Posted by : Harsh Meswania Saturday 26 May 2012


આપણે સતત કંઈક ને કંઈકને સાંભળતા રહીએ છીએ પણ એ બધામાં ગીતો આપણને વધુ યાદ રહી જાય છે. એવું કેમ થતું હશે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે ત્યારે આપણે અહીં એ જાણીએ કે ખરેખર ગીતો કેમ આપણને ઝડપથી યાદ રહી જાય છે અને આપણે અચાનક જ ગીત ગણગણવા લાગીએ છીએ!

આપણા કાનમાં સૂર, લય અને તાલનો સમન્વય થયેલો હોય છે. આના કારણે આપણે સાંભળેલાં ગીતો કોઈ ખાસ પ્રયત્ન વિના જ યાદ રહી જાય છે અને વળી આપણે અચાનક જ કોઈ ગીત ગણગણવા લાગીએ છીએ.
 વૈજ્ઞાનિક ડૉ.વિલિયમ્સના જણાવ્યાનુસાર આને વિજ્ઞાનની પરિભાષામાં ઘણા નામે ઓળખવામાં આવે છે. સ્ટક સોંગ સિન્ડ્રોમ, સ્ટિકી મ્યુઝિક, કૉગ્નિટિવ ઈચ અને ઈયરવોર્મના કારણે આવું થાય છે. આને વધુ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આપણા મસ્તિષ્કમાં કાન સાથે એવા તંતુઓ જોડાયેલા હોય છે કે જેના લીધે જ્યારે સંગીતમય શબ્દો કાને પડે છે ત્યારે કાન તેને બહુ સારી રીતે ઝીલી લે છે અને એટલે ખાસ પ્રયત્ન વગર પણ યાદ રહી જાય છે.
વળી, આ સંગીતમય શબ્દો ગમે ત્યારે આપણે ગણગણવા લાગીએ છીએ. ખૂબ લોકપ્રિય થયેલું ગીત આપણી જીભે ચડી જાય છે અને પછી તો દિવસો સુધી આપણે એ ગીત ન સાંભળ્યું હોય તો પણ ક્યારેક અચાનક તેને ગણગણવા માંડીએ છીએ.વૈજ્ઞાનિકોના મતે કાનની સંગીતમય શ્રવણશક્તિ વધુ સતેજ હોવાથી જ વાંચેલી કે વાતચીતના સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી કરતાં ગીતના સંગીતમય સ્વરૃપમાં સાંભળેલી સામગ્રી લાંબા સમય સુધી યાદ રહી જાય છે. 
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -