Archive for September 2017
AK-47ની શોધ બદલ મિખાઈલ કલાશનિકોવને અફસોસ હતો
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
AK-47ની શોધને ૭૦ વર્ષ થયા એ નિમિત્તે રશિયામાં તેના શોધક કલાશનિકોવનું સ્મારક ખુલ્લું મૂકાયું છે. કલાશનિકોવે કેવા સંજોગોમાં AK-47 બનાવી હતી?
ખેડૂત પરિવારમાં જન્મેલા મિખાઈલ કલાશનિકોવને બાળપણથી જ અલગ અલગ ચીજવસ્તુઓને ભેગી કરીને એના પ્રયોગો કરવા ગમતા હતા. કિશોરાવસ્થામાં મિખાઈલે ખેડૂત પિતાને ખેતીમાં મદદરૂપ બને એવા સાધનો બનાવી આપ્યા હતાં. વાવણી અને લણણી ઉપરાંત સિંચાઈમાં સરળતા રહે એવા મિખાઈલે બનાવેલા સાધનોની ડિમાન્ડ બીજા ખેડૂતો પણ કરવા લાગ્યા હતા.
પરિવારજનોએ ખેતીને બદલે આવા સાધનો બનાવવા તરફ ધ્યાન દેવાનું મિખાઈલને પ્રોત્સાહન આપવા માંડયું, પણ નવા સાધનો વિકસાવવા માટે ચીજવસ્તુઓ ખરીદવી પડે. એવું બજેટ તે વખતે મિખાઈલ પાસે ન હતું.
પરિવાર પાસે ય એવી રકમ ન હતી કે મિખાઈલની ધારણા પ્રમાણે બજેટ ફાળવી શકે. મિખાઈલે ટ્રેક્ટર રીપેર કરતા કારીગર પાસે થોડો વખત નોકરી કરી. થોડો સમય બીજી પણ નાની-મોટી નોકરીઓ કરીને બિઝનેસ માટે બજેટ એકઠું કરવા મથામણ આદરી. ખેતીમાં ઉપયોગી થાય તેવા સાધનો બનાવીને બિઝનેસ શરૂ કરવાનું મિખાઈલનું આયોજન સફળ થાય એ પહેલાં બીજા વિશ્વયુદ્ધનાં પડઘમ વાગ્યાં.
રશિયન આર્મીમાં યુવાનોની ભરતી થતી હતી. આર્થિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિખાઈલે પણ એમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. બીજા વિશ્વયુદ્ધની અરાજકતામાં ખેતી માટે મિખાઈલે કરેલી નાની-મોટી શોધો ભૂલાઈ ગઈ. ખુદ મિખાઈલે પણ એ પ્રયોગો ભૂલીને યુદ્ધમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
૧૯૪૧માં જર્મની સામે બ્રયાન્સ્કમાં યુદ્ધ થયું એમાં મિખાઈલને ગંભીર ઈજા થઈ. કેટલાય મહિનાઓ સુધી મિખાઈલને હોસ્પિટલના બિછાને પડી રહેવું પડયું. એ દરમિયાન તેનો પરિચય અન્ય ઈજાગ્રસ્ત સૈનિકો સાથે ય થયો. વાતચીત દરમિયાન તમામ સૈનિકો એક જ ફરિયાદ કરતા હતા કે તેમની પાસે જોઈએ એવી બંદૂક નથી. નાઝીસૈન્ય પાસે જેવી બંદૂકો છે એવી બંદૂકો રશિયન સૈનિકો પાસે હોય તો ઈજાગ્રસ્ત સૈનિકોની સંખ્યા ઘટી જાય એમ છે એવું મિખાઈલને સમજાયું ત્યારથી તેના પ્રયોગશીલ દિમાગમાં ફરીથી નવું સંશોધન કરવાનું જોમ આવ્યું.
હોસ્પિટલના બિછાને જ મિખાઈલે નવી બંદૂક બનાવવાના પ્રયોગો હાથ ધર્યાં. એ વખતે રશિયામાં જે બંદૂકનો ઉપયોગ થતો હતો તેમાં બે ગોળી છૂટે એ વચ્ચે ઘણો સમય જતો હતો. મિખાઈલે પહેલાં તો એ સમયગાળો ઘટે એ માટે સંશોધનો કર્યા. એ પછી ગોળીની તીવ્રતા વધારવાના પ્રયોગો પણ કર્યા. ઠંડા કે ગરમ વાતાવરણમાં રાઈફલ એક સરખી અસરથી દુશ્મનોને વીંધી નાખે તે માટે ય મિખાઈલે કામ કર્યું. નવી બંદૂકની ડિઝાઈનનું ઘણું કામ થઈ ચૂક્યું હતું એ દરમિયાન ઈજા સારી થઈ જતાં હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી.
આર્મીની જવાબદારી તેની રાહ જોઈને બેઠી હતી. ફરીથી મિખાઈલને યુદ્ધભૂમિમાં જવાનું થયું, પણ એ વખતે એક ઉચ્ચ આર્મી અધિકારીને મિખાઈલની બંદૂકની ડિઝાઈન વિશે ખબર પડી. ઉચ્ચ આર્મી અધિકારીએ તેને યુદ્ધભૂમિને બદલે શસ્ત્ર ડિઝાઈનર તરીકે કામ કરવાનું સૂચવ્યું. આર્મી અધિકારીએ સમજાવ્યું કે દેશને સૈનિકો તો મળી જશે, પણ શસ્ત્ર ડિઝાઈનર નહીં મળે. એ કામ વધુ મહત્વનું છે એવો ઉચ્ચ અધિકારીએ પાનો ચડાવ્યો એ સાથે મિખાઈલ કલાશનિકોવની રશિયન સૈન્યમાં વેપન્સ ડિઝાઈનર તરીકેની નવી કારકિર્દીનો આરંભ થયો.
***
મિલિટરી એન્જિનિયર તરીકે મિખાઈલે કામ શરૂ કર્યું એ સાથે નાના-મોટાં ઘણાં શસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં જે સાધનોની તાત્કાલિક જરૃરિયાત હતી એવા સાધનો પ્રાયોરિટીથી તેમણે બનાવી આપ્યાં. સબમશીન ગનથી લઈને હળવા વજનની બંદૂકો એ વર્ષોમાં તેમણે ડિઝાઈન કરી.
મિલિટરી એન્જિનિયર તરીકે મિખાઈલે કામ શરૂ કર્યું એ સાથે નાના-મોટાં ઘણાં શસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં જે સાધનોની તાત્કાલિક જરૃરિયાત હતી એવા સાધનો પ્રાયોરિટીથી તેમણે બનાવી આપ્યાં. સબમશીન ગનથી લઈને હળવા વજનની બંદૂકો એ વર્ષોમાં તેમણે ડિઝાઈન કરી.
દરમિયાન તેમના દિમાગમાં પેલી તીવ્ર અને ઘાતક બંદૂકની ડિઝાઈન તો આકાર પામતી જ હતી. પણ એ કામ તુરંત થઈ શકે એમ ન હતું. તેમણે સમય મળ્યે એમાં પ્રયોગો કર્યા. એવો જ એક પ્રયોગ વિશ્વયુદ્ધનું છેલ્લું વર્ષ ચાલતું હતું એ દરમિયાન ૧૯૪૫માં કર્યો. પરંતુ બંદૂકને મિલિટરી ટ્રાયલમાં સદંતર નિષ્ફળતા મળી. લશ્કરી અધિકારીઓએ મિખાઈલની ટીકા કરી અને આવા અશક્ય જણાતા પ્રોજેક્ટ ઉપર કામ કરવાને બદલે સૈન્ય માટે જરૃરી હોય એવા શસ્ત્રોની ડિઝાઈનમાં ધ્યાન આપવાની સલાહ આપી.
પણ લશ્કરી ટ્રાયલમાં નિષ્ફળ નીવડેલી બંદૂકથી મિખાઈલને બહુ જ અપેક્ષા હતી. મિખાઈલને હતું કે એ બંદૂક યુદ્ધભૂમિના સમીકરણો બદલી શકે તેમ છે. એ વિશ્વાસે મિખાઈલને ફરીથી પ્રયાસો કરવાનું બળ આપ્યું. યુદ્ધ પૂરુ થઈ ચૂક્યું હતું, પણ અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડવોરની શરૂઆત થઈ હતી. એ હિસાબે રશિયાએ શસ્ત્રોના પ્રયોગોમાં ઓટ ન આવવા દીધી. નવા નવા લશ્કરી પ્રયોગોને પૂરતું પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી.
એ નીતિના ભાગરૂપે મિખાઈલને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધારવાની પરવાનગી મળી. નિષ્ફળતા પછી બમણાં જોશથી સફળતા માટે પ્રયાસો કરી રહેલા મિખાઈલને ૧૯૪૭માં ધારણા પ્રમાણેની બંદૂક વિકસાવવામાં સફળતા મળી હતી. ઝડપી, તીવ્ર અને ઘાતક એ બંદૂકને નામ મળ્યું : AK-47.
***
૧૯૪૨થી શરૂ થયેલા પ્રયોગોને આખરે ૧૯૪૭માં સફળતા મળી હતી. ૧૯૪૭માં મિખાઈલ કલાશનિકોવે AK-47 બંદૂક બનાવી તે ઓટોમેટિક હતી. ઓટોમેટિક માટે રશિયામાં 'ઓવ્ટોમેટ' શબ્દ વપરાય છે. 'ઓવ્ટોમેટ'નો A, ડિઝાઈનર મિખાઈલની સરનેમ કલાશનિકોવનો K અને શોધ જે વર્ષે થઈ હતી એ ૧૯૪૭માંથી 47 લઈને બંદૂકને AK-47 નામ આપવામાં આવ્યું.
એ વખતે દુનિયામાં વપરાતી બધી જ બંદૂકો કરતા AK-47 આધુનિક હતી. ૧૯૪૮માં લશ્કરી પ્રયોગો સફળ થયા પછી રશિયાએ ૧૯૪૯માં આ બંદૂકને સત્તાવાર રીતે લશ્કરમાં સ્થાન આપ્યું.
AK-47 વિકસાવવામાં મિખાઈલને પાંચ વર્ષ લાગ્યાં હતાં, નોકરીના ભાગરૂપે આ રાઈફલ તેમણે ડિઝાઈન કરી હતી એટલે વિશ્વમાં બંદૂક સફળ થઈ પછી ય તેમને કશું જ આર્થિક વળતર મળ્યું ન હતું. વળી, આ રાઈફલના પ્રોડક્ટ હકો મિખાઈલના કે રશિયાના નામે નોંધાયા ન હતા એટલે ડિઝાઈનમાં ફેરફાર કરીને આ જ બંદૂક ઘણાં દેશોમાં બનવા લાગી હતી.
કોલ્ડવોર પછી અમેરિકામાં AK-47 બહુ જ લોકપ્રિય નીવડી. અત્યાર સુધીમાં ૧૦ કરોડ AK-47નું ઉત્પાદન થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં AK-47ને સૌથી વધુ ઉત્પાદિત બંદૂકની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
વિશ્વનાં ૧૦૬ જેટલાં દેશોમાં AK-47નો લશ્કરી ઉપયોગ થાય છે. સોમાલિયાના ચાંચિયાથી લઈને આતંકવાદીઓ સુધી પણ AK-47 પહોંચી ચૂકી છે. ૩૦ દેશો આ બંદૂકનું ઉત્પાદન કરે છે. સૌથી મોટા ઉત્પાદક દેશો રશિયા અને ચીન છે. આજે દુનિયામાં વર્ષે એકાદ લાખ લોકો આ બંદૂકના કારણે મૃત્યુ પામતા હોવાનું કહેવાય છે. તેને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતકી હથિયાર માનવામાં આવે છે.
રશિયન સૈનિકો દુશ્મનોની તીવ્ર ગોળીના જવાબરૂપે બચાવમાં તીવ્ર ગોળીઓ છોડી શકે એ માટે બનેલી બંદૂક પછીથી બર્બરતાનું પ્રતીક બની ગઈ છે. આજે વિશ્વમાં પ્રતિ ૬૦મા વ્યક્તિ પાસે એક AK-47 ઉપલબ્ધ છે. તેના વિવિધ ઉત્પાદનો ૧૦ ડોલરથી લઈને ૨૦૦ ડોલર સુધીમાં મળી જાય છે. એટલે કે ૭૦૦ રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીમાં આ રાઈફલ ઉપલબ્ધ બને છે.
૧૯૪૨થી શરૂ થયેલા પ્રયોગોને આખરે ૧૯૪૭માં સફળતા મળી હતી. ૧૯૪૭માં મિખાઈલ કલાશનિકોવે AK-47 બંદૂક બનાવી તે ઓટોમેટિક હતી. ઓટોમેટિક માટે રશિયામાં 'ઓવ્ટોમેટ' શબ્દ વપરાય છે. 'ઓવ્ટોમેટ'નો A, ડિઝાઈનર મિખાઈલની સરનેમ કલાશનિકોવનો K અને શોધ જે વર્ષે થઈ હતી એ ૧૯૪૭માંથી 47 લઈને બંદૂકને AK-47 નામ આપવામાં આવ્યું.
એ વખતે દુનિયામાં વપરાતી બધી જ બંદૂકો કરતા AK-47 આધુનિક હતી. ૧૯૪૮માં લશ્કરી પ્રયોગો સફળ થયા પછી રશિયાએ ૧૯૪૯માં આ બંદૂકને સત્તાવાર રીતે લશ્કરમાં સ્થાન આપ્યું.
AK-47 વિકસાવવામાં મિખાઈલને પાંચ વર્ષ લાગ્યાં હતાં, નોકરીના ભાગરૂપે આ રાઈફલ તેમણે ડિઝાઈન કરી હતી એટલે વિશ્વમાં બંદૂક સફળ થઈ પછી ય તેમને કશું જ આર્થિક વળતર મળ્યું ન હતું. વળી, આ રાઈફલના પ્રોડક્ટ હકો મિખાઈલના કે રશિયાના નામે નોંધાયા ન હતા એટલે ડિઝાઈનમાં ફેરફાર કરીને આ જ બંદૂક ઘણાં દેશોમાં બનવા લાગી હતી.
કોલ્ડવોર પછી અમેરિકામાં AK-47 બહુ જ લોકપ્રિય નીવડી. અત્યાર સુધીમાં ૧૦ કરોડ AK-47નું ઉત્પાદન થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં AK-47ને સૌથી વધુ ઉત્પાદિત બંદૂકની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.
વિશ્વનાં ૧૦૬ જેટલાં દેશોમાં AK-47નો લશ્કરી ઉપયોગ થાય છે. સોમાલિયાના ચાંચિયાથી લઈને આતંકવાદીઓ સુધી પણ AK-47 પહોંચી ચૂકી છે. ૩૦ દેશો આ બંદૂકનું ઉત્પાદન કરે છે. સૌથી મોટા ઉત્પાદક દેશો રશિયા અને ચીન છે. આજે દુનિયામાં વર્ષે એકાદ લાખ લોકો આ બંદૂકના કારણે મૃત્યુ પામતા હોવાનું કહેવાય છે. તેને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતકી હથિયાર માનવામાં આવે છે.
રશિયન સૈનિકો દુશ્મનોની તીવ્ર ગોળીના જવાબરૂપે બચાવમાં તીવ્ર ગોળીઓ છોડી શકે એ માટે બનેલી બંદૂક પછીથી બર્બરતાનું પ્રતીક બની ગઈ છે. આજે વિશ્વમાં પ્રતિ ૬૦મા વ્યક્તિ પાસે એક AK-47 ઉપલબ્ધ છે. તેના વિવિધ ઉત્પાદનો ૧૦ ડોલરથી લઈને ૨૦૦ ડોલર સુધીમાં મળી જાય છે. એટલે કે ૭૦૦ રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીમાં આ રાઈફલ ઉપલબ્ધ બને છે.
વિશ્વની સૌથી લોકપ્રિય, સૌથી ઘાતક અને સૌથી વધુ જથ્થામાં બનતી બંદૂક AK-47 છે, તે જાણીને શોધક મિખાઈલની છેલ્લાં વર્ષોમાં કેવી પ્રતિક્રિયા હતી?
***
રશિયામાં આ રાઈફલના ૭૦ વર્ષ થયા તેની પૂરજોશમાં ઉજવણી થઈ હતી. રશિયન પ્રમુખ પુતિને આ રાઈફલને રશિયાની કલ્ચરલ બ્રાન્ડ ગણાવી હતી. ગયા સપ્તાહે સંશોધક મિખાઈલ કલાશનિકોવના સન્માનમાં એક સ્મારક ખુલ્લું મૂકાયું હતું. મિખાઈલની ૩૦ ફૂટ ઊંચી પ્રતિમાનું મોસ્કોમાં અનાવરણ થયું હતું. AK-47 હાથમાં રાખીને મિખાઈલનું પૂતળું મોસ્કોની બજારમાં ભલે ખડું કરાયું હોય, પણ આ રાઈફલની શોધ બદલ મિખાઈલને છેલ્લાં દિવસોમાં પારાવાર અફસોસ હતો.
આર્મીમેન મિખાઈલ સંવેદનશીલ હૃદય ધરાવતા હતા. બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતા હતા ત્યારે મિખાઈલ કવિ બનવાનું સપનું જોતા હતા. કિશોરાવસ્થામાં શરૂ થયેલી કવિતાઓના સર્જનની સફર જીવનના અંતિમ તબક્કા સુધી ચાલું રહી હતી. યુદ્ધ વખતે, શસ્ત્રોની ડિઝાઈન વખતે અને નિવૃત્ત થયા પછી ય તેમણે કવિતા સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો.
એમની સર્જક તરીકેની યાત્રા દરમિયાન તેમના ૬ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. જેમાં કવિતાઓ, નિબંધો, લેખો અને જીવનના અનુભવોનો સમાવેશ થતો હતો. છેલ્લાં શ્વાસ સુધી તેમણે કવિતાનું સર્જન કર્યું હતું. તેમની સંવેદનશીલ કવિતાઓ વાંચીને ભાગ્યે જ કોઈ એવું માની શકતા કે AK-47 જેવી ઘાતકી રાઈફલના સર્જક આવાં ઉર્મી કાવ્યોના પણ સર્જક છે!
૨૦૦૭માં પહેલી વખત બચાવ માટે બનેલી બંદૂકને બર્બરતાનું પ્રતીક બનતી જોઈને મિખાઈલે પોતાની શોધ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સખેદ કહ્યું હતું કે મારી શોધથી નિર્દોષ લોકોના મૃત્યુ થતાં જોઈને મારી ઊંઘ ઉડી જાય છે.
૨૦૧૩માં ૯૪ વર્ષની તેમનું નિધન થયું તેના થોડા સમય પહેલાં જાણે પોતાની શોધ બદલ ઈશ્વરની માફી માગતા હોય એમ તેમણે ચર્ચને એક પત્ર લખ્યો હતો : 'હું ૯૩ વર્ષનો ખેડૂતપુત્ર મિખાઈલ એ માટે ખુબ દુ:ખી છું કે મારી શોધના કારણે લોકો પળવારમાં મોતને ભેટે છે. રહી રહીને મને સવાલ થાય છે કે શું હું એ લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર છું? મારી શોધના કારણે જે મૃત્યુ થયા છે અને હું એના માટે જો જવાબદાર હોઈશ તો ઈશ્વર મને માફ કરશે?'
આર્મીમેન મિખાઈલ સંવેદનશીલ હૃદય ધરાવતા હતા. બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતા હતા ત્યારે મિખાઈલ કવિ બનવાનું સપનું જોતા હતા. કિશોરાવસ્થામાં શરૂ થયેલી કવિતાઓના સર્જનની સફર જીવનના અંતિમ તબક્કા સુધી ચાલું રહી હતી. યુદ્ધ વખતે, શસ્ત્રોની ડિઝાઈન વખતે અને નિવૃત્ત થયા પછી ય તેમણે કવિતા સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો.
એમની સર્જક તરીકેની યાત્રા દરમિયાન તેમના ૬ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. જેમાં કવિતાઓ, નિબંધો, લેખો અને જીવનના અનુભવોનો સમાવેશ થતો હતો. છેલ્લાં શ્વાસ સુધી તેમણે કવિતાનું સર્જન કર્યું હતું. તેમની સંવેદનશીલ કવિતાઓ વાંચીને ભાગ્યે જ કોઈ એવું માની શકતા કે AK-47 જેવી ઘાતકી રાઈફલના સર્જક આવાં ઉર્મી કાવ્યોના પણ સર્જક છે!
૨૦૦૭માં પહેલી વખત બચાવ માટે બનેલી બંદૂકને બર્બરતાનું પ્રતીક બનતી જોઈને મિખાઈલે પોતાની શોધ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સખેદ કહ્યું હતું કે મારી શોધથી નિર્દોષ લોકોના મૃત્યુ થતાં જોઈને મારી ઊંઘ ઉડી જાય છે.
૨૦૧૩માં ૯૪ વર્ષની તેમનું નિધન થયું તેના થોડા સમય પહેલાં જાણે પોતાની શોધ બદલ ઈશ્વરની માફી માગતા હોય એમ તેમણે ચર્ચને એક પત્ર લખ્યો હતો : 'હું ૯૩ વર્ષનો ખેડૂતપુત્ર મિખાઈલ એ માટે ખુબ દુ:ખી છું કે મારી શોધના કારણે લોકો પળવારમાં મોતને ભેટે છે. રહી રહીને મને સવાલ થાય છે કે શું હું એ લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર છું? મારી શોધના કારણે જે મૃત્યુ થયા છે અને હું એના માટે જો જવાબદાર હોઈશ તો ઈશ્વર મને માફ કરશે?'
ભારતના માર્કેટમાં દર વર્ષે કેટલી નકલી દવાઓ વેંચાય છે?
રૂરલ ઈન્ડિયામાં કુલ દવાના વેંચાણમાંથી ૨૫ ટકા નકલી દવાઓ વેંચાય છે
નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.
માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.
હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.
પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.
બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!
એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.
તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!
ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.
ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.
માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.
હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.
પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.
બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!
એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.
તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!
ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.
ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!
ઈન્ટરનેટમાં આવી રહેલો ભારતીય ભાષાઓનાં વર્ચસ્વનો ટ્રેન્ડ!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
અત્યારે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીમાંથી માત્ર ૦.૦૧ ટકા માહિતી ભારતીય ભાષાઓમાં છે, પણ સંશોધનો કહે છે કે ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાઈ જશે
વિશ્વમાં ૨૦૧૭માં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૪૮૦ કરોડ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. એમાં ૨૦૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૨ સુધીમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા ૫૫૦ કરોડને પાર થશે ત્યારે ૩૮૦થી ૪૦૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ હશે. બે વર્ષ પછી જ ૨૦૧૯માં દુનિયામાં ૨૫૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ થશે. મોબાઈલ અને સ્માર્ટફોન યુઝર્સમાં ભારત અને ચીન ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યાં છે.
ચીનમાં ૧૫૦ કરોડ મોબાઈલ યુઝર્સ છે અને ભારતમાં મોબાઈલ યુઝર્સનો આંકડો લગભગ ૧૪૦ કરોડને પાર થવાની તૈયારીમાં છે. ભારતમાં આગામી પાંચ વર્ષમાં મોબાઈલ ધારકો વધશે અને ભારત ચીન કરતા એ મામલે આગળ નીકળી જશે. અત્યારે દેશમાં ૩૮ કરોડ જેટલા સ્માર્ટફોન ધારકો છે, એમાં માત્ર ચાર વર્ષમાં ૬૦-૬૫ ટકાનો વધારો થવાની ધારણા છે. ૨૦૧૬માં દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ૩૭. ૩ કરોડ હતી. બે વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૫૦ કરોડ થવાની શક્યતા ગ્લોબલ ઈન્ટરનેટ ટ્રાફિકનું મોનિટરિંગ કરતી એજન્સીઓએ વ્યક્ત કરી છે. ૨૦૧૨ સુધીમાં દેેશમાં ૮૨ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ હશે.
ભારતમાં લોકોની ખરીદશક્તિ વધી છે. મોબાઈલ ફોન તો ઠીક હવે સ્માર્ટફોન ભારતમાં જરૃરિયાત ગણાય છે. એક અંદાજ એવો છે કે કરોડો મોબાઈલ ધારકો બે-ત્રણ વર્ષમાં સ્માર્ટફોન ધારક બની જશે. એ હિસાબે સ્માર્ટફોન યુઝર્સનો આંકડો બે-ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધશે. ૨૦૨૨માં આપણાં દેશમાં ૧૦૦ કરોડ લોકો પાસે સ્માર્ટફોન હશે અને કુલ મોબાઈલ ફોન્સની સંખ્યા ૨૦૦ કરોડ કરતાં ય વધું હશે! દેશના વીસેક કરોડ લોકો પાસે બબ્બે મોબાઈલ હશે. બીજી રીતે કહીએ તો દેશની કુલ વસતિમાંથી ૭૦ ટકા પાસે સ્માર્ટફોન હશે.
બસ, આ અહેવાલો જોઈને જ વિશ્વભરની મોબાઈલ કંપનીઓને ભારતનું નામ સાંભળીને લાળ ટપકે છે! ચીનની કંપનીઓને ભારતના વિશાળ માર્કેટમાં સસ્તા ભાવે સ્માર્ટફોન વેંચીને કબજો કરવો છે. તો અમેરિકા-જાપાન-સાઉથ કોરિયાની મોબાઈલ કંપનીઓ પણ લોયલ ગ્રાહકોની તલાશમાં બધું જ કરી છૂટવા તૈયાર છે.
એમાં ભારતીય ગ્રાહકોને આકર્ષે એવી કિંમત ઉપરાંત વિવિધ સુવિધાનો સમાવેશ થાય છે. ૫થી ૬ ઈંચની સ્ક્રીન, હાઈ રિઝોલ્યુશનના કેમેરા, બેટરી ક્ષમતા, મોબાઈલ સ્ટોરેજ જેવું ઘણું બધું આપીને ભારતીય ગ્રાહકોને ખુશ કરવાની કોશિશ થઈ છે અને એમાંની એક સુવિધા છે ભાષા!
***
૨૦૦૮-૧૦ આસપાસ મોબાઈલ ફોનમાં હિન્દીભાષા સપૉર્ટ થતી ત્યારે ભાષાપ્રેમીઓનું હૈયું હરખાઈ ગયું હતું. વિદેશી કંપનીઓ માટે ત્યારે ભાષા કે વધુ સુવિધા જેવા ફેક્ટર્સ કામ કરતાં ન હતાં. માર્કેટમાં સ્પર્ધા ઓછી હતી એટલે મોનોપોલી ભોગવતી કંપનીઓ મોબાઈલના નામે જે આપે એ લઈ લેવાના દિવસો હતાં. ભારતમાં તો ટેકનોલોજીના સંશોધનો નહીંવત્ થાય છે, એટલે મોબાઈલ ફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થાય તેવા સંશોધનોની શક્યતા જ નહોતી. વિદેશી સંશોધનો થાય એની રાહ જોવાની હતી અથવા તો મોબાઈલના માર્કેટમાં સ્પર્ધા જામે ત્યાં સુધી ધીરજ રાખવાની હતી.
એ ધીરજનું ફળ ૨૦૧૩-૧૪ પછી મળવા લાગ્યું. મોબાઈલ કંપનીઓ વચ્ચે ભારતનું માર્કેટ સર કરવાની હોડ જામી હતી અને એમાં હિન્દી સિવાયની ભાષાઓ માર્કેટિંગ ફિચરના ભાગરૃપે સપૉર્ટ થવા લાગી હતી. ભારતના ગ્રાહકોએ હિન્દી સિવાયની ભાષાની ડિમાન્ડ નહોતી કરી, પણ કંપનીઓએ રાજ્યોના માર્કેટ પ્રમાણે એક પછી એક ભાષાઓ ઉમેરવા માંડી. ભાષા ઉમેરાતી ગઈ પછી ગ્રાહકોમાં ય એની ડિમાન્ડ થવા લાગી.
આમ તો હજુ હમણાં સુધી સ્થાનિક ભાષા સપૉર્ટ થતી હોય તો જ મોબાઈલ ખરીદે એવી ડિમાન્ડ કરનારા ગ્રાહકો બહુ ઓછા હતા, પણ સોશિયલ મીડિયાનું મોજું ફરી વળ્યું પછી ગુજરાતી-મરાઠી-બંગાળી જેવી ભાષાઓ મોબાઈલમાં દેખાતી હોય તો જે તે રાજ્યના ગ્રાહકને ઘણું નવું વાંચવા મળતું હતું એટલે એવી ભાષા સપૉર્ટ થતી હોય એવા મોબાઈલ ખરીદવાનું પ્રમાણ વધ્યું. આભાર તો આવી કંપનીઓનો જ માનવો રહ્યો કે તેમણે સ્પર્ધાના કારણે ભારતની ભાષાઓ સપૉર્ટ થાય એવા મોબાઈલ આપણાં સુધી પહોંચાડયા, નહીંતર ભારતીય ગ્રાહકો આવી ડિમાન્ડ કરતા હોત કે કેમ એ મોટો સવાલ હોત!
ભારતીય ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ઉપલબ્ધ બનવા લાગ્યા એ પછીના ત્રણ-ચાર વર્ષમાં હવે સ્થિતિ સદંતર બદલી ગઈ છે. આજે ભારતમાં મળતા ૮૦ ટકા સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી છે. આપણી સરકાર પણ રહી રહીને જાગી છે. સરકારે ઓક્ટોબર-૨૦૧૬માં એવી જાહેરાત કરી હતી કે ૧લી જુલાઈ, ૨૦૧૭ પછી દેશના માર્કેટમાં પ્રવેશ કરનારી કોઈ પણ મોબાઈલ ઉત્પાદક કંપનીએ ભારતની બધી જ સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન જ ઉપલબ્ધ બનાવવા પડશે.
ભારતની સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોનનું પ્રમાણ વધ્યું એ પાછળ ફેસબુક અને વોટ્સએપની લોકપ્રિયતાનો પણ ફાળો ખરો. આ બંનેમાં હિન્દી સિવાયની ભાષાઓમાં વિચારો વ્યક્ત થવા લાગ્યાં એટલે ગ્રાહકોમાં ય પ્રાદેશિક ભાષા સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોન ખરીદવાનું વલણ વધ્યું. આજે દરેક રાજ્યોમાં માતૃભાષામાં વાંચન સામગ્રી ફરવા લાગી છે. પ્રાદેશિક ભાષા સપૉર્ટ ન થતી હોય એવાં સ્માર્ટફોન્સની સંખ્યા ઘટી ગઈ છે અને જે મોબાઈલમાં હજુ ય ભારતીય ભાષાઓ સપૉર્ટ નથી થતી એમાં એ કસર વિવિધ એપ્સ દ્વારા પૂરી થઈ જાય છે.
ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો સ્માર્ટફોન ગુજરાતી કન્ટેન્ટથી ઉભરાવાં લાગ્યા છે. ભારતમાં લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં એ જ સ્થિતિ છે, છતાં સવાલ હજુય એ છે કે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષામાં કેટલી વાંચન સામગ્રી ઉપલબ્ધ હશે?
***
ભારતની સત્તાવાર ભાષામાં કુલ કેટલું કેન્ટેન્ટ અવેલેબલ છે તેનું એક રસપ્રદ સંશોધન ગૂગલ સાથે મળીને પ્રોફેશ્નલ સર્વિસ કંપની KPMGએ હમણાં હાથ ધર્યું હતું. એનું તારણ એ આવ્યું કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કુલ સામગ્રી સાથે આપણી ૨૨ સત્તાવાર ભાષાઓમાં અવેલેબલ કન્ટેન્ટની તુલના થાય તો એ માત્ર ૦.૦૧ ટકા જેટલું છે. બીજાં શબ્દોમાં કહીએ તો આ સામગ્રી ઈન્ટરનેટના મહાસાગરમાં એક બુંદ જેટલી ગણાય!
આમ તો હજુ હમણાં સુધી સ્થાનિક ભાષા સપૉર્ટ થતી હોય તો જ મોબાઈલ ખરીદે એવી ડિમાન્ડ કરનારા ગ્રાહકો બહુ ઓછા હતા, પણ સોશિયલ મીડિયાનું મોજું ફરી વળ્યું પછી ગુજરાતી-મરાઠી-બંગાળી જેવી ભાષાઓ મોબાઈલમાં દેખાતી હોય તો જે તે રાજ્યના ગ્રાહકને ઘણું નવું વાંચવા મળતું હતું એટલે એવી ભાષા સપૉર્ટ થતી હોય એવા મોબાઈલ ખરીદવાનું પ્રમાણ વધ્યું. આભાર તો આવી કંપનીઓનો જ માનવો રહ્યો કે તેમણે સ્પર્ધાના કારણે ભારતની ભાષાઓ સપૉર્ટ થાય એવા મોબાઈલ આપણાં સુધી પહોંચાડયા, નહીંતર ભારતીય ગ્રાહકો આવી ડિમાન્ડ કરતા હોત કે કેમ એ મોટો સવાલ હોત!
ભારતીય ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન ઉપલબ્ધ બનવા લાગ્યા એ પછીના ત્રણ-ચાર વર્ષમાં હવે સ્થિતિ સદંતર બદલી ગઈ છે. આજે ભારતમાં મળતા ૮૦ ટકા સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી છે. આપણી સરકાર પણ રહી રહીને જાગી છે. સરકારે ઓક્ટોબર-૨૦૧૬માં એવી જાહેરાત કરી હતી કે ૧લી જુલાઈ, ૨૦૧૭ પછી દેશના માર્કેટમાં પ્રવેશ કરનારી કોઈ પણ મોબાઈલ ઉત્પાદક કંપનીએ ભારતની બધી જ સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવા સ્માર્ટફોન જ ઉપલબ્ધ બનાવવા પડશે.
ભારતની સત્તાવાર ભાષાઓ સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોનનું પ્રમાણ વધ્યું એ પાછળ ફેસબુક અને વોટ્સએપની લોકપ્રિયતાનો પણ ફાળો ખરો. આ બંનેમાં હિન્દી સિવાયની ભાષાઓમાં વિચારો વ્યક્ત થવા લાગ્યાં એટલે ગ્રાહકોમાં ય પ્રાદેશિક ભાષા સપૉર્ટ થતી હોય એવાં સ્માર્ટફોન ખરીદવાનું વલણ વધ્યું. આજે દરેક રાજ્યોમાં માતૃભાષામાં વાંચન સામગ્રી ફરવા લાગી છે. પ્રાદેશિક ભાષા સપૉર્ટ ન થતી હોય એવાં સ્માર્ટફોન્સની સંખ્યા ઘટી ગઈ છે અને જે મોબાઈલમાં હજુ ય ભારતીય ભાષાઓ સપૉર્ટ નથી થતી એમાં એ કસર વિવિધ એપ્સ દ્વારા પૂરી થઈ જાય છે.
ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો સ્માર્ટફોન ગુજરાતી કન્ટેન્ટથી ઉભરાવાં લાગ્યા છે. ભારતમાં લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં એ જ સ્થિતિ છે, છતાં સવાલ હજુય એ છે કે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષામાં કેટલી વાંચન સામગ્રી ઉપલબ્ધ હશે?
***
ભારતની સત્તાવાર ભાષામાં કુલ કેટલું કેન્ટેન્ટ અવેલેબલ છે તેનું એક રસપ્રદ સંશોધન ગૂગલ સાથે મળીને પ્રોફેશ્નલ સર્વિસ કંપની KPMGએ હમણાં હાથ ધર્યું હતું. એનું તારણ એ આવ્યું કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કુલ સામગ્રી સાથે આપણી ૨૨ સત્તાવાર ભાષાઓમાં અવેલેબલ કન્ટેન્ટની તુલના થાય તો એ માત્ર ૦.૦૧ ટકા જેટલું છે. બીજાં શબ્દોમાં કહીએ તો આ સામગ્રી ઈન્ટરનેટના મહાસાગરમાં એક બુંદ જેટલી ગણાય!
અંગ્રેજીમાં તો ઈન્ટરનેટ ઉપર જ્ઞાાનનો ખજાનો છે જ છે, પરંતુ રશિયન, જર્મન, જાપાનીઝ, સ્પેનીશ, ફ્રેન્ચ, ચાઈનીઝ, પોર્ટુગીઝ, ઈટાલીયન, પોલીશ અને ટર્કીશ ભાષા અંગ્રેજી સિવાય ટોપ-૧૦ના લિસ્ટમાં છે. ૫૧ ટકા સાથે અંગ્રેજી સામગ્રી સૌથી વધુ છે. એ પછી ૬.૬ ટકા સાથે રશિયન ભાષા બીજાં, ૫.૬ ટકા જાપાનીઝ અને જર્મન ત્રીજા, ૫.૧ ટકા સ્પેનીશ ચોથા અને ૪.૧ સાથે ફ્રેન્ચ પાંચમા ક્રમે છે. ભારતની પ્રાદેશિક ભાષા તો ઠીક હિન્દી ભાષા આ યાદીમાં ટોપ-૪૦માં પણ નથી. વિશ્વમાં ૩૦ કરોડ કરતા વધુ લોકો હિન્દીભાષા જાણે છે, છતાં ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સામગ્રી ૦.૧ ટકા પણ નથી. જો ૦.૧ ટકા સામગ્રી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય તો હિન્દીનો સમાવેશ ટોપ-૩૦ થાત!
***
વેલ, અત્યારે ભારતીય ભાષાઓની ઈન્ટરનેટ ઉપર ભલે આ સ્થિતિ છે, પરંતુ ગૂગલ અને KPMGના અહેવાલમાં એવી ધારણા વ્યક્ત થઈ છે કે ઈન્ટરનેટ ઉપર આગામી સમય ભારતીય ભાષાઓનો હશે. ૨૦૧૧માં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના માત્ર ૪ કરોડ યુઝર્સ હતાં. એ સિવાયના યુઝર્સ અંગ્રેજી ઉપર આધાર રાખતાં હતાં. સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી પછી સ્થિતિ બદલાઈ છે. ૨૦૧૬માં ભારતીય ભાષા ઉપર આધાર રાખતા હોય એવા યુઝર્સની સંખ્યા વધીને ૨૪ કરોડ થઈ ગઈ હતી. ૨૦૨૧ સુધીમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાની સામગ્રી ઉપર જ આધાર રાખતા યુઝર્સનો આંકડો ૫૦ કરોડને પાર થશે.
આ આંકડાને આધાર બનાવીને નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતના યુઝર્સ હવે ભારતીય ભાષાઓ ઉપર વધુ આધાર રાખતા થયા છે અને એ જ કારણે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના કન્ટેન્ટનો ટ્રેન્ડ આવશે.
બીજું ય એક અવલોકન જોવા જેવું છે. ૧૯૯૦ પછી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ૮૦ ટકા સામગ્રી ઈંગ્લિશમાં હતી. સામે મોટાભાગના ડિવાઈસ પણ ઈંગ્લિશ લેગ્વેજ સપૉર્ટેડ હતાં. કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સ્માર્ટફોનમાં જેમ જેમ વિવિધ ભાષાઓ સપૉર્ટ થવા લાગી તેમ તેમ એ ભાષાનું કન્ટેન્ટનો શેર વધવા લાગ્યો. રશિયન, ફ્રેન્ચ, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ સહિતની ભાષાઓએ પણ આ જ પ્રક્રિયાના ભાગરૃપે ઈન્ટરનેટની સામગ્રીમાં ભાગીદારી વધારી હતી. એ જ પ્રક્રિયા હવે ભારતમાં થઈ રહી છે. પરિણામે ઈન્ટરનેટ ઉપરની સામગ્રીમાં ભારતીય ભાષાઓનો શેર પણ વધશે એવી આશા ઉજળી બની છે.
એ કન્ટેન્ટ કેવું હશે? જ્ઞાાનવર્ધક હશે? એનાથી આપણાં યુઝર્સના વિકાસમાં કોઈ ફેર પડશે? શિક્ષણ-સ્વાસ્થ્યમાં એનો લાભ મળશે?
વોટ્સએપ અને ફેસબુક ઉપર ફેલાતી અધકચરી માહિતીના આધારે તો આ સવાલોનો જવાબ નિરાશાજનક મળે છે.
પણ આશા અમર છે. લેટ્સ હોપ! ઈન્ટરનેેટ ઉપર આવી રહેલો ભારતીય ભાષાનો નવો ટ્રેન્ડ જ્ઞાનવર્ધક હશે.
***
વેલ, અત્યારે ભારતીય ભાષાઓની ઈન્ટરનેટ ઉપર ભલે આ સ્થિતિ છે, પરંતુ ગૂગલ અને KPMGના અહેવાલમાં એવી ધારણા વ્યક્ત થઈ છે કે ઈન્ટરનેટ ઉપર આગામી સમય ભારતીય ભાષાઓનો હશે. ૨૦૧૧માં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના માત્ર ૪ કરોડ યુઝર્સ હતાં. એ સિવાયના યુઝર્સ અંગ્રેજી ઉપર આધાર રાખતાં હતાં. સ્માર્ટફોનમાં ભારતીય ભાષાઓ સપૉર્ટ થવા લાગી પછી સ્થિતિ બદલાઈ છે. ૨૦૧૬માં ભારતીય ભાષા ઉપર આધાર રાખતા હોય એવા યુઝર્સની સંખ્યા વધીને ૨૪ કરોડ થઈ ગઈ હતી. ૨૦૨૧ સુધીમાં અંગ્રેજીને બદલે ભારતીય ભાષાની સામગ્રી ઉપર જ આધાર રાખતા યુઝર્સનો આંકડો ૫૦ કરોડને પાર થશે.
આ આંકડાને આધાર બનાવીને નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતના યુઝર્સ હવે ભારતીય ભાષાઓ ઉપર વધુ આધાર રાખતા થયા છે અને એ જ કારણે ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાના કન્ટેન્ટનો ટ્રેન્ડ આવશે.
બીજું ય એક અવલોકન જોવા જેવું છે. ૧૯૯૦ પછી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ૮૦ ટકા સામગ્રી ઈંગ્લિશમાં હતી. સામે મોટાભાગના ડિવાઈસ પણ ઈંગ્લિશ લેગ્વેજ સપૉર્ટેડ હતાં. કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સ્માર્ટફોનમાં જેમ જેમ વિવિધ ભાષાઓ સપૉર્ટ થવા લાગી તેમ તેમ એ ભાષાનું કન્ટેન્ટનો શેર વધવા લાગ્યો. રશિયન, ફ્રેન્ચ, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ સહિતની ભાષાઓએ પણ આ જ પ્રક્રિયાના ભાગરૃપે ઈન્ટરનેટની સામગ્રીમાં ભાગીદારી વધારી હતી. એ જ પ્રક્રિયા હવે ભારતમાં થઈ રહી છે. પરિણામે ઈન્ટરનેટ ઉપરની સામગ્રીમાં ભારતીય ભાષાઓનો શેર પણ વધશે એવી આશા ઉજળી બની છે.
એ કન્ટેન્ટ કેવું હશે? જ્ઞાાનવર્ધક હશે? એનાથી આપણાં યુઝર્સના વિકાસમાં કોઈ ફેર પડશે? શિક્ષણ-સ્વાસ્થ્યમાં એનો લાભ મળશે?
વોટ્સએપ અને ફેસબુક ઉપર ફેલાતી અધકચરી માહિતીના આધારે તો આ સવાલોનો જવાબ નિરાશાજનક મળે છે.
પણ આશા અમર છે. લેટ્સ હોપ! ઈન્ટરનેેટ ઉપર આવી રહેલો ભારતીય ભાષાનો નવો ટ્રેન્ડ જ્ઞાનવર્ધક હશે.
********************
ભારતીય ભાષાઓમાં ગુજરાતી ક્યાં હશે?
૨૦૨૧ સુધીમાં ઈન્ટરનેટ ઉપર ભારતીય ભાષાઓનું પ્રભુત્વ વધશે. એમાં ગુજરાતીનું સ્થાન પણ આગળ પડતું છે. ૨૦૨૧માં ઈન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષા ઉપર આધાર રાખતા યુઝર્સની સંખ્યા ૨.૬ કરોડ હશે.
હિન્દીના ૨૧ કરોડ યુઝર્સ હશે એટલે સ્વાભાવિક રીતે ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રથમ નંબરે હશે. એ પછી ૫.૧ કરોડ યુઝર્સ સાથે મરાઠી બીજાં ક્રમે, ૪.૨ કરોડ સાથે બંગાળી ત્રીજા ક્રમે, ૩.૨ કરોડ સાથે તમિલ ચોથા અને ૩.૧ કરોડ વપરાશકર્તા સાથે તેલુગુ પાંચમા ક્રમે હશે. એ પછી છટ્વો ક્રમ ગુજરાતીને મળશે.