- Back to Home »
- Biographical »
- ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ
Posted by :
Harsh Meswania
Saturday, 13 July 2013
ગત માસમાં ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની ૧૨૦મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. આંકડાશાસ્ત્રમાં તેમની આગવી સમજને કારણે તેમની અને ભારતની નોંધ તે સમયે વિશ્વભરમાં લેવાતી હતી. અહીં આઆંકડાશાસ્ત્રીના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ
* પ્રશાંત ચંદ્રનો જન્મ ૨૯ જૂન, ૧૮૯૩ના રોજ કલકત્તા (આજનું કોલકાતા) માં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર મહાલનોબિસની ગણના એ વખતે બંગાળના ધનવાન લોકોમાં થતી હતી.
* પ્રશાંતના જીવન ઘડતરમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરનો બહુ મોટો ફાળો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ શાંતિનિકેતનમાં જ લીધું હતું.
* પ્રશાંતને આંકડાશાસ્ત્રમાં રસ લેતા કરનાર તેના પ્રોફેસર બ્રિજેન્દ્રનાથ સીલ હતા. તેમણે પ્રશાંતની રુચિ જોઈને તેને આંકડાશાસ્ત્રમાં વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.
* ૧૯૧૩ના વર્ષમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી.
* ૧૯૧૫માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈંગ્લેન્ડની સારી તક છોડીને પણ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ભારત પરત આવી ગયા હતા અને કલકત્તા પ્રેસિડેન્સી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કારકિર્દી આરંભી હતી. એ દરમિયાન જ તેમણે આંકડાશાસ્ત્રમાં ગહન અભ્યાસ કર્યો હતો.
* પ્રશાંત તેમના ત્રણ પ્રદાન માટે જગતભરમાં જાણીતા બન્યા હતા. 'મહાલનોબિસ દુરત્વ', 'વિશાળ પાયા પર થયેલા મહાલનોબિસ સેમ્પલ સર્વે' અને 'નમૂનાનું પરીક્ષણ તથા તેમનો સિદ્ધાંત અને વ્યવહાર' એવા નામે તેમણે આંકડાશાસ્ત્રમાં કરેલું કામ આજેય વિશ્વભરનાં આંકડાશાસ્ત્રનાં પુસ્તકોમાં સ્થાન પામે છે.
* 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ'ની રચના કરવામાં આવી ત્યારે પ્રશાંત મહાલનોબિસને તેના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા.
* આંકડાશાસ્ત્ર અને ગણિતમાં મહામૂલું પ્રદાન કરીને ભારતને જ નહીં પણ દુનિયાને સમૃદ્ધ વારસો આપનારા પ્રશાંતજીનું નિધન ૨૮ જૂન, ૧૯૭૨માં થયું હતું. તેમને ભારતીય આંકડાશાસ્ત્રના પિતામહ કહીને તેમનું સન્માન કરવામાં આવે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)