Posted by : Harsh Meswania Saturday, 20 July 2013

                                   (બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે)
પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરપૂર એવું ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઔરંગાબાદ ચોમેર પહાડોથી ઘેરાયેલું કોસ્મોપોલિટિન શહેર છે. ૫૨ દરવાજાવાળા નામથી પ્રસિદ્ધ આ શહેર પર્યટકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર મહારાષ્ટ્રના જ નહીં, પણ ભારતભરના પ્રવાસીઓ શહેરના ઐતિહાસિક વારસાનેે જોવા-જાણવા-માણવા વર્ષભર શહેરની મુલાકાત કરતા રહે છે.

* બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે. આ મકબરો મોગલ અને ફારસી વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. મકબરો ઔરંગઝેબના પુત્ર આજમશાહે તેની માતા રાબિયા બેગમની યાદમાં બનાવ્યો હતો.

* અતાઉલ્લક ખાન અને હંસપત નામના શિલ્પકારે આ મકબરો બનાવ્યો હતો. આ મકબરાની આસપાસ સુંદર બગીચો, ફુવારા તેમજ તળાવ આવેલાં છે.

* બીબીના મકબરાથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ગુફાઓ આવેલી છે. ૧૬૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં જાતકકથાઓ અને બૌદ્ધકાલીન બોધિસત્ત્વની મુર્તિઓ જોવા મળે છે.

* ૧૬૪૫માં મલિક અંબર દ્વારા નિર્માણ કરાયેલી પવનચક્કીનો ઉપયોગ તે સમયે અનાજ દળવામાં કરવામાં આવતો હતો. આ પવનચક્કીઓ હજી પણ કાર્યરત છે.

* ઔરંગાબાદની પશ્ચિમે સોનેરી મહેલ આવેલો છે, જેનું નિર્માણ રાજપૂત સરદાર પહાડસિંહે કર્યું હતું. વળી, ઔરંગાબાદથી ૫૦ કિમી. દૂર આવેલું પૈઠણ નામનું સ્થળ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયાં વિશ્વપ્રસિદ્ધ પૈઠણી સાડી બનાવવામાં આવે છે, જેમાં સોના-ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરંગાબાદ ભારતનાં તમામ શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી વર્ષેદહાડે આ શહેરને જોવા માટે ભારતભરના પ્રવાસીઓ આવે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -