્ષીઓ નિર્દોષ રીતે જ બોર્ડર ક્રોસ કરતા હોય છે અને બોર્ડર સિક્યોરિટીના હાથમાં પકડાઈ જાય છે. જીવ-દયા પ્રેમીઓનો પશુ-પક્ષીઓની ધરપકડ બાબતમાં એવો મત રહ્યો છે કે પશુ-પક્ષીઓ જાણી જોઈને ક્રાઇમ કરતા નથી એટલે તેને સજા કરવી બરાબર નથી. જોકે, એ વાત સાચી હોવા છતાં ય સજીવો અજાણતા ગુનો કરતા રહે છે અને સજા પણ ભોગવતા રહે છે!