Posted by : Harsh Meswania Saturday, 4 August 2012

ભારતમાં આઝાદી પહેલાં રાજકીય સંગઠનોનો અભાવ હતો. આવા સમયે રાજકીય સંગઠન સ્થાપીને લોકજાગૃતિનું મહત્ત્વનું કામ બંગાળી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ઉપાડયું હતું. બે દિવસ પછી સુરેન્દ્રનાથ બેનરજીની પુણ્યતિથિ છે ત્યારે આપણે અહીં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના અને ગાંધીજીના ઉદય પહેલાંના સૌથી લોકપ્રિય નેતા સુરેન્દ્રનાથ બેનરજી વિશે થોડું જાણીએ.
* ૧૦ નવેમ્બર, ૧૮૪૮ના રોજ કોલકાતામાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજી પર તેમના પિતા ડો. દુર્ગાચરણ બેનરજીના વિચારોની ઊંડી અસર હતી.
* તેઓએ ઇંગ્લેન્ડમાં જઈને ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા ૧૮૬૮માં પસાર કરી હતી. એ પહેલાં ભારતમાંથી એકમાત્ર સત્યેન્દ્રનાથ ટાગોર ૧૮૬૭માં આઈ.સી.એસ. બન્યા હતા.
* અનિયમિતતાનું કારણ આગળ ધરીને બ્રિટિશ સરકારે ૧૮૭૪માં તેમને બરતરફ કર્યા હતા. આ ઘટના પછી તેમણે અંગ્રેજ સરકાર ભારતીયો સામે ભેદભાવ રાખતી હોવાનું અનુભવ્યું હતું. પછી તેમણે અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરી હતી.
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પછી તેમણે પોતાના સંગઠનને કોંગ્રેસમાં વિલિન કરી દીધું હતું. ત્યારે તેઓ કોંગ્રેસના મહત્ત્વના નેતા હતા. તેઓ બે વાર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા.
* અંગ્રેજ સરકારે અધિકારી તરીકે તેમને બરતરફ કર્યા પછી તેઓ મેટ્રોપોલિટન ઇન્ટિટયૂટમાં પ્રોફેસર બન્યા. તેમણે રિયન કોલેજની સ્થાપના પણ કરી હતી, જે હવે સુરેન્દ્રનાથ બેનરજી કોલેજ કહેવાય છે.
* બંગાળના વિભાજનનો તેમણે ખૂબ વિરોધ કર્યો હતો. પરિણામે ૧૯૧૧માં બંગાળનું વિભાજન રોકી દેવામાં આવ્યું હતું, જે સુરેન્દ્રનાથ બેનરજીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
* બંગાળમાં જ્યારે કોઈ મોટા નેતાઓનો ઉદય થયો ન હતો ત્યારે સુરેન્દ્રનાથ બેનરજી 'બંગાળી બાદશાહ' તરીકે લોકોમાં લોકપ્રિય હતા.
* છેલ્લાં વર્ષોમાં ગાંધીજીનો પ્રભાવ વધવા લાગ્યો હતો અને ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે છેડેલી અસહકારની ચળવળને તેમણે ટેકો આપ્યો ન હોવાથી તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા હતા.
* ૧૯૨૧માં અંગ્રેજ સરકારે સરની ઉપાધી આપી હતી. ૧૯૨૫ની ૬ઠ્ઠી ઓગસ્ટે બૈરખપુરમાં ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,147
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -