Posted by : Harsh Meswania Saturday, 13 July 2013


ગત માસમાં ભારતના મહાન આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની ૧૨૦મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. આંકડાશાસ્ત્રમાં તેમની આગવી સમજને કારણે તેમની અને ભારતની નોંધ તે સમયે વિશ્વભરમાં લેવાતી હતી. અહીં આઆંકડાશાસ્ત્રીના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ

* પ્રશાંત ચંદ્રનો જન્મ ૨૯ જૂન, ૧૮૯૩ના રોજ કલકત્તા (આજનું કોલકાતા) માં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર મહાલનોબિસની ગણના એ વખતે બંગાળના ધનવાન લોકોમાં થતી હતી.

* પ્રશાંતના જીવન ઘડતરમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરનો બહુ મોટો ફાળો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ શાંતિનિકેતનમાં જ લીધું હતું.

* પ્રશાંતને આંકડાશાસ્ત્રમાં રસ લેતા કરનાર તેના પ્રોફેસર બ્રિજેન્દ્રનાથ સીલ હતા. તેમણે પ્રશાંતની રુચિ જોઈને તેને આંકડાશાસ્ત્રમાં વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.

* ૧૯૧૩ના વર્ષમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી.

* ૧૯૧૫માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈંગ્લેન્ડની સારી તક છોડીને પણ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ભારત પરત આવી ગયા હતા અને કલકત્તા પ્રેસિડેન્સી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કારકિર્દી આરંભી હતી. એ દરમિયાન જ તેમણે આંકડાશાસ્ત્રમાં ગહન અભ્યાસ કર્યો હતો.

* પ્રશાંત તેમના ત્રણ પ્રદાન માટે જગતભરમાં જાણીતા બન્યા હતા. 'મહાલનોબિસ દુરત્વ', 'વિશાળ પાયા પર થયેલા મહાલનોબિસ સેમ્પલ સર્વે' અને 'નમૂનાનું પરીક્ષણ તથા તેમનો સિદ્ધાંત અને વ્યવહાર' એવા નામે તેમણે આંકડાશાસ્ત્રમાં કરેલું કામ આજેય વિશ્વભરનાં આંકડાશાસ્ત્રનાં પુસ્તકોમાં સ્થાન પામે છે.

* 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ'ની રચના કરવામાં આવી ત્યારે પ્રશાંત મહાલનોબિસને તેના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા.

* આંકડાશાસ્ત્ર અને ગણિતમાં મહામૂલું પ્રદાન કરીને ભારતને જ નહીં પણ દુનિયાને સમૃદ્ધ વારસો આપનારા પ્રશાંતજીનું નિધન ૨૮ જૂન, ૧૯૭૨માં થયું હતું. તેમને ભારતીય આંકડાશાસ્ત્રના પિતામહ કહીને તેમનું સન્માન કરવામાં આવે છે. 

(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,079
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -