Posted by : Harsh Meswania Saturday, 26 May 2012


આપણે સતત કંઈક ને કંઈકને સાંભળતા રહીએ છીએ પણ એ બધામાં ગીતો આપણને વધુ યાદ રહી જાય છે. એવું કેમ થતું હશે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે ત્યારે આપણે અહીં એ જાણીએ કે ખરેખર ગીતો કેમ આપણને ઝડપથી યાદ રહી જાય છે અને આપણે અચાનક જ ગીત ગણગણવા લાગીએ છીએ!

આપણા કાનમાં સૂર, લય અને તાલનો સમન્વય થયેલો હોય છે. આના કારણે આપણે સાંભળેલાં ગીતો કોઈ ખાસ પ્રયત્ન વિના જ યાદ રહી જાય છે અને વળી આપણે અચાનક જ કોઈ ગીત ગણગણવા લાગીએ છીએ.
 વૈજ્ઞાનિક ડૉ.વિલિયમ્સના જણાવ્યાનુસાર આને વિજ્ઞાનની પરિભાષામાં ઘણા નામે ઓળખવામાં આવે છે. સ્ટક સોંગ સિન્ડ્રોમ, સ્ટિકી મ્યુઝિક, કૉગ્નિટિવ ઈચ અને ઈયરવોર્મના કારણે આવું થાય છે. આને વધુ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આપણા મસ્તિષ્કમાં કાન સાથે એવા તંતુઓ જોડાયેલા હોય છે કે જેના લીધે જ્યારે સંગીતમય શબ્દો કાને પડે છે ત્યારે કાન તેને બહુ સારી રીતે ઝીલી લે છે અને એટલે ખાસ પ્રયત્ન વગર પણ યાદ રહી જાય છે.
વળી, આ સંગીતમય શબ્દો ગમે ત્યારે આપણે ગણગણવા લાગીએ છીએ. ખૂબ લોકપ્રિય થયેલું ગીત આપણી જીભે ચડી જાય છે અને પછી તો દિવસો સુધી આપણે એ ગીત ન સાંભળ્યું હોય તો પણ ક્યારેક અચાનક તેને ગણગણવા માંડીએ છીએ.વૈજ્ઞાનિકોના મતે કાનની સંગીતમય શ્રવણશક્તિ વધુ સતેજ હોવાથી જ વાંચેલી કે વાતચીતના સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી કરતાં ગીતના સંગીતમય સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી લાંબા સમય સુધી યાદ રહી જાય છે. 
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,157
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -